ઉપરોકત તળાવોના પાણી ગુણવત્તા બાબતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જયારે બીજી તરફ ગ્લોબલ ગુજરાત ન્યુઝની ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના પવિત્ર યાત્રાધામો પાસે વહેતી નદીઓનો સર્વે કરી તેનો એક અહેવાલ બનાવવામાં આવ્યો હતો. આ અહેવાલ એ. ઇકબાલ-જામનગર, રાકેશ પંચાલ-ખેડા અને દેવાંગ ભોજાણી-રાજકોટએ તૈયાર કર્યો છે જે અહી પ્રસ્તુત છે: મોક્ષપુરી દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ઘાળુંઓ ભગવાન શ્રી કૃષ્ણને શીશ ઝુકાવવા સાથે ગોમતી નદીમાં સ્નાન કરીને પાપ ધોઇ પુણ્ય ભાથું બાંધે છે.
બહારથી આવતાં લોકોથી તો ઠીક પણ દ્વારકાના નગરવાસીઓ પૈકી કેટલાક શ્રદ્ઘાળુંઓ ગોમતીમાં સ્નાન કરે છે. જયારે તેમને ગોમતીમાં આવતી ગંદકી વિશે જાણ થાય છે ત્યારે તેઓ અંદરથી હચમચી જાય છે. એ લોકો તંત્રમાં ફરિયાદ કરે છે પણ તેનું કોઇ ચોક્કસ પરિણામ આવતું નથી.
ખેડા જિલ્લામાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં પદયાત્રિકો આવે છે. આ પદયાત્રિકો અને યાત્રાળુઓની સલામતિ તથા સુખાકારી માટે વહીવટી તંત્ર તરફથી સારા આયોજનની વાતો કરવામાં આવે છે પણ હકીકત એ છે કે ડાકોરનું ગામતી તળાવ ગંદકીથી ઉભરાઇ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેની ગોંડલી નદીનું પાણી પણ બેઠા પુલ પાસે પ્રદૂષિત થઇને લાલ રંગનું બની ગયું છે. ગંદકીને કારણે આસપાસ મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે જેને કારણે ભગવતીપરાના રહેવાશીઓ પરેશાન થઇ ગયા છે. પાણી કયા કારણોસર લાલ રંગનું બની ગયું છે તે અંગે તપાસ થવી યોગ્ય ગણાશે.
સંકલન વિનીત કુંભારાણાફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020