অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉંઘનો વિકાર

આ અડધી રાત છે અને ઘરના બધાય ગહેરી ઉંઘમાં છે. અચાનક એક બાળકને તમે રાડો પાડતા સાંભળો છો. તમને લાગે છે કે આ કદાચ એક ખરાબ સ્વપ્નુ છે અને એટલે તમે તેના ઓરડામાં તેને શાંત પાડવા જાવ છો.
ખરાબ સ્વપ્નુ એ એક ઉંઘનો વિકાર છે. ઉંઘનો વિકારએટલે "લગભગ ઉંઘ" તેમાં ઉંઘમાં ચાલવાનો સમાવેશ છે, રાતનો ડર, પથારી ભીની કરવી અને નિંદ્રારોગ (સુઈ જવાની વૃતિ) આ બધી વસ્તુઓ તમારા ઘરમાં ગુંચવણ નિર્માણ કરે છે અને તમારા બાળકને માટે તે હાનિકારક છે. અહિંયા ઉંઘના વિકારની ત્રણ શ્રેણીઓ છે - તાલબદ્ધતા, અચાનક લાગણીનો ઉભરો અને સ્થિર વિકારો.

તાલબદ્ધતાના વિકારો

તાલબદ્ધતાના વિકારોના કારણો અજાણતા છે, પણ તે જવેલ્લે જ ચિકિત્સા અથવા માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલ છે. બાળક સવારમાં માથાના દુખાવાથી, નાકની સમસ્યાઓથી અને કાનના ચેપથી પિડાય છે. તાલબદ્ધતાના વિકારોમાં માથાને પછાડવાનો, તેને ઝુલાવવાનો અને શરીરને ઝુલાવવાનો સમાવેશ છે. આમાં હલનચલન જે હલ્કાથી ગંભીર તાણ જેવા કે મારઝૂડનો સમાવેશ છે, બીજા તાલબદ્ધતાના વિકારોમાં આવજાનો સમાવેશ છે (હાથ અને ઘૂંટણ આગળ અને પાછળ ફેરવવા અને વાળવા (શરીરના ઉપરના ભાગને અને ઘુટણને એકસાથે ઉંચા કરવા.)
આ સમય દરમ્યાન બાળક કદાચ નિસાસો ભરશે અથવા ગણગણાટ કરશે. આ હલનચલન એક જાગવાની અને સુવાની અવસ્થા વખતે થશે અથવા સુવાના એક મંચ ઉપરથી બીજા ઉપર જતી વખતે. બીજો તાલબદ્ધતાનો વિકાર અસ્વસ્થ પગના syndroms (RLS), એક સંવેદનાવાળુ અને મોટર અસાધરણતા જેમાં મૂળનો વંશ દેખાય છે. RLS માં બાળક ઘણીયેવારે પગ હલાવે છે. ઘણા બાળકો પગના અમુક અંતરે હલનચલનના syndroms (PLMS) બતાવે છે. આ બને છે જ્યારે તેના પગ મરજી વિરૂદ્ધ હલે છે.

RLS નો ઉપચાર (તાલબદ્ધ પગનો syndroms)

  • માનસોપચાર (પદ્ધતી).
  • સંગીતની ઉપચાર પદ્ધતી (તાલબદ્ધ અવાજ ઉંઘને પ્રેરિત કરવામાં અને નિયમિત કરવામાં મદદ કરે છે.)
  • ગાઢ નિંદ્રાવસ્થા.
  • હલનચલનની બીમારી માટે દવા.
  • તાત્કાલિક શારિરીક સ્ફુર્તી લાવે તેવો પદાર્થ.
  • ચિંતાને શાંત કરનાર ઔષધો.

અચાનક લાગણીના ઉભારાના વિકારો.

અચાનક લાગણીના ઉભારાના વિકારો જે અચાનક થાય છે.

તેમાં સમાવેશ છે :

રાતના ડરાવનાર સ્વપ્નાઓ.


રાતના ડરાવનાર સ્વપ્નાઓ સાધારણપણે માનસિક પરિસ્થિતી ઉપર આધારિત છે. જે વધારે વાર યાદ રહે છે, અને સાધારણપણે જોખમકારક નથી હોતા. તે ફક્ત ઉંઘમાં REM (આંખોનુ ઝડપથી હલનચલન)ને લીધે થાય છે. REM ઉંઘ દરમ્યાન વ્યક્તિની આંખો ઝડપથી ફરે છે, હદયના ધબકારા અને શ્વાસોશ્વાસ અનિયમિત રીતે થાય છે અને ખરાબ સ્વપ્ના આવે છે.

રાતનો ભય. (Pavor Nocturnus).


રાતનો ભય અચાનક ઉંઘમાંથી ઉઠવાના લક્ષણો બતાવે છે, જે જોરથી અતિશય દુખથી ચિસ પાડે છે અથવા બાળકને ભયભીત કરીને એકલુ મુકીને રોવડાવે છે. આ સમય દરમ્યાન હદયના ધબકારા અને શ્વાસોશ્વાસનો દર કદાચ વધી જાય છે અને બાળકની આંખો ઉઘડે છે પણ તેને શુ થયુ છે તે યાદ નથી રહેતુ. રાતના ભયભીત સ્વપ્ના બાળક જ્યારે ગાંઢ ઉંઘમાં હોય ત્યારે આવે છે અને તે સુવાના ત્રીજા ચક્રમાં હોય છે. બાળક ઉઠી જવાના અને બીજા મંચ ઉપર ચાલવાના બે મંચ વચ્ચે "ફસાઈ" જાય છે. આ ઘણાબધા જુવાન બાળકોમાં થાય છે અને વધારે પડતા થાકને લીધે અથવા ઉંધના વિક્ષેપિત ચક્રમાં હોય ત્યારે થાય છે. રાતના ભયજનક સ્વપ્નાઓ જોખમકારક નથી હોતા. બાળક પથારીમાંથી બહાર કુદકો મારે છે અને કાઇક કરે છે જે સાધારણપણે કરતુ નથી. રાતના ભયજનક સ્વપ્નાઓનુ કારણ અજાણતુ છે પણ તે કદાચ શારિરીક કારણોને સાથે જોડાયેલ છે. Apnea (થોડા સમય માટે શ્વાસ લેવાનુ બંધ પડવાનુ જેનુ કારણ કોઇ પણ હોઈ શકે ) કદાચ આનો કારણભુત ભાગ હોય.

ઉંઘમાં ચાલવુ.

ઉંઘમાં ચાલવુ તે સાધારણપણે સૌમ્ય હોય છે. તે હાનિકારક હોય છે, જ્યારે તે ઘણીવાર થાય છે અથવા તીવ્ર હોય છે. આ ઘટના દરમ્યાન બાળક જાગતુ નથી એટલે ભયજનક વસ્તુઓ ઓરડામાં દુર રાખવી જોઇએ અને બારીઓ બંધ કરવી જોઇએ.

  • સારવાર.
  • દવાનો ઉપચાર.
  • ઉંઘમાં વારંવાર ચાલવાના ચક્રો.

પથારી ભીની કરવી.


પથારી ભીની કરવી, અસંમત મૂત્રતા પણ કહેવાય છે. તે એક સામાન્ય સમસ્યા છે, જે બાળકના સ્વાભિમાનને અને ઉંઘને પણ અસર કરે છે. કારણકે તે રાત્રે થાય છે અને ઉંઘને અસર કરે છે, પથારી ભીની કરવી તેનુ parasomnia નીચે વર્ગીકરણ કરેલ છે. તે ત્રણ થી આઠ વર્ષ વચ્ચેના બાળકને થાય છે. પથારીને ભીની કરવાનુ સાધારણપણે તેની મેળાએ રોકાય જાય છે, પણ કિશોરવસ્થા સુધી ચાલે છે. એક બાળક જે નિયમિતરીતે પથારી ભીની કરે છે તેણે કોઇ શારિરીક કારણ દુર કરવા માટે ડોકટરને મળવુ જોઇએ.

સ્થિર વિકારો.

સ્થિર વિકારોમાં ઉઘાડી આંખે સુવાનો સમાવેશ છે. આ નાના શિશુઓમાં અને જુવાન બાળકોમાં સામાન્ય છે. સ્થિર વિકારો નુકશાનકારક નથી પણ બાળકો જે વિચિત્ર સ્થિતીમાં સુવે છે અથવા આંખો ઉઘાડી રાખે છે તેમને ચિકિત્સકોએ તપાસવા જોઇએ ખાસ કરીને તેઓની જેઓની આવી વર્તણુક ચાલુ રહે. તમારા બાળકના ચિકિત્સક સાથે વાત કરો. તમે કદાચ એક ઉંઘના તજ્ઞને બતાવી શકો છો. તમારા બાળકને સારી રીતે સુવા માટે એક સ્વસ્થતાનુ શાસ્ત્ર બનાવો જેવુ કે :

  • એક નિશ્ચિત સુવાનો સમય અને ઉઠવાનો સમય અનુસરો, ઝોકા ખાવાના સમયની સાથે.
  • નિયમિત રમવાનો સમય અને ખોરાકનો સમયનુ પાલન કરો.
  • સુવાના ઓરડાને શાંત, હુંફાળો અને સુવા માટે પ્રોત્સાહીત કરતો બનાવો.
  • પથારી ફક્ત સુવા માટે વાપરો - નહી કે ઘરના કામ કરવા, રમવા અથવા ટીવી જોવા.
  • એ પેટના esophageal ની ઓટનો પ્રશ્ન છે. (esophageal નો વિકાર) અથવા પથારીને ભીની કરવી, રાતના સુવાના સમય પહેલા ઓછો ખોરાક લેવો અને ઓછુ પાણી પીવુ.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate