অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો

  • અજીર્ણ - હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે - રાત્રે પાણી સાથે લેવું
  • અતિસાર - મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય.
  • અનિંદ્રા - ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું.
  • અમ્લપિત - એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રૉજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું.
  • અરુચિ - ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું.
  • અલસક – જૂની કબજિયાત - જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું.
  • અસ્થિભંગ - હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી.
  • આમવાત - નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો.
  • આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી.
  • આંચકી - શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો.
  • આંજણી - રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું.
  • ઊદરશૂળ - પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો.
  • ઉધરસ - ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું.
  • ઊનવા - ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.
  • ઊરઃક્ષત - છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું.
  • ઊલટી - ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું.
  • કબજિયાત - હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. 18. કમળો - કુમળા મૂળા ખવરાવવા.
  • કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં.
  • કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો.
  • કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું.
  • કૃશતા (વજન ઓછું હોવું) - દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી.
  • કંઠમાળ - કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.
  • કેન્સરની ગાંઠ - વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો.
  • કોઢ - ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. 26. કોલેરા - પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી.
  • ક્ષય (ટી.બી.) - બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં.
  • ખરજવું - લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો.
  • ખીલ - લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.
  • ખૂજલી - સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.
  • ગ્રહણી - કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે - સાંજે લેવી.
  • ગાંડપણ - જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.
  • ગૂમડાં - લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી, લીમડાનો રસ પણ પીવડાવવો.
  • ગેસ - શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
  • ગોળો - તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો.
  • ચામડીના રોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો.

 

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate