অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકનું આરોગ્ય

બાળકનું આરોગ્ય

  1. નાના બાળ પણ વધુ લાગણીશીલ
  2. નાના બાળકોનું સર્વોત્તમ આહાર
    1. જન્મથી ચાર મહિના સુધી
    2. સ્તનપાનના ફાયદા
    3. સ્તનપાનથી ગેરલાભ
    4. સ્તનપાનનો સમય
    5. પાણી
    6. વિટામિન્સ અને ખનિજ દ્રવ્યનો પુરવઠો
    7. શૂળ
    8. પ્રસન્ન, પ્રેમાળ વાતાવરણ
    9. ધન આહાર આપતી વખતે
    10. ધન પદાર્થ કેવી રીતે આપવું?
    11. માયક્રોવ્હેવ તથા બાળકનો અન્નપદાર્થ
    12. શાકભાંજી અને ફળો
    13. વિકસતાં બાળક માટે દૂધ
    14. કપથી પાણી પીવું
    15. ધાવણ છોડાતાં ખોરાક આપવું
    16. જીવવા માટે ઉપયુક્ત આહાર
    17. જીવન એક પાલકત્વ
  3. તમે અને તમારૂં બાળક
    1. મારૂં બાળક મારાથી કેવી રીતે સંવાદ કરશે?
    2. નવજાત બાળકની દૃષ્ટિ
  4. બાળકોમાં બહેરાપણું
    1. તમારૂં બાળક શું સાંભળી શકે છે
    2. બાળકની શ્રવણશક્તિ કેવી રીતે વિકસે છે?
    3. બાળકમાં શ્રવણનાદોષને કેવી રીતે ઓળખશો?

નાના બાળ પણ વધુ લાગણીશીલ

માર્ગદર્શક તત્ત્વ અને કેટલીક સૂચના - પાલકો માટે (વડીલો) :બાળક શાળામાં જતાં પહેલા શારિરીક, માનસિક અને સામાજિક સ્તર પર તેઓમાં ખુબ જલ્દી-જલ્દી પરિવર્તન થતાં દેખાય છે. આ વયમાં તેમની મિજાજા અને હાવભાવ મુંઝવણ ભરેલા હોય છે. ક્રોધ(અતિશય રડવું કે ચિડચિડીયો વર્તન) અને અનિયંત્રિત ઉદ્રેશ વર્તન તેમની મન:સ્થિતી દર્શાવતાં હોય છે.
"આરોગ્ય" તમારાં બાળક્ને સારી રીતે ઓળખવા/સમજી શકવાની, તથા તેના ભાવના વશ પરિસ્થિતિમાં આવતાં ચઢ-ઉતારને સમજવામાં મદદ કરશે. તેમના હાથ-પગ ખુબ નાંના હોય છે. તેઓ નાના કપડાં પહેતાં હોય, નાના રમક્ડાં તેમને ખુબ ગમે, તેમના મિત્રને વહાલથી ખવડાવવું, એ બઘુ સ્વાભાવિક છે. પંરતુ તેમની ભાવનાઓ ખુબ મોટા હોય છે.
શાળામાં જતાં પહેલાના (૨.૫ થી ૫ વર્ષ સુધીના) બાળકની ભાવના, ધ્યાન આપવાની વૃત્તિ, મદદ લેવાની માંગણી કરતાં હોય છે. તેઓમાં ભાવના અતિશય તીવ્ર, મુંઝવણ ભરેલા અને કઠિન હોય છે, તેઓ જલ્દી એકદમ રડવા લાગે અને પછી હસતાં હોય છે. તૈયાર થાવ! શાળામાં જતાં પહેલાની વચના બાળકના ભાવવિશ્વ અને એક જુદાજ વાતાવરણમાં તમો પ્રવેશ કરવાનો છે.

નાના બાળકોનું સર્વોત્તમ આહાર

જન્મયાં પછી પહેલા વર્ષમાં બાળકની વૃદ્ધિ અને વિકાસની ગતિ વધુ હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું વજન પહેલા ચાર મહિનામાં બે ગણી વધે છે, જો તેના પહેલા વર્ષગાંઠ સુધીમાં તેનું વિકાસ ત્રણ ગણું થાય છે. આવી આશ્ચર્યકારક વૃદ્ધિ માટે પૌષ્ટિક આહાર તથા જરૂરી કેલેરીનું મળવું જરૂરી છે. પૌષ્ટિક આહારની સાથે બાળક્ને આનંદિત વાતાવરણનું હોવું પણ જરૂરી છે. બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય તે માટે પાણી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ, ચરબીયુક્ત પદાર્થ જેવા કુલ ૪૦ પૌષ્ટીક ઘટકોનો તેના આહારમાં સમાવેશ થવો જોઇએ. ગર્ભનો પૂરેપુરો વિકાસ થયા પછી જન્મેલા બાળકના શરીરમાં (એક દિવસ) કેટલૉક સમય પુરે તેટલું પોષક હોય છે વિશેષ કરીને પાણીનો પુરવઠો હોય છે. બીજા અને ત્રીજા દિવસથી તમારા બાળક્ને પાણી અને પોષક તત્ત્વોની આવશ્યક્તા હોય છે.

જન્મથી ચાર મહિના સુધી

સ્તનપાન અથવા નુસખા :સ્તનપાન એ બાળકનો સર્વોત્તમ આહાર છે. પંરતુ આરોગ્યવિષય કોઇ તકલીફ હોય તેવા અથવા પહેંલાની જેમ પોતાના કામે બાહર જવાની શરૂઆત કરનારા તેઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શક્તાં નથી. આવા સમયે માતા બાહય દુધની મદદ લે છે.
જે માતા બાળકને પોતાનું દૂધ ધવરાવતી હોય તેને દરોજ વધારાના ૫૦૦ ગ્રામ કેલરીની જરૂર હોય છે. આ સિવાય ૪૦ મી.ગ્રા. કેલ્શિયમ તથા ૨૦ ગ્રામ પ્રોટીન તેને મળવા જોઇએ. તે માટે તેના આહારમાં દૂધ, દૂધથી પદાર્થો ઇડું, માંસ તથા બ્રેડ જેમાં પ્રોટીન અને વિટામિનયુક્ત પદાર્થ લેવા જોઇએ. તેમજ તે જેટલા પ્રમાણમાં પાણી પીશે તેટલા પ્રમાણમાં તેને દૂધ આવશે.

સ્તનપાનના ફાયદા

  • માતાનું દૂધ નવજાત શિશું માટે આવશ્યક એવા સર્વ પોષણયુક્ત હોય છે.
  • પહેલા કેટલાક અઠવાડિયામાં બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે આવા સમયે માતાનું દૂધ બાળકને સૂક્ષ્મ જીવ-જંતુઓથી સંરક્ષણ કરે છે.
  • બાળકને માતાનું દૂધ ઘવડાવવાથી તેને પેટને લગતાં અથવા જઠરને સંબંધી કોઇ વિકાર થતો નથી.

સ્તનપાનથી ગેરલાભ

  • આલ્કૉહોલ, કૉફીના અથવા ઔષધોમાંના બીન જરૂરી એવા ઘટકો સ્તનપાન દ્વારા બાળકના શરીરમાં પ્રવેશવાથી કેટલાક દુષ્ટ પરિણામો થઈ શકે છે. (તે માટે સ્તનપાનના સમયકાળ દરમ્યાન કૉફીન તથા દારૂનું સેવન માતાએ ઓછો કરવો જોઇએ અથવા ડૉક્ટરની સલાહનુસાર નશીલી દવાઓ લેવી જોઇએ.)
  • ઘણીવખત કામ કરતી વખતે બાળકની તરફ ધ્યાન આપવું અશક્ય હોય છે તો તેના મોંમા દૂધની બાટલી આપવું બીજા કેટલાક તુલનાની દૃષ્ટિએ સરળ છે.
’બાટલીનું દૂધ’ એ કેટલાક બાળકોમાં ખરાબ આદત પડી જાય છે. કેટલાક બાળકો મોંઢામાં દૂધની બાટલી લઈને સૂવે છે તો કેટલાક બાળકો દૂધની બાટલી લીધા વગર તેમને ઊંધ આવતી નથી. તેના પરિણામ રૂપે બાળકના દાંત જલ્દી ખરાબ થાય છે, કારણકે દૂધમાં નૈસર્ગિક શાકર હોય છે જેનું આવરણ દાંત ઉપર એકઠાં થાય છે જેને પરિણામે દાંત સડી જાય છે. 

સ્તનપાનનો સમય

દર ત્રણ કલાકે બાળક્ને દૂધની જરૂરીયાત હોય છે. પહેલા કેટલાક અઠવાડિયામાં સ્તનપાનમાં અનિયમિતતા થાય તો પણ બાળકને ભૂખ લાગે છે, પંરતુ જેમ-જેમ તેની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ તેની ભૂખમાં વધારો થાય તો માતાએ સ્તનપાનમાં નિયમિતતા જાળવવી પડે છે.

પાણી

મોટા બાળકો અને પુખ્તવયના લોકોની જેમજ નાના બાળકમાં દૂધની જેટલી જ પાણીની જરૂરીયાત હોય છે. પાણીના લીધે શરીરમાં રહેલા બીન જરૂરી પદાર્થો પેશાબ દ્વારા બાહર કાઢવામાં મદદ મળે છે. 
૧૮ પાઉન્ડ વજન સુધીના બાળકને તેના એક પાઉન્ડ વજન માટે ૧/૩ કપ પાણી લાગે છે. વજન વધારે હોય તો પાણી ઓછું લાગે છે. ઉદા. ૧૨ પાઉન્ડ વજનના બાળકને દિવસમાં ચાર કપ પાણી લાગે છે. એમાં કેટલાક દ્રવ્યની ઉણપ સ્તનપાન દ્વારા પુરી કરવામાં આવે છે. પંરતુ ઉનાળામાં આવા દ્રવ્યની બાળકને વધુ જરૂર હોય છે.

વિટામિન્સ અને ખનિજ દ્રવ્યનો પુરવઠો

સર્વસાધારણ બાળક માટે માતાનું દૂધ તેમજ કૃત્રિમ પાવડરના દૂધમાં પુરતા પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજ હોય છે. જો માતાના દૂધમાં અથવા પાવડરના દૂધમાં વિટામિન ’સી’ નું પ્રમાણ ઓછું હોય તો પણ તે બાળકની જરૂરીયાત પુરી કરે એટલી હોય છે. તો પણ માતાના દુધમાં વિટામિન્સ તથા ખનિજ બાળક દ્વારા વધારે શોષવામાં આવે છે. બાળકની વૃદ્ધિ પૂર્ણ થઈ હોય અને માતા પાસેથી યોગ્ય પોષણ મળ્યું હોય તો બાળકના શરીરમાં છ મહિના પુરે એટલો લોહનો જથ્થો હોય છે.

શૂળ

કેટલાક બાળકો સ્તનપાન પછી સતત ડરતાં હોય છે, કેટલાકને ઉલટી થાય છે આવું શૂળને લીધે થાય છે. બાળકના આહારમાં અથવા માતાના આહારમાં કેટલાક બાધક પદાર્થ આવવાથી દૂધ દ્વારા તે બાળકના પેટમાં જઈ તેનો ત્રાસ બાળકને થાય છે. કેટલાક બાળકમાં આ ત્રાસ વધારો થતો હોય છે આવા સમયે ગીત ગાઇને કે તેનાથી વાતો કરીને તેને શાંત કરવો જોઇએ.

પ્રસન્ન, પ્રેમાળ વાતાવરણ

નાના બાળક્ને સ્તનપાન કરાવતી વખતે માતાના ચેહરા પર ચિંતાના હાવભાવ જલ્દીથી દેખાય આવે છે, સ્તનપાન વખતે શકય એટલો વાતાવરણ આનંદી રાખવો. કુટુંબના હિતનો નિર્ણય પાલકોએ સમયસર લેવો મહત્ત્વનો હોય છે. બાળક્ને ધવરાવવા માટે કેટલી પણ ઉતાવણ કરી હોય તો પણ તે સમયે આજુ-બાજુનું વાતાવરણ આનંદી રાખવું, સ્તનપાન કરાવતી વખતે માતાએ કોઇ ગીત ગણગણવું, ઝુલાંવવું અથવા બાળક્થી વાતો કરીને વાતાવરણને આનંદીત રાખવો જોઇએ. આ પ્રેમાળ સ્પર્શ સિવાય બાળકની યોગ્ય વૃદ્ધિ, વિકાસ થઈ શક્તું નથી.

ધન આહાર આપતી વખતે

ધન આહાર આપતી વખતે એવું સૂચવવામાં આવે છે કે બાળક ૪ થી ૬ મહિનાનું થાય ત્યાં સુધી થોંભવું. ત્યાં સુધી બાળક ગર્દન સંભાળી શકે અને તેને સીધીં રાખી ટૂટા બેસીં શકે છે. તેને લીધે ચમચી દ્વારા અપાતું પદાર્થ વ્યવસ્થિત ગ્રહણ કરી શકે છે. ૪ થી ૬ મહિના પછી બાળકોને ધન પદાર્થમાંથી મળતાં પૌષ્ટિકતાની ખુબ જરૂરીયાત હોય છે. તો તેનું વજન બે ગણું વધતું હોય છે તથા આહારની માત્રામાં પણ વધારો થાય છે.

ધન પદાર્થ કેવી રીતે આપવું?

  1. ધનપદાર્થનો ખોરાક બાળકને ધીરે-ધીરે આપવાની શરૂઆત કરવી. શરૂઆતમાં બે થી ત્રણ ચમચી આપવું.
  2. એક વખતે એકજ નવું પદાર્થ તેને આપવું બીજો પદાર્થ આપવાની શરૂઆત કરતાં પહેલા કેટલાક દિવસ પહેલો પદાર્થ આપવાની આદત પાડવી. જેને લીધે તેને ક્યાં પદાર્થની અઁલજી તેને થાય છે તે ઓળખવામાં સહેલું પડે છે.
  3. ભાતના પાણીથી તેના આહારની શરૂઆત કરવી. બીજા ધાન્યની તુલનામાં ભાત ઓછો અસર કારક હોવાને લીધે આહારતજ્ઞો બાળકને ભાત ખવરાવવાનું વધારે આગ્રહ કરી લોહતત્ત્વયુકત ભાત આપવાનું વધારે જણાવતાં હોય છે. ભાતમાં લોહતત્ત્વ પ્રમાણે કરેલી, કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન તથા ચરબીયુકત પદાર્થનું સમતોલપણું જળવાય છે.
  4. બાળકને પહેલી વાર ધન આહારની આપતી વખતે સ્પર્શનું વધારે મહત્ત્વ છે. ધનપદાર્થ આપતી વખતે બાળકને વ્યવસ્થિત રીતે પકડીને બેસો.

માયક્રોવ્હેવ તથા બાળકનો અન્નપદાર્થ

બાળકનો અન્નપદાર્થ માયક્રોવ્હેવમાં ગરમ કરતી વખતે વિશેષ કરીને સાવધાની રાખવી જોઇએ. કારણ કે માયક્રોવ્હેવમાં(અસમાન ઉષ્ણતાને લીધે) પદાર્થ એક સખું ગરમ થતું નથી. કોઇ એક ભાગ વધારે ગરમ થઈ શકે છે. બાળકને ખવડાવતી વખતે કોઇ એક ચમચી ગરમ પદાર્થ જઈ શકે છે. જેને લીધે તેની જીભ દાઝી શકે છે. જયો બીજો ચમચો ઠંડા પદાર્થનો જઈ શકે છે. દરેક વખતે બાળકને અન્નપદાર્થ ગરમ કરીને ખવડાવવાની જરૂર નથી. તે સામાન્ય ઉષ્ણ હોય તો પણ ચાલે છે. જો માયક્રોવ્હેવમાં ગરમ કરેલ પદાર્થ આપવું હોયતો સારી રીતે હલાવીને ગરમ કરવું, એટલે તે બઘી બાજુએથી એક સરખું ગરમ થશે, તો પણ તે પદાર્થ ખવડાવતી વખતે એક વાર ખાત્રી કરીને લો અને પછી જ ખવડાવો.

શાકભાંજી અને ફળો

બાળકના આહારમાં શાકભાજીં અને ફળોનો સમાવેશ સાતમાં મહિનાથી આપવું તેમાંથી બાળકને વિટામિન ’એ’ તથા ’સી’ મળે છે. જો તમારૂં બાળક કોઇ વસ્તુ ચાવતું હોય તો તેને ઘટટ પદાર્થ અથવા ફળ આપી તેના ચાવીને ખાવાની કૌશલ્યમાં વધારો કરો. બાળક ૮ થી ૯ મહિનાનું થયા પછી તેને બાફેલા બટાટા, ગાજર, બીટ, ફેળા અથવા બિસ્કીટ જેવાં થોડા હળવાં પણ કઠણ પદાર્થ આપવામાં કોઇ નુકસાન નથી. આ સમયે બાળક્ને દાંત આવતાં હોવાથી તેને આવા પદાર્થ આપવાથી તે પોતાની ચાવવાની ક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકે છે.

વિકસતાં બાળક માટે દૂધ

બીજા પદાર્થ આપવાની શરૂઆત કરી હોય તો પણ છઠઠા મહિના સુધી માતાનું અથવા પાવડરનું દુધ એજ બાળકનું મુખ્ય ખોરાક હોય છે. સામન્યરીતે દશ થી બાર મહિનામાં બાળકના આહારમાં ઇંડામાં રહેલા પીળા ભાગનો સમાવેશ કરવો. બાળક એક વર્ષનો થાય નહીં ત્યાં સુધી તેને પુર્ણ ઇંડું આપવું નહીં. કારણ કે એક વર્ષની થયા પછી તેને થોડા પ્રમાણમાં ચીઝ આપવું.

કપથી પાણી પીવું

બાળક સામાન્યરીતે ૧૦ મહિનાનું થાય પછી મોટા માણસે તેના મોંઢા પાસે પાણીનો કપ ધરવાથી તે તેના દ્વારા પાણી પી શકે છે. તો તેને બાટલીની અવેજી તેને કપ દ્વારા પાણી, દૂધ, અને રસ પીવડાવવું. શરૂઆતમાં તેનું પ્રમાણ ઓછું રાખવું. અને ધીરે-ધીરે તેમાં વધારો કરવો આવા વખતે બાળકને સ્તનપાન અથવા બાટલીના દૂધની આદત છૂટે છે. કેટલાક બાળકોને હજું કેટલાક મહિના બાટલીની જરૂ પડતી હોય છે.

ધાવણ છોડાતાં ખોરાક આપવું

સામાન્ય રીતે બાળક ૧ વર્ષ પછી માતાનું દૂધ છોડતાં હોય છે. આ આદત એક વર્ષ પછી પણ ચાલુ હોય તો કપ વડે દૂધ અથવા પાણી પીવડાવીને તેની આ આદત છોડાવી શકાય છે. જે બાળકો ધનપદાર્થ કરતાં વધારો દૂધ લે છે, તેને પૌષ્ટિકતાની જરૂરીયાત પુરાતું નથી તે માટે પહેલા વર્ષથી બાળકને વિવિધ પ્રકારના અન્નપદાર્થ આપવું જોઇએ. દિવસમાં ફકત ૨ કપ દૂધ તેને આપવું.
કાચું દૂધ અને કાયું ઇંડુ એ નાના બાળક માટે યોગ્ય નથી. આવા અન્નથી સંસર્ગ જઈ શકે છે, તેના માટે હાનિકારક હોય શકે છે. બાળકને શક્ય ત્યાં સુધી ચૉકલેટ, આઇસ્ક્રિમ જેવા ઠંડા પદાર્થ, કાર્બનયુકત પ્રવાહી અથવા ચહા-કૉફી આપવું નહીં. તેમાંથી કેલરી મળતાં હોય તો પણ પોષણનું તત્વ ખુબ ઓછો હોય છે.

જીવવા માટે ઉપયુક્ત આહાર

ભવિષ્યના આયુષ્યની દૃષ્ટિએ સારી વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો નાનપણમાં જ યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવામાં આવવો જોઇએ. યોગ્ય વિકાસ અને વૃદ્ધિ એ કેલરી, પ્રોટીન, વિટામિનના યોગ્ય પુરવઠા પર અવલંબિત હોય છે. જમતી વખતે મન હમેંશા પ્રસન્ન રાખવો. માતા-પિતાજ આ માટે બાળકને મદદ કરી શકે છે, ખાવાની સારી આદત પાડતી વખતે ક્યો પદાર્થ પોષણયુકત છે તેની વડિલોએ બાળકને પટાવી આપવાથી તેનો આહાર સારો રાખવામાં મદદ મળે છે. વડિલોએ પોતાના બાળકને આરોગ્યદાયી તથા પૌષ્ટિક આહાર યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં આપવું જોઇએ.

જીવન એક પાલકત્વ

ઓહ, પાલકત્વ! તમને કોઇએ એવું જણાવ્યું નથી કે, આ એક સમય એવો આવશે કે, અકાળે વૃદ્ધત્વ આવ્યા જેવું લાગશે.  ભરદિવસે થાક્યા હોય એવું લાગશે. અને આ વાસ્તવિકતાના સબળ વિચારથી નૈરાશ્યપણું આવશે. 

વિશ્વાસ કરો અથવા ના કરો! :તમે અત્યારે પાલક થયા છો એ ધ્યાનમાં રાખો! બાળક તમારૂં છે અને તમે બાળકના છો.(ઘણા પાલકોને આની જાણ હોતી નથી.) પોતાને એકલા ના સમજતાં બાળકના સાન્ધિયમાં વધારે રહો.
પાલક હોવાની સૌથી સારી વાત એટલે તમો સર્વ બાબતોની માહિતી હોવી જરૂરી નથી. બાળકની વૃદ્ધિની સાથે-સાથે પાલકત્વની જવાબદારી વધે છે. બાળકની જરૂરીયાત પુર્ણ કરતા કરતા તેમાંથી બંનેને સમાધાન કેવી રીતે મેળવશો, તેનું તમે જાતે જ વિચાર કરી જુઓ. તેમાં જ સમાધાની રહો. 
જન્મથી એક વર્ષ સુધી :બાળકને સ્નાન કેવી રીતે કરાવવું? તેના કપડા ક્યારે, કેવી રીતે બદલવા? આ તમો શીખવું જોઇએ. વાંચીને, આપણા પાલકો અથવા ડૉકટરથી બોલીને આ સંબંધી માહિતી લેવી જોઇએ. 
બાળકને પ્રેમ કરો. :તમારા બાળકને જેટલો આનંદ, પ્રેમ અપાય એટલો આપો. બાળકથી બોલીને, હસીને, રમીને, તેને પ્રેમથી વહાલ કરતાં તેને ચુંબન લેતાં મૌજમસ્તી કરવી જોઇએ. તેનાથી બાળકો ચિડચિડ કરતા નથી. 
બાળકના ઉચ્ચારમાંથી અર્થ શોધો :નાના બાળકો મોંઢામી જે વિવિધ અવાજ કાઢતાં હોય છે તેમાં કોઇને કોઇ અર્થ છુપાયેલો હોય છે. ઉદા. મા ગ મા એટલે માં, પા ગ પા એટલે પપ્પા આવા જુદા-જુદા ઉચ્ચાર બાળક કરતા હોય છે. તેના સ્પષ્ટ ઉચ્ચાર બોલતો થાય ત્યાં સુધી તેના ચહેરા પના હાવભાવ સમજીને લેવા, તેનો યોગ્ય પ્રત્યુત્તર 

આપવો એ પાલકોની એક જવાબદારી છે. શારિરીક બળનો ઉપયોગ ના કરો:પાલક હોવાનો તાણ ખુબ જુદો હોય છે. પંરતુ બાળકને મારીને તે તેના પર વ્યકત ના કરો. 
બાળકોનું ઘડપડવું :બાળક પાપા પગલી ભરવા લાગે ત્યારે તે ઘરમાંથી બધી વસ્તુઓ ઉચકવાની કોશિશ કરે છે. શું લવ, શું ના લવ એવું તેને લાગતું હોય છે. પ્રત્યેક વસ્તુ તેના માટે નવીન હોય છે. તે લેવાની તેની ઘડપડ ચાલુ હોય છે.
નાના બાળકો આખા ઘરમાં ફરતા હોય છે. તેનું ધ્યાન રાખી તે કોઇ વસ્તુને હાથમાં ના લઈ શકે એવું આપણને લાગતું હોય અથવા કોઇ વસ્તુ ભૂલે ચુકે મોંઢામાં લેવાની શક્યતા હોય એવી વસ્તુ પાલકોએ પહેલાથી ઉપર મૂકી દેવી. સહજ રીતે આ ના કરો, તેને હાથ ના લગાવો. એવું વારંવાર બોલવાનું સમય આપણને આવશે નહી.
બંધન સાદો અને સરળ રાખો :તમારા ઘડપડતા બાળક્ને સુરક્ષિત રાખવું એ તમારૂં સાચો ધ્યેય છે. તે માટે આ ક, આ ના ક, એવી તેના પર લગાવવામાં આવેલ બંધન સાદો રાખવો. ખાવાપીવાની સારી આદતો પાડતી વખતે તેમાં જમતાં પહેલા હાથ ધોવા, જમ્યાં પછી કોગળાં એ સાદી ભાષામાં તેને સમજાવવું.
વિદ્યાર્થી વચ્ચે રસ દાખવવો :બાળકનું ગૃહકાર્ય તપાસો. શાળામાં શું બન્યું તે વિશેષ તેને પુછો. તેના મિત્રો પાસે તેના વિશેષ જાણો અને બાળકના શિક્ષકને મળવા માટે સમય કાઢો.
સંપર્ક સાધો :બાળકની બોલવું તથા તેનું કહેવું ધ્યાનપૂર્વક સાંભળવું આ રીતે પાલકોએ આળકથી સંપર્ક કરવાનો ઉત્તમ માર્ગ છે.
યુવાવસ્થામાં પ્રવેશના મુંઝવણમાં ના મુકાવો :યુવાવસ્થા શું હોય છે તે વયમાં આવતાં બાળકોને પહેલાથી સમજાવો, તથા તેનામાં થતાં શારિરીક બદલ સમજાવી તેને માનસિક રીતે તૈયાર કરો. બાળક્ને જીવન વિશેષ સમજાવતાં ’તે મને ખબર છે’ એવું કહેવાનું પ્રયત્ન કરતાં હોય છે. તે તરફ દુર્લક્ષ કરી તેને જીવન બદલની માહિતી વસ્તુસ્થિત યોગ્યરીતે ઓળખાવી આપો. આ બઘુ કહેવાનું આગ્રહ એટલે કે તમે એકજ એવા છો જે તમારા બાળકની ભાવનાને યોગ્ય રીતે ઓળખાવી આપો. 

મિત્રોની સામે બાળક પર પ્રેમ બતાવો નહી તથા તેના પર ગુસ્સે થાવ નહીં. પછીથી તેની ભુલ બતાવતા તેની કેટલીક કાળજી છે તેને ધ્યાનમાં આવે તે રીતે કહો. જુના મુલ્યો, નિયમો બાજુમાં રાખો. બાળકથી મિત્રોની જેમ વર્તો. તેમને તેમની પદ્ધતીથી જીવવા દો. આ રીતે તેના પર વધો વિશ્વાસ- રાખતાં બાળક જવાબાઘી પૂર્વક વર્તે છે.

શિસ્ત :બાળકમા શિસ્ત લાવવૂ એ પાલકની સૌથી મહત્વની જવાબદારી છે. બાળકમા વર્તનમા વાંરવાર ઐકજ ભુલ કરતા હો અને આ ભુલ ટાલવાની કોશિશ કરતા હોય તો ભુલને કેવી રીતે સુધારવી તે તેમને યોગ્ય રીતે સમજાવીને કહેવામા આવવી જાઇએ ભુલની ગંભીરતાને ઘ્યાનમાં લઈ તે પ્રમાણે તેને કડક શબ્દમાં તેની જાણ કરાવવી જોઈએ
શિસ્ત લાવવા માટે લાલચ કે લોભ દાખવવુ એ ઉપયોગી ઠરતુ નથી. તેને કરેલા સારા કાર્ય બદલ તેને પ્રેમથી પિઠ પર શાબાશી આપવાથી બાલકો સારા પ્રતિસાદ આપતા હોય છે.
જો યોગ્ય અપેક્ષાની પૂર્તતા થતી નથી, તો શિસ્તતા શું છે તે વિશે તેમને જણાવો. તમારી તેના બદલ શું અપેક્ષા છે તેનુ પહેલાથી સુયના આપી સ્પષ્ટતા કરો. 
સમાધાની હો. સંબઘી, દાદા-દાદી સામે પ્રેમનો આવેશ દાબવી તેઓનો શિસ્તને બગડવા ના દો.
બાલક પાસેથી તમારી અપેક્ષા પૂર્ણ થાય છે કે નહીં તેની વખતોવખત તપાસ કરતા રહો. બાળક કાયમ નિર્દોષ હોતા. નથી અને પાપ કદી સદૈવ પરીપૂર્ણ હોતા નથી. જો બાળક પાસેથી તમારી અપેક્ષાપૂર્ણ થતી ના હોય તો તે અપેક્ષા ગૈરવ્યાજબી તો નથી ને તેની તપાસ કરો અને હોય તો તેની જલ્દીમાં જલ્દી તેને બદલો. 
શિસ્ત પાલન કરતી વખતે છોકરા-છોકરીના વર્તનમાં ફેરફાર ના કરો બંને માટે સમાન શિસ્તનું પાલન કરો

તમે અને તમારૂં બાળક

ઘણાં દિવસો, મહિનાઓના પ્રતિક્ષા પછી એ દિવસ ઉગે છે અને તમે પાલક બનો છો. બાળકનો જન્મદિવસ એ પાલકના આયુષ્યમાં એક મહત્વનો દિવસ હોય છે. પહેલી વાર માતા-પિતા બનતા તમે પણ મુંઝવણમાં મુકાય જાવ છો. બાળકના જન્મ પછી પહેલો દિવસએ તમારા આયુષ્યમાંનો એક મહત્વનો દિવસ હોય છે.

મારૂં બાળક મારાથી કેવી રીતે સંવાદ કરશે?

’ડરવું’ એ તમારા બાળક્નું તમારાથી સંવાદ સાધવાની મહત્વની પદ્ધતી છે. પંરતુ તેની પાસે તમારાથી સંવાદ કરવાનું બીજા પણ કેટલાક માર્ગ છે. ’બાળકનું ડરવું’ એ તેનામાં કઈંક ખોટું થવાની ચિન્હ હોય છે. એટલે કે તમે તેના તરફ ધ્યાન આપો, ભુખ લાગી હોય, કપંડા ભીના થયા હોય, ઠંડી લાગવી અથવા મને ખોળામાં લો એવું તેનું તમને કહેવું હોય છે. બાળક શા માટે ડરતું હોય છે તે તમને ધીરે-ધીરે તમે સમજવા માડોં છો અને તમે તેનો પ્રતિસાદ આપવા લાગો છો. હું ભ્ખ્યો છું તે કહેવા માટે તે ધીમેથી રડશે પંરતુ હું ખુબ દુ:ખી છું એવું કહેવા માટે તે મોટે મોટેશી રડશે.
કેટલીક વાર બાળકના કરવાના વિશિષ્ટ કારણ ન સમજતાં તમો બાળક્ને શાંત કરી શકતા નથી. આવા સમયે પાલકોએ નિરાશ થવું નહીં કારણ કે મન પરના તાણને દૂર કરવા માટે બાળક મોટે મોટેથી રડતાં હોય છે.
નવજાતશિશુ જુદા-જુદા અવાજ કરીને તમને કંઇક કહેવાનું પ્રયત્ન કરતાં હોય છે. તે સમજવા માટે તમારી બોલવાથી તે કેવો પ્રતિસાદ કરે છે તે તરફ તમો ધ્યાન આપવું જોઇએ. બાળકને ખવડાવતી વખતે, રમાડતી વખતે, વહાલ કરતી વખતે તમો તેનાથી ધીમેથી વાતો કરો અને તમારી વાતને તે કયાં પદ્ધતીથી સાંભળે છે તે જુઓ. જો તમે પ્રેમથી તેની સાથે વાતો કરો છો તો તે તમારી વાતોને વધારે ધ્યાનથી સાંભળે છે એવું તમારી ધ્યાનમાં આવશે.
બાળક જો એક મહિનાનું થાય તો હાસ્યાનું ક્ષણિક દર્શન થશે. ત્યાર પછી કદાચિત તે જોશ જોશથી ખડખડાટ હસવા લાગશે.

નવજાત બાળકની દૃષ્ટિ

 

તે શું જોઇ શકે છે :નવીન જન્મેલ બાળક ૧૦ ઇંચના વસ્તુ સ્પષ્ટ પણે જોઇ શકે છે. માનવી ચહેરા અને હલનચલન જેવા વિષય પર તેની આંખો અતિશય સંવેદનશીલ હોય છે. નવજાત બાળકમાં રંગનુ જ્ઞાન શરૂઆતમાં લાલ તથા હળવાં અથવા ઘાટટા રંગો પુરતું મર્યાદિત હોય છે. ધીરે-ધીરે તેનામાં લીલાં અને પીળાં રંગનો સમાવેશ થાય છે.
બાળકની દૃષ્ટિ પૂર્ણ રીતે ક્યારે વિકસિત થાય છે? :બાળક જો ૪ મહિનાનું થાય તો તેની દૃષ્ટિ ત્રણ પરિણામ હોય છે. અને ૬ મહિના થયા પછી બાળકની દૃષ્ટિ પૂર્ણ રીતે વિકાસ થાય છે.
બાળકનું દૃષ્ટિદોષને કેવી રીતે ઓળખશો? :પાપા પગલી ભરતી વખતે બાળકની સામે કોઇ સાધન કે અડચણ આવવાથી પડી જાય અથવા તેમની સામે દડો ફેકવાથી તે દિશા તરફ જતા ના હોય તો તેવા આળકોમાં દૃષ્ટિદોષ હોવાનું નિશ્ચિત રીતે કહી શકાય. બાળકોમાં દૃષ્ટિ બદલ થતો હોય છે, આંખ ત્રાસી થવા બાબત સાવધાન રહો.

બાળકોમાં બહેરાપણું

તમારૂં બાળક શું સાંભળી શકે છે

નાના બાળકો મોટા અવાજ કઈ દિશામાંથી આવે છે તે દિશા તરફ તેમની નજર જાય છે. સાંભળવું અને બોલવું એ એકબીજાનું પરસ્પર સંબંધ છે. ત્રણ મહિના સુધી બાળકને તેના માતા-પિતા પાસેથી કેટલાક અવાજો સાંભળી શકે છે. અને ઓળખેલા અવાજ સામે તેની કેટલીક પ્રતિક્રિયા કરતાં હોય છે.

બાળકની શ્રવણશક્તિ કેવી રીતે વિકસે છે?

બાળકનો વિકાસ થતી વખતે તે ગુસ્સા અને પ્રેમની ભાવનામાં તફાવત સમજી શકે છે. વિવિધ અવાજ બાળકને સંવાદ સાધવા માટે મદદ કરે છે. ખવરાવતી વખતે, સ્નાન કરાવતી વખતે, તેનાથી રમતી માતાએ તેની સાથે સતત વાતો કરવી જોઇએ.

બાળકમાં શ્રવણનાદોષને કેવી રીતે ઓળખશો?

સાંભળવું અને બોલવું એનું પરસ્પરસંબંધ છે. જો તમારૂં બાળક ૩ વર્ષનો થયા પછી પણ બોલી શકતુ ના હોય તો તે માટે તમારા ડૉક્ટરની સલાહ લેવું યોગ્ય છે. શ્રવણદોષ હોય તો તમારૂં બાળક બોલી શક્તુ નથી.

સ્ત્રોત: આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate