অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધુનિક ખેતીનો પાયો - કૃષિ સ્નાતક

આધુનિક ખેતીનો પાયો - કૃષિ સ્નાતક

ગુજરાત રાજ્યમાં સરદાર કૃષિનગર (દાંતીવાડા), આણંદ જૂનાગઢ અને નવસારી એમ ચાર કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે. આ કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ-૧૦ પછીના પોલીટેકનીક, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદના સ્નાતક/અનુસ્નાતક કક્ષાના કૃષિ સંલગ્ન વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.  આ અભ્યાસક્રમોમાં કૃષિ, પશુપાલન, ફોરેસ્ટ્રી, ડેરી, હોમ સાયન્સ, બાગાયત કૃષિ ઈજનેરી, એગ્રીબિઝનેસ મેનેજમેન્ટના સ્નાતક અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો મુખ્ય છે.

આ બધા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો પૈકી કૃષિસ્નાતક)નો અભ્યાસક્રમ બહુ જ ઉપયોગી અને આધુનિક ખેતી સાથે કદમ મિલાવવા માટે ખૂબ જ જરૂરી અભ્યાસક્રમ છે.

વિજ્ઞાન પ્રવાહના અન્ય સ્નાતકની સરખામણીમાં કૃષિ સ્નાતક સારી એવી રોજગારી માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે. કૃષિ સ્નાતક માટે નીચે મુજબના વિવિધ ક્ષેત્રો છે કે જયાં તે પોતાની રસ રૂચિ અનુસાર કાર્ય કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે.

ક્ષેત્ર સેવા (કિલ્ડ જોબ) :

આપણા દેશમાં દરેક રાજ્યમાં ખેતીવાડી ખાતામાં ખેતીવાડી અધિકારી તરીકે કુષિ સ્નાતકની નિમણૂંક કરવામાં આવે છે જે રાજ્યપત્રિત અધિકારી હોય છે. આ પસંદગી ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી. એસ.સી.- GSFC) દ્વારા થાય છે. સમયની સાથે અને યોગ્યતાના આધારે આ અધિકારી બઢતી પામી જિલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ ખેતીવાડી અધિકારી જેવા ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે.

સિવિલ સેવા (ગુજરાત જાહેર સેવા) :

કેન્દ્રિય જાહેર સેવા આયોગ (યુ.પી.એસ.સી. -UPsc) અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં કૃષિ” એક વૈકલ્પિક વિષય તરીકે હોય છે. આ વિષય પસંદ કરી કૃષિ સ્નાતક આ પરીક્ષામાં સારો દેખાવ કરી કલેકટર, આઈ.એ.એસ. અધિકારી તરીકે પોતાની કારર્કિદી બનાવી શકે છે.

વિસ્તરણ સેવા :

ખેતીના વિવિધ સંશોધનો સીધા ખેડૂતોના ખેતરે પહોંચે તે માટે જિલ્લા સ્તરે તાલીમ મુલાકાત યોજના, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આવેલા હોય છે. આ યોજનામાં કૃષિ સ્નાતકોને જી.પી.એસ.સી., આઈ.સી.એ.આર અને રાજ્ય યુનિવર્સિટી દ્વારા નોકરી મળી શકે છે.

વીમા ક્ષેત્ર :

ભારતમાં ચાલતી વિવિધ વીમા કંપનીઓ ખેડૂતોને વીમો તેમજ પાક લોન આપે છે. આ કાર્ય માટે વીમા કંપનીઓ કૃષિ સ્નાતકોને ટેકનીકલ ઓફિસર તરીકે નિયુક્ત કરે છે જે પાક વીમાના દાવાની ખરાઈ અને લોનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. આ પ્રકારની નોકરીમાં અધિકારીને પગારની સાથે કમિશન તથા બીજી સુવિધા અને પ્રમોશનની તક પણ હોય છે.

સંશોધન ક્ષેત્ર :

કૃષિ યુનિવર્સિટી અને વિવિધ કૃષિ સંલગ્ન કંપનીઓમાં કૃષિ સંશોધન કરી કૃષિ સ્નાતકો પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. વૈશ્વિકરણના લીધે કોઈ એક સંશોધનની પેટન્ટ નોંધાવી ‘કૃષિ સ્નાતક” પોતાનું નામ વિશ્વમાં રોશન કરી શકે છે.

શિક્ષણ ક્ષેત્ર :

ભારતમાં ચાલતાં વિવિધ કૃષિ મહાવિદ્યાલય, પશુપાલન મહાવિદ્યાલય, ડેરી મહાવિદ્યાલય, હોમ સાયન્સ વિદ્યાલય વગેરેમાં કૃષિ સ્નાતક અને અનુસ્નાતક કર્યા બાદ પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપક જેવા મોભાદાર પદ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત વિવિધ કૃષિ ડિપ્લોમા સ્કૂલ તેમજ સ્નાતક અને અનુસ્નાતક ગ્રામ વિદ્યાપીઠ જેવા અભ્યાસક્રમોમાં પણ કૃષિ સ્નાતક અને અનુસ્નાતકોને ભણાવી રોજગારી મેળવી શકે છે.

વ્યવસ્થાપન ક્ષેત્ર (મેનેજમેન્ટ ફિલ્ડ) :

કૃષિ સ્નાતક બાદ એમ.બી.એ., ઈરમા, આણાંદ તથા અન્ય સમકક્ષ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ડેરી તથા કૃષિ સંલગ્ન ઔદ્યોગિક કંપનીઓમાં મેનેજમેન્ટ કક્ષાએ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી, ઉચ્ચ પગાર અને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત કરી શકાય છે.

બજાર ક્ષેત્ર (માર્કેટિંગ ફિલ્ડ) :

નફાકારક અને ટકાઉ ખેતી માટે ખેડૂતોને વિવિધ સાગમી જેવી કે જંતુનાશક દવા, રાસાયણિક અને સેન્દ્રિય ખાતર, આધુનિક બિયારણ, સુધારેલ ફાર્મ મશીનરી વગેરેની જરૂરત રહે છે. આ સામગ્રીના માર્કેટિંગ અને વિસ્તરણ માટે કૃષિ સ્નાતકોની તાતી જરૂરિયાત હોય છે. માર્કેટિંગના આ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં કૃષિ સ્નાતકો પોતાના આગવા વ્યક્તિત્વનો વિશેષ ઉપયોગ કરી પોતાની શક્તિ પ્રમાણે પૈસા કમાઈ શકે છે.

સ્વરોજગારી ક્ષેત્ર :

આ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો છે. કૃષિ સ્નાતક થયા બાદ બે મહિનાનો ‘એગ્રિક્લિનિક અને એગ્નિ બિઝનેસ મેનેજમેન્ટ કોર્ષ કર્યા બાદ સ્નાતક પોતાનું એગ્રિિિનક અને એગ્નિ બિઝનેસ સેન્ટર શરૂ કરી શકે છે. આ માટે બેંક ૧૦ લાખ રૂપિયા સુધીની લોન ઓછા વ્યાજે આપે છે. મશરૂમની ખેતી, મધમાખી પાલન, વર્મિકમ્પોસ્ટ જેવા કૃષિ વ્યવસાય અભિગમ અપનાવી પોતાની ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી મબલખ પૈસા મેળવી શકે છે.

કૃષિ પત્રકારત્વ ક્ષેત્ર (એગ્રિકલ્ચરલ જર્નાલિઝમ) :

કૃષિ ક્ષેત્રે ટેલીવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસારનું અગત્યનું કામ સારી રીતે થઈ શકે છે. અલગ અલગ ટી.વી. ચેનલો, ન્યુઝ પેપર અને કૃષિ મેગેઝીનોમાં પોતાની આગવી લેખનશૈલીથી લેખ લખી અથવા ટેલીવિઝન માટે કવરેજ કરી આ ક્ષેત્રે ઘણુ બધુ કાર્ય થઈ શકે તેમ છે.

આધુનિક ખેતી :

આધુનિક ખેતી અને બાગાયતી, ઔષધિય પાકની ખેતી, સંકલિત જીવાત નિયંત્રણ, સજીવ ખેતી, ટકાઉ ખેતી, મૂલ્યવર્ધિત પાક, ડ્રિપ, સ્પિકલર જેવી પિયત પદ્ધતિ વગેરેનો સમજપૂર્વકનો ઉપયોગ કરી ખેતીલાયક જમીન ધરાવતા કૃષિ સ્નાતકો ચીલાચાલુ ખેતીની સરખામણીએ અનેક ઘણું વધારે ઉત્પાદન મેળવી સુખ, સંપતિ સમૃદ્ધિ મેળવી શકે છે. બજારની માંગને અનુરૂપ ઓછી જમીનમાં ફૂલોની ખેતી અને બિયારણ વૃદ્ધિ કરવાથી પણ ઘણો આર્થિક ફાયદો થાય છે.

બિન સરકારી સંસ્થા (એન.જી. ઓ.-NGO) :

હાલની પરિસ્થિતિમાં સરકારની સાથે સાથે વિવિધ એનજીઓ પણ આધુનિક કૃષિ પદ્ધતિના પ્રચાર પ્રસાર દ્વારા ગ્રામ્ય વિકાસનું કાર્ય બહુ સારી રીતે કરે છે. આ પ્રકારની કૃષિ સંલગ્ન એન.જી.ઓ.માં કૃષિ નિષ્ણાંત કૃષિ સ્નાતક સારી સેવા કરી શકે છે.

વિદેશની તક :

કૃષિ સ્નાતક થયા બાદ વિદેશમાં એટલે કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જર્મની, ઈંગ્લેન્ડ તથા અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટેની વિશાળ તકો રહેલી છે અને અભ્યાસ બાદ વ્યવસાય પણ મળી જાય છે. વિદેશમાં સંશોધન, વિસ્તરણ અને શિક્ષણ ક્ષેત્રે કૃષિ સ્નાતકો અને અનુસ્નાતકોનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે.

બેકિંગ ક્ષેત્ર :

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારના પાક ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ પ્રક્રિયા માટે બેંકમાં કૃષિ અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. આ કૃષિ અધિકારી દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવે છે. તે માટે ધિરાણ પ્રક્રિયા ખેડૂતોને સમાવવામાં આવે છે

નિકાસ ક્ષેત્ર :

જીરૂ, વરિયાળી, કપાસ જેવા ખેતીપાક કેરી, સફરજન, દ્રાક્ષ જેવા ફળપાક તેમજ ઈસબગુલ, કુંવારપાઠું જેવા ઔષધિય પાકોની વિદેશમાં ઘણી જ માંગ છે. કૃષિ સ્નાતક વિદેશી બજારો પર નજર રાખી સહકારી ધોરણે ખેડૂતો પાસે આ પ્રકારના પાકોનું વાવેતર કરાવે છે. આ ઉપરાંત વિદેશમાં ‘સજીવ ખેતી’ દાવ મેળવેલ રસાયણ વગરના ખેત ઉત્પાદનોની માંગ પણ સારી છે. આ પ્રકારે કૃષિ સ્નાતક ખેત ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરાવી ખેડૂતભાઈઓને સ્થાનિક બજારની સરખામણીમાં વધારે ભાવ અપાવી દેશ માટે જરૂરી એવું વિદેશી હૂંડિયામણ. પણ કમાવી આપે છે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર :

ફૂડ પ્રોસેસિંગની માંગ પણ સ્થાનિક અને વિદેશમાં વધારે છે તેથી ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ એક નિષ્ણાંત તરીકે કૃષિ સ્નાતક સારી એવી રોજગારી મેળવી શકે છે. ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને ધ્યાનમાં લઈ વિશાળ પાયે અલગ પાકોની ખેતી કરી કૃષિ નિષ્ણાંત સારી એવી રોજગારી મેળવી શકે છે. દા.ત. ટુટીફુટીના ઉદ્યોગને કાચા પપૈયા, અથાણા માટે કાચી કેરી, આમળા, કેચઅપ માટે ટામેટા, ફૂટસ્કવોશ, કેરી રસ આ બધા પ્રકારના ઉદ્યોગોને જરૂરી ખેતી પાક માટે સલાહ આપી સ્નાતક “ખેત સલાહકાર’ તરીકે નામ અને દામ મેળવી શકે છે.

કૃષિ ક્ષેત્રમાં વિદ્યાર્થીનીઓ માટે પણ વિવિધ તકો રહેલી છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં ચાલતી કૃષિ કોલેજોમાં વિદ્યાર્થીનીઓ ઘણી વધારે સંખ્યા પ્રવેશ મેળવી અભ્યાસક્રમ પૂર્ણ કરે છે. ગુજરાત રાજ્યમાં પણ હવે વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા આવી છે અને આ નવીન અભ્યાસક્રમમાં જોડાઈ રહી છે. કૃષિ સ્નાતક માટે ટુંકમાં કહીએ તો શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મેનેજમેન્ટ, માર્કેટિંગ, વીમા, પત્રકારત્વ, વિદેશ જેવા અનેક ક્ષેત્રો રાહ જોઈ રહ્યા છે. ફકત એક શબ્દ કહીએ તો કૃષિ સ્નાતક એટલે ‘ઓલ રાઉન્ડર’.

ગુજરાત રાજ્યમાં સરદાર કૃષિનગર (દાંતીવાડા), આણંદ, જૂનાગઢ અને નવસારી યુનિવર્સિટીના મુખ્ય કેન્દ્ર સહિત નીચે મુજબની કુલ૧૦ જગ્યાએ કૃષિ કોલેજો આવેલી છે જેમાં કૃષિ સ્નાતક અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ચાલે છે.

આ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ | વિજ્ઞાન પ્રવાહ બી-ગ્રુપ (જીવ વિજ્ઞાન)ના વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રવેશ મળે છે. મેરીટ બનાવવા થીયરી | માર્કસના ૬૦ ટકા અને ગુજકેટના ૪૦ ટકા પ્રમાણે માકર્સની ગણતરી કરવામાં આવે છે. આ કોલેજોમાં કુલ (૬૬૯ બેઠકો છે અને ૩૫ પેમેન્ટ બેઠકો છે.

કૃષિ યુનિવર્સિટીનું  નામ

સ.દા. કૃષિ યુનિવર્સિટી

આણંદ કૃષિ યુનિવર્સિટી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

નવસારી કૃષિ યુનિવર્સિટી

કોલેજ સ્થળ

સરદાર કૃષિનગર થરાદ

આણંદ

જબુગામ

વસો

જૂનાગઢ

મોટા ભંડારીયા (અમરેલી)

નવસારી

વધઈ

ભરૂચ

વિશેષ માહિતી માટે વેબસાઈટ જૂઓ

www.sdau.in

www.aau.in

www.jau.in

www.nau.in

આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છ ભારત અભિયાન” દ્વારા સને ર૦૧પ થી ર૦૧૯ દરમ્યાન એક નવું કામ ઉપાડી રાષ્ટ્ર માટે એક આગાહીભરી હાકલ કરી છે. આ મિશનનો મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારો માટે ૧૦૦% સ્વરછતા હાંસલ કરી, ભારતના લોકોને ખુલ્લામાં મળોત્સર્જન કરતા રોકી સ્થળોને પ્રદૂષણ મુક્ત બનાવવા તથા ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કે વ્યવસ્થાપન કરી ભારતના ગામડાઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાનો છે. આ એક ખરેખર પ્રશંસનીય બાબત છે અને ગ્રામીણ ભારતમાં મોટી સંખ્યામાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે - અત્યંત જરૂરી છે.

સ્ત્રોત : ડૉ. વી. આર. પટેલ, ડૉ.એમ. આર. પ્રજાપતિ, ડૉ. સંજય પી. પંડયા, વિદ્યાર્થી કલ્યાણની કચેરી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર જિ. બનાસકાંઠા

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate