BOOK-POST O.I.G.S Printed Matter
પ્રતિશ્રી, :
ગુજરાત સાહિત્ય અકાદમી
અભિલેખાગાર ભવન,
ગુલાબ ઉદ્યાન સામે,
સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭
ક્રમાંક : ગસઅ / નવોદિત
વિષય : નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિના પ્રકાશન માટે આર્થિક સહાયની યોજના
શ્રીમાન,
આપનો તા. ............ નો પત્ર મળ્યો નવોદિત લેખકોને લલિત સાહિત્યની કૃતિના પ્રકાશનની યોજનાને લગતું નીચેનું સાહિત્ય આપને આ સાથે મોકલ્યું છે.
૧. આાવેદન પત્ર
ર. યોજનાના નિયમો
આવેદનપત્ર અને બીજી સામગ્રી સાથે હસ્તપ્રત મોકલવાની છેલ્લી તારીખ નિયત ..........કરવામાં આવી છે.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ગુજરાત ભાષાસાહિત્યના નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ માટે આર્થિક સહાયની યોજનાના નિયમો
નોંધ :- આ યોજનામાં ‘નવોદિત’ લેખક એટલે જેની કોઈ પણ સાહિત્યકૃતિ કોઈ પણ ભાષામાં અગાઉ પુસ્તકરૂપે પ્રગટ થઈ ન હોય એવા લેખક, એમ ગણવાનું છે. એમની સહલેખક તરીકે પણ કોઈ કૃતિ પ્રગટ થયેલી હોવી ન જોઈએ.
નોંધ :- ઉપરના સાહિત્યકારોમાં અનુવાદનો સમાવેશ થતો નથી. માત્ર મૌલિક કૃતિઓ રજૂ થઈ શકશે.
(ખ) લેખકનો ટૂંકો જીવનવિષયક પરિચય આપતી નોંધ.
(ગ) જેના સંદર્ભમાં સહાય માગી હોય તે કૃતિના વિષયનું ટૂંકું વર્ણન.
(ઘ) પ્રગટ કરવા વિચારેલી કૃતિ કે તેના અંશ પુસ્તક સ્વરૂપે અગાઉ પ્રગટ થયા નથી, એવું એકરારનામું.
(ક) હસ્તપ્રતની પ્રગટ કરેલી પુસ્તકની નકલો પ૦૦ કરતાં ઓછી હોવી જોઈએ નહિ.
(ખ) હસ્તપ્રત પ્રગટ કરતા પ્રગટ કૃતિની ૧૫ નકલ વિનામૂલ્ય ગુજરાત સાહિત્ય અકાદમીને આપવાની રહેશે.
(ગ) ‘ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની નાણાકીય સહાયથી પ્રકાશિત’ એવી ઋણસ્વીકારની પંક્તિ મુખપૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છાપવાની રહેશે.
(ઘ) પ્રગટ થતી કૃતિમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે કોઈ પ્રકારનો વેપારવિષયક સંદેશો હોવો જોઈએ નહિ.
(ચ) આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં ગુજરાત સાહિત્ય અકાદમીની પૂર્વમંજૂરી સિવાય કોઈ સુધારો કરી શકાશે નહિ.
(છ) સહાયના હુકમ થયાની તારીખથી એક વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી પોતાને તેમ કરવું જરૂરી જણાય તો સહાય મંજૂર કરતા હુકમ હેઠળ ઉપર જણાવેલી શરતોની પૂરક શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકશે.
નવોદિત લેખકોને સર્જનાત્મક-લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયની યોજના
આવેદનપત્ર
આથી હું જાહેર કરું છું કે ઉપર જણાવેલ બધી માહિતી સાચી છે. આજ સુધી મારું એક પણ પુસ્તક પ્રકાશિત થયેલું નથી અને આ અરજીથી જે પુસ્તક માટે સહાય માંગી છે તે મારું પ્રથમ પુસ્તક છે. ઉપર આપેલી માહિતી પૈકીની કોઈ પણ બાબત ખોટી હશે તો મંજૂર કરવામાં આવેલ સંપૂર્ણ રકમ વ્યાજ સાથે અકાદમીને પરત કરવાની હું બાંયધરી આપું છું.
સ્થળ
તારીખ :
લેખકની સહી
નોંધ : આ નમૂના સાથે જે માટે સહાય માંગવામાં આવી હોય તે કૃતિની બે પ્રેસનકલ (હસ્તપ્રત કે ટાઈપ નકલ) જોડવી જરૂરી છે.
પ્રેષક : (નામ અને પૂરું સરનામું) :-
પ્રતિ ગુજરાત સાહિત્ય અકાદમી અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે,
સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭
વિષય : ગુજરાત સાહિત્યના નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ કરવા માટે આર્થિક સહાયની યોજના.
શ્રીમાન
ઉપર્યુંક્ત વિષય અન્વયે આર્થિક સહાય અંગેની વિચારણા અર્થે હું મારી કૃતિ. ............. ની હસ્તપ્રત (બે નકલમાં) જરૂરી વિગતો અને આવેદનપત્ર સાથે મોકલું છું.
આર્થિક સહાય અંગેના બધા નિયમો મેં બરાબર વાંચ્યા છે અને એ મને બંધનકર્તા રહેશે તે હું સ્વીકારું છું.
મારા પુસ્તકના પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી સહાયક ગ્રાન્ટ મંજૂર કરશે તો સહાયક ગ્રાન્ટની બધી શરતોનું હું બરાબર પાલન કરીશ અને સહાય સિવાયની બાકીની રકમ અંગે મારી પૂરતી સગવડ છે અને બાકીનું ખર્ચ
ભોગવવા હું બાંયધરી આપું છું. મારી આ સાહિત્યકૃતિ અગાઉ ક્યારેય આ યોજના હેઠળ સહાય માટે રજૂ કરવામાં આવી નથી.
સ્થળ
તારીખ :
લેખકની સહી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020