অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમારા બાળકને સ્તનપાન કરવું

તમારા બાળકને સ્તનપાન કરવું

”stanpan”

જીવનના પહેલા વર્ષમાં વૃદ્ધિ અને વિકાસ સૌથી વધારે ઝડપથી થાય છે. શરૂઆતના ચાર મહિનામાં સાધારણપણે બાળકનુ વજન સ્તનપાન કરાવવાથી બમણુ થાય છે અને તેના જન્મ વખતનુ વજન કરતા તેના પહેલા જન્મદિવસે તે ત્રણ ગણુ થઈ જાય છે. આ અદભુત વિકાસ માટે પુરતી કેલરી અને પૌષ્ટીક ખોરાક શિશુ માટે જરૂરી છે. સારૂ પોષણ અને પ્રેમાળ વાતાવરણની સાથે સામાન્ય વિકાસ માટે આ બાયધરી આપે છે. તમારા બાળકને તે જ પૌષ્ટીક તત્વો જરૂરી છે જે તમારા માટે છે, જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, પાણી, વિટામીન અને ખનિજ. ૪૦થી વધારે જુદાજુદા પૌષ્ટીક તત્વો તમારા બાળકની સ્વસ્થ વૃદ્ધી અને વિકાસ માટે જરૂરી છે. પહેલાના થોડા દિવસો માટે અવધિ પુરી કરેલા બાળકો પાસે પૌષ્ટીક તત્વોનો સંગ્રહ પર્યાત્પ છે, ખાસ કરીને પાણી. બીજે અથવા ત્રીજે દિવસે તમારા બાળકને કેલરી, પાણી અને પૌષ્ટીક તત્વોની જરૂર છે.

જન્મથી ૪ મહિના.

માતાનુ દુધ અને કૃત્રિમ

માતાનુ દુધ બાળકો માટે સૌથી ઉત્તમ છે, પણ આ કદાચ કેટલીક સ્વાસ્થયની સમસ્યાઓવાળા માટે શક્ય નથી અથવા એવી કેટલીક માતાઓ માટે જેને કામ ઉપર પાછા જવુ છે. નવી માતાઓ જેમને કામ ઉપર પાછા જવુ છે, તે ઘણીવાર સ્તનપાનને કૃત્રિમ (પાવડરના દુધ)ની સાથે ભેગુ કરે છે.

પાલનપોષણ કરનારી માતાને સાધારણપણે દરેક દિવસ માટે વધારાની ૫૦૦ કિલોકેલરીની જરૂર પડે છે અને તેની સાથે ૨૦ ગ્રામ પ્રોટીન અને ૪૦૦ મિલીગ્રામ વધારાનુ કેલ્સીયમ. આમાં દુધનો એક પ્યાલો ભરીને આપી શકાય, એક માંસનો મોટો ટુકડો આપીને અને એક ઇંડુ અથવા રોટીનો ટુકડો. જેને પ્રવાહીની જરૂર છે તેણે ઘણુ બધુ પાણી પીવાથી મદદ મળશે.

સ્તનપાન કરાવવાથી થતા ફાયદાઓ

  • તમારા બાળક માટે માતાનુ દુધ સૌથી સારા પૌષ્ટીક દ્રવ્યનુ મિશ્રણ છે.
  • માતાનુ દુધ ભાગોનુ બનેલુ છે, જે તમારા બાળકને વિષાણુથી અને બેકટેરીયાથી બચાવીને સુરક્ષિત રાખે છે, કારણકે છેલ્લા કેટલાક અઠવાડીયાથી તમારૂ બાળક રોગોનો પ્રતિરોધ ધીમેથી કરે છે. માતાનુ દુધ પીતા બાળકોએ બતાવ્યુ છે કે તેઓને પેટના આતરડાની ગડબડ અને ઝાડાની સામે સુરક્ષા આપે છે.

સ્તનપાન કરવાથી થતા ગેરફાયદાઓ

  • બાળકોને હાનિકારક વિશિષ્ટ પ્રકારના પદાર્થ માતા તરફથી મળે છે, જો માતા દવા, દારૂ અને કેફીન લેતી હોય (તે છતા માતા તેના કેફીન અને દારૂના વપરાશ ઉપર સરળતાથી નિયંત્રણ લાવે અને ફક્ત ડૉકટરોની સલાહ લીધા પછી દવા લ્યે.)
  • બીજુ કામ કરતી વખતે આ સરળ છે કે બાળકના મોઢામાં બાટલી મુકી ધ્યે, તેને બદલે બાળકને પ્રેમ અને ધ્યાન આપે જેની બાળકને જરૂર છે.
"મોઢામાં બાટલી" એક બહુ ગંભીર સમસ્યા છે, જેનુ પરિણામ જ્યારે બાળકોને બાટલી સાથે સુવડાવતી વખતે આવે છે. બાળક મોઢામાં બાટલી રાખીને કદાચ સુઈ જાય. પરિણામમાં વ્યાપક દાતોનુ સડવાનુ થાય કારણકે ત્યા દુધમાં પ્રાકૃતિક ખાંડ જે બાળક સુતુ હોય ત્યારે તેના દાતમાં જાય છે.

સ્તનપાન કરવાનો સમય

નવા જન્મેલા શિશુના પેટની ક્ષમતા ૧/૪ કપ અથવા ૩ કલાક કરતા ઓછી છે. બાળકોને પહેલા થોડા અઠવાડીયામાં તેના અનિયમિત સમયને લીધે ભુખ લાગે છે અને જેવી રીતે તેઓ મોટા થાય છે અને વધારે નિયમિત થાય છે એટલે સ્તનપાનનો મધ્યમ ગાળો વધતો જાય છે.

પાણી

મોટા બાળકો અને વયસ્કર લોકોની જેમ શિશુઓને રોજ પાણી અને દુધ જોઇએ છે. શરીરમાંથી કચરાને દુર કરવા માટે આ પ્રવાહીના મુત્રનુ ગઠન બનાવવા માટે જરૂરી છે. બાળકનુ વજન ૧૮ પાઊંડ થાય ત્યાં સુધી ૧/૩ કપ પ્રવાહી શરીરના વજનના દર એક પાઊંડ માટે આપવુ જરૂરી છે. ભારે વજનમાં ઓછા પ્રવાહીની જરૂર પડે છે. ૧૨ પાઊંડના વજનના બાળક માટે ઉદાહરણ તરીકે દરેક દિવસ ૪ કપ પ્રવાહીની જરૂર છે. આમાંથી ઘણુ માતાનુ દુધ અથવા કૃત્રિમ ગરમ રૂતુને કારણે ઘણા બાળકોને વધારે પડતા પાણીની જરૂર પડે છે.

વિટામિન અને ખનિજની પુરવણી

માતાનુ દુધ અને વ્યાપારના સુત્રોમાં સામાન્ય શિશુઓ માટે પુરતો વિટામિન અને ખનિજનો જથ્થો છે. તે છતા માતાના દુધ અને કૃત્રિમ દુધમાં ઘણી વિટામિન સી ની ઓછી માત્રા છે, પણ તે બાળકની જરૂરીયાત માટે પુરતી છે. સામાન્ય રીતે માતાના દુધમાં વિટામિન્સ અને ખનિજ સારી રીતે એક રસ થયેલા છે અને શિશુ માટે તે વાપરવામાં આવે છે. એક સંપુર્ણ પરિપક્વ બાળક જેની માતા સારી રીતે પોષણકારક છે, જેના જન્મની સાથે લોઢાનો જોઇએ તેટલો વધારે પુરવઠો છે જે લગભગ છ મહિના સુધી ચાલશે.

આકડી

ઘણા બાળકો સ્તનપાન કર્યા પછી અત્યંત શોકથી રડે છે. એમાંથી કેટલાક ઉલ્ટી પણ કરે છે. આકડી આવવાનુ કારણ બાળકે કાંઇ ખાધુ હોય અથવા માતાએ કાંઈ ખાધુ હોય, જે તેના દુખમાં દેખાય છે. વધારે પડતા બાળકો ધાંધલીયા થઈ જાય છે અથવા કેટલીક વાર પેટમાં દુખાવાને લીધે રડે છે. કેટલીક આરામ આપનારી કલાત્મક રીતો કરો જેવી કે બાળકને ઝુલામાં બેસાડવુ અથવા તેની સાથે વાતો કરવી અથવા ધીમેથી તેના માટે ગાયન ગાવુ.

પ્રેમાળ વાતાવરણ

નાના બાળકોને જ્યારે તેના માતાપિતા માનસિક રીતે તણાવમાં હોય છે અથવા આરામમાં હોય છે તેની જાણ થાય છે. એટલે તમારા બાળકને સ્તનપાન કરાવતી વખતે આરામદાયક વાતાવરણ હંમેશા બનાવવુ. એ બહુ મહત્વનુ છે કે માતાપિતા કુટુંબ માટે એવા નિર્ણય લ્યે જે ઉચિત છે. ગમે તે સ્તનપાન કરાવવાની પદ્ધતી તમે પસંદ કરો, જેની બાળકને જરૂર છે, તે પ્રેમાળ વાતાવરણમાં થાય, બાળકને નજીકની હુફાળી જગ્યામાં રાખો, તેનો સ્પર્શ કરો, તેને ડોલાવો અને સ્તનપાન કરાવતી વખતે તેની સાથે વાતો કરો. આ નાજુક શારિરીક સબંધ સિવાય બાળકો મોટા થવામાં અને વિકસિત થવામાં નિષ્ફળ થાય છે.

ઘટ્ટ ખોરાકને વપરાશમાં લાવવો

ઘટ્ટ ખોરાકને વપરાશમાં લાવવો. વર્તમાન ભલામણ એ છે કે બાળક જ્યાં સુધી ૪ થી ૬ મહિનાનુ થાય ત્યાં સુધી રાહ જોવો. લગભગ આ ઉમરમાં બાળકોને તેના માથા ઉપર નિયંત્રણ આવે છે અને આરામથી તે સીધુ બેસી શકે છે, આ બંને વિકાસાત્મક ધ્યેયથી બાળક હવે ચમચીથી ખાઈ શકશે તે બતાવે છે. ૪ થી ૬ મહિનાના બાળકને પૌષ્ટીક ઘટ્ટ ખોરાકની જરૂર પડે છે. આ સમય સુધીમાં બાળકનુ વજન બમણુ થાય છે અને તેને વધારે ભુખ લાગે છે. બાળકને વધારે ખોરાકની જરૂર પડે છે.

ઘટ્ટ ખોરાકની ઓળખ કેવી રીતે કરાવવી

  • ધીમેથી શરૂ કરો. એક અથવા બે ચમચી પુરતી છે.
  • ફક્ત એક જ ખોરાક એક સમયે આપો. બીજો ખોરાક આપતા પહેલા તમારા બાળકને પહેલો આપેલો ખોરાક થોડા દિવસો વાપરવા માટે આપો. આમ કરવાથી તમને ખબર પડશે કે ક્યા ખોરાકને લીધે તેને આડ અસર થાય છે.
  • ચોખાના અનાજથી શરૂઆત કરો. કેટલાક બાળકોના ડૉકટરો બાળકને લોખંડથી ભરેલા ચોખાનુ અનાજ આપવાની ભલામણ કરે છે, કારણકે તેની આડ અસર બીજા અનાજ કરતા ઓછી થાય છે. આ તમારા બાળકને સારૂ લોખંડનુ ઉગમસ્થાન આપશે, અને એ જ પ્રમાણે એક કેલરીનુ સારૂ વિતરણ, કારબોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીની વચ્ચે કરશે.
  • સ્પર્શ હજી મહત્વનો છે. તમારા બાળકને પકડી રાખો જ્યારે તમે ઘટ્ટ ખોરાક તેની સામે લાવો છો

માઈક્રોવેવથી ગરમ કરવુ

બાળકનો ખોરાક માઈક્રોવેવમાં ગરમ કરતી વખતે તમારે બહુ સાવધાન રહેવુ પડશે. માઈક્રોવેવમાં ખોરાક અસમાન થાય છે, અને તેમાં ગરમ ગઠ્ઠા થાય છે. એક ચમચી ખાવાનુ થંડુ હશે જ્યારે બીજી ચમચી તમારા બાળકનુ મોઢુ દઝાડશે. ખોરાક ફરીથી ગરમ કરવો જરૂરી નથી જો તમે માઈક્રોવેવ ઓવનમાં ગરમ કર્યો હોય. બાળકને ખવડાવતા પહેલા એ ખાત્રી કરો કે ઉષ્ણતામાન તમે રાખ્યુ છે, તે બરોબર છે.

શાક્ભાજી અને ફળો

૭માં મહિને શાક્ભાજી અને ફળો આપવા જોઇએ. આ વિટામિન A અને C આપશે. તમારૂ બાળક જો ચાવવાના સંકેત કરે તો તમે તેને કેટલાક છુંદેલા શાકભાજી આપો અથવા જાડુ અનાજ આપો જેનાથી તેની ચાવવાની આવડત સારી થાય. ૮ થી ૯ મહિનાના બાળકને એક અથવા બે દાત હોય છે, જેનાથી તે ગઠ્ઠાવાળો ખોરાક ખાઈ શકે છે. સરળતાથી છુંદેલો ખોરાક જેવો કે રાંધેલા બટેટા અથવા ગાજર, કેળા અને બિસ્કીટના ટકડા વગેરેથી શરૂઆત કરવી.

મોટા થયેલા બાળકો માટે દુધ

બાળકો ૬ મહિનાની ઉમર સુધી સ્તનનુ દુધ અથવા કૃત્રિમ મૂળ પૌષ્ટીક ખોરાકની જરૂર છે, તે છતા બાળકો બીજા પ્રકારનો ખોરાક ખાય છે. લગભગ ૧૦ થી ૧૨ મહિનાના ખોરાકમાં ઈંડાનો સમાવેશ કરાય છે. તેમ હોવા છતા ઈંડાનો પીળો ભાગ ૧૦ મહિનાની ઉમર સુધીના માટે તેમના ખોરાકમાં ઉમેરાય છે, ઈંડાનો સફેદ ભાગ અથવા આખુ ઈંડુ બાળકને ન અપાય, જ્યાં સુધી તે એક વર્ષનુ થાય. આ એને લીધે થાય છે કારણકે સફેદ ઈંડા ઘણીવાર આડી અસર કરે છે, જો તે બહુ વેલુ અપાય. ખોરાકમાં હવે ચીસ અને યોગાર્ટ નાના પ્રમાણમાં ઉમેરી શકાય છે.

ખાવાનો નિયમિત ક્રમ

૧૦ થી ૧૨ મહિનાની ઉમર સુધીના બાળકો હવે ખોરાક લેવાની ઢબ પાડે છે. બાળકને હવે બીજા કુંટુંબના સભ્યોની સરખામણીમાં હજી વધારે ખોરાક ખાવાની જરૂર પડશે, સવારની વચમાં, બપોરની વચ્ચે અને સાંજનો નાસ્તો, એ જ પ્રમાણે નિયમિત ભોજન.

એક કપમાંથી પીવુ

હાથમાં કપ પકડીને લગભગ ૧૦ મહિનાનુ બાળક હવે કપથી પીવા લાગશે. લગભગ ૧૨ મહિનાની ઉમરે ઘણા બાળકો કપ એકલે હાથે પકડી શકે છે. બાટલીને બદલે હવે દુધ, પાણી અને રસ પણ કપમાં અપાય છે. પહેલા પ્રવાહી ઓછા પ્રમાણમાં આપવુ. ૧ અથવા ૨ ઔસ (૧/૮ કપ) આપવુ અને ધીમેધીમે તેમાં વધારો કરવો. કેટલાક બાળકો આ ઉમરમાં બાટલી અથવા દેખભાળ છોડવા તૈયાર હોય છે. ઘણાને હજી બાટલી કેટલાક વધારે મહિના માટે જોઇએ છે.

સ્તનપાન છોવડાવવુ

સાધારણ પણે બાળકો પહેલા વર્ષના છેવટે સ્તનપાન કરવાનુ છોડી ધ્યે છે. બાળક જેમજેમ કપમાંથી દુધ પીતા શીખે છે તેમતેમ તેને બાટલી અને સ્તનપાન છોડાવી દેવુ. જે બાળક વધારે પ્રમાણમાં દુધ પીએ છે, તે ઘટ્ટ ખોરાક પુરતા પ્રમાણમાં ખાઈ શકતુ નથી, તેને/તેણીને વધારે પડતા પૌષ્ટીક ખોરાકની જરૂરીયાત છે. બાળક એક વર્ષનુ થાય ત્યારથી તેણે વિવિધ પ્રકારનો ખોરાક ખાવો જોઇએ અને દિવસમાં ફક્ત બે કપ દુધ પીવુ જોઇએ.

વસ્તુઓનુ ધ્યાન રાખવુ

કાચુ ઇંડુ અને કાચુ દુધ બાળકો માટે બરોબર નથી. આ ખોરાકમાં ચેપનુ ઉગમસ્થાન છે અને બાળકો માટે તે જોખમકારક હોય છે. બાળકોને જે ખોરાક ન દેવાનો હોય તેનો સમાવેશ છે - ડેર્ઝટ્સ, કારબોહાઈડ્રેટના પીણાઓ અને કેફીનથી ભરેલા પીણાઓ અને કેન્ડી. તે કેટલીક કેલરી આપે છે, પણ ઓછુ પોષણ આપે છે.

જીવન માટે ખોરાક

આખી જીંદગીમાં સાધારણ વૃદ્ધિ અને વિકાસ માટે સારો પૌષ્ટીક આહારની જરૂર છે. તમે તમારા બાળકને આહાર આપવાના સમયને આનંદીત બનાવી શકો છો. તમારા બાળકને તેના જીવનભર આહાર લેવાની નિરોગી ટેવો નવા પૌષ્ટીક આહાર લેવા શીખવશો. તમારા બાળકને તમે નિરોગી અને પૌષ્ટીક ખોરાક બરોબર સમયે અને બરોબર માત્રામાં ખવડાવશો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate