યોગિક શિસ્તે મને સબહ્યુમન લેવલથી ઊંચકી છે અને મને એક આત્મવિશ્વાસસભર, મારા પ્રયાસોમાં સિન્સિયર, મહેનતુ, પ્રમાણિક, મારી સ્પષ્ટ વિચારધારા અને સભાનતમાં ચોખ્ખી એવી મહિલા બનાવી છે. મને એનું ગૌરવ છે કે યોગનો આ સંદેશ આસપાસની દુનિયામાં તમામ લોકો માટે હું મારા ઘણા વિદ્યાર્થીઓ સાથે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, બૌદ્ધિક સ્પષ્ટતા અને સ્પિરિચ્યુઅલ સૉલાસ કેરી ફોરવર્ડ કરી રહી છું. .
જ્યારે તમે યોગની પ્રેક્ટિસ કરો છો, ત્યારે એ કેવળ ફિઝીકલ પોશ્ચર્સ નથી, પણ તમારા શરીરની દરેક મુદ્રા સાથે, મનની પ્રવૃત્તિ અને મોશન તેમ જ દરેક શ્વાસ, ભૌતિક-શારીરિક-માનસિક અને બૌદ્ધિક સ્તર પણ એકસરખાં સંતુલિત થાય છે. દેખીતી રીતે જ યોગની આખીય ફિલસૂફીને એકત્ર કરી, પદ્ધતિસર બનાવવી અને એ દરેકને કોડીફાય કરવાનું શ્રેય પતંજલિ યોગને જાય છે. યોગ વર્તમાનમાં આખીય દુનિયામાં થાય છે. પણ મારે માટે યોગની પ્રેક્ટિસ પતંજલિ યોગસૂત્રના સિદ્ધાંતોથી શરૂ થાય છે અને ત્યાં પૂરી થાય છે. પતંજલિનો પહેલો સિદ્ધાંત છે સ્થિરમ્ સુખમ્ આસન. યોગની પ્રેક્ટિસ કરનાર દરેક પ્રેક્ટિસ કરતી વખતે સ્ટેબિલિટી અનુભવે છે. જો તમે થોડીવાર પણ એક જ મુદ્રામાં બેસી નથી શકતા અને સતત હલનચલન કરો છો તો એ યોગ નથી. જ્યારે તમે કોઈ એક આસન લાંબો સમય ધારણ કરી રાખો છો, ત્યારે સ્ટેબિલિટી આવે છે. તમે કોઈ પણ આસનનું નામ આપો, હું આરામથી એ આસનમાં ગમે તે સમયે નોર્મલ શ્વાસ અને ખુશી સાથે સૂઈ શકું છું. એને યોગ કહેવાય.
સ્ત્રોત: પૂર્વી શાહ, ફેમિના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020