অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરાગ નયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવો

પરાગ નયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવો

પાક ઉત્પાદનને અસર કરતા વિવિધ જૈવિક પરિબળોમાં પરાગનયનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. એકદમ સાદી ભાષામાં એમ કહી શકાય કે ફૂલમાના પુંકેસર પરથી સ્ત્રીકેસર પર પરાગરજ (પોલન) ના વહનની ક્રિયા તરીકે ઓળખાય છે.

પરાગનયન મુખ્યત્વે બે રીતે થાય છે.

  1. સ્વપરાગનયન કે જેમાં જે તે ફૂલની પરાગરજ તે જ ફૂલના સ્ત્રીકેસર પર પડતા તેનું ફલિનીકરણ થાય છે અને
  2. પરાગનયન કે જેમાં ફૂલનું ફલિનીકરણ થવા માટે તે જ જાતિના અન્ય ફૂલના પરાગરજનું વહન થવું જરૂરી છે. કેટલીક વનસ્પતિમાં પવન દ્વારા એક છોડ પરથી બીજા છોડ પર પરાગરજનું વહન થતુ હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં પરાગનયનની ક્રિયા કીટકો દ્વારા થતી હોય છે. મધમાખી, વિવિધ જાતિની ભમરીઓ, ઢાલિયા, પતંગિયા, ફૂદા, માખી અને થ્રિપ્સ જેવા કીટકો પરાગનયનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

મધમાખી એક કીટક છે. મધમાખી દ્વારા અસરકારક પરાગનયન થવા માટે તેના શરીરની બાહ્ય રચના અગત્યની ગણાય છે. મધમાખીના શરીર પર નાના-નાના અસંખ્ય વાળ (રૂંવાટી) આવેલા હોય છે જેને લીધે પરાગનયન સાથે સંકળાયેલ અન્ય કીટકો કરતા તે પ્રમાણમાં વધુ સંખ્યામાં પરાગરજને સાથે લઈ જઈ શકે છે. મધમાખી જ્યારે ખોરાક (મધુરસ અને પરાગરજ) લેવા માટે ફૂલોની મુલાકાત લે છે ત્યારે આકસ્મિક રીતે જ પુંકેસરનો સ્પર્શ થાય છે અને પરાગરજ મધમાખીના શરીર પર ચોંટી જાય છે. તે ઉપરાંત મધપૂડામાં પરાગરજ લઈ જવા માટે મધમાખીના પાછલી (ત્રીજી) જોડ પગ પર ખાસ ખાંચાવાળી જગ્યા (પોલન બાસ્કેટ) હોય છે. તેમાં આગળની બન્ને જોડ પગ વડે પરાગરજ ભેગી કરી પોલન બાસ્કેટમાં ઠાલવે છે. મધમાખી તેના શરીરના કુલ વજનના લગભગ ૩પ ટકા વજન જેટલી પરાગરજ ફૂલમાંથી મધપૂડા સુધી વહન કરવાની ક્ષમતા ધરાવે છે. પરાગનયન માટે જવાબદાર અન્ય કીટકો ફકત મધુરસ (નેકટર) માટે જ ફૂલોની મુલાકાત લે છે. જ્યારે મધમાખી એક એવું કીટક છે કે તે મધુરસ ઉપરાંત પરાગરજનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મધમાખીની બીજી અગત્યની ખાસિયત ફૂલો પર તેની સ્થિરતા અને વફાદારી છે. મતલબ કે કોઈ એક જાતિના ફૂલોમાંથી જ્યારે મધુરસ પરાગનયન માટે જવાબદાર અન્ય કીટકો ફકત મધુરસ (નેકટર) માટે જ ફૂલોની મુલાકાત લે છે.

જ્યારે મધમાખી એક એવું કીટક છે કે તે મધુરસ ઉપરાંત પરાગરજનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મધમાખીની બીજી અગત્યની ખાસિયત ફૂલો પર તેની સ્થિરતા અને વફાદારી છે. મતલબ કે કોઈ એક જાતિના ફૂલોમાંથી જ્યારે મધુરસ ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમાં કોઈ કીટનાશકનો છંટકાવ ન થતો હોય. મોટા ભાગના ખેતી પાકોમાં કીટનાશકોનો ઉપયોગ થતો હોય છે. આવા કીટનાશકો ફકત નુકસાનકારક જીવાતો જ નહિ પરંતુ પરાગનયનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવતી મધમાખીઓને પણ અસર કરે છે. તેનથી મધમાખીઓને બચાવવા ઝેરી કીટનાશકોના ઉપયોગ વખતે કેટલીક કાળજી રાખવી જરૂરી છે.

મધમાખીની પ્રવૃત્તિ થોડા ઘણા પ્રમાણમાં આખા દિવસ દરમ્યાન જોવા મળે છે, પરંતુ ફૂલો પર તેની અવરજવર સૌથી વધારે સવારે ૧૦થી ૧૨ કલાકના ગાળા દરમ્યાન જોવા મળે છે તેથી મધમાખીની પ્રવૃત્તિ ઓછી હોય તે વખતે કીટનાશકોનો છંટકાવ કરવો જોઈએ. સામાન્ય રીતે વહેલી સવારે કે મોડી સાંજના સમયે છંટકાવ કરવાથી મધમાખીને ઝેરી કીટનાશકોથી બચાવી શકાય છે. આ બે પૈકી મોડી સાંજના સમયે કીટનાશકોનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે કારણ કે સાંજે છંટકાવ બાદ સવાર સુધીમાં કીટનાશકની અસર મધમાખી માટે ઓછી થઈ જાય છે.

સામાન્ય રીતે ખેતી પાકોમાં ફૂલ અવસ્થાએ મધમાખીની પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. તેથી ફૂલ અવસ્થા દરમ્યાન કીટનાશકોનો છંટકાવ ટાળવો તેમ છતાં છંટકાવ કરવાની જરૂરિયાત ઊભી થાય તો રાસાયણિક કીટનાશકોને બદલે વનસ્પતિજન્ય કીટનાશકો અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ આધારીત કીટનાશકો (માઈક્રોબાયલ ઈન્સેકટીસાઈડ)નો ઉપયોગ કરવો.

કીટનાશકોના જુદા જુદા સ્વરૂપ (ફોર્મ્યુલેશન) પૈકી પ્રવાહી સ્વરૂપે મળતા કીટનાશકોની સરખામણીમાં ભૂકા રૂપ (પાઉડર) કીટનાશકો મધમાખી માટે વધુ ઝેરી પૂરવાર થયેલ છે તેથી તેનો ઉપયોગ નિવારવો. પ્રવાહી કીટનાશકોનો છંટકાવ બાદ તે વનસ્પતિના કોષોમાં શોષાઈ જાય છે તેથી મધમાખીના સંપર્કમાં ઓછા આવે છે તે જ પ્રમાણે દાણાદાર કીટનાશકો સીધા જમીનમાં અથવા તો પાનની ભૂંગળીમાં (મકાઈ અને જુવારમાં) આપવામાં આવતા હોવાથી મધમાખીના સીધા સંપર્કમાં આવતા નથી. બીજ માવજતની પદ્ધતિ પણ સલામત ગણાય છે.

હાલમાં બજારમાં ઉપલબ્ધ લગભગ ૮૦ ટકા જેટલા કીટનાશકો મધમાખી માટે વધુ કે અત્યંત ઝેરી નોંધાયેલ છે. ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો પૈકી એસીફેટ, કાર્બરીલ, કલોરપાયરીફોસ, કલોથીયાની ડીન, સાયપરમેથ્રીન, ડેલ્ટામેથ્રીન, ડાયકલોરવોસ, ઈન્ડોકઝાકાર્બ, મેલાથિયોન, મોનોક્રોટોફોસ અને સ્પીડોસાડ મધમાખી માટે પ્રમાણમાં વધુ ઝેરી હોય છે જ્યારે એસીટામીપ્રીડ, થાયાકલોપ્રીડ અને થાયોડીકાર્બ મધ્યમ ઝેરી પૂરવાર થયેલ છે.

કીટનાશકોમાં ડાયફલુબેરોન અને કાયરોમાઈઝીન તથા કથીરીનાશકોમાં ડાયકોફોલ અને પ્રોપરગાઈટ ઓછા ઝેરી સાબિત થયેલ છે. પરાગનયન માટે જે પાકમાં મધમાખી આવશ્યક હોય તે પાકમાં મીથાઈલ પેરાથિઓનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકેલ છે. આમ કીટનાશક રસાયણોના છંટકાવમાં થોડીક કાળજી રાખવામાં આવે તો પરાગનયન માટે ઉપયોગી એવી મધમાખીનો વિનાશ થતો અટકાવી શકાય છે.

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate