વિશ્વ આરોગ્ય સંગઠનના ડિસેબિલિટી અંગેના એક એહેવાલ અનુસાર, A Set of measures that assist individuals who experience, or likely to experience, disability to achieve and maintain optimal functioning in interaction with their environments (WHO, 2011).
ફિઝિયોથેરાપી દ્વારા મુખ્યત્વે ત્રણ સંજોગોમાં વ્યક્તિને મદદ મળે છે.
પડવા-વાગવાથી કે અન્ય કોઈ કારણોસર થયેલી ઈજા, માંદગી કે રોગ બાદ શારીરિક અસ્વસ્થતાને પૂર્વવત સ્વસ્થ કરવા માટે, સર્જરી કે ઉપચાર પછી શરીરના અંગને સક્રિય રીતે કાર્યાન્વિત કરવા માટે, ખોડખાંપણ દૂર કરવા માટે, વૃદ્ધાવસ્થામાં શારીરિક સંતુલનને સુયોગ્ય રાખવા જેવા અનેક કાર્યો માટે ફિઝિયોથેરાપી ઉપયોગી બને છે. સારવારની આ પ્રક્રિયામાં રોગ સંબંધિત સમસ્યા જેવીકે ન્યુરો (મગજ સંબંધિત), કાર્ડિઓ-પલ્મોનરી, પિડિઆટ્રિક (બાળકો સંબંધિત), જેરીઆટ્રીક (વૃદ્ધજનો સંબંધિત), મસ્ક્યુલો-સ્કેલેટલ (સ્નાયુઓ સંબંધિત) વિગેરે વ્યાધિઓમાં ફિઝિયોથેરાપી ઉપયોગી બને છે. આ ઉપરાંત, રિબેહેબિલિટેશન પ્રક્રિયા અર્થાત કોઈ પ્રકારની સર્જરી પછી, આઈ.સી.યુ, સી.સી.યુ.ની સારવાર બાદ, કેન્સર જેવા રોગોની સમસ્યાઓમાં ઉપચાર દરમિયાન કે ઉપચાર પછી ફિઝિયોથેરાપી મહત્વપૂર્ણ છે.
આ સિવાય કેટલીક ખોટી માન્યતાઓ પણ ફિઝિયોથેરાપીને લઈને માનવામાં આવે છે, જેના વિશે થોડી વાત કરીએ તો
ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી એક ખૂબ દિર્ઘ પ્રક્રિયા છે. .
સાતત્ય: ફિઝિયોથેરાપીમાં શરીરને સ્વયંને જ પૂર્વવત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. પેઈન કિલર્સના ઈન્જેક્શન્સ, બાહ્ય જટિલ ઉપચારો કે વાઢ-કાપ વગર શરીરને આપમેળે નિયમિત વ્યાયામો દ્વારા “ઓન ટ્રેક” લાવવામાં આવે છે. પરંતુ તેને દિર્ધ પ્રક્રિયા કહેવી ભૂલ ભરેલું કહી શકાય..
ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી એટલે મસાજ અને ભારે કસરતો માત્ર..
સાતત્ય: આ બાબતને અધુરૂ જ્ઞાન કહી શકાય. મસાજ અને કસરત આ સારવાર પ્રક્રિયાના વિવિધ ભાગ છે. આ ઉપરાંત, ખૂબ સામાન્ય કસરતોથી લઈને જટિલ કેસોમાં પણ વિવિધ પ્રકારે દર્દીની સારવાર કરવામાં આવે છે અલ્ટ્રાસાઉન્ડ, હીટ અને કોલ્ડ વિગેરે ટેકનિક્સ પણ ઉપયોગમાં લેવાય છે.
ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી દર્દયુક્ત ઉપચાર છે જેમાં અસહ્ય વેદના થાય છે.
સાતત્ય: આ એક સંદતર ખોટી માન્યતા છે. મોટા ભાગના લોકો જેઓ ફિઝિયોથેરાપીને દર્દયુક્ત પ્રક્રિયા સમજે છે તે ખોટું છે કેમકે ફિઝિયોથેરાપી એ વ્યક્તિને દર્દમુક્ત કરવાની પ્રક્રિયા છે. અશક્ત અને નબળા સ્નાયુઓને ફરીથી કાર્યાન્વિત કરવા માટે આ સ્નાયુઓ પર દબાણ કરવું પડતુ હોય છે ત્યારે જે દુખાવો થાય એનો અર્થ એ નથી કે આ એક દર્દયુક્ત ઉપચાર છે. સ્નાયુઓને કાર્યાન્વિત કરવાનો આ એક પદ્ધતિપૂર્વકનો પ્રયાસ છે.
ઉપરોક્ત બાબતો સિવાય ફિઝિયોથેરાપી બાબતે જાતે જ કસરતો શરૂ કરવાની, નવા અખતરા કરવાની, સૂચના આપેલી હોય એ પ્રમાણે અનુસરણ ન કરી થોડા જ સમયમાં કસરતો બંધ કરી દેવાની, ઈન્ટરનેટ પર સર્ચ કરી કસરતો શોધી લેવા જેવી અયોગ્ય પદ્ધતિઓનું અનુસરણ ન કરવું જોઈએ, કેમકે આ તમામ બાબતોમાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટને જણાવ્યા વગર એક પણ બાબત કરવી નુક્સાનકારક નિવડી શકે છે.
સ્ત્રોત: ડૉ વિનોદ પટેલ. ફિઝિયોથેરાપી એક્સપર્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020