অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દિવ્યાંગ વ્યક્તિઓને રેલવેનું પ્રમાણપત્ર આપવાના નિયમોમાં છુટછાટઃ

દિવ્યાંગ વ્યક્તિઓને રેલવેનું પ્રમાણપત્ર આપવાના નિયમોમાં છુટછાટઃ

દેશના દિવ્યાંગ લોકોને રેલવેમાં મુસાફરી કરવા માટે, જરૂરી એવા પ્રમાણપત્ર ઈશ્ય કરવાના નિયમોમાં છુટછાટ આપી છે. વ્યક્તિને પ્રમાણપત્ર ઈશ્ય કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેના ઘરનું સરનામું બદલાયું હોય તો, તેવા સંજોગોમાં નવા સરનામાસાથે તે ટિકીટ માટે અરજી કરી શક્યું. આવી સ્થિતિમાં સંબંધિત વિસ્તારના ડી.આર.એમ.ની કચેરી, દિવ્યાંગ વ્યક્તિના નવા સરનામાનું વેરીફિકેશન કરશે અને ત્યારબાદ નવું ઓળખકાર્ડ ઈશ્ય કરશે. કાયમી વિકલાંગતા ધરાવતાં ર૬થી ૩૫ વર્ષની વયના દિવ્યાંગ લોકો ૧૦ વર્ષ માટેનું કન્સેશનલ સર્ટીફિકેટ ઈશ્ય કરવામાં આવે છે. આવી દિવ્યાંગ વ્યક્તિ જો ૩૫ વર્ષથી વધુ વયની હોય તો, તેમને આજીવન ઉપયોગમાં લઈ શકાય તેવું સર્ટીફિકેટ આપવામાં આવશે.

નોંધ : સિનિયર સિટિઝનો માટે ફક્ત અમદાવાદ રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર એક અલગ કાઉન્ટર (નં.૬) ની સુવિધા રાખવામાં આવી છે. (રેલવે સમયપત્રકમાં “રેલ ટ્રાવેલ કન્સેશન્સ” અંગેની વિગતો છાપેલી હોય છે. તેમાંથી વિગતો મળી શકશે. રેલવેનાં વિકલાંગો માટેનાં કન્સેશન્સ ફોર્મ વિકલાંગો માટે કામ કરતી સંસ્થાઓમાંથી અથવા મોટા રેલવે સ્ટેશનો ઉપરથી વિના મૂલ્ય મળી શકશે.)


સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate