આજ્ઞાચક્રનું કેન્દ્રબિંદુ કરોડરજ્જુની ટોચ પર કપાળની વચ્ચોવચ આવેલ છે. એ મેડ્યુલા ઓબ્લોગેન્ટા અને પિનિયલ ગ્રંથિની વચ્ચેના ભાગમાં આવેલ છે. ભ્રૂમધ્ય, એ આજ્ઞાનું ડાયરેક્ટ ટ્રિગર અથવા તો સ્વિચ છે જે કપાળ પર બે ભ્રમરોની વચ્ચે આવે છે. આજ્ઞા પ્રત્યક્ષ રીતે અને હોરિઝોન્ટલી ભ્રૂમધ્યની પાછળ આવેલ છે. કપૂરનું એક ટીપું અથવા જરૂરી તેલનું ટીપું કપાળ પર આઇબ્રો (ભ્રમરો)ની વચ્ચોવચ લગાવી શકાય જેથી ભ્રૂમધ્યના ચોક્કસ સ્થાનની અનુભૂતિ થઈ શકે.
મોટે ભાગે તમામ યોગિક પ્રેક્ટિસનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજ્ઞાચક્રને જાગૃત કરવા સાથે છે. નીચે એવી થોડીક બાબતો છે જે આજ્ઞાચક્રના સ્થાન બાબતે સેન્સિટિવિટી સમાંતર રીતે વિકસાવે છે.
આ એક પાવરફુલ ટેકનિક છે. એ આજ્ઞાચક્રના સ્થાન અને ભ્રૂમધ્ય અંગે સેન્સિટિવિટી વિકસાવવામાં મદદ કરે છે. એ માટે મીણબત્તી બહુ સારી ચીજ છે. જો ત્રાટક શ્વાસ પર ધ્યાન રાખીને કરવામાં આવે તો એ આજ્ઞાચક્રને સક્રિય કરવા માટે બહુ જ પાવરફુલ છે. તમને ફીલ થશે કે શ્વાસ જ્યારે મહાનાડીમાંથી આવનજાવન કરે છે ત્યારે આજ્ઞા અને ભ્રૂમધ્ય બંનેને વીંધે છે. એટલે તમે જ્યારે શ્વાસ લો ત્યારે ફીલ કરો કે શ્વાસ આઇબ્રો સેન્ટરમાં થઈને ખેંચાય છે જે સાથે સાથે આજ્ઞાને વીંધીને જાય છે. જ્યારે મીણબત્તીની જ્યોત પર નજર કેન્દ્રિત કરો ત્યારે આ રીતે ચાલુ રાખો.
શબ્દ સંધાનમનો અર્થ છે “શોધ.” એટલે આ પ્રેક્ટિસને “ભ્રૂમધ્યના સ્થાનની શોધ” પણ કહી શકાય..
સ્ત્રોત: ફેમિના, નવગુજરત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020