મહી નદી ભારતની પશ્ચિમ તરફ વહેતી એક મોટી નદી છે,જે ખંભાતના અખાતને મળે છે.આ પરિસર ઉત્તરે અને ઉત્તરપશ્ચિમે અરવલ્લી ડુંગરોથી ,પુર્વમા ચંબલ પરીસરની પર્વતોની ધાર,દક્ષિણમાં વિંધ્યાસ અને પશ્ચિમે ખંભાતના અખાતથી ઘેરાયેલ છે. પરિસરની મહત્તમ પહોળાઇ ૨૫૦ કિ.મી છે. અક્ષાંશ ૨૨° ૩૫° અને રેખાંશ ૭૪° ૫૮° પાસે વિંધ્યાસના ઉત્તરીય ઢાળ પાસેથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર ગામેથી સમુદ્ર સ્તરથી ૫૦૦મી.ઉંચાઇ પરથી નીકળે છે. તેની કુલ લંબાઇ ૫૮૩કિ.મી છે. જે મધ્યપ્રદેશ,રાજસ્થાન,અને ગુજરાતમાથી પસાર થાય છે. તેનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૪૮૪૨ચો.કિ.મી છે.
મહી નદી શરુઆતમાં મધ્યપ્રદેશના ધાર અને જામ્બુઆ જિલ્લામાથી ઉત્તર તરફ વહે છે અનેપછી ડાબી બાજુએ વળી મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં થઇ ફરીથી ઉત્તર પશ્ચિમ તરફ વળી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પ્રવેશ્યા પછી દક્ષિણ પશ્ચિમ દિશામાં થઇ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પ્રવશે છે.ત્યારબાદ એજ દિશામાં સતતપણે વહી ગુજરાતના ખેડા જિલ્લામાં થઇ અંતે અરબી સમુદ્રમાં ખંભાતના અખાતને મળે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020