অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિરાધાર વિધવા તથા વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના

નિરાધાર વિધવા તથા વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક  : અપગ/૧૦૨૦૦૫/ન.બા.૪/છ.૧,તા.૨૮-૦૩-૦૭થી વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનો માટે વીમા સહાય યોજના મંજૂર કરવામાં આવી છે.

નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : જવય-૧૦૦૪-૬૮૧(૨૧)-ઝ, તા. ૨૫-૬-૨૦૦૭થી વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રિકરણ કરવામાં આવ્યું છે. રાજય સરકારે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની યોજના મંજૂર કરી છે.

યોજનાનું નામ : ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના

ઓળખવિધિ  : દરેક લાભાર્થીઓની ઓળખવિધિ જુદા જુદા ખાતાઓ દ્વારા હાલની યોજનાના ઠરાવની પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે તે વિભાગના અમલીકરણ કરતા નોડલ ઓફિસરે કરવાની રહેશે.

અકસ્માતની વ્યાખ્યા. : આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પૉલિસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. વીમા રક્ષણ હેઠળના લાભાર્થીનું મૃત્યુ અથવાકાયમી અપંગતાના કિસ્સામાં લાભાર્થીને વીમા સહાય ચૂકવવા બાબતે વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે સરકારશ્રીનાઅધિકૃત સત્તાધીશ/કમિટિનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

મૃત્યુ કે કાયમી વિકલાંગતાના કારણે મળવાપાત્ર લાભ : આ યોજના હેઠળ આવરી લેવાયેલ વિકલાંગ લાભાર્થીઓને રૂા.૧,૦૦,૦૦/- વીમા રાશિની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચૂકવવા પાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પૉલિસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.

  • અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી, સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.
  • અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા
  • અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા
  • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.

વારસદારો : આ વિમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

  • પતિ અથવા પત્ની તેમની ગેરહયાતીમાં
  • તેમના બાળક પુત્ર/પુત્રી તેમની ગેરહયાતીમાં
  • તેમના મા-બાપ તેમનીગેરહયાતીમાં
  • તેમના પૌત્રપૌત્રી ઉક્ત અ,બ,કની ગેરહયાતીમાં
  • લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરિણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન.
  • ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસા ધારા હેઠળ જાહેરથયેલ વારસદારો.

ઉપરોક્ત કિસ્સામાં જો વારસદાર સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચૂકવણું કરવાનું રહેશે.

દાવા રજૂ કરવાની પ્રક્રિયા: આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે. લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત કિસ્સામાં જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.

દાવા અરજીની સાથોસાથ નીચે મુજબના દસ્તાવેજો બીડવાના રહેશે.

  1. વિકલાંગ ઓળખકાર્ડ
  2. એફ.આઈ.આર.
  3. અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
  4. જન્મ-મરણ નોંધણી અધિકારી દ્વારા અપાયેલ મરણનું પ્રમાણપત્ર.
  5. કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
  6. જરૂર હોય ત્યાં ઉંમરનો પુરાવો. (શાળા, કૉલેજનું પ્રમાણપત્ર)
  7. અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની અશક્યતાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.
  8. નોડલ અધિકારીની જવાબદારી.

નિયત નમૂનાની અરજી ઉપરોક્ત જરૂરી પુરાવા સાથે અરજીની ચકાસણી કરી નિયત પ્રમાણપત્ર સહિત અરજી વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

દાવા પતાવવાની કાર્યવાહી.

મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં સક્ષમ નોડલ અધિકારીશ્રીએ) અરજી મળ્યા તારીખથી ૩૦ દિવસની અંદર જરૂરી ચકાસણી અને નિયત પ્રમાણપત્ર સાથે ચૂકવણીના હેતુસર વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.

પરિશિષ્ટ - ૧

ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવાયેલ વિવિધ યોજનાઓ

ક્રમ

યોજનાના લાભાર્થી

લાભાર્થીની યોગ્યતા

વીમા કવચ

કયા રિસ્ક આવરી લેવાય છે?

૨.

નિરાધાર/વિધવા સહાય યોજના

વિકલાંગ અકસ્માત વીમાયોજના

નિરાધાર/વિધવા

રાજયના ૨.૫ લાખથી ઓછીઆવક ધરાવતા વિકલાંગો

૧,૦૦,૦૦૦

૧,૦૦,OOO

અકસ્માત મૃત્યુ અગર સંપૂર્ણ

અગર કાયમી-આંશિક

અપંગતા

ઉપર મુજબ

આ ઉપરાંત બીજા ૧૧ પ્રકારના લાભાર્થીઓને આવો લાભ અપાય છે, પરંતુ આ પુસ્તિકા વિકલાંગો તથા નિરાધાર વિધવાઓ માટેની હોઈ તે બે માટેનો જ ઉલ્લેખ કરેલ છે. (ખાતેદાર ખેડૂત, અસંગઠિત જમીન વિહોણા મજૂર વગેરે..)

અરજદાર વિકલાંગે કોઈ પ્રિમિયમ ભરવાનું હોતું નથી. જેઓ પાસે ઓળખપત્ર છે તે તમામને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate