આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે.
મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો.
પદ્ધતિ :
- સૌ પ્રથમ બંને પગ સીધા રાખી બેઠક લો.
- હવે કોઈ એક પગને હાથ વડે ઊંચકી ગરદનની પાછળ ધીમેથી ગોઠવો.
- પગ માથા પરથી સરકી ન જાય તે માટે ગરદનને ઉપરની તરફ ખેંચી રાખો.
- બીજા પગને સીધો જ રાખો અથવા ઘૂંટણમાંથી વળી થાપા તરફ ગોઠવો.
- હવે બંને હાથ વડે નમસ્કારની મુદ્રા લો.
- કમરમાંથી સીધા થાઓ.
- શ્વાસને યથાશક્તિ અંદરની તરફ રોકી રાખો.
- આ જ રીતે, પગ બદલીને બીજી બાજુ પણ આ આસન કરી શકાય.
- યથાશક્તિ આ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- પગને ધીમે ધામે માથા ઉપર ગોઠવો.
- સ્થિરતાપૂર્વક આ આસન કરવું.
- શરૂઆતમાં પગની કોઈ કસરત કરી બાદમાં આ આસન કરવું.
- કોઈ ઉતાવળ કરવી નહિ.
ફાયદા :
- પગના સ્નાયુઓને સ્ફુર્તિ મળે છે.
- શરીરના આંતરિક અવયવોને વ્યાયામ મળે છે.
- પેટના રોગો મટે છે.
- પગના સાંધાના દુઃખાવા મટે છે.
- હાથના સ્નાયુ મજબૂત બને છે.
- શરીરમાં સમતોલનપણું આવે છે.
- માનસિક એકાગ્રતા વધે છે.
- પગના સ્નાયુઓ મજબૂત બને છે.
- પેટની વધારાની ચરબી ધીમે ધીમે ઘટે છે.
- કબજિયાત, અપચો કે ગૅસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
- પાચનતંત્ર મજબૂત બને છે.
સ્ત્રોત :ઝીગ્યા બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.