অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહનો

પરિચય:

નાણાં પ્રધાને તેમની 2006-07(ફકરો-38-કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો હેઠળ ભંડોળોની સાખ)ની અંદાજપત્ર ઘોષણામાં નીચે મુજબની અન્ય બાબતો જણાવી હતી: -

“2004માં છોડેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો યોજનાના પ્રારંભિક પરિણામો પ્રોત્સાહજનક છે,2006-07માં SC, ST, OBC અને લઘુમતી સમુદાયોમાંથી આવેલી બાળાઓ માટે 1000 નવી આવાસિક શાળાઓ શરૂ કરવામાં આવશે. મેં Rs.128 કરોડ આપ્યા છે,અને હું વર્ષ દરમ્યાન બીજા Rs.172 કરોડ આપવા સંમત છું.મારો ઉદ્દેશ VIII ધોરણની પરીક્ષા જેણે પાસ કરી છે અને માધ્યમિક શાળામાં પોતાનું નામ નોંધાવ્યું છે તેવી બાળાઓને વધુ પ્રોત્સાહન માટે પૂરું પાડવાનો છે.તેના નામે Rs.3, 000 જમા કરવામાં આવશે અને તેણીને 18 વર્ષની ઉંમરે તે ઉપાડવા માટે અધિકૃત બનાવવામાં આવશે.”

પાર્શ્વભૂમિકા

ઉપરની ઘોષણા 14-18 વર્ષની ઉંમરના ધોરણની બાળાની માધ્યમિક તબક્કા પરની ભરતીને પ્રેરિત કરવા કરવામાં આવી છે,જે બાળાઓએ ધોરણ VIIIને પાસ કર્યું છે અને વિવિધ સામાજીક-આર્થિક કારણોસર પાછળથી શાળામાંથી ઊઠી ગઈ છે.આવી બાળાઓને ધોરણ XII સુધી કાયમ રાખવા માટે પ્રસ્તાવિત યોજના આગળ નિયત કરવામાં આવી છે.વર્ષ 2004-05માં, ધોરણો I-VIIIથી ઊઠી ગયેલી બાળાઓનો દર લગભગ 50.8% હતો. તે જ વર્ષમાં ધોરણો I-Xથી ઊઠી ગયેલી બાળાઓનો દર લગભગ 64 % હતો.તેથી,દેશની બાળા વિદ્યાર્થીઓમાંથી માત્ર 36%ને જ ધોરણ-X સુધી કાયમ કરી શકાય છે. આ વિવિધ સામાજીક આર્થિક ઘટકોનું એકીકૃત પરિણામ છે,પણ નિ:સંદેહ મુખ્ય ફાળો બાળના શિક્ષણના ખર્ચાને પહોંચી ન શકનાર વડિલોની અસમર્થતાનો છે.

ઉદ્દેશ

શાળામાંથી થતી ઉઠામણીને ઘટાડવા માટે સમર્થવાન વાતાવરણને સ્થાપિત કરવાનો અને SC/ST સમુદાયોમાંની બાળાઓની માધ્યમિક શાળામાંની ભરતીને બઢતી આપવાનો અને 18 વર્ષની ઉંમર સુધી તેમને રોકીને રાખવાનું નિશ્ચિત કરવાનો.

લક્ષ્યાંક સમૂહો અને ઘટકો

  • યોજના
    (i) તમામ SC/ST બાળાઓને જેમણે ધોરણ VIII પાય કર્યું છે અને
    (ii)બાળાઓ, જેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાંથી(તેઓ અનુસૂચિત જાતિ કે પ્રજાતિ પર આધાર રાખે છે તેને અનપેક્ષ) ધોરણ VIIIની પરીક્ષા પાસ કરી છે અને શૈક્ષણિક વર્ષ 2008-09થી રાજ્ય/UT સરકારની,સરકાર-સહાયિત કે સ્થાનિક મંડળની શાળાઓમાંના ધોરણ IX માટે નામ નોંધાવ્યું છે તે સહુને આવૃત કરશે. પરણેલી બાળાઓને યોજનામાંથી બાકાત રાખવામાં આવશે.ખાનગી અસહાયિત શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને આ યોજનામાંથી બાકાત રાખવાનું દરખાસ્ત કરવામાં આવ્યું છે કારણકે આવા પ્રકારની મોટાભાગની શાળાઓ વધારે ફીઓ લાદે છે અને તેથી આવી બાળા વિદ્યાર્થીઓના વડિલોને આ યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલી નાણાકીય સહાયની આવશ્યકતા રહેતી નથી.કેન્દ્રીય સરકાર દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં ભરતી થયેલા વિદ્યાર્થીઓને પણ આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે કારણકે આ બાળકો અગાઉ માટે સંપૂર્ણપણે પૂરું પાડવામાં આવે છે અથવા તેઓ કેન્દ્રીય સરકારી કર્મચારીઓના બાળકો હોય છે જેઓ કોઈપણ પ્રકારના ટેકા વગર પોતાના બાળકોના શિક્ષણને પહોંચી શકે છે.
  • પ્રોત્સાહન મેળવતી બાળાને 18 વર્ષની ઉંમર પર જ રકમ ઉપાડવા માટે અધિકૃત કરવામાં આવી શકે છે.18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પહેલા વિદ્યાર્થીના આકસ્મિક મૃત્યુ પર પ્રોત્સાહનની રકમને કેન્દ્રીય સરકારના અકાઉંટમાં સ્થળાંતરિત કરવામાં આવી શકે છે.
  • યોજના હેઠળના લાભ માટે લાયક બનવા માટે બાળા અપરિણિત હોવી જરૂરી છે અને ધોરણ IXમાં જોડાવા પર 16 વર્ષની ઉંમર(31મી માર્ચ પ્રમાણેની) નીચેની હોવી જોઈએ.લક્ષ્યાંક સમૂહને 2008-09, 2009-10, 2010-11 અને 2011-12માં અનુક્રમે 11.72 લાખ, 12.31 લાખ, 12.92 લાખ અને 13.57 લાખ બાળાઓ હોવા પર ગૃહીત કરવામાં આવ્યું છે.તદુપરાંત,યોજના એવી બાળાઓ માટે સુયોજ્ય કરવામાં આવી છે,જેઓએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાંથી ધોરણ VIIIની પરીક્ષા પાસ કરી છે તે ધ્યાનમાં લીધા વગર કે તેઓ અનુસૂચિત જાતિઓ કે પ્રજાતિઓની છે.આ લક્ષ્યાંક સમૂહોમાં 2008-09, 2009-10, 2010-11 અને 2011-12માં અનુક્રમે 11.91 લાખ, 12.50 લાખ, 13.12 લાખ અને 13.78 લાખ બાળાઓ હશે. KGBVsની SC/ST બાળાઓની અગાઉથી ગણતરી કરી હોવાને કારણે અધિકત્તમ નાણાકીય સંડોવણી KGBVsની બિન-SC/ST બાળાઓ પ્રમાણેની રહેશે,જેને 2008-09, 2009-10,2010-11 અને 2011-12માં અનુક્રમે 0.185 લાખ, 0.194 લાખ, 0.204 લાખ અને 0.214 લાખ તરીકે ગૃહીત કરવામાં આવી છે.11મી પાંચ વર્ષીય યોજનાના બાકીના ચાર વર્ષોમાં યોજનાની કુલ નાણાકીય સંડોવણી Rs.1556.73 કરોડ રહેશે, જે 11મી પાંચ વર્ષીય યોજનામાંની રૂપરેખા માટે ફાળવવામાં આવેલા Rs. 1500.00 કરોડ કરતાં Rs. 56.73 કરોડ વધારે છે.
  • દર વર્ષે કુલ પ્રોત્સાહન રકમના 1% વહીવટ,નિરીક્ષણ અને મૂલ્યાંકન પર ખર્ચવામાં આવશે.
  • બાળાઓને પ્રોત્સાહનની મંજૂરી માટે આવક માપદંડ પર આધારિત કોઈ પ્રતિબંધ રહશે નહી,કારણકે SC/ST બાળાઓ અને KGBVsમાંથી ઉત્તીર્ણ થઈને આવનારી અને સરકારની,સરકાર-સહાયિત અને સ્થાનિક મંડળની શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓ મોટેભાગે સમાજના લાભ વંચિત વિભાગોમાંની હશે.

અમલીકરણ ભાગીદારો

રાજ્ય/ UT સરકારો,રાજ્ય સરકારો દ્વારા નિયંત્રિત અને સંચાલિત શાળાઓ,સ્થાનિક મંડળો અને સહાયિત ખાનગી શાળાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ અમલીકરણ ભાગીદારો રહેશે.પ્રોત્સાહનની રકમને કદાચ લાયકાત ધરાવતી બાળાઓની તરફેણમાં જમા કરાવવા માટે રાજ્ય/ UT સરકારોને મુક્ત કરવામાં આવી શકે છે.

નાણાકીય માપદંડો

Rs. 3000 (કેવળ ત્રણ હજાર રૂપિયા) ને પ્રત્યેક લાયક બાળાના નામ પર પોસ્ટ ઓફીસ અથવા જાહેર શાખા બેંકમાંના સત્ર જમારાશિ/નિયત જમારાશિ હેઠળ જમા કરાવવામાં આવશે.જમારાશિનું સત્ર/ અવધિને જમા કરવાની તારીખથી બાળા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે તે તારીખ સુધી ગણવામાં આવી શકે છે. સમયથી પહેલાના ઉપાડને માન્ય કરવામાં આવશે નહી.

આચરણ પ્રક્રિયા

  • દરેક અમલીકરણ કરતી શાળા પ્રોત્સાહનની રકમની મુક્તિ માટે યોગ્યતા માપદંડના યોગ્ય નિરીક્ષણ પછી પ્રસ્તાવ તૈયાર કરી શકે છે અને યોગ્ય માધ્યમ મારફતે તેને રાજ્ય સરકારો/ને રજૂ કરી શકે છે.
  • રાજ્ય/ UT સરકારો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ,એચઆરડી મંત્રાલય,નવી દિલ્હીને સમેતિક પ્રસ્તાવ મોકલશે.જેમાં નિમ્નલિખિત સૂચિત કરવામાં આવશે:
    1. રાજ્ય/ UTમાં યોગ્ય શાળાઓની સંખ્યા
    2. યોજના હેઠળ આવરવા માટે દરખાસ્ત કરવામાં આવેલી યોગ્ય શાળાઓની સંખ્યા
    3. SC/ST સમુદાયોની વિદ્યાર્થીનીઓ અને બિન- SC/ST બાળાઓ જેમણે KGBVsથી ધોરણ VIII પરીક્ષા ઉત્તીર્ણ કરી છે,જેઓ યોજના અંતર્ગતના લાભ માટે અધિકૃત છે તેઓની સંખ્યા.
    4. યોજનાના લાભ માટે અધિકૃત બાળાઓની સંખ્યાઓનું ઉંમર પ્રમાણે વર્ગીકરણ.
    5. પ્રોત્સાહન તરીકે મુક્ત કરવા માટે પ્રસ્તાવિત કરવામાં આવેલી કુલ રકમ.
  • દર વર્ષે બે હપ્તાઓમાં ભંડોળો રાજ્ય/ UT સરકારોને મુક્ત કરવામાં આવી શકે છે.પ્રથમ હપ્તાને પ્રસ્તાવની રસીદ પર તત્કાળ મુક્ત કરવામાં આવશે.દ્વિતીય હપ્તાને પ્રથમ હપ્તાના ઉપયોજન પ્રમાણપત્રની રસીદ અને સંબંધિત રાજ્ય/ UT સરકારોના વિકાસ અહેવાલ પછી જ મુક્ત કરવામાં આવી શકે છે.
  • અરજીને ભરતીના રેકોર્ડ પર આધારે શાળા પ્રમુખ દ્વારા નિર્ગમિત જન્મ પ્રમાણપત્રના સંદર્ભમાં વિશેષપણે પ્રમાણિત કરવામાં આવશે.
  • અમલીકરણ કરતી કચેરી દ્વારા(રાજ્ય/ UT સરકારો કે સ્વચાલિત સંગઠનો,જે પણ કેસ હોઈ શકે તે પ્રમાણે) હિતાધિકારીના નામ પર નજીકની જાહેર શાખાકીય બેંક કે પોસ્ટ ઓફીસમાં એક અકાઉંટ ખોલવામાં આવશે અને રકમને નિયત સત્ર જમારાશિમાં જમા કરાવવામાં આવશે.
  • પાસબુક અથવા પ્રમાણપત્ર વિદ્યાર્થીને આપવામાં આવશે,જે તેણીની યોજનાના હિતાધિકારી તરીકેની ઓળખ પણ કરાવશે.
  • હિતાધિકારીએ યોજના અંતર્ગતના લાભ મેળવવા માટે ધોરણ IXમાં તેણીની ભરતી પછી તેણીએ ઓછામાં ઓછા બે વર્ષ માધ્યમિક શાળામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનો રહેશે.શાળાના પ્રિન્સીપલ/પ્રમુખ આ પ્રભાવ માટે પ્રમાણપત્ર ઉપસ્કૃત કરશે.
  • હિતાધિકારી માટે પાકેલી રકમને નિકાળવા માટે યોગ્ય થવા માટેની પૂર્વીય-શરત તેણે ધોરણ X બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરવાની રહશે.
  • 18 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર અને
    (i) 10મું ધોરણ ઉત્તીર્ણ કર્યાના પ્રમાણપત્ર અને
    (ii) શાળાના પ્રિન્સીપલ /પ્રમુખથી મળેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate