રાત્રીનાં ભોજનમાં શું લેવું શું ન લેવું ?
વ્યક્તિએ શું લેવું ?
- ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં.
- શિયાળામાં ગરમી ને શકિત આપે તેવાં શાક અને ખોરાક લેવા.
- ચોમાસામાં સાદો, સાત્ત્વિક અને હલકો ખોરાક લેવો.
- ખોરાકમાં વિવિધ વિટામિનો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેકવિધ ક્ષારો આપતા ખોરાક લેવા.
- રાતના બને તો હળવો ખોરાક લેવો. દૂધ ઉત્તમ છે. કેમકે તે સમતોલ ખોરાક છે.
- દરરોજ તુવેરની દાળ ન વાપરતાં મગ, ચણા, વટાણા, વાલ વગેરે દાળ વાપરવી.
- રોજ અલગ – અલગ શાકભાજી કરવી, જેથી બધી જાતોનાં પૌષ્ટિક તત્વો મળી રહે.
- ઋતુમાં આવતાં ફળો અને કાચાં શાકોનો કચુંબર – રાયતાં તરીકે ઉપયોગ કરવો.
- વ્યકિતએ દરરોજ ૩ લિટર પાણી લેવું આવશ્યક છે.
વ્યક્તિએ શું ન લેવું ?
- અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થો ન લેવા.
- રાતના દહીં, છાશ, કઢી, મોગરી, મૂળા, ગાજર ન ખાવાં.
- રાત્રે કઠોળ-વાલ, વટાણા, ચોળા, અડદ ન લેવાં.
- દૂઘ સાથે મગ, અડદ, ખીચડી, કાંદા ન લેવાં.
- મેંદાના લોટની વાનગી પ્રમાણમાં ઓછી ખાવી.
- અતિ પાકેલા કે બગડેલી છાલવાળાં શાકભાજી કે ફળોનો ઉપયોગ ન કરવો.
- વધુ પડતા મરી મસાલા, મરચાં, ખારાવાળો ખોરાક ન લેવો.
- વાસી ખોરાકનો કોઈ દિવસ ઉપયોગ ન કરવો.
- અતિ ખાંડ કે અતિ મીઠાનો ઉપયોગ ન કરવો.
- ખોરાકમાં બને તો વનસ્પતિ ઘીનો ઉપયોગ ન કરવો, પરંતુ હ્રદયરોગ અટકાવવા કપાસિયાનું કે સૂર્યમુખીનું તેલ વાપરો.
- ગીતામાં કહ્યું છેઃ વ્યકિત જેવો આહાર-સાત્વિક, રાજસી, તામસી લે છે તેવો તેનો સ્વભાવ થાય છે.
- સાદો, સ્નિગ્ધ,શરીરને પોષણ આપનાર ખોરાક સાત્વિક આહાર છે.
- તીખા, આટા, અતિ કડક, મસાલેદાર, ખારા, હ્રદયમાં દાહ કરનાર ખોરાક રાજ આહાર છે.
- ટાઢો, વાસી, ઊતરી ગયેલ, વાસ મારતો અને અપવિત્ર ખોરાક તામસ આહાર છે.
ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.