অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દમનો રોગ

દમનો રોગ શબ્દ જુદાજુદા લોકોમાં જુદાજુદા વિચારો લાવે છે. તમે જો દમના રોગથી પિડાતા હોય તો આ શબ્દનો અર્થ કદાચ એમ થશે કે શ્વાસ સરળતાથી અને છુટથી નથી લઈ શક્તા, અથવા તમે એવા કુંટુંબના હો જેમાંથી કોઇ પણ આ રોગથી પિડાતુ હોય તેનો અર્થ એ કે તમે જેને ચાહો છો તે અસ્વસ્થ રીતે બીમાર છે અથવા તેની જીંદગી વિચ્છેદ રીતે જીવે છે જ્યારે તેણી અથવા તે શાળામાં અથવા કામ ઉપર ગેરહાજર રહે છે. ગમે તે માણસ દમના રોગના લીધે જીંદગીનો આનંદ ગુમાવી બેસે છે.

કેટલાક લોકો અવુ વિચારે છે કે દમનો રોગ ફક્ત એક શ્વાસ લેતા થતી તકલીફનો સવાલ છે, તે કદાચ કોઇક વાર હશે, જેને લીધે લોકોને ડૉકટર પાસે જવાનુ કારણ બને અથવા સંકટકાલીન ઓરડામાં જવુ પડે પણ તેના લક્ષણો સાધારણ પણે બહુ ખરાબ નથી હોતા. તે છતા દમના રોગને સારવાર આપતા ડૉકટરો માટે તે એક ગંભીર વૈદ્યકીય પરિસ્થિતી છે - જેમાં તેઓના દર્દીઓને શ્વાસ લેતા તકલીફ પડે છે અને તેનાથી રાહત મળે જે દર્દીના દમના રોગને થતા કારણોથી દુર રહે અથવા તેના દર્દીઓ વિશિષ્ટ પ્રકારની દવાનો ઉપચાર કરે.

પણ તે એક આડ અસર કરતી પરિસ્થિતી છે ? હંમેશા નહી, પણ ઘણા બધા દર્દીઓમાં દમનાં રોગની પ્રક્રિયા થવી જે નિસર્ગ રીતે થતી આડ અસર છે. સૌથી સાધારણ સમાવેશ ધુળના જંતુ, વાંદા અને ફુલની રજ જેવી કે Ragweed, ઘાસ અને ઝાડો. સંખ્યાબંધ વૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે વિશિષ્ટ પ્રકારના પ્રતિક્રિયાત્મક માઠી અસર ઉપજાવનાર (allergens) દમના રોગની સાથે જીવતા દર્દીઓને દુર રાખવા જેઓને પહેલાના સંવેદનશીલ લોકોમાં સુધરતા દમ રોગના ચિન્હો અને ઓછી દવાનો ઉપચારની જરૂરીયાત બતાવે છે.

દમના રોગ થવાના કારણો

૧૫ વર્ષ સુધી દમના રોગને વૈદ્ય લોકોએ એક સાદો શ્વાસનળીના સ્નાયુઓના તાણવાળો રોગ જાણ્યો હતો જે બધાય લક્ષણો સાથે લાલ થઈ જાય છે, જે તેની સાથે જોડાયેલ છે. ૧૯૮૦ની શરૂઆતથી હંમેશા વધતી જાણકારી અને જ્ઞાન દમના રોગ બાબત સૌથી મોટા અધિકારીએ જણાવ્યુ કે શ્વાસનળીને થતી બળતરા તે મુળભુત અંતર્ગત પ્રશ્ન હતો.

બળતરા એ આપણા શરીર માટે પરદેશી અથવા વિષમય વિશિષ્ટ પ્રકારના પદાર્થને અપાતી પ્રતિક્રિયા છે, જે આપણા શરીરમાં દાખલ થાય છે અથવા સંપર્કમાં આવે છે. બળતરા લોહીના આવવાથી થાય છે અને સુરક્ષિત કોષો જે આપણા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. આપણા શરીરની કોઇક જગ્યા ઉપર જ્યારે જીવાણુનો ચેપ લાગે છે, ત્યારે સફેદ લોહીના કોષો ચેપ લાગેલ ભાગ ઉપર દોડી જાય છે અને તેના જીવાણુનો નાશ કરે છે અથવા જુદા પાડીને તેની હિંસાકારક અસરોને નિષ્ફળ કરે છે.

આ દમના રોગમાં પણ બને છે, જ્યા પરદેશી મારફતિયો છે જે આડ અસર છે જે વિશિષ્ટ પ્રકારના પદાર્થનુ (જે allergen કહેવાય છે) જેવા કે ફુલની રજ, ઘરના ધુળના જીણા જંતુ અને પ્રાણીની કાતરડી. દમ રોગની સાથે પ્રતિક્રિયાત્મક માઠી અસર ઉપજાવનાર એ નથી જોતી અને નુકશાનકારક બળતરાની પ્રતિક્રિયા કરે છે, જેવી કે આપણા ચેપની સામે પ્રતિક્રિયા, જે આપણા શરીરમાં લોહી અને સફેદ લોહીના કોષોને બળતરા કરતી જગ્યાએ એકત્ર બોલાવે છે. બળતરા કરતા કોષો રાસાયણિક વિશિષ્ટ પ્રકારના પદાર્થો બનાવે છે અને છોડે છે, જેને મધ્યસ્થ કહેવાય છે જે પરદેશી મારફતીયા ઉપર હુમલો કરે છે અથવા આ દાખલામાં પ્રતિક્રિયાત્મક આડી અસર ઉપજાવનાર અને આપણા શરીરની પ્રક્રિયામાં જે પોતાને બચાવવા કોશિશ કરે છે, ત્યારે કેટલુક નુક્શાન થાય છે અથવા કોષમંડળની શ્વાસનળીમાં બદલાવ આવે છે.

આ ઇજા થયેલ પરિણામો સરળતાથી શ્વાસનળીની બળતરાઓને વિકસિત કરે છે, જેને hyper–responsiveness કહેવાય છે. આ પરિસ્થિતી આપણા ફેફસાને બહુ વધારે પડતા "Twitchy" (વારંવાર ખેચાય એવુ) બનાવશે અને પ્રતિક્રિયા અથવા (overreact) કરાવશે જે પહેલા non"allergic stimuliજેવા કે થંડી રૂતુ, દુષણ, સુકી હવા અને રાસાયણિક ગંધ."Twitchy" (વારંવાર ખેચાય એવુ) શ્વાસનળી - આંકડીમાં જવાની પ્રતિક્રિયા કરશે જે શ્વાસ લેતા તકલીફ પડવાના લક્ષણોને દોરાવશે જેવા કે ઉધરસ, શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો અને છાતી ઉપર તાણ. આ આખી પ્રવૃત્તી ઘણુ કરીને ફેરવી શકાય જો તેની જોરદાર શરૂઆતથી વ્હેલી પકડાય, પ્રતિકારક માપ લઈને અથવા યોગ્ય રીતે દવાનો ઉપચાર કરીને.

સંક્ષિપ્તમાં આપણે હવે દમના રોગને એવી પરિસ્થિતીમાં ઓળખીયે છીયે જે શ્વાસનળીની અંતરછાલને બળતરા કરે છે અને તેના પરિણામને શ્વાસનળીમાં hyper–reactivity માં બદલાવ લાવે છે, જે વારાફરતી આપણા શરીરના શારિરીક લક્ષણો જેવા કે શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો, ઉધરસ ખાવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને છાતી ઉપર તાણ, દા.ત. દમ રોગના લક્ષણોનો ઉત્તમ દાખલો. દમ રોગના લક્ષણોના અંતર્ગત ભાગોને ઓળખતા શીખીને, વૈદ્યો અને દર્દીઓ દમ રોગના થવાના કારણો અને અસરને પુરતી રીતે નિયંત્રણમાં લાવે છે અને તેની સારવાર કરે છે.

દમના રોગના પ્રકારો

દમના રોગની જુદી જાતની ઉધરસ

ઉધરસ એકલી થઈ શકે. બીજા કોઇ દમના રોગના લક્ષણો વીના જે હાજર છે અને તેને વૈદ્યો અથવા દર્દીએ ઓળખ્યા છે. દમના રોગની જુદી જાતની ઉધરસ વૈદ્ય માટે તેનુ સાચુ નિદાન કરવુ બહુ અઘરૂ છે. ઉધરસ એક દમના રોગની બિમારી છે કારણકે તે બીજી પરિસ્થિતી સાથે ગુંચવાઈ જાય છે જેવી કે લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો (bronchitis) અને પછી નાકનુ ગળવુ, hay fever અથવા નાકમાં ખાડો (Sinus) નો રોગ. ઉધરસ દિવસે અથવા રાત્રે આવે છે. રાત્રની ઉધરસ બહુ જ તકલીફ આપે છે, આપણી ઉંઘમાં દખલ પાડે છે.

રાત્રીનો દમનો રોગ

રાતનો અથવા રાતના સમયે થતો દમનો રોગ દિવસ દરમ્યાન કોઇ પણ લક્ષણો આપ્યા વિના કદાચ થાય છે જે દર્દી ઓળખી શકે છે. આને "રાત્રીનો દમનો રોગ" કહેવાય છે. દર્દીને સુતી વખતે ઉધરસ અથવા શ્વાસ લેવાની તકલીફ થાય છે અથવા તે આ લક્ષણોને ધ્યાનમાં નથી લાવી શકતો જ્યારે તે મધરાતે ઉઠી જાય છે, સાધારણપણે ૨ અને સવારના ૪ વાગ્યે. રાત્રીનો દમનો રોગ કોઇકવાર એક જ વાર થાય છે અથવા અઠવાડીયા દરમ્યાન ઘણી વાર થાય છે. રાત્રીના દમના રોગના લક્ષણોની લોકોમાં એક સામાન્ય સમસ્યા છે, જેમને દિવસનો દમનો રોગ હોય છે પણ તેનો ખરો સ્વભાવ અધિકરીતે સહેલાઈથી ઓળખાય છે. જ્યારે દર્દીને દિવસના સમયે થતો દમના રોગના લક્ષણો નથી દેખાતા તે સુચવે છે કે રાત્રે થતી ઉધરસનુ કારણ દમનો રોગ છે, આ જાતના દમના રોગને ઓળખવુ બહુ મુશ્કેલ છે અને તેને લીધે તેની બરોબર રીતે સારવાર કરવી બહુ મોડી પડી જાય છે. કારણ (અથવા કરણો) આ ઘટના જાણમાં નથી, તેમ છતા તેની હોવાની શોધખોળ ચાલુ છે.

કસરત પ્રેરીત દમનો રોગ

સખત વ્યાયામ કર્યા પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા સિસોટી જેવો શ્વાસ લેતી અવાજ કરવો આને કસરત પ્રેરીત દમનો રોગ કહેવાય છે. તેમ છતા દમના રોગની સાથે આ ઘટના ૮૦% સુધી લોકોમાં થાય છે. તે ઘણી વાર એક જુદી પડેલી મહત્વની ઘટના છે જે કોઇ પણ રોગના લક્ષણો બીજે સમયે બતાવ્યા શિવાય થાય છે. દમના રોગનુ નિદાન કરવુ આવા કારણોને લીધે મુશ્કેલ કરે છે, કારણકે વારંવાર આ પ્રકારનો દમનો રોગ ગરીબ શારિરીક પરિસ્થિતીને લીધે ગુંચવાઈ જાય છે અથવા હદયના સવાલોને લીધે તે છતા દમનો રોગ હંમેશા કસરત કરતા શ્વાસ લેતી વખતે સિસોટીનો અવાજ આવવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવાના શંકાયુક્ત સંભવિત કારણો છે, ખાસ કરીને આ કર્યા વિના માણસ તંદુરસ્ત રહે છે.

દમના રોગના લક્ષણો અને તેની શોધખોળ

વૈદ્યકીય દૃષ્ટીએ, દમનો રોગ એક લક્ષણોના જુથને સોપેલુ નામ છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો, ઉધરસ આવવી અને છાતી ઉપર દબાણ વગેરેનો સમાવેશ થાય છે. આ લક્ષણો જુદાજુદા જોડાણમાં(એક, કેટલાક અથવા બધાય) દેખાય છે અને તેની મર્યાદા ગંભીરતાથી લઈને હળવે સુધી કદાચ હોય છે. તેના લક્ષણો વચ્ચે વચ્ચે અટકી જાય છે, કદાચ તે જવલ્લે જ થાય છે, પણ તે મૌસમ પ્રમાણે અથવા દર મહીને, દર અઠવાડીયે અથવા રોજ થાય છે. ઘણા ગંભીર દાખલામાં આ લક્ષણો સતત ઉપસ્થિત હોય છે.

દમના રોગને લગતા લક્ષણો સાધારણપણે કેટલાક અંશે પરિવર્તનશીલ હોય છે, કોઇક લોકો દમના રોગની સાથે તેના લક્ષણોની જાણ સિવાય દિવસોના દિવસો કાઢી નાખે છે અને અચાનક તેની ગંભીર ઘટનાઓ દિવસોના અંત સુધી ચાલે છે. સૌથી સાધારણ લક્ષણ બંનેમાં, વૈદ્યમાં અને દર્દીમાં શ્વાસ લેતી વખતે થતો સિસોટીનો અવાજ છે. સિસોટીનો અવાજ કાઢવો એટલે સિસોટી વગાડવી અથવા ગરજવાનો અવાજ જે છાતીના શ્વાસ છોડવાથી આવે છે, તે કદાચ બુલંદ અથવા મુશ્કેલીથી સંભળાય તેવો હોય.

શ્વાસ લેતી વખતે સિસોટીનો અવાજ નીકળે છે, જ્યારે શ્વાસનળી જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ તે સંકોચાય જાય અને નીચે સુધી સાંકડી થઈ જાય છે, જેને લીધે ફેફસામાંથી આવતી હવામાં ધૃજારી થાય છે, કારણકે હવા દબાઈને સાંકડારસ્તામાંથી પસાર થવાની કોશિશ કરે છે. આ શ્વાસનળીનુ સાંકડુ થવુ હવાને સરળતાથી ફેફસામાંથી અંદર બહાર આવવા માટે અટકાવે છે, જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે (જેને વૈદ્યો ક્ર્ચ્છ્શ્વસનતા -(વૈદ્યો તેને dyspnea કહે છે.) લાળ જે શ્વાસનળીમાં સાધારણ રીતે બને છે, તે શ્વાસનળીમાંથી અને લકવાવાળા સ્નાયુઓના તાણ સાથે મગજમાંથી સરળ રીતે નીકળી શક્તી નથી. લાળ જમા થાય છે અને તેને લીધે ઉધરસની પ્રતિક્રિયા આપણા શરીરની વધારે પડતી લાળને શ્વાસમાંથી બહાર કાઢવા કોશિશ કરે છે. શ્વાસનળીમાં થતી આંકડી ઉધરસને ઉત્તેજીત કરે છે. કમનશીબે, નીચે બતાવેલ બદલાવ છેવટે ફાળો આપે છે, જે બીજા બદલાવો અને લક્ષણોને બગાડે છે.

દમના રોગનુ નિરીક્ષણ

  • થુંક જાડુ હોય શકે અને ચીકણું અને કદાચ eosinophils બતાવે છે
  • છાતીનો એક્સ રે અતિશય હવા ઉજાસવાળી છાતી બતાવે છે. તે બીજી શ્વાસ લેતી વખતે થતી તકલીફમાં ફરફ પાડવા મદદ કરે છે
  • જ્યારે દર્દીને તેનો ગંભીર હુમલો આવે છે, ત્યારે લોહીની ધોરીનસના વાયુનુ પરિક્ષણ આ રોગની ઉગ્રતા દર્શાવે છે
  • ફેફસાની કાર્યાત્મક કસોટી કદાચ અવરોધક શ્વાસ લેવાના રોગને બતાવશે

દમના રોગનુ રોકાણ અને તેનો ઉપચાર

દમના રોગનુ રોકાણ

  • એક જાણીતા allergens અથવા તેની પ્રતિક્રિયાને રોકીને એક માણસ દમના રોગના હુમલાને અટકાવી શકે છે
  • નિયમિત સંપર્કમાં રહેવુ જરૂરી છે.
  • એક ઉત્તેજક નહી કરતી દવા શ્વાસનળીને થતી દાહકતાને ઓછી કરે છે અને શ્વાસમાં થતો સિસોટી જેવો અવાજને રોકે છે જેને‘Preventers’ કહે છે.
  • અવરોધક દવાઓ વ્હેલી વાપરે તો ઉધરસને અને સિસોટી જેવો અવાજ જે શ્વાસ લેતી વખતે નીકળે છે તેને રોકવા મદદ કરે છે અને રોગને લાંબા સમય સુધી ચાલતો થવા રોકે છે.

દમનો ઉપચાર (Treatment of Asthma)

  • દવા શ્વાસ લેવાથી, મોઢેથી અથવા ઇંજેક્સનથી અપાય છે
  • Broncodilators ના લક્ષણોને ઝડપથી દુ:ખથી રાહત આપે છે અને એટલે તેને ઘણીવાર છુટ આપનાર ‘Relievers’ કહે છે
  • દવા જેવી કે salbutamol or terbutaline જે broncospasm ને રાહત આપે છે, તેને broncodilators કહેવાય છે
  • કોઇક દર્દીઓને શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ ઘણી ઓછીવાર આવે છે. ફક્ત મહીનામાં એક કે બે વાર અને હળવા હુમલા આવે છે, જે ફક્ત થોડા દિવસો ચાલે છે. આ દર્દીઓને ફક્ત broncodilators ની જરૂર હોય છે
  • Anticholinergic દવા ગંભીર ઘટનાઓમાં મદદ કરે છે, પણ તે ઘણી વાર ન વપરાય
  • Steroids બળતરાને ઓછી કરે છે. દમના રોગને શ્વાસનળીમાં અને તે બહુ અસરકારક છે

શ્વાસેથી લેવાતી દવાઓ(Inhaled medicines)

દવાને મોઢેથી આપી શકાય (દવાની ટીકડી/પ્રવાહી) અથવા શ્વાસ લેવાના રસ્તે. એ એક સાધારણ વિચાર છે કે શ્વાસ લીધેલ દવાઓ પ્રબળ દવાઓ છે અને માણસને તેની ટેવ પડી જાય છે અને દર્દી તેના શ્વાસ વાટે દવા લેવાના ઉપકરણનો પરાશ્રયી થઈ જાય છે. પણ આ એકદમ ખોટી વાત છે. વાસ્તવિક રીતે દવા જે શ્વાસ વડે આપવામાં આવે છે જે જલ્દી અસર કરે છે અને તે તદ્દન સુરક્ષિત છે કારણકે તેની માત્રા નાની છે અને તેની આડ અસર પણ ઓછી થાય છે.

શ્વાસેથી લેવાતી દવાઓ માટે તમારી ઉમર

  • તે બાર વર્ષથી મોટા બાળકોને અપાય છે
  • શ્વાશ લેતી દવા માટે ૬ વર્ષથી મોટી ઉમરના બાળકને ‘Rotahaler’ અપાય છે
  • ૪ વર્ષથી મોટી ઉમરના બાળકોને ‘Spacer’ સીધુ અપાય છે
  • શિશુને spacer સાથે હવા પુરી પાડવા માટેનુ ઉપકરણ વપરાય છે
  • એક ‘Nebuliser’ શિશુ માટે વપરાય છે જેઓ શ્વાસથી દવા નથી લઈ શકતા જ્યાં સુધી દમનો રોગ મટે નહી ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate