অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માનવ કલ્યાણ યોજના

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વઓરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યરકિતઓ/કારીગરોની આર્થીક સ્થિ તિ સુધારવા માટેની અગાઉની સ્વીરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૭૯ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્યં વિસ્તાેર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્તાવર માટે રૂ.૬૮૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યાવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.

પાત્રતાઃ

  1. ઊંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
  2. આવક મર્યાદા:

ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૬૮૦૦૦/- હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

નાણાંકીય સહાયઃ

રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્‍વરૂપમાં.

સંપર્કઃ

સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર

અરજીપત્રકઃ

સ્ત્રોત : કુટીર અને ગ્રામ ઉદ્યોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate