অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાગલીના પાકની વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ

૧.પાક ની અગત્યતા

ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી (રાગી) મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલીએ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષામતા સૌથી વધારે છે. સને ર૦૦૯-૧૦ દરમિયાન ગુજરાતમાં કુલ ૧૯,૦૦૦ હેકટર જમીનમાં નાગલીનું વાવેતર થયેલ જેમાંથી ર૦,૦૦૦ મે. ટન ઉત્પાદન મળેલ છે. જેની ઉત્પાદકતા ૧૦પ૩ કિલોગ્રામ/ હેકટર છે.  ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ અને વલસાડ જિલ્લામાં વવાય છે. આ ઉપરાંત, નવસારી,  સુરત અને પંચમહાલ જિલ્લામાં પણ તેનું થોડા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. નાગલીને અંગ્રજીમાં ફીંગર મિલેટ અથાવ આફિ્રકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.

નાગલી પોષ્ાકતત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટમીનનું પ્રમાણ વિશેષ્ા જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે શોવાથી ડાયાબીટીસ અને 'હદયરોગના દદર્ીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્િશયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા સવિશેષ્ા હોવાથી તેનો ઉપયોગ કુપોષ્ાણ દૂર કરવામાં અને બેબી ફુડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે.  આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ,વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધન વાનગીઓ બનાવી શકાય છે.

૨.જમીન અને આબોહવા

નાગલીએ વિવિધ પ્રકારની જમીન તેમજ વિભિન્ન આબોહવામાં થઈ શકે છે. જયાં અન્ય પાક ઉગાડવાની શકયતા નહિવત હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં પણ નાગલી થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી લાલ, રાખોડી રંગની, ગોરાડુ અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં પાક સારો થાય છે.

૩.ખાતર વ્યવસ્થાપન

શકય હોય તો એક હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારુ કહલવાયેલું છાણિયું ખાતર આપવું અથવા શણ કે ઈકકડનો લીલો પડવાશ કરવો. નાગલીના પાકમાં ૪૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ર૦ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ર૦ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો. આ માટે ફેરરોપણી વખતે હેકટર દીઠ ૧રપ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને ૧૦૦ કિલો એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવો. ઓછા વરસાદવાળા વિસ્તારમાં બાકી રહેલ નાઈટ્રોજનનો જથ્થો હેકટર દીઠ ૪૪ કિલો યુરિયાના રૂપમાં આપી શકાય.

૪.પિયત વ્યવસ્થાપન

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નાગલીની વરસાદ આધારીત ખેતી કરવામાં આવે છે. વરસાદ પ્રમાણસર અને નિયમિત હોય તો નાગલીને પિયત આપવાની જરૂર પડતી નથી. પરંતુ જયાં પિયતની સગવડ હોય અને પાછોતરો વરસાદ ખેંચાય તો એક -બે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય. નાગલીનો પાક કોઈ પણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શકાતો નથી. જેથી જયાં પાળાવાળા ખેતરમાં કે છીછરી કયારીમાં કાદવ પાડીને નાગલીની રોપણી કરી હોય ત્યાં ખેતરમાં છૂટું પાણી હોય તો તે બહાર કાઢી નાખવું.

૫.નીદણ વ્યવસ્થાપન

નાગલીનાં છોડનો શરૂઆતનો વિકાસ ધીમો હોવાથી શરૂઆતનાં ૪પ દિવસ ખેતરને નીંદાણ મુકત રાખવું. ફેરરોપણી બાદ જરૂર પ્રમાણે નીંદામણ કરવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

૬.રોગ અને જીવાત વ્યવસ્થાપન

પાક સંરક્ષાણ :

સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્બવ જોવા મળતો નથી. પરંતુ છેલ્લા કેટલાક વષ્ાર્ોથી ગાભામારીની ઈયળ અને કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્બવ જોવા મળેલ છે.

 

(૧) ગાભમારાની ઈયળ :

નાગલીના પાકમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં અને ડૂંડી આવવાનાં સમયે જોવા મળે છે. શરૂઆતની અવસ્થામાં જો તેનો ઉપદ્રવ જોવા મળે તો છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જાય છે તેને 'ડેડ હાર્ટ' કહે છે. ડૂંડી આવવાનાં સમયે ઉપદ્રવ  થાય તો ડૂંડી સફેદ રંગની થઈ જાય છે. તેમાં દાણા ભરાતા નથી. આવી ડૂંડીને ખેંચાતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે તેને ' વ્હાઈટ ઈયર હેંડ ' કહે છે.

સંકલિત નિયંત્રણ : પાકની કાપણી પછી તુરત ખેડ કરી જડીયા એકત્ર કરી નાશ કરવો. ધરૂને રોપતાં પહેલા ટોચ કાપી નાખવી. ગાભમારાથી નુકશાન પામેલ ' ડેડ હાર્ટ' ભેગા કરી નાશ કરવો. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી શરૂ થતો હોવાથી કાબર્ોફયુરાન ૩ જી અથવા કારટેપ  ૪જી દણાદરા દવા ૧ કિ.ગ્રા /૧૦૦ ચો.મી વિસ્તાર દીઠ ધરૂ નાખ્યા બાદ પાંચમા દિવસે અને ધરૂ ઉગાડવાના પોચેક દિવસી પહેલા આપવું. જરૂર જણાય તો કવીનાલફોસ ર૦ મી.લી અથવા ટ્રાયઝોફોસ ૧ર થી ૧પ ગ્રામ પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરવાથી ગાભમારાની ઈયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

(ર) કરમોડી (બ્લાસ્ટ) :

આ રોગ પાયરીકયુલેરીયા ગ્રીસી નામની ફૂગથી થાય છે. ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે. પરંતુ ડાંગ જિલ્લામાં આ રોગનું પ્રમાણ વિશેષ્ા જોવા મળેલ છે. ઝરમર-ઝરમર વરસાદ અને સતત ભેજવાળુ વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે. છોડ પર આક્રમણના આધારે આ રોગ ત્રણ અવસ્થામાં જોવા મળે છે :

(ક) પાનનો કરમોડી (લીફ બ્લાસ્ટ) : શરૂઆતમાં પાન પર ટાંકણીનાં માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી રંગનાં ટપકા જોવા મળે છે જે મોટા થતાં આંખ (ત્રાક) આકારનાં, બંને બાજુ અણીવાળાં જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. તીવ્ર સ્વરૂપમાં ટપકાં આખા પાન સુકાઈ જતા છોડનો વિકાસ અટકી જાય છે. પાનનો કરમોડી મોટાભાગે ધરૂવાડીયામાંથી જ શરૂ થતો હોય છે.

(ખ) ડૂંડીનો કરમોડી (નેક બ્લાસ્ટ) : છોડની ડૂંડીનો પહેલા સાધાંનો ભાગ તેમજ ડૂંડીથી નીચેનો પ-૧૦ સે.મી. દાંડીનો ભાગ, ફૂગનાં આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે જેથી દાણાને પોષ્ાણ મળતું નથી અને દાણા પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે.

(ગ) ફીંગરનો કરમોડી (ફીંગર બ્લાસ્ટ) : આ પ્રકારનો કરમોડી ફીંગરનાં ટોચ પરથી શરૂ થાય છે અને નીચેની તરફ વિસ્તાર પામે છે. ઘણી વખત આખી ફીંગર રોગગ્રસ્ત જોવા મળે છે. આ ફૂગ દાણા પર અસર કરે છે, જેના લીધે દાણા પોચા રહી જાય છે અને કાળા થઈ જાય છે.

 

સંકલિત નિયંત્રણ :

     ધરૂ નાખતા પહેલા બીજને એક કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાબર્ેન્ડાઝીમ દવાનો પટ આપવો.

     ધરૂવાડીયામાં રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ  ૭પ ટકા અથવા ૧૦ ગ્રામ કાબર્ેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીફેનફોસ પ૦ ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

     પાકમાં ભલામણ કરતા વધારે નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવા નહી.

     છાણિયું ખાતર તથા સેન્િદ્રય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો.

૭.કાપણી અને સંગ્રહ

નાગલીનો પાક ૧રપ થી ૧૩પ દિવસમાં તૈયાર થઈ જાય છે. ડૂંડી જયારે પાકી થાય ત્યારે કાપી લેવી. છોડ પરની બધી ડૂંડી એકી સાથે પાકતી નથી એટલે ડૂંડી જેમ તૈયાર થાય તેમ કાપતા જવું. બધી ડૂંડી કપાઈ જાય અને સુકાઈ જાય એટલે ખળીમાં બળદથી પગર કરી દાણા છૂટા પાડવા. પવનની મદદથી દાણા સાફ કરી અનાજ ભરવાની કોઠી અથવા વાંસના પાલામાં તેનો સંગ્રહ કરવો. કોઠીને તેમજ પાલાને ઉપરથી લીંપી લેવાથી ઉંદરથી થતો બગાડ અટકાવી શકાય છે. આ રીતે સંગ્રહ કરેલા દાણા લાંબા સમય સુધી રાખી શકાય છે. તેમાં જીવાત પડતી નથી. બધી ડૂંડી કપાઈ જાય એટલે નાગલીની ચીપટ કાપી લઈ તેનું કૂંડવું બનાવી સાચવવું. નાગલીની ચીપટનો ઢોરના સૂકા ચારા તરીકે ઉપયોગ થાય છે.

 

ઉત્પાદન :

સરેરાશ ઉત્પાદન હેકટરે ર૦૦૦ થી રપ૦૦ કિલો.

૮.જાતોની પસંદગી

સુધારેલી જાતો :

જાત   બહાર પાડયાનું વષ્ર્ા  પાકવાના દિવસો      સરેરાશ ઉત્પાદન કિલો/ હેકટર  વિશેષ્ાતા

ગુજરાત નાગલી-૧    ૧૯૭૬  ૧રપ-૧૩૦    ર૦૦૦ ડૂંડી મધ્યમ લાંબી, ટોચથી વળેલી અને ઘટ્ટ, સ્થાનિક જાત કરતા ૧૬.૬ ટકા જેટલું વધુ ઉત્પાદન, ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તાર માટે અનુકૂળ જાત

ગુજરાત નાગલી-ર    ૧૯૮ર  ૧૩૦-૧૩પ    રર૦૦ સ્થાનિક જાતમાંથી પસંદગી દ્વારા તૈયાર કરેલ જાત, ડૂંડા મધ્યમ લાંબા અને અધર્્ ઘટ્ટ, દાણાનો રંગ આકષર્્ક લાલ, ગુ. નાગલી -૧ કરતા ૧૯ ટકા જેટલું વધુ ઉત્પાદન.

ગુજરાત નાગલી-૩    ૧૯૯૦  ૧૩૦-૧૩પ    ર૩૬પ કે એમ-૧૩ અને ગુ. નાગલી-ર ના સંકરણથી તૈયાર કરેલ જાત, ડૂડી ખૂબ લાંબી અને ખૂલ્લી, દાણા ઈંટ જેવા લાલ રંગના, રોગ-જીવાત સામે સારી પ્રતિકાર શકિત ધરાવે છે.

ગુજરાત નાગલી-૪    ર૦૦૬  ૧રપ-૧૩૦    ર૯૩૪ કે એમ - રર૮ માંથી પસંદગી દ્વારા તૈયાર કરેલ જાત, ડૂડી લાંબી અને અર્ધ ઘટ્ટ, ડૂડીમાં દાણાની સંખ્યા વધારે ગુ. નાગલી -૩ કરતાં ર૪ ટકા વધારે ઉત્પાદન

ગુજરાત નાગલી-પ (સફેદ)   ર૦૦૯  ૧૧૦-૧૧પ    ર૯૦૦ થી ૩ર૦૦     ગુજરાત નાગલી -૩ અને ૪ કરતા અનુક્રમે આ જાતમાં રપ ટકા અને ૧૯ ટકા વધુ ઉત્પાદન મળે છે.

૯.વાવણી સમય અને પદ્ધતિ

ધરૂવાડિયું :

ડાંગરની જેમ નાગલીની ફેરરોપણી કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળે છે. આ માટે રોપણી લાયક વિસ્તારના ૧૦ માં ભાગ જેટલા વિસ્તારમાં ધરૂ તૈયાર કરવંુ. ડાંગ, સુરત અને વલસાડ જેવા વધુ વરસાદ વાળા પ્રદેશમાં ગાદી કયારા જયારે પંચમહાલ જિલ્લાના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સપાટ કયારા બનાવી ધરૂવાડિયું તૈયાર કરવું. ધરૂવાડિયુંની જમીન પડતર હોય તો રાબિંગ કરવુ. ધરૂવાડિયામાં રાબિંગ કરવા માટે નકામું ઘાસ-કચરો, ડાંગરની કુશકી, ઘઉંની ફોતરી વગેરેનો જમીન પર ૧ ઈંચ જાડો થર બનાવવો અને પવનની વિરુધ્ધ દિશામાં સળગાવવું.

જૂન માસમાં પહેલો વરસાદ થયા બાદ વરાપ આવતા ધરૂવાડિયું તૈયાર કરવું. ધરૂવાડિયાની જમીનને બરાબર ખેડીને ઢેફા ભાંગીને સમતળ કરવી. ગાદી કયારા ૧ મીટર પહોળાઈના, ૧૦-૧પ સે.મી ઉંચાઈના અને ઢાળ મુજબ પ-૬ મીટર લંબાઈના બનાવવા. જયારે સપાટ કયારા ૧ થી ૧.પ મીટર પહોળાઈના બનાવવા. દરેક કયારામાં સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ કિલો આપવું. એક હેકટરના ધરૂવાડિયા માટે ર-૩ કિલો નાઈટ્રોજન અને ૧ કિલો ફોસ્ફરસ આપવો. ધરૂવાડિયામાં બીજ છૂટું ન પૂંખતા કોદાળીથી ૧૦ સે.મી. ના અંતરે ચાસ પાડી તેમાં વાવવું. ચાસમાં બીજ વાવવાથી નીંદામણ સરળતાથી કરી શકાય છે અને ધરૂઉછેર સારી રીતે થાય છે. ધરૂવાડિયામાં

નીદામણ, પિયત અને રોગજીવાતની કાળજી અંગે પૂરતું ધ્યાન આપી તંદુરસ્ત ધરૂ તૈયાર થાય તે ખાસ જોવુ.

૧૦.બિયારણ અને તેની માવજત :

નાગલીનો દાણો ઝીણો હોઈ એક હેકટરની ફેરકાપણી માટે ૪ થી પ કિલો બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજ જન્ય રોગોને આવતા અટકાવવા માટે બીજને ધરૂવાડિયામાં વાવતા પહેલા ૧ કિલો  બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કાબર્ોન્ડાઝીમ દવાનો પટ આપવો. રાસાયણિક ખાતરના કાર્યક્ષામ ઉપયોગ માટે બિયારણને પી. એસ.બી અને એઝોસ્પાયરીલમ જૈવિક  કલ્ચરનો ૩ ગ્રામ /૧ કિલો બીજ પ્રમાણે પટ આપવો.

ફેરરોપણી :

ધરૂ ત્રણથી ચાર અઠવાડિયાનું થાય ત્યારે તેને ફેરરોપણી માટે ઉપાડવું આ વખતે છોડ પાંચથી સાત પાનનો હોય છે. ફેરરોપણી કરતાં પહેલા પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરી પાયાનું ખાતર નાખી સમાર મારવો. ફેરરોપણી લાઈનમાં કરવી. ધરૂ ફેકીને ન રોપતા, મૂળિયા જમીનમાં દબાઈ જાય તે રીતે રોપવુ. નાગલીમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.પ સે.મી નું અંતર રાખ.

સોર્સ : http://www.aau.in/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate