અડદિયો વા (ચહેરાનો લકવા): અખરોટના તેલનું રોજ ચહેરા પર માલીસ કરવું.
વાયુની પીડાઃ અખરોટના મગજને વાટી, પાણી નાખી ગરમ કરી, દુખાવા પર તેનો લેપ કરવો. પછી એક ઈંટ ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી, કપડાંમાં લપેટી, તે ઈંટ વડે દુખાવાની જગ્યાએ લેપ કરવાથી શીઘ્ર પીડા મટશે.
ગાંઠિયો વા (સંધિવા): રોજ અખરોટનું સેવન કરવાથી રકતશુધ્ધિ થઈ દર્દ મટે છે.
સોજાઃ અખરોટનું તેલ ૧૦ થી ૩૦ ગ્રામ જેટલું દરરોજ ગોમૂત્ર સાજે પીવાથી વાતદોષજન્ય આખા શરીરના સોજા મટે છે. તેલ ન મળે તો અખરોટના મગજના પાવડરને કાંજી સાથે વાટી ગરમ કરી સોજા પર લેપ કરવો.
ધાવણ વધારવાઃ અખરોટનો પાવડર કરી, ઘઉંના રવામાં ભેળવી, તેને ઘીમાં શેકી, દૂધ અને ખાંડ નાખી શીરો બનાવી રોજ ખાવાથી માતાને ધાવણ વધે અથવા અખરોટનાં પાન ચૂર્ણ અને ઘઉંના રવાની ઘીમાં પુરી બનાવી ખાવી.
મગજની નબળાઈઃ અખરોટના મગજનું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારાં, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.
માસિક સાફ લાવવાઃ અખરોટનાં છોડાનો પાણીમાં ઉકાળો બનાવી તેમાં જૂનો ગોળ મેળવીને પીવાથી બહેનોને ચડી ગયેલું માસિક શરૂ થાય છે.
કોલેરાઃ ઝાડા-ઊલટીમાં દર્દીને અખરોટના તેલનું માલીસ કરવું.
વૃધ્દ્રોની શકિત વધારવાઃ અખરોટનાં મીંજ ૧૦ ગ્રામને સમભાગ દ્રાક્ષ સાથે નિત્ય ખાવાથી વૃધ્ધોના શરીરમાં શકિત વધે છે.
અખરોટનું તેલઃ અખરોટના તેલમાં એરંડિયા જેવા જ ગુણો હોય છે. આ તેલ ખાવાથી કૃમિ (ટેપ વર્મ) મટે છે, ઝાડો સાફ આવે છે અને વિકૃત પિત્ત નાશ પામે છે. અખરોટનું તેલ સ્વાદે મધુર અને પિત્ત પ્રકૃતિવાળાને ભારે પડે છે. પણ તે કફ અને આફરો દૂર કરે છે અને વાળને પુષ્ટિ આપે છે. દૃષ્ટિદોષ (ચશ્માં) દૂર કરવા અખરોટનું તેલ આંખો પર રોજ બહારથી માલીસ કરવું અને આ તેલ રોજ ખાવું. આ તેલની પીવાની માત્રા મોટી વ્યકિત માટે ૨૦ થી ૪૦ ગ્રામ સુધીની છે.
દંતમંજનઃ અખરોટનાં ઉપરનાં છોડાં (કાચલાં) ને બાળી તેના કોલસાનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ, કાંટાળા માયુ ૧૦ ગ્રામ, જેઠીમધ ચૂર્ણ ૫૦ ગ્રામ, કાચી ફટકડી ૫ ગ્રામ, વાવડિંગ ૧૫ ગ્રામ – આ બધાનું બારીક ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૫ ગ્રામ બરાસ કપૂર થોડા પાવડરમાં વાટીને ભેળવી લો. આ મંજન મજબૂત ઢાંકણવાળી શીશીમાં ભરી લો. નિત્ય આ દંતમંજન દાંતે ઘસવાથી દાંત ઊજળા દૂધ જેવા થાય છે. દાંત-દાઢનો સડો કે તેની પીડા મટે છે. ખૌતમાંથી લોહી આવતું હોય તોપણ લાભ થાય છે. સસ્તું છતાં ઉત્તમ દંતમંજન હોઈ, કોઈપણ વ્યકિત તે ઘેર બનાવી તેના લાભ ઉઠાવી શકે છે.
સ્ત્રોત : ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020