આંખોમાંથી પુષ્કળ પાણી નીકળવા મંડે છે અને આંખોનો સફેદ ભાગ લોહી જેવો લાલ અથવા ગુલાબી થઈ જાય છે. આંખો હલાવો ત્યારે બહુ દુખે છે અને ઉજાસની સામે વધારે પડતી સંવેદનશીલ થાય છે. કોઇકવાર આંખોના પોપચામાંથી પરૂ નીકળવા મંડે છે.
ડૉક્ટરો નેત્રસ્તરના સોજાનુ નિદાન તેના લક્ષણો અને આંખોને સુક્ષ્મદર્શકની નીચે તપાસીને જુએ છે. આ નિર્ણય ઉપર આધારીત તેનુ કારણ સાધારણરીતે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે આંખોમાંથી રંગીત પાણી નીકળવુ સામાન્યપણે જીવાણુના ચેપને લીધે થાય છે, પણ જ્યારે ખંજોરવુ અને આંખોમાંથી પાણી નીકળવાના મુખ્ય લક્ષણો દેખાય છે ત્યારે તેનુ મુખ્ય કારણ આડ અસર હોય છે. રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુવાળા નેત્રસ્તરના સોજામાં સાધારણપણે પાણી પડતુ નથી, પણ તે લાલ થઈ જાય છે અને ફાટી જઈને આંખોની પાપણ નીચે એક નાની કોથળી બનાવે છે.
નેત્રસ્તરનો સોજો સરળતાથી અને ઝડપથી ફેલાય છે. એક માણસે તેનુ સ્વાસ્થય સંભાળવુ જોઇએ. કુંટુંબમાંથી કોઇ એક સભ્યને પણ નેત્રસ્તરના સોજાનુ નિદાન થાય નીચે બતાવેલ પ્રમાણે પગલા ભરવા.
સામાન્યરીતે એક ચિકિત્સક જીંવાણુનાશક દવા અને બીજો કોઇ ઉપચાર જેવો કે આંખમાં ટીપા નાખવાનુ કહેશે. તેમ છતા આંખોના ટીપા લાંબા સમય સુધી વાપરવા તમારી આંખોની બળતરા વધારશે. નેત્રસ્તરનો સોજો એક આડ અસરને લીધે કદાચ થાય છે, તેના ઉપર corticosteroid દવાનો ઉપચાર કરાય છે. કાળા ચશ્મા તેજ પ્રકાશની સામે રક્ષણ આપે છે, પણ એક આંખ ઉપર બંધાતો પાટો તેની બળતરા વધારે છે. જો આંખો દુખતી હોય તો એક હળવી દુખ મટાડવાની દવા જેવી કે acetaminophen આરામ પહોચાડે છે. આંખોને ચોળવી ન જોઇએ એ એક બહુ મહત્વનુ છે, કારણકે આ નેત્રસ્તરનો સોજો બીજી આંખ ઉપર તેને પહોચાડશે. કોઇ કારણને લીધે દર્દીઓ જેને નેત્રસ્તરનો સોજો છે તેઓએ તેમના હાથ ઘણીવાર ધોવા જોઇએ અને જુદા ટુવાલો વાપરવા જોઇએ જેને લીધે આ રોગનુ બીજા ઉપર પ્રાસરણ થતુ રોકાય.
સ્ત્રોત: આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/9/2019