অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ ભાગ-2

દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ ભાગ-2

યોજનાનું નામ : ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના

ઓળખવિધિ : દરેક લાભાર્થીઓની ઓળખવિધિ જુદા જુદા ખાતાઓ દ્વારા હાલની યોજનાના ઠરાવની પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે તે વિભાગના અમલીકરણ કરતા નોડલ ઓફિસરે કરવાની રહેશે.

અકસ્માતની વ્યાખ્યા. : આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પૉલિસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. વીમા રક્ષણ હેઠળના લાભાર્થીનું મૃત્યુ અથવાકાયમી અપંગતાના કિસ્સામાં લાભાર્થીને વીમા સહાય ચૂકવવા બાબતે વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે સરકારશ્રીનાઅધિકૃત સત્તાધીશ/કમિટિનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

મૃત્યુ કે કાયમી વિકલાંગતાના કારણે મળવાપાત્ર લાભ : આ યોજના હેઠળ આવરી લેવાયેલ વિકલાંગ લાભાર્થીઓને રૂા.૧,૦૦,૦૦/- વીમા રાશિની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચૂકવવા પાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પૉલિસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.

  • અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી, સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.
  • અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા
  • અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા
  • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.

વારસદારો : આ વિમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

  • પતિ અથવા પત્ની તેમની ગેરહયાતીમાં
  • તેમના બાળક પુત્ર/પુત્રી તેમની ગેરહયાતીમાં
  • તેમના મા-બાપ તેમનીગેરહયાતીમાં
  • તેમના પૌત્રપૌત્રી ઉક્ત અ,બ,કની ગેરહયાતીમાં
  • લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરિણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન.
  • ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસા ધારા હેઠળ જાહેરથયેલ વારસદારો.

ઉપરોક્ત કિસ્સામાં જો વારસદાર સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચૂકવણું કરવાનું રહેશે.

દાવા રજૂ કરવાની પ્રક્રિયા: આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે. લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત કિસ્સામાં જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.

દાવા અરજીની સાથોસાથ નીચે મુજબના દસ્તાવેજો બીડવાના રહેશે.

  1. વિકલાંગ ઓળખકાર્ડ
  2. એફ.આઈ.આર.
  3. અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
  4. જન્મ-મરણ નોંધણી અધિકારી દ્વારા અપાયેલ મરણનું પ્રમાણપત્ર.
  5. કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
  6. જરૂર હોય ત્યાં ઉંમરનો પુરાવો. (શાળા, કૉલેજનું પ્રમાણપત્ર)
  7. અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની અશક્યતાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.
  8. નોડલ અધિકારીની જવાબદારી.

નિયત નમૂનાની અરજી ઉપરોક્ત જરૂરી પુરાવા સાથે અરજીની ચકાસણી કરી નિયત પ્રમાણપત્ર સહિત અરજી વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

૮. દાવા પતાવવાની કાર્યવાહી.

મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં સક્ષમ નોડલ અધિકારીશ્રીએ) અરજી મળ્યા તારીખથી ૩૦ દિવસની અંદર જરૂરી ચકાસણી અને નિયત પ્રમાણપત્ર સાથે ચૂકવણીના હેતુસર વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

પરિશિષ્ટ - ૧

ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવાયેલ વિવિધ યોજનાઓ

ક્રમ

યોજનાના લાભાર્થી

લાભાર્થીની યોગ્યતા

વીમા કવચ

કયા રિસ્ક આવરી લેવાય છે?

૨.

નિરાધાર/વિધવા સહાય યોજના

વિકલાંગ અકસ્માત વીમાયોજના

નિરાધાર/વિધવા

રાજયના ૨.૫ લાખથી ઓછીઆવક ધરાવતા વિકલાંગો

૧,૦૦,૦૦૦

૧,૦૦,OOO

અકસ્માત મૃત્યુ અગર સંપૂર્ણ

અગર કાયમી-આંશિક

અપંગતા

ઉપર મુજબ

આ ઉપરાંત બીજા ૧૧ પ્રકારના લાભાર્થીઓને આવો લાભ અપાય છે, પરંતુ આ પુસ્તિકા વિકલાંગો તથા નિરાધાર વિધવાઓ માટેની હોઈ તે બે માટેનો જ ઉલ્લેખ કરેલ છે. (ખાતેદાર ખેડૂત, અસંગઠિત જમીન વિહોણા મજૂર વગેરે..)

અરજદાર વિકલાંગે કોઈ પ્રિમિયમ ભરવાનું હોતું નથી. જેઓ પાસે ઓળખપત્ર છે તે તમામને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) :

આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નીચે પ્રમાણેની કેન્દ્રીય સહાય મળવાપાત્ર થશે.

  1. કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-
  2. અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-

કુટુંબ ઉપર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય અપાતી હતી તે તા. ૧૫-૨- ૨૦૧૪ના ઠરાવથી રકમ વધારીને રૂ. ૨૦OOO/- કરવામાં આવી છે.

  1. આવુ મૃત્યુ થાય ત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણીની) વય ૧૮ વર્ષથી વધુ અને ૭૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.
  2. મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.
  3. અકસ્માત પામનાર વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે.
  4. મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અનેકુટુંબના તમામ સભ્યોએ સંમતિ આપવી પડે છે. આ સહાય કુટુંબના દરેક સભ્યોને અલગ અલગ મળવાપાત્ર નથી.
  5. આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે.

અરજી ક્યાં કરશો?

  1. શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
  2. ગ્રામ પંચાયત વિસ્તાર માટે - આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
  3. મહાનગર પાલિકા વિસ્તાર માટે - કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળશે.

૪૬. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાયની યોજનાઃ

ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ જ્ઞાતિના અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી. (અવસાન પામ્યા છે, તેવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાને બદલે કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિનારૂપે વિકાસ થઈ શકે તે દૃષ્ટિએ પાલક માતાપિતાની યોજના સરકારે અમલમાં મૂકી છે. અને અનાથ બાળકની સારસંભાળ રાખતા નજીકના સગાંને માસિક રૂ. ૩૦૦૦ની સહાય તા. ૨૯-૪-૨૦૧૬થી આપવાનું નક્કી કર્યું છે. (અગાઉ આ સહાય દર મહિને રૂ. ૧OOO આપવામાં આવતી હતી તેમાં રૂ. ૨૦OOનો વધારો તા. ૨૯-૪-૨૦૧૬થી કરવામાં આવેલ છે.)

પાલક માતા-પિતાની વાર્ષિક આવક :

  1. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૨૭,૦૦૦થી વધુ
  2. શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. ૩૬,000થી વધુ હશે,

તેવા પાલક માતા-પિતા અરજી કરવાને પાત્ર છે. (આ અંગે પોતાના તાલુકાના મામલતદારશ્રી પાસેથી મેળવેલો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.)

આ અંગેના નિયત અરજીપત્રક પોતાના જિલ્લાના ચિલ્ડ્રન હોમ (ઓક્ઝર્વેશન હોમ)ની કચેરીએથી મળશે અને તેમાં વિગતો ભરી બાળકની ઉંમરનો દાખલો, બાળકના માતા-પિતાના મરણના દાખલાની નકલ, વાલી થનારનો બાળક સાથેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો બિડવાનો રહેશે. અને સહાયની રકમ મંજૂર થતાં એકાઉન્ટ-પે ચેકથી નાણાં ચૂકવવામાં આવશે. આ માટે બાળકના નામ સાથેનું સંયુક્ત નામનું બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. સહાય મંજૂર થતાં આંગણવાડીથી લઈ ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે અને દર વર્ષે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વધુ વિગતો: વેબસાઈટ-www.sie.gujarat.govt.in પરથી મળી રહેશે. અનાથ બાળક અભ્યાસ બંધ કરે (છોડી દે) અથવા રાજયની કે કેન્દ્રની આવી જ કોઈ યોજનાનો લાભ મેળવતા હશે તો આ સહાય બંધ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવ ક્રમાંક--જજઅ/૧૦૨૦૧૫/૮૪૧૫૦૫ નબ.૦૭છ તા. ૨૯-૪-૨૦૧૬

રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ :

રક્તપિત્ત રોગનો દરદી એ છે કે જેની ચામડી પર ચાઠાં અથવા ચાઠાંઓ હોય અને તે ભાગમાં સંવેદનાનો સંપૂર્ણ અભાવ ચોક્કસ હોય છે અને તેણે બહુ ઔષધિય સારવારનો સંપૂર્ણ કોર્સ કર્યો હોતો નથી. રાજ્યમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્ર પર રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર કોઈ પણ જાતના નાણાં લીધા વિના, કામકાજના પ્રત્યેક દિવસે વિના મૂલ્ય મળે છે.

રક્તપિત્તના દર્દીઓને મદદરૂપ થતી સંસ્થાઓના નામ - સરનામાં, ટેલિફોન નંબર

  1. ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ: પુનઃસ્થાપન કેન્દ્ર, સેવાતીર્થ, સ્વામિનારાયણ ગુરુકૂળ વિદ્યાલયની પાછળ તરસાલી બાયપાસ-ધનયાવી રોડ, વડોદરા, ફોન : ૦૨૬૫૨૯૭૪૧૮૭, મોબાઈલ : ૯૮૨૫૪૦૭૬૫૪

મુખ્ય કાર્યાલય : યાકૃતપુરા, જૂની ગઢી, મ્યુ. સ્લમ ક્વાટર્સની પાસે, વડોદરા-૩૮૦૦૦૬, ફોન : ૨૫૧૧૨૩૦, મો. ૯૮૨૫૪૭૭૬૫૪

કૃષ્ઠસેવા - કાર્યાલયઃ સી ૨, સુરેશા એપાર્ટમેન્ટ, ઈશિતા ફલેટસની સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯, ફોનઃ૨૬૪૩૧૮૮૪, મો. ૯૯૨૫૯૭૧૧૭૬

સ્વાવલંબન ટ્રસ્ટ : હિમાવન- પાલડી ચાર રસ્તા, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૬૫૮૭૬ ૨૩, મોબાઈલ : ૯૮૭૯૨૩૮૦૪૪

શ્રમ મંદિર ટ્રસ્ટઃ સિંધ રોડ તા. જિ. : વડોદરા, ફોન : ૦૨૬૫-૬૪પર૬૬૦, ૬૪૫૧૬૫૯, મોબાઈલ : ૯૯૨૫૧૪૭૫૮૩

  1. સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ : રાજેન્દ્રનગર ચોકડી તા. હિંમતનગર,જિ. સાબરકાંઠા ફોન : ૦૨૭૭૨-૨૫૪૩૩૭, મોબાઈલ: ૯૮૨૫૦૧૧૧૮૫

વધુ માહિતી માર્ગદર્શન માટે : સ્ટેટ લેપ્રસી સેલ, કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ), બ્લોક નં. ૫, ડૉ. જીવરાજ મહેતા ભવન, (જૂના સચિવાલય, ગાંધીનગર

૪૮. આઈ.ટી.આઈ.માં ત્રણ ટકા બેઠકો અનામતઃ

વિકલાંગ ઉમેદવારો માટે કુલ ભરવાપાત્ર બેઠકોના ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલ છે. વિકલાંગ ઉમેદવારો માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અરજી કરતાં ઉમેદવારોએ વોકેશનલ રીહેબીલીટેશન સેન્ટર ફોર હેન્ડિકેપ્ટ (વી. આર.સી.) ઈન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ. હોસ્ટેલ કેમ્પસ, કુબેરનગર, અમદાવાદ તરફથી જે તે વ્યવસાય માટે યોગ્યતાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

વિકલાંગ ઉમેદવારો માટે પ્રવેશ આપવામાં અનામત રાખવામાં આવતી ત્રણ બેઠકોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે મહાનિર્દેશાલય, શ્રમ અને રોજગાર, નવી દિલ્હી દ્વારા ઈજનેરી તથા બિન ઈજનેરી વ્યવસાયોમાં પ્રવેશ આપવા માટે વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારો માટે નીચેની વિગતે વ્યવસાયોની ભલામણો કરવામાં આવેલ છે, જે અંગેની માહિતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી મળી શકશે.

વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રો પ્રવેશ માહિતી પુસ્તિકા જોવા વિનંતી રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, (ISO 9001:2000 Certified Organisation) બ્લોક નં. ૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮૨૦૧૦. ફોન : ૦૭૯-૨૩૨૫૩૮૧૨, ફેક્સ : ૦૭૯-૨૩૨૫૩૮૩૫

Website : www.talimrojgar.org E-mail : jddir-det@gujarat.gov.in


દિવ્યાંગો માટેના ફક્ત ટેકનિકલ અભ્યાસક્રમોને લગતી તાલીમ એસ.પી.પી.ડબલ્યુ.ડી. સ્ટડી સેન્ટરનો પરિચય :

SCHEME OF POLYTECHNICS FOR PERSONS WITH DISABILITIES

(Under Ministry of HRD, New Delhi) SP, PWD Study Centre,

Workshop Building Goverment Polyechnic, Ambawadi, Ahmedabad : 380015 Ph : 079-26309922

ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં સરકારી પોલિટેકનિક આંબાવાડી, અમદાવાદ : ૧૫ ખાતે “સ્કીમ ઓફ પોલિટેકનિક ફોર પર્સન વીથ ડીસએબિલિટીઝ' (એસ.પી.પીડબલ્યુ)નો પ્રોજેક્ટ વર્ષ : ૧૯૯૯-૨૦OOથી શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટના નેજા હેઠળ તાલીમાર્થીઓ માટે તાલીમ સાથે તેને લગતી આર્થિક સહાયની પણ જોગવાઈ છે. આ પ્રોજેક્ટ અન્વયે બે પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. (૧) ફોર્મલ અભ્યાસક્રમો અને (૨) નોન ફોર્મલ અભ્યાસક્રમો.

પ્રકાર

ફોર્મલ

નોન ફોર્મલ

અભ્યાસ

ડિપ્લોમા (લાંબાગાળા)

સર્ટિફિકેટ કોર્સ (ટૂંકાગાળા)

અભ્યાસક્રમની મુદત

૦૩ વર્ષ કે તેથી વધુ

ત્રણ માસ

લાયકાત

ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે

ધોરણ : ૧૦ પાસ

સામાન્ય વાંચન લેખન

પ્રવેશ પ્રક્રિયા

ધોરણ : ૧૦નું પરિણામ જાહેર થાય

બાદ કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ

દ્વારા આપવામાં આવતી જાહેરાત મુજબ

અરજીપત્રક સમયમર્યાદામાં ભરવાનું રહેશે

સેન્ટર ખાતેથી ગમે ત્યારે ફોર્મ મેળવીને ભરવાનું રહેશે

અરજીપત્રકની કિંમત

કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા નક્કી

કર્યા મુજબની

વિના મૂલ્ય

પ્રવેશ આપવાનીકાર્યવાહી

કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ તથા

V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી

S.PPW.D.સેન્ટર તથા V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી

સંસ્થા ખાતે

ચલાવવામાં

આવતા

અભ્યાસક્રમો

૧. સિવિલ

૨. મિકેનિકલ

૩. ઇલેક્ટ્રિકલ

૪. ઓટોમોબાઈલ

૫. પ્લાસ્ટિક

૬. ઈસ્યુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ૭. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન

૮. કયૂટર એન્જિનિયરિંગ

૯. ઈન્ફોરમેશન ટેકનોલોજી

૧. મોબાઈલ રિપેરિંગ

૨. વીસીડી રિપેરિંગ

૩. મોટર રીવાઈડિંગ

૪. ઓફિસ ઓટોમેશન

૫. ટીવી એન્ડ રેડિયો રિપેરિંગ ૬. એ.સી. અને ફ્રીજ રિપેરિંગ ૭. ટુ વ્હીલર મેઈન્ટેનન્સ

૮. ઘડિયાળ રિપેરિંગ

તથા અન્ય ટેકનિકલ અભ્યાસક્રમો

અભ્યાસક્રમનું સ્થળ

સરકારી પોલિટેકનિક,

અમદાવાદ-૧૫

અભ્યાસક્રમ મુજબના વિભાગોમાં

S. P. PWD Study Centre

વર્કશોપ બિલ્ડિંગ

સરકારી પોલિટેકનિક, અમદાવાદ-૧૫

સર્ટિફિકેટ

ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર,

ગુજરાત રાજય દ્વારા

સરકારી પોલિટેકનિક,

અમદાવાદ દ્વારા

ખાસ નોંધ

જયાં સુધી એક ડિપ્લોમાં પૂર્ણ ન કરે ત્યાં સુધી બીજાડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવતો નથીનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદતુરત જ અત્રે જાણ કરવાની રહેશે.

બીજા ઉમેદવારોને તક મળે તેને ધ્યાનમાં લેતાસામાન્યતઃ એક જ વાર વિદ્યાર્થીને લાભ આપવામાંઆવે છેનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદ તુરત જ અત્રે જાણ |. કરવાની રહેશે.

એમ્પ્લોયમેન્ટ માટે નોંધણી (અમદાવાદ ખાતે)

૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલ રીહેબીલાઈઝેશન સેન્ટર,

આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર.

૨. રોજગાર વિનિમય કચેરી, ફિઝીકલ હેન્ડિકે,, ઓ-૪, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસ, મેઘાણીનગ

૩. સંસ્થા ખાતે કંપનીઓ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુ.

૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલરીહેબીલાઈઝેશન સેન્ટર,

આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર.

૨. ફિઝીકલ હેન્ડીકેપ્ટ, ઓ-૪, ન્યુ મેન્ટલહોસ્પિટલ કેમ્પસ, રોજગાર વિનિયમ કચેરીર મેઘાણીનગર.

સેન્ટરના હોદ્દેદારોસંપર્ક

આચાર્ય અને પ્રોજેક્ટ ચેમ્પિયન

ફોન : ૦૭૯-૨૬૩૮૧૨૮૫ Ext. No. ૩૧૫

ચીફ કોઓર્ડિનેટર આચાર્ય અને પ્રોજેક્ટચેમ્પિયન ફોન : ૦૭૯-૨૬૩૦૯૯૨૨, | ૨૬૩૦૧ ૨૮૫ Ext No. ૩૧૫

અંગ્રેજી શબ્દોની સમજ

- HI- Hearing Impaired

- MR - Mentally Retarded.

- VI- Visually Impaired

- OH- Orthopedically HindiсppedMD - Multi Disability

- VRC- Vocational Rehabilitation Centre, Ahemedabad

- CDAC - Central Diploma Admission Committee, Ahmedabad

  • વિનામૂલ્ય વિવિધ રોજગારલક્ષી તાલીમ (ટેકનિકલ) પૂરી પાડીએ છીએ.
  • તાલીમ દરમ્યાન તેઓને યોજના અંતર્ગત સ્ટાઈપેન્ડ આપીએ છીએ.
  • તાલીમ બાદ તેઓને સ્વરોજગાર શરૂ કરવા બાબતે જરૂરી સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ.
  • તેઓને રોજગારી અપાવવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

૫૦. દૃષ્ટિહીન-વિકલાંગો માટે વ્યવસાયિક તાલીમ આપતા કેન્દ્રોના નામ/સરનામાં:

  1. સંચાલકશ્રી, અંધજન મંડળ, (માત્ર અંધજન/અપંગો માટે) ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ડૉ. જગદીશ પટેલ ચોક, ૧૩૨ ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ પીન નં. ૩૮૦૦૧૫. ટે.નં. (૦૭૯) ૨૬૩૦૫૦૮૨, ૨૬૩૦૪૦૭૦
  2. સંચાલકશ્રી, બહેરા-મૂંગા શાળા, નવરંગપુરા, આશ્રમરોડ અમદાવાદ૩૮૦૦૦૯, ટે.નં. ૬૫૮૬૧૩૮
  3. ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેડ, લવકુશ કોમ્પલેક્ષ, સુખરામનગર, ગોમતીપુર, અમદાવાદ.
  4. સંચાલકશ્રી, લાયન્સ કલબ સોસાયટી, લાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડિસેબલ, શ્રી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા-મૂંગા શાળા, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, મુ.પો. મોડાસા, જિ. સાબરકાંઠા, પી.ન. ૩૮૩૩૧૫ ટે.નં. (૦૨૭૭૪) ૨૪૬ ૮૦૧
  5. સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત સમર્પણ મુકબધિર શિશુ વિદ્યામંદિર, કૃષ્ણભવન મોટેરા, સાબરમતિ, અમદાવાદ-૩૮OOON
  6. સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મુકબધીર શિશુ વિદ્યામંદિર, ૧૧૧ ચ ટાઈપસેક્ટર-૨૮, ગાંધીનગર, ટે.નં. (૦૭૯) ૨૩૨૧૧૩૩૨
  7. સંચાલકશ્રી, ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ જની ગઢી. ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, સેવાતીર્થ, તરસાલીબાયપાસ પાસે, આદર્શનગર, વડોદરા-૩૯૦૦૦ ટે.નં. (૦૨૬૫) ૨૬૩૬૩૬૧
  8. સંચાલકશ્રી, ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ૮૨૫, સુમન દેસાઈની વાડી, ખટોદરા, ઉધના દરવાજા, સુરત૩૯૫૦૦૨, ટેનં. (૦૨૬૧) ૨૬૩૪૭૦૩, ૨૬૩૭૬૭૭૨૪૬૪૯૨૭
  9. સંચાલકશ્રી, ગાંધીઘર-કછોલી, મુ.પો. કછોલી, સ્ટે. અમલસાડ, તા. ગણદેવી, જિ. નવસારી. ટે.નં. (૦૨૬૩૪)૨૭૦૭૫૯/૨૭૦૬૪૪
  10. વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ, હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈ., સામે, કુબેરનગર, અમદાવાદ
  11. વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ વૂમન, એમ.આઈ. એસ્ટેટ, જલારામ મંદિર રોડ, કારેલીબાગ,વડોદરા- ૩૯૦૦૧૮
  12. સંચાલકશ્રી, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, નિર્મળ નગર સોસાયટી, દાલમિલ રોડ, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧ટે.નં. (૦૨૭૫૨) ૨૯૩૧૦૦/૨૮૩૪OO
  13. સંચાલકશ્રી, શ્રી કૃષ્ણકુમારસિંહજી, અંધ ઉદ્યોગ શાળા ટ્રસ્ટ સંચાલિત, શ્રીમતી પી.એન.આર.શાહ પ્રજ્ઞા ચક્ષુવિદ્યાલય, વિપનગર, ભાવનગર. પી.ન. ૩૬૪૦૦૨ ટે.નં. (૦૨૭૮) ૨૪૨૩૯૧૭

ઉપરોક્ત સંસ્થાઓમાં પ્રવેશ અંગેની કામગીરી સંસ્થા કક્ષાએ જ કરવામાં આવે છે. તેથી વધુ વિગતો માટે જે તે સંસ્થાનો સંપર્ક સાધવા વિનંતી

પી.ટી.સી. પ્રવેશમાં વિકલાંગો માટે ત્રણ ટકા બેઠકો અનામતઃ

હવે પછી દર્શાવ્યા મુજબની વિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક પછાત વર્ગ, બિનઅનામત) સરકારશ્રીની નીતિ મુજબ – ૩ ટકા. વિકલાંગ ઉમેદવારો સિવિલ સર્જન અનેજ્યાં સિવિલ સર્જન ન હોય, ત્યાં રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાવેલું પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે.

વિકલાંગ ઉમેદવારે વિકલાંગતા ચકાસણી સમિતિ સમક્ષ વિકલાંગતાની ચકાસણી માટે રજૂ થવાનું રહેશે. ઉમેદવારની વિકલાંગતા અંગે ચકાસણી સમિતિનો નિર્ણય આખરી ગણાશે.

મૂક-બધિર ઉમેદવારો : મૂક-બધિર ઉમેદવારો માટે સૌ પ્રથમ અગ્રતા તેમના સ્પષ્ટ ઉચ્ચારણો અને સ્પષ્ટ સાંભળી શકવાની ક્ષમતા હોવી જરૂરી. મૂકબધિરનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.

Sr. No

Category

Type ofImpairment and

dB Level

Speech

descrimination

Percentage

of Impairment

1.

II

Moderate

Hearing

impairment

41 to 55 db

in better ear

50 to 80%

better ear

40% to 50%

2.

III

Serverre

hearing

56 to 70 db

in better ear

40 to 50%

better ear

50% to 75%

 

(શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક ટીસીએમ. ૧૪૦૨/૩૫૪/ન, તા. ર-૯-૨૦૦૩ મુજબ

impairment

અંધત્વ અથવા અલ્પ દેષ્ટિ ધરાવતા ઉમેદવારો : શાળાના વર્ગખંડોમાં નિરીક્ષણ કરી શકે તેવી દૃષ્ટિ-ક્ષમતા હોવી જરૂરી, અંધત્વ અથવા અલ્પદૃષ્ટિનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.

Sr. No

Category

Bettet eye

Worse eyeand or

Percentageof Impairment

1.

I

II

III

6/18 to 6/36

6/60 to 4/60

3/60 to 1/60

6/60 to Nil

3/60 to Nil

EC. 1 fit to Nil

75 %

75 %

અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો : ૪૦ ટકા અથવા તેનાથી વધારે પ્રમાણિત વિકલાંગતા સાથે આપમેળે સરળ રીતે હરીફરી શકવાની ક્ષમતા જરૂરી.

અનામત ઉમેદવારોને પ્રવેશ :અનામત કેટેગરીના ઉમેદવારને ગુણવત્તા અનુસાર બિનઅનામત બેઠક ઉપર તેમની પસંદગીના સ્થળે પ્રવેશ મળતો હશે તો તે મુજબ પ્રથમ બિનઅનામત બેઠક ઉપર પ્રવેશ આપવામાં આવશે. તે માટે ઉમેદવાર જે કેટેગરીમાં હોય તે કેટેગરીની અનામત બેઠક ઉપર તેનો પ્રવેશ ગણવામાં આવશે નહિ અને સંબંધિત અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોની મળવાપાત્ર બેઠકોની સંખ્યા જાળવી રાખવામાં આવશે. આમ છતાં તમામ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકાર તરફથી જે કોઈ લાભ મળવાપાત્ર હોય છે તે લાભો આવા બિનઅનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા પાત્ર ઉમેદવારોને પણ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના ઉમેદવારને પસંદગીના સ્થળે જો બિનઅનામત બેઠક ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર ઈચ્છે તો પોતાની કેટેગરીની અનામત બેઠક ઉપર પ્રવેશ મેળવી શકશે. જે અંગેની સંમતિ ઉમેદવારે આપવાની રહેશે.

અનામત બેઠકો અન્ય કેટેગરીના ઉમેદવારોથી ભરવા :ઉપરોક્ત અનામત બેઠકો જે તે કક્ષાથી ભરાયા બાદ જો બેઠક ખાલી રહે તો તે પ્રવાહ બદલીને જે તે કેટેગરીના ઉમેદવારોથી ભરી શકાશે. તેમ છતાં જો બેઠકો ખાલી રહેશે તો આવી બેઠકો બિનઅનામત ઉમેદવારોથી ભરી શકાશે.

વધુ માહિતી માટે દર વર્ષે કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક નં.૧૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તરફથી બહાર પડતી પી.ટી.સી. પ્રવેશ માટેના નિયમો તથા ફોર્મ સાથે મળતી માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો.

ઇજનેરી, ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ :

૪૦ ટકાથી ૬૦ ટકા વચ્ચેની વિકલાંગતા ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. વિકલાંગ ઉમેદવારે સિવિલ સર્જન અને સિવિલ સર્જન ન હોય તો રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાયેલું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે. વિકલાંગ તેમજ લશ્કરી સૈનિકોનાં બાળકો માટેની અનામત બેઠકોની જોગવાઈ સ્વનિર્ભર સંસ્થાઓને લાગુ પડશે નહીં.

(ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ઈજનેરી અને ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકામાંથી)

તબીબી શિક્ષણમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ :

બધી મળીને ૪૦ ટકાથી ઓછી વિકલાંગતા ન હોય, એક પગ તથા હાથની અંશતઃ વિકલાંગતા ધરાવતા હોય તથા યોગ્ય તબીબી અધિકારીએ તેફિઝિશીયનડન્ટલ/ફિઝિયોથેરાપીસ્ટનું સ્વતંત્ર કામ કરી શકવા સક્ષમ છે તેવું પ્રમાણપત્રમાં સ્પષ્ટ દર્શાવ્યું હોય તો સરકારી મેડિકલ ડિન્ટલ ફિઝિયો થેરાપીની કૉલેજમાં તમામ વર્ગોમાં ત્રણ ટકા અનામત જગ્યાઓ ઉપર પ્રવેશ મળે છે. આ અંગેની વધુ માહિતી જે તે વર્ષના પ્રવેશ નિયમોની પુસ્તિકામાં આપવામાં આવે છે.

વિકલાંગોને રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાઓઃ

  1. અંધજન મંડળ ડૉ. જગદીશ પટેલ ચોક, સુરદાસ માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૬૩૦૫૮૫૦, ૨૬૩૦૫૦૮૨, ૨૬૩૦૪૦૭૦, ૨૬૩૦૩૫૧૩, ફેક્સ : ૦૭૯-૨૬૩૦૦૧૦૬, ઈ-મેલ blinabad1@sanchamet.in bpaindia@satya.net.in વેબ સાઈટ : www.bpaindia.org

અંધજન મંડળ (બીપીએ), દષ્ટિહીન, શારીરિક રીતે વિકલાંગ શ્રવણમંદ, મંદ-બુદ્ધિના અને વિકલાંગ વૃદ્ધો જોડે, અભ્યાસ, પુનર્વસન, સલાહ-સૂચના અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે કામ કરે છે અને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. અંધજન મંડળમાં કાર્ય કરતાં કાર્યકરોએ વ્યાવસાયિક અભ્યાસ અને તાલીમ લીધેલી છે. ૧૯૫૪માં શરૂ થયેલી એક નાનકડી રિક્રિએશન કલબ આજે ઘટાદાર વટ-વૃક્ષની માફક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા થઈ છે. અંધજન મંડળ વિવિધ પ્રકારનાં વિકલાંગોને જેમ કે દૃષ્ટિહીન, શારીરિક ક્ષતિ ધરાવતાં, શ્રવણમંદ, મંદ-બુદ્ધિનાં કે એક કરતાં વધુ અપંગતા ધરાવતી વ્યક્તિઓનાં અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, સલાહ-સૂચના, પુનર્વસન અને રોજગાર-સ્વરોજગાર અનુલક્ષી વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડે છે. જેમાં નીચે મુજબના અલગ અલગ વિભાગો આવેલા છે.

  • શ્રી કે. એન. દેસાઈ પુખ્ત અંધ કેળવણી કેન્દ્રઃ આ કેળવણી કેન્દ્રમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને સલાહ-સૂચન અને માર્ગદર્શનની સાથે પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો પાડવામાં આવે છે.
  • મીની કામા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા: આ વિભાગમાં દષ્ટિહીન વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષણની સાથે વિના મૂલ્ય હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • રાજેશ મહેતા ટેકનિકલ સ્કૂલ : આ વિભાગમાં જનરલ મિકેનિક, મોટર રિવાઈડિંગ, સુથારી, વણાટકામ, કેનિંગ અને બુક બાઈન્ડિગનો એક વર્ષનો અભ્યાસક્રમ છે. જેને ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજયુકેશનની માન્યતા પ્રાપ્ત થયેલી છે.
  • નંદિની રમેશ ગાંધી સ્કૂલ ફોર ફિઝિયોથેરાપી : ફિઝિયોથેરાપી કોર્સમાં દષ્ટિહીન વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી અભ્યાસ સાથે તાલીમ આપવામાં આવે છે. જેને એચ.એસ.સી. બોર્ડ ગુજરાતે માન્યતા આપેલી છે.
  • લાયન્સ મેટ્રોપોલિટન શકરીબહેન મંગલદાસ મ્યુઝિકલ સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ : લાયન્સ મેટ્રોપોલિટન શકરીબહેન મંગલદાસ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ ચલાવવામાં આવે છે.
  • સંકલિત શિક્ષણ કાર્યક્રમ : સામાન્ય શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણતાં દૃષ્ટિહીન અને અપંગ વિદ્યાર્થીઓને સ્પે. સંકલિત શિક્ષકો દ્વારા અભ્યાસમાં મદદ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.
  • વ્યાવસાયિક તાલીમ કેન્દ્રઃ વ્યવસાયલક્ષી તાલીમ આપી વિકલાંગ લોકોને રોજગારી/સ્વરોજગાર પ્રાપ્ત થાય એવો અંધજન મંડળનો અભિગમ છે. અંધજન મંડળમાં અપંગ અને અંધજનો માટે સૌ પ્રથમ આઈ.ટી.આઈ. માન્ય અભ્યાસક્રમની શરૂઆત થયેલી છે
  • કામા કોમ્યુટર સેન્ટર ફોર ધી બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ્ડઃ આઈ.ટી.આઈ. માન્યતા પ્રાપ્ત કોમ્યુટર સેન્ટરમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને અદ્યતન કોમ્યુટરની સાથે વોઈસ સિન્થસાઈઝરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. (બ્રેઈલ કોમ્યુટર તેમજ બ્રેઈલ પ્રિન્ટર પણ પૂરાં પાડવામાં આવે છે.)
  • ડાહીબહેન સ્ટેનોગ્રાફી કોર્સ ફોર ધી બ્લાઈન્ડ: આઈ.ટી.આઈ. માન્ય સ્ટેનોગ્રાફી કોર્સમાં અંધ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવે છે.
  • શિરીન સાયરસ દલાલ ટેલિફોન ઓપરેટર અને રિસેપ્શનિસ્ટ કોર્સ: આ કોર્સમાં ટેલિફોન ઉપર વાત કરવાની રીતભાત શીખવવામાં આવે છે. જયાં તેઓને સાદા અને ઈલેક્ટ્રોનિક્સ મશીન ઉપર કામ કરતાં શીખવી વ્યાવસાયિક તાલીમ
  • આપવામાં આવે છે.

જાગૃતિ અને પુનર્વસનઃ

  • સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયા સર્વિસ ફોર ધી ડેફઃ જ્યાં કાનની તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે શ્રવણ યંત્ર વિના મૂલ્ય આપવામાં આવે છે. તેમજ સ્પષ્ટ બોલવાની તાલીમ અપાય છે.
  • શ્રીમતી ચંદ્રિકાબહેન નટવરલાલ કિનારીવાલા મંદ-બુદ્ધિના બાળકોને તાલીમ કેન્દ્ર (શ્રીમતી ચંદ્રિકાબહેન એન. કિનારીવાલા મેન્ટલ હાઈજીન કિલનિક) : આ વિભાગમાં માનસિક રોગોના નિષ્ણાંતો દ્વારા સલાહ-સૂચના અને તાલીમ આપવામાં આવે છે. જેને ચલાવવા સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન પ્રાપ્ત થયું છે.
  • રતનલાલ લલુભાઈ સેન્ટર ફોર મલ્ટી હેન્ડીકેપ્ટઃ એક કરતાં વધુ ક્ષતિ ધરાવતી વ્યક્તિ તાલીમ કેન્દ્રને શરૂઆતના ત્રણ વર્ષ માટે હિલ્ટન/પાર્કિન્સ ઈન્ટરનેશનલની સહાય પ્રાપ્ત થયેલ છે.
  • એક કરતાં વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિનું સમુદાય આધારિત પુનર્વસન : હાલમાં આ યોજના હેઠળ લીંબડી અને કપડવંજ તાલુકામાં પંદર બાળકોને પુનર્વસન આધારિત તાલીમ આપવામાં આવે છે.
  • સી.એનકિનારીવાલા બધિરાંધ કેન્દ્ર : એક વર્ષનાં કાર્ય બાદ આ કેન્દ્રમાં લગભગ ૪૩ દષ્ટિહીન/શ્રવણમંદ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • વિકલાંગતા માટેની જાગૃતિ : અમદાવાદ અને તેની આસપાસનાં ઝૂંપડપટ્ટી અને આર્થિક રીતે પછાત લોકોને આ કાર્યક્રમ દ્વારા પ્રાથમિક સારવાર, આંખના ઓપરેશન, આર્થિક સહાય, વૃદ્ધોને પેન્શન, કન્સેશન ફોર્મ અને અન્ય પ્રાથમિક માહિતી અને સહાય પૂરી પાડવામાં આવે છે.
  • શ્રી રંગ અવધૂત રોજગાર અને સ્વરોજગાર માહિતી અને સહાય કેન્દ્રઃ બેકાર દૃષ્ટિહીન અને અપંગોને આ કાર્યક્રમ હેઠળ રોજગાર-સ્વરોજગારની માહિતી અને તક પૂરી પાડવામાં આવે છે.
  • આશા મંદીર : આ એક સ્વરોજગાર અભિગમ દ્વારા, દષ્ટિહીન-અપંગોને ટેલિફોન બૂથ, દૂધ વિતરણ કેન્દ્ર તેમજ નાનીસી હાટ દ્વારા રોજગારી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.
  • નંદિની અને પ્રિયકાન્ત મુન્સી પેરન્ટ ટીચર્સ ટ્રેનિંગ કાર્યક્રમ : આ કાર્યક્રમ દ્વારા દષ્ટિહીન વિદ્યાર્થીના વાલીઓને તાલીમ આપી તેમનાં બાળકોને સ્પે. શિક્ષકની ગરજ સારવામાં આવે છે.
  • સાધન સહાય : વિના મૂલ્ય વિતરણ થતાં સાધનો, ૧. શ્રવણ યંત્ર, ૨. ટ્રાફસિક્લ (ત્રણ પૈડાંની સાયકલ), ૩. શૈક્ષણિક સાધનના દફતર, ૪. ઘોડી, ૫. સળિયાવાળા બૂટ, ૬. નાઈટ સ્લિન્ટ, ૭. ઊંચી-નીચી થતી એલ્યુ. લાકડી. ૮ પૈડાંવાળી ખુરશી (વ્હીલચેર), ૯. સર્જિકલ શૂઝ અને સ્પિલન્ટ, ૧૦. કૃત્રિમ અવયવો, ૧૧. સી.પી.ચેર. ૧૨. ટેપરેકોર્ડર, આવકમર્યાદા તથા અપંગતા ધ્યાને લઈ આપવામાં આવે છે.ધનો, ૧. શ્રવણ યંકર ઊંચી-નીચી થતી એક ૧૨. ટેપરેકોર્ડ

વ્યાવસાયલક્ષી તાલીમ :

  • અંધજન મંડળ ઈલેક્ટ્રોનિક તાલીમ કેન્દ્રઃ આ કેન્દ્રમાં ૩૦ દૃષ્ટિહીન-વિકલાંગ લોકોને કોઈલ બાંધવી અને નવી તૈયાર કરવી, એસેમ્બલિંગ કરવું વગેરેની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેથી કરી કારખાનાઓમાં તેમને માટે નોકરીની તક ઊભી થાય.
  • સોમાભાઈ લાલભાઈ મલ્ટી કેટેગરી વર્કશોપ : વાસ્તવિક જિંદગીમાં વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત થાય અને નોકરીની તક ઝડપવામાં ઉપયોગી થાય તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં તેઓને લાઈટ-એન્જિનિયરિંગ, કોમર્શિયલ ડિઝાઈન, ફાઈલ અને સ્ટેશનરી બનાવવી, ટેલરિંગ, પ્રિન્ટિંગ અને બુક-બાઈડિંગ વગેરે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ ૩૫૦ જેટલા અંધ-અપંગોને આનો લાભ મળે છે. આ તાલીમ દરમિયાન રૂા.૨૫૦/-થી રૂ.૫OO/- સુધીનું સ્ટાઈપેન્ડ તાલીમાર્થીઓને આપવામાં આવે છે. આ તાલીમના અંતે તાલીમ આધારિત કે સમકક્ષ રોજગાર કે સ્વરોજગાર મેળવવા લાભાર્થી સક્ષમ થાય છે.
  • પ્રીતિ જગમોહન ભોગીલાલ નેશનલ રિહેબિલિટેશન એન્જિનિયરિંગ સંસ્થા: શારીરિક રીતે વિકલાંગ લોકો માટે સાધનોનું | ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનની સાથે વિકલાંગોને તાલીમ પણ પ્રાપ્ત થાય છે સાથે સાથે આ સાધનો દ્વારા હલન-ચલનની પણ તાલીમ આપવામાં આવે છે. વ્યાવસાયિક કાર્યકરોની ટીમ આખા ગુજરાતમાં ઠેક-ઠેકાણે ફરી કેમ્પનું આયોજન પણ કરે છે અને જરૂરિયાતમંદોને સાધન-સહાયનું વિતરણ પણ કરે છે. જેમાં કેલીપર્સ/નાયલોટિક કેલીપર્સ,
  • વ્હીલચેર, ટ્રાયસિક્ત, અંધજનોની લાકડી, કૃત્રિમ અવયવો વગેરેનો સમાવેશ થાય છે.

શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ:

  • સી. એન. બ્રેઈલ સરક્યુલેટિંગ લાયબ્રેરી પુસ્તકાલય) : આ પુસ્તકાલય દ્વારા લગભગ ૧૩,૦૦૦ પુસ્તકોનો લાભ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને મળે છે, જેમાં અભ્યાસને અનુલક્ષીને વાર્તાઓ, નવલકથાઓ, સામાન્ય જ્ઞાનની ચોપડીઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ પુસ્તકો ગુજરાતીમાં હોય છે.
  • અર્ચના નટવરલાલ ટોકિંગ-બુક લાયબ્રેરી (બોલતું પુસ્તકાલય) : લગભગ ૧૦,૦૦૦ કેસેટોથી સુસજ્જ એવી આ લાયબ્રેરીનો લાભ લગભગ ૪૦૦ દષ્ટિહીન વિદ્યાર્થીઓ લે છે. સાહિત્યને લગતી, બ્રેઈલમાં અપ્રાપ્ય પુસ્તકોને કેસેટમાં રૂપાંતર કરી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે.
  • લાયોનેસ કર્ણાવતી હોસ્ટેલ ફોર ધી બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ્ડ વિમેન્સ : આ હોસ્ટેલમાં ૫૦ દૃષ્ટિહીન-વિકલાંગ બહેનોને વિના મૂલ્ય રહેવા જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે તથા આ હોસ્ટેલ દ્વારા બહારગામથી આવતા ટીચર્સ ટ્રેનિંગ કોર્સના શિક્ષકો અને મહેમાનોને પણ રહેવા-જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
  • બી.એમ.એ.રીસર્ચ એન્ડ ન્યૂઝ લેટર્સઃ બી.પી.એ. દ્વારા ત્રિમાસિક ન્યૂઝ લેટર બહાર પાડવામાં આવે છે. જેની આવૃત્તિ ગુજરાતી અને અંગ્રેજીમાં પણ છે. આના દ્વારા તેના ૨૫૦૦ વાચકોને નેત્રહીન તથા વિકલાંગો અંગેના સમાચારો અને સંસ્થાની વિવિધ માહિતીથી માહિતગાર કરવામાં આવે છે.
  • બી.પી.એ.માં મળતી સગવડોઃ સલાહ-સૂચન અને માર્ગદર્શન (આસ-પાસના વાતાવરણમાં) દૃષ્ટિહીન માટે, સ્વતંત્ર રીતે ચાલવાની તાલીમ, ફિઝિયોથેરાપિસ્ટ, રોજગાર ઓફિસર, કૃત્રિમ અવયવો અને સાધન સહાય, નહિવત્ દષ્ટિ માપન અને મૂલ્યાંકન, હોમિયોપેથી દવા.
  1. અંધ કન્યા પ્રકાશ ગૃહ,કંચનગૌરી મંગળદાસ અંધકન્યાશ્રમ તાલીમ કેન્દ્ર, ડ્રાઇવ ઈન રોડ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ- પર ટે.નં. : ૨૭૪૯૦૧૪૭ website : www.akpgschool.org E-mail : info@akgshocol.org

ધોરણ ૧થી ૭ તથા નર્સરીનું શિક્ષણ સ્પેશ્યલ તાલીમાર્થીઓ દ્વારા ૨૦૫ બહેનો છાત્રાલયમાં રહીને પોતાનો સર્વાંગી વિકાસ સાધી રહી છે. વિસારદ સુધીનું સંગીત શિક્ષણ આપવામાં આવે છે. છાત્રાલયમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક કે કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ તાલીમ કેન્દ્રની તાલીમાર્થીઓ બની રહે છે. તાલીમ કેન્દ્રમાં બુક બાઈન્ડિંગ તથા વણાટ, નેતર કામ, હોમ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવે છે. હોમ સાયન્સ વિભાગ ધોરણ રથી શરૂ કરી ધોરણ ૧૨. કૉલેજ તથા લગ્ન ઉત્સુક યુવતીઓને રસોઈની તેમજ ઘરની તમામ જવાબદારી ઊઠાવવા તૈયાર કરવામાં આવે છે. દષ્ટિહીન બહેનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્ત રીતે જવા આવવા માટે મોબીલીટીની તાલીમ આપવામાં આવે છે અને સંસ્થાના કેમ્પસમાં આધુનિક મોબીલીટી પાર્ક તૈયાર કરવામાં આવેલ છે. દષ્ટિહીન બહેનો સમાજમાં બોજ ન બનતાં આદર્શ યુગલનાસ્વરૂપે કુટુંબની જવાબદારી લે તે માટે સંસ્થા યોગ્ય જીવન સાથી શોધીને લગ્નમેળા યોજે છે.

  1. અંધ કલ્યાણ કેન્દ્ર, પરમસુખ સોસાયટીની પાછળ, વિહાર કોલોની સામે, રાણીપ, અમદાવાદ-૩૮૨૪૮૦

દષ્ટિહીન બહેનોને હોસ્ટેલની સગવડ આપી તેમને સ્વાવલંબી બનાવવા પગ લૂછણિયાં, ઓફિસ ફાઈલ, ગૃહ સુશોભન, ચોકસ્ટીક, અગરબત્તી, મીણબત્તી, એનવેલપ, બોક્સ મેકિંગ વગેરેની સ્વ-રોજગાર વિષયક તાલીમ આપવામાં આવે છે. તેમજ હોમ સાયન્સ, ફિઝિયોથેરેપીની તાલીમ તથા સંગીતનું શાસ્ત્રીય વિશારદ સુધીનું શિક્ષણ પુરું પાડવામાં આવે છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે.

  1. અપંગ માનવ મંડળ, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, અટીરા પાછળ, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫ફોનઃ (૦૭૯) ૨૬૩૦૨૩૪૩, ફેક્સ: ૦૭૯-૨૬૩૦૮૧૫૬

વિકલાંગ ભાઈઓ તથા બહેનોને પ્રિન્ટિંગ પ્રેસની, મશીનમેન, કંપોઝ, બુક બાઈન્ડિગની તાલીમ, સીલાઈ, રેકઝીન વર્ક અને એમ્બ્રોઈડરી, કોમ્યુટર વગેરેની તાલીમ આપવામાં આવે છે. સંસ્થા હેલ્પ લાઈન ચલાવી શિક્ષણ, તાલીમ, સારવાર, સાધન સહાય તથા રોજગારી અંગે માર્ગદર્શન આપે છે. કુમાર છાત્રાલયમાં ફિઝિયોથેરાપી સેન્ટર, સ્પોકન ઈંગ્લિશ ક્લાસ, ફેશન ડિઝાઈન સેન્ટર ચલાવવામાં આવે છે. E-mail : apangmanavmanda@yahoo.com. website : www.apangmanavmandal.org. હેલ્પલાઈન ટેલિફોન નંબરોઃ ૨૬૩૦૨૬૪૩, ૨૬ ૩૦

અપંગ માનવ મંડળની કન્યા છાત્રાલય, કન્યા કામધેનુ હોલ, ડ્રાઈવ-ઈન રોડ, અમદાવાદ-૩૮૦૦૫ર ફોન નં. ૦૭૯ ૨૭૯૧૩રપર ખાતે આવેલ છે, જ્યાં કાલીન્દી કાજિ ફેશન એન્ડ એપરલ ડિઝાઈન સેન્ટર, ડે કેર સેન્ટર, સ્પીચ થેરાપી સેન્ટર વગેરેની વ્યવસ્થા છે.

  1. ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેડ, ૬, સુદામા હાઉસ, પ્રિતમનગરનો પહેલો ઢાળ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ટે. નં. ૨૬૫૭૬૫૧૯, ૨૬૫૭૫૨૭૩

સંસ્થાનું નવું માલિકીનું મકાન “પાવન ધામ' વિનસ એપાર્ટમેન્ટ સામે, સંદેશ પ્રેસ રોડ, શ્રીજી પાર્લરના ખાંચામાં, વસ્ત્રાપુર, બોકડદેવ, અમદાવાદ-૫૪ ખાતે બાંધેલું છે. (ટે.નં. ૨૬૮૪૦૫૧૭, ૨૬૮૫૮૭૮૦) જ્યાં વિકલાંગ ભાઈઓ અમદાવાદ ખાતે ધંધો-રોજગાર કે નોકરી કરતા હોય અને તેઓ પાસે રહેવાની સગવડ ન હોય તો ટોકન દરથી રહેવાની સગવડ આપવામાં આવે છે. સેરીબ્રલ પાલ્સીના બાળકોને ફિઝિયોથેરાપીની સવલત વિના મૂલ્ય આપવામાં આવે છે.

પ્રિન્ટિંગ મશીન, ટ્રેડલ, અંગ્રેજી-ગુજરાતી કમ્પોઝ, બાઈન્ડિગ તથા કલેરિકલ જોબની તાલીમ વિના મૂલ્ય અપાય છે. અપંગોના લગ્ન મેળવડા યોજે છે. વિકલાંગ રમતોત્સવનું આયોજન કરે છે. જુઓ બાબત ૧૨૩.

  1. વિકલાંગ વ્યાવસાયિક પુનર્વાસ કેન્દ્ર આઈ.ટી.આઈ કેમ્પસ સામે કુબેરનગર, અમદાવાદ-૩૮૨૩૪૦. ફોનઃ ૨૨૮૧૧૬૨0AEF(આ ભારત સરકારની કચેરી છે)

આ કેન્દ્રમાં નીચે જણાવેલ વ્યવસાયોની તાલીમની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

  1. હેન્ડ ક્લોજિંગ અને બુક બાઈડિંગ
  2. આર્મેચર અને કોઈલ વાઈડિંગ
  3. ઓટો રિપેરિંગ
  4. ઈસ્યુમેન્ટ મિકેનિક
  5. ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ અને સર્વિસિઝ
  6. સ્ક્રીન પ્રિન્ટિંગ અને કોમર્શિયલ પ્રિન્ટિંગ
  7. રેફ્રીજરેશન અને એરકન્ડિશનિંગ
  8. કોમર્શિયલ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ
  9. કટિંગ અને ટેલરિંગ
    1. રેડિયો અને ટીવી મિકેનિક
    2. મેટલ (ટર્નર, ફીટર વગેરે
    3. સ્ટેનોગ્રાફી અને કોમર્શિયલ પ્રેક્ટિસ
    4. કારપેન્ટરી અને ચેરકેનિંગ

આ તાલીમમાં જોડાનારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તાલીમ દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બારે માસ પ્રવેશ મળી શકે છે. મર્યાદિત સંખ્યામાં છત્રાલયમાં રહેવાની સગવડ ભાઈઓ પૂરતી આપવામાં આવે છે.

તે ઉપરાંત આ સંસ્થા ભારત સરકારની કચેરીઓમાં, જાહેર સાહસોની કચેરીઓમાં, ખાનગી ક્ષેત્રોમાં રોજગારી મેળવી આપવામાં તેમજ સ્વતંત્ર રોજગાર વિકસાવવામાં અને તેના આયોજન અને નાણાકીય સહાયતા મેળવી આપવામાં મદદરૂપ થાય છે.

  1. મહિલા વિકલાંગ વ્યાવસાયિક પુનર્વાસ કેન્દ્ર, નિઝામપુરા બસ સ્ટેન્ડની ગલીમાં, પેન્શનપુરા, વડોદરા - ફોન નં. (૦૨૬૫)૨૭૮૨૮૫૭

આ ભારત સરકારનું ફકત વિકલાંગ મહિલાઓ માટેનું પુનર્વાસ કેન્દ્ર છે, જેમાં નીચે જણાવેલ કોર્સની તાલીમ આપવામાં આવે છે.

  • સીલાઈ કામ૨.
  • કોમ્યુટર પ્રોગ્રામિંગ (ટેલિ સહિત)
  • કોમર્શિયલ (ટાઈપિંગ અને સ્ટેનોગ્રાફી)

વય મર્યાદા : ૧૬થી ૪૦ વર્ષ

શૈક્ષણિક લાયકાત : શિક્ષિત, અર્ધશિક્ષિત-પ્રવેશ મનોવૈજ્ઞાનિક તેમજ વ્યાવસાયિક મૂલ્યાંકનના આધારે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.

અપંગતા: ૪૦ % કે તેથી વધુ પ્રમાણિત અપંગતા ધરાવતી અંધ બહેરી/મૂંગી વિકલાંગતાવાળી કે મંદબુદ્ધિવાળી કોઈ પણ મહિલા.

ફી:નિઃશુલ્ક

તાલીમ-સમયગાળો: ત્રણથી બાર માસનો અંશતઃ કે પૂર્ણ કાલીન

પ્રવેશપ સત્ર:વર્ષ પર્યત ગમે ત્યારે

છાત્રાલય:બહારગામ સ્થિત ઉમેદવાર માટે રાજય સરકાર સંચાલિત નારી સંરક્ષણ ગૃહ, નિઝામપુરા, વડોદરા ખાતે રહેવા-જમવાની મફત સગવડતા જગાની ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે.

  1. શ્રી શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરા-મૂંગા શાળા-ટ્રસ્ટ,૫૧, વિપનગર, ભાવનગર - ૩૬૪૦૦૨, (ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ધી ડેફ સાથે સંલગ્ન) ફોન : ૨૪૨૯૩૨૬, ૨૪૨૦૮૩૬, ફેક્સ : (૦૨૭૮) ૨૪૩૧૧૬૦

E-mail : klinstitytedeal@gmail.com/pnr@snacharonline.net. Visit use : www.pnrsssociety.org

શ્રવણમંદો માટે : (૧) શિક્ષણ : પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક (ગ્રાન્ટેડ), માધ્યમિક શાળા (નોન ગ્રાન્ટેડ) (૨) વોકેશનલ

ટ્રેનિંગ : સીવણ, કોમ્યુટર ગ્રાફિકસ DTP સ્ક્રીન પ્રિન્ટિંગ, કોમ્યુટર ફેશન ડિઝાઈનિંગ (૩) છાત્રાલય : રહેવા-જમવાની ઉત્તમ સગવડ, હવા ઉજાસ, આરોગ્યપ્રદ જગ્યા (૪) અદ્યતન પુસ્તકાલય : બાળકો, શિક્ષકો, ટ્રેનિંગ માટે (૫) રમકડાં ઘર (૬) ઈન્ડોર – આઉટડોર ગેઈમ્સ, યોગાસન પ્રવૃત્તિ (૭) ચિત્રકામ વિભાગ (૮) નૃત્યનાટ્ય સાંસ્કૃતિક એક્ટિવીટી (૯) પ્રવાસ-પર્યટન (૧૦) વાસ્તવિક સેવાઓ અને પ્રોજેક્ટ ઉજવણી (૧૧) શ્રવણવાણી કેન્દ્ર ઓડિયોલોજી એન્ડ સ્પીચ : ક્લિનિક અદ્યતન પ્યુટરરાઈઝડ સાધનો સાથેનું ક્લિનિક જેમાં ઓડિયોગ્રામ, ઈમ્પિડન્સી ઓડિયોમેટ્રી, BERA સેન્ટર, સ્પીચ ટ્રેનિંગ, હીયરિંગ એઈડ વિતરણ સેન્ટર, સર્વિસ સેન્ટર, ઈયર મોલ્ડ સેન્ટર. (૧૨) ઈન્ફન્ટ ટ્રેનિંગ એન્ડ અર્લી આઈડેન્ટિફિકેશન એન્ડ ઈન્ટરવેન્શન સેન્ટર (૧૩) શ્રવણમંદોનાં સ્વજનો માટેનો છ માસનો તાલીમ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિત તથા પેરેન્ટ કાઉન્સેલિંગ સુવિધા (૧૪) શ્રવણમંદોનાં શિક્ષકો માટેની તાલીમ કૉલેજ, B.ED. (HI) એક વર્ષ, D.SE. (HI) બે વર્ષ, RC, માન્ય (ભાવનગર યુનિ. એફિલીએશન) B.ED. (SEDE) પત્રકાર અભ્યાસક્રમ આંબેડકર ઓપન યુનિવર્સિટી (૧૫) મેરેજ બ્યુરો.

ઉપરની અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રવણમંદોના ક્ષેત્રે આ સંસ્થા દ્વારા થઈ રહી છે.

  1. તાતા એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધ બ્લાઈન્ડ “તારેબ, તાતા વાડી, પોસ્ટ ફણસા, જિ. વલસાડ,પિનકોડ-૩૯૬ ૧૪૦ (ગુજરાત) ફોન નંબર : ૦૨૬૧-૨૭૧૬૭૬૯, ૨૭૧૬ ૨૨૯, ૨૩૦૯૩૯૯દમણથી પ-૬ કિ.મી. દૂર ગુજરાતના સાગરકાંઠાના કિનારા ઉપર આવેલા ફણસા ગામે સને ૧૯૬૦થી ઉપરોક્ત સંસ્થા કાર્યરત છે. ઉદ્યોગપતિ જમશેદજી તાતાએ પોતાની માલિકીની નાળિયેરીના, હાફૂસ કેરીના તથા ચીકુ વગેરેના ઝાડો સાથેની ૨૪૦ એકર જમીન તથા તેમાં બનાવેલો નાનો બંગલો (રેસ્ટ હાઉસ) તથા તે જમીનની બંને બાજુએ ૬૦ એકર તથા ૪૦ એકરના બે મીઠા પાણીના તળાવો, તાતા ટ્રસ્ટને દાન કરેલ છે. જયાં ભારત ભરમાંથી નાતજાતના ભેદભાવ વિના નિરક્ષર-ગરીબ ૧૬ થી ૩૫ વર્ષની વયના નેત્રહીનોને અહીં લાવી શાકભાજીની વાવણી – ઘઉં – ડાંગર – જુવાર – બાજરીની ખેત ઉત્પાદનની તથા ઘાસચારાની વાવણી તથા ગાયોની સાચવણી – મરઘા ફાર્મની તાલીમ આપવામાં આવે છે, તાલીમ દરમ્યાન નેત્રહીનોના નિવાસભોજન-કપડાં-દવા અને પુનવર્સનની તમામ સગવડ વિનામૂલ્ય આપવામાં આવે છે. ૨ થી ૩ વર્ષમાં ખેતીવાડી ડિપ્લોમાની તાલીમ બાદ જે-તે અંધ વ્યક્તિને તેના વતનમાં સરકારના સહયોગ દ્વારા કે તાતા ટ્રસ્ટ દ્વારા દોઢ-બે એકર જમીન વેચાણ લઈ ઈલેક્ટ્રિક મોટર કે ઓઈલ એન્જિન પંપની સગવડ કરી, સિંચાઈની સવલત સાથે તેમજ ગાય, બળદ કે બકરીઓ - પશુ સહાય આપી એમને પગભર કરવા સઘન પ્રયત્નો કરવામાં આવે છે.

ટ્રેનિંગ લીધેલ નેત્રહીન વ્યક્તિ પોતાના વતનમાં સ્થાયી ન થઈ શકે તેમ હોય તો તેઓને “તારેબ કો-ઓ. ફાર્મિંગ સોસાયટી લિમિટેડ' કે જે ફણસા ગામની નજીક કલગાંવ ખાતે ૫૦ એકર જમીન ધરાવે છે ત્યાં રાખી બીજી અંધ વ્યક્તિઓ સાથે ખેતી-પશુપાલનનું કામ કરી પોતાનો નિભાવ કરી શકે તેવી સવલત ટ્રસ્ટે કરી છે.

બંને પ્રકારની વ્યવસ્થા આખા એશિયા ખંડમાં ફક્ત ફણસા ખાતે છે. તે આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે.

10. સદ્દવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર: મું - ઉવારસદ, વાયા-અડાલજ તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૨ ફોન : ૦૭૯-૨૩૨૮૯૦૦૯ ટેકનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.

સંસ્થામાં શિક્ષણ તેમજ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે અને નીચે મુજબના કોર્સિસ પણ ચાલે છે.

અ.નં.

કોર્સ - અભ્યાસ

મુદ્દત

પ્રવેશ લાયકાત

૧.

સર્ટિફીકેટ કોર્સ ઈન-ગ્રાફિક આર્ટસ (ડી.ટી.પી.

કોમ્યુટર, સ્ક્રીન પ્રિન્ટિગ ઓફસેટ પ્રિન્ટિંગ

૧ વર્ષ

ધોરણ ૧૦ પાસ

૨.

સર્ટિફીકેટ કોર્સ ઈન-પ્રિન્ટ ફિનિશીંગ એન્ડ પેકેજિંગ

૧ વર્ષ

ધો. ૯ પાસ

વિકલાંગ ભાઈઓને છાત્રાલયની સગવડ સંસ્થા તરફથી મળે છે.

11. ગાંધીઘર કછોલી સંચાલિત દેવબાળ છાપશાળા, કછોલી, સ્ટેશન-અમલસાડ, તાલુકો-ગણદેવી, જિ. નવસારી

બીબાં ગોઠવણી (કંપોઝ, છાપકામ, બાઈન્ડિગ કામ, સ્કિન પ્રિન્ટિંગ, રૂલિંગ, પ્લાસ્ટિક વેલ્ડિંગ, સ્ટેશનરી આર્ટિકલ કોરૂગેટેડ કાર્ડ બોક્ષ, ફિલ્મ લેમિનેશન, ડોક્યુમેન્ટ લેમિનેશન વગેરેની તાલીમ આપી, જરૂરતમંદોને તાલીમ પૂરી થયા પછી કામે પણ રાખવામાં આવે છે.

૫૫. રાજ્યમાં ચાલતા તાલીમ કેન્દ્રો :

  1. પુણવય અંધ તાલીમ કેન્દ્ર, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ
  2. પુણવય બહેરા-મૂંગા તાલીમ કેન્દ્ર, બહેરા-મૂંગા સ્કૂલ, આશ્રમ રોડ, અમદાવાદ
  3. અપંગ માનવ મંડળ સંચાલિત તાલીમ કેન્દ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અટિરા પાછળ,
  4. અમદાવાદ મંદબુદ્ધિનું શેલ્ટર્ડ વર્કશોપ, ઉત્થાન તાલીમ કેન્દ્ર, પાલડી, અમદાવાદ
  5. શ્રમ મંદિર ટ્રસ્ટ સંચાલિત શેલ્ટર્ડ વર્કશોપ, મુ.પો.સિંધરોટ, જિ. વડોદરા.
  6. શેઠ ખુશાલચંદ ટ્રેનિંગ સેન્ટર, સુભાનપુરા, વડોદરા
  7. અપંગોનું શેલ્ટર્ડ વર્કશોપ, સોનગઢ, જિ. સુરત.
  8. ટાટા એગ્રિકલ્ચરલ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધી બ્લાઈન્ડ, ફણસા, જિ. વલસાડ
  9. પુખ્તવય ચક્ષુવિહીન તાલીમ કેન્દ્ર, વલસાડ

10. પંડિત સુખલાલજી અંધજન તાલીમ કેન્દ્ર, વિસનગર

11. પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, એરોડ્રામ રોડ, જામનગર.

12. પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, મિતલ રોડ, અમરેલી.

13. ગાંધીઘર, કછોલી સંચાલિત બહેરા-મૂંગા શાળા, સ્ટે. અમલસાડ, કછોલી, જિ. નવસારી.

14. શ્રી ડી.એસ. પારેખ સંચાલિત બહેરા-મૂંગા શાળા, સુરેન્દ્રનગર.

15. મંદબુદ્ધિના બાળકો માટેનું વર્કશોપ, મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ, જૂનાગઢ.

રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકલાંગો, નેત્રહીનો, શ્રવણમંદોને શિક્ષણ તેમજ ઔદ્યોગિક તાલીમ આપતી આવી સંસ્થાઓ પોતાના જિલ્લામાં ક્યાં આવેલી છે તથા કેવા પ્રકારનું શિક્ષણ તાલીમ આપે છે. તેની માહિતી પોતાના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાંથી પત્ર દ્વારા મેળવી શકાશે.

પ૬. એપ્રેન્ટિસશીપ એકટ મુજબ ૩ ટકા વિકલાંગ વ્યક્તિઓ માટે અનામતઃ

એપ્રેન્ટિસશિપ એકટ મુજબની યોજનાના અમલમાં વિવિધ હુન્નર ઉદ્યોગ, ફેક્ટરીઓમાં “એપ્રેન્ટિસ' તરીકે લેવાતી કુલ વ્યક્તિઓમાંથી ૩ ટકા જેટલી વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ અપંગ વ્યક્તિઓને અનુકૂળ થાય તેવા હુન્નર ઉદ્યોગ ફેક્ટરીમાં કરવાનો રહે છે.

એપ્રેન્ટિસશીપ એકટ, ૧૯૬૧ મુજબ નેશનલ કાઉન્સિલ ફોર ટ્રેનિંગ ધ વોકેશનલ ટ્રેડર્સ દ્વારા લેવાતી “ઓલ ઈન્ડિયા ટ્રેડ ટેસ્ટમાંથી ટાઈપના ટેસ્ટ માટે શારીરિક અપંગ વ્યક્તિઓને મુક્તિ મળી શકે છે.

સરકારી નોકરીઓમાં ૩ ટકા અનામત જગ્યાઓ :

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૫-૨-૨૦૦૧ના ઠરાવ ક્રમાંક : સી.આર.આર.૧૦૨૦૦૮-જીઓઆઈ૭-ગ.રથી વિકલાંગો માટે ૩ ટકા જગાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નીચેની વિકલાંગતા ધરાવનાર માટે પ્રત્યેક કેટેગરીવાર એક ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

  1. અંધત્વ અથવા ઓછી દષ્ટિ (bindness or low vision)
  2. શ્રવણની ખામી (hearing impairment)
  3. હલનચલન વિકલાંગતા અથવા મગજનો લકવો (Locomotor disability or cerebral palsy) વિકલાંગતાની દરેક કેટેગરીને નીચે મુજબ ચાર જૂથમાં વહેંચવામાં આવેલ છે.

a) Mildless than 40% of disability

b) Moderate40% and above disability

c) Severe75% and above disability

d) Profound/Total 100%

ભારત સરકારના ધારા હેઠળ અનામતનો લાભ/છૂટછાટ મેળવવા વિકલાંગતાની ઓછામાં ઓછી માત્રા ૪૦ ટકા નક્કી કરવામાં આવી છે ઉપર (એ) આગળ દર્શાવેલ (Mild - less than 40% disability))માં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળ અનામતનો લાભ કે છૂટછાટ મેળવવા પાત્ર થશે નહીં. જ્યારે ઉપર (બી) (સી) અને (ડી) આગળ દર્શાવેલ કેટેગરીમાં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળની અનામતનો લાભ છૂટછાટ મેળવવાપાત્ર થશે.

હાલની જોગવાઈ અનુસાર કોઈ પણ અનામત જગ્યા માટે પૂરતા પ્રમાણમાં વિકલાંગ ઉમેદવારો એક ભરતી પ્રસંગે ઉપલબ્ધ ન થાય તો તેવી જગ્યાઓ તે પછીના બે ભરતી પ્રસંગો સુધી આગળ ખેંચવાની જોગવાઈ છે, તેમાં ફેરફાર કરીને હવે વિકલાંગ માટેની આવી અનામત જગ્યાઓ જે-તે ભરતી પ્રસંગ પછી તે જગ્યાઓ પછીના ત્રણ પ્રસંગો સુધી આગળ ખેંચીને ભરવાની રહેશે. ત્યાર બાદ તે રદ થયેલી ગણાશે. આ પ્રક્રિયામાં એક કેટેગરીની વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર મળે તો તેમાંથી અનામત જગ્યા ભરી શકાશે. દા.ત., અંધત્વ અથવા ઓછી દૃષ્ટિની કેટેગરીવાળા ઉમેદવાર માટેની અનામત જગ્યા માટે તે કેટેગરીના ઉમેદવાર ન મળે તો યોગ્યતાને આધીન શ્રવણની ખામીવાળી કેટેગરીના ઉમેદવારથી ભરી શકાશે. આમ કુલ અનામતની ૩%ની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અસરપરસ અદલાબદલીથી ઉપલબ્ધ કેટેગરીવાળા અનામતના ઉમેદવારથી જગ્યા ભરી શકાશે આ રીતે અનામતની “ઈન્ટર ચેન્જબિલિટી'થી અનામત જગ્યાઓ ભરી શકાશે. (સા.વ.વિ.નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૨૦૦૮-જીઓઆઈ-૭-ગ.તારીખ : ૧૫-૨- ૨૦૦૧ તથા ૧૫-૧૨-૨૦૦૧નો તથા આ બાબતે વધુ સ્પષ્ટિકરણ કરતો તા.૪/૫/૦૨નોઠરાવ ક્રમાંક સીઆરઆર-૧૦૨૦OOજીઓઆઈ-૭-ગ.૨. ઉપર જોવા વિનંતી.

આ ઠરાવ રાજ્ય સેવા/પંચાયત સેવા તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનો, જાહેર સાહસો, વૈધાનિક સંસ્થાઓ, શાળા-મહાશાળાઓ અને વિશ્વ વિદ્યાલયો, સરકાર પાસેથી ગ્રાન્ટ લોન/આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓની સેવાઓને સેવાઓને પણ લાગુ પડે છે, એટલે તેમણે પણ આનો ચૂસ્ત અમલ કરવાનો રહે છે.

આ ઉપરાંત સા.વ.વિ.ના તા. ૩-૮-૨૦૧૧ના ઠરાવ ક્રમાંકસીઆરઆર/૧૦૨૦૦૯/૯૩૧૨૭/ગ.રથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારની સેવાઓ/જગ્યાઓમાં સીધી ભરતી માટેના રોસ્ટર ક્રમાંક મે રોસ્ટરર રજિસ્ટર નિભાવવા અંગે હુકમો કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારના પ્રપુ “એ” અને “બી” પદ અને સેવાઓ પર, નિમણૂક વખતે દિવ્યાંગોને અનામતનો લાભ આપવા સુપ્રિટકોર્ટે ચુકાદો આપેલ છે. સરકાર માત્ર ગ્રુપ “સી” અને “ડી” ની પદની નિમણુંક વખતે જ આ પ્રકારની અનામતનો લાભ આપતી. સુપ્રિમકોર્ટ, ગ્રુપ “એ” અને “બીમાં સીધી કે બઢતીથી નિમણૂંક, તે પ્રકારના ભેદભાવ વિના જ, દિવ્યાંગોને ૩ ટકાની અનામતનો લાભ આપવા ફરમાન કર્યું છે.

વય મર્યાદામાં છૂટછાટઃ

સરકારી નોકરી માટે નિયત થયેલ વય મર્યાદમાં વર્ગ-૧, વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ માટે વિકલાંગો માટે ૧૦ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. (સા.વિ.નો તારીખ : ૧૧-૧૧-૯૪નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૮૪-યુઓ-૧૨૫૦-ગ.ર.) જોવા વિનંતી, જેમાં શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારોની વ્યાખ્યાની પણ વિગત છે.

વિકલાંગોને રોજગારી માટે મદદરૂપ થતી કચેરીઓ :

બધા જિલ્લાઓની રોજગાર અધિકારીઓની કચેરીમાં વિકલાંગો માટે અલગ નોંધણી રજિસ્ટર રાખવામાં આવે છે. જેથી જે તે જિલ્લાના વિકલાંગ ઉમેદવારોએ ત્યાં નોંધણી કરાવવી હિતાવહ છે. વળી તાજેતરમાં ખાનગી કંપનીઓમાં વિકલાંગોની ભરતી માટે કેન્દ્રની નવી યોજના જાહેર કરી છે, તેથી નોંધણી કરાવવાથી ફાયદો થઈ શકે છે.

ખાનગી કંપનીઓમાં વિકલાંગોની ભરતી માટે કેન્દ્રની યોજના :

(કુલ સંખ્યાના પાંચ ટકા કર્મચારીઓ વિકલાંગ હોય તેવી કંપનીઓને પ્રોત્સાહન અપાશે)

કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓમાં વિકલાંગો માટે રોજગારની વધુ તકો પેદા કરવા માટે એક યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત તે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, જે કારખાનામાં કુલ કર્મચારીઓના પાંચ ટકા જેટલા વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમાનો ખર્ચ ત્રણ વર્ષ સુધી કેન્દ્ર સરકાર ભોગવશે. કેન્દ્ર સરકારે ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત ખાનગી કંપનીઓમાં વાર્ષિક ૧ લાખ વિકલાંગોને નોકરી અપાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોને લાભ મળશે? :

વિકલાંગતા કાયદો ૧૯૯૫ના દાયરામાં આવનારા અને ઓટિઝમ, સેરિબ્રલ પાલ્સી, મંદ બુદ્ધિ અને મલ્ટિપલ ડિસએબિલિટીઝ એક્ટ-૧૯૯૯ અંતર્ગત વિકલાંગનો દરજ્જો મેળવેલ કર્મચારી, જેનો માસિક પગાર રૂા. ૨૫ હજાર સુધીનો છે એવા કર્મચારી કે જેમની ૧લી-એપ્રિલ ૨૦૦૮થી નિમણૂંક કરાઈ છે તેમને કેન્દ્રની આ યોજનાનો લાભ મળશે.

ફાયદો કોને ?

યોજનાનો લાભ લેવા માગતી કંપનીઓએ તેમના વિકલાંગ કર્મચારીઓની વિકલાંગતા સાબિત કરવા માટે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ આધારે કંપનીઓ વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમા સંબંધિત કેન્દ્રીય સહાયતાનો દાવો કરી શકશે. વધુ વિગતો માટે નીચેની નજીકની કચેરીઓનો સંપર્ક કરો :

  • કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ) કર્મચારી રાજ્ય વિમા નિગમ (ઈએસઆઈસી)
  • કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ શ્રમ અને રોજગાર મંત્રાલય
  • રાજયોના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ | સમાજ સુરક્ષા | શ્રમ વિભાગ અથવા નીચે ઉલ્લેખિત

વેબસાઈટ જુઓ : www.socialjuctice.nic.in / Ww.labour.inc.in/ www.epfindia.nic.in /www.esic.nic.in

સખી મંડળ, દિવ્યાંગને વીજ બિલ કલેક્શન સેન્ટર આપવા નિર્ણયઃ

રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓને, પોતાના બિલ કલેક્શન સેન્ટર', મહિલાઓના સખી મંડળો અને દિવ્યાંગ નાગરિકોને આપવા નીતિ વિષયક નિર્ણય કર્યો છે. મહિલા અને દિવ્યાંગ કેટેગરીને અન્ય કલેક્શન સેન્ટર કરતાં બે રૂપિયા વધારે એટલે કે રૂ. ૭નું કમિશન એક બિલ દીઠ કંપનીઓ ચૂકવશે. જેનો અમલ ૧લી જૂનથી કરવામાં આવશે. ગુજરાતના ૧.૨૧ કરોડ વીજગ્રાહકોના બિલની ચૂકવણી માટે અત્યારે માત્ર ૧૫૦ જેટલાં જ કલેક્શન સેન્ટર છે.

સ્પર્ધાત્મક પરીક્ષા ફી તથા ફોર્મ ફીમાંથી મુક્તિઃ

રાજ્ય સરકાર તરફથી : શારીરિક વિકલાંગતા ધારવતા ઉમેદવારોને રાજય સરકારની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સેવા કે જગા પર પસંદગી માટે નિયત કરવામાં આવેલ પરીક્ષા ફી તથા અરજી પત્રક માટેની ફીમાં પ૦% રાહત આપવાનું નક્કી કરેલ છે.

કેન્દ્ર સરકાર તરફથી : કેન્દ્ર સરકારે શારીરિક વિકલાંગ ઉમેદવારોને “એ” અને “બી” વિભાગના હોદાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે લેવાતી અરજી ફી અને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે.

- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-રની સ્પર્ધાત્મક પરીક્ષામાં અને શૈક્ષણિક પરીક્ષાઓમાં અંધ પરીક્ષાર્થીઓને વધારાની ૩૦ મિનિટ આપવામાં આવે છે. અંધ વ્યક્તિ તથા જાતે લખી ન શકે તેવા ઉમેદવારોને પરીક્ષા માટે લહિયાની સગવડ પણ આપવામાં આવે છે.

૧૦૦થી વધુ કારીગર ધરાવતા કારખાનાં/ મિલોમાં વિકલાંગો માટે અનામતની જોગવાઈ:

ગુજરાત વિકલાંગ વ્યક્તિ (કારખાનામાં રોજગારી) કાયદો, ૧૯૮૨ હેઠળ ૧૦૦થી વધુ સંખ્યામાં કામદારો ધરાવતાં કારખાનામાં | મિલોમાં વિકલાંગો માટે ૧ ટકાની અનામતની જોગવાઈ છે. રોજગાર અને તાલીમ વિભાગનો તારીખ ૭-૦૫૨૦૦૪નો નોટિફિકેશન નંબર કેએચઆર-૨૦૦૪-૪૭-એફએસી-૨૦૦૩-૭૬૮-એમ (ત્રણ)

પ્રાથમિક શાળામાં નેત્રહીનોની શિક્ષક તરીકેની પસંદગીમાં અગ્રતા :

પ્રાથમિક શાળાઓમાં નેત્રહીનોને સંગીત શિક્ષક તરીકે પસંદગી આપવા માટે સરકારે ઠરાવ્યું છે. જો બીજી બધી રીતેયોગ્ય હોય તો ફક્ત સંગીત શિક્ષકની જગ્યા માટે નેત્રહીનોને પ્રાથમિક શાળાઓમાં પસંદગી આપવા અગ્રતા આપવી.

આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં સંગીત શિક્ષક તરીકે નેત્રહીનોને પસંદ કરવા તેમ ઠરાવ્યું છે. અંધ શિક્ષકને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી આપવા છેલ્લી વય મર્યાદા ૪૦ વર્ષની છે.

“દષ્ટિહીન’ વ્યક્તિને ટેલિફોન અગ્રતાથી અને ટેલિફોન ભાડામાં ૫૦ ટકા રાહતઃ

કોઈ પણ નેત્રહીન વ્યક્તિને ટેલિફોનની જરૂરિયાત હોય અને તે અરજી કરે તો તેને ટેલિફોન અગ્રતાના ધોરણે આપવાની તેમજ ટેલિફોનના માસિક ભાડામાં ૫૦ ટકા રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

નિયત ફોર્મ (અરજી સાથે) સરકારી હોસ્પિટલના સીએમએમએસ/ઓથેલ્ટિક સર્જનના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ બીડવી. (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશનનો તા.૨૩-૯-૯૩૯નો પત્ર નં.૯-૨૧/૯૩ પી.એચ.એ.)

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના :

કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના

હેતુ : આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના રોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

યોજનાની પાત્રતા :

  1. ૧૮ થી ૬૫ વર્ષ
  2. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ-૪(ચાર) પાસ અથવા

તાલીમ અનુભવ : વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક માસની તાલીમ લીધેલી હોવી

જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવોજોઈએ અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.

બેંક મારફત લોનધિરાણની મહત્તમ મર્યાદા:

  • ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ.
  • સેવાક્ષેત્ર માટે મહત્તમ ૬ લાખ.
  • વેપાર ક્ષેત્ર માટે ૩ લાખ.
  • ધિરાણની રકમ ઉપર સહાયના દર :

આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તાર

જનરલએકેડેમી

અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ/ માજી સૈનિક /મહિલા /૪૦% કે તેથી વધુ

અંધ કે અપંગ

ગ્રામ્ય

૨૫%

૪૦%

શહેરી

૨૦%

૩૦%

  • સહાયની મહત્તમ મર્યાદા :

ક્રમ

ક્ષેત્ર

સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)

 

ઉદ્યોગ

૧,૨૫,૦૦૦/-

સેવા

૧,૦૦,૦૦૦/-

નએફઆર

૮૦,000/-

નોંધ : અપંગ કે અંધ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ૧,૨૫,૦૦૦/- રહેશે.

  • અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે નીચેના પૈકી કોઈપણ અથવા બધા માટેઆ યોજના હેઠળલોન મેળવી શકે છે.
    • સુચિત ધંધા માટે કેબિન-ફર્નિચર બનાવવા.
    • સાધન ઓજાર અને મશીનરી ખરીદવા
    • ઈલેક્ટ્રીફિકેશન કરવા
    • વર્કિંગ કેપીટલ માટે

નોંધ :

  • ફક્ત કાચા માલ, તૈયાર માલની ખરીદી કે વર્કિંગ કેપીટલ માટે ધિરાણ મળી શકશે નહિં. જ્યારે વિસ્તરણ માટેહયાત રોકાણ ધ્યાનમાં લઈને રોકાણ મળી શકશે.
  • ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે પ્લાન્ટ મશીનરી સાધન ઓજાર ફર્નિચરની કિંમત કુલ લોન ધિરાણના ૧૦%થી ઓછી નાથવી જોઈએ અને વેપાર ક્ષેત્રે મશીનરી/સાધન ઓજાર ફર્નિચરની કિંમત કુલ લોન ધિરાણના ૫% થી ઓછી નાથવી જોઈએ.

લાભાર્થી ફાળો :જનરલ કેટેગરી માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૧૦૮ તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ / માજી સૈનિક મહિલા | ૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૫% મુજબ લાભાર્થીનો ફાળો રહેશે. આ લાભાર્થી ફાળા ઉપર સહાય મળવાપાત્ર થશે નહીં.

અમલીકરણ એજન્સી :ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કુટિર ઉદ્યોગ શરૂ કરવા ૫૦,૦૦૦ની લોન મેળવવા માટે તાલુકા કક્ષાના વિકાસ અધિકારીને તથા ૧,૦૦,૦૦૦ સુધી પ્રોજેક્ટ અધિકારી વર્ગ-૧ ને પણ સત્તા આપવામાં આવેલ છે.

કમિશ્નર કુટિર ગ્રામોદ્યોગની કચેરી,બ્લોક નં. ૭/૨, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.ફોન નં. ૦૭૯-૨૩૨ ૫૯૫૯૪

 

સ્વરોજગારી માટે સાધન સહાય આપવાની માનવકલ્યાણ યોજના

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાનાં ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા ૭૯ ટ્રેડમાં નાના કદના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૩૬,૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે રૂ. ૫૦૦૦-ની મર્યાદામાં જરૂરી સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.

પાત્રતા :ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા નીચેની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. ૦ થી ૧૬ સ્કોરના લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી

અથવા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ. ૩૬,000/- હોવી જોઈએ તે અંગેનો મામલદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. બી.પી.એલ. લાભાર્થીને અગ્રતા આપવામાં આવશે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate