অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાયાલિસિસ

ડાયાલિસિસ

  1. ડાયાલિસિસના મુખ્ય કાર્યો નીચે મુજબ છે :
  2. ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?
  3. શું ડાયાલિસિસ કરવાથી કિડની ફરીથી કામ કરતી થઇ જાય છે?
  4. ડાયાલિસિસના ક્યાં પ્રકારો છે ?
  5. ડાયાલિસિસમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં સિદ્ધાંતથી થાય છે?
  6. ક્યાં દર્દી માટે હિમોડાયાલિસિસ અને ક્યાં દર્દી માંટે પેરીટોનીયલ ડાયાલિસિસ પસંદ કરવા આવે છે ?
  7. ડ્રાય વેઇટ એટલે શું ?
  8. હિમોડાયાલિસિસ (લોહીનું ડાયાલિસિસ)
  9. હિમોડાયાલીસિસ કઈ રીતે કરવામાં આવે છે ?
  10. શુદ્ધિકરણ માટે લોહી કઈ રીતે શરીરની બહાર કાઢવા આવે છે?
    1. ડબલ લ્યુંમેન કેથેટર
    2. એ.વી.ફીસચ્યુલા (Arterio Venous (AV) Fistula) :
    3. એ.વી.ફિસ્ચ્યુલા ની કાળજી રાખવી શામાટે જરૂરી છે?
  11. એ.વી. ફિસ્ચ્યુલાનો લાંબા સમય સુધી સંતોષકારક ઉપયોગ કરી શકાય તે માટે શું કાળજી લેવી જોઈએ?
    1. ચેપ ન લાગે તે માટે કાળજી :-
    2. એ.વી. ફિસ્ચ્યુલા ની કાળજી રાખવી:-
    3. ફિસ્ચ્યુલા ની કાર્યતા પારખવી:-
    4. નિયમિત કસરત
    5. ગ્રાફ્ટ (Graft) :
  12. હિમોડાયાલિસિસ મશીનના શું કાર્યો છે?
  13. ડાયાલાઈઝર(કૃત્રિમ કિડની) ની રચના કેવી હોય છે ? તેમાં લોહીનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? ડાયાલાઈઝર(કૃત્રિમ કિડની) ની રચના :
    1. ડાયાલાઈઝર (કૃત્રિમ કિડની) માં લોહી નું શુદ્ધિકરણ:
    2. હિમોડાયાલિસિસમાં વપરાતું ખાસ પ્રકારનું ડાયાલાઈઝેટ શું છે?
    3. હિમોડાયાલિસિસ ક્યાં કરવામાં આવે છે?
    4. શું હિમોડાયાલિસિસ પીડાજનક અમે જટિલ સારવાર છે ?
  14. સામાન્ય રીતે હિમોડાયાલિસિસ દરમ્યાન કઈ કઈ તકલીફો જોવા મળે છે ?
    1. હિમોડાયાલિસિસ ના ફાયદાઓ:
    2. હિમોડાયાલિસિસ ના ગેરફાયદાઓ:
    3. હિમોડાયાલિસિસ ના દર્દીઓ માટે અગત્યની બાબતો:
    4. હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓએ ડોક્ટર અથવા નર્સ નો સંપર્ક ક્યારે કરવો.
  15. પેરીટોનિયલ ડાયાલિસિસ (પેટનું ડાયાલિસિસ)
  16. પેરીટોનિયલ ડાયાલિસિસ (પી.ડી.) એટલે શું?
  17. પેરીટોનિયલ ડાયાલિસિસ (પી.ડી) ના ક્યાં ક્યાં પ્રકારો છે?
    1. ઈન્ટેરમિટનટ પેરીટોમીયલ ડાયાલિસિસ (આઈ.પી.ડી.)
    2. સી.એ.પી.ડી.
    3. સી.સી.પી.ડી. – કંટિન્યુઅસ સાયકલીક પેરીટોનિયલ ડાયાલિસિસ:
  18. સી.એ.પી.ડી. ના મુખ્ય ફાયદા અને ગેરફાયદા ક્યાં ક્યાં છે ?
    1. મુખ્ય ફાયદાઓ :
    2. મુખ્ય ગેરફાયદાઓ :
  19. સી.એ.પી.ડી. ના દર્દીઓ ને ડોક્ટર અથવા ડાયાલિસિસ કો-ઓર્ડીનેટરનો ક્યારે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ ?

કિડની કામ ન કરતી હોય તેવા સંજોગો માં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પધ્ધતિ ને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાં ના બિનજરૂરી પદાર્થો દુર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓ નું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે.

ડાયાલિસિસના મુખ્ય કાર્યો નીચે મુજબ છે :

  1. લોહીમાંના બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો (જેમકે,યુરીયા,ક્રિએટીનીન) દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરવું.
  2. વધારાનું પાણી કાઢી શરીર માં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવવું.
  3. વધઘટ થયેલા ક્ષારો(જેમ કે સોડીયમ,પોટેશિયમ વગેરે) નું યોગ્ય પ્રમાણ જાળવવું.
  4. એકઠા થયેલા અસિઙ ના વધારે પ્રમાણ ને ઘટાડી યોગ્ય પ્રમાણ જાળવવુ.
  5. કિડની ફેલ્યર ના દર્દીઓ ને જીવનદાન આપતી ડાયાલિસિસ ની સારવાર ની ઉણપ એ છે કે તે કાર્યરત કિડની ની જેમ રક્તકણો ના ઉત્પાદન માં જરૂરી એરીથ્રોપોયેટીન બનાવી નથી શકતું અને હાડકા ને તદુરસ્ત રાખી નથી શકતું.

ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?

કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાયકે કિડની સંપૂર્ણરીતે કામ કરતી બંધ થઇ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગ ચિહ્નો (ઉલટી,ઉબકા,નબળાઈ,શ્વાસ વગેરે) વધતા જાય છે.આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે.સામાન્ય રીતે લોહીની તપાસમાં સિરમ ક્રિએટીનીનનું પ્રમાણ ૮ મી.ગ્રા. % કરતા વધે ત્યારે ડાયાલિસિસ શરુ કરવા માં આવે છે.

ડાયાલિસિસ તે કિડનીના કાર્યનો કૃત્રિમ વિકલ્પ છે.

શું ડાયાલિસિસ કરવાથી કિડની ફરીથી કામ કરતી થઇ જાય છે?

ના,ક્રોનિક કિડની ફેલ્યર ના દર્દીઓમાં ડાયાલિસિસ કરવાથી કિડની ફરી કામ કરતી નથી.આવા દર્દીઓમાં કિડનીના કાર્યના વિકલ્પ તરીકે ડાયાલિસિસ હમેશા માટે નિયમિત રીતે કરાવવું પડે છે. જોકે એક્યુટ કિડની ફેલ્યર ના દર્દીઓમાં ડાયાલિસિસની જરુર ટૂંકા ગાળા માટે જ પડે છે.આવા દર્દીઓમાં કિડની ફરી સંપૂર્ણ કામ કરતી થઇ જવાથી ડાયાલિસિસની જરૂર ફરી કદી પડતી નથી.

ડાયાલિસિસના ક્યાં પ્રકારો છે ?

૧. હિમોડાયાલિસિસ : આ પ્રકારના ડાયાલિસિસમાં ડાયાલિસિસ મશીન ખાસ જાતના ક્ષારયુકત પ્રવાહી(Dalysate) ની મદદ થી કૃત્રિમ કિડની (Dialyser) માં લોહીનું શુદ્ધિકરણ કરે છે.

૨. પેરીટોનીયલ ડાયાલિસિસ: આ પદ્ધતિ પણ અંતિમ તબક્કા ના કિડની ફેલ્યર માં વપરાતી હોય છે. આ પ્રકાર ના ડાયાલિસિસમાં પેટમાં ખાસ જાતનું કેથેટર (P.D. Catheter)મૂકી,ખાસ જાતના ક્ષારયુક્ત પ્રવાહી (P D Fluid) ની મદદ થી શરીર માં કચરો દૂર કરી શુદ્ધિકરણ કરવામાં આવે છે.આ પ્રકાર નું ડાયાલિસિસ મશીનની મદદ વગર થઇ શકે છે.

ડાયાલિસિસમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં સિદ્ધાંતથી થાય છે?

ડાયાલિસિસમાં માં કૃત્રિમ મેમ્બ્રેન અને પેરિટોનીઅલ ડાયાલિસિસમાં પેરિટોનીયમ,ગરણી એટલે કે સેમિપર્મિએબલ મેમ્બ્રેન જેવું કામ કરે છે.

આ મેમ્બ્રેનમાં આવેલા બારીક છિદ્રોમાંથી પાણી,ક્ષાર તથા બિનજરૂરી યુરીયા ક્રિએટીનીન જેવા ઉત્સર્ગ પદાર્થો પસાર થઇ શકે છે પરંતુ શરીર માટે જરૂરી એવા લોહીના કણો તથા પ્રોટીન પસાર થઇ શકતી નથી.

બને કિડની બગડવા છતાં દર્દી ડાયાલિસિસની મદદથી લાંબા સમય (વર્ષો )સુધી સરળતાથી જીવી શકે છે.

ડાયાલિસિસની પ્રક્રિયામાં સેમિપર્મિએબલ મેમ્બ્રેનની એક તરફ ડાયાલિસિસની પ્રવાહી અને બીજી તરફ શરીરમાંનું લોહી હોય છે.

ઓસ્મોસીસ અને ડીફ્યુજન ના સિદ્ધાંત મુજબ લોહીમાંના બિનજરૂરી પદાર્થો અને વધારાનું પાણી લોહીમાંથી ડાયાલિસિસના પ્રવાહીમાં જઈ શરીરમાંથી બહાર નીકળી જાય છેઅને સોડીયમ ,પોટેશિયમ અને એસિડનું પ્રમાણ શરીર ની જરૂરિયાત મુજબ જળવાઈ રહે છે.

ક્યાં દર્દી માટે હિમોડાયાલિસિસ અને ક્યાં દર્દી માંટે પેરીટોનીયલ ડાયાલિસિસ પસંદ કરવા આવે છે ?

ક્રોનિક કિડની ફેલ્યરની સારવાર માં બંને પ્રકાર ના ડાયાલિસિસ અસરકારક છે,દર્દીને બંને પ્રકાર ના ડાયાલિસિસના ફાયદા-ગેરફાયદા વિશે માહિતી આપ્યા બાદ દર્દીની આર્થિક સ્થિતિ ,તબિયતના જુદા જુદા પાસાઓ,દર્દીના રહેઠાણથી હિમોડાયાલિસિસ સેન્ટર નું અંતર વગેરે બાબતો ધ્યાનમાં લઈને ક્યાં પ્રકારનું ડાયાલિસિસ કરવું તે નક્કી કરવામાં આવે છે.ભારતમાં મોટા ભાગની જગ્યાએ હિમોડાયાલિસિસ ઓછા ખર્ચ સરળતાથી ઉપલબ્ધ છે અને આ કારણસર હિમોડાયાલિસિસની પધ્ધતિથી સારવાર મેળવતા દર્દીઓની સંખ્યા વધારે છે.

ડાયાલિસિસ શરુ થયા બાદ દર્દીએ ખોરાક માં પરેજી રાખવી જરૂરી છે?

હા, ડાયાલિસિસ શરુ થયા બાદ પણ ખોરાક માં માપસર પ્રવાહી લેવાની,ઓછું મીઠું(નમક) લેવાની તથા પોટેશિયમ કે ફોસ્ફરસ ના વધે તે માટેની તકેદારી રાખવાની સુચના આપવામાં આવે છે.પરંતુ દવાની સારવાર ચાલતી હોય ત્યાર કરતા ડાયાલીસિસ શરુ થયા બાદ દર્દીને ખોરાક માં વધુ છૂટ મળે છે.દર્દીને ખોરાકમાં વધુ પ્રોટીન અને વિટામીન યુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાલિસિસ કરાવતા દર્દીઓએ પણ ખોરાકમાં પરેજી રાખવી જરૂરી છે.

ડ્રાય વેઇટ એટલે શું ?

"ડ્રાય વેઇટ" શબ્દ હિમોડાયાલીસ ના દર્દીઓ ના અપેક્ષિત વજન ને દર્શાવવા માટે વાપરવામાં આવે છે. ડાયાલિસિસ ની પ્રક્રિયા માં શરીરમાંનું વધારા નુ પાણી દુર કર્યા બાદ દર્દી નું વજન કેટલું હોવું જોઈએ તેને "ડ્રાય વેઇટ" કહેવાય છે. દર્દીઓ ના શરીરમાં પ્રવાહી કેટલું વધુ છે તેને ધ્યાન માં રાખી યોગ્ય ગણતરી કરી ચોકસાઈ પૂર્વક ડાયાલિસિસ માં પ્રવાહી દુર કરવા માં આવે છે. જેથી દર ડાયાલિસિસ ના અંતે વજન એક સમાન - ઈચ્છિત ડ્રાયવેઇટ મુજબ જળવાઈ છે. સમય સાથે દર્દીની તબિયત માં થતા સુધારા કે બગાડા ને કારણે વજન માં થતા ફેરફાર ને ધ્યાનમાં લઇ ડ્રાયવેઇટ માં પણ ફેરફાર કરવો જરૂરી બને છે

હિમોડાયાલિસિસ (લોહીનું ડાયાલિસિસ)

દુનિયાભરમાં ડાયાલિસિસ કરાવતા મોટાભાગના દર્દીઓ આ પ્રકારનું ડાયાલિસિસ કરાવે છે.આ પ્રકાર ના ડાયાલિસિસમાં ખાસ પ્રકારના મશીન વડે લોહી શુદ્ધ કરવામાં આવે છે.

હિમોડાયાલીસિસ કઈ રીતે કરવામાં આવે છે ?

  • હિમોડાયાલીસીસ સામાન્ય રીતે ડોક્ટર, નર્સ અને ડાયાલિસિસ ટેકનીશીયન ની દેખરેખ નીચે હિમોડાયાલીસીસ સેન્ટર માં કરવામાં આવે છે.
  • હિમોડાયાલિસિસ મશીનના પંપની મદદ થી શરીરમાંથી દર મીનીટે ૩૦૦ મી.લી. લોહી શુદ્ધિકરણ માટે કૃત્રિમ માટે કિડનીમાં મોકલવા માં આવે છે.
  • કૃત્રિમ કિડની દર્દી અને હિમોડાયાલિસિસ મશીન વચ્ચે રહી લોહીના શુદ્ધિકરણનું કાર્ય કરે છે.લોહી શુદ્ધિકરણ માટે મશીનની અંદર નથી જતું.
  • કૃત્રિમ કિડનીમાં લોહીનું શુદ્ધિકરણ ડાયાલિસિસ મશીન દ્વારા પહોચાડતા ખાસ જાતના પ્રવાહી (ડાયાલાઈઝેટ) ની મદદ થી થાય છે.
  • શુદ્ધ કરેલું લોહી ફરી શરીર માં પાછું મોકલવામાં આવે છે.
  • સામાન્ય રીતે હિમોડાયાલિસિસ ૪ કલાક ચાલે છે,જે દરમ્યાન શરીર નું બધું લોહી આશરે ૧૨ વખત શુદ્ધ થાય છે.
  • હિમોડાયાલિસિસ દરમ્યાન હમેશા લોહી (Blood Transfusion) ની જરૂર પડે છે એ માન્યતા ખોટી છે.લોહીમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી ગઈ હોય તેવા સંજોગોમાં જો ડોક્ટરને જરૂરી લાગે તો લોહી આપવામાં આવે છે.
  • હિમોડાયાલિસિસ તે ડાયાલિસિસ મશીનની મદદથી કરવામાં આવતી લોહીના શુદ્ધિકરણની સરળ પ્રક્રિયા છે.

શુદ્ધિકરણ માટે લોહી કઈ રીતે શરીરની બહાર કાઢવા આવે છે?

લોહી મેળવવા Vascular Access ની પદ્ધતિઓ નીચે મુજબ છે :

ડબલ લ્યુંમેન કેથેટર

તાત્કાલિક પ્રથમ વખત હિમોડાયાલિસિસ કરવા માટે આ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે કે જેમાં કેથેટર મુક્યાબાદ તરત જ ડાયાલિસિસ કરી શકાય છે.

  • આ કેથેટર ગળામાં,ખભામાં, કે સાથળમાં આવેલી મોટી શીરા (internal,Jagular,Subclavian or Femoral Vein)માં મુકવામાં આવે છે.જેની મદદથી દર મીનીટે ૩૦૦ થી ૪૦૦ એમ.એલ.લોહી મેળવી શકાય છે.
  • આ કેથેટર બહારના છેડે બે અલગ નળીમાં વહેચાયેલા હોય છે(લોહી બહાર કાઢવા અને અંદર મોકલવા). શરીર માં પ્રવેશતા પહેલા જ આ બંને નળી ભેગી થઇ એક નળી બની જાય છે(જે અંદરથી તો બે ભાગ માં વહેચાયેલી જ રહે છે.).
  • કેથેટરમાં ચેપ લાગવાનો ભય રહેતો હોવાથી ટૂંકા સમયના ડાયાલિસિસ માટે આ પદ્ધતિ પસંદ કરવામાં આવે છે.
  • આ કેથેટર બે પ્રકાર ના આવે છે ટનલ્ડ (tunneled) જે મહિનાઓ માટે ચાલે છે અને નોન-ટનલ્ડ (non-tunneled) જે અઠવાડિયાઓ માટે ચાલે છે.

એ.વી.ફીસચ્યુલા (Arterio Venous (AV) Fistula) :

  • લાંબા ગળાના હિમોડાયાલિસિસ માટે સૌથી વધુ વપરાતી એવી આ પધ્ધતિ સલામત અને સરળ હોવાથી શ્રેષ્ઠ છે.
  • આ પધ્ધતિ માં સામાન્ય રીતે હાથમાં કાંડા પાસે આવેલ ધમની(Artery) અને શીરા(Vein) ને ઓપરેશન થી જોડી દેવામાં આવે છે.
  • ધમનીમાંથી મોટા પ્રમાણમાં દબાણ સાથે આવતું લોહી શીરામાં જતા હાથમાંની બધી શીરાઓ ફૂલી જાય છે.
  • આ રીતે શીરા ફૂલતા સામાન્ય રીતે ત્રણ થી ચાર અઠવાડિયા લાગે છે,ત્યારબાદ જ તેનો ઉપયોગ હિમોડાયાલિસિસ કરવામાટે થઇ શકે છે.
  • આ કારણસર તાત્કાલિક ડાયાલિસિસ કરવા માટે ફિસ્ચ્યુલા નીડલ (Fistula Needle) મૂકવામાં આવે છે.
  • આ ફિસ્ચ્યુલા નીડલની મદદથી ડાયાલિસિસ માટે લોહી બહાર કાઢવામાં આવે છે અને શુદ્ધિકરણ બાદ પાછું અંદર મોકલવામાં આવે છે.
  • ફિસ્ચ્યુલા દ્વારા મહિનાઓથી વર્ષો સુધી ડાયાલિસિસ થઇ શકે છે.
  • ફિસ્ચ્યુલા કરી હોય તે હાથ વડે રોજિંદુ હળવા પ્રકારનું બધુજ કામ થઇ શકે છે.

એ.વી.ફિસ્ચ્યુલા ની કાળજી રાખવી શામાટે જરૂરી છે?

  • ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારમાં દર્દીએ હિમોડાયાલિસિસ કરાવવું પડે છે.આવા દર્દીઓનું જીવન નિયમિત અને પૂરતા ડાયાલિસિસ પર આધારિત બની રહે છે.એ.વી. ફિસ્ચ્યુલા યોગ્ય રીતે કામ કરે તોજ ડાયાલિસિસ માટે પૂરતા પ્રમાણમાં લોહી મેળવી શકાય છે.ટૂંક માં હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓનું જીવન એ.વી.ફિસ્ચ્યુલા ની યોગ્ય કાર્યક્ષમતા પર આધાર રાખે છે.
  • એ.વી.ફિસ્ચ્યુલા માં ફૂલેલી શીરામાં વધુ દબાણ સાથે, મોટા પ્રમાણમાં લોહીનું વહન થાય છે, જો એ.વી.ફિસ્ચ્યુલાને અકસ્માતથી ઈજા થાય તો ફૂલેલી શીરામાંથી ટૂંકા ગાળામાં ખુબજ લોહી નીકળવાનો ભય રહે છે.આ રીતે મોટી માત્રામાં ઝડપથી નીકળતા લોહીને જો તરત કાબુમાં લેવામાં ન આવેતો,તે થોડી મીનીટોમાં જ જીવલેણ બની શકે છે.

એ.વી. ફિસ્ચ્યુલાનો લાંબા સમય સુધી સંતોષકારક ઉપયોગ કરી શકાય તે માટે શું કાળજી લેવી જોઈએ?

એ.વી.ફિસ્ચ્યુલાની મદદ થી લાંબા સમય(વર્ષો સુધી) માટે, ડાયાલિસિસ માટે પુરતી માત્રામાં લોહી મેળવી શકાય તે માટે ફિસ્ચ્યુલાની નીચે મુજબ ની કાળજી લેવી જરૂરી છે:

ચેપ ન લાગે તે માટે કાળજી :-

  • ફીસ્ચ્યુલા વાળા હાથને સ્વચ્છ રાખવો. રોજ અને હિમોડાયાલિસિસ પહેલા હાથને જંતુનાશક સાબુથી સાફ કરવો.
  • હિમોડાયાલિસિસ બાદ લોહી ન નીકળે તે માટે બાંધવામાં આવતો પટ્ટો(Tourniquet) વધુ લાંબા સમય માટે બાંધવામાં આવે તો ફિસ્ચ્યુલા બંધ થઇ જવાનો ભય રહે છે.

એ.વી. ફિસ્ચ્યુલા ની કાળજી રાખવી:-

  • એ.વી. ફિસ્ચ્યુલા નો માત્ર ડાયાલિસિસ કરવામા જ ઉપયોગ કરવો. ફિસ્ચ્યુલા કરેલા હાથમાં ક્યારેય ઇન્જેક્શન અથવા બાટલા ન આપવા કે તેમાંથી તપાસ માટે લોહી ન લેવું.
  • એ.વી.ફિસ્ચ્યુલા પૂરતા પ્રમાણ માં લોહી હમેશા મળે તો જ યોગ્ય રીતે હિમોડાયાલિસિસ થઇ શકે છે.
  • ફિસ્ચ્યુલા કરેલું હોય તે હાથ પર લોહીનું દબાણ ન માપવું.
  • ફિસ્ચ્યુલાને કોઈ ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.તે હાથ પર ઘડિયાળ,ઘરેણા (કડું,ધાતુ ની બંગડી વગેરે) કે દબાણ કરે તેવા પટ્ટા ના પહેરવા.જો ફિસ્ચ્યુલાને અકસ્માતથી ઈજા થાય અને લોહી ઝડપ થી નીકળવા લાગે તો તો ગભરાયા વગર સૌ પ્રથમ બીજા હાથેથી જોરથી દબાણ આપી લોહી નીકળતું અટકાવવું.ત્યાર બાદ જ્યાંથી લોહી નીકળતું હોય તે જગ્યાએ હિમોડાયાલિસિસ બાદ વપરાતો પટ્ટો જોર થી બાંધી લોહી નીકળતું અટકાવવું,ત્યારબાદ ડોક્ટર નો સંપર્ક કરવો.લોહી અટકાવવાને બદલે, વહેતા લોહી સાથે ડોક્ટર પાસે દોડી જવામાં જોખમ છે.
  • ફિસ્ચ્યુલા કરેલું હોય તે હાથેથી વજનદાર વસ્તુ ઓ ન ઊચકવી અને ફિસ્ચ્યુલા પર વધુ ભાર ન આવે તેનું ધ્યાન રાખવું.ખાસ કરીને રાત્રે સુતી વખતે તે હાથ દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.

ફિસ્ચ્યુલા ની કાર્યતા પારખવી:-

ફિસ્ચ્યુલા કરેલું હોય તેવા દરેક દર્દીએ દિવસ માં ત્રણ વખત (સવારે, બપોરે અને રાત્રે) ફિસ્ચ્યુલા બરાબર ચાલે છે,તેની અચૂક ખાતરી કરી લેવી જોઈએ.જો ફિસ્ચ્યુલા એકાએક બંધ થઇ જાયતો આવી સાવધાનીથી તેનું નિદાન થોડા કલાકોમાં જ થઇ જાય છે.બંધ થઇ ગયેલી ફિસ્ચ્યુલા વહેલા નિદાન અને યોગ્ય સારવારથી ફરીથી કાર્ય કરતી થઇ શકે છે.

લોહીના દબાણ માં થતા નોંધપાત્ર ઘટાડાને કારણે સારી રીતે કાર્ય કરતી ફિસ્ચ્યુલા સાવ કામ કરતી બંધ થઇ જાય તેવો ભય રહે છે.તેથી લોહીના દબાણમાં નોંધપાત્ર ઘટાડો ન થાય તેની કાળજી રાખવી.

નિયમિત કસરત

ફિસ્ચ્યુલા બનાવ્યા બાદ શીરા ફૂલે અને પૂરતા પ્રમાણ માં લોહી મેળવી શકાય તે માટે હાથની કસરત જરૂરી છે.ફિસ્ચ્યુલા ની મદદથી હિમોડાયાલિસિસ શરુ કર્યા બાદ પણ આ જ કારણસર કસરત ચાલુ રાખવી અત્યંત જરૂરી છે.

હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓમાં એ.વી.ફિસ્ચ્યુલા જીવનદોર સમાન હોઈ તેની કાળજી અત્યંત જરૂરી છે.

ગ્રાફ્ટ (Graft) :

  • જે દર્દીઓમાં હાથ ની શીરાઓ યોગ્ય ના હોવાને કારણે ફિસ્ચ્યુલા થઇ શક્તી નથી એમને માટે આ ગ્રાફ્ટનો ઉપયોગ થાય છે.
  • આ પધ્ધતિમાં ખાસ જાતના પ્લાસ્ટિક જેવા મટીરીયલની બનેલી કૃત્રિમ શીરાની મદદ વડે , ઓપરેશન કરી,હાથ કે પગમાં આવેલી ધમની અને શીરાને જોડી દેવામાં આવે છે.
  • ફિસ્ચ્યુલા નીડલને ગ્રાફ્ટમાં મૂકી ડાયાલિસિસ માટે લોહી મેળવવા અને મોકલવામાં આવે છે
  • ખુબજ ખર્ચાળ હોવાને કારણે હાલના તબક્કે આ પધ્ધ્તીનો ઉપયોગ ખુબજ જુજ દર્દીઓમાં થાય છે.

હિમોડાયાલિસિસ મશીનના શું કાર્યો છે?

હિમોડાયાલિસિસ મશીનના મુખ્ય કાર્ય નીચે મુજબ છે:

  • ડાયાલિસિસ મશીનનો પંપ શુદ્ધિકરણ માટે લોહી મેળવવું તે અને જરૂર પ્રમાણે તેમાં વધઘટ કરવાનું કામ કરે છે.
  • મશીન ખાસ પ્રકારનું પ્રવાહી (ડાયાયલાઈઝેટ) બનાવી કૃત્રિમ કિડની (ડાયાલાઈઝર) માં મોકલે છે. મશીન દ્વારા પ્રવાહી નું તાપમાન અને તેમાં ક્ષાર, બાયકાર્બોનેટ વગેરેનું યોગ્ય પ્રમાણ જાળવવામાં આવે છે.મશીન આ ડાયાયલાઈઝેટ ને યોગ્ય પ્રમાણ માં અને યોગ્ય દબાણથી કૃત્રિમ કિડનીમાં મોકલે છે અને બિનજરૂરી કચરો દૂર કર્યા બાદ આ પ્રવાહી નો નિકાલ કરે છે.
  • કિડની ફેલ્યરમાં જોવા મળતા સોજા વધારાના પાણી ને લીધે હોય છે.ડાયાલિસિસ દરમ્યાન મશીન વધારાનું પાણી દૂર કરે છે.
  • હિમોડાયાલિસિસ મશીન કૃત્રિમ કિડનીની મદદથી લોહીનું શુદ્ધિકરણ ,અને પ્રવાહી ક્ષાર એસિડનું યોગ્ય પ્રમાણ જાળવે છે.
  • ડાયાલિસિસ દરમ્યાન દર્દીની સલામતી જાળવવાની જુદી જુદી ઘણી વ્યવસ્થાઓ ડાયાલિસિસ મશીનમાં હોય છે. હાલ ઉપલબ્ધ કોમ્પ્યુટરાઇસ હિમોડાયાલિસિસ મશીન ની મદદ દ્વારા ડાયાલિસિસ ની પ્રક્રિયા અતિ સરળ અને અસરકારક રૂપે થઇ શકે છે.

ડાયાલાઈઝર(કૃત્રિમ કિડની) ની રચના કેવી હોય છે ? તેમાં લોહીનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? ડાયાલાઈઝર(કૃત્રિમ કિડની) ની રચના :

ડાયાલાઈઝર લગભગ ૮ ઇંચ લાંબા અને ૧.૫ ઇંચ વ્યાસ ધરાવતા પારદર્શક પ્લાસ્ટીકના પાઈપ નું બનેલ હોય છે.જેમાં ૧૦,૦૦૦ જેટલી વાળ જેવી પાતળી નળીઓ ગોઠવાયેલી હોય છે.આ પાતળી પરંતુ અંદરથી પોલી હોય તેવી નળીઓ ખાસ જાતના પારદર્શક પ્લાસ્ટીકની (સેમી પર્મિએબલ મેમ્બ્રેન)ની બનેલ આ પાતળી નળીઓની અન્દરથી લોહી પસાર થઇ શુદ્ધ થાય છે.

  • ડાયાલાઈઝરના ઉપર અને નીચેના છેડે આ બધી પાતળી નળીઓ ભેગી થઇ એક મોટી નળી બની જાય છે.જેની સાથે શરીરમાંથી લોહી લાવતી અને લઇ જતી નળી (Blood Tunings) જોડાઈ શકે છે.
  • ડાયાલાઈઝરના ઉપર અને નીચેના છેડે, બાજુની તરફ મશીનમાંથી આવતું ખાસ જાતનું શુદ્ધિકરણ માટે વપરાતું પ્રવાહી (Dialysate) દાખલ થઇ નીકળી શકે તે માટે નળી જોડાઈ શકે તેવી રચના હોય છે.

ડાયાલાઈઝર (કૃત્રિમ કિડની) માં લોહી નું શુદ્ધિકરણ:

  • શરીરમાંથી શુદ્ધિકરણ માટે કિડની કૃત્રિમ કિડનીમાં એક છેડે થી આવતું લોહી હજારો પાતળી નળીઓમાં વહેચાઈ જાય છે.
  • કૃત્રિમ કિડનીના બીજા છેડે થી દબાણથી દાખલ થતું શુદ્ધિકરણ નું કાર્ય કરતુ ડાયાલાઈઝેટ પાતળી નળીઓની આસપાસ વહેચાઈ જાય છે.
  • ડાયાલાઈઝરમાં લોહી ઉપરથી નીચે અને ડાયાલાઈઝેટ નીચેથી ઉપર એમ સતત એકબીજાથી વિરૃધ દિશામાં વહેતા રહે છે.
  • આ દરમ્યાન પાતળી નળીઓ સેમિપર્મિએબલ મેમ્બ્રેનની બનેલી હોવાથી લોહીમાંના યુરીયા – ક્રિએટીનીન જેવા ઉત્સર્ગ પદાર્થો ડાયાલાઈઝેટમાં ભળી બહાર નીકળી જાય છે.આમ કૃત્રિમ કિડની માં એક છેડેથી પ્રવેશતું અસ્શુધ લોહી બીજા છેડે નીકળે ત્યારે શુદ્ધ થઇ જાય છે.
  • ડાયાલિસિસ ની પ્રક્રિયામાં શરીરનું બધું લોહી આશરે બાર વખત શુદ્ધ થાય છે.ચાર કલાક ના અંતે લોહીમાંના યુરીયા તથા ક્રિએટીનીનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી લોહીનું શુદ્ધિકરણ થઇ જાય છે.

હિમોડાયાલિસિસમાં વપરાતું ખાસ પ્રકારનું ડાયાલાઈઝેટ શું છે?

  • હિમોડાયાલિસિસ મશીન દ્વારા ડાયાલિસિસ ની પ્રક્રિયા માટે મશીન ની અંદર બનતા ખાસ પ્રકાર ના પ્રવાહી ના મિશ્રણ ને ડાયાલાઇઝેટ કહે છે.
  • હિમોડાયાલિસિસ માટે ખાસ જાતનું ખુબજ ક્ષાર ધરાવતું પ્રવાહી (હિમોકોન્સેનટ્રેટ) દસ લીટર ના પ્લાસ્ટિક જારમાં મળે છે.
  • ડાયાલિસિસ મશીન આ ખાસ જાતના પ્રવાહી નો એક ભાગ અને ચોત્રીસ ભાગ પાણી ભેળવી ડાયાલાઈઝેટ બનાવે છે.
  • મશીન દ્વારા ડાયાલાઈઝેટ માંના ક્ષાર તથા બાયકાર્બોનેટનું પ્રમાણ શરીરના જરૂરી પ્રમાણ જેટલું જ જાળવવામાં આવે છે.
  • ડાયાલાઈઝેટ બનાવવા માટે વાપરવામાં આવતું પાણી ક્ષાર રહિત નરમ અને શુદ્ધ બનાવવા માટે ખાસ જાતનો આર.ઓ.(Reverse Osmosis) પ્લાન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ આર.ઓ. પ્લાન્ટમાં પાણી સેન્ડ ફિલ્ટર,ચારકોલ ફિલ્ટર,માઈક્રો ફિલ્ટર, ડી-આયોનાઇજર, આર.ઓ. મેમ્બ્રેન અને યુ.વી.(Ultra violt) ફિલ્ટરમાંથી પસાર થઇ નરમ , શુદ્ધ અને સંપૂર્ણ જતુંરહિત બને છે.
  • ડાયાલિસિસ માં વપરાતું પાણી અત્યંત શુદ્ધ હોવું જરૂરી છે કારણ કે દરેક ડાયાલિસિસ દરમ્યાન ૧૫૦ લિટર જેટલું પાણી વપરાય છે.
  • પાણીનું આ પ્રકારનું શુદ્ધિકરણ હિમોડાયાલિસિસ અસરકારક રીતે કે આડ અસર વગર થાય તે માટે અત્યંત મહત્વનું છે.

સામાન્ય રીતે હિમોડાયાલિસિસ હોસ્પિટલમાં નિષ્ણાંત સ્ટાફ દ્વારા નેફ્રોલોજીસ્ટની સુચના અને દેખરેખ નીચે કરવામાં આવે છે.ખુબ જ

લોહીનું શુદ્ધિકરણ અને વધારાનું પ્રવાહી દૂર કરવાનું કાર્ય ડાયાલાઈઝરમાં થાય છે.

ઓછા દર્દીઓ પોતાના ઘરમાંજ મશીન ખરીદી લે છે અને તે માટેની તાલીમ લઇ કુટુંબીજનોની મદદથી ઘરમાં જ ડાયાલિસિસ કરે છે.આ પ્રકાર ના ડાયાલિસિસ ને હોમ હિમોડાયાલિસિસ (Home Hemodialysis) કહે છે, જે માટે નોંધપાત્ર ખર્ચ,તાલીમ અને સમયની જરૂર પડે છે.

હિમોડાયાલિસિસ ક્યાં કરવામાં આવે છે?

સામાન્ય રીતે હિમોડાયાલિસિસ હોસ્પિટલમાં નિષ્ણાંત સ્ટાફ દ્વારા નેફ્રોલોજીસ્ટની સુચના અને દેખરેખ નીચે કરવામાં આવે છે.ખુબ જ

લોહીનું શુદ્ધિકરણ અને વધારાનું પ્રવાહી દૂર કરવાનું કાર્ય ડાયાલાઈઝરમાં થાય છે.

ઓછા દર્દીઓ પોતાના ઘરમાંજ મશીન ખરીદી લે છે અને તે માટેની તાલીમ લઇ કુટુંબીજનોની મદદથી ઘરમાં જ ડાયાલિસિસ કરે છે.આ પ્રકાર ના ડાયાલિસિસ ને હોમ હિમોડાયાલિસિસ (Home Hemodialysis) કહે છે, જે માટે નોંધપાત્ર ખર્ચ,તાલીમ અને સમયની જરૂર પડે છે.

શું હિમોડાયાલિસિસ પીડાજનક અમે જટિલ સારવાર છે ?

ના, હિમોડાયાલિસિસ એ સરળ અને પીડા ન થાય તેવી પ્રક્રિયા છે. સામાન્ય રીતે લાંબા સમય માટે ડાયાલિસિસની જરૂર હોય તેવા દર્દીઓ ડાયાલિસિસ કરાવવા હોસ્પિટલ આવે છે અને ડાયાલિસિસ પૂરું થતા ઘરે પાછા ફરે છે.મોટા ભાગ ના દર્દીઓ ડાયાલિસિસ દરમ્યાન નો ચાર કલાક નો સમય ઊંઘ-આરામ કરવામાં , સંગીત સંભાળવામાં,ટીવી જોવામાં કે મનપસંદ વાંચન કરી પસાર કરે છે.ડાયાલિસિસ દરમ્યાન મોટા ભાગના દર્દીઓ હળવો નાસ્તો,ચા લે ઠંડુ પીણું લેવાનું પસંદ કરે છે.

સામાન્ય રીતે હિમોડાયાલિસિસ દરમ્યાન કઈ કઈ તકલીફો જોવા મળે છે ?

ડાયાલિસિસ દરમ્યાન કેટલીક વખત જોવા મળતી તકલીફોમાનું લોહી નું દબાણ ઘટી જવું,પગમાં કળતર-દુખાવો થવો,નબળાઈ લાગવી,ઉલટી-ઉબકા થવા વગેરે નો સમાવેશ થાય છે.

હિમોડાયાલિસિસના મુખ્ય ફાયદા અને ગેરફાયદા ક્યાં ક્યાં છે ?

હિમોડાયાલિસિસ ના ફાયદાઓ:

  • ઓછી ખર્ચાળ ડાયાલિસિસ ની સારવાર.
  • હિમોડાયાલિસિસ ની પ્રક્રિયામાં કોઈ પીડા થતી નથી અને દર્દી પથારી કે ખુરશી માં શક્ય એવી સામાન્ય પ્રવૃત્તિ કરી શકે છે.
  • ચેપ ની શક્યતા ઓછી રહે છે. પેરિટોનીયલ ડાયાલિસિસ કરતા હિમોડાયાલીસીસ ઓછુ ખર્ચાળ હોવાથી વધુ દર્દીઓ હિમોડાયાલીસીસ કરાવવું પસંદ કરે છે.
  • રોજ કરવાની જરૂર પડતી નથી.
  • અન્ય દર્દીઓ સાથેના સંપર્કને કારણે માનસિક તનાવ ઓછો રહે છે.

હિમોડાયાલિસિસ ના ગેરફાયદાઓ:

  • દરેક ગામમાં ઉપલબ્ધ ના હોવાથી બહારગામ જવું પડે તેની તકલીફ.
  • સારવાર માટે હોસ્પિટલ જવું પડે અને નિશ્ચિત સમયનું પાલન કરવું પડે.
  • દરેક વખતે ફિસ્ચ્યુલા નીડલ મુકે તેનો દુખાવો સહન કરવો પડે.
  • હિપેટાઈટીસના ચેપ ની સભાવના રહે.
  • ખોરાક માં વધુ પરેજી રાખવી પડે.
  • હિમોડાયાલિસિસ યુનિટ શરુ કરવું એ ખર્ચાળ છે અને તે ચલાવવા માટે નિષ્ણાંત સ્ટાફ-ડોક્ટર ની જરૂર પડે છે.

હિમોડાયાલિસિસ ના દર્દીઓ માટે અગત્યની બાબતો:

  • નિયમિત હિમોડાયાલિસિસ લાંબા સમયની તંદુરસ્તી માટે જરૂરી છે.તેમાં અનિયમિતતા કે ફેરફાર લાંબા ગાળે હાનીકારક છે.
  • બે ડાયાલિસિસ વચ્ચે ખોરાકમાં યોગ્ય પરેજી(પ્રવાહી તથા મીઠું ઓછું લેવું)દ્વારા વજન નો વધારો કાબુમાં રાખવો જરૂરી છે.
  • હિમોડાયાલિસિસ શરુ થાય બાદ પણ નિયમિત રીતે દવા લેવાની અને લોહીના દબાણ તથા ડાયાબિટીસ ને કાબુમાં રાખવાની જરૂર છે.

હિમોડાયાલિસિસના મુખ્ય ફાયદાઓ સલામતી, વધુ અસરકારકતા અને ઓછો ખર્ચ છે.

સામાન્ય રીતે હિમોડાયાલીસીસ ના દર્દીઓ માં કુપોષણ વધુ જોવા મળે છે. ખોરાક માં પૂરતા પ્રોટીન નો અભાવ અને હિમોડાયાલીસીસ દરમ્યાન શરીરમાંથી પ્રોટીન નીકળી જવાને કારણે કુપોષણ થઇ શકે છે. આ કારણસર નિયમિત હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓ એ વધુ પ્રોટીન વાળો ખોરાક લેવો જરૂરી છે. હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓ એ વિટામીન બી. અને વિટામીન સી. ધરાવતી દવાઓ ડોક્ટર ની સલાહ મુજબ લેવી જરૂરી હોય છે. ડોક્ટર ની સુચના વગર અખતરા કરી વિટામીન ની દવાઓ ન લેવી કેમ કે એવું બની શકે કે તેમાં પૂરતા પ્રમાણ માં જરૂરી વિટામીન ન પણ હોય અને તદ્દ ઉપરાંત હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓને નુકસાન કરી શકે તે પ્રકારના વિટામીનનો હોય શકે.

કેલ્શિયમ, ફૉસ્ફરસ અને પેરાથાઇરોડ હોર્મોન નું કેટલું પ્રમાણ છે તેને ધ્યાન માં રાખી ડોક્ટર કેલ્શિયમ અને વિટામીન ડી. ની દવાઓ લેવાની સુચના આપે છે. દર્દી એ રોજીદા જીવન માં થોડા ફેરફાર કરવા જરૂરી બની જાય છે જેમકે બીડી કે સિગરેટ ન પીવી, દારૂ નું સેવન ન કરવું, વજન જાળવવું અને નિયમિત કસરત કરવી.

હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓએ ડોક્ટર અથવા નર્સ નો સંપર્ક ક્યારે કરવો.

નીચે મુજબ ની કોઇપણ તકલીફ થાય તો હિમોડાયાલીસીસ કરાવતા દર્દીઓએ ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરવો. :-

  • એવી. ફીસ્ચ્યુલા માં થ્રિલ (ધ્રુજારી) ન આવવી.
  • એકાએક વજન વધવું, સોજા ચડવા અથવા શ્વાસ ચડવો.
  • છાતી માં દુઃખાવો થવો, હદય ના ધબકારા વધી જવા અથવા ઘટી જવા.
  • લોહી નું દબાણ અત્યંત ઘટી જવું અથવા વધી જવું.
  • દર્દી નિંદ્રા માં રહે. બેભાન થાય કે આચકી આવે.
  • તાવ, ઠંડી, વધુ પડતી ઉલ્ટી, નબળાઈ લાગવી અથવા ઉલ્ટી માં લોહી આવવું.
  • બે ડાયાલિસિસ વચ્ચે વજન ના વધે તે માટે નમક અને પ્રવાહી મા પરેજી અત્યંત જરૂરી છે.

પેરીટોનિયલ ડાયાલિસિસ (પેટનું ડાયાલિસિસ)

કિડની ફેલ્યર ના દર્દીઓને જયારે ડાયાલિસિસની જરૂરીયાત પડે ત્યારે હિમોડાયાલિસિસ સિવાયનો બીજો વિકલ્પ પેરીટોનિયલ ડાયાલિસિસ છે.

પેરીટોનિયલ ડાયાલિસિસ (પી.ડી.) એટલે શું?

પેટમાં આંતરડા,હોજરી વગેરે અવયવોને ઢાંકી તેને યોગ્ય જગ્યાએ જકડી રાખતી મેમ્બ્રેનને પેરિટોનીયમ કહેવામાં આવે છે.

આ મેમ્બ્રેન સેમીપરમીએબલ એટલે કે ગરની જેવું હોય છે.

આ મેમ્બ્રેન ની મદદ થી થતી લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને પેરીટોનિયલ ડાયાલિસિસ કહે છે.

આગળ ની ચર્ચા માં પેરીટોનિયલ ડાયાલિસિસને અપને ટૂંકમાં પી.ડી.કહીશું.

પેરીટોનિયલ ડાયાલિસિસ (પી.ડી) ના ક્યાં ક્યાં પ્રકારો છે?

  • આઈ.પી.ડી. –ઈન્ટેરમિટનટ પેરીટોનિયલ ડાયાલિસિસ(Intermitent Peritoneal Dialysis)
  • સી.એ.પી.ડી. –કંટિન્યુઅસ ઍમબ્યુલેટરી પેરીટોનિયલ ડાયાલિસિસ (Continuous ambulatory Peritomeal Dialysis)
  • સી.સી.પી.ડી. – કંટિન્યુઅસ સાયકલીક પેરીટોનિયલ ડાયાલિસિસ (Continuous Cyclic Peritomeal Dialysis)

ઈન્ટેરમિટનટ પેરીટોમીયલ ડાયાલિસિસ (આઈ.પી.ડી.)

  • હોસ્પિટલમાં ટૂંકા સમય માટે ડાયાલિસિસની જરૂરિયાત હોય ત્યારે આ ડાયાલિસિસ કરવામાં આવે છે.
  • આઈ.પી.ડી.માં ના લોહીમાંનો કચરો દર્દીને બેભાન કર્યા વગર,પેટમાં એક ખાસ પ્રકારની ઘણા કાણાવાળી જાડી નળી મૂકી,ખાસ જાતના પ્રવાહીની મદદથી દૂર કરવામાં આવે છે.
  • સી.એ.પી.ડી. તે દર્દી ઘરમાં, મશીન વગર, ખાસ પ્રવાહીની મદદ થી કરવામાં આવતું ડાયાલિસિસ છે.
  • સામાન્ય રીતે ડાયાલિસિસની આ પ્રક્રિયા ૩૬ કલાક ચાલે છે અને તે દરમ્યાન ૩૦ થી ૪૦ લીટર જેટલા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ પ્રકારનું ડાયાલિસિસ દર ૫ થી ૭ દિવસે કરાવવું પડે છે.
  • આ જાતનું ડાયાલિસિસ લાંબા સમય માટે અનુકુળ નથી.

સી.એ.પી.ડી.

કંટિન્યુઅસ ઍમબ્યુલેટરી પેરીટોનિયલ ડાયાલિસિસ સી.એ.પી.ડી એટલે શું ?

સી.એ.પી.ડી. એટલે

સી. – કંટિન્યુઅસ – કે જેમાં ડાયાલિસિસ ની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.

એ. – ઍમબ્યુલેટરી – જે દરમ્યાન દર્દી હરીફરી અને સામાન્ય કામ કરી શકે છે.

પી.ડી. – પેરીટોનિયલ ડાયાલિસિસ ની આ પ્રક્રિયા છે.

સી.એ.પી.ડી. એ દર્દીને પોતાની મેળે ઘરે,મશીન વગર કરી શકે એવા પ્રકારનું ડાયાલિસિસ છે.વિશ્વના વિકસિત દેશોમાં ક્રોનિક કિડની ફેલ્યરના વધુ ને વધુ દર્દીઓમાં ડાયાલિસિસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે.

સી.એ.પી.ડી. ની પ્રક્રિયા :

સી.એ.પી.ડી. કેથેટર :- આ એક પ્રકાર ની બધી તરફ ઘણા કાણા વાળી નળી હોય છે. જેને પેટમાં ડુંટી નીચે નાનો ચીરો મુકીને ગોઠવવામાં આવે છે. આ નળી સીલીકોન તરીકે ઓળખાતા ખાસ પદાર્થોની હોય છે,જે નરમ,પેટના આંતરડા કે અન્ય અવયવોને ઈજા ના પહોચાડે અને કોઈપણ સ્થિતિમાં પેટમાં આરામદાયક રીતે ગોઠવાઈ શકે તેવી હોય છે.

સી.એ.પી.ડી. ની પ્રક્રિયા ત્રણ ભાગમાં વહેચાયેલ છે.

૧. ફીલ (fill) :-પેટ માં પ્રવાહી ભરવું :પી.ડી. નું પ્રવાહી ૨ લિટર ની ખાસ પ્રકાર ની નરમ પ્લાસ્ટિક ની બેગ માં મળે છે. આ બેગમાંથી પ્રવાહી લઇ જતી નળી બેગ સાથે જ અંદર થી જોડાયેલ હોય છે. (જેથી પ્રવાહી કાઢવા માટે અલગ નળી – I V set ની જરૂર પડતી નથી). પી.ડી. બેગ ને ઉપર લટકાવવામાં આવે છે. જેથી બેગ નું પ્રવાહી પોતાની મેળે જ પી.ડી. કેથેટર ની મદદ થી પેટમાં ભરાય છે. જે પેરિટોનિયમ ના સંપર્ક માં આવે છે. ડાયાલિસિસ માટે પ્લાસ્ટીકની નરમ બેગમાં ઉપલબ્ધ એ પ્રવાહી પેટ માં દાખલ કાર્ય બાદ બેગ કમરે પટા ની સાથે બાંધી સહેલાઈથી હરીફરી શકાય છે.

૨. ડ્વેલ (Dwell) :- પેટ માં દાખલ કરેલ પી.ડી. પ્રવાહી પેટ માં આવેલ પેરીટોનિયમ ના ભાગમાં દિવસ દરમ્યાન ૪ થી ૬ કલાક સુધી અને રાત્રે ૬ થી ૮ કલાક સુધી રહે છે. આ સમય દરમ્યાન લોહીમાંનો કચરો ડાયાલિસિસ ના પ્રવાહી સાથે ભળી જાય છે અને આ રીતે લોહીનું શુદ્ધિકરણ થાય છે.

૩. ડ્રેન (Drain) :- ડ્વેલ ટાઇમ બાદ કચરા વાળું પી.ડી. પ્રવાહી ને પી.ડી. બેગ (જે દર્દીએ કમર ના પટ્ટા સાથે બાંધી હતી) માં ખાલી કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રવાહી ને માપી અને ફેકી દેવામાં આવે છે. પી.ડી. પ્રવાહી ને બહાર કાઢવામાં અને શુદ્ધ પ્રવાહી પેટ માં અંદર જવામાં આશરે ૩૦-૪૦ મિનીટ નો સમય લાગે છે. અને આ પ્રક્રિયા ને એક્સચેન્જ (exchange). કહેવાય છે. આ એક્સચેન્જ ની પ્રક્રિયા દિવસ માં ૩-૪ વખત અને રાત્રે એક વખત થાય છે. આ બધી પ્રક્રિયા ચેપ ન લાગે તે રીતે કરવામાં આવે છે.

સી.એ.પી.ડી. પ્રક્રિયા ના ત્રણ મુખ્ય ભાગ - પેટ મા પ્રવાહી ભરવુ, રાખવુ અન કાઢવુ તે છે

સી.સી.પી.ડી. – કંટિન્યુઅસ સાયકલીક પેરીટોનિયલ ડાયાલિસિસ:

આ પ્રકારની પેરીટોનિયલ ડાયાલિસિસ ની પ્રક્રિયા ખાસ પ્રકારના ઓટોમેટીક મશીન દ્વારા ઘરે કરવામાં આવે છે. આ પ્રક્રિયા માં મશીન ની મદદ થી પી.ડી. પ્રવાહી પેટ માં પ્રવેશ કરે છે. અને બહાર નીકળે છે. આ પ્રક્રિયા ૧-૨ કલાક સુધી ચાલે છે. અને આ પ્રકાર ના એક્સચેન્જ રાત્રી ના સમયે જયારે દર્દી સુઈ જાય છે. ત્યારે આ પ્રક્રિયા ૮-૧૦ કલાક ચાલે છે. સવારે ઉઠી જયારે દર્દી મશીન ને બંધ કરે ત્યારે ૨-૩ લિટર જેટલું પી.ડી. પ્રવાહી પેટ માં અંદર હોય છે. જે આંખો દિવસ પેટ માં રહે છે.

રાત્રે જયારે ફરી મશીન ને લગાવામાં આવે ત્યારે આ પ્રવાહી બહાર નીકળી જાય છે. દિવસ દરમ્યાન એક જ વખત બેગ ને બદલાવવા ની હોય તેથી આ પ્રક્રિયા દરમ્યાન દર્દી એના રોજીંદા કાર્યો ખુબજ સરળતાથી કરી શકે છે. સી એ પી.ડી. માં ૨૪ કલાક માં એક વખત પેટ સાથે મશીન લગાડવાનું હોય છે. જેથી ચેપ લાગવાની શક્યતા ઓ ઓછી રહે છે. આ પ્રક્રિયા નો મુખ્ય ગેરફાયદો વધારે ખર્ચ અને મશીન વાપરવા માટે યોગ્ય પદ્ધતિ શીખી અને અમલ કરવી તે છે.

સી.એ.પી.ડી. માં પી.ડી. પ્રવાહી શું હોય છે ?

પી.ડી. માં વપરાતું પી.ડી. પ્રવાહી સુદ્ધ, જંતુ રહિત હોય છે. જેમાં વિવિધ પ્રકારના ક્ષારો અને ગ્લ્યુકોઝ યોગ્ય માત્રા માં હોય છે. ગ્લ્યુકોઝ ના પ્રમાણ મુજબ પી.ડી. નું પ્રવાહી હાલમાં ત્રણ પ્રકારમાં મળે છે (૧.૫%, ૨.૫%, ૪.૫%) પી.ડી. પ્રવાહીમાનું ગ્લ્યુકોઝ વધારાનું પ્રવાહી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ રૂપ થાય છે. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓ ના શરીરમાંથી કેટલું પ્રવાહી દુર કરવું જરૂરી છે તે ધ્યાન માં રાખવું

સી.એ.પી.ડી.ના દર્દીને ખોરાક માં શું મુખ્ય ફેરફાર કરવાની સુચના આપવામાં આવે છે ?

સી.એ.પી.ડી.ની પ્રક્રિયામાં પેટમાંથી પાછા નીકળતા પ્રવાહી સાથે શરીરમાંનું પ્રોટીન પણ નીકળી જાય છે .આ કારણસર નિયમિત વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાય તે યોગ્ય તંદુરસ્તી જાળવવા માટે ખુબજ જરૂરી છે.

સી.એ.પી.ડી.કરતા દર્દીઓમાં સંભવિત જોખમો ક્યાં છે ?

  • સી.એ.પી.ડી.ના સંભાવિત મુખ્ય જોખમોમાં પેરિટોનાઈટીસ (પેટમાં રસી થવી), કેથેટર બહાર નીકળે ત્યાં ચેપ(Exit Site Infection).ઝાડા વગેરેનો સમાવેશ થાય છે.
  • સી.એ.પી.ડી. ના દર્દીઓમાં સૌથી વધુ જોવા મળતું અને ચિંતાકારક જોખમ તે પેરિટોનિયમનો ચેપ એટલે કે પેરિટોનાઈટીસ છે.
  • પેટનો દુખાવો,તાવ,અને પેટની બહાર આવતું પ્રવાહી ડહોળું હોવું તે પેરિટોનાઈટીસની નિશાની છે.
  • પી.ડી. ના અન્ય જોખમો માં પેટ ફૂલી જવું, પેટ ના સ્નાયુ ઢીલા થઇ જવાથી હર્નિયા ની તકલીફ થવી, શરીર માં પ્રવાહી વધી સોજા થવા, કબજિયાત થવી, કમર નો દુઃખાવો થવો કેથેટર ની બાજુ થી પ્રવાહી લીક થવું, વજન વધી જવું વગેરે છે.

સી.એ.પી.ડી. ના મુખ્ય ફાયદા અને ગેરફાયદા ક્યાં ક્યાં છે ?

મુખ્ય ફાયદાઓ :

  1. પ્રવાહી તથા ખોરાક માં ઓછી પરેજી પાળવી પડે છે.
  2. મશીન વગર થાય છે.સોય લાગવાની પીડામાંથી મુક્તિ મળે છે.
  3. સ્થળ,સમયની સ્વતંત્રતા મળે છે. જેથી રોજિંદુ કામ થઇ શકે છે.દર્દી બહાર ગામ જઈ શકે છે.
  4. લોહીનું દબાણ,સોજા,લોહીની ફિક્કાસ વગેરે પ્રશ્નોની સારવાર વધુ સારી રીતે થઇ શકે છે.

હિમોડાયાલીસીસના દર્દીઓ કરતા સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓએ પ્રવાહી અને નમકની માત્રા માં ઘટાડો કરવાની પરેજી ઓછી રાખવી પડે. છે.

મુખ્ય ગેરફાયદાઓ :

  1. પેરિટોનાઇટીસ અને કેથેટર ની જગ્યા ના ચેપ લાગવાનો જોખમ.
  2. હાલ આ સારવાર ખુબ ખર્ચાળ છે.
  3. પેરિટોનાઈટીસનું જોખમ નોંધપાત્ર રહે છે.
  4. દરરોજ (રજા વગર) ૩-૪ વખત કાળજીપૂર્વક, યોગ્યરીતે પ્રવાહી બદલવું પડે છે,જેની જવાબદારી દર્દીના કુટુંબીજનોની રહે છે. આ માટે ચુસ્તપણે પાલન કરવું તે માનસિક તણાવરૂપ છે.
  5. પેટમાં હમેશા માટે કેથેટર તથા પ્રવાહી રહે તે અગવડરૂપ છે.
  6. પી.ડી.માટેના પ્રવાહીની વજનવાળી બેગ સાચવવી અને ફેરવવી તે અનુકુળ નથી.
  7. વધુ ચરબી વાળો ખોરાક ઓછો લેવો.
  8. પોટેશિયમ અને ફોસફેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.
  9. કબજિયાત ન થાય તે માટે લીલા શાકભાજી અને તાજા ફ્રુટ લેવા.

સી.એ.પી.ડી. ના દર્દીઓ ને ડોક્ટર અથવા ડાયાલિસિસ કો-ઓર્ડીનેટરનો ક્યારે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ ?

નીચે મુજબની તકલીફ થાય ત્યારે સી.એ.પી.ડી. કરાવતા દર્દીએ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક કરવો :-

  • પેટ માં દુઃખાવો, તાવ અથવા ઠંડી લાગે.
  • સામાન્ય રીતે પેટ માંથી બહાર કાઢવામાં આવતું પી.ડી. પ્રવાહી ચોખ્ખુ હોય છે. જયારે આ પેટ માંથી નીકળતું પ્રવાહી ડોહડુ આવે અથવા તેમાં લોહી આવે. પેટ માંથી પી.ડી. કેથેટર બહાર નીકળતું હોય ત્યા દુઃખાવો થવો, લાલાશ થવી, સોજો આવવો અથવા ચેપ લાગવો જયારે પી.ડી. પ્રવાહી નું પેટ ની અંદર જવામાં અથવા બહાર નીકળવામાં તકલીફ થાય કે કબજિયાત થાય.
  • અચાનક ટૂંકાસમય માં વજન માં નોંધપાત્ર વધારો થવો અને સોજા ચડવા, શ્વાસ ની તકલીફ થવી અને બ્લડ પ્રેશર વધવું (જે શરીર માં પ્રવાહી નું પ્રમાણ વધી ગયું છે તે સૂચવે છે.)
  • લોહી નું દબાણ ઘટી જવું, વજન માં ટૂંકા સમય માં ઘટાડો થવો નબળાઈ લાગવી અને વધુ થાક લાગવો (જે શરીર માં પ્રવાહી નું પ્રમાણ ઘટી ગયું છે તે સુચવે છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate