অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખભાની કાર્યક્ષમતામાં ઘટાડા માટે ની ચેતવણી

તમારા ખભાની કાર્યક્ષમતા ઘટી જાય તો ચેતી જજો

જો તમને ડાયાબિટીસ હોય અથવા ખભામાં કોઇ ઇજા થઇ હોય કે ખભો એક જ સ્થિતિમાં વધુ રાખવાનો થયો હોય તો ફ્રોઝન શોલ્ડર નામની તકલીફ થઇ શકે છે. આજકાલ ઘણા બધા લોકો ખભાના દુ:ખાવાની કમ્પલેન કરતા જોવા મળે છે. અચાનક જ ખભામાં સખત દુ:ખાવો થાય અને ખભો પકડાઈ જતો હોય છે. આખા શરીરમાં શોલ્ડર જ એક એવો સાંધો છે ફ્રીઝ એટલે કે જામી જવું. ફોઝન શોલ્ડરને મેડિકલમાં એક બાયોલોજિકલ પઝલ (કોયડો) કહેવામાં આવે છે. આ દર્દ હાલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ હવે અત્યાધુનિક ટેકનોલોજીને લીધે આ રોગ પહેલા કરતાં ખૂબ ઝડપથી મટાડી પણ શકાય છે. તેની સારવાર માટે પણ ઘણા બધા ઓપ્શન (વિકલ્પ) શક્ય બન્યા છે. પહેલા તો આ રોગ થાય તો તેને મટતાં ૬-૮ મહિના લાગતા હતા. હવે એવું નથી.

આ રોગને એડહેસિવ કેપ્સુલાઈટીસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં ખભાની કેપ્સ્યુલમાં એડહેશન જમા થતું હોય છે. જેના કારણે ખભાની કેપ્સ્યુલ ચોંટી જતી હોય છે અને દર્દીને દુ:ખાવાની ફરિયાદ રહે છે. હવે મેડિકલ ટર્મ્સમાં તેને alt147સ્ટીકી શોલ્ડરalt148 પણ કહેવામાં આવે છે. આમાં મુખ્યત્વે ખભાના સ્નાયુઓ જકડાઈ જાય છે. જેથી ખભાની મુવમેન્ટમાં ખૂબ જ દુ:ખાવો થાય છે, જેથી સામાન્ય સંજોગોમાં રોજબરોજની ક્રિયા જેમાં હાથ પાછળ કરવાની જરૂર પડતી હોય, તેમાં દર્દીઓને ખૂબ જ તકલીફ થતી હોય છે. આ રોગ મુખ્યત્વે સ્ત્રીઓમાં વધુ જોવા મળતો હોય છે.

સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડર ૪૦ વર્ષની વય પછી થતો હોય છે. જે લોકોમાં ડાયાબિટીસ અને કાર્ડિયો-વાસ્કયુલર રોગ હોય તેમનામાં આનું પ્રમાણ વધારે હોય છે. આમ છતાં અત્યાર સુધી આ રોગ થવાનું ચોક્કસ કારણ કોઈ જાણી શક્યું નથી તેથી જ આ રોગને બચાવવા માટે જો કોઈપણ વ્યકિત રોજિંદા જીવનમાં ખભાની કસરત કરે તો રોગ થાય તો તેને શરૂઆતના તબક્કામાં રોગની જાણકારી મળી જતી હોય છે વધુ પડતું ધુમ્રપાન કરવાથી પણ ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતાઓ વધી જાય છે.

ખભાનાં દુ:ખાવાને સામાન્ય રીતે ટાળવામાં આવે છે.

જ્યારે પણ કોઈને ખભામાં શરૂઆતનો દુ:ખાવો થાય ત્યારે તેની અવગણના કરવામાં આવતી હોય છે કે આ દુ:ખાવા તો થોડા સમયમાં મટી જશે. પરંતુ ફ્રોઝ્ન શોલ્ડરના દુ:ખાવાની જો અવગણના કરવામાં આવે તો સમય સાથે તે ખૂબ જ ભયંકર બની જતો હોય છે અને તે એવા તબક્કામાં પહોંચી જાય છે કે ખભાની બધી જ મુવમેન્ટમાં તકલીફ પડવા લાગે છે. સાથે સાથે ઊંઘવામાં પણ તકલીફ પડવા લાગતી હોય છે. ઘણા દર્દીઓ તો ફ્રોઝન શોલ્ડરને કારણે આખી રાત સુધી ઊંઘી શકતા નથી અને દર્દીઓને ડ્રીપેશન આવવા લાગતું હોય છે.

તેથી ખભામાં દુ:ખાવો થાય અને તેની સાથે હાથ પાછળ કરીને કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવીકે વોલેટ (પર્સ) મુકવું, નહાવામાં પાછળ હાથ કરવામાં તકલીફ પડવી, સ્ત્રીઓને સાડી પહેરવામાં તકલીફ પડવી, પુરુષોને ટી-શર્ટ પહેરવામાં તકલીફ પડવી અથવા વાળ ઓળવામાં તકલીફ પડવાની શરૂઆત થાય કે તરત જ ડોકટરનો સંપર્ક કરવામાં આવે તો રોગનું નિદાન શરૂઆતના તબક્કામાં જ થઈ જતું હોય છે અને તેની સારવાર ઝડપથી થઈ શકે છે. નહીંતર આ રોગ વધી જાય છે અને દર્દીને ફંકશન સ્ટીફનેસ બની જતી હોય છે.

ફંકશનલ સ્ટીફનેસ એટલે શું?

ફંરશનલ સ્ડીફનેસમાં મુખ્યત્વે બે પ્રકારના ફેરફારો ખભામાં જોવા મળે છે જેનાથી ખભાની રેન્જ (કામ કરવાની ક્ષમતા) ઘટી જતી હોય છે.

1.  મગજ દ્વારા સાંધામાં ન્યુરોલોજિકલ ઇન્હીલીશન કરવામાં આવે છે.

2.  ખભાની પાસે સ્નાયુ પાતળા (અન હેલ્થી) થઈ જતા હોય છે અને તેમાં ગાંઠો પડી જતી હોય છે.

સામાન્ય રીતે આપણી બધી જ કરવામાં આવતી મુવમેન્ટનો કન્ટ્રોલ મગજ કરતું હોય છે. જ્યારે મગજને એવો અનુભવ થાય છે કે ખભામાં મુવમેન્ટ અટકી ગઈ છે અને ત્યાં દુ:ખાવો થતો હોય છે ત્યારે મગજ એ મુવમેન્ટ કરવાના ઓર્ડર (કમાન્ડ) આપતું હોતું નથી. એટલે કે તમારું મગજ જ તમને તમારા દુ:ખાવામાંથી બચાવવા માગતું હોય છે. જેને ન્યુરોલોજિકલ ઇન્હીબીશન કહેવામાં આવે છે જેના કારણે ખભાના સ્નાયુઓ વધારે ન વધારે સ્ટીફ થઈ જતા હોય છે.

સ્નાયુમાં ગાંઠો એટલે કે ટ્રીગર પોઈન્ટ. તેનું કારણ ઘમાને ખબર હોતી નથી. વાત હકીકત છે કે ફ્રોઝન શોલ્ડરની સાથે સ્નાયુમાં થતી ગાંઠો ઘણા દર્દીમાં જોવા મળે છે અને આ ગાંઠોના કારણે દર્દીઓને સ્નાયુઓ બંધાઈ ગયેલા હોય, પડકાઈ ગયેલો હોય કે જામી ગયા હોય એવે અનુભવ થતો હોય છે. તેથી જ જો આ ગાંઠોને તોડવામાં ન આવે કે શરીરમાંથી કાઢવામાં ન આવે ત્યાં સુધી દર્દીઓ દુ:ખાવાથી ખૂબ જ પીડાતા રહે છે. તેમને ઊંઘવામાં પણ જો ભૂલમાંથી એ ભાગ પર વજન આવે તો ઊંઘમાંથી જાગી જવાય એવો અસહ્ય દુ:ખાવો થતો હોય છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ

આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate