অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દરિયાઈ ક્ષેત્ર માછીમારોને અપાતી રાહત યોજનાઓની વિગત

યોજનાનો ઉદ્દેશ

માછીમારોને આધુનિક સાધનો જેવા કે, જીપીએસ, નેવીગેટર, ફીશફાઈન્ડર, વીએચએફ રેડીયો અને લાઈફ સેવીંગ એપ્લાયન્સ માટે સહાય આપવી. જેથી વાવાઝોડા સમયે ચેતવણી આપી શકાય, દરીયામાં ફીશીગ દરમ્યાન મુશ્કેલી સમયે કાંઠા સાથે સંપર્ક જાળવી શકાય.
સહાયનું ધોરણ:

આધુનિક સાધન

સહાયનું ધોરણ

ઈલેકટ્રીક સાધનો પર સહાય

સાધનો ની ખરીદી પેટે સાધનોની મૂળ રકમ અથવા દરેક સાધનો માટે નિયત કરાયેલ યુનીટ કોસ્ટ પૈકી બેમાંથી જે ઓછું હશે તેટલી રકમ મળવાપાત્ર થશે.

એલપીજી કીટ

કિંમતના ૧૦૦% સહાય આપવામાં આવશે.

લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ

લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ માટે સહાયનું ધોરણ તેની કિંમતના પO% અથવા રૂા.પ,૦૦૦/- જે ઓછું હોય તે

યોજનાનું કાર્યક્ષેત્ર

દરિયા કિનારા પર આવેલ તમામ તાલુકા વિસ્તારો, કચેરીઓ હેઠળના વિસ્તાર.

યોજનાની શરતો અને બોલીઓઃ

  • ઉપરોકત સહાય બોટ ધરાવતા વ્યકિતગત માછીમારો તેમજ મત્સયોધોગ સહકારી મંડળીને વધુમાં વધુ એક યુનિટ લેખે મળવાપાત્ર રહેશે.
  • આવા સાધનોનીન રાહત યોજનાકીય ફંડની મર્યાદામાં ચુકવવામાં આવશે.
  • માછીમારી માટે ઉપયોગી આધુનિક સાધનો, મેસર્સ ગુજરાત મત્સયોધોગ કેન્દ્રીય સહકારી સંસ્થા લી. પાસેથી અથવા ખુલ્લા બજારમાંથી ખરીદવાના રહેશે. અને તેના અસલ વાઉચર સહાય મેળવવાની અરજી સાથે અરજદારે જે તે જીલ્લા કચેરીને રજુ કરવાના રહેશે.
  • સંબંધિત જીલ્લા કચેરીએ, માછીમાર તરફથી આધુનીક સાધનો પર સહાય મેળવવાની અરજી મળ્યથી તેને પ્રાયોરીટી રજીસ્ટરમાં નોંધવાની રહેશે અને તેને પ્રોસેસ કરવા, નીચે મુજબની ચકાસણી કરવાની રહેશે. અરજદાર પુખ્તવયના અને સક્રિય માછીમાર છે. અરજદાર ગુજરાત રાજયના વતની છે. બોટ | ટ્રોલરના કોલ જે નામે હશે તે નામે જ સબસીડીનો લાભ મળશે. બોટનો વિમો નિયમિત રીતે ઉતારવાનો રહેશે.
  • અરજીઓ વહેલા તે પહેલાના ધરોણે સ્વીકારી મંજુર કરવાની રહેશે.
  • આધુનિક સાધનો ખરીદવા માટે કોઈ એડવાન્સ આપવામાં આવશે નહી
  • ખરીદેલ આધુનિક સાધના સાધનો બોટમાં બેસાડેલ છે અને સંતોષકારક રીતે કામ કરે છે તે ચકાસી અરજી મંજુર કરતી વખતે જીલ્લા અધિકારીએ પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • સંબંધિત માછીમારે આવા સાધન /સાધનોના ઉપયોગથી શું અને કેટલો ફાયદો થયેલ છે તે બાબતે લેખીતમાં જે તે જિલ્લા કચેરીને સહાય ચુકવ્યા બાદ વખતો વખત ફીડબેક આપવાનો રહેશે.
  • આધુનિક સાધનો ઉપર સહાય ફકત એક વખત આપવામાં આવશે.
  • આધુનિક સાધનો પર સહાય મંજુર કરવાની સત્તા સંબંધિત વિભાગીય વડાઓને રહેશે.
  • રાહતની રકમની ચુકવણી, અરજદારે જયાંથી સાધન ખરીદેલ હોય તે એજન્સીના નામ ચેકથી કરવાની રહેશે અને ખરીદે સાધન ઉપર સરકારશ્રીની આર્થિક સહાયથી તેવું લખાણ કરવાનું રહેશે.

પાકિસ્તાન કસ્ટડીમાં રાખેલ માછીમારોના કુટુબને દૈનિક નિર્વાહ ભથ્થું ચુકવવાની યોજના

ઉદ્દેશ: ગુજરાતના દરિયામાં ઈન્ડો પાક બોર્ડર આવેલી છે. ઈન્ટરનેશનલ, બોર્ડર લાઈન નજીકના વિસ્તારમાં માછીમારી કરતા ભારતીય માછીમારો તથા બોટ પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી ધ્વારા ધરપકડ કરવના બનાવો અવારનવાર બને છે. આ માછીમારો પકડાતાં તેઓના કુટુંબીજનો નિરાધાર બને છે. આ સંજોગોમાં આવા માછીમારો ની ધરપકડ થઈ હોય તે તારીખથી તેઓને પરત છોડવામાં આવે તે તારીખ સુધીના સમય ગાળા દરમ્યાન તેમના કુટુંબીનોના જીવન નિર્વાહ માટે કુટુંબના સીધા વારસદારને રૂાપO/-દૈનિક સહાય ભથ્થ ચુકવવાની યોજના સરકારશ્રીએ મંજુર કરેલ છે. આ રાહતનો લાભ કોને મળવાપાત્ર છે? તેમજ અન્ય જરુરી વિગતો.

  • પકડાયેલ માછીમારના સીધા વારસદારને આ સહાય મળવાપાત્ર થશે.
  • પકડાયેલ માછીમાર ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • પકડાયેલ માછીમાર કોઈ ગેરકાનુની પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોવો જોઈએ.
  • જે માછમારો ફીશીગ બોટો ઉપર ગયા હોય અને જેમના નામ ક્રીક પાસમાં હોય અને પાકિસ્તાન સત્તાવાળા ધ્વારા પકડી જવામાં આવેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર બનશે.
  • પકડાયેલ માછીમાર અંગે અહેવાલ મળ્યથી જીલ્લા અધિકારીએ ખરાઈ કરવાની રહેશે.

પગડીયા માછીમારોને જાળ વજનકાંટો. સાયકલ. અને બોક્ષ માટે રાહત

પગડીયા માછીમારો કે જેઓ માછીમારી માટેના કોઈ સાધનો ધરાવતા નથી તેઓને મત્સયોધોગ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવા માટે માછીમારો માટેના સાધનો જેવા કે, જાળ, સાયકલ, બોક્ષ તથા વજનકાંટા જેવા સાધનો પુરા પાડવાની યોજના અમલમાં છે.આ યોજના તળે સાયકલ , જાળ, ઈન્સલ્યુબોક્ષ તથા વજનકાટાના યુનીટ માટે ર.પ૦૦૦/- ની યુનીટ કોસ્ટ ની મર્યાદામાં ૯૦ % સહાય આપવામાં આવે છે.

સહાયનું ધોરણ: સાયકલ માટે રૂા.૨,૦૦૦/-,જાળ માટે રૂા.૨૦૦૦/- ઈન્સલ્યુલેટેડબોક્ષ માટે રૂ.૭૦૦/- તથા વજનકાંટા માટે રૂ.૩૦૦/- એમ કુલ યુનિટ કોસ્ટ રૂ. ૫,૦૦૦|- પર ૯૦% લેખે સહાય આપવામાં આવે છે. યોજનાનું કાર્યક્ષેત્ર: દરિયા કિનારા પરના તાલુકા વિસ્તારો.

યોજનાની શરતો અને બોલીઓ.

  • આ સહાય પુખ્ય વયના પગડીયા માછીમારોને મળવાપાત્ર થશે.
  • માછીમારે જાળ અને સાયકલ,બોક્ષ અને વજનકાંટો ગુજરાત મત્સયોધોગ કેન્દ્રીય સહકારી સંસ્થા ( જી.એફ.સી.સી.એ.) પાસેથી અથવા ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીવાના રહેશે.
  • આ માટે કોઈ એડવાન્સ આપવામાં આવશે નહી.
  • રાહતની અરજી વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ બજેટ જોગવાઈની મર્યાદામાં મંજુર કરવાની રહેશે.
  • લાભાર્થીએ જાળ,સાયકલ,બોક્ષ,વજનકાંટો ખરીદેલ છે તેની સંબંધિત અધિકારીએ ખરાઈ કરવાની રહેશે.
  • જાળ અને સાયકલ, બોક્ષ વજનકાંટાની ખરીદીની અસલ પહોંચ રાહતની અરજી સાથે રજુ કરવાની રહેશે.
  • આ સહાયની રકમ રોકડમાં ચુકવવાની રહેશે.
  • સહાયનો લાભ લીધા બાદ પાંચ વર્ષ ફરીથી આ સહાય મળવાપાત્ર થશે.

બહાર ના યંત્ર ઉપર રાહત

ઉદ્દેશ: પરંપરાગત માછીમારી કરતા નાના માછીમારો સ્થાનિક અને દરિયામાં નજીકના અંતરે માછીમારી કરે છે. તેઓને યાંત્રિકરણ તરફ વાળવા માટેની પ૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલમાં છે. નાના માછીમારો પોતાની હોડીમાં કેરોસીનથી ચાલતા બહારના યંત્રો વાપરે તો માછીમારી કરી ઝડપથી પરત આવી શકે કે જેથી તાજી ગુણવત્તાવાળી મચ્છીનું વેચાણ કરી આર્થિક રીતે પગભર થઈ શકે.

સહાયનું ધોરણ: આ યોજના હેઠળ બહારના યંત્રની કિંમતના પO% અથવા રૂ.૩૦,૦૦૦|- જે ઓછું હોય તે રકમ સહાય તરીકે ચુકવવામાં આવે છે. સહાયની રકમના પO% રકમ ભારત સરકાર ભોગવે છે.

યોજનાનું કાર્ય ક્ષેત્ર: દરિયા કિનારા પર આવેલ તમામ તાલુકા વિસ્તારો.

યોજનાની શરતો અને બોલીઓ.

  • યંત્ર અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનું રહેશે.
  • માછીમાર લાભાર્થી પુખ્ત હોય, ગુજરાત રાજયનો વતની હોય અને મત્સયોધોગ સહકારી મંડળીનો સભ્ય હોય તે આવશ્યક છે.
  • માછીમારે પોતાના ખર્ચ અથવા બેન્કમાંથી ધિરાણ મેળવી યંત્ર ખરીદવાનું રહેશે.
  • માછીમારે બોટ / યંત્રનો વીમો ઉતરાવવાનો રહેશે
  • માછીમાર લાભાર્થીએ આ બોટ / યંત્ર સાત વર્ષ સુધી મત્સય પકડાશ માટે જ વાપરવાના રહેશે. સાત વર્ષ સુધી આ બોટ /યંત્ર અન્ય કોઈ વ્યકિતને કે સંસ્થાને વેચી શકાશે નહી, ભાડે આપી શકાશે નહી કે અન્યના નામે તબદીલ કરી શકાશે નહી.
  • કુદરતી આફત કે અન્ય અકસ્માતથી બોટ બીન ઉપયોગી બની જાય કે નાશ પામે ત્યારે અપાયેલ રાહત માટે તે બોટ ઉપર પ્રથમ હકક ખાતાનો રહેશે.
  • રાષ્ટ્રના હિત વિરુધ્ધની પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ નથી તેવું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • યંત્ર ખરીદીની તારીખ થી છ માસમાં રાહત મેળવવા માટેની અરજી મત્સયોધોગ ખાતાએ નિયત કરેલ ફોર્મમાં રજુ કરવાની રહેશે. અરજી સાથે જરુરી દસ્તાવેજો જેવા કે યંત્ર ખરીદીનું પાકુ ઈન્વોઈસ, અરજદારની ઉમરનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો કસ્ટમ અહેવાલ, બોટ ચકાસણી પ્રમાણપત્ર બોટનો કોલ ( વી.આર.સી) રહેઠાણ અંગેનો દાખલો, સહાયની શરતોનું પાલન બાબતનું કબુલાતનામું વગેરે રજુ કરવાના રહેશે. અરજી જે તે જિલ્લાની મત્સયોધોગ ખાતાની કચેરીમાં રજુ કરવાની રહેશે. રાહતની રકમ મંજુર થાય ત્યારે તે રકમન ચેક મેળવવા અરજદારે જાતે કચેરીમાં હાજર થવાનું રહેશે.

પ્રક્રિયા,જાળવણી અને ખરીદ વેચાણ,ખરીદ સહાય

ઉદ્દેશ :રાજયના મરીન ઉત્પાદન ની નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુને ધ્યાને લઈ મત્સય ઉત્પાદનને હાઈજેનીક કન્ડિશન માં જાળવણી કરી શકાય તે માટે પ્રોસેસીંગ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, આઈસ ફેકટરીને આપ ગ્રેડ કરવા તથા વેલ્યુ એડેડ મશીનરી ની ખરીદીને પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં છે.

સહાયનું ધોરણ:

સુવિધા

સહાયનું ધોરણ

પ્રોસેસીંગ પ્લાન્ટ

ખર્ચના પO% અથવા મહત્તમ  રૂા. પ૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે

કોલ્ડ સ્ટોરેજ

ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૨.૫ લાખ બેમાંથી જે ઓછું હોય તે

આઈસ પ્લાન્ટ

ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૫ લાખ બેમાંથી જે ઓછું હોય તે

વેલ્યુ એડેડ મશીનરી

ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૧૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે

નોંધ :-પાકિસ્તાન સત્તાવાળા દવારા પકડવામાં આવેલ માછીમારોને મુકત કરાવવા બાબત.

જયારે જયારે પાકિસ્તાન મરીન સીકયોરીટી એજન્સી દ્વારા  ભારતીય માછીમારોની તથા તેઓની બોટ પકડાયાની માહિતી મળે છે, ત્યારે ત્યારે આવા પકડાયેલા માછીમારો તથા તેઓની બોટની વિગતો જેવી કે, માછીમારોના નામ , ઉમર, તેઓના વતનનો દાખલો, રેશનકાર્ડ નો પુરાવો, કેિકપાસ, તેઓના ફોટોગ્રાફસ તથા બોટનું નામ, બોટના માલીકનું નામ, બોટ નંબર , બોટ સાથે કેટલા ખલાસીટિંડેલ પકડાયા છે, જેવી અગત્યની તમામ બાબતો જિલ્લા કચેરી પાસેથી મેળવી તેની ચકાસણી કરી અત્રેથી માછીમારોની બોટ વાઈઝ ફાઈલો વખતો વખત ભારત સરકારશ્રીના વિદેશ મંત્રાલય, નવી દિલ્હીને માછીમારોને છોડાવવા માટે મોકલી આપવામાં આવે છે. આ માછીમારો તથા બોટોને છોડાવવા માટે રાજય સરકારશ્રી સ્તરેથી ભારત સરકારશ્રીને પણ વારંવાર પત્રો દવારા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં સરકારશ્રીના પ્રયત્નોને કારણે તા: ૩૧/૯/૨૦૧૦ થી તા: ૭/૯/૨૦૧૦ સુધી તબકકાવાર કુલ ૪૪૨ માછીમારોને મુકત કરવામાં આવેલ છે. પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દવારા માછીમારની ધરપકડ થવાને કારણે પકડાયેલ માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને રોજીરોટી નો પ્રશ્નન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોને ધ્યાને લઈને માછીમારના કુટુંબને આર્થિક દૈનિક સહાય રૂા. પO|- ચુકવવા માટે સરકારશ્રીએ એક યોજના વર્ષ ૨૦૦૩-૦૪ થી અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર પાકિસ્તાન સત્તાવાળા દવારા જે તારીખે પકડાય તે તારીખ થી તે પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના કુટુંબીજનોને દૈનિક આર્થિક સહાય પેટે રૂ.૫૦ |- ચુકવવામાં આવે છે. વર્ષ ર૦૧૦-૧૧ માટે રૂ.૯૪.૦૦ લાખ ની જોગવાઇ રાખવામાં આવેલ છે. જેની સામે સપ્ટેમ્બર-૨૦૧૦ અંતિત ૩.૮૧ લાખનો ખર્ચ થયેલ છે. પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દવારા કેટલા માછીમારની ધરપકડ થશે ? તેઓને કેટલા સમય માટે જેલમાં રાખવામાં આવશે તેનો સમય નકકી હોતો નથી.

સ્ત્રોત: મત્સ્યોદ્યોગ કમિશ્નર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate