પંચાયતી રાજની સ્થાપના ગુજરાત રાજયમાં થઇ ત્યારથી જિલ્લા પંચાયતની વિવિધ પંચાયત સેવા પ્રવૃતિઓની કામગીરી તે ની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આવી પ્રવૃતિઓનો ખ્યાલ - જાણકારી લોકોમાં લાવી પંચાયતી રાજના સોપા ન સમા જિલ્લા પંચાયતની સમગ્ર કામગીરીનું એકત્રીકરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાની મહત્વની કામગીરી આંકડાશાખા દ્વા રા કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએ આંકડાકીય કામગીરી તાલુકાના આંકડા મદદનીશ દ્વારા કરવામાં આવે છે. જયારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી ગામ ના તલાટી - કમ - મંત્રી મારફતે કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ આંકડા મદદનીશ કામગીરીથી સતત વાકેફ રહે તથા આંકડાકીય કામગીરીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો લાવી શકાય તેમજ માહિતી એકત્રીકરણ, સંકલન, પૃથ્થકરણ ચકાસણી વિગેરેમાં ઝડ પ લાવી શકાય તે માટે બિન તાલીમ પામેલા આંકડા મદદનીશને રાજયના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકશ્રીની કચેરી દ્વારા તાલીમ આપવામાં આવે છે.
જીલ્લા આંકડા અધિકારી આ શાખાના વડા છે.
સ્ત્રોત : અરવલ્લી ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020