অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બ્લોક સ્તર પર 6000 આદર્શ શાળાઓની સ્થાપના

વડા પ્રધાને 2007ના સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં નીચે મુજબની અન્ય બાબતો જણાવી છે:

“હું રાજ્યોને શિક્ષણને પ્રાધાન્ય આપવાની વિનંતી કરું છું કારણકે શિક્ષણ એકાકી જ પાયો છે જેના પર પ્રગતિશીલ,સફળ સમાજનું નિર્માણ કરી શકાય છે.વધતી વાર્ષિક આવકો એ રાજ્યોની રાજવિત્તીય ક્ષમતામાં સુધારો કર્યો છે.તેઓએ હવે શિક્ષણને પ્રાધાન્ય આપવું જ જોઈએ. આ તરફ,આપણી સરકારે દેશભરમાં સારી ગુણવત્તાકીય શાળાઓ સ્થાપવામાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે.અમે 6,000 નવી ઉચ્ચ ગુણવત્તાકીય શાળાઓને સહાયતા કરશું-દેશના પ્રત્યેક બ્લોકમાં એક.દરેક શાળા વિસ્તારમાંની અન્ય શાળાઓ માટે શ્રેષ્ઠતાના ધોરણો પ્રસ્થાપિત કરશે.”

પાર્શ્વભૂમિકા

દસમી યોજનાના સમયગાળા દરમ્યાન માધ્યમિક શિક્ષણ એ આક્રમણ વિસ્તાર નહોતો.પ્રવેશને ઉન્નત કરવા અને ગુણવત્તા સુધારવા માટે બહુ થોડી યોજનાઓ હતી,પણ વ્યાપ્તિ ના કે વિશાળ હતી કે ના વ્યાપક.શાળા તંત્રોને નિરંતર રાખવા પર કેન્દ્રિત યોજનાઓ MHRDના સ્વયંશાસિત સંગઠનો દ્વારા ચાલે છે અને તેમાં છાત્રાલયની સુવિધાઓ,શાળાઓમાં આઈસીટીનો વપરાશ,ઉચ્ચત્તમ માધ્યમિક શાળાના વ્યાવસાયિકરણ અને સાર્વજનિક અને અંતર ભણતરની જોગવાઈ મારફતે અસમર્થ કન્યાઓના શિક્ષણ માટેના એકીકૃત શિક્ષણ માટેના પ્રયાસોનો સમાવેશ કરાયો છે.

પ્રારંભિક શિક્ષણ માટેનું સાર્વત્રિકરણ એ બંધારણીય આદેશ બનવાને કારણે,માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણ તરફ જવા માટે આ ધ્યેયને અગ્રેસર કરવો સંપૂર્ણપણે આવશ્યક છે, જેને વિકસિત દેશો અને કેટલાક વિકાસશીલ દેશોની મોટી સંખ્યામાં અગાઉથી સિદ્ધ કરવામાં આવ્યો છે.

“માધ્યમિક શિક્ષણ માટેના પ્રવેશને SCs અને STs કન્યાઓની ભરતી પરના પ્રાધાન્ય સાથે વિસ્તીર્ણ કરવામાં આવશે,ખાસ કરીને વિજ્ઞાન,વાણિજ્ય અને વ્યાવસાયિક શાખાઓમાં……..”.

“…….રાજ્યે કેન્દ્રીય વિદ્યાલયોના સમાન આદર્શો સાથે આદર્શો,ધોરણો,ઈમારત,ઈત્યાદિ સાથેના સાર્વજનિક શાળા તંત્રમાં રોકાણ કરવું જોઈએ”.

આદર્શ શાળાની વિભાવના

મૂળભૂતપણે આદર્શ શાળા સમાન આદર્શનું માળખું અને સુવિધાઓ ધરાવે છે જેવાં કેન્દ્રીય વિદ્યાલયમાં હોય છે અને વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર,આઈસીટી વપરાશ,સાકલ્યવાદી શિક્ષણ વાતાવરણ,યોગ્ય પાઠ્યક્રમ અને ઉત્પાદન અને પરિણામ પરના પ્રાધાન્ય પરના બંધનો સાથેની હોય છે.

આદર્શ શાળાની અમુક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબની છે:

 

  • આદર્શ શાળામાં પૂરું પાડવામાં આવતું શિક્ષણ વિદ્યાપીઠો ઉપરાંત ભૌતિક,ભાવનાત્મક અને કળાત્મક વિકાસ નજીક માર્મિક સાકલ્યવાદી અને એકીકૃત હોવું જોઈએ.
  • તદ્દન નવી શાળાઓને સ્થાપિત કરી શકાય અથવા વિદ્યમાન શાળાઓને આદર્શ શાળાઓમાં રૂપાંતરિત કરી શકાય છે.
  • આવી શાળાઓમાં આવશ્યક માળખું પૂરું પાડવામાં આવશે ના કે માત્ર શિક્ષણની જરૂરિયાતોને સંતોષવા માટે પણ સાથે રમતગમત અને અભ્યાસપૂરક પ્રવૃતિઓને સંતોષવા માટે પણ.રમતગમતો,મનોરંજન અને આઉટડોર પ્રવૃતિઓ માટેનો પૂરતો અવકાશ રહેશે.સુવિધાઓ જેવી કે રમતગમતનું મેદાન,બગીચાઓ,પ્રેક્ષકગૃહ ઈત્યાદિને આદર્શ શાળાઓમાં પૂરા પાડવામાં આવશે.
  • પાઠ્યક્રમ સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણના પ્રકારનો હોવો જોઈએ અને ભણતર પ્રવૃતિ આધારિત હોવું જોઈએ.
  • આ શાળાઓ પર્યાપ્ત આઈસીટી માળખું,ઈન્ટરનેટ જોડાણ અને પૂર્ણકાલીન કમ્પ્યુટર શિક્ષકો ધરાવશે.
  • શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર 1:25થી વધારેનો ન હોવો જોઈએ અને વર્ગખંડો ઓછામાં ઓછાં 50 વિદ્યાર્થીઓને સમાવવા પૂરતાં વિસ્તૃત હોવા જોઈએ.જોકે, વર્ગખંડ વિદ્યાર્થીનો ગુણોત્તર 1:40થી વધારેનો રહેશે નહી.
  • આ શાળાઓને સામાન્ય ધોરણો પ્રમાણે વિષય વિશિષ્ટ શિક્ષકો ઉપરાંત કળા અને સંગીત શિક્ષકો સાથે પૂરી પાડવામાં આવશે.આ શાળાઓ ભારતીય વારસો અને કળા અને કૌશલને પ્રાધાન્ય આપતી પ્રવૃતિઓ માટેની સુવિધાઓને પણ નિર્માણ કરશે.
  • વિજ્ઞાન,ગણિત અને અંગ્રેજી શીખવવા પર વિશેષ પ્રાધાન્ય આપી શકાય છે.જો આવશ્યકતા હશે તો,નબળા વિદ્યાર્થીઓ માટે બ્રીજ-અભ્યાસક્રમોને પણ રજૂ કરવામાં આવી શકે છે.
  • શાળાના પાઠ્યક્રમમાં નૈતૃત્વ ગુણવત્તાઓ,ટીમનીભાવના,સહભાગી ક્ષમતાઓ,હળવા કૌશલ્યોનો વિકાસ અને વાસ્તવિક જીવન પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની ક્ષમતાને ઠસાવતી સામગ્રી/વસ્તુઓનો સમાવેશ કરાવવો જોઈએ.
  • આ શાળાઓમાં આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય પરીક્ષણને પ્રસ્તાવિત કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેચોપડીઓ અને મેગેઝીનો ધરાવતું સારું પુસ્તકાલય પૂરું પાડવામાં આવશે.
  • ક્ષેત્ર પ્રવાસો અને શૈક્ષમિક ટુરો પાઠ્યક્રમનું અભિન્ન અંગ રહેશે.
  • સૂચનાનાં માધ્યમને રાજ્યસરકારો પર છોડવામાં આવશે.જોકે,અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી બોલવા પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વિશેષ પરીક્ષા બોર્ડ સાથે આ શાળાઓના જોડાણને રાજ્ય સરકારો પર છોડવામાં આવશે.
  • વિદ્યાર્થીઓની પસંદગી સ્વતંત્ર પસંદગી કસોટી મારફતે થશે.
  • પ્રિન્સીપલો અને શિક્ષકોની પસંદગી પણ રાજ્ય સરકારો સાથેની સલાહમસલતમાં વિકસિત કરવામાં આવેલી સ્વતંત્ર પ્રક્રિયા મારફતે કરવામાં આવશે.
  • આદર્શ શાળાઓ યોગ્ય ગતિ સમાયોજીત પ્રવૃતિઓ ધરાવશે જેથી કરીને નિકટવર્તી શાળાઓને લાભ થઈ શકે.

આદર્શ શાળાની વિભાવના પરની સંપૂર્ણ વિગત માટે અહિંયા ક્લિક કરો

અમલ

6000 આદર્શ શાળાઓમાંથી 2500ને કેન્દ્રીય વિદ્યાલય સ્વરૂપ પર શૈક્ષણિકપણે પછાત બ્લોકો (EBBs)માં સ્થાપિત કરવામાં આવશે. બીજી 2,500 શાળાઓને જાહેર ખાનગી ભાગીદારી (PPP) રીત હેઠળ સ્થાપવામાં આવશે. બાકીની 1,000 શાળાઓને સ્થાપવા માટેના બાહ્ય સ્વરૂપનો હજી નિશ્ચય કરવામાં આવ્યો નથી..

રાજ્ય સરકારો હેઠળના કેન્દ્રીય વિદ્યાલય સ્વરૂપ પર 2500 આદર્શ શાળાઓ

સ્થાન: 2500 આદર્શ શાળાઓને શૈક્ષણિકપણે પછાત બ્લોકોમાં (EBBs) સ્થાપિત કરવામાં આવશે.

જમીન: આ શાળાઓ માટેની જમીનને રાજ્ય સરકારો દ્વારા મફત ખર્ચે સ્વીકૃત અને પૂરી પાડવામાં આવશે.

શાળાઓની પસંદગી: શાળાઓની સંખ્યાની રાજ્ય પ્રમાણે ફાળવણી માનવ સંસાધન વિકાસ મંત્રાલય,ભારત સરકાર દ્વારા કરવામાં આવશે.ત્યારબાદથી રાજ્ય સરકારો તદ્દન નવી શાળાઓ સ્થાપવા માટે કે વિદ્યમાન શાળાઓને પસંદ કરીને તેઓને આદર્શ શાળાઓ તરીકે રૂપાંતરિક કરવા માટે સ્વતંત્ર છે.

સૂચનાઓનું માધ્યમ: સૂચનાઓના માધ્યમને રાજ્ય સરકારો પર છોડવામાં આવે છે.જોકે,અંગ્રેજી શીખવવા પર અને અંગ્રેજી બોલવા પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

વર્ગો: શાળાઓ VI થી XII સુધીના વર્ગો ધરાવશે, દરેક વર્ગમાં બે વિભાગો હશે,જો શાળા અંગ્રેજી માધ્યમમાં હશે અને IX થી XIIસુધીના વર્ગો ધરાવી શકે છે જો શાળા પ્રાદેશિક માધ્યમમાં હોય.

સંચાલન: KVSની જેમ આ શાળાઓ રાજ્ય સરકાર સમાજો દ્વારા ચલાવવામાં આવ.

બંધારણ:

  • શાળાની ઈમારતનું બંધારણ રાજ્ય સમાજો દ્વારા કરવામાં આવશે.
  • KVS/ રાજ્ય PWD દ્વારા ધોરણો પૂરા પાડવામાં આવશે.
  • રાજ્ય સરકારો પાસે ધોરણો મુજબના ખાનગી ભાગીદાર મારફતે શાળાની ઈમારતનું બાંધકામ કરાવવાનો પણ વિકલ્પ રહેશે

પ્રવેશ:

  • KVSની જેમ બેઠકોને પ્રવેશ કસોટીના આધારે ભરવામાં આવશે.આરક્ષણ માટે રાજ્યના વિદ્યમાન નિયમોને લાગુ કરવામાં આવશે.
  • ઈમારતોની રચના ધરતીકંપ સ્થિતિસ્થાપક તરીકે કરવામાં આવશે અને તેને અગ્નિ સુરક્ષા સાધનોથી સુસજ્જ કરવામાં આવશે.
  • સૌર અને અન્ય નવીનકરણ યોગ્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે અને જ્યાંપણ શક્ય હશે ત્યાં યોગ્યપણે ઈમારતને રચવામાં આવશે.

ધોરણોના આધારે રાજ્ય ક્ષેત્રમાં 2,500 શાળાઓની સ્થાપનામાં રાજ્ય સરકારની ભૂમિકા

  • આ શાળાઓની સ્થાપના અને તેમનું સંચાલન રાજ્ય સરકારો દ્વારા થશે,જેઓ આદર્શ શાળાઓ કે તદ્દન નવી શાળાઓમાં રૂપાંતરિત કરાયેલી વિદ્યમાન રાજ્ય સરકારી શાળાઓ હોઈ શકે છે.
  • શાળાઓ જેવી તેમને સ્થળાંતરિત થાય ત્યારે તેમનું સંચાલન કરવા માટે રાજ્ય/UT સરકારો એ KVS જેવા સમાજોની સ્થાપના કરવી જોઈએ
  • રાજ્ય/UT સરકારો જ્યારે પણ જરૂર હશે ત્યારે શાળાઓને સ્થાપિત કરવા માટે જમીન પૂરી પાડશે
  • દરેક રાજ્ય પ્રકલ્પનો સમય મર્યાદિત પદ્ધતિમાં અમલ કરાવવા માટે અમલ સમયપત્રક/ યોજના પુરસ્કૃત કરશે.
  • અલ્પત્તમ જમીન આવશ્યકતા KVS/NVS ધોરણો પ્રમાણે ચોક્કસ રહેશે,પણ આવશ્યક ધોરણોના સમાધાનને આધીન જમીનની અછતના પ્રકરણમાં અંદાજે શિથિલ હોઈ શકે છે.
  • આ શાળાઓની સ્થાપના શૈક્ષણિકપણે પછાત બ્લોકોમાં કરવામાં આવશે અને અનુસૂચિત વી વિસ્તારોને અગ્રતા આપવામાં આવશે.વિદ્યમાન શાળાઓના ઉન્નતિકરણ/રૂપાંતરણ સમયે આશ્રમ શાળાઓને પણ અગ્રતા આપવામાં આવી શકે છે.
  • બાંધકામ રાજ્ય સમાજો મારફતે થશે જેઓ આ શાળાઓનું સંચાલન કરશે અને તેથી કરીને મૂડીગત ખર્ચા તરફના રાજ્ય ફાળાને આ સમાજોને જમા કરાવવામાં આવશે.
  • ઈમારતનું બાંધકામ થાય અને તેની જાળવણી થાય તે માટે રાજ્યો પીપીપીમાં પણ દાખલ થઈ શકે છે જેના માટેની વાર્ષિકી રકમને કેન્દ્રીય અને રાજ્ય સરકાર દ્વારા સમાન પ્રમાણમાં ગોઠવવામાં આવશે.
  • બ્લોક,જીલ્લા અને રાજ્ય સ્તર પર રાજ્ય સરકાર દ્વારા યોગ્ય દેખરેખ સમિતિની સ્થાપના કરવામાં આવશે.રાજ્ય સ્તરીય દેખરેખ સમિતિ કેન્દ્રીય સરકારના સભ્યો પણ ધરાવશે.
  • અમે KVS/ સમાજો માટે જોડાયેલી સુવિધાઓ સાથે ઉપલબ્ધ હંગામી સ્થાનોની પસંદગી અને નિર્માણ કરશું જેથી કરીને શાળાઓ હંગામી સ્થળો પર કાર્યરત થવાની શરૂઆત કરી શકે.

વિત્તીયન સ્વરૂપ

મૂગીડત ખર્ચના 75% કેન્દ્રીય સરકાર દ્વારા લઈ જવાયેલા રહેશે અને શેષ 25%ને રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે.11મી પંચવર્ષીય યોજના દરમ્યાન,પુનરાવૃત ખર્ચ કેન્દ્રીય સરકાર દ્વારા 75:25 વિતરણ આધાર પર પૂરો પાડવામાં આવશે.12મી યોજના અવધિ દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનું વિતરણ સ્વરૂપ 50:50 હશે.વિશેષ વર્ગીય રાજ્યો માટેનો ગુણોત્તર 90:10 રહેશે.

ખર્ચ ધોરણો

  • કેન્દ્રીય વિદ્યાલય સંગઠને Rs. 3.02 કરોડ તરીકે દરેક વર્ગમાંના બે વિભાગો સાથેના વર્ગો VI થી XII સાથે KV સ્વરૂપ પર શાળની સ્થાપના કરવા માટેની કુલ અપુનરાવૃત ખર્ચનું અનુમાન કર્યું છે. પ્રતિ વર્ષના પુનરાવૃત ખર્ચનું અનુમાન અંદાજે Rs. 0.75 કરોડ પ્રતિ વર્ષ તરીકે કરવામાં આવ્યું છે.
  • અનુમાનો વપરાશમાંના પ્રક્રિયાત્મક અને બાંધકામ ખર્ચાના વર્તમાન દરોને આધારે છે
  • કેન્દ્રીય વિદ્યાલયો,જવાહર નવોદયા વિદ્યાલયો અને રાજ્ય ક્ષેત્ર શાળાઓની સ્થાપના માટેના વાસ્તવિક ખર્ચ ધોરણો ઉપર સૂચવેલા એકમાત્ર અનુમાનોના વિશિષ્ટ સ્થાન અને ધોરણોને સુયોજ્ય દરોના CPWD સમયપત્રકોના આધારે રહેશે.
સ્ત્રોત :Ministry of Human Resource Development

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate