অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦૨૦૦૫/ન.બા.૪/છ.૧, તા. ૨૮-૩-૦૭થી વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના મંજુર કરવામાં આવેલ છે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃજવય-૧૦૦૪-૬૮૧(૨૧)-ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ થી વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રિકરણ કરવામાં આવેલ છે. રાજય સરકારે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની યોજના મંજુર કરેલ છે.

યોજનાનું નામ :

આ યોજના ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના તરીકે ઓળખાશે.

ઓળખવિધિ :

દરેક લાભાર્થીઓની ઓળખવિધિ જુદા જુદા ખાતાઓ દ્વારા હાલની યોજનાના ઠરાવની પ્રવર્તમાન જોગવાઇ મુજબ જે તે વિભાગના અમલીકરણ કરતા નોડલ ઓફીસરે કરવાની રહેશે.

અકસ્માતની વ્યાખ્યા :

આપધાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઇપણ રીતે લાભાર્થીઓનું મૃત્યું થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. વીમા રક્ષણ હેઠળના લાભાર્થીઓનું મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં, લાભાર્થીને વીમા સહાય ચુકવવા બાબતે વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે સરકારશ્રીના અધિકૃત સત્તાધિશ/કમિટીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

મૃત્યુ કે કાયમી અપંગતાના કારણે મળવાપાત્ર લાભ :

  • આ યોજના હેઠળ આવરી લેવાયેલ વિકલાંગ લાભાર્થીઓને રૂ. ૧,૦૦,૦૦૦/- ની વીમારાશીની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચુકવવાપાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.
  • અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી, સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.
  • અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
  • અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
  • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.

વારસદારો

આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યકિતઓ ક્રમાનુસાર રહેશે.

અ. પતિ અથવા પત્ની તેમની ગેરહયાતીમાં
બ. તેમના બાળક પુત્ર/પુત્રી તેમની ગેરહયાતીમા
ક. તેમના મા-બાપ તેમની ગેરહયાતીમા
ડ. તેમના પૌત્ર/પૌત્રી ઉકત અ,બ,ક ની ગેરહયાતીમાં
ઇ. લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન
ફ. ઉપરોકત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

ઉપરોકત કિસ્સામાં જો વારસદાર સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડીયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચુકવણું કરવાનું રહેશે.

દાવા રજુ કરવાની પ્રક્રિયા

  • આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.
  • લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોકત જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી અપંગતા કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમુનામાં લેખિતમાં જાણ કરવાની રહેશ
  • દાવા અરજીની સાથે નીચે મુજબના દસ્તાવેજો બીડવાના રહેશે.
  • વિકલાંગ ઓળખકાર્ડ
  • એફ.આઇ.આર.
  • અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
  • જન્મ-મરણ નોંધણી અધિકારીનું મરણનું પ્રમાણપત્ર.
  • કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
  • જરુર હોય ત્યાં ઉંમરનો પુરાવો (શાળા, કોલેજનું પ્રમાણપત્ર)
  • અસાધારણ કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટની અશકયતાના કિસ્સામાં જિલ્લા કલેકટરશ્રીનું પ્રમાણપત્ર.

નોડલ અધિકારીની જવાબદારી

નિયત નમુનાની અરજી ઉપરોકત જરુરી પુરાવા સાથે અરજીની ચકાસણી કરી નિયત પ્રમાણપત્ર સહિત અરજી વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

દાવા પતાવવાની કાર્યવાહી

મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં (સક્ષમ/નોડલ અધિકારીશ્રીએ) અરજી મળ્યા તારીખથી ૩૦ દિવસની અંદર જરુરી ચકાસણી અને નિયત પ્રમાણપત્ર સાથે ચુકવણીના હેતુસર વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate