অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિમેન્શિયા

ડિમેન્શિયા

dementia

ડિમેન્શિયા શું છે?

ડિમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રંશ) ઘડપણમાં થતા મગજને નુકશાનનું પરિણામ છે. તે આગળ વધતો (progressive) રોગ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે. ડિમેન્શિયા થવાથી માણસ ધીરે ધીરે વધારે ભૂલવા માંડે છે. સાથે તે રોજીંદા કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે, જેવા કે ખરીદી કરી તેના બીલની ચુકવણી કરવી, સામાન્ય ભોજન બનાવવું, ફરવા જવાનું આયોજન કરવું. વધુ સમય જતા પોતાની સ્વસ્થતા અને સ્વચ્છતા સચવાય નહી તથા સ્વજનો ઓળખાય નહી. પાછળથી ચાલવાની અને ગળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે.

ડિમેન્શિયાનું કારણ શું છે?

ડિમેન્શિયા લક્ષણોનો સમૂહ છે. ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓમાં પ્રગતિશીલ ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ અલ્ઝાઇમર્સ રોગ છે. જેનો ઈલાજ શક્ય નથી તેવા ડિમેન્શિયાને પ્રગતિશીલ "progressive" ડિમેન્શિયા કહેવાય છે. ૧૦૦થી વધારે એવા રોગ છે જેના કારણે ડિમેન્શિયા થઈ શકે છે. તેમાં વસ્કુલ્રર ડિમેન્શિયા, ફ્રોન્ટો-ટેમ્પોરલ તથા લુઈ બોડી ડિમેન્શિયાનો સમાવેશ થાય છે.

ઘડપણ અને ડિમેન્શિયા

આપણા સમાજમાં અમુક ઉમર પછી ઓછું યાદ રહેવું, અને રોજના કાર્યમાં ભૂલો કરવી એ સામાન્ય માનવામાં આવે છે. જયારે આવી નબળી યાદશક્તિ અને કામ કરવાની અક્ષમતા રોજીંદા જીવન જીવવામાં તકલીફ ઉભી કરે ત્યારે આ ડિમેન્શિયાના લક્ષણ હોય શકે. ડિમેન્શિયા કોઈ રોગનું નામ નથી. એ લક્ષણોના સમુહને આપેલું નામ છે. મગજની બીમારીના લીધે જોવામાં આવતા આવા લક્ષણોના ઘણા જુદા કારણ હોય શકે. ડિમેન્શિયા ક્યાં રોગના લીધે અથવા કોઈ તૃતીના લીધે છે ટે નક્કી કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.  કોઈ વાર ડિમેન્શિયાના મૂળ કરણનો ઈલાજ થઈ શકે છે. જો ડિમેન્શિયાના મૂળ કારણનો ઈલાજ  ના હોય તો તેને પ્રોગ્રેસીવ, (progressive) ડિમેન્શિયા કહેવામાં આવે છે.

ડિમેન્શિયા કયા રોગના કારણે થાય છે

અલ્ઝાઈમર રોગ વૃધાવસ્થામાં થતા ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ છે. અલ્ઝાઈમર મોટાભાગે ભૂલવાની અને સમઝવાની તકલીફ થઈ શરુ થાય છે, અને આગળ જતા અને સમય જતા પરાવશતા અને પછી મૃત્યુમાં અંત આવે છે.

વાસ્ક્યુલર ડિમેન્શિયા:

મગજના કોષોને લોહી ઓછું મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થયી શકે છે. તેમને ઓક્સીજન પુરતું મળતું નથી તેથી તે કોશ નાશ પામે છે. સ્ટ્રોક થવાથી અથવા તો બીજી બીમારીના લીધે મગજમાં લોહી ઓછુ ફરે ત્યારે આવી સ્થિતિ ઉભી થાય છે. મગજના ક્યાં કોશો નાશ પામે છે ટે પ્રમાણે રોગના લક્ષણ જુદા જુદા જોવા મળે છે. ડિમેન્શિયાનું આ બીજું કારણ છે.

લુઈ બોડી ડિમેન્શિયા:

  • મગજમાં પ્રોટીનના લોચા થવાથી યાદ શક્તિનો નાશ થાય છે, વિચારશક્તિને અસર પડે છે, સુવામાં તકલીફ થાય છે, આભાસ થાય છે  (hallucination) અને સ્નાયુઓનું અનિયંત્રિત  હલનચલન થાય છે.
  • ડિમેન્શિયા કારણ બની શકે તેવા સો કરતાં વધારે રોગો છે. કેટલાક કિસ્સાઓમાં એક કરતાં વધુ રોગ પણ હોય ત્યારે તેને મિશ્ર ડિમેન્શિયા કહેવાય છે.

ડિમેન્શિયાના લક્ષણો

આ રોગ કોઈ નિશ્ચિત રૂપથી વિકસતો નથી. દરેક વ્યક્તિમાં તેના લક્ષણો જુદા જુદા દેખાય છે  તેની અંતર્ગત શું થઇ શકે તે સમજવા માટે સમયની સાથે બદલાતી જતી પરિસ્થિતિઓને સરળતાપૂર્વક સમજવા માટે તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. જોકે આવા લક્ષણો કોઈ પણ તબક્કે વિકસી શકે છે.

શરૂઆતનો તબક્કો

શરૂઆતના તબક્કા દરમિયાન નીચે દર્શાવ્યા પ્રમાણેના દેખાતા લક્ષણોને ઘણી વખત અવગણવામાં આવે છે.

  • કોઈ વાત ભૂલી જવી
  • સમયનું ભાન ન રહેવું
  • સ્થળ/જગ્યા અંગે ગૂંચવાઈ જવું.

વચ્ચેનો તબક્કો

ડિમેન્શિયાના કારણે એક વ્યક્તિની કાર્ય-પ્રવૃત્તિઓ અને ઉત્પાદકતા મર્યાદિત થવાની શરૂઆત થાય છે અને સ્વાભાવિકપણે જ તેના કારણે નીચે જણાવ્યા પ્રમાણેની મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

  • લોકોના નામ યાદ રહેતા નથી.
  • વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે.
  • અંગત સફાઈ/સ્વચ્છતા જાળવી શકાતી નથી.
  • ક્રોધ કરવો અથવા એકના એક પ્રશ્નો વારેઘડીએ પુછવા વિગેરે જેવું વર્તન થાય છે અથવા મૂડ બદલાતા રહે છે.

છેલ્લો તબક્કો

સમયની સાથે ડિમેન્શિયાના કારણે સંપૂર્ણપણે પરતંત્રતા  આવી જાય છે. યાદશક્તિ અને વાતચીત કરવાની કળા ગુમાવી દે છે. વધુમાં નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણોનો તેમાં સમાવેશ થઈ શકે છે.

  • સમય અને સ્થળ બાબતની સભાનતા ગુમાવી દે છે.
  • સગાવહાલા/ મીત્રોને ઓળખી શકતા નથી.
  • સહેજ પણ અર્થસભર વાત કરતા નથી.
  • જમાડવું પડે છે, નવડાવવું પડે અને શરીરની અંગત સફાઈ પણ કરી આપવી પડે છે
  • ચાલવામાં તકલીફ પડે છે.

ડિમેન્શિયાના કારણની શોધ

"તેમને શા કારણથી ડિમેન્શિયા થયો?" સામાન્ય પણે નિદાન પછી આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે. કુટુંબના સભ્યો ભેગા થઈ વિવિધ કારણો સૂચવતા હોઈં છે, અને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવે છે. "તેમના ડાયાબિટીસના કારણે થયું?  તેની ખાવાની આદતોને લીધે થયું? અને કદાચ સૌથી વધારે દુઃખજનક ટકોર, "તે મગજને વધારે કસતા ન હતા તેના કારણે આવું થયું."
વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ રોગ, લુઈ બોડી ડિમેન્શિયા, અથવા ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા હોઈ છે. અને આ રોગોમાં મૂળભૂત કારણ ખરેખર કોઈ જાણી શકતું નથી. નિદાન મેળવ્યા  પછી આવી ચર્ચામાં સમય અને શક્તિનો દુરુપયોગ કરવાના બદલે પરિસ્થિતિ સમજવામાં, અને સારી કાળજી માટે આયોજન કરવામાં ધ્યાન આપવું જોઈએ. એક કારણની શોધ કરવા બેસવું એ દોષનો ટોપલો નાખવાની જગ્યા ગોતવાના પ્રયાસ જેવું છે. આ પરિસ્થિતિમાં આ મદદ નહી કરે, અને માત્ર ખોટું કર્યાની ભાવનાઓ જાગ્રત કરે છે.
ફ્રન્ટો ટેમ્પોરલ ડીજેનરેશન એસોસિએશન, (Frontotemporal Degeneration Association) ની સાઈટ પર આ ખુબ સુંદર વાક્ય જણાવે છે કે નિદાનના સમયે ત્રણ "C" ધ્યાનમાં રાખવાના છે: હું તેનું કારણ નથી. હું તેને બદલી શકતો નથી; અને હું તેને નિયંત્રિત કરી શકતો નથી. ( I didn’t cause it. I can’t change it; and I can’t control it. )

આપણા દેશમાં ડિમેન્શિયા

આપણા દેશમાં આશરે ૪૨ લાખ વૃદ્ધજનોને ડિમેન્શિયા છે, જેનું કારણ અલ્ઝાઇમર્સ

અથવા અન્ય રોગ છે. આપણા સમાજમાં ડિમેન્શિયા વિષે ઓછી જાણકારી હોવાથી તેમના રોગનું નિદાન ઘણા વરસો સુધી થતું નથી. રોગના ચિન્હો જોવા તો મળે છે, જેમ કે ભૂલી જવું, રોજીંદા કાર્ય માં ગોટાળા કરવા, અને પોતાની દિનચર્યામાં મદદની જરૂર પડવી, પણ આ બધું સામન્ય ઘડપણ માની, તે માટે કોઈ ડોક્ટરની સલાહ લેવામાં આવતી નથી. જો વહેલું નિદાન થાય તો વ્યક્તી અને કુટુંબ માટે ઘણા ફાયદા છે. 

ડિમેન્શિયા પાછળ કેટલો ખર્ચ થાય છે?

ડિમેન્શિયા વ્યક્તી તથા તેના પરિવાર માટે ખુબજ કષ્ટ લાવે છે. ડિમેન્શિયા માટે સન ૨૦૧૦માં નો  સમાજનો ખર્ચ આશરે રૂ.૧૪,૭૦૦ કરોડ થયો હતો તેવુ ARDSI ના રીસર્ચ પ્રમાણે જાણવા મળે છે. સન ૨૦૩૦માં ખર્ચ આથી ત્રણ ગણો થશે તેવુ અંદાજવામાં આવેલ છે.

ડિમેન્શિયાના કારણે વ્યક્તી તથા કાળજી રાખનાર માટે ઘણી યાતનાઓ, વેદના ઉભી થાય છે. કાળજી લેનાર માટે આ ખુબજ મૂંઝવણભર્યું અને કઠણ કાર્ય છે.

હોસ્પિટલ અને ડિમેન્શિયા

ડિમેન્શિયા વાળી વ્યક્તિને જો  હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો ઘણી  તકલીફો ઉભી થાય છે. હોસ્પિટલો, નર્સિંગ હોમમાં આવી વ્યક્તિની ખાસ જરૂરિયાતો ને ધ્યાન આપવાની સગવડ હોતી નથી. સ્ટાફને અનેક વાર સમઝાવવા તથા  ખાસ સૂચનો વારંવાર આપવા છતાં આ તકલીફ રહે છે એવું ઘણાનનું કહેવું છે.

જે વ્યક્તિ ડિમેન્શિયાના કારણે  આજે શું જમ્યા અથવા આજે શું તારીખ છે તે કહી નથી શકતા તેમના પાસેથી મેડીકલ પ્રોફેશનલ તેમની કેસ હીસટરી થ્થે બીમારીના લક્ષણ પૂછવાનો આગ્રહ રાખે છે. અને તેઓ તેમને નોર્મલ વ્યક્તીને સુચના આપે તેમ આપે છે.

ઇંગ્લેન્ડમાં હોસ્પિટલો માં ડિમેન્શિયા વાળા  લોકો માટે કાળજીનું  સ્તર એક નવા રીપોર્ટમાં 'પુવર', એવું વર્ણવ્વામાં આવ્યું છે. એક લેખ આ મુદ્દાઓ ચર્ચા કરે છે. તેમાં ધ્યાનમાં આવ્યું છે કે ડિમેન્શિયા વાળી  વ્યક્તિઓ ઘણીવાર ખોરાક વગર રહી જાય છે, તેઓ પોતાની જરૂરિયાતો વિષે વાત કરી શકતા નથી તેથી કોઈ પીડા થતી હોય, દુખતું હોય તો કહી નથી શકતા. સ્ટાફ દર્દીઓની જરૂરિયાતો સમઝતા નથી અથવા તેમની જરૂરિયાતોના  જે સંકેત છે, જેવા કે, વર્તનમાં ફેરફાર, મુડમાં ફેર, તે પરખી શકતા નથી. જે માહિતી મળે છે તે જુદી જુદી સેવા આપનારમાં શેર કરવામાં આવતી નથી.

ભારતમાં મેડિકલ અને હોસ્પિટલ સેવાઓ હજુ પણ ડિમેન્શિયા વાળી વ્યક્તિને અન્ય દર્દીઓની જેમજ  સારવાર કરવામાં આવે છે. આ સેવાઓને ડિમેન્શિયા મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે સૌએ આગળ થવું પડશે. માર્ગ ઘણો લાંબો છે

ડિમેન્શિયા અને વિટામિન ડી

ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ તથા અન્ય મગજના રોગો હોય છે. વૃદ્ધજનોમાં વિટામિન ડીની ઉણપ આ રોગો સાથે સંકળાયેલ છે. વિટામિન ડીની ઉણપના કારણે લોહી લઈ જનારી નલિકાઓ નિષ્ક્રિય બને છે અને મગજના કોશ જીર્ણ થયી શકે છે. એક ચિલીમાં થયેલ પ્રયોગમાં જણાયું હતું કે વિટામિન ડી નું પ્રમાણ વધવાથી વૃદ્ધજનોમાં સંતુલન અને હરવા ફરવામાં  સુધારો જોવા મળે છે.

આજની તારીખમાં હજુ પણ અલ્ઝાઇમર્સ શા કારણ થી થાય છે તે ખરેખર આપણને ખબર નથી. તેમ છતાં, આવા સંશોધનના પરિણામો પર ધ્યાન આપવું જોઈએ. વિટામિન ડીની ખામીનો ઉપાય મોટા ભાગે સરળતાથી હલ કરી શકાય છે.

પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો મહત્વનું છે. દિવસમાં એક વાર બહાર ટહેલવા નીકળવાથી પૂરતો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયી શકે છે. ઘણી વાર વૃદ્ધ જનો શારીરિક તકલીફો ને કારણે ઘરની અંદરજ   રહે છે અને તેમને પુરતો સૂર્ય પ્રકાશ તથા કસરત મળતી નથી. આવા સંજોગોમાં ડૉક્ટરની સલાહ લઇ વિટામિન ડી સપ્લીમેન્ટ આપી શકાય જે આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે.

ડિમેન્શિયા થવાની શક્યતા વધારે હોય શકે જો એનીમિયા હોય તો.

  • એનીમિયા (પાંડુરોગ) એટલે કે શરીર માં હેમોગ્લોબિન ઓછું હોવું. Red blood cells, લાલ રક્ત કોશિકાઓની માત્રા જરૂર કરતા ઓછી હોવી. અમેરિકન અકાડેમી ઓફ ન્યુરોલોજીના એક સંશોધન પ્રમાણે જે વૃધ્ધોને અનીમિયા હોય તેઓ ને ડીમેન્શિયા હોવાની શક્યતા વધારે છે. ૧૧ વર્ષ ચાલેલા આ સંશોધનમાં ૭૦ થી ૭૫ વર્ષહતની ઉંમર વાળી ૨૫૫૨ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન તેમની યાદશક્તિ અને વિચારશક્તિ ની તપાસ થતી રહી. સંશોધન શરુ થયું ત્યારે ૩૯૩ ને અનેમીયા હતો. સંશોધન પુરુ થયું ત્યારે ૪૪૫, અથવા ૧૮% ને ડિમેન્શિયા હતો.
  • જેમને સંશોધન ની શરૂઆતમાં અનેમિયા  હતો તેઓને ડિમેન્શિયા થવાની  ૪૧% શક્યતા હતી. ઉમર, જાતિ ભણતર અને સમુદાયની કોઈ અસર જોવા મળી નહી.
  • ક્રિસ્ટીન યાફે MD, જેઓ યુનિવર્સીટી ઓફ કાલીફોર્નિયા સાથે સંકળાયેલા છે. તેમને જણાવ્યું કે  ૩૯૩ અનેમિયા વળી વ્યક્તિઓ માંથી ૮૯ જણ, એટલે કે ૨૩% ને ડિમેન્શિયા થયો, તે સરખામણીમાં જેમેને અનેમિયા નહોતો તેવા ૨૧૫૯ વ્યક્તિ માંથી ૩૬૬ જણને એટલે કે ૧૭% ડિમેન્શિયા થયો.
  • આ સંબંધ, લીન્કેજ, નું કારણ હોય શકે કે અનેમિયા હોવો તે, અસ્વસ્થતા ની એક નિશાની, (marker) હોય શકે. એનીમીયાના કારણે રહેતા ઓછા ઓક્સીજનની માત્રા પણ ડિમેન્શિયાનું કારણ હોય શકે.

સ્ત્રોત: વરિષ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/6/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate