অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો

બિયારણ માર્ગદર્શિકા અને સુધારેલા ન્યુનતમ ધોરણો

પ્રાસ્તાવિક

ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના એપ્રિલ ૧૯૭૫ માં થઇ હતી. સામાન્ય રીતે ગુરાબીની એના બ્રાન્ડ નામથી જાણીતું છે. ખેડૂતોના વિશ્વાસ અને બ્રાન્ડ નિષ્ઠા, ગુણવત્તા, ખાતરી, સન્નિષ્ઠ સેવા તથા યશસ્વી સિધ્ધિઓ સાથે ખેડૂતોના ઉત્કષૅ માટે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે.

ગુરાબીની ૩૦ કરતાં વધુ પાકોનાં બીજ તથા ૧૦૦ જાતો તથા લગભગ તમામ પ્રકારની સંકર જાતો એટલે કે ધાન્ય, કઠોળ, તેલીબિયાં, ફાઇબર પાકો, ઘાસચારો, લીલા પડવાસના પાકોના ઉત્પાદન, પ્રક્રિયા અને બજાર વ્યવસ્થામાં પ્રાથમિક રીતે રોકાયેલ છે.

ગુરાબીની પાસે પોતની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે છે અને ગુજરાતભરમાં ૧૩ શાખાઓ અને એક વેચાણ ડિપો છે. ગુરાબીની ના અધ્યક્ષ ગુજરાત સરકારના અગ્ર સચિવ (કૃષિ) છે અને વહીવટી નિયામક પણ ગુજરાત સરકારમાંથી સિનિયર ટેકનિકલ અધિકારી છે.

નિગમની અધિકૃત શેર મૂડી રૂ. ૪ કરોડ છે, જે દરેક રૂ. ૧૦૦ નો એવા સરખા શેરોમાં વિભાજીત છે. તે સામે ભરપાઇ થયેલ શેર મૂડી રૂ. ૩.૭૩ કરોડ છે. શેરો, શેર હોલ્ડરોના નીચેના પ્રકારના શેર હોલ્ડરો ધારણ કર્યા છે.

  • ગુજરાત સરકાર :૯૫.૦૦% શેર
  • ભારત સરકાર :૫% શેર

નિયામક મંડળી હાલની સંખ્યા ૮ ની છે. કંપનીના ધારાધોરણની કલમ-૬૨ માં સમાવિષ્ટ જોગવાઇ હેઠળ નિયામકો નીમવામાં આવે છે.

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ.) કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવયુ છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયત્નના વિશાળ વયુહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષિટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે. જૂન ૧૯૯૭માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતે સહી કરી તયારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિ મળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપત કરવાની જરૂરિયાત અને વયક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીતે, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચછતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની ઉપલભયતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.
ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂકયું છે. સીમાંત લોકોમાટે ગ્રામીણ આવાસન એક મુખય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખયાલ મેળવીને કેન્દ્ર સરકાર ઈંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સથળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે. સામાજિક સથિતિનું પ્રતીક છે અને સાંસ્કૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સથિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ.) કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવયુ છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયત્નના વિશાળ વયુહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષિટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે. જૂન ૧૯૯૭માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતે સહી કરી તયારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિ મળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપત કરવાની જરૂરિયાત અને વયક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીતે, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચછતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની ઉપલભયતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.

ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂકયું છે. સીમાંત લોકોમાટે ગ્રામીણ આવાસન એક મુખય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખયાલ મેળવીને કેન્દ્ર સરકાર ઈંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સથળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે. સામાજિક સથિતિનું પ્રતીક છે અને સાંસ્કૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સથિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

પૂર્વભૂમિકા

  • સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય યોજનામાં ઘરથાળ સહ-બાંધકામ સહાય યોજના તરીકે ઓળખાતી બીજી યોજના પણ ૧૯૭૪-૭૫થી રાજ્ય સેકટરમાં તબદીલ કરવામાં આવી.
  • જૂન ૧૯૮૫માં નાણાંનો ભાગ અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે નાણાંનો ભાગ અંક્તિ કરીને ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમની પેટા-યોજના તરીકે ઈંદિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ, ૧૯૮૫માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી તયારે નાણાંના 9 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે ફાળવાયો હતો. ૧૯૯૩-૯૪માં આ વયાપ, જવાહર રોજગાર યોજના હેઠળ આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં વધારીને બિન-અનુસૂચિત જાતિ/ બિન-અનુસૂચિત આદિજાતિ કુટુંબો સુધી, જવાહર રોજગાર યોજના નીચે આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં ૧૦ ટકા કરવાની અને હિતાધિકારીઓની આ કક્ષા માટે વધારાના ૪ ટકાના ઉપયોગની છૂટ આપીને વયાપ વધારવામાં આવયો હતો.
  • ૧લી જાન્યુઆરી, ૧૯૯૩થી ઈંદિર આવાસ યોજનાને સ્વતંત્ર યોજના બનાવવામાં આવી હતી. ગરીબીની કઠોરતા ઘટાડવા માટે અને ગરીબો જુદા જુદા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો મેળવી શકે તે માટે ગરીબ કુટુંબોને પ્રતિષઠા આપવા ગ્રામીણ ગરીબી નાબૂદીના વિશાળ વયુહના ભાગ તરીકે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો તે હવે મુખય કાર્યક્રમ છે.

અભિગમ અને વ્યૂહ

  • આવાસ માનવોની મૂળભૂત જરૂરિયાત છે. માનવોને જીવંત રહેવા તેમજ સરસ જીવન જીવવા માટે તે મૂળ જરૂરિયાત છે. આવાસ ફકત વયક્તિગત કુટુંબો માટે નથી. તે સમુદાય માટે છે. મૂળભૂત રીતે તો મકાન કુદરતનાં તત્વો, ગુપતતા અને બહારની દુનિયાની ધાંધલ-ધમાલથી રક્ષણ માટે આશ્રય પૂરો પાડે છે. રહેઠાણના સ્થળ તરીકે તે સલામતી પૂરી પાડે છે અને તેના સ્થાનના આધારે જુદી જુદી સગવડો પૂરી પાડે છે. ફકત આશ્રયથી આગળ જતાં તે રહેઠાણ છે. મકાન આખરે તો દરેક ‘ઘર’ની ઇચછા રાખે છે. તે માલિકી અને ઓળખની સમજ આપે છે. મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે અને આત્મસંન્માન અને વિશ્વાસને વધારે છે. ઘર સુખાકારીમાં ઘણો ફાળો આપે છે. તે વયક્તિના સામાજિક અને આર્થિક વિકાસ માટે આવશ્યક છે. તે આજીવિકામાં સહાયરૂપ થાય છે અને સામાજિક એકત્રીકરણને પ્રોત્સાહન આપે છે. તે સાંસ્કૃતિક અભિવયક્તિનું સ્વરૂપ છે અને સામાજિક મોભાનું પ્રતીક છે.
  • સગવડભર્યું ઘર હોવું તે બહુધા લાંબા સમયથી સેવેલી ઉત્કટ ઇચછાની પરિપૂર્તિ છે. ઇચછાઓ અને અગ્રતાઓને આકાર અને સ્વરૂપ આપીને ઘર બદલામાં કુટુંબ અને સામાજિક જીવનને સાકાર કરે છે. તે જીવનને અને વયક્તિઓના વર્તનને ઘડવામાં મહત્વનું પરિબળ છે. તે ચારિત્ર્ય ઘડવામાં મહત્વનો ફાળો આપે છે અને સમગ્ર વિકાસ માટે તે પર્યાવરણ પદ્ધતિ ઊભી કરે છે. સારું ઘર કુદરતી વાતાવરણને સુસંગત રહેશે અને કુટુંબનું આત્યંતિક આબોહવાથી રક્ષણ કરે છે. શિયાળામાં ગરમી આપે છે. ઉનાળામાં ઠંડી અને વરસાદ દરમિયાન સૂકા રાખે છે. કુટુંબે ઘરની જાળવણી કરવી જોઇએ અને તેનાં નાણાકીય સંસાધનોમાં રહીને અને સ્થાનિક રીતે મળતાં કૌશલ અને માલસામાનનો ઉપયોગ કરીને જરૂરી મરામત કરાવવી જોઇએ. એકત્રીકરણ, સગવડો, આર્થિક પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિ માટે ઘરને સાચાં બાહ્ય જોડાણ હોવાં જોઇએ.
  • મકાન વપરાશી માલ તેમજ મૂડીકૃત માલ બનને છે. તે આર્થિક માલ છે અને જીવન ધોરણ વધારે છે. જેમને પોતાની મેળે ઘર પરવડતું નથી તેવા નાગરિકોને કલ્યાણ રાજ્યમાં તે પૂરું પડાય તે મહત્વની જવાબદારી છે. જાહેર આવાસમાં કરેલું મૂડી-રોકાણ કલયાણને વિસ્તારવા ઉપરાંત સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપે છે.
  • જાહેર આવાસનો મુખય હેતુ કુટુંબ માટે કાર્યલક્ષી સાથળની મૂળભૂત જરૂરિયાત હાર્દરૂપ મકાન અથવા પ્રારંભિક મકાન (starter) પૂરી પાડવાનું છે. તે મર્યાદિત વિસ્તારમાં રહેઠાણની આવશ્યક જગયા પૂરી પાડે છે ત્યારે તે ટોઇલેટ સહિત બધી રીતે સંપૂર્ણ છે. કુટુંબની વૃદ્ધિ થાય અથવા તેની આર્થિક સથિતિ સુધરે ત્યારે આવા મકાનનું વિસ્તરણ અને વિકાસ થાય છે. હાર્દરૂપ મકાનની ડિઝાઇન અને પર્યાપતતા સંસ્કૃતિએ સંસ્કૃતિએ જુદી પડે છે. તે પોતાના માથા પરના છાપરાથી વિશેષ છે. તેમાં જગાયાની પર્યાપતતા. પ્રવેશની સુગમતા, નાટ્યૂનતમ જરૂરિયાતોની ઉપલભયતા, ભૌતિક સુવિધાની જોગવાઇ અને તેની અંદર અને આસપાસ સરસ સૂક્ષમ આબોહવા, સારું પર્યાવરણ અને સલામતી અને સથિરતાની ગેરંટી અભિપ્રેત છે. તેને સામાજિક, આજિવિકા અને પરિસિથિતિ વિષયક વાતાવરણ સાથે જૈવિક દૃષિટિએ (organically) જોડવાનું છે. પ્રગતિને ઉદ્દીપત કરવા, મુખયત્વે શિક્ષણ અને વયવસાયના વિકલ્પ મારફત પછીની પેઢીને હાલની તકલીફોથી મુકત કરવા જોડાણ વધારવાં પડશે.
  • એ નોંધવાનું રહેશે કે હાલનાં ગ્રામીણ ભારતનાં આવાસ માટે સમુદાયે નાણાંની વયવસ્થા કરી હોય છે. જાતે બાંધેલાં અને જાતે વયવસ્થા કરેલાં હોય છે. મુખયત્વે સ્થાનિક રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરીને પરંપરાગત પ્રૌદ્યોગિકી સાથે સક્રિયપણે શ્રમ જોડીને અને ઘણીવાર તો સુધારેલી ગુણવત્તા અને તે સમયે વિસ્તારમાં લંબાવેલાં હોય છે. તે સામાજિક ઉતપાદન પ્રક્રિયાનું પરિણામ છે. તેમાં લોકો કેન્દ્રસ્થાને છે. તે કુદરતી રીતે પર્યાવરણને અનુકૂળ પ્રોડકટ છે. તેથી સરકારની પહેલ સંસાધનો અને સુધારેલી જાણકારી. પ્રૌદ્યોગિકી અને કૌશલની ઉપલભયતા પર ધયાન કેનદ્રિત કરવું જોઇએ.
  • ગ્રામીણ આવાસ વિકાસ ગરીબી નાબૂદી અને સમગ્ર ગ્રામીણ વિકાસના સંદર્ભમાં જોવાનો છે. તે માટે નીચેના વ્યૂહ પ્રસ્તુત છે :
  • હાલની પ્રક્રિયા સુદૃઢ બનાવવી અને તેને અયોગય ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીથી ઉથલાવી નાખવાને બદલે તે પ્રક્રિયાને ટેકો આપીને લોકોને તે આગળ લઇ જવામાં સહાય કરવી : (ર) વધારે વિસ્તરણ અને સુધારણા માટે પૂરતી જોગવાઇઓ સાથે તેમજ મકાનની અંદર સ્વીકાર્ય તરીકે કામનાં સ્થળનો સમાવેશ કરી હાર્દરૂપ મકાન’ના બાંધકામને સહાય કરવી;
  • વાપરનારાઓની જરૂરિયાતોના આધારે રહેવાના એકમોની ડિઝાઇન નકકી કરવી:
  • પરવડી શકે. અનુકૂળ બનાવી શકાય. રોજગાર નિર્માણ, પર્યાવરણીય લાભ (વનસ્પતિ પ્રૌદ્યોગિકી. જીવનચક્ર પર ઊર્જા વપરાશ. નિભાવ અને ચાલુ રાખવાની આરામને ધયાનમાં રાખીને માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીની પસંદગીને પ્રોત્સાહન આપવું;
  • જેનાથી ટકાઉ મકાનોનું બાંધકામ થાય. તેના રાબેતા મુજબના નિભાવથી ઓછામાં ઓછાં ત્રીસ વર્ષ ચાલે તેવા યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી મુકરર કરવી અને પરંપરાગત અને સ્થાનિક પ્રૌદ્યોગિકીની કક્ષા ઊંચી લાવવી;
  • વસવાટને સેનદ્રિય અસતિત્વ તરીકે કેનદ્રિત કરવા. તે પાણી, સૂર્યપ્રકાશ અને હરીયાળી જેવાં કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે અને ગ્રામીણ આજીવિકાનાં સામાજિક-આર્થિક પાસા પ્રત્યે સંવેદનશીલ હોય;
  • વસાહતનો જીવંત પ્રકાર જાળવી રાખવો;
  • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિનાં કુટુંબ, સત્રીઓ વડા હોય તેવાં કુટુંબ, અશક્તતા ધરાવતાં કુટુંબો અને ખાસ કરીને પોતાના આશ્રયની જરૂરિયાત, યોજનાની ઉપલભયતા અને મકાનો બાંધવાની પોતાની જરૂરિયાત વયકત પણ ન કશી શકે તેવાં સીમાંત જૂથને સમાનતા અને સામાજિકનયાયને વિધેયાત્મક પ્રોત્સાહન આપવું;
  • મકાનનાં ડિઝાઇન, પ્રૌદ્યોગિકી અને નાણાંની જોગવાઇ સંબંધમાં નિર્ણય લેવાની પ્રક્રિયા જન્માવવી;
  • પરંપરાગત કડિયા અને બાંધકામ કામદારો તેમજ ઇજનેરો અને વિકસતાં સ્ત્રી-કડિયા જૂથને સારી ડિઝાઇન, યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી તેમજ પોષણક્ષમ બાંધકામ તથા કાર્યક્ષમ સ્થળ અને બાંધકામ વયવસ્થા સાથે પુનઃકૌશલ આપવું અને સંવેદનશીલ બનાવવાં:
  • ખાસ કરીને ગ્રામ કક્ષાએ આવાસ કાર્યક્રમના આયોજન અને અમલમાં પંચાયતોને વધારે મોટી ભૂમિકા આપવી.

આમ, ઈંદિરા આવાસ યોજના લોકોનું બિલડર તરીકે નવસર્જન કરવાની તક આપે છે. લોકોને વસાવવા તેમની સવદેશી પ્રક્રિયામાં ભાગ લઇને ‘વિપરિત ભાગીદારીના પ્રકારને સરકાર પ્રોત્સાહન આપે છે.

ગુજરાત રાજયના લગભગ મોટાભાગના વિસ્તારોમાં જૂનના અંત ભાગે અથવા જુલાઇના પ્રથમ સપ્તાહમાં વરસાદ ચાલુ થાય છે. પશુપાલન માટે આ સમય ઘણો જ કટોકટીનો છે. નવુ લીલુ ચરીયાણું ઉપલબ્ધ થતાં ઓગષ્ટ માસ આવી જશે. હાલમાં સંગ્રહ કરેલ જુવાર કડબ, ડાંગરનું પરાળ ખુટવા આવ્યું છે. આ સંજોગોમાં પશુપાલકને પશુ કેવી રીતે નિભાવવા એ મુંઝવણ છે. માટે મિત્રો, આજે તમને ઘઉંના પરાળનું પોષણમૂલ્ય વધારી પશુઓને પશુઆહાર બનાવવાની વાત કરવી છે, થુલીમાંથી કંસાર બનાવવાની રીત બતાવવી છે.

ખેડૂત મિત્રો તમે ઘઉંની કાપણી કરી ઘઉં કાઢી લીધા હશે. જેથી ઘઉં આપણા ઉપયોગ માટે અને પરાળ પશુઓના ઉપયોગ માટે ઉપલબ્ધ થયુ છે. ભૂતકાળમાં ઘઉંના પરાળનો ઉપયોગ આપણે પશુને ખવડાવવામાં કરતા હતા. ઘઉંના પરાળમાં નીચે દર્શાવ્યા મુજબના પોષક તત્વો છે.

લેબોરેટરીમાં પ્રુથ્થ્કરણ કરીને મળેલા તત્વો – પ્રોટીન 2.4, તેલી પદાર્થો 1.4, રેષાવાળા ભાગ 43.7, મેંદાવાળા પદાર્થ 41.7, કુલ 89.2

પશુના પાચનતંત્રમા શોસાતા પાચ્ય઼ તત્વો – પ્રોટીન 0.2, તેલી પદાર્થો 0.5, રેષાવાળા ભાગ 33.5, મેંદાવાળા પદાર્થ 21.7, કુલ 55.9

પ્રોટીન જેવું મહત્વનું તત્વ ઘઉંના પરાળમાં ર.૪ ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ પશુઓમાં એનું પાચન ફકત ૦.ર ટકા જેટલું જ થાય છે. આનો અર્થ એવો થાય છે કે મોટાભાગનું પ્રોટીન પચ્ચા વગર છાણમાં નીકળી જાય છે. આમ હોવાથી પશુને જયારે ઘઉંનું પરાળ ખવડાવવામાં આવે છે ત્યારે એનું શરીર નભી જાય છે, પણ એનું શરીર તગડું થતું નથી. દૂધ આપતું હોય તો દૂધમાં વધારો થતો નથી. ઘઉંના પરાળનું પ્રોટીન તત્વ ન પચવાનું કારણ છે, એમાં રહેલ લાકડીયું (લીગનીન) તત્વ. પશુનું જઠર સેલ્યુલોઝ પચાવવાની શકિત ધરાવે છે. પરંતુ, લીગનીન પચાવવાની શકિત ધરાવતું નથી. ઘઉંના પરાળમાં રહેલ બધા તત્વ લીગનીન સાથે મજબૂત રાસાયણિક બંધનથી સંયોજાયેલા હોય છે. આ રાસાયણિક બંધનના હિસાબે આ તત્વો લીગનીનથી છૂટા પડતા નથી અને પશુના પેટમાં પચતા નથી. જેથી છાણમાં નીકળી જાય છે. મુખ્યત્વે આપણુ પશુધન ખેતીની આડપેદાથો પર નીભાવવામાં આવે છે. એવા સંજોગોમાં ઉપલબ્ધ ચારામાંથી કેવી રીતે પુરતું પોષણ મળે એ બાબત પશુ પોષણનાં વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્વન બની ગયો. વૈજ્ઞાનિકોએ આ વિષય પર પ્રયોગશાળામાં સંશોધન કરી ઘઉંના પરાળમાં લીગનીન અને અન્ય પોષક તત્વોના રાસાયણિક બંધનને નબળું પાડવા માટે એક પ્રક્રિયા વિકસાવી. આ પ્રક્રિયાથી ઘઉંના પરાળનું પાચ્ય પ્રોટીન લગભગ ૩ (ત્રણ) ટકા જેટલું થઇ જાય છે, એટલે આ પરાળ જુવારના બાંટા જેટલું કસવાળું બની જાય છે. આ પ્રક્રિયા પશુપાલકો ઘર આંગણે કરી શકે એટલી સરળ છે. એમની પાસે ઉપલબ્ધ સાધનોમાંથી થઇ શકે એવી બાબત છે. ઘઉંના પરાળની યુરિયા પ્રક્રિયા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂરિયાત રહે છે.

  • રાસાયણિક યુરિયા ખાતર – ૧૦૦ કિ.ગ્રા. પરાળદીઠ ૪ કિ.ગ્રા. યુરિયા લેખે.
  • ૧૦૦ કિ.ગ્રા. પરાળદીઠ ૪૦ લીટર પાણી રાખવા એક મોટુ ર૦૦ લીટર ક્ષમતાવાળું પીપ અને ર૦ લીટર પાણી રહે તેવી એક બાલદી.
  • પરાળના ઢગલાં ઢાંકવા માટે ખાતરની પલાસ્ટિકની થેલીમાંથી બનાવેલ એક મોટી ચાદર (૨૦’ x ૨૦’) આ ઉપરાંત પ્રક્રિયા કરવા માટેની એક નાની ચાદર (8’ x 8”).
  • વજન કરવા માટેનો સ્પીંગ કાંટો.
  • પાણી માપવા માટેનું લીટરનું માપ.
  • પરાળની હેરફેર માટે એક મોટો ટોપલો.

ક્રિયા કરવા માટે નીચે મુજબ તબકકાવાર કાર્યવાહી કરવી.

  • સૌ પ્રથમ જયાં પ્રક્રિયા કરવા પરાળનો ઢગલો રાખવો હોય તે જગ્યા નકકી કરો.
  • મોટા ટોપલામાં રહેલા પરાળનો સપ્રીંગ કાંટા પર વજન કરી નકકી કરો, જેથી ટોપલાના માપથી ચોકકસ વજનનું પરાળ વાપરી શકાય.
  • એક જગ્યાએ નાની ચાદર પાથરી તેના પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ ટોપલામાંથી ઠાલવો.
  • એક પીપમાં ર૦૦ લીટર પાણી લઇ તેમાં ર૦ કિ.ગ્રા. યુરિયા ઓગાળો અને આ ૧૦૦ કિ.ગ્રા. પરાળના જથ્થા પર ૪૦ લીટર યુરિયા દ્રાવણ છાંટો. હાલમાં થેસરથી ઘઉં કાઢવામાં આવે છે જેથી નાના ટુકડા હોય છે, એટલે પરાળને ઉપરતળે કરતા જાવ અને ઉપર દ્રાવણ છાંટતા જાવ. દ્રાવણ છટાય જાય એટલે આ પરાળને જયાં ઢગલો બનાવવાનો છે ત્યાં પાથરી દો. ત્યારબાદ બીજા થર માટે ફરી નાની ચાદર પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ પાથરી ઉપર જણાવ્યા મુજબ યુરિયાનું દ્રાવણ છાંટો અને તેને અગાઉનો જે થર બનાવેલ છે તેની ઉપર પાથરી દો. આમ, પરાળની અનૂકુળતા પ્રમાણે પ થી ૧૦ થર કરો.
  • થર ગોઠવવાની કામગીરી પૂરી થાય એટલે આ થર પર થોડા સાદા પ્રક્રિયા વગરના પરાળનો થર કરો. હવે આ ઢગલાં પર મોટી ચાદર ઓઢાડી દો. જમીન પર ચાદર અડે ત્યાં ઢગલાં નીચે દબાવી અને ફરતે માટીની પાળી કરી દો. એટલે છેડા બરોબર દબાયેલા રહે. ચાદર કોઇ જગ્યાએ ફાટેલી હોય તો એ જગ્યાએ છાણ-માટીના મિશ્રણનો ગારો બનાવી ચોપડી દો. જેથી ત્યાંથી હવા નીકળી શકે નહિ. આ ઢગલાંની આજુબાજુ કાંટા મુકી દો જેથી એને કોઇ પશુ નુકસાન ન કરે.

એ રીતે બંધ કરેલા ઢગલાંને ર૧ દિવસ બંધ રાખવો. આ સમયગાળામાં યુરિયામાંથી એમોનિયા વાયુ છૂટો પડે છે અને એમોનિયા પ્રક્રિયા કરીને પરાળના લાકડીયા તત્વના (લીગનીન) અને પોષક તત્વ સાથે બંધનને નબળુ પડે છે. આથી આવું પરાળ જયારે પશુઓને ખવડાવીએ છીએ ત્યારે એમાનું પ્રોટીન અને બીજા તત્વો જે લાકડીયા તત્વો સાથે સંયોજાયેલા હોય છે, તે પશુના પેટમાં છૂટા પડે છે અને પશુના પાચનતંત્રમાં શોષાઇને પોષણ પુરૂં પાડે છે. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે આવી પ્રક્રિયા કરેલા ઘઉંના પરાળમાંથી ર-૩ ટકા પ્રોટીન અને ૬૦ ટકા જેટલા કુલ પાચ્ય તત્વો મળે છે. પરાળ ખવડાવતી વખતે ઉપરની ચાદર યથાવત રાખી ઢગલાંને નીચેની બાજુએથી ખોલીને ખવડાવવો. ખવડાવવા માટે જોઇતો જથ્થો બે-ત્રણ કલાક પહેલા કાઢી ખોલીને મુકો, જેથી એમાંથી એમોનિયાની વાસ નીકળી જશે. શરૂઆતના તબકકામાં યુરિયા પ્રક્રિયા કરેલ પરાળનો જથ્થો મોટા પશુને ઓછા પ્રમાણમાં આપો અને ધીમે-ધીમે આવા પરાળનું પ્રમાણ વધારતા જાવ.

હવે આપણ આજની પરિસ્થિતીમાં ઘઉંના પરાળની પ્રક્રિયાના આર્થિક લાભની ગણતરી કરીએ. ર ટકા પાચ્ય પ્રોટીનવાળા ૧૦૦ કિ.ગ્રા. બાંટાની આજની બજાર કિંમત રૂા. ૪૦૦ છે, જયારે ઘઉંના ૧૦૦ કિ.ગ્રા. પરાળની યુરિયા પ્રક્રિયા કરવાનો ખર્ચ અંદાજે રૂ. ૩પ થાય છે. આ પરાળની કિંમત ૧૦૦ કિ.ગ્રા. ના રૂ. ૧૦૦ ઉમેરો તો રૂા. ૧૩૫ માં જુવારના બાંટા જેટલું પોષણક્ષમ પરાળ ઉપલબ્ધ થાય છે. આમ આજની મોંઘવારીના જમાનામાં સસ્તી પ્રક્રિયા વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે, તેને અપનાવી તેનો લાભ લઇએ. આ ઋતુમાં ઉપલબ્ધ પરાળનો યોગ્ય ઉપયોગ કરી પશુને જાળવો. પશુપાલનમાં આવકનું (નફાનું) દિવસે-દિવસે ઘટી રહ્યું છે અને આપણે ત્યાં મળતા જુવાર બાંટા અને બરડી ઘાસના ભાવ ખૂબ ઉંચા જઇ રહ્યા છે તે સંજોગોમાં ઘઉંના પરાળની યુરિયા પ્રક્રિયા કરી ઉપયોગ કરવાથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડી વધુ નફો મેળવી શકાશે.

આ પ્રક્રિયાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી, સણોસરા અથવા નજીકના પશુચિકિત્સા કેન્દ્રનો સંપર્ક સાધવો.

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો અને તમારૂં નામ, ગામ અને જીલ્લો વાટસએપ દ્વારા મોકલો. ક્રુપા કરીને યાદ રાખો કે વોટ્સએપ પર સફલ કિસાનનાં મેસેજ મેળવવા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરવો જરૂરી છે. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે. તો તમે એક વાર તમારો નંબર આપ્યો હોય તો પાછો આપવાની જરૂર નથી.

એમ્પેનલમેંટ ઓફ ફાર્મ મશીનરી ફાર્મ તબક્કો અમલીકરણ-I

ખેડુત રસ જુથો (FIGs/CIGs) ની રચના તથા તેમનું સશકિતકરણ
આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુત-રસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

કૃષિ વિષયક તાલીમ
ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.

નિદર્શન
કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.

કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન
ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.

કૃષિ મેળા / પ્રદર્શનનું આયોજન
ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ
વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

ખેડુત શાળા (Farm School)
ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ
ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.

  • ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન
  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

તાલીમ

આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.

રાજ્ય બહારની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદરની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે

.નિદર્શન

આત્મા યોજના સાથે જોડાયેલ ગૃપોને કૃષિ યુનીવર્સીટી દ્વારા કરાયેલ નવિન સંશોધનથી બહાર પાડેલ જુદા-જુદા પાકોની નવીન જાતો, IPM, INM, IMD તેમજ પશુપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, વર્મી કંમ્પોસ્ટ, મરઘા પાલન વગેરે વિષયો પર ખેડુતોના ખેતર અથવા પ્લોટની જગ્યાએ નિદર્શનો ગોઠવવામાં આવે છે. આ નિદર્શન દ્વારા ખેડુતોને નવીન ટેક્નોલોજી અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ વિષે માહિતગાર કરવામાં આવે છે. "Learning by Doing” અને "Seeing is Believing” ની વિચારધારા પર આ નિદર્શન ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતો ખેતર પર જ પ્રત્યક્ષ કાર્ય કરે છે અને જુવે છે જેથી સરળતાથી તે સ્થળ ઉપરની જાણકારી મેળવી પોતાના ખેતર પર અપનાવી શકે છે.આ નિદર્શન એકમ દ્વારા પ્રગતિશીલ ખેડુત પોતાનું જ્ઞાન અને તજજ્ઞતા બીજા ખેડુતોને આપી ખેતીમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવા મદદરૂપ સાબિત થાય છે.

નિદર્શનો માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા જીલ્લાના દરેક તાલુકા પૈકી સરેરાશ ૧૨૫ નિદર્શન એક એકરના પ્લોટ/ખેતરમાં ગોઠવવામાં આવે છે તથા પ્રતિ નિદર્શન રૂ.૪૦૦૦/- ની મર્યાદામાં ખેત સામગ્રી સહાય માટે આપવાની જોગવાઇ નક્કી કરવામાં આવેલ છે.

નિદર્શનની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો. ( https://atma.gujarat.gov.in/regional-offices-guj.htm)

વર્ષ

નિદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

પ૩૦૧

૪૧૦૩

૧૧૯૮

પ૩૦૧

ર૦૦૮-૦૯

૯પરર

૬૬૭૩

ર૮૪૯

૯પરર

ર૦૦૯-૧૦

૧૩૮પ૬

૮૭પ૦

પ૧૦૬

૧૩૮પ૬

ર૦૧૦-૧૧

ર૧૪પપ

૧૪પ૩પ

૬૯ર૦

ર૧૪પપ

ર૦૧૧-૧ર

૩ર૦૮૪

ર૪૦૩૯

૮૦૪પ

૩ર૦૮૪

ર૦૧ર-૧૩

પ૧૦ર૪

૩૩૭૭૬

૧૭ર૪૮

પ૧૦ર૪

ર૦૧૩-૧૪

૩૯ર૬૪

ર૮પ૧૯

૧૦૭૪પ

૩૯ર૬૪

ર૦૧૪-૧પ

૪૬૪૧૯

૩૩૯૭૯

૧ર૪૪૦

૪૬૪૧૯

કુલ

ર૧૮૯રપ

૧પ૪૩૭૪

૬૪પપ૧

ર૧૮૯રપ

 

પ્રેરણા પ્રવાસ

યોજનામાં જોડાયેલા ખેડુત ભાઇ બહેનોને ખેતીલક્ષી બહોળું જ્ઞાન મળી રહે તેમજ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે માહિતી મળી રહે તે માટે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવે છે. આ પ્રવાસ મુખ્ય ત્રણ પ્રકારે રાજ્યની બહાર, રાજ્યની અંદર અને જીલ્લાની અંદર ગોઠવવામાં છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયો પર પ્રવાસનું આયોજન કરાય છે. જે પ્રકારે વિષય નક્કી થાય છે તે મુજબના એફઆઇજી ગૃપમાંથી દરેક તાલુકાવાર ખેડુતોને પસંદ કરવામાં આવે છે. પસંદગી પામેલા ખેડુતો માટે પ્રવાસ દરમ્યાન રહેવા, જમવા અને આવવા જવાની તમામ વ્યવસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની જીલ્લા કચેરીએથી કરવામાં આવે છે.

રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ

ગુજરાતના ખેડુતોને રાજ્ય બહારના ખેડુતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પધ્ધતિ અંગે માહીતી મળે અને નવિન અભિગમ જાણવા મળે તે હેતુથી તેમને રાજ્ય બહારનો પ્રવાસ કરાવવામાં આવે છે. તેમજ વિવિધ કૃષિ યુનિવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન સંસ્થાન દ્વારા કરવામાં આવેલ નવીન શોધ સંશોધનો અંગે માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવે છે. આ પ્રવાસ મારફતે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અંગે પ્રેરણા મેળવે છે તેમજ નવી ટેક્નોલોજી થી જાણકાર થાય છે. રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૮૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ

રાજ્યની અંદર અલગ અલગ ઝોન આવેલા છે તે મુજબ દરેક ઝોનમાં જુદાજુદા ખેતી પાકો તેમજ ખેડુતો દ્વારા અપનાવવાતી ટેકનોલોજી ભિન્ન જોવા મળે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસનું મુખ્ય ધ્યેય એ જ છે કે રાજ્યના તમામ ખેડુતો એક્બીજાની સાથે પોતાની ખેતી પધ્ધતિ જુએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી રાજ્યના ખેતી ઉત્પાદનમાં બહોળો ફાળો આપે. આ ઉપરાંત ખેત સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને વિવિધ કૃષિ સંસ્થાનની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. ખેડુતો આધુનિક ખેતી પધ્ધતિ અને નવીન ટેક્નોલોજીથી માહિતગાર થઇ પોતાની ખેતીમાં અપનાવી એક પ્રગતીશીલ ખેડુત તરીકે આગળ આવી શકે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ

જીલ્લાના ખેડુત ભાઇ બહેનોને પ્રગતીશીલ ખેડુતો પાસેથી પ્રેરણા મળી રહે તેમજ નવિન ટેક્નોલોજી વિષે માહિતગાર થાય તે હેતુથી જીલ્લાની અંદર પ્રવાસ ગોઠવવામાં આવે છે. આ પ્રવાસમાં વૈજ્ઞાનિક તેમજ હાઇ ટેક ખેતી પધ્ધતિ અંગે ખેડુતો જાણકાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિવિધ વિષયોને આવરી લઇ શોધ સંસ્થાનોની મુલાકાત ગોઠવવામાં આવે છે. જીલ્લાના તમામ ખેડુતો એકબીજા સાથે મળીને ખેતીલક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન પણ આ પ્રવાસ દરમ્યાન કરે છે. જીલ્લાની અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૩ દિવસની હોય છે. જેમાં પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૩૦૦/- સુધીનો ખર્ચ કરી શકાય છે.

પ્રેરણા પ્રવાસમાં ભાગ લેવા માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન પ્રેરણા પ્રવાસ

વર્ષ

પ્રેરણા પ્રવાસ

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪પ

૧પ૬૭

૧૦૪૦

ર૬૦૭

ર૦૦૮-૦૯

પ૯

રપર૮

૬૦૦

૩૧ર૮

ર૦૦૯-૧૦

૯ર

૪૧૩પ

ર૭પ૯

૬૮૯૪

ર૦૧૦-૧૧

ર૩૦

૯૮૯૭

૪૬૩પ

૧૪પ૩ર

ર૦૧૧-૧ર

૬૧૦

૩૪૧૯૯

૧૪પ૬પ

૪૮૭૬૪

ર૦૧ર-૧૩

૧૦૭૯

૪૮૯૦ર

ર૦ર૧૦

૬૯૧૧ર

ર૦૧૩-૧૪

૯પ૭

૪૯૦પર

ર૧૧૧૧

૭૦૧૬૩

ર૦૧૪-૧પ

૧૧૩૦

૬રર૧૬

૩પ૦૮૭

૯૭૩૦૩

કુલ

૪ર૦ર

ર૧ર૪૯૬

૧૦૦૦૦૭

૩૧રપ૦૩

કિસાન અને ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

કિસાન ગોષ્ઠિ

આત્મા યોજના સાથે જોડાયેલા ખેડુતો દ્વારા કોઇ એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર ભેગા થઇ ખેડુત-ખેડૂતો વચ્ચે કિસાન ગોષ્ઠી યોજવામાં આવે છે. ગોષ્ઠીમાં કૃષિ ઉપરાંત બાગાયત, પશુપાલન, મરઘાપાલન, મધમાખી પાલન, જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડુત દ્વારા ખાસ આધુનિક ખેત પધ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. ખેડુતોને મુંઝવતા પ્રશ્નો ખેડુતો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ પ્રકારની ગોષ્ઠી તાલુકા કક્ષાએ મહત્તમ વર્ષમાં બે વાર ગોઠવવામાં આવે છે જે માટે પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦,૦૦૦/- સુધીના ખર્ચની જોગવાઇ છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪૧

૩૮૬૪

૮૬૦

૪૭ર૪

ર૦૦૮-૦૯

૬૪

૩પ૯૦

ર૪૦૪

પ૯૯૪

ર૦૦૯-૧૦

૮૦

૯પ૩૯

૩૮૪૮

૧૩૩૮૭

ર૦૧૦-૧૧

ર૦પ

ર૧૮૭૧

૩૪પ૦

રપ૩ર૧

ર૦૧૧-૧ર

પરપ

૪૮૯પ૬

૧૦ર૦૮

પ૯૧૬૪

ર૦૧ર-૧૩

૭૩૧

૬૮૧૧ર

૧૪૭૪પ

૮ર૮પ૭

ર૦૧૩-૧૪

૭પ૪

૬૭૪૩૯

૧૪૩૬૭

૮૧૮૦૬

ર૦૧૪-૧પ

૯૦પ

૮૭૭૭૯

૧૭૬૧૪

૧૦પ૩૯૩

કુલ

૩૩૦પ

૩૧૧૧પ૦

૬૭૪૯૬

૩૭૮૬૪૬

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

આત્માના ફાર્મર ઇન્ટરેસ્ટ ગૃપના ખેડુત સભ્યોની કૃષિ યુનીવર્સીટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે ગોષ્ઠી યોજવામાં આવે છે. જેમાં ખેડુતોના વિવિધ પાકો અંગેના પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી શોધાયેલ ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવે છે. આ ગોષ્ઠી જીલ્લા કક્ષાએ વર્ષમાં મહત્તમ બે વાર યોજવામાં આવે છે. આ માટે જીલ્લા કક્ષાએ રૂ.૪૦,૦૦૦/- સુધીની જોગવાઇ છે.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧ર

૩૧૭૪

૭૦૩

૩૮૭૭

ર૦૦૮-૦૯

૧૭

ર૧૯૦

પપ૦

ર૭૪૦

ર૦૦૯-૧૦

૧ર

રરરપ

ર૩૪૭

૪પ૭ર

ર૦૧૦-૧૧

૬૦

પ૪૮૬

૧પ૩૭

૭૦ર૩

ર૦૧૧-૧ર

૬૦

પ૯૪ર

૧૮૯૯

૭૮૪૧

ર૦૧ર-૧૩

૭૮

૬૩૯૩

ર૮૭૮

૯ર૭૧

ર૦૧૩-૧૪

૧૦૧

૭૬૮પ

ર૦૯૪

૯૭૭૯

ર૦૧૪-૧પ

૮૦

૭૧૦ર

ર૦૦૬

૯૧૦૮

કુલ

૪ર૦

૪૦૧૯૭

૧૪૦૧૪

પ૪ર૧૧

કૃષિ મેળો / પ્રદર્શન

ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન મેળા અને પ્રદર્શન

વર્ષ

કિસાન મેળા અને પ્રદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧૩૧૧૩

૧૯૯૪૦

૩૩૦પ૩

ર૦૦૮-૦૯

૧૩

૧૭૪૪ર

પ૬રપ

ર૩૦૬૭

ર૦૦૯-૧૦

૧૪

૧૦૯પ૭

૩૯૧૭

૧૪૮૭૪

ર૦૧૦-૧૧

૪પ

૩૮૧૪૦૮

૬ર૦૧૮

૪૪૩૪ર૬

ર૦૧૧-૧ર

પ૩

૯૮૪૦૪

૪૭૪૬પ

૧૪પ૮૬૯

ર૦૧ર-૧૩

૪૯

પ૭૪૦૯

ર૬૮૪૬

૮૪રપપ

ર૦૧૩-૧૪

૩૯

પ૭૪૯૩

૩ર૬ર૩

૯૦૧૧૬

ર૦૧૪-૧પ

૯૭

પર૦પર

ર૩૦૧૭

૭પ૦૬૯

કુલ

૩૧૬

૬૮૮ર૭૮

રર૧૪પ૧

૯૦૯૭ર૯

ખેતર શાળા

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)ની જોગવાઇ કરવામાં આવી છે. આ ખેતર શાળા એ ખેડુતો દ્વારા અને ખેડુતો માટે જે તે જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મારફતે આત્મા સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા યોજવામાં આવે છે. જેમાં શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. આ ખેતર શાળામાં ૨૦ થી ૨૫ ખેડુતોનું ગૃપ ભાગ લઇ શકે છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.

ખેતર શાળામાં જે ૬ (છ) સત્ર હોય છે તે નીચે મુજબ છે.

  • જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી
  • વિવિધ પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી
  • પોષક તત્વ(પોષણ ) વ્યવસ્થાપન
  • પિયત વ્યવસ્થાપન
  • સંકલિત જૈવિક/પાક સંરક્ષણ/ કીટક વ્યવસ્થાપન
  • પાકની કાપણી/લણણી તથા તે પછીની પ્રક્રિયા

જરૂર જણાય ત્યારે ફાર્મ સ્કુલમાં વિજ્ઞાનિકોને પણ સામેલ કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. કૃષિ ઉપરાંત બાગાયત અને પશુપાલન વિષયો પર પણ ખેતર શાળા ગોઠવવામાં આવે છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ. ૭૫૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

ફાર્મ સ્કુલની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

 

વર્ષ

ફાર્મ સ્‍કુલની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૩૪

૭૮૦

૮પ

૮૬પ

ર૦૦૮-૦૯

૭૩

૧૪૯૩

૬પપ

ર૧૪૮

ર૦૦૯-૧૦

૧૭

૩૮૩

૧૦૮

૪૯૧

ર૦૧૦-૧૧

૩૪૭

૮૬૦૯

૪પ૦

૯૦પ૯

ર૦૧૧-૧ર

૧૩પ૧

૪૯૭૧૭

૭૮૧પ

પ૭પ૩ર

ર૦૧ર-૧૩

૧પ૬૬

૩પ૦૭૯

૮૭૬૯

૪૩૮૪૮

ર૦૧૩-૧૪

૧ર૦૬

ર૩૧૬પ

૪પ૬૦

ર૭૭રપ

ર૦૧૪-૧પ

૯૮૮

ર૩૮૯૦

૩૭પ૪

ર૭૬૪૪

કુલ

પપ૮ર

૧૪૩૧૧૬

ર૬૧૯૬

૧૬૯૩૧ર

 

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ ( ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.

બોમ્બે રાજયનાં ભાગલા બે રાજય જેવા કે મહારાષ્ટ્ર રાજય તથા ગુજરાત રાજય થતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજથી અસ્તિંત્વમા આવેલ છે.

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

આપણે સહુ જાણીએ છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તેવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું મહત્વ છે, કારણ કે નિરોગી પશુ જ વધુ દૂધ આપી શકે, સારૂં કાર્ય કરી શકે તેમજ સારી ઓલાદ (તંદુરસ્ત બચ્ચા) આપી શકે. ખરૂં કહીએ તો પશુપાલનના વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના આરોગ્ય ઉપર જ રહેલો છે.

તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છે

પશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે. રોગિષ્ટ પશુમાં ઉપર જણાવેલ બાબતો વિપરીત જોવા મળે છે.

પશુઓમાં સામાન્ય રીતે આઉનો સોજો, ખરવામોંવાસો, આફરો, સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી ગર્ભપાત, વેતરમાં ન આવવું, ચકરીનું દર્દ, વાંઝિયાપણું, માટી ખસી જવી વગેરે છે.

(4) આઉનો સોજો અથવા બાવલાના સોજાનો રોગ કેવી રીતે અટકાવી શકાય ?

દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું. બાવલામાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તુરત તેનો ઉપચાર કરાવવો જોઈએ.

પોટેશ્યમ પરમેંગેનેટ એક સસ્તુ અને સારૂં એંટીસેપ્ટિક, ડીસઈન્ફેકટન્ટ (ચેપ ન લાગે તેવી જંતુનાશક દવા) અને ડીઓડરન્ટ (ગંધ ન આવે/ગંધને દૂર કરે) દવા છે. જાંબુડીયા કણના સ્વરૂપમાં બજારમાં મળે છે. એક ડોલ પાણીમાં પાંચ કણ નાંખી બરાબર હલાવતાં આછા ગુલાબી રંગનું દ્રાવણ તૈયાર થશે જેને મંદ દ્રાવણ કહેવાય.

ખરવામોંવાસાનો રોગ વિષાણુંથી થાય છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને જોતજોતામાં ઝડપથી આખા ગામના પશુઓમાં ફેલાય છે. રોગિષ્ટ પશુના મોઢામાંથી પડતી લાળમાં આ રોગના વિષાણુંઓ પુષ્કળ હોય છે. વૈજ્ઞાનિક રીતે એવું પુરવાર થયેલું છે કે ચેપી પશુના મોઢામાંથી લાળનું એક માત્ર ટીંપુ જો હવાડામાં કે કૂંડીમાં પડે તો તે બધું પાણી દૂષ્િાત થઈ જાય છે. આ દૂષિત પાણી જો તંદુરસ્ત પશુ પીવે તો તેને રોગ થાય છે. લાળથી દૂષિત ખોરાક ધ્વારા તથા સીધા સંપર્કથી તથા હવા ધ્વારા પણ રોગ ફેલાય છે.

કુણો લીલો રચકો વધુ પડતો ન ખાય તે ધ્યાન રાખવું. કઠોળ વર્ગનો કે ધાન્ય વર્ગનો લીલો ચારો વધ ન ખવડાવવો. ઘાસચારામાં લોખંડની કે પ્લાસ્ટિકની વસ્તુઓ કે ટૂકડા ન આવે તેનો ખ્યાલ રાખવો. ખીલી, તાર, સોય, ટૂકડા વગેરે પણ હાનિકારક છે. ચોમાસામાં ભેજવાળો લીલો ચારો વધુ ન આપવો.

કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી.

જમીનને હળથી ઊડી ખેડી ઉનાળામાં તપવા દેવી જોઈએ, જેથી અગાઉના પાકના ઝડીયા, ઘાસ વગેરે સુર્યના તાપથી સુકાઈ જશે અને પાકના અવશેષો સાથે રહેલ રોગ અને જીવાત સૂર્યના તાપમા ખુલ્લા થવાથી નાશ પામશે. આમ, ઉનાળામા ઊડી ખેડ કરવાથી જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેથી જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવશે ત્યારે બીજનો ઉગાવો સારો થશે અને ખેતરમાં ઘામાનું પ્રમાણ ઓછુ રહેવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહેવાથી કપાસનું ઉત્પાદન સારૂ મેળવી શકાશે.

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં ઢાળીયા પાળી બનાવી પાળી ઉપર કપાસના બીજની વાવણી કરવાથી બીજનો ઉગાવો સારો થશે અને બીજ કોહવાઈ જતા અટકે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષે ટ્રેકટરથી જમીનને ઊડી ખેડવાથી કાયમી, હઠીલા નિંદણનો નાશ થશે અને ઉપદ્રવ ઓછો થવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પાક ઉત્પાદન પર અસર કરતા પરિબળોમાં બિયારણની યોગ્ય પસંદગી ઉપર ઉત્પાદનનો મુખ્ય આધાર રહેલો છે. ગુજરાતમાં વવાતા કપાસના ૮૦% કરતાં વધુ વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારમાં કે જ્યાં ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાઈ રહે છે અથવા જમીનના પ્રશ્નો છે, તેવા વિસ્તારમાં જ હવે દેશી કપાસનું વાવેતર થાય છે.

સારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.ખાસ કરીને ડબલ જીન (બીજી-૨) વાળી જાતો પસંદ કરવી જોઈએ જેથી કપસની ચારેય અગત્યની ઈયળો સમે રક્ષણ મળે. વર્ષ-૨૦૧૨માં ભારત સરકારે માન્ય કરેલા જાહેર ક્ષેત્રની પ્રથમ બીટી જાતો ગુ.કપાસ સંકર-૬ (બીજી-૨) તથા ગુ. કપાસ સંકર-૮ (બીજી-૨) ખુબ જ અનુકુળ માલુમ પડેલ છે. કપાસની બીટી જાતોના બિયારણના ભાવ ઘણા ઊંચા હોવાથી પોતાની જમીન, વાતાવરણ અને પિયતની સગવડતા પ્રમાણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે.

કપાસનાં વાવેતર માટે વાવણીનો સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શકય એટલુ વહેલુ, એટલે કે મે માસનાં છેલ્લાં પખવાડિયામાં કરવાથી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો વ્યવસ્થિત થઈ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારી થશે અને તંદુરસ્ત છોડનો વિકાસ સારો થવાથી પાકમાં ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધે છે, જેથી કપાસનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરતજ જુન માસના અંતમા અથવા જુલાઇ માસની શરુઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે.

કપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તે માટે હેકટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવુ ખૂબ જ જરૂરી છે. બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બીટી કપાસની ફરતે ૨૦% અથવા પાંચ લાઈનો બે માંથી જે વધુ હોય તે પ્રમાણે જે તે જાતોની નોન બીટીનું અથવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરેલા અન્ય પાકનું પણ વાવેતેર કરવું જરૂરી છે. આ લાઈનો સંરક્ષણ પટ્ટી તરીકેનું કામ કરે છે.

બીજ માવજત

કપાસનાં બીજનો ઉગાવો સારો થાય અને શરુઆતથી જ ઉગાવા બાદ ચુસિયા પ્રકારની જીવાતોથી છોડને રક્ષણ મળી રહે તે માટે કપાસનાં બીજને વાવતાં પહેલાં એક કીલોગ્રામ બીજ દીઠ ઇમીડા ક્લોપ્રિડ ૧૦ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૧૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ ૨૦ ગ્રામ અથવા થાઇમીથોક્ઝિામ ૨.૮ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઇએ, જેથી કપાસના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ ઉપરાંત કપાસના પાકમા રાસાયણિક ખાતરનો બચાવ થઈ શકે તે માટે એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યારનો બીજને પટ આપીને વાવેતર કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પ્રદૂષણનો પ્રશ્ન મહદ અંશે ઘટવાથી પર્યાવરણને થતી અસર ઓછી કરી શકાય છે.

વાવણીની રીત

સંકર કપાસ અને તેમાય બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી વધારે હોવાથી બીજને યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાથી બિયારણની જરૂરીયાત ઓછી રહે છે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનો ઉગાવો સારો થાય છે. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે.

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.મુખ્ય રોકડીયા પાકોમા કપાસ આગવુ સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે, તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ ( ૧૨૧.૯૧ લાખ હેકટર) ઉગાડવામાં આવે છે, જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ચીન પછી આપણા દેશનો ઉત્પાદનની દ્રષ્ટિએ બીજો નંબર છે. ગુજરાતમાં કપાસના કુલ વાવેતરના ૮0% વિસ્તારમાં બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે દેશની ઉત્પાદકતા ૪૮૧.૨૩ કીલો રૂ/હેક્ટર છે જે કપાસ પકવતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે, તે વધારવાની ખાસ જરૂરીયાત છે. ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પધ્ધતીઓ કપાસના પાકમાં વિકસાવવામાં આવેલ છે, તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે.

કપાસની ખેતી વિશે બાકીની માહિતી ભાગ ૨ અને ૩ માં આપવામાં આવશે..

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો અને તમારૂં નામ, ગામ અને જીલ્લો વાટસએપ દ્વારા મોકલો. ક્રુપા કરીને યાદ રાખો કે વોટ્સએપ પર સફલ કિસાનનાં મેસેજ મેળવવા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરવો જરૂરી છે. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે. તો તમે એક વાર તમારો નંબર આપ્યો હોય તો પાછો આપવાની જરૂર નથી.

 

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું?

  • જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જ્માવટ ના થાય઼.
  • પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ. જમીનમાં ભેજની ખેચ થવા દેવી નહી.
  • બે-ત્રણ પિયત બાદ એકાદ ભારે પિયત આપવું જેથી મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો જર્મીનમાં ઉડે નિતરી જશે.
  • શકય હોય તો વચ્ચે એકાદ સારા પાણીથી પિયત આપવું જોઈએ.
  • ક્ષારયુક્ત પાણીથી ખેતી કરવા માટે ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ ફાયદાકારક છે.
  • બંને ત્યાં સુધી ઉનાળુ પાક ન લેવો અને શિયાળુ પાક પણ શક્ય તેટલો વહેલો લેવાય તેવું આયોજન કરવું.
  • જમીનની નિતાર શક્તિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, ઉંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લોલો પડવાશ વગેરેના ઉપયોગથી જર્મીનની નિતાર શક્તિ વધે છે અને જમીન બગડતી અટકે છે.
  • પાણીની ગુણવત્તાને આધારે યોગ્ય ક્ષાર સહર્શીલ પાક પસંદ કરવો જોઈએ. કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, કસુંબી, દિવેલા, સુગરબીટ, પાલક, ટામેટા, ખારેક, બોર, ચીકુ, આંબળા, દાડમ, જામફળ વગેરે પાકોની ક્ષાર સહનશક્તિ પ્રમાણમાં વધારે હોય છે.
  • ખાતર અને બિયારણનો દર ભલામણ કરતા સવાયો રાખવો જોઈએ.
  • પાણીની ગુણવત્તાને ધ્યાનમાં લઈ રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ, ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીમાં એમોનિયમસલ્ફેટ, કેન, ડીએપી તથા ક્ષારીય પ્રકારનાં (કાયા વગરનાં) પાણીમાં યુરીયા, સીંગલ સુપર ફોસ્ફેટ વાપરવા હિતાવહ છે. આમછતાં શક્ય હોય ત્યાં સુધી ડીએપી તથા યુરીયાનો ઉપયોગ ટાળવો.
  • છોડની બે હાર તથા બે છોડ વચ્ચેનું અંતર ભલામણ કરતાં ઓછું રાખવું.
  • ખેતરને ફરતે પાળા બનાવી વરસાદનું મીઠું પાણી ખેતરમાં ભરી રાખવું ફાયદાકારક છે. જેથી ક્ષારયુક્ત પાણીનાં વપરાશથી પાકનાં મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય.
  • ભાસ્ક્રિમક પ્રકારની જર્મીનમાં અતિ ક્ષારીય (કાયા વગરનાં) પાણીનો ઉપયોગ જમીન સુધારણા માટેનો સરળ ઉપાય છે.
  • ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીનો પિયતમાં ઉપયોગ કરવાનો હોય તો જમીનમાં જીપ્સમની સાથે છાણિયું ખાતર ઉમેરી ઉંડી ખેડ કરવી લાભદાયક છે.
  • મીઠા પાણીની ઉપલબ્ધી હોય તો વાવણી પહેલાં મીઠા પાણીથી એક પિયત આપવું જોઈએ, જેથી જમીનના ઉપલા સ્તરમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય અને પાકનો ઉગાવો સારો થાય, જે શિયાળુપાક માટે વધારે ઉપયોગી છે.

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો અને તમારૂં નામ, ગામ અને જીલ્લો વાટસએપ દ્વારા મોકલો. ક્રુપા કરીને યાદ રાખો કે વોટ્સએપ પર સફલ કિસાનનાં મેસેજ મેળવવા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરવો જરૂરી છે. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે. તો તમે એક વાર તમારો નંબર આપ્યો હોય તો પાછો આપવાની જરૂર નથી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે વડીકચેરી આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓ મારફત સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.

  • આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુત-રસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.
  • ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.
  • કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.
  • ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.
  • ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.
  • વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.
  • ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.
  • ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.
  • ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન
  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

ગુજરાત સહકારી મંડળીઓનાં અધિનિયમ-૧૯૬૧ નાં કાચદામાં તા-૧૫/૪/૧૩ ના જાહેરનામા થી સુધારાઓ,અમલમાં આવેલ છે,અને આ સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(ર)ની જોગવાઇઓ અન્વયે સરકારશ્રીનાં કૃષિ અને સહકાર વિભાગનાં તા-૧૩/૮/૧૩નાં પત્રક્રમાંક.જીસીએસ૧૦-૨૦૧૩-૭૯૫-છ થી સહકાર કમિશનર અને રજિસ્ટ્રારશ્રી.સ.મં.ગુ.રાજચ,ગાંધીનગરને, ચાર્ટડ એકાઉન્ટન્ટની ફર્મ/ ચાર્ટડ એકાઉન્ટન્ટની પેનલચાદી તૈયાર કરીને,પ્રસિધ્ધ કરવા માટે અધિકૃત કરવામાં આવતા.આ કાર્ચાલચનાં તા.૧૩/૧૪-૦૮-૨૦૧૪નાં જાહેરનામા ક્રમાક:અષણ-ર૪૬૦-જ-૪- ર૭૩-૨૦૧૩થી.તા-૩૦/૬/૧૩ની સ્થિતિએ, લઘુત્તમ પાંચ વર્ષ સુધીનો ચાર્ટડ એકાઉન્ટન્ટ,તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૮ સુધીનાનો) CA FirmlCA નાં ઉમેદવારોને પ્રમાણિત અન્વેષક માન્યતા આપતી પ્રથમ પેનલચાદીનું જાહેરનામું.તેમાં ઉલ્લેખાયેલ શરતોને આધીન રહીને પ્રસિધ્ધ થચા તારીખ થી તા.૩૦/૯/૧૪ સુધીની સમય-મર્યાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ અને ત્યારબાદ વખતોવખતનાં સુધારા/પેનલચાદીની પૂરકચાદીઓ ક્રમ-૧ થી ૪ સમયાંતરે તા-૩૦/૯/૧૪ સુધીની સમય-મર્ચાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ર/- ઉપરોક્ત પેરા-૧માં ઉલ્લેખાયેલ CA Firm/CAની પેનલચાદી ની સમય-મર્યાદા તા

3o/૯/૧૪એ પૂર્ણ થતા,આ પેનલચાદી સ્થગિત થાચ છે અને આ પેનલયાદીનો અમલ કરવાનો થતો નથી.

તા૧૩/૧૪-૮-૧૩ થી પ્રસિધ્ધ થયેલ CA Firm/CAની પેનલયાદી ની સમય-મર્યાદા.તા.૩૦/૯/૧૪એ પૂર્ણ થતી હોય, તા.૧/૧૦/૧૪ થી ૩o/૯/૧૭ સુધીની 3 વર્ષની સમય-મર્યાદા માટે, નવેસરથી પેનલયાદી તૈયાર કરવા માટે,તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો સમાવેશ કરવા માટે,લાયકાત ધરાવતાંઓની દરખાસ્તો મંગાવેલ. જે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓને ૧૫/૮/૧૪ સુધીમાં રજૂ થયેલ હોય, તેવી દરખાસ્તો સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓની કચેરીઓ દ્વારા જરૂરી ,યકાસણી કરીને તેમનાં અભિપ્રાય સહ અત્રે રજૂ થયેલ છે.

૪/- ઉપરોક્ત વિગતોએ,જે તે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓ દ્વારા રજૂ થયેલ દરખાસ્તો અન્વયેતા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો,આ પેનલયાદીમાં સમાવેશ કરીને લાયકાત ધરાવતાં CA Firm/CAને નીચે જણાવેલ શરતોને આધીન રહીને,પ્રમાણિત અન્યવષક તરીકે આથી માન્યતા આપવામાં આવે છે અને તે અંગેનું પ્રથમ પેનલયાદીનું જાહેરનામું તા-૧/૧૦/૧૪ થી તા-30/૯/૧૭ સુધીની સમય-મર્યાદા માટે આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ/- આ પ્રથમ પેનલયાદીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સમયાંતરે,પ્રથમ પેનલયાદીની પૂરક પેનલયાદી પ્રસિધ્ધ કરવાની વિગતે,લાયકાત ધરાવતાં CA Firm/CA નાં ઉમેદવારોએ,સંબંધિત જે તે જિલ્લા રજિ.શ્રીઓની કયેરીને દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

s/- આ પેનલયાદી તા-૧/૧૦/૧૪થી તા-૩૦/૯/૧૭ સુધીની ત્રણ વર્ષની સમય-મર્યાદા સુધીની પ્રસિધ્ધ થયેલ છે.હાલ તેમાં તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) સમાવેશ કરવામાં આવેલ છે.

(૧) ત્યારબાદ તા.૩૦/૬/૧પની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧પ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકે નો અનુભવ ધરાવતાં (COP-૨૦૧૦ સુધીનાનો)આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

(૨) તે જ રીતે તા.૩૦/૬/૧૬ની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧૬ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકેનો અનુભવ ધરાવતા (COP-ર૦૧૧ સુધીનાનો) આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુતરસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે.એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણીફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ પાંચ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ પાંચ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.

સભ્યપદ અને બેન્કની સામાન્ય સભા

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

 

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ.) કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવયુ છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયત્નના વિશાળ વયુહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષિટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે. જૂન ૧૯૯૭માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતે સહી કરી તયારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિ મળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપત કરવાની જરૂરિયાત અને વયક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીતે, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચછતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની ઉપલભયતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.

ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂકયું છે. સીમાંત લોકોમાટે ગ્રામીણ આવાસન એક મુખય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખયાલ મેળવીને કેન્દ્ર સરકાર ઈંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સથળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે. સામાજિક સથિતિનું પ્રતીક છે અને સાંસ્કૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સથિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના એપ્રિલ ૧૯૭૫ માં થઇ હતી. સામાન્ય રીતે ગુરાબીની એના બ્રાન્ડ નામથી જાણીતું છે. ખેડૂતોના વિશ્વાસ અને બ્રાન્ડ નિષ્ઠા, ગુણવત્તા, ખાતરી, સન્નિષ્ઠ સેવા તથા યશસ્વી સિધ્ધિઓ સાથે ખેડૂતોના ઉત્કષૅ માટે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે.

ગુરાબીની ૩૦ કરતાં વધુ પાકોનાં બીજ તથા ૧૦૦ જાતો તથા લગભગ તમામ પ્રકારની સંકર જાતો એટલે કે ધાન્ય, કઠોળ, તેલીબિયાં, ફાઇબર પાકો, ઘાસચારો, લીલા પડવાસના પાકોના ઉત્પાદન, પ્રક્રિયા અને બજાર વ્યવસ્થામાં પ્રાથમિક રીતે રોકાયેલ છે.

ગુરાબીની પાસે પોતની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે છે અને ગુજરાતભરમાં ૧૩ શાખાઓ અને એક વેચાણ ડિપો છે. ગુરાબીની ના અધ્યક્ષ ગુજરાત સરકારના અગ્ર સચિવ (કૃષિ) છે અને વહીવટી નિયામક પણ ગુજરાત સરકારમાંથી સિનિયર ટેકનિકલ અધિકારી છે.

નિગમની અધિકૃત શેર મૂડી રૂ. ૪ કરોડ છે, જે દરેક રૂ. ૧૦૦ નો એવા સરખા શેરોમાં વિભાજીત છે. તે સામે ભરપાઇ થયેલ શેર મૂડી રૂ. ૩.૭૩ કરોડ છે. શેરો, શેર હોલ્ડરોના નીચેના પ્રકારના શેર હોલ્ડરો ધારણ કર્યા છે.

  • ગુજરાત સરકાર :૯૫.૦૦% શેર
  • ભારત સરકાર :૫% શેર

નિયામક મંડળી હાલની સંખ્યા ૮ ની છે. કંપનીના ધારાધોરણની કલમ-૬૨ માં સમાવિષ્ટ જોગવાઇ હેઠળ નિયામકો નીમવામાં આવે છે.

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ.) કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવયુ છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયત્નના વિશાળ વયુહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષિટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે. જૂન ૧૯૯૭માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતે સહી કરી તયારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિ મળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપત કરવાની જરૂરિયાત અને વયક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીતે, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચછતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની ઉપલભયતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.
ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂકયું છે. સીમાંત લોકોમાટે ગ્રામીણ આવાસન એક મુખય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખયાલ મેળવીને કેન્દ્ર સરકાર ઈંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સથળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે. સામાજિક સથિતિનું પ્રતીક છે અને સાંસ્કૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સથિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

 

પ્રકરણ- ૧

ઐતિકાસિક પૂર્વભૂમિકા

  • સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય યોજનામાં ઘરથાળ સહ-બાંધકામ સહાય યોજના તરીકે ઓળખાતી બીજી યોજના પણ ૧૯૭૪-૭૫થી રાજ્ય સેકટરમાં તબદીલ કરવામાં આવી.
  • જૂન ૧૯૮૫માં નાણાંનો ભાગ અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે નાણાંનો ભાગ અંક્તિ કરીને ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમની પેટા-યોજના તરીકે ઈંદિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ, ૧૯૮૫માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી તયારે નાણાંના 9 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે ફાળવાયો હતો. ૧૯૯૩-૯૪માં આ વયાપ, જવાહર રોજગાર યોજના હેઠળ આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં વધારીને બિન-અનુસૂચિત જાતિ/ બિન-અનુસૂચિત આદિજાતિ કુટુંબો સુધી, જવાહર રોજગાર યોજના નીચે આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં ૧૦ ટકા કરવાની અને હિતાધિકારીઓની આ કક્ષા માટે વધારાના ૪ ટકાના ઉપયોગની છૂટ આપીને વયાપ વધારવામાં આવયો હતો.
  • ૧લી જાન્યુઆરી, ૧૯૯૩થી ઈંદિર આવાસ યોજનાને સ્વતંત્ર યોજના બનાવવામાં આવી હતી. ગરીબીની કઠોરતા ઘટાડવા માટે અને ગરીબો જુદા જુદા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો મેળવી શકે તે માટે ગરીબ કુટુંબોને પ્રતિષઠા આપવા ગ્રામીણ ગરીબી નાબૂદીના વિશાળ વયુહના ભાગ તરીકે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો તે હવે મુખય કાર્યક્રમ છે.

પ્રકરણ- ર

અભિગમ અને વ્યૂહ

  • આવાસ માનવોની મૂળભૂત જરૂરિયાત છે. માનવોને જીવંત રહેવા તેમજ સરસ જીવન જીવવા માટે તે મૂળ જરૂરિયાત છે. આવાસ ફકત વયક્તિગત કુટુંબો માટે નથી. તે સમુદાય માટે છે. મૂળભૂત રીતે તો મકાન કુદરતનાં તત્વો, ગુપતતા અને બહારની દુનિયાની ધાંધલ-ધમાલથી રક્ષણ માટે આશ્રય પૂરો પાડે છે. રહેઠાણના સ્થળ તરીકે તે સલામતી પૂરી પાડે છે અને તેના સ્થાનના આધારે જુદી જુદી સગવડો પૂરી પાડે છે. ફકત આશ્રયથી આગળ જતાં તે રહેઠાણ છે. મકાન આખરે તો દરેક ‘ઘર’ની ઇચછા રાખે છે. તે માલિકી અને ઓળખની સમજ આપે છે. મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે અને આત્મસંન્માન અને વિશ્વાસને વધારે છે. ઘર સુખાકારીમાં ઘણો ફાળો આપે છે. તે વયક્તિના સામાજિક અને આર્થિક વિકાસ માટે આવશ્યક છે. તે આજીવિકામાં સહાયરૂપ થાય છે અને સામાજિક એકત્રીકરણને પ્રોત્સાહન આપે છે. તે સાંસ્કૃતિક અભિવયક્તિનું સ્વરૂપ છે અને સામાજિક મોભાનું પ્રતીક છે.
  • સગવડભર્યું ઘર હોવું તે બહુધા લાંબા સમયથી સેવેલી ઉત્કટ ઇચછાની પરિપૂર્તિ છે. ઇચછાઓ અને અગ્રતાઓને આકાર અને સ્વરૂપ આપીને ઘર બદલામાં કુટુંબ અને સામાજિક જીવનને સાકાર કરે છે. તે જીવનને અને વયક્તિઓના વર્તનને ઘડવામાં મહત્વનું પરિબળ છે. તે ચારિત્ર્ય ઘડવામાં મહત્વનો ફાળો આપે છે અને સમગ્ર વિકાસ માટે તે પર્યાવરણ પદ્ધતિ ઊભી કરે છે. સારું ઘર કુદરતી વાતાવરણને સુસંગત રહેશે અને કુટુંબનું આત્યંતિક આબોહવાથી રક્ષણ કરે છે. શિયાળામાં ગરમી આપે છે. ઉનાળામાં ઠંડી અને વરસાદ દરમિયાન સૂકા રાખે છે. કુટુંબે ઘરની જાળવણી કરવી જોઇએ અને તેનાં નાણાકીય સંસાધનોમાં રહીને અને સ્થાનિક રીતે મળતાં કૌશલ અને માલસામાનનો ઉપયોગ કરીને જરૂરી મરામત કરાવવી જોઇએ. એકત્રીકરણ, સગવડો, આર્થિક પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિ માટે ઘરને સાચાં બાહ્ય જોડાણ હોવાં જોઇએ.
  • મકાન વપરાશી માલ તેમજ મૂડીકૃત માલ બનને છે. તે આર્થિક માલ છે અને જીવન ધોરણ વધારે છે. જેમને પોતાની મેળે ઘર પરવડતું નથી તેવા નાગરિકોને કલ્યાણ રાજ્યમાં તે પૂરું પડાય તે મહત્વની જવાબદારી છે. જાહેર આવાસમાં કરેલું મૂડી-રોકાણ કલયાણને વિસ્તારવા ઉપરાંત સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપે છે.
  • જાહેર આવાસનો મુખય હેતુ કુટુંબ માટે કાર્યલક્ષી સાથળની મૂળભૂત જરૂરિયાત હાર્દરૂપ મકાન અથવા પ્રારંભિક મકાન (starter) પૂરી પાડવાનું છે. તે મર્યાદિત વિસ્તારમાં રહેઠાણની આવશ્યક જગયા પૂરી પાડે છે ત્યારે તે ટોઇલેટ સહિત બધી રીતે સંપૂર્ણ છે. કુટુંબની વૃદ્ધિ થાય અથવા તેની આર્થિક સથિતિ સુધરે ત્યારે આવા મકાનનું વિસ્તરણ અને વિકાસ થાય છે. હાર્દરૂપ મકાનની ડિઝાઇન અને પર્યાપતતા સંસ્કૃતિએ સંસ્કૃતિએ જુદી પડે છે. તે પોતાના માથા પરના છાપરાથી વિશેષ છે. તેમાં જગાયાની પર્યાપતતા. પ્રવેશની સુગમતા, નાટ્યૂનતમ જરૂરિયાતોની ઉપલભયતા, ભૌતિક સુવિધાની જોગવાઇ અને તેની અંદર અને આસપાસ સરસ સૂક્ષમ આબોહવા, સારું પર્યાવરણ અને સલામતી અને સથિરતાની ગેરંટી અભિપ્રેત છે. તેને સામાજિક, આજિવિકા અને પરિસિથિતિ વિષયક વાતાવરણ સાથે જૈવિક દૃષિટિએ (organically) જોડવાનું છે. પ્રગતિને ઉદ્દીપત કરવા, મુખયત્વે શિક્ષણ અને વયવસાયના વિકલ્પ મારફત પછીની પેઢીને હાલની તકલીફોથી મુકત કરવા જોડાણ વધારવાં પડશે.
  • એ નોંધવાનું રહેશે કે હાલનાં ગ્રામીણ ભારતનાં આવાસ માટે સમુદાયે નાણાંની વયવસ્થા કરી હોય છે. જાતે બાંધેલાં અને જાતે વયવસ્થા કરેલાં હોય છે. મુખયત્વે સ્થાનિક રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરીને પરંપરાગત પ્રૌદ્યોગિકી સાથે સક્રિયપણે શ્રમ જોડીને અને ઘણીવાર તો સુધારેલી ગુણવત્તા અને તે સમયે વિસ્તારમાં લંબાવેલાં હોય છે. તે સામાજિક ઉતપાદન પ્રક્રિયાનું પરિણામ છે. તેમાં લોકો કેન્દ્રસ્થાને છે. તે કુદરતી રીતે પર્યાવરણને અનુકૂળ પ્રોડકટ છે. તેથી સરકારની પહેલ સંસાધનો અને સુધારેલી જાણકારી. પ્રૌદ્યોગિકી અને કૌશલની ઉપલભયતા પર ધયાન કેનદ્રિત કરવું જોઇએ.
  • ગ્રામીણ આવાસ વિકાસ ગરીબી નાબૂદી અને સમગ્ર ગ્રામીણ વિકાસના સંદર્ભમાં જોવાનો છે. તે માટે નીચેના વ્યૂહ પ્રસ્તુત છે :
  • હાલની પ્રક્રિયા સુદૃઢ બનાવવી અને તેને અયોગય ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીથી ઉથલાવી નાખવાને બદલે તે પ્રક્રિયાને ટેકો આપીને લોકોને તે આગળ લઇ જવામાં સહાય કરવી : (ર) વધારે વિસ્તરણ અને સુધારણા માટે પૂરતી જોગવાઇઓ સાથે તેમજ મકાનની અંદર સ્વીકાર્ય તરીકે કામનાં સ્થળનો સમાવેશ કરી હાર્દરૂપ મકાન’ના બાંધકામને સહાય કરવી;
  • વાપરનારાઓની જરૂરિયાતોના આધારે રહેવાના એકમોની ડિઝાઇન નકકી કરવી:
  • પરવડી શકે. અનુકૂળ બનાવી શકાય. રોજગાર નિર્માણ, પર્યાવરણીય લાભ (વનસ્પતિ પ્રૌદ્યોગિકી. જીવનચક્ર પર ઊર્જા વપરાશ. નિભાવ અને ચાલુ રાખવાની આરામને ધયાનમાં રાખીને માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીની પસંદગીને પ્રોત્સાહન આપવું;
  • જેનાથી ટકાઉ મકાનોનું બાંધકામ થાય. તેના રાબેતા મુજબના નિભાવથી ઓછામાં ઓછાં ત્રીસ વર્ષ ચાલે તેવા યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી મુકરર કરવી અને પરંપરાગત અને સ્થાનિક પ્રૌદ્યોગિકીની કક્ષા ઊંચી લાવવી;
  • વસવાટને સેનદ્રિય અસતિત્વ તરીકે કેનદ્રિત કરવા. તે પાણી, સૂર્યપ્રકાશ અને હરીયાળી જેવાં કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે અને ગ્રામીણ આજીવિકાનાં સામાજિક-આર્થિક પાસા પ્રત્યે સંવેદનશીલ હોય;
  • વસાહતનો જીવંત પ્રકાર જાળવી રાખવો;
  • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિનાં કુટુંબ, સત્રીઓ વડા હોય તેવાં કુટુંબ, અશક્તતા ધરાવતાં કુટુંબો અને ખાસ કરીને પોતાના આશ્રયની જરૂરિયાત, યોજનાની ઉપલભયતા અને મકાનો બાંધવાની પોતાની જરૂરિયાત વયકત પણ ન કશી શકે તેવાં સીમાંત જૂથને સમાનતા અને સામાજિકનયાયને વિધેયાત્મક પ્રોત્સાહન આપવું;
  • મકાનનાં ડિઝાઇન, પ્રૌદ્યોગિકી અને નાણાંની જોગવાઇ સંબંધમાં નિર્ણય લેવાની પ્રક્રિયા જન્માવવી;
  • પરંપરાગત કડિયા અને બાંધકામ કામદારો તેમજ ઇજનેરો અને વિકસતાં સ્ત્રી-કડિયા જૂથને સારી ડિઝાઇન, યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી તેમજ પોષણક્ષમ બાંધકામ તથા કાર્યક્ષમ સ્થળ અને બાંધકામ વયવસ્થા સાથે પુનઃકૌશલ આપવું અને સંવેદનશીલ બનાવવાં:
  • ખાસ કરીને ગ્રામ કક્ષાએ આવાસ કાર્યક્રમના આયોજન અને અમલમાં પંચાયતોને વધારે મોટી ભૂમિકા આપવી.

આમ, ઈંદિરા આવાસ યોજના લોકોનું બિલડર તરીકે નવસર્જન કરવાની તક આપે છે. લોકોને વસાવવા તેમની સવદેશી પ્રક્રિયામાં ભાગ લઇને ‘વિપરિત ભાગીદારીના પ્રકારને સરકાર પ્રોત્સાહન આપે છે.

પ્રકરણ- 3

યોજનાનાં મહત્વનાં લક્ષણો

  • લક્ષય જૂથ : ઈંદિરા આવાસ યોજના મુખયત્વે મકાન વિહોણાં ગરીબ કુટુંબો અને જે લોકો જીર્ણશીર્ણ અને કાચાં મકાનોમાં રહે છે તેમજ ભૂમિહીન ગરીબોને ઘરથાળ પૂરી પાડવાના અંગભૂત ભાગ માટે જાહેર આવાસની યોજના છે. વખતોવખત ગરીબી રેખા નીચેનાં કુટુંબ મુકરર કરવા માટે સૂચવેલાં નીચેના માપદંડ અનુસાર ગ્રામસભા મારફત સમુદાયે મુકરર કરેલાં આવાં કુટુંબ માટે તેમનાં મકાનો બાંધવા અને સરકાર તરફથી નાણાકીય અને ટેકનિકલ સહાયથી ઘરથાળ મેળવવા આ યોજના તૈયાર કરવામાં આવી છે.
  • યોજનાના અંગભૂત ભાગ : ઈંદિરા વિકાસ યોજનાના અંગભૂત ભાગ નીચે પ્રમાણે છે : નવું મકાન બાંધવા માટે સહાય સપાટ વિસ્તાર, ડુંગરાળ રાજ્યો અને દુર્ગમ વિસ્તારો (ઈદિરા આવાસ કાર્યક્રમના જિલ્લા સહિત)ના મકાનના એકમનું ખર્ચ આ સાથે જોડેલી અનુસૂચિમાં આપ્યા મુજબ રહેશે. માલસામગ્રી ઓછી મળે. નબળાં જોડાણ. પ્રતિકૂળ ભૌગોલિક, આબોહવા વિષયક અને ભૂસ્તરશાસ્ત્રીય સથિતિ જેવાં કારણોસર, બાંધકામનું ખર્ચ વધારે થાય. તેવા વિસ્તાર દુર્ગમ વિસ્તાર છે. રાજ્યની અંદર દુર્ગમ વિસ્તારની પોતે વિકસાવેલી પદ્ધતિ પર આધારિત અને આ કાર્યક્રમ માટેની સત્તાધિકાર સમિતિએ મંજૂર કરેલી પદ્ધતિ મુજબ મુકરર કરવામાં આવશે. ગ્રામ પંચાયતોને એકમ તરીકે ગણવામાં આવશે.

નોંધ : ‘નવું મકાન એટલે ટોઇલેટ બાંધેલો વિસ્તાર (builtup)માં બાંધેલું મકાન, ઈંદિરા આવાસ યોજનાનાં મકાન એ અર્થમાં “પાકાં રહેશે કે તે ઓછામાં ઓછું ત્રીસ વર્ષ માટે યોગય નિભાવથી આબોહવા વિષયક સથિતિ સહિત ઉપયોગ અને કુદરતી પરિબળોને કારણે સામાન્ય તૂટફૂટ સામે ટકી શકે તેવાં હોવાં જોઇએ. તેનું છાપરું કાયમી સામગ્રીનું બનેલું હોવું જોઇએ. તેની દીવાલો સથાનિક આબોહવાની સથિતિ સામે ટકી શકે તેવી હોવી જોઇએ. દીવાલોની બહારની સપાટી ધસાઇ જાય તેવી હોય ત્યારે જ તેને પલાસટર કરવું. ત્રીસ વર્ષની ટકાઉપણું પ્રાપત કરવામાં મદદ કરે તેવી કોઇ પણ બાંધકામ પ્રૌદ્યોગિકીને રાજ્ય સરકાર અપનાવી શકે તેમાં યોગય વિશિષટ વિગતોથી બાંધેલાં માટી અને વાંસનાં મકાનોનો સમાવેશ થાય છે. ‘હુડકો’ બી.એમ.પી.ટી.સી. આઇ.આઇ.ટી. વગેરે જેવી પ્રતિષઠિત સંસ્થાઓ, ઇજનેરી કોલેજો અને મકાન બાંધવાના ક્ષેત્રની વિખયાત બિન-સરકારી સંસ્થાઓએ મંજૂર કરેલ માલસામાન અને પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરી શકાય. બી.આઇ.એસ. વિશિષટ વિગતો હોય તેવો માલસામાન અને પ્રૌદ્યોગિકીનો તેમાં સમાવેશ કરી શકાય. બાંધકામના વપરાયેલ માલસામાનના પુન:ઉપયોગ/ રિસાઇકલિંગની પરવાનગી આપવામાં આવે છે. હરિયાળી પ્રૌદ્યોગિકીને ખાસ પ્રોત્સાહન આપવાની જરૂર છે. નવી પ્રૌદ્યોગિકી અપનાવવાની હોય, તો ઉચચાધિકાર સમિતિ અથવા ઉચચાધિકાર સમિતિએ મંજૂર કરેલી કોઇ પણ એજન્સીની પૂર્વ-મંજૂરી લઇ શકાય. હિતાધિકારીને માલસામાન અને પ્રૌદ્યોગિકીની આખરી પસંદગી રહેશે. પ્રત્યેક મકાનમાં ટોઇલેટ, શોષખાડા અને મિશ્રખાતરના ખાડા રહેશે. તેમાં નિર્ધમ ચૂલાનો પણ સમાવેશ કરવો. કુટુંબને એલપીજી/બાયોગેસનું જોડાણ મળે એટલે તેને દૂરકરી શકાશે. સથાનિક રીતે યોગય હોય તેવી છાપરાના પાણીના સંચયની પદ્ધતિ પણ સ્થાપવી. દરેક કુટુંબને બાથરૂમ બાંધવા માટે સક્રિય પ્રોત્સાહન આપવું.

રાજ્યો વધારાની સહાય આપે તો નટયૂનતમ બાંધેલો વિસ્તાર વધારી શકાય. લોકોને દેવામાં પડતા અટકાવવા રાજ્યો અધિકતમ વિસ્તાર નક્કી કરી શકે.

સામાનય રીતે વયક્તિગત મકાનોને જ આ યોજના હેઠળ લઇ શકાય. હિતાધિકારીઓ વિશિષટ રીતે પસંદ કરે. તો ડુપલેકસ આવાસની પરવાનગી આપી શકાય. જમીનની કિંમત ઘણી ઊંચી હોય તેવા ગીચ વિસ્તારમાં દરેક માળ એક કુટુંબને અપાય તે રીતે હિતાધિકારીઓને બહુમાળી મકાનો બાંધવાની છૂટ આપી શકાય. આવાં મકાન ભોંયતળિયા સહિત ત્રણ માળથી વધશે નહિ. બાંધકામ અને નિભાવની જવાબદારી નિર્દિષટ કરતા બહુ-પક્ષકારના કરાર રાજ્ય સરકાર સાથે કરવા.

 

કાચા અથવા જીર્ણશીર્ણ મકાનોની કક્ષા ઊંચી લાવવી. આમાં છાપરા/દીવાલોની કક્ષા ઊંચી લાવવી. તેના ભાગની મરામત અથવા તે બદલવા અને તેની બાબતોનો સમાવેશ થાય છે. કક્ષા ઊંચી લાવવામાં માલસામાનનો ફરી ઉપયોગ કરી શકાય/રિસાઇકલ કરી શકાય. વધારાના માલસામાન/ બદલેલા માલસામાનનો ઉપયોગ કરીને અને ટકાઉપણુ સિદ્ધ કરતી ડિઝાઇનમાં ફેરફાર કરતાં અને/અથવા વધુ સારી કામગીરીથી, યોગય નિભાવ સાથે મકાન ઓછામાં ઓછું ૩૦ વર્ષ ચાલી શકે તેવું હોવું જોઇએ. માર્ગદર્શક સૂચનાઓની અનુસૂચિમાં સહાય અંગે આપવામાં આવશે.

નોંધ : ‘કાચા મકાનમાં દીવાલો અને/અથવા છાપરું કાચી ઇંટો, વાંસ, માટી, ધાસ, વળીઓ, પરાર, છૂટા મૂકેલા પથથર વગેરે જેવી વસ્તુઓની ટેકનિકનો અયોગય ઉપયોગ કરવાને કારણે ટકાઉ નથી અને રાબેતા મુજબની તૂટફૂટ સામે ટકી શકે તેવાં નથી. ‘જીર્ણશીર્ણ મકાન એટલે તૂટ-ફૂટને કારણે કામ ન આપી શકે અથવા બીજા કોઇ કારણે નુકસાન પામેલાં પાકાં. કક્ષા ઊંચી લાવવી એટલે આવા કાચા/જીર્ણશીર્ણ મકાનને નવા મકાન જેવા ધોરણમાં આવે તેવી સુધારણા કરવી.

ઘરથાળની જોગવાઇ

ભૂમિહીન ગરીબો ખાસ કરીને સહાયપાત્ર છે. કેમકે તે આશ્રય વગરના હોય છે. તેમની પાસે મકાન બાંધવા માટે જમીન નથી. આમ તેઓ બેરીતે વાંચિત છે. ઘરથાળ પૂરી પાડવા માટે અનુસૂચિ મુજબ સહાય આપવી જોઇએ.

રાજ્ય સરકારો તેમના સંબંધિત રાજ્યમાં ઘરથાળ માટેના હકોને જાહેર કરી શકે. વાજબી હોય, તો રાજ્યની અંદર તેમાં ફેરફાર થઇ શકે. જમીનની ઉપલભયતા અને તેની કિંમત પર આધારિત જુદા જુદા લત્તામાં જમીનના જુદા જુદા વયાપ નિયત કરી શકાય. આદર્શની દૃષિટિએ ૧૦ ટકા જમીન પૂરી પાડવી જોઇએ.

ઘરથાળના ભાગ માટે, જિલ્લા કલેકટરે વસવાટોમાં ઉપલભય જાહેર જમીન મુકરર કરીને તેને પાત્ર ભૂમિહીનોને ફાળવવી જોઇએ. જાહેર જમીન ઉપલભય ન હોય, તો રાજ્ય સરકારે નિયત કરેલી કાર્યપદ્ધતિ અનુસાર જરૂરી જમીન ખરીદવી જોઇએ. આ શકય ન હોય, તો છેલ્લા ઉપાય તરીકે જમીન સંપાદન હાથ ધરી શકાય. જમીન પસંદ કરતી વખતે. જોડાણ. પીવાના પાણીની ઉપલભયતા, જાહેર સંસ્થાઓમાં પ્રવેશ વગેરે મકાનોના બાંધકામ માટે તે યોગય હોય તેની ખાતરી કરવી. જેના માટે સાથળ પસંદ કરવામાં આવ્યું હોય તેમાં લોકો સામેલ હોય અને તેમને તે સંપૂર્ણ પણે સ્વીકાર્ય હોય તેની રાજ્ય ખાતરી કરવી. યોજના નીચે જોગવાઇ કરેલાં નાણાં પૂરતાં ન હોય, તો

રાજ્ય સરકારે વધારાનાં નાણાં પૂરાં પાડવાં. હિતાધિકારી જમીન ખરીદવા માગતા હોય, તો યોગય ખરાઇ કર્યા પછી તેને પાત્ર રકમ ભરપાઇ કરવી. રાજ્યોએ આ ઘટક માટે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવી. જેમને ઘરથાળ આપવામાં આવી છે અને ઈંદિરા આવાસ યોજના નીચે જેમને ખાસ અગ્રતા આપી છે તેવા બધા ભૂમિહીન લોકોને મકાનો પૂરાં પાડવાના પ્રોજેકટ રાજ્યો તૈયાર કરી શકે. જેમને ઘરથાળ આપવાની છે તેવાં ભૂમિહીન લોકોની વિગતો મળે. તો ગ્રામીણ વિકાસ મંત્રાલય, સૂત્ર (formula) પર આધારિત આ જૂથને લાભ માટે સંપૂર્ણપણે ઈંદિરા આવાસ યોજનાનાં નાણાંમાંથી અમુક ભાગ અંક્તિ કરશે. આ રકમ બીજે કયાંય વાળી શકાશે નહિ.

ખાસ પ્રોજેકટ

ઈંદિર આવાસ યોજનાની પાંચ ટકા ફાળવણી અનામત ફંડ તરીકે કેન્દ્રીય કક્ષાએ રાખી મૂકવામાં આવશે. અનામત ફંડ વાપરવા માટે રાજ્યો/સંધ પ્રદેશો નીચેના હેતુ માટે ખાસ પ્રોજેકટ રજૂ કરી શકે :

  1. કુદરતી આફતોથી અસર પામેલાં ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  2. હિંસા અને કાયદા અને વયવસ્થાની સમસ્યાઓથી અસર પામેલા ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  3. મુકત કરાયેલા બંધણી (વેઠીયા) મજૂરો અને મુકત કરાયેલા હાથથી મેલુ સાફ કરનાર સફાઇ કામદારોની વસાહત;ખાસ કરીને સહાયપાત્ર આદિજાતિ જૂથોની વસાહત,
  4. ખાસ કરીને પરવડી શકે તેવી અને હરિયાળી પ્રૌદ્યોગિકી કેન્દ્રમાં રાખીને નવી પ્રૌદ્યોગિકીનું નિદર્શન. રાજ્ય સરકારોએ આ પ્રોજેકટ પૂરતી વિગતો વાજબી કારણો સાથે સપર્ટેબર સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલવાના રહેશે. [(૧) અને (ર) સિવાય] મંજૂરીના હેતુ માટે રચાયેલી ઉચચાધિકાર સમિતિ તેના પર વિચારણા કરશે.

નાણાંની જોગવાઇની પદ્ધતિ

ઘરથાળની જોગવાઇ માટેના ઘટક સિવાયનું યોજનાનું ખર્ચ ૭૫:રપના ગુણોત્તરમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો વચચે વહેંચવાનું રહેશે. ઉત્તર-પૂર્વ (ઇશાન) રાજ્યો માટે આ ગુણોત્તર ૯૦:૧૦ રહેશે. ઘરથાળ પૂરી પાડવા માટેનું ખર્ચ ભારતસરકાર અને રાજ્ય સરકારો વચચે પO:પOના ગુણોત્તરમાં વહેંચવાનું રહેશે. ભારત સરકાર સંધ પ્રદેશો બાબતમાં સંપૂર્ણ ખર્ચ આપશે. નાણાં અંક્તિ કરવાં રાષટ્રીય કક્ષાએ નાણાંના ૬૦ ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે અંક્તિ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે વખતોવખત નક્કી કરેલા પ્રમાણમાં લક્ષયાંકમાં દર્શાવેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વચ્ચે આ પ્રમાણ વહેંચવામાં આવશે. વળી ૧૫ ટકા નાણાં લધુમતીના હિતાધિકારીઓ માટે અલગ રાખવામાં આવશે. ઓછામાં ઓછું ૩ ટકા હિતાધિકારીઓ વિકલાંગ વયક્તિમાંથી હોય તેની રાજ્ય ખાતરી કરવી.

ખર્ચ ભારતસરકાર અને રાજ્ય સરકારો વચચે પO:પOના ગુણોત્તરમાં વહેંચવાનું રહેશે. ભારત સરકાર સંધ પ્રદેશો બાબતમાં સંપૂર્ણ ખર્ચ આપશે. નાણાં અંક્તિ કરવાં રાષટ્રીય કક્ષાએ નાણાંના ૬૦ ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે અંક્તિ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે વખતોવખત નક્કી કરેલા પ્રમાણમાં લક્ષયાંકમાં દર્શાવેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વચ્ચે આ પ્રમાણ વહેંચવામાં આવશે. વળી ૧૫ ટકા નાણાં લધુમતીના હિતાધિકારીઓ માટે અલગ રાખવામાં આવશે. ઓછામાં ઓછું ૩ ટકા હિતાધિકારીઓ વિકલાંગ વયક્તિમાંથી હોય તેની રાજ્ય ખાતરી કરવી.

 

નાણાંની રાજ્યવાર ફાળવણી ફકરા 3.પમાં આપયા મુજબ રહેશે. અંક્તિ કરવાં તે ફકત ન્યૂનતમ મર્યાદા છે. તે રાજ્યોએ પ્રાપત કરવી જોઇએ. રાજ્યો ઇચછે. તો આ કક્ષા નીચેનાં લક્ષયાંકમાં ઉમેરો કરી શકશે. આ કક્ષાના લક્ષયાંકમાં ઘટાડો કરવો જોઇએ નહિ. તેમ છતાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિના પાત્ર હિતાધિકારીઓ ન હોય અને તે મુજબ પ્રમાણપત્ર આપવામાં આવે, તો આ કક્ષાના લક્ષયાંકમાં અંદરોઅંદર બદલી કરી 인(3l리. જિલ્લામાં કોઇ પણ કક્ષા નીચે પાત્ર વયક્તિઓ ન હોય, તો જિલ્લા કલેકટર અથવા જિલ્લા પરિષદના મુખય વહીવટી અધિકારી (સીઇઓ)એ તે મુજબ પ્રમાણપત્ર આપવું પ્રમાણપત્રનો એકવાર સ્વીકાર કરાતાં તે રદ કરી શકાશે નહિ. ત્યારપછી લક્ષયાંક બીજા જિલ્લાઓમાં તે જ કક્ષામાં પ્રમાણસર ફરી ફાળવવામાં આવશે. પછીના ફેરફારો તરત જ આવાસ સોફટમાં કરવા. લઘુમતી હિતાધિકારી રાજ્યોની પસંદગી માટે, રાજ્યો હાલની કાયમી પ્રતીક્ષા યાદીનો ઉપયોગ કરી અને તેમને આવરી લેવા યાદીમાં નીચેના ક્રમે જઇ શકે. રાજ્યો પાસે લધુમતીઓ માટે અલગ પ્રતીક્ષા યાદી હોય, તો તેનો ઉપયોગ કરી શકાય. નાણાંની ફાળવણી કુલ અંદાજપત્રના ૯૫ ટકા નવાં મકાનોને લગતા ઘટકો, મકાનોની કક્ષા ઊંચી લાવવા, ઘરથાળની જોગવાઇ અને વહીવટી ખર્ચ માટે ખર્ચવામાં આવશે. બાકીના પ ટકા ફકરા 3.ર.૪માં દર્શાવયા મુજબ ખાસ પ્રોજેકટ માટે અનામત રાખવામાં આવશે. રાજ્યો/સંધ પ્રદેશોને ફાળવણી અને રાજ્યો/સંધ પ્રદેશોમાંથી જિલ્લા તાલુકાને ફાળવણી સામાજિક-આર્થિક જાતિ વસતી ગણતરી (SECC)નું કામ હાલ ચાલુ છે. તેને એકવાર આખરીરૂપ અપાતાં. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, લધુમતીઓ અને અનયની દરેક કક્ષા માટે ગરીબી રેખા નીચેના વસતીમાંથી મકાન વિહોણા લોકો માટે બી.પી.એલ. વસતીમાંથી, રાજ્યો ઇચછે તો ગ્રામ પંચાયતોને ફાળવણી કરવામાં આવશે. આવા સમય સુધી, આવી ફાળવણી કરવા માટે માહિતી ઉપલભય હોવાથી, મંત્રાલય છેલ્લી વસતીગણતરીની માહિતી અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં આવાસોની તંગી ઉપર ૭૫ ટકા વેઇટેજના આધારે રાજ્યો/સંધ પ્રદેશો માટે વાર્ષિક ફાળવણી નક્કી કરશે અને ગરીબી રેખા નીચેના લોકોની સંખયા ઉપર રપ ટકા વેઇટેજ આપવામાં આવશે. આ સમગ્ર લક્ષયાંકની અંદર, વસંગતિ નિવારવા યોગય રીતે હિસાબમેળ કરેલ રાજ્યો/સંધ પ્રદેશોમાં આ કક્ષાની પ્રમાણસર વસતીના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને લધુમતી માટે નાણાંની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ નીચેના લક્ષયાંક ફાળવવા રાજ્યો આ સિદ્ધાંતને અનુસરશે. યોજના સાથે પ્રસ્તુત માહિતીનો ઉપયોગ કરીને જે રાજ્યો બીજા કોઇ વૈકલ્પિક સૂત્ર અપનાવવાનું નક્કી કરે તેમણે પૂરેપૂરાં વાજબી કારણો સાથે ઉચ્ચાધિકાર સમિતિની પૂર્વ-મંજૂરી મેળવવી. (ફકરો ૩.૮) જરૂરિયાતોના આધારે રાજ્યોએ નક્કી કર્યા મુજબ ગરીબી રેખા નીચેનાં કુટુંબોનાં કાચાં/જીર્ણશીર્ણ મકાનોની કક્ષા ઊંચી લાવવા માટે જિલ્લાની ફાળવણીના ર૦ ટકા સુધીનો ઉપયોગ કરી શકાય.

વહીવટી ખર્ચ

છૂટાં કરેલાં નાણાંના ચાર ટકા સુધી યોજનાના વહીવટ માટે વાપરી શકાય. તેમાં ૦.૫ ટકા સુધી રાજ્ય કક્ષાએ રાખી મૂકી શકાય અને બાકીની રકમ જિલ્લાઓમાં વહેંચી શકાય. જિલ્લાની ફાળવણીમાં બે ભાગનો સમાવેશ થશે. એક ભાગ નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે રહેશે. તે રાજ્યના બધા જિલ્લા માટે સમાન રહેશે અને બીજો ભાગ કામકાજના ખર્ચને પહોંચી વળવા માટે જિલ્લાને ફાળવેલા લક્ષયાંકના પ્રમાણમાં રહેશે. રાજ્યો આનું સૂત્ર તેમજ તાલુકા (intermediate) અનેગ્રામ પંચાયત કક્ષાએ ફાળવણી માટેનું સૂત્ર તેમને ફાળવેલ કાર્યબોજ અનુસાર નક્કી કરી શકે. આ કક્ષા નીચે નાણાંની ફળવણી માટે રાજ્યોએ અપનાવેલા માપદંડની જાણ છ મહિનાની અંદર ગ્રામીણ વિકાસ મંત્રાલયને કરવાની રહેશે.

વહીવટી ખર્ચ નીચે ખર્ચની પાત્ર વસ્તુઓ નીચે મુજબ

  1. ખાસ કરીને જુદી જુદી ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીના વિકલ્પ અંગે વિજાણું સામગ્રી સહિત માહિતી. શિક્ષણ અને સંદેશાવયવહાર સામગ્રી તૈયાર કરવી;
  2. હિતાધિકારીઓને વસવાટ અને આવાસની જાણકારી આપવી:
  3. નમૂનાનું બાંધકામ અને નિદર્શન માટે નાનાં મોડલ તૈયાર કરવાં:
  4. જુદા જુદા તબકકે મકાનના ફોટા અને તેમને અપલોડ કરવાનું ખર્ચ:
  5. મુલાકાતો યોજીને ગુણવત્તા દેરખેર અને નિયંત્રણનું ખર્ચ;
  6. વયવસ્થા માહિતી પદ્ધતિ માટે હાર્ડવેર/સોફટવેરનું ખર્ચ;
  7. કન્ટ્રાકટ પર કર્મચારી ભાડે મેળવવા સહિત આવાસ સોફટમાં ડેટા-એનટ્રીનું ખર્ચઃ
  8. માસ્ટર કડિયા અને મજૂરી પૂરી પાડતા હિતાધિકારીઓને તાલીમ તેમજ નિભાવ પ્રથા અંગેતાલીમ;
  9. સમુદાયની જાણકાર વયક્તિઓને માનવેતન અને બિન-સરકારી સંસ્થાઓને સેવા ખર્ચ:

10. કર્મચારીઓ/અધિકારીઓ અને પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ;

11.  આકારણી અને મૂલ્યાંકન અભયાસ ચલાવવા.

12. વહીવટી ખર્ચ, મુખય કાર્યક્રમના ખર્ચને લાગુ પડતા ગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્યો વચચે વહેંચવામાં આવશે.

અમલ માટે એજન્સી

જિલ્લા કક્ષાએ અમલનું કામ જિલ્લા પરિષદ અથવા જિલ્લા પરિષદ ન હોય તે રાજ્યોમાં તેની સમકક્ષ સંસ્થાને સોંપવું.

સથાનિક કક્ષાએ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત ન હોય તે રાજ્યમાં તેની સમકક્ષ સંસ્થા આ કાર્યક્રમનો અમલ કરશે. યોજનાનો અમલ કરવા ગ્રામ પંચાયત ખૂબ જ નાની હોય, તો રાજ્ય તાલુકા કક્ષાની પંચાયતને તે કામ સોંપી શકે. આવી બાબતમાં, ગ્રામ પંચાયતોને વસવાટ અને હિતાધિકારીઓની પસંદગીમાં અને દેખરેખ અને નિયંત્રણમાં સ્પષટ કામગીરી આપવી.

ઉચચાધિકાર સમિતિ

સચિવ/અધિક સચિવ (ગ્રામીણ વિકાસ)ના અધયક્ષપદે ઉચચાધિકાર સમિતિ રહેશે. તે નીચેના સભ્યયોની બનેલી રહેશે.

  1. સંયુકત સચિવ (ગ્રામીણ આવાસ
  2. સલાહકાર (આયોજન કમિશન)
  3. હુડકોના પ્રતિનિધિ
  4. નોલેજ નેટવર્કના પ્રતિનિધિ
  5. બિલડીંગ બાંધકામના ક્ષેત્રમાંથી બે ખયાતનામ બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિ.
  6. સંબંધિત રાજ્યના ગ્રામીણ આવાસનું કામ સંભાળતાસચિવ
  7. આઇએફડીના પ્રતિનિધિ.

ઉચ્ચધિકાર  સમિતિ તેમની બેઠકોમાં મદદ કરવા જરૂરી નિષણાતોને આમંત્રી શકે. ઉચચાધિકાર સમિતિનાં કાર્યો નીચે મુજબ રહેશે:

  1. દુર્ગમ વિસ્તાર નક્કી કરવા માટે રાજ્યનો માપદંડ મંજૂર કરવો
  2. મકાનો પૂરાં કરવા માટે અને નવા બાંધકામ માટે લક્ષયાંક નક્કી કરવા
  3. લક્ષયાંકની જિલ્લાવાર ફાળવણી માટે રાજ્યોએ અપનાવેલું કોઇ વૈકલ્પિક સૂત્ર મંજૂર કરવું
  4. નાણાંની પુનઃફાળવણી નક્કી કરવી
  5. ૫ ટકા ફાળવણી માટે ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
  6. બેન્ક લોન મેળવતી સહાયકી સાથે જોડાયેલી યોજનાઓ માટેના ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
  7. અપવાદરૂપ કેસમાં કામચલાઉ રોકડ ચુકવણીની પરવાનગી આપવી
  8. દુર્ગમ વિસ્તારોમાં એક જ હપતામાં રાજ્ય એજન્સીએ કેન્દ્રીય હિસ્સો તબદીલ કરવાની પરવાનગી આપવી
  9. ટેકનિકલ સંસ્થાએ મંજૂર ન કરી હોય તેવી રાજ્ય સરકારોએ દરખાસ્ત કરેલી નવી બાંધકામ પ્રૌદ્યોગિકીઓ મંજૂર કરવી.
  10. કાર્યક્રમોની સમીક્ષા કરવી. અભ્યાસ વગેરે સૂચવવાં.
  11. માર્ગદર્શક સૂચનાઓની કામગીરી કરવામાં સાચી મુશકેલીઓ હોય તેવી બાબતોમાં સ્પષટીકરણઆપવાં.

પ્રકરણ- ૪

યોજનાનો અમલ

અમલનો અભિગમ વસવાટ અથવા જૂથ અભિગમ અને વયક્તિગત કુટુંબ

અભિગમનાં જરૂરિયાતો અને લાભની સમતુલા જાળવીને દરેક રાજ્ય ઇંદિરા આવાસ યોજનાની જરૂરિયાતો માટે અમલનો વયુહ વિકસાવવાની જરૂર છે.

બાંધકામમાં કરકસર કરવા અને ગરીબ કુટુંબોને મૂળભૂત નાટ્યૂનતમ જરૂરિયાતો પૂરી પાડવા અને વિસ્તરણ અને નિયંત્રણ હળવાં કરવાં, ઇંદિરા આવાસ યોજનાનો અમલ શકય હોય ત્યાં સુધી વસવાટ અભિગમને અનુસરીને કરવો. નીચેની કક્ષાના બધા વસવાટ પૂર કરવા અગ્રતાના ધોરણે તેને આવરી લેવી જોઇએ:

૧. પી.ટી.જી. ર. વન હક અધિનિયમના હિતાધિકારી કુટુંબો સ્થાનિક રીતે પ્રસ્તુત, પારદર્શક સામાજિક-આર્થિક માપદંડનો ઉપયોગ કરીને આવરી લેવા રાજ્ય સરકાર બીજા વસવાટ મુકરર કરી શકે.

તેમ છતાં, ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર છૂટાછવાયા રહેતા હોય તેવા અમુક કક્ષાના પાત્ર હિતાધિકારીઓને આવરીલેવા. વયક્તિગત કુટુંબ અભિગમનો ઉપયોગ કરી શકાય. આ અભિગમને અનુસરતી વખતે પુન:સ્થાપન કરેલા હાચથથી મેલુ સાફકરનાર સફાઇ કામદારો અને પુન:સ્થાપન કરેલા બંધણી (વેઠીયા) મજૂરોનાં કુટુંબોને પ્રથમ અગ્રતા આપવી.

ત્યારબાદ નીચે મુજબ અગ્રતા આપવી :

  • વિધવા, છૂટાછુડા અપાયેલી અથવા તયજી દેવાયેલી સત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલી સત્રીઓ અને ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી જેમના પતિ ગૂમ થયા હોયઅને સત્રીઓ કુટુંબના વડા હોય તેવી કપરા સંજોગોમાંમુકાયેલી સત્રીઓ:
  • માનસિક રીતે વિકલાંગ વયક્તિઓ (ઓછામાં ઓછા ૪૦ ટકા વિકલાંગતા ધરાવતી)
  • શારીરિક વિકલાંગ વયક્તિઓ (ઓછામાં ઓછી ૪૦ ટકાઅશક્તતા ધરાવતી)
  • હિજડા/કિનનર
  • યુદ્ધમાં માર્યા ગયેલા સંરક્ષણ/અર્ધ-લશકરી/ પોલીસદળના સભ્રયોનાં વિધવા અને તદ્દન નજીકના સગા (તે ગરીબી રેખા નીચે ન હોય છતાં)
  • અનય મકાનવિહોણાં બી.પી.એલ. કુટુંબો આનાથી અગ્રતાયાદીમાં ખૂબ જ સહાયપાત્ર લોકોને આવરી લેવાનું નિશ્ચિત થશે ઉપર સૂચવેલી અગ્રતા અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ, વિકલાંગ વયક્તિઓ, લધુમતી અને અનયો માટે અનુસરવાની છે.
  • રાજ્યો. વસવાટ અભિગમને અનુસરીને લેવાનાં અને છૂટાછવાયા વયક્તિગત હિતાધિકારીઓ માટે લેવાનાં મકાનોનું પ્રમાણ નક્કી કરી શકે. એકવાર આમ થતાં,   કાર્યપદ્ધતિ અનુસાર કામગીરી શરૂ કરી શકાય.
  • 57 વસવાટ મુકરર કરવા રાજ્ય સરકારે પાંચ વર્ષ અને વાર્ષિક અગ્રતા યાદી મુજબ વિકસાવવાના પારદર્શક માપદંડના આધારે વસવાટોને અગ્રતા આપવાની છે.
  • વસવાટોની પસંદગી થતાં, સંબંધિત પંચાયતોને સામેલ કરીને વસવાટોમાં મકાનો અને ભૌતિક જોડાણ. વીજળીનું જોડાણ, પાણી પુરવઠો, પર્યાવરણીય સ્વચછતા જેવી બીજી સગવડો અને આંગણવાડી, ગ્રંથાલય, સાર્વજનિક હોલ, કાર્ય-છાપરી વગેરે જેવા સામાજિક આધારમાળખાંની વિગતો એકઠી કરીને રાજ્ય અમલ એજન્સીએ વિગતવાર મોજણી કરાવવી. આ મોજણીને હરતાં ફરતાં કરેલી ચર્ચા (ટ્રાન્સેકટ વેોક). કેનદ્રિત જૂથ
  • ચર્ચા અને લોકોનાં આયોજન જેવી સહયોગી પદ્ધતિઓથી પૂરક થવું પસંદ કરેલા વસવાટોમાંથી તમામ પાત્ર
  • હિતાધિકારીઓની યાદી બનાવવાની રહેશે.
  • આધારરેખા મોજણી અને પાંચ વર્ષની અગ્રતા યાદી તૈયાર કરવી.
  • પહેલા વર્ષ ર૦૧૩-૧૪માં ઈંદિરા આવાસ યોજના માટેની હાલની અગ્રતા યાદીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું.
  • એસ.ઇ.સી.સી. માહિતી મળ્યાના છ મહિનાની અંદર યાદી સુધારવાની હોય છે. આધારરેખા માહિતી સામાજિક આર્થિક જાતિ વસતીગણતરી ર૦૧૧માંથી લેવી. સહયોગી પ્રક્રિયા મારફત એસ.ઇ.સી.સી. આધાર રેખા માહિતીનો ઉપયોગ કરીને જેમને સહાય આપવાની જરૂર છે તેવા લોકોની પંચવર્ષીય અગ્રતા યાદી તૈયાર કરવી. ગરીબોની સહયોગી ઓળખ (પી.આઇ.પી.) માટેની પદ્ધતિને અનુસરતી જુદી જુદી કક્ષા માટે સ્થાનિક રીતે સ્વીકાર્ય અગ્રતાના માપદંડનો ઉપયોગ કરીને હિતાધિકારીઓની ઓળખ અને દરજજો નક્કી કરી શકાય છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ગરીબોની સહયોગી ઓળખ માટે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે.
  • ભૂમિહીન કુટુંબો મુકરર કરવા એસ.ઇ.સી.સી.માહિતીનો પણ ઉપયોગ કરવો.
  • બે ટકા કરતાં ઓછી જમીનવાળાં બધાં કુટુંબોને આ યોજનાના હેતુ માટે ભૂમિહીન ગણવાં, જેમાં ગ્રામ પંચાયતો અને સ્થાનિક સમુદાય સંપૂર્ણરીતે સંકળાયેલ હોય તેવી મોજણી મારફત આમ ઉતારેલી યાદીની જમીન પર ખરાઇ કરવી. એકવાર ભૂમિહીન ગરીબો મુકરર થતાં, ઈંદિરા આવાસ યોજનાનાં મકાનોના ઘટક માટે દર્શાવેલી ગરીબોની સહયોગી ઓળખની પ્રક્રિયા મુજબ તેની અગ્રતા તૈયાર કરવી. તેમાં અનુસૂચિત જાતિઓ/ અનુસૂચિત આદિજાતિઓ, લધુમતી. વિકલાંગ વયક્તિઓ અને બીજાઓની અલગ યાદીઓ બનાવવી.
  • ઉપરની પ્રક્રિયામાંથી તૈયાર કરેલ ઈંદિર આવાસ યોજનાના હિતાધિકારીઓની પાંચ વર્ષની અગ્રતા યાદી અને ઉપરની પ્રક્રિયા પરથી તૈયાર કરેલ ભૂમિહીન કુટુંબોની યાદી અને મુકરર વસવાટ પરથી હિતાધિકારીઓની યાદી
  • ગ્રામસભામાં રજૂ કરવી અને તેની મંજૂરી લેવી. આ બેઠકમાં જિલ્લા કલેકટરના પ્રતિનિધિએ હાજરી આપવી અને તેનો વિડિયોગ્રાફ કરવો અને બાકાતની ભૂલો સુધારવા માટે એસ.ઇ.સી.સી. માટે જણાવેલી અપીલની પ્રક્રિયા અપનાવવી. ગ્રામસભા એકવાર પાંચવર્ષની યાદીને મંજૂરી આપે એટલે છૂટાંછવાયાં કુટુંબો માટે અને વસવાટ માટે
  • આવાસસોફટ પર તે અપલોડ કરવી.
  • હિતાધિકારીઓની વાર્ષિક પસંદગી યાદીને આખરીરૂપ આપવું. ઈંદિર આવાસ યોજનાના હિતાધિકારીઓની વાર્ષિક પસંદગી યાદીને આખરીરૂપ આપવા માટે,  દર્શાવેલી પ્રક્રિયા પૂરી કરવાનું ગ્રામસભા સમક્ષ પાંચ વર્ષની અગ્રતા યાદી મૂકવાનું અને વસવાટ અને છૂટાંછવાયાં કુટુંબો માટે મુકરર કરેલા લક્ષયાંક પર આધારિત વાર્ષિક પસંદગી યાદી તૈયાર કરવાનું સલાહભર્યું છે.

વાર્ષિક પસંદગી યાદી મંજૂર કરવા માટેની ગ્રામસભાની બેઠકમાં જિલ્લા કલેકટરના નોમિની હાજર રહેશે અનેતેની વિડિયોગ્રાફી થશે. તેમ કરતી વખતે નવા સમાવેશની યાદી અને બાકાતની યાદીને કારણો દર્શાવીને નિશાની કરવામાં આવશે. ગ્રામસભાની બેઠકો 30મી નવેબર સુધીમાં પૂરી કરવી. આખરીરૂપ આપેલી યાદી ૩૧મી ડિસેંબર પહેલાં જિલ્લા પરિષદને મોકલવી, જેથી કામચલાઉ લક્ષયાંક પર આધારિત જિલ્લાની વાર્ષિક હિતાધિકારી યાદીને આખરીરૂપ આપી શકાય.

પસંદ કરેલા હિતાધિકારીઓની વિગતો આવાસ સોફટમાં દાખલ કરવી.

લક્ષયાંક નક્કી કરવા

ગ્રામીણ વિકાસ મંત્રાલય દર વર્ષે રાજ્યવાર લક્ષયાંકો કાર્યક્રમના નીચેનાં બે પાસાં પર તૈયાર કરશે :

(૧) અગાઉનાં વર્ષો દરમિયાન મંજૂર કરેલાં મકાન પૂરાં કરવા માટે અને

(ર) વર્ષ દરમિયાન શરૂ કરવાનાં નવાં મકાનો માટે હિતાધિકારીઓની પસંદગી માટે.

વહીવટી ખર્ચ માટેની ફાળવણીના ૯૫ ટકામાંથી ૪ ટકા અલગ કર્યા પછી લક્ષયાંક નક્કી કરવામાં આવશે. આમ નક્કી કરેલા લક્ષયાક રાજ્યોને જણાવતાં પહેલાં

ઉચચાધિકાર સમિતિ તેને બહાલી આપશે.

હિતાધિકારીઓને માહિતગાર કરવા.

વર્ષ માટે પસંદ કરેલા બધા જ હિતાધિકારકીઓને તેમને અનુસફળ હોય તે સમયે અને સ્થળે એકઠા થવાની વિનંતી કરવી. વિકલાંગ વયક્તિઓ, વૃદ્ધ વયક્તિઓ અને નબળી વયક્તિઓને આ માટે ખાસ સહાય કરવી. હિતાધિકારીઓને કાર્યક્રમની અને તેઓ જે સહાય મેળવવા હકદાર છે અને જે શરતો તેમણે સંતોષવાની છે તે સહિત તેમના હક અને જવાબદારીની વિગતોની જાણ કરવામાં

હિતાધિકારીઓને તેમને જોઇતી સહાય દર્શાવવા કહવું. મંજૂરીપત્ર આપવો અને પ્રથમ હપતો છૂટો કરવો.

હિતાધિકારીઓ ઉપરની બેઠક માટે આવે ત્યારેનીચેની કાર્યપદ્ધતિ પૂરી કરવી .

  • રાજ્ય વિભાગ/એજન્સીએ નિયત કરેલા ફોર્મમાં દરેક હિતાધિકારીની તરફેણમાં સ્થાનિક ભાષામાં મંજૂરી હુકમ આપવામાં આવશે. તેમાં ખાસ કરીને ચુકવણી અનુસૂચિ અને શરતોની વિગત રહેશે.
  • પ્રતયેક હિતાધિકારીને હકદારી કાર્ડ આપવાનું છે. તેમાં સામાન્ય જનતા સમજી શકે તેવી સથાનિક ભાષામાં તેની બધી હકદારી અને જવાબદારી દર્શાવવામાં આવશે. તેમાં ઉપલભય સહાયક સેવાઓ, જુદી જુદી સેવાઓ માટે બહારના સમયની મર્યાદા અને ફરિયાદનું નિવારણ કેવી રીતે કરવામાં આવશે તેદર્શાવવું.
  • દરેક હિતાધિકારીને પહેલો હપતો છૂટો કર્યાનાં નાણાં તબદીલી હુકમ પણ આપવા. નાણાં દરેક હિતાધિકારીના બેનક/પોસ્ટ ઓફિસ ખાતામાં તબદીલ કરવાં. હિતાધિકારીઓને રોકડમાં હપતા છૂટા કરવાની ઈંદિરા આવાસ યોજનામાં છૂટ નથી.
  • મુક્તિ માટે, પૂરતાં વાજબી કારણ આપયા પછી અને તે પણ મર્યાદિત સમય માટે નીચેની શરતોને અધીન રહીને ઉચચાધિકાર સમિતિની પરવાનગી મેળવવી. :
  • (ક) ચુકવણી બધા સભયોની હાજરીમાં ગ્રાસભાની બેઠકમાં કરવામાં આવશે.
  • (ખ) મકાનના બાંધકામ માટે મંજૂર કરેલી કુલ રકમ અને અપાતી હપતાની રકમ બધા સભયોની જાણ માટે જાહેર કરવામાં આવશે:
  • (ગ) હિતાધિકારી પાસેથી ચુકવણીની પહોંચ મેળવીને ગ્રામ પંચાયતના રેકર્ડમાં રાખવામાં આવશે:
  • (ઘ) આની ખાસ કરીને સામાજિક ઓડિટમાં ખરાઇ કરવામાં આવશે.
  • રાજ્ય સરકાર ઉપરનો બનાવ અમુક દિવસે રાખવાનો નિર્ણય લઇ શકે. તેને રાજ્યભરમાં આવાસદિવસ તરીકે મનાવવામાં આવે. ઘરથાળ ભાગના હિતાધિકારીઓને તે જ દિવસે જમીનના માલિકીહક (ટાઇટલ) પણ આપી શકાય. આવો પ્રસંગ રાખવાથી પારદર્શકતા નિશ્ચિત થશે અને અમલ માટે નિયંત્રણમાં ભાગ લેવા પ્રેરશે.
  • મકાનોની ફાળવણી વિધવા/અપરિણીત/ અલગ રહેતી સત્રી સિવાયના કેસમાં, ઈંદિરા આવાસ યોજનાનાં મકાનની ફાળવણી પતિ અને પત્નીના સંયુકત નામે કરવામાં આવશે. રાજ્ય પણ તેને ફકત સત્રીના નામે ફાળવવાનું પસંદ કરી શકે. વિકલાંગ વયક્તિઓ માટેના કોટા નીચે પસંદ કરેલા હિતાધિકારીઓની બાબતમાં, ફાળવણી ફકત આવી વયક્તિને જ કરવામાં આવશે. ફાળવણી હુકમ મકાનને માલિકીહક (ટાઇટલ) એનાયત કરતા રાજ્ય નિયત કરે તેવા ફોર્મમાં હોવા જોઇએ. ઘરથાળ બાબતમાં, મુકરર કરેલી જમીન. તમામ પુરુષ જમીન ખાતા અને પટ્ટ તરીકે આપેલ પાકા માલિકીહક (ટાઇટલ) અને જમીન પણ તે વયક્તિને ફાળવવાં. તે સિવાય તે સૌથી વધારે ઉંમરની સત્રીના નામે તે કરવું. બીજાના નામે જ થઇ શકે તે માટેની જોગવાઇ ઓછામાં ઓછાં પંદર વર્ષ માટે રહેશે.
  • બાંધકામ હિતાધિકારીએ જાતે બાંધકામ કરવું જોઇએ. ઈદિરા આવાસ યોજનામાં કોઇ પણ કનટ્રાકટર સામેલ થવો જોઇએ નહિ. બાંધકામ કોઇ કન્ટ્રાકટર મારફત થયું હોવાનું ધયાન પર આવે, તો ગ્રામીણ વિકાસ મંત્રાલયને ઈંદિરા આવાસ યોજનામાં મકાનો માટે રાજ્યને છૂટાં કરેલાં નાણાં વસૂલ ફોર્મમાં હોવા જોઇએ. ઘરથાળ બાબતમાં, મુકરર કરેલી જમીન. તમામ પુરુષ જમીન ખાતા અને પટ્ટ તરીકે આપેલ પાકા માલિકીહક (ટાઇટલ) અને જમીન પણ તે વયક્તિને ફાળવવાં. તે સિવાય તે સૌથી વધારે ઉંમરની સત્રીના નામે તે કરવું. બીજાના નામે જ થઇ શકે તે માટેની જોગવાઇ ઓછામાં ઓછાં પંદર વર્ષ માટે રહેશે.
  • બાંધકામ હિતાધિકારીએ જાતે બાંધકામ કરવું જોઇએ. ઈદિરા આવાસ યોજનામાં કોઇ પણ કનટ્રાકટર સામેલ થવો જોઇએ નહિ. બાંધકામ કોઇ કન્ટ્રાકટર મારફત થયું હોવાનું ધયાન પર આવે, તો ગ્રામીણ વિકાસ મંત્રાલયને ઈંદિરા આવાસ યોજનામાં મકાનો માટે રાજ્યને છૂટાં કરેલાં નાણાં વસૂલ કરવાનો હક રહેશે. મકાન કોઇ સરકારી ખાતાં/એજન્સીએ બાંધેલું ન હોવું જોઇએ. ઈદિરા આવાસ યોજનાની ભાવના માટે એ જરૂરી છે કે મકાન કોઇ બહારની એજન્સીએ બાંધીને સોંપવાનું નથી. તેમ છતાં, સરકારી ખાતાં અથવા એજન્સી ટેકનિકલ સહાય આપી શકે અથવા હિતાધિકારી ઇચછે તો સિમેંટ, સ્ટીલ અથવા ઈંટો અથવા પૂર્વ-નિર્મિત ભાગ જેવો માલસામાન સંકલિત રીતે પૂરો પાડવા માટે વયવસ્થા કરીશકે.
  • સાઠ વર્ષથી વધારે ઉમરવાળા ઘણા વૃદ્ધ હિતાધિકારીઓની બાબતમાં અને બાંધકામ પર દેખરેખ રાખવાનો શ્રમ ન ઉઠાવી શકે તેવી વયક્તિ અને લેખિતમાં આવી સહાય માટે લેખિત વિનંતી કરે તેવી વિકલાંગતાધરાવતી વયક્તિઓ બાબતમાં બાંધકામ પ્રતિષઠિતએજન્સીને સોંપી શકાય.
  • ખાસ કરીને યોગય માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકી અપનાવવા માટે બાંધકામની વયવસ્થા અને નિયંત્રણમાં હિતાધિકારીઓને જરૂરી સહાય સેવાઓ પૂરી પાડવા. પ્રતિષઠિત બિન-સરકારી સંસ્થાઓ/ સખાવતી સંસ્થાઓ, જાણીતી યુવા કલબ, રાષટ્રીય સેવા યોજના, શાળા અને કોલેજોના એકમોનો ઉપયોગ કરી શકાય. પારદર્શક માપદંડ પર આધારિત આવી પ્રતિષઠિત એજન્સીઓને રાજ્ય માનય રાખે અને વહીવટી ખર્ચમાટેની જોગવાઇમાંથી તેમને ચૂકવવાના વાજબી સેવા ચાર્જ નક્કી કરી શકે.
  • ૪.૧૦. ડિઝાઇન અને બાંધકામનાં ધોરણ
  • કોઇ ફરજિયાત પ્રકારની ડિઝાઇન હોવી ન જોઇએ. માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીના ઉપયોગ બાબતમાં વિકલ્પો સ્થાનિક રીતે યોગય છે. તેમને હિતાધિકારીને ખર્ચની અસર સાથે હિતાધિકારીને આપવા.
  • તેની પસંદગી હિતાધિકારી પર છોડવી.
  • (હરિયાળાં મકાન) ગ્રીન હાઉસને પ્રોત્સાહન આપવા ખાસ પ્રયત્નો હોવા જોઇએ. તેમાં સ્થાનિક માલસામાનનો સુધારેલો ઉપયોગ, યોગય બિલડીંગ ડિઝાઇન અને બાંધકામ ટેકનિકનો સમાવેશ થશે. તેનો ઉદ્દેશ આવાસની નકારાત્મક પર્યાવરણીય અસર ઘટાડવાનો અને વાપરનારનાં સુખસવગડ સુધારવાનો છે. મકાનના જીવનચક્ર દરમિયાન ઊર્જાનો ઉપયોગ ઘટાડીને અને સ્થાનિક આબોહવા માટે યોગય ડિઝાઇન કરીને રિન યુ કરી શકાય અને સ્થાનિક રીતે ઉપલભય માલસામાન પર ખૂબ આધાર રાખીને આમ કરી શકાય.
  • મકાનનો લેઆઉટ પણ હિતાધિકારીએ નક્કી કરવો. તેમ છતાં, તેને લત્તાને અનુકૂળ સારા લેઆઉટની સલાહ આપી શકાય. વિલાંગ વયક્તિઓવાળાં કુટુંબ માટે મકાનમાં સરળ અને મુકત હેરફેરમાં સરળતા રહે તે માટે અવરોધમુકત ડિઝાઇન અપનાવવી. કુદરતી આફતની શકયતાવાળા વિસ્તારોમાં આફતનો સામનો કરે તેવાંલક્ષણોને બાંધકામમાં દાખલ કરવા.
  • જીવનચક્ર દરમિયાન ઊર્જાનો ઉપયોગ ઘટાડીને અને સ્થાનિક આબોહવા માટે યોગય ડિઝાઇન કરીને રિન યુ કરી શકાય અને સ્થાનિક રીતે ઉપલભય માલસામાન પર ખૂબ આધાર રાખીને આમ કરી શકાય.
  • મકાનનો લેઆઉટ પણ હિતાધિકારીએ નક્કી કરવો. તેમ છતાં, તેને લત્તાને અનુકૂળ સારા લેઆઉટની સલાહ આપી શકાય. વિલાંગ વયક્તિઓવાળાં કુટુંબ માટે મકાનમાં સરળ અને મુકત હેરફેરમાં સરળતા રહે તે માટે અવરોધમુકત ડિઝાઇન અપનાવવી. કુદરતી આફતની શકયતાવાળા વિસ્તારોમાં આફતનો સામનો કરે તેવાં લક્ષણોને બાંધકામમાં દાખલ કરવા.
  • મકાનમાં ફરજિયાત ઘટકો ઉપરાંત નીચેનું હોય તે ઈચૂછનીય છે :
  • આજીવિકા પ્રવૃત્તિઓ ચલાવવા માટે પૂરતી જગયા.
  • વરંડા
  • મકાનમાં ઉપર જવા માટે સી.ડી. ટેકનિકલ સહાય
  • ઈંદિર આવાસ યોજનાનાં મકાનો બાંધવા માટે ટેકનિકલ અને વયવસ્થાપકીય માર્ગદર્શનના રૂપમાં સહાય પૂરી પાડવી. મકાનની ગુણવત્તા જાળવી રાખવા માટે પાયો અને લિનટલ કક્ષા મહત્વના તબક્કા છે. તેથી, ઓછામાં ઓછું આ બે તબક્કે ટેકનિકલ સહાય પૂરી પાડવી.
  • બાંધકામના તબક્કા અને હપતા છૂટા કરવા.
  • હિતાધિકારીને આપેલા હપતાની સંખયા ત્રણ નક્કીકરવી. હપતા છૂટા કરવાની બાબતને બાંધકામની પહોંચેલ કક્ષાએ નક્કી કરવી.
  • પહેલો હપતો મંજૂરીના હુકમ સાથે આવાસ દિવસે આપવો. તે એકમના ખર્ચના રપ ટકાથી વધવો જોઇએ નહિ.
  • દ્વિતીય હપતો લિનટલ કક્ષાએ પહોંચતાં છૂટો કરવો. તે એકમના ખર્ચના ક૦ ટકાથી ઓછો હોવો ન જોઇએ.
  • તુતીય હપતો સેનિટરી જાજરૂ બંધાઇ જાય અને હિતાધિકારી મકાનમાં રહેવાનું શરૂ કરે તે સહિત મકાન પૂરું થયા પછી જ આપવો. પરંતુ ભોંયતળિયાને ઓપ અપાય. બારણાં અને બારીઓને શટર જડાય. કુદરતી પરિબળો સામે ટકી રહેવા આવશ્યક હોય તે સિવાય પલાસ્ટર અને રંગકામની સહાય મેળવવા માટે આગ્રહ રાખવો નહિ. તે રકમ એકમના ખર્ચના ૧૫ ટકા કરતાં વધવી જોઇએ નહિ.

મુકરર અધિકારી/કર્મચારીએ સ્થળની મુલાકાત લીધા પછી અને કામની ખરાઇ કર્યા પછી દરેક હપતો છૂટો કરવો.

તેની વિગતોના સમર્થનમાં ફોટા સાથે કાર્યક્રમની વેબસાઇટ (આવાસ સોફટ)માં અપલોડ કરવી.

  • બાંધકામ સમયસર કરવું
  • બાંધકામ પૂરું કરવું.
  • સામાન્ય રીતે રહેવાનું એકમ પૂરું કરવામાં પ્રથમ હપતો મંજૂર કર્યાની તારીખથી બે વર્ષથી વધારે સમય લાગવો જોઇએ નહિ. તેમ છતાં, હિતાધિકારીઓ પી.બી.એલ કક્ષાના હોવાથી, મકાન પૂરું કરવા માટે જરૂરી સંસાધનો એકત્રિત કરવાનું તેમને મુશકેલ લાગે છે. વિલંબના કેસ પર નિયંત્રણ રાખવું અને હિતાધિકરીને વધુમાં વધુ ત્રણ વર્ષની અંદર મકાન પૂરું કરવા સગવડો આપવી. ઈદિરા આવાસ યોજનાનું રહેવાનું એકમ પૂરું થયે. સંબંધિત જિલ્લા પરિષદે
  • નિશ્ચિત કરવું કે આમ બાંધેલા દરેક મકાન માટે વિગતો દર્શાવતું બોર્ડ લગાડવામાં આવેછે. તેમાં ઈંદિરા આવાસ યોજનાનો લોગો (પ્રતીક). બાંધકામનું વર્ષ, હિતાધિકારીનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. આ અંગે થનાર ખર્ચ યોજના હેઠળ મળતાં નાણાંમાંથી મેળવી શકાય. દરેક લોગોની કિંમત રાજ્ય સરકારે નક્કી કરવી. પરંતુ કેન્દ્રનોહિસ્સો કાર્યક્રમના ફંડમાંથી વધુમાં વધુ રૂ. ૧૦૦ રહેશે.

પ્રકરણ- ૫

નાણાં છૂટાં કરવાં અને તેની વયવસથા

  • ફાળવણી :રાજ્યોને નાણાંની ફાળવણી અને રાજ્યમાંથી જિલ્લામાં અને તેની નીચેની ફાળવણી ફકરા ૩.૫ અનુસારકરવામાં આવશે.
  • રાજ્યવાર દરખાસત કરવી :ભારત સરકારને દરખાસ્તો મોકલવાના હેતુ માટે રાજ્ય એકમ રહેશે. રાજ્ય ફકરા પ.૪ અને પ.પ માં જરૂરી બન્યા પ્રમાણે હપતા છૂટા કરવા માટે જરૂરી જિલ્લાવાર માહિતી આપીને દરેક હપતા માટે એક એકત્રિત દરખાસ્તગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલશે. બધી માહિતી ફકત
  • આવાસ સોફટમાં જણાવેલી નોંધ મુજબ રહેશે. જિલ્લા કક્ષાના દસ્તાવેજીકરણની પૂરતી ચકાસણી નિશ્ચિત કરવા, રાજ્ય સરકારોએ મજબૂત તંત્ર તે સ્થળે મૂકવાનું રહેશે. રાજ્ય સરકારનો સંબંધિત વિભાગ જિલ્લા કક્ષાની દરખાસતો માટે યોગય કાળજી લેશે. પ્રથમ હપતા માટેની એકત્રિત દરખાસતમાં પણ જિલ્લાવાર ફાળવણી અને ફાળવણી પર આવવા માટે પ્રયોજેલ સૂત્ર અને પદ્ધતિ દર્શાવવામાં આવશે. હવે રાજ્ય કક્ષાએ શરતો લાગુ પડશે. કોઇ એક જિલ્લામાં વિલંબ અથવા કસૂરને કારણે રાજ્યને નાણાંના પ્રવાહને અસર ન કરે તે માટે નિયંત્રણ તંત્રની જરૂર રહેશે.
  • મંત્રાલય એકત્રિત દરખાસ્તના આધારે જિલ્લાઓને, વૈકલપિક પદ્ધતિ તૈયાર ન થાય તેટલા સમય માટેબારોબાર નાણાં છૂટાં કરવાનું ચાલુ રાખશે.
  • નાણાં છૂટાં કરવાં
  • નાણાં નીચે મુજબ છૂટાં કરવામાં આવશે :
  • વાર્ષિક ફાળવણી બે હપતામાં છૂટી કરવામાં આવશે:
  • ફકરા 3.પમાંની જોગવાઇ અનુસાર નિયત કરેલી વાર્ષિક ફાળવણીના પ૦ ટકા જેટલો પ્રથમ હપતો રહેશે:
  • દ્વિતીય હપતો વાર્ષિક ફાળવણી બાદ પ્રથમ હપતો અને ફકરા પ.9માં જણાવેલ લાગુ પડતી કપાત જેટલો રહેશે:
  • મંત્રાલયે વખતોવખત બહાર પાડેલી માર્ગદર્શક સૂચનાઓ અનુસાર બધી છૂટી કરેલી રકમ જિલ્લાનામુકરર હિસાબમાં લેવામાં આવશે.
  • કન્નૌર. લાહૌલ-સપિતિ, લેહ અને કારગીલ જિલ્લા અને કામ કરવાની મર્યાદિત મોસમ હોય તેવા આંદામાન અને નિકોબાર ટાપુના સંધ પ્રદેશ અને ઉચચાધિકાર સમિતિ નક્કી કરે તેવા બીજા કોઇ આવા વિસ્તારો માટે સમગ્ર કેન્દ્રીય સહાય એક હપતામાં છૂટી કરી શકાશે. રાજ્ય પણ તેનો હિસ્સો એક હપતામાં છૂટો કરવો.
  • પ્રથમ હપતો છૂટો કરવા માટેની કાર્યપદ્ધતિ
  • અગાઉના વર્ષમાં બીજો હપતો લીધો હોય તેવા બધા જિલ્લા સંબંધમાં પ્રથમ હપતો છૂટો કરવામાં આવશે.ર૦૧૪-૧પથી આ પણ હિતાધિકારીઓની પસંદગી પૂરી થાય અને યાદીને આવાસ સોફટમાં અપલોડ કરી છે તેને અધીન રહેશે:.
  • જે જિલ્લાઓએ અગાઉના નાણાકીય વર્ષનો બીજો હપતો ન મેળવ્યો હોય તેમણે અગાઉના નાણાકીય વર્ષનો બીજો હપતો છૂટો કરવા માટે બધા જરૂરી દસ્તાવેજો સાથે પ્રથમ હપતા માટેની દરખાસતો મોકલવાની રહેશે.
  • બીજો હપતો છૂટો કરવા માટેની કાર્યપદ્ધતિ
  • રાજ્યને બીજો હપતો નીચેની શરતોને અધીન રહીનેછૂટો કરવામાં આવશે.
  1. કુલ ઉપલભય નાણાં (ઊઘડતી સિલક વત્તા વર્ષ દરમિયાન છૂટી કરેલી રકમ અને પરચૂરણ આવકજેટલી) ના ઓછામાં ઓછા 90 ટકાનો ઉપયોગ:
  2. અગાઉ છૂટી કરેલી રકમ દરમિયાન કોઇ શરતો મૂકીહોય તો તે પૂરી કરવી:
  3. ત્રણ વર્ષ કરતાં વધારે મંજૂર કરેલાં મકાનોના ૧૦૦ ટકા પૂરા થયાં હોય અને બેથી ત્રણ વર્ષ અગાઉ મંજૂરકરેલા મકાનોના ૭૫ ટકા:
  4. નાણાંના ઉપયોગ અને મકાનો પૂરાં થયા હોવાનુંર્શાવતી આવાસસોફટમાં ડેટા એનટ્રી.

રાજ્ય સરકાર દરખાસ્ત સાથે નીચેના દસ્તાવેજ રજૂ કરશે :

  • ઉપયોગિતા પ્રમાણપત્ર અને જિલ્લાઓ તરફથી મળેલા ઓડિટ અહેવાલ પર આધારિત અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન મેળવેલાં નાણાં બદલ સમગ્રતયા રાજ્ય માટે ઉપયોગિતા પ્રમાણપત્ર.
  • ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મળેલાં નાણાં બદલ ઉપયોગિતા પ્રમાણપત્ર.

અગાઉના નાણાકીય વર્ષના ઉપયોગિતા પ્રમાણપત્ર/ઓડિટ અહેવાલ અને બેનક હિસાબમેળ (reconciliation) પત્રક બધા જિલ્લામાંથી મળ્યાં છે. તેને તપાસવામાં આવયાં છે અને બરાબર જણાયાં છે તેવું પ્રમાણપત્ર, પ્રમાણત્રમાં વિશિષટ રીતે દર્શાવવામાં આવશે કે જે અંગે પગલાં લીધાં હોવાનો અહેવાલ જરૂરી છે તેવી કોઇ અનિયમિતતાઓ ઓડિટ અહેવાલમાં દર્શાવવામાં આવી નથી અથવા

અવલોકન અંગે પગલાં લીધાં હોવાનો અહેવાલ મળ્યો છે અને તે બરાબર છે.

નીચેની બાબતો આવરી લેતી જિલ્લાવાર નાણાકીય પરિસિથિતિ દર્શાવતું પત્રક :

  • ઊઘડતી સિલક (નહિ વટાવેલા ચેક અને એડજસ્ટ નહિ કરેલી પેશગીઓ સહિત) અને અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન મળેલ કેન્દ્રીય અને રાજ્ય હિસ્સો અને પરચૂરણ આવક;
  • જિલ્લામાંથી મળેલા ઉપયોગિતા પ્રમાણપત્ર/ઓડિટ અહેવાલ અનુસાર
  • માર્ગદર્શક સૂચનાઓની જોગવાઇ અનુસાર હિતાધિકારીઓને નાણાં તબદીલ કરવામાં આવયાં છેતેવું પ્રમાણપત્ર;
  • અગાઉના અને હાલના નાણાકીય વર્ષ માટેનો રાજ્યનો

હિસ્સો છૂટા કર્યાના મંજૂરી હુકમની નકલો.

  • નાણાં અનયત્ર વાળવામાં આવયાં નથી અને ઉચાપત
  • થઇ નથી તેવું પ્રમાણપત્ર.
  • ઈંદિરા આવાસ યોજનાનાં નાણાં રાષટ્રીયકૃત બેનકમાં અલગ બચત બેંક ખાતામાં રાખવામાં આવયાં છે તેવું
  • નિયત ફોર્મમાં બેનકની વિગત.
  • બીજો હપતો છૂટો કરવા માટેની ચકાસણી યાદી અને બીજા હપતા માટેની દરખાસ્ત રજૂ કરવા માટેનું ફોર્મ અનુક્રમે જોડાણ ૧ અને રમાં છે. ઉપયોગિતા પ્રમાણપત્રનું મોડલ ફોર્મ જોડાણ 3માં આપવું છે.
  • રાજ્ય ભારત સરકારને મોકલવાની દરખાસ્ત પર સહી કરવા સિનિયર અધિકારી (ખાતાના વડા) (અધિકૃત સહી કરનાર)ને નિયુકત કરવા. આવાસસોફટમાં ડેટા એનટ્રીની પ્રગતિ પર નિયંત્રણ રાખવા રાજ્ય બીજા અધિકારીને (નોડલ અધિકારી)ને નિયુકત કરવા; દરખાસ્ત
  • માહિતી સાથે સુસંગત છે તેની ખાતરી કરવી.
  • રાજ્યનો હિસ્સો છૂટો કરવો.
  • રાજ્ય સરકારે કેન્દ્રીય સહાયને અનુરૂપ સંપૂર્ણ રાજ્ય હિસ્સો છૂટો કરવો અને કેન્દ્રીય હિસ્સો છૂટો કર્યાના ૧૫ દિવસની અંદર તેને જિલ્લાઓમાં ફાળવવો. ૪ ટકા વહીવટી ખર્ચનો રાજ્યનો હિસ્સો પણ સાથોસાથ છૂટો કરવો.

ફાળવણી હુકમની નકલ મંત્રાલયને મોકલવી.

  • અગાઉના નાણાકીય વર્ષને લગતા રાજ્યના હિસ્સામાં ઘટાડો હોય, તો કેન્દ્રીય હિસ્સાના બીજા હપતાથી અસમાન (unmatched) કેન્દ્રીય રકમ છૂટી કરવાના પ્રમાણ સુધી (બિન-એનઇ રાજ્યો બાબતમાં ઘટાડાના ત્રણ ગણા અને એનઇ રાજ્યો બાબતમાં ઘટાડાના ૯ ગણા) પ્રમાણસર કપાત કરવામાં આવશે.
  • પુનઃફાળવણી
  • નાણાકીય વર્ષના ડિસેંબરના અંત પછી બીજા હપતા માટેની કોઇ દરખાસ્ત સ્વીકારવામાં નહિ આવે. તેમ છતાં, રાજ્યોને નવા આવર્તન (સાઇકલ) સાથે સમાયોજન સાધવા, ર૦૧૩-૧૪થી ત્રણ વર્ષનો છૂટનો સમય આપવામાં આવશે. તે સમય દરમિયાન દરખાસતો જાન્યુઆરીના અંત સુધી મોકલવામાં આવશે. બીજા હપતાની દરખાસ્ત આ તારીખ સુધીમાં નહિ મળે, તો કસૂરદાર રાજ્યો માટે અંકિત કરેલી બાકીની ફાળવણી તેમજ પ ટકા અનામત ફંડમાંથી ઉપલભય કોઇ બચત, નિર્ણાયક પરિબળ તરીકે બીજા ખર્ચના પ્રમાણના આધારે ફેબ્રુઆરી મહિનામાં બીજાં રાજ્યોમાં પ્રમાણસર પુનઃફાળવણી કરવામાં આવશે.

જાન્યુઆરી સુધીમાં ઉપલભય ફંડના 90 ટકાનો ઉપયોગ કર્યા પછી વધારાની રકમ છૂટી કરવા માટે વિશિષટ દરખાસ્ત મોકલતી રાજ્ય સરકારોને પુનઃફાળવણી કરવામાં આવશે. પાંચ ટકાનું અનામત સંપૂર્ણ સ્વીકૃત (committed) હોય અને ખાસ પ્રોજેકટ માટે વધારે યોગય દરખાસ્ત હોય, તો તેમને અગ્રતા આપવામાં આવશે.

ઉચચાધિકાર સમિતિની મંજૂરીથી પુનઃફાળવણી કરી શકાશે.

ઈંદિરા આવાસ યોજનાના ખાતાની વ્યવસ્થા .

જિલ્લા કક્ષાએ ઈંદિરા આવાસ યોજનાનાં નાણાં (કેન્દ્રીય હિસ્સો તેમજ રાજ્ય હિસ્સો) જિલ્લા પરિષદ/ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી/રાષટ્રીયકૃત બેનકના એકમાત્ર અને અલગબચત બેનકના ખાતામાં રાખવામાં આવશે. રાજ્ય સરકાર બેન્કની શાખા, ખાતા નંબરની વિગત મંત્રાલયને જણાવશે અને તે વિગતો આવાસસોફટ અને સી.પી.એસ.એમ.એસ.માં દાખલ પણ કરાશે.

ઈંદિરા આવાસ યોજનામાં ફંડની અનામત પર મળેલી વયાજની રકમ ઈંદિર આવાસ યોજનાનાં સંસાધનોના ભાગ (કેન્દ્રીય અને રાજ્ય હિસ્સા તરીકે ૭૫:રપના ગુણોત્તરમાં) તરીકે ગણવામાં આવશે.

જિલ્લાઓ ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિયત કરેલી હિસાબ કાર્યપદ્ધતિને અનુસરશે. અગાઉના વર્ષના જિલ્લા કક્ષાના આખરીરૂપ અપાયેલા હિસાબ ૩૦મી જૂનના રોજ અથવા તે અગાઉ જિલ્લા પરિષદની મંજૂરી મેળવશે અને તે જ વર્ષની ૩૧મી ઓગસ્ટ અગાઉ ઓડિટ કરાવશે. જિલ્લા પરિષદ/જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી પ્રાપત કરેલુ વયાજ અલગ દર્શાવશે.

(૪) ફકત ઈંદિર આવાસ યોજના હેઠળ ખર્ચ કરવા માટેખાતામાંથી નાણાં ઉપાડવામાં આવશે.

(પ) કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ આવાં બધાંખાતાનું ઓડિટ કરી શકશે.

હિતાધિકારીઓને ચુકવણીઉચચાધિકાર સમિતિની રોકડમાં ચૂકવવાની પૂર્વપરવાનગી લીધી હોય તે સિવાયના કેસમાં હિતાધિકારીને તેના બેન્ક/પોસ્ટ ઓફિસ ખાતામાં ચુકવણી કરવામાં આવશે. ખાતાની વિગત અને આધાર નંબર હોય.

પશુ સ્વાસ્થય અને આરોગ્ય

1) પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું શું મહત્વ છે ?

જવાબ :

આપણે સહુ જાણીએ છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તેવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું મહત્વ છે, કારણ કે નિરોગી પશુ જ વધુ દૂધ આપી શકે, સારૂં કાર્ય કરી શકે તેમજ સારી ઓલાદ (તંદુરસ્ત બચ્ચા) આપી શકે. ખરૂં કહીએ તો પશુપાલનના વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના આરોગ્ય ઉપર જ રહેલો છે.

(2) આપણું પશુ તંદુરસ્ત છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ?

જવાબ :

  • તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છે
  • પશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે. રોગિષ્ટ પશુમાં ઉપર જણાવેલ બાબતો વિપરીત જોવા મળે છે.

(3) પશુઓમાં સામાન્ય રીતે કયા રોગો જોવા મળે છે ?

જવાબ :

પશુઓમાં સામાન્ય રીતે આઉનો સોજો, ખરવામોંવાસો, આફરો, સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી ગર્ભપાત, વેતરમાં ન આવવું, ચકરીનું દર્દ, વાંઝિયાપણું, માટી ખસી જવી વગેરે છે.

(4) આઉનો સોજો અથવા બાવલાના સોજાનો રોગ કેવી રીતે અટકાવી શકાય ?

જવાબ :

દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું. બાવલામાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તુરત તેનો ઉપચાર કરાવવો જોઈએ.

(5) પોટેશ્યમ પરમેંગેનેટ શું છે ? અને તેનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવવું ?

જવાબ :

પોટેશ્યમ પરમેંગેનેટ એક સસ્તુ અને સારૂં એંટીસેપ્ટિક, ડીસઈન્ફેકટન્ટ (ચેપ ન લાગે તેવી જંતુનાશક દવા) અને ડીઓડરન્ટ (ગંધ ન આવે/ગંધને દૂર કરે) દવા છે. જાંબુડીયા કણના સ્વરૂપમાં બજારમાં મળે છે. એક ડોલ પાણીમાં પાંચ કણ નાંખી બરાબર હલાવતાં આછા ગુલાબી રંગનું દ્રાવણ તૈયાર થશે જેને મંદ દ્રાવણ કહેવાય.

(6) ખરવામોંવાસાનો રોગ શેનાથી થાય છે અને કેવી રીતે ફેલાય છે ?

જવાબ :

ખરવામોંવાસાનો રોગ વિષાણુંથી થાય છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને જોતજોતામાં ઝડપથી આખા ગામના પશુઓમાં ફેલાય છે. રોગિષ્ટ પશુના મોઢામાંથી પડતી લાળમાં આ રોગના વિષાણુંઓ પુષ્કળ હોય છે. વૈજ્ઞાનિક રીતે એવું પુરવાર થયેલું છે કે ચેપી પશુના મોઢામાંથી લાળનું એક માત્ર ટીંપુ જો હવાડામાં કે કૂંડીમાં પડે તો તે બધું પાણી દૂષ્િાત થઈ જાય છે. આ દૂષિત પાણી જો તંદુરસ્ત પશુ પીવે તો તેને રોગ થાય છે. લાળથી દૂષિત ખોરાક ધ્વારા તથા સીધા સંપર્કથી તથા હવા ધ્વારા પણ રોગ ફેલાય છે.

(7) ખરવામોંવાસાનો રોગ થતો અટકાવવા શું કરવું જોઈએ ?

જવાબ :

  • આ રોગ થતો અટકાવવા માટે પશુને ખરવામોંવાસાની રસી નિયમિત મૂકાવવી જોઈએ.
  • તમારા નજીકના પશુ દવાખાને જઈ ડૉક્ટરની સલાહ મુજબ વર્ષમાં બે વખત નવેમ્બર માસમાં અને એપ્રિલ માસમાં રસીકરણ કરાવવું જોઈએ.

(8) ખરવામોંવાસાનો રોગ થયો હોય તેવા પશુને ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?

જવાબ :

એક ડોલ પાણીમાં મૂઠી ભરીને ખાવાનો સોડા નાંખી તેને ઓગાળીને આ દ્રાવણથી પશુની ખરી અને મોં દિવસમાં ચાર થી પાંચ વખત ધોવાનું રાખો, મોંઢામાં ચાંદા પડયા હોય તો મધ અને કાથાનો પાઉડર લગાવવો. વધુ તકલીફ જણાય તો પશુ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(9) ગળસૂંઢાનો રોગના લક્ષાણો શું છે ?

જવાબ :

ગળસૂંઢાનો રોગમાં પશુને તાવ આવે, આંખો લાલ થઈ જાય, ખાતુપીતું બંધ થઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી જણાય, શ્વાસ લેતી વખતે મોંઢું ખુલ્લું રહે અને ઘરર ઘરર અવાજ પણ આવે, ગળાના ભાગમાં સોજો ચઢી જાય, દૂધ ઉત્પાદન એકદમ ઘટી જાય અથવા બંધ થઈ જાય છે.

(10) ગળસૂંઢાનો રોગને અટકાવવા શું કરવું જોઈએ ?

જવાબ :

ગળસૂંઢાનો રોગને અટકાવવા ચોમાસા પહેલાં એટલે કે મે મહિનામાં અથવા જૂન માસનાં પહેલાં અઠવાડીયામાં રોગપ્રતિકારક રસી મૂકાવી દેવી જોઈએ.

(11) સામાન્ય અપચો શા કારણે થઈ શકે ?

જવાબ :

પશુના ખોરાકમાં અચાનક ફેરફાર થવાથી કે હલકા પ્રકારનું ઘાસ ખવડાવવામાં અથવા પચે નહીં તેવો ખોરાક આપવાથી સામાન્ય અપચાની તકલીફ થઈ શકે છે.

(12) સામાન્ય અપચો થાય તો ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?

જવાબ :

બજારમાં મળતાં હિમાલયન બતીસા નામના આયુર્વદિક પાઉડર પ૦ ગ્રામ લઈ તેમાં થોડો ગોળ અને લાડુ બને તેટલું ઘી કે તેલ નાંખી લાડુ બનાવી દેવો અને પશુને ખવડાવવો. આ પ્રકારે ત્રણ દિવસ દવા આપવાથી સુધારો થાય છે અથવા રપ૦ ગ્રામ જેટલો ગોળ તથા પ૦ ગ્રામ દળેલી સૂંઠ અને ઘી નાંખી લાડવો બનાવી ખવડાવવો. આવું ત્રણ દિવસ માટે કરવાથી ફાયદો જણાય છે.

(13) આફરો કયા પશુમાં વધુ થાય છે ? તેના લક્ષાણો શું છે ?

જવાબ :

વાગોળનારા પશુઓમાં (રૂમિનન્ટ) આફરો વધુ જોવા મળે છે. આ રોગમાં પેટમાં ગેસનો ભરાવો થતાં ડાબુ પડખું ફુલાઈ જાય છે. પશુ ડાબી તરફ વારંવાર જોયા કરે છે, ખાવાપીવાનું બંધ કરે અથવા અરૂચિ બતાવે, બેચેની રહે, વધુ તકલીફ થાય ત્યારે ઉઠ-બેસ કર્યા કરે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે અને આમ છતાં યોગ્ય નિદાન અને સમયસર સારવાર ન થાય તો પશુ મોતને ભેટે છે.

(14) આફરાના રોગમાં ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?

જવાબ :

ગાય-ભેંસ કે બળદમાં આફરો થાય ત્યારે પુખ્ત વયના પશુમાં પ૦૦ ગ્રામ ખાવાના તેલમાં રપ ગ્રામ હિંગ પાઉડર, પ૦ ગ્રામ સંચર પાવડર તથા પ૦ ગ્રામ અજમા પાઉડર મિશ્ર કરી પીવડાવવાથી રાહત થાય છે.

(15) આફરો થતો જ અટકાવવા શું કરવું ?

જવાબ :

કુણો લીલો રચકો વધુ પડતો ન ખાય તે ધ્યાન રાખવું. કઠોળ વર્ગનો કે ધાન્ય વર્ગનો લીલો ચારો વધ ન ખવડાવવો. ઘાસચારામાં લોખંડની કે પ્લાસ્ટિકની વસ્તુઓ કે ટૂકડા ન આવે તેનો ખ્યાલ રાખવો. ખીલી, તાર, સોય, ટૂકડા વગેરે પણ હાનિકારક છે. ચોમાસામાં ભેજવાળો લીલો ચારો વધુ ન આપવો.

(16) પરોપજીવીઓથી પશુને શું થાય ? કરમિયાની અસર શું છે ?

જવાબ :

નાના બચ્ચાંઓને શરીરની વૃધ્ધિ-વિકાસ અટકી જાય છે. દૂધાળા પશુઓમાં દૂધ ઘટી જાય છે. વેતરમાં એટલે કે ગરમીમાં બરાબર ન આવે, આવે તો બંધાય નહીં, શરીરનું વજન ઘટતુ જાય, ગમે તેટલું સારૂં ખવડાવો તો પણ શરીરનું વજન ન વધે વગેરે તકલીફ થાય છે. બળદ દૂબળો થઈ જાય અને ખેતરમાં કાર્યશકિત પર અસર પડે છે.

(17) કૃમિઓથી થતા રોગ અટકાવવા શું કરવું જોઈએ ?

જવાબ :

કૃમિનાશક દવાનો ડોઝ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ આપવો જોઈએ. નજીકના પશુ દવાખાને ડૉક્ટરને મળીને જે તે વિસ્તારમાં થતા કૃમિઓ આધારિત દવા આપવી જોઈએ. નાના બચ્ચાંઓને મહિને એક વખત કૃમિનાશક દવા આપવી.

(18) બાહય પરોપજીવીઓ કયા કયા છે ?

જવાબ :

ઈતરડી, જીંગોડા, કથીરી, બગાઈ, જૂ, ચાંચડ, ડાંસ, માખી વગેરે બાહય પરોપજીવીઓ તરીકે ઓળખાય છે.

(19) બાહય પરોપજીવીઓ કેવી રીતે નુકશાનકારક છે ?

જવાબ :

આ પરોપજીવીઓ શરીરમાંથી લોહી ચૂસે છે. પશુને ચેન લેવા દેતાં નથી. પશુ પરેશાન થઈ જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આવા પરોપજીવીઓ રોગ પણ ફેલાવે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

(20) બાહય પરોપજીવીઓના નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય ?

જવાબ :

પશુને બાંધવાની જગ્યા ચોખ્ખી રાખવાથી તેમજ છાણવાંસીદુ નિયમિત રીતે કરવાથી લોહી ચૂસતી માખો, ચાંચડ વગેરેની વૃધ્િધ અટકાવી શકાય છે. નિયમિત રીતે યોગ્ય કીટનાશક દવા દિવાલની તિરાડોમાં, કોઢના તળિયા ખાંચામાં તેમજ પશુના શરીર પર છાંટવી, પશુના રહેઠાણના ભોંયતળિયાની જમીનને લગભગ એક વેંત જેટલા ખોદી કાઢી તેના પર સૂકું ઘાસ પાથરીને સળગાવી દેવું. કોઢની દિવાલો અને તળિયા પાકા હોય તો ઈતરડીનો ઉપદ્રવ ઓછો થાય.

(21) પશુને ચામડીના રોગો થતાં અટકાવવા શું કરવું જોઈએ ?

જવાબ :

પશુને નિયમિત નવડાવવું જોઈએ. શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. લીમડાના પાના પાણીમાં નાંખી તે પાણી ગરમ કરી બાદમાં નવશેકું પાણી કરી તેનાથી નવડાવવું. કપડાં ધોવાના બ્રશથી ઘસીને નવડાવવું.

(22) ચેપી ગર્ભપાન (બ્રુસેલ્લોસીસ) રોગને થતો અટકાવવા માટેની કોઈ રસી મળે છે ?

જવાબ :

હા. આ રોગ થતો અટકાવવા માટે ૪ થી ૯ મહિનાની વાછરડી કે પાડીઓને બ્રુસેલ્લોસીસ રોગ થતો અટકાવવા માટેની રસી મૂકાવી દેવી જોઈએ. આ રસી જીવનમાં એક જ વખત મૂકાવવી પડે છે.

(23) જે પશુને હડકાયું કૂતરૂં કરડયું હોય તેને રસીના કેટલાં ઈન્જેકશનો અપાવવા પડે અને કયારે ?

જવાબ :

હડકાયું કૂતરૂં કરડયું હોય તો પશુને ૦, ૩, ૭, ૧૪, ૩૦ અને ૯૦ મા દિવસે એમ છ ઈન્જેકશન અપાવવાં પડે.

(24) આપણા ફાર્મમાં કે ઘરે પશુ રહેઠાણમાં મુલાકાતીઓ પર કયારે પ્રતિબંધ રાખવો જોઈએ ?

જવાબ :

જયારે આજુબાજુના વિસ્તારમાં પશુમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે, દાખલા તરીકે ખરબ-મોંવાસાનો રોગચાળો, કાળીયા તાવનો, ગળસૂંઢાનો રોગચાળો વગેરે. કારણ કે મુલાકાતીઓ આ રોગના જીવાણુંઓ કે વિષાણુંઓ તેમની સાથે ચપલમાં-બૂટમાં, કપડાંમાં, શરીર ધ્વારા લાવે અને આપણા ફાર્મમાં કે ઘરે છોડી શકે છે જેના ધ્વારા આપણા પશુઓને ચેપ લાગી શકે.

(25) રોગિષ્ટ પશુઓને નિરોગી પશુઓથી અલગ બાંધવાની જરૂર ખરી ?

જવાબ :

હા. રોગિષ્ટ પશુના ખોરાક, પાણી અને માવજતની અલગ વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેનો ચેપ બીજા તંદુરસ્ત પશુને ન ફેલાય. તેનો સંપર્ક રોગ ફેલાવી શકે છે.

(26) પશુને જખમ થયો હોય તો શું ઉપચાર કરી શકાય ?

જવાબ :

જખમને ચોખ્ખા પાણીથી ધોઈ ત્યાર બાદ પોટેશ્યમ પરમેંગેનેટના દ્રાવણના ઉપયોગથી સાફ કરવો. ત્યારબાદ ટીંકચર આયોડિન લગાવવું. ઘરગથ્થું ઉપચાર તરીકે લીમડાના પાન અને સીતાફળના પાન સરખે ભાગે લઈ તેની ચટણી /લુબ્દી બનાવી જખમ પર લગાવવું.

(27) દૂધાળા પશુઓના વિયાણ બાદ ઠંડી પડી જવાની બિમારી શેને લીધે થાય છે ? તેનો ઉપાય?

જવાબ :

આ બિમારી શરીરમાં કેલ્શિયમના અભાવથી થાય છે. ડર્ાકટરને બોલાવી સારવાર કરાવવાથી તુરંત પરિણામ મળે છે.

(28) પશુઓમાં ઝાડા થવાના કારણ શું ?

જવાબ :

ફેરફાર, જીવાણુંથી, વિષાણુંથી, ફૂગથી અને કરમિયાથી ઝાડા થાય છે.

(29) પશુઓમાં કોઈ વખત નસકોરી ફૂટે તો શું કરવું ?

જવાબ :

પશુના માથા પર ઠંડા પાણીનો છંટકાવ કરવો. બરફના ઠંડા પાણીની ધાર માથા પર કરવી.

(30) કેટલીક વખત પશુના ગળામાં ડૂચો બાઝી જાય છે તેનું કારણ શું ?

જવાબ :

પશુઓના ખાદ્ય પદાર્થોના કેટલીક વખત કેરી, કેરીના ગોટલા, સૂરણ, કોબીજ જેવી વસ્તુઓ આવી જાય ત્યારે અન્નનળીમાં ડૂચો બાઝી જાય છે જેને ચોક કહેવાય છે. આ પ્રકારના પદાર્થો ન ખાય તે જોવું.

(31) પશુને લૂ લાગે ત્યારે શું કરવું જોઈએ ?

જવાબ :

લૂ લાગે ત્યારે પશુને છાંયડામાં રાખવું તથા ઠંડા પાણીથી નવડાવો અથવા શરીર ઉપર બરફ ઘસવો અથવા ઠંડા પાણીમાં પલાળેલ કોથળો શરીર પર રાખવું. ઠંડું પાણી પીવડાવો. શકય હોય તો સાકર-વરિયાળીનું શરબત પીવડાવો.

(32) હડકાયું કૂતરૂં કરડે ત્યારે ઘરગથ્થું ઉપચાર શો કરવો ? પ્રાથમિક સારવાર શું કરી શકાય ?

જવાબ :

હડકાયું કૂતરૂં કરડે ત્યારે તુરંત ઘાને પુષ્કળ પાણીથી ધોઈ નાંખો અને ત્યારબાદ સાબુના પાણીથી ધોઈ નાંખો પછી ડૉક્ટર પાસે લઈ જઈ રસી મૂકાવવી.

(33) બળદમાં કાંધ આવવાના કારણ શું ?

જવાબ :

બળદની જોડીમાં બંને બળદોની ઊંચાઈ એકસરખી ન હોય, કાંધ ઉપર રાખવામાં આવતો ધૂસરીનો ભાગ બરાબર લીસો ન હોય અને રસ્તો એકદમ ખાડાટેકરાવાળો હોય તો કાંધ ઉપર સોજો આવી જાય છે. ગજા ઉપરાંત કામ લેવામાં આવે તો પણ કાંધ આવી જાય છે.

(34) પશુને પ્રદૂષણથી બચાવવા શું કરવું જોઈએ ?

જવાબ :

પશુપાલકે પશુને ફેકટરી, ઔદ્યોગિક કચરાવાળા સ્થળે, વધુ ધૂમાડા નીકળતા હોય તે વિસ્તારમાં, વટર અથવા ગંદા નાળાની આસપાસ તેમજ બજારમાં છૂટા ચરવા ન દેવા જોઈએ. તેને બદલે સારો ઘાસચારો ઘેર નીરણ કરો અવા જાણીતી જગ્યાએ પશુઓને ચરવા લઈ જવા જયાં દૂષિત ખોરાક ખાવામાં ન આવે. પ્લાસ્ટિકની કોથળીઓ ન ખાય તેનું ધ્યાન રાખો. આપણે પણ પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો નાંખવા જઈએ ત્યારે થેલીને ગાંઠો ન વાળવી જોઈએ અને કચરો જ નાંખવો થેલી જયાં ત્યાં ન નાંખવી જોઈએ.

(35) મૃતક પશુનો નિકાસ કેવી રીતે કરવો ?

જવાબ :

મૃતક પશુને તેના શરીરના કદ મુજબ યોગ્ય ખાડો ખોદીને દાટવું જેમાં આખું મીંઠુ અને ચૂનો નાંખવો. દાટયા પછી ઉપરના ભાગે ત્રણ ફૂટ માટીનો થર રહે તે જોવું જોઈએ.

(36) ફાર્મમાં નવું પશુ ખરીદીને લાવીએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ ?

જવાબ :

જયારે પણ નવું પશુ લાવો ત્યારે તે પશુને કોઈ રોગ છે કે કેમ તેની ખાતરી પશુ ડોક્ટરને બોલાવી કરાવવી જોઈએ. કેટલીક વખત નવા આવનાર પશુ તેમની સાથે ચેપી રોગ લઈને આવે છે. દા.ત. ડીય, ચેપી ગર્ભપાત વગેરે જ આપણી પાસે રહેલ અન્ય તંદુરસ્તી પશુને ચેપ લગાડી શકે છે.

(37) બકરીઓમાં સામાન્ય રીતે કયા રોગો જોવા મળે છે ?

જવાબ :

આઉનો સોજો, આંતર અને બાહય પરોપજીવીઓથી થતા રોગ, આફરો, એસિડીટી, કાળીયો તાવ, ખરીઓ સડી જવી, શરદી-સળેખમ, ન્યુમોનિયા, ઝાડા, ગાંઠીયો તાવ, મગજનો તાવ, મોઢાનો રોગ.

(38) પશુઓમાં કઠણ પોદળો આવે તેનું કારણ શું ?

જવાબ :

જો પૂરતું પીવાનું પાણી ન આપતા હોય, જરૂરી લીલો ચારો ખવડાવતાં ન હોય તથા પેટમાં-આંતરડામાં કરમિયા હોય (અમુક જાતના) તો પણ કઠણ પોદળો આવી શકે છે. જેને કબજીયાત કહેવાય છે.

(39) ગાય/ભેંસોમાં છુપા રોગો કયા હોય છે?

જવાબ :

ગાય/ભેંસોમાં મુખયપણે ટી.બી.(ક્ષય), જહોન્સનો રોગ તથા ચેપી ગર્ભપાત (બૃસેલ્લોસિસ) છુપા રોગ છે.  આ રોગો જલ્દીથી પકડી શકતા નથી અને ધણમાં તેનો ફેલાવો થતો જાય છે. આથી દર વર્ષે એકવાર – મે માહિનામાં આ રોગથી પીડાતા પશુઓને ઓળખી કાઢવા પરીક્ષણ કરાવવું તથા જે પોજીટિવ કેસ આવે એટલેકે બીમાર પશુ પકડાઈ જાય તો તેનો નિકાલ કરવો.

(40) રસીકરણ કરાવતી વેળા શું ધ્યાન રાખવું?

જવાબ :

  • રસીકરણ કરાવતી વેળા નીચેની બાબતોનું ધાયન રાખવું જરૂરી છે:
  • રસી ડોક્ટરની સલાહ મુજબ જ આપવી/અપાવવી.
  • સારી મુક્તા પહેલા સોય, ઈંજેકશનની સીરીંજ વગેરે ગરમ પાણીમાં ઉકાળી જંતુમુક્ત કરવા.
  • રસી મુકાયા બાદ વધેલી રસી કે તેની બોટલને જમીનમાં ખાડો ખોદી દાટી દેવા.
  • તમામ પશુઓને રસી મૂકવવી. ગભાણ પશુને વિયાણના બે મહિના બાકી હોય ત્યાર પછી રસી મૂકાવવી નહીં.

(41) ગાંઠીયો તાવ નામના રોગને કેવી રીતે ઓળખવો?

જવાબ :

આ રોગમાં પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ ચાલી ના શકે, થાપના ભાગે ખરાબ વાસવાળુ કાળુ પરવાહી ભરયેલું હોય. સોજાની જગ્યા ઉપર થાપકરવાની ચાર-ચાર અવાજ આવે. તીવ્ર રોગમાં સરવારના અભાવે ૨૪ કલાકમાં પશુનું મૃત્યુ થાય.

(42) વાછરડા પાડીયામાં કૃમિનાશક દવાઓ કયારે પીવડાવવી જોઈએ?

જવાબ :

વાછરડા પાડીયામાં જન્મના દસ દિવસે પહેલો ડોઝ તથા ત્યારબાદ દર મહિને કૃમિનાશક દવાનો એક ડોઝ જ્યાં સુધી દૂધ પીતા/ધાવતા હોય ત્યાં સુધી પીવડાવવો જોઈએ. ત્યારબાદ મોટા વાછરડા પાડીયાને ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ બે-વાર કૃમિનાશક દવાનો ડોઝ આપવા જોઈએ.

 

સ્વાતંત્ર્ય દિવસે, સંસદના મારા સાથીઓ વતી મેં આરોગ્ય, સ્વચ્છતા, હરિયાળી અને સમાજની અંદર સુ સંવાદિતાના હાર્દ તરીકે આદર્શ ગ્રામનું સ્વપ્ન રજૂ કર્યું હતું અને સંસદના મારા સાથીઓ વતી તે માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી. આ અંગેની માર્ગદર્શિકા તે સિદ્ધાંતો પર આધારિત છે. માર્ગદર્શિકામાં દરેક સંસદ સભ્ય માટે તેમના મતદારમંડળના એક ગામને ૨૦૧૬ સુધીમાં આદર્શ ગામ બનાવવાનો અને ૨૦૧૯ સુધીમાં વધુ બે ગામને આદર્શ ગામ બનાવવા સાંસદ આદર્શ ગ્રામ યોજનાની રૂપરેખામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

મહાત્મા ગાંધીની વિચારસરણીએ મને અનહદ પ્રેરણા આપી છે. તેમનામાં દીર્ધ દ્રષ્ટિ હતી કે ગામડાંમાં પ્રકાશ લાવવા ફકત વીજળીના થાંભલાની જરૂર નથી, પણ મૂલ્યો સામુદાયિક ભાવના અને સારા શિક્ષણને પ્રોત્સાહન આપવાથી સાચો પ્રકાશ મળશે. હું પણ માનું છું કે રાષ્ટ્રીય ગૌરવ દેશભક્તિ, એકતા અને આત્મવિશ્વાસનું મહત્વ માળખાકીય સુવિધાઓ વિકસાવવા જેટલું જ છે બીજા શબ્દોમાં, મૂલ્યમાં ફેરફાર કરીને મૂલ્યની શૃંખલા વિકસાવોમ્ લ્યની શૃંખલા વ્યવસ્થાપનનો શબ્દ પ્રોગ છે અને તે વેપાર માટે જરૂરી દરેક સોપાનનું મહત્તમ મૂલ્ય અને કાર્યક્ષમતા પ્રાપ્ત થાય તેમ દર્શાવે છે

અન્ય યોજનાઓની જેમ સાંસદ આદર્શ ગ્રામ યોજનાના લાભાર્થીઓને પ્રાપ્તકર્તા તરીકે અને સરકારને કર્તા તરીકે જોતી નથી. યોજનાનો હેતુ ગ્રામજનોને તેઓની પસંદગી નક્કી કરવા સશક્ત બનાવવાનો છે અને તેઓની પસંદગીઓના અમલ માટે તક પૂરી પાડવાનો છે મને વિશ્વાસ છે કે આ યોજના દિશા બતાવશે અને આપણા નિખાલસ ગ્રામજનો સખત પરિશ્રમ કરીને ઉદ્યોગસાહસિકતાનું કૌશલ અજમાવીને તેમનો પોતાનો માર્ગ કંડારશે.

હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મારા રાજ્યના પું સરી ગામના વિકાસને સહાય કરવાની મને તક મળી હતી. પુંસરી દેશના નં.-૧ ગામ તરીકે વારંવાર ઉલ્લેખ થાય છે. મને જણાવતાં આનંદ થાય છે કે તેલંગણમાં ગંગાદેવીપલ્લી અને મહારાષ્ટ્રમાં હિવરે બજાર ગામ ઉત્તમ કામ કરી રહ્યાં છે મને આશા છે કે ગ્રામ વિકાસની યોજનાઓના અમલકર્તાઓ આ ગામની મુલાકાત લઈ અવલોકન કરશે અને તેમાંથી શીખશે. મને ખાતરી છે કે હવે પછી થોડાંક વર્ષોમાં આપણી પાસે આદર્શગામોની સંખ્યાબંધ નવીન શોધો અને આદર્શ સફળતાની વાતો ઉપલબ્ધ થશે.

 

અમે સામુદાયિક ભાગીદારી એટલે કે જન ભાગીદારીના મુદ્દા પર વિશેષ ભાર મૂકયો છે આ યોજનાના લોગોની પસંદગી માટે ઓન લાઈન સ્પર્ધા કરીને યોજનાની મંગળ શરૂઆત કરી હતી. યોજનાના ભાગ તરીકે ગ્રામજનો તેમની પોતાની વિકાસ યોજનાઓ, પ્રવૃત્તિઓ તૈયાર કરશે અને તે સિધ્ધ કરવા માટે લક્ષ્યાંક નક્કી કરશે.

મને ખૂબ આનંદ છે કે બાળકના શિક્ષણને સહાયરૂપ કામગીરીઓ ઉદાહરણ તરીકે સ્માર્ટ શાળાઓ ઈ-ગ્રંથાલય, હરિયાળી શાળાઓ તૈયાર કરવાની પહેલ આ યોજના હેઠળ કરવા માંગીએ છીએ. આપણી યુવાન પેઢીમાં મહિલાઓ શહીદો અને વડીલો પ્રત્યે સમાન, સારું સ્વાસ્થય પર્યાવરણ,સારા વાંચનની ટેવ વગેરે જેવાં મૂલ્યો સ્થાપિત થાય અને તે મૂલ્યોનું દ્રઢિકરણથાય એ મહત્વનું છે

મને શ્રધ્ધા છે કે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા ગ્રામીણ ભારતનું સ્વપ્નન મૂર્તિમંત કરશે. માર્ગદર્શિકાનું વિમોચન કરતાં હું ખુશીની લાગણી અનુભવું છું

૧૧મી ઓકટોબર, ૨૦૧૪ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી

 

લોકનાયક જયપ્રકાશ નારાયણજીના જન્મ દિવસ ૧૧મી ઓકટોબરે અમે ગાંધીજીનાં પગલાંને અનુસરી સાંસદ આદર્શ ગ્રામ યોજના દ્વારા ગ્રામ સ્વરાજની વિભાવના સાકાર કરવા માંગીએ છીએ શ્રી અટલબિહારી વાજપાયીજીના દ્રષ્ટિવત માર્ગદર્શન હેઠળ એન.ડી.એ.ના કાર્યકાળ દરમ્યાન માર્ગો બાંધીને અને તેને શહેરનાં ધોરણોની સુવિધાઓ પૂરી પાડીને ભારતના ગામડાઓને આંગણે આર્થિક તકો ઊભી કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વિભાવના સાથે ગાઢ રીતે સંકળાયો હતો. તે યોજનાને લીધે ગ્રામીણ વિસ્તારોમાં વધારે સારા માર્ગો બન્યા છે અને ઉપયોગી માર્ગ જોડાણો ઉપલબ્ધ થયા છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મજબૂત નેતાગીરી હેઠળ આ યોજનાની કામગીરી સ્વીકારીને અમે સાંસદ આદર્શ ગ્રામ યોજના મારફતે આપણાં ગામડાંના બારણે વિકાસ લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરીએ છીએ.

સાંસદ આદર્શ ગ્રામ યોજના, લોકોને પોતાનું ભાવિ ઘડવાની પસંદગીની સ્વતંત્રતા આપવા અને ભૌતિક સુવિધાઓ આપીને ગ્રામીણ ભારતના આત્માને ધબકતો રાખશે. આ યોજના અદ્વિતીય છે અને વિકાસ પ્રત્યે તેનો સમગ્રતયા અભિગમ હોવાથી તે ગ્રામજનોનું જીવનધોરણ ઉચુ લાવવા સક્ષમ છે કૃષિ અને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ, આજીવિકા વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં ગામનો સંકલિત વિકાસ કરવા માટેના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભૌતિક માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત લોકોનું જીવનધોરણ સુધારવાની સામાજિક મૂડી સમૃદ્ધ બનાવવાની અને સમૂહ ભાવનાની બાબતો સામેલ કરવામાં આવી છે. યોજનાના વિવિધ પાસાઓ લાંબા ગાળાના હકારત્મક ફેરફારો લાવશે અને આ ફેરફારો ટકાઉ નીવડશે.

મજબૂત અને પારદર્શક ગ્રામ પંચાયતો અને સક્રિય ગ્રામસભા તથા સુશાસન મારફત સ્થાનિક લોકશાહી સંગીન બનાવવી તે આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ છે. મને શ્રધ્ધા છે કે યોજનાના ઉદ્દેશ પરિપૂર્ણ કરવા અસંખ્ય નવતર પધ્ધતિઓનો ઉદ્દભવ થશે. દાખલા તરીકે, ગુજરાતના પુંસરી ગામે ગ્રામ પંચાયતના પદાધિકારીઓની હાજરી માટે બાયોમેટ્રીક સાધન મૂકવામાં આવેલ છે તેનાથી કામ કરવામાં જવાબદારી અને વિવિધ કામો પૂરા કરવા કાર્યક્ષમતા આવી છે તે જ રીતે મહારાષ્ટ્રમાં હિવરે બજાર ગામને અનાવૃષ્ટિ અને પાણીની અછતથી મુક્ત કરવા વનોના રક્ષણ માટે ઘનિષ્ઠ જળ સંરક્ષણની કામગીરી માટે સહભાગી વન વ્યવસ્થા સમિતિ રચી છે.

સંસદ સભ્યો તેઓના મતવિસ્તારમાં આ પહેલનું નેતૃત્વ લેશે અને આ અંગેના પ્રયાસો માટે માર્ગદર્શન આપશે. તેઓ ગ્રામ સમુદાયને ફક્ત વિકાસના કામો માટે જ નહીં પરંતુ યોજનના ચોક્કસ મૂલ્યો માટે પ્રોત્સાહિત કરશે સંસદ સભ્યો આદર્શ ગામોનો વિકાસ એવી રીતે કરશે કે તે ગામો આસપાસના ગામો માટે શીખવા અને તેની પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે નિદર્શન ગામો બની રહેશે. આ યોજના માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે આયોજિત સંકલન અને સમન્વય (કન્વર્ઝન)ની જરૂર પડશે.

મારે એ દર્શાવવું જોઈએ કે આ માર્ગદર્શિકા સંસદ રાજ્ય સરકારો તથા ભારત સરકારમાંના મારા મિત્રો અને અન્ય હિતાધિકારીઓની સાથે થયેલ અનેક ચર્ચાઓનું પરિણામ છે

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સંસદ સભ્યોના અસરકારક નેતૃત્વ દ્વારા અને સામુદાયિક ભાગીદારીથી ચારિત્ર્ય નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ તથા માનવીય વિકાસ માટેની ભૌતિક સુવિધાઓનો સમાવેશ કરતું વિસ્તુ ત ગામ આયોજન તૈયાર કરી તેનું અમલીકરણ કરી યોજનાની સફળતા મેળવી શકાશે.

 

નીતિન ગડકરી (કેન્દ્રિય મંત્રી  ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ, પીવાનું પાણી અને સ્વચ્છતા, માર્ગ પરિવહન ધોરીમાર્ગ અને જળપરિવહન તા. ૧૧ મી ઓકટોબર, ૨૦૧૪)

ΑΑΒΥ આમ આદમી બીમા યોજના છે :રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ

ΑΤΜΑ કૃષિ પ્રોદ્યોગિકી વ્યવસ્થા એજન્સી-રાષ્ટ્રીય સંસ્થા

BNV ભારત નિર્માણ સ્વયંસેવક NLM રાષ્ટ્રીય અક્ષરજ્ઞાન મિશન

BPL ગરીબી રેખા નીચે NRDWP :પીવાના પાણીનો રાષ્ટ્રીય ગ્રામીણ કાર્યક્રમ

BRGF પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ NRLM રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

CΑΜΡΑ વળતરરૂપ વનનિર્માણ ફંડ વ્યવસ્થા અને PDS જાહેર વિતરણ પધ્ધતિ આયોજન સત્તામંડળ FMGSY :પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

CSC સહિયારુ સેવા કેન્દ્ર FMIDY :પ્રધાનમંત્રી જન-ધન યોજના

CSR કોર્પોરેટર સામાજિક જવાબદારી ΡΤΑ માતા/પિતા શિક્ષક એસોસીએશન

FRA અનુસૂચિત આદિજાતિ અને PWD અશકતતા ધરાવતી વ્યક્તિઓ અન્ય પરંપરાગત વનવાસી RGGV) :રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (વન હકની માન્યતા) અધિનિયમ RGFSA :રાજીવ ગાંધી પંચાયત સશક્તીકરણ

અભિયાન

GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ RKVY રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના

GP ગ્રામ પંચાયત RMSA રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

ΙΑΥ ઈંદિરા આવાસ યોજના RSBY રાષ્ટ્રીય સ્વાસ્થય બીમા યોજના

ICDS એકત્રિત બાળ વિકાસ સેવા યોજના RSETI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા

IIT ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા SAGY સાંસદ આદર્શ ગ્રામ યોજના

IMR બાળ મરણનો દર SAU સામાજિક ઓડિટ એકમ

IWMP એકત્રિત જળસ્ત્રાવ વ્યવસ્થા કાર્યક્રમ SHG સ્વસહાય જૂથ

MGNREGA :મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ S[RD રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થા

MGNREGS :રોજગાર ગેરંટી અધિનિયમ / યોજના SRI ચોખા સઘનતા પધ્ધતિ

MKSP મહિલા કિસાન સશક્તીકરણ પરિયોજના SSA સર્વ શિક્ષા અભિયાન

ΜΜR પ્રસૂતિ મૃત્યુ દ UIDAI ભારતની અદ્વિતીય ઓળખ સંસ્થા

MNRE નવી અને પુનઃપ્રાપ્ય તેવી ઉર્જાનું મંત્રાલય :VDF ગામ વિકાસ યોજના

ΜΡ સંસદ સભ્ય

MPLADS :સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના

MSME લધુ નાના અને મધ્યમ સાહસ

NABARD :રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક

NDDB :રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ

NFSA :રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા અધિનિયમ

ΝΗΜ : રાષ્ટ્રીય આરોગ્ય મિશન

મહાત્માગાંધીની દ્રષ્ટિ એ આદર્શ ગામ

મહાત્માગાંધીની ગ્રામીણ વિકાસની વિભાવનામાં આદર્શ ગામોનું નિર્માણ કેન્દ્ર સ્થાને છે. જેના થકી "સ્વરાજ" ને "સુ રાજ માં પરવર્તિત કરી શકાય આસપાસ ફર્યા કરે છે.

આદર્શ ગામ તેમની દ્રષ્ટિએ તેમના પોતાના શબ્દોમાં

આદર્શ ભારતીય ગામનું નિર્માણ એવી રીતે કરવામાં આવશે જેમાં ગામની પાંચ માઈલની ત્રિજયાની અંદર મળતી સામગ્રીમાંથી બનાવેલી, પૂરતી હવા ઉજાસવાળી કુટિર હોય. ગામડાની ગલી અને શેરીઓમાં તમામ નિવાંય કચરો નહિ હોય. તેમાં જરૂરિયાત મુજબ કૂવા રહેશે તેનો બધા ઉપયોગ કરી શકશે. તેમાં બધા માટે પૂજાગૃહ હશે મળવાનું સમાન સ્થળ, ગામનું સહિયારું પશુ ચરાવવાનું સ્થળ, સહકારી ડેરી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રહેશે. તેમાં મુખ્યત્વે ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવશે, તકરારોનો નિવેડો લાવવા પંચાયત રહેશે. તેઓ તેમના અનાજ, વનસ્પતિ અને ફળ ઉગાડશે. તેની પોતાની ખાદી હશે. આ સામાન્ય રીતે આદર્શ ગામ અંગે મારા વિચાર છે. (હરિજન ૯-૧-૧૯૩૭, ગ્રંથ-૬૪, પાનું ૨૧૭-૧૮)

 

તે ગામને સુધારેલું ગામ ગણવામાં આવશે જેમાં શકય તેટલા વધુ ગ્રામોદ્યોગ સમૃદ્ધ હોય,

તેમાં કોઈ નિરક્ષર નહિ હોય, રસ્તાઓ સ્વચ્છહોય, ત્યાં જાજરૂ નિશ્ચિત સ્થળે હોય. કૂવા સ્વચ્છ

હોય, જુદી જુદી કોમ વચ્ચે સુસંવાદિતા હોય,અસ્પૃશ્યતા સમૂળગીનહિ હોય. દરેકને ગાયનું

દૂધ, ઘી વગેરે માફકસર જથ્થામાં મળતા હોય,બધાને કામ મળતું હોય, તકરાર અને ચોરી ન

હોય. (મુન્નાલાલ શાહને પત્ર ૧-૪-૧૯૯૧, ગ્રંથ ૭૩, પાનું ૪૨૧)

 

દરેક દેશપ્રેમીનું કામ ભારતનાં ગામની પુનર્રચના કેવી રીતે કરવી તે છે જેથી કોઈને પણ તેમાં રહેવાનું શહેરો જેવું સરળ બને (હરિજન ૭-૩-૧૯૩૮)

 

“ગ્રામ સ્વરાજ અંગે મારો વિચાર એ છે કે તે સંપૂર્ણપણે પ્રજાસત્તાક હોય, તેની પોતાની મુખ્ય જરૂરિયાતો માટે પડોશીઓથી સ્વતંત્ર હોય, જેમાં અવલંબન જરૂરી હોય તેવી ઘણી બાબતોમાં પરસ્પર અવલંબન દરેક ગ્રામજનની પ્રથમ ચિંતા તેમના ખોરાક માટે અનાજ અને કપડાં માટે કપાસ ઉગાડવાની છે. ગામના પશુઓ માટે ચારિયાણની જમીન, ગ્રામજનો માટે મનોરંજન અને રમતના મેદાન માટે અનામત જગ્યા હોવી જોઈએ. ત્યાર પછી જો વધારે જમીન હોય તો રોકડીયા પાક ઉગાડશે પરંતુ ગાંજા, તમાકુ, અફીણ વિગેરે સિવાયના પાકનું વાવેતર કરશે. ગામમાં ગામ થિયેટર, શાળા અને જાહેર હોલ હશે. સ્વચ્છ પાણી આપી શકાય તે માટે પોતાનું વારિગૃહ હશે. આ કામગીરી માટે કૂવા અને તળાવોનો ઉપયોગ થઈ શકે. આખરી મૂળભૂત અભ્યાસક્રમ સુધી શિક્ષણ ફરજિયાત હશે. શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી ધોરણે કરવામાં આવશે. જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા જે આજે જોવા મળે છે, તે જોવા ન મળે. (હરિજન, ૨૬-૭-૧૯૪૨, ગ્રંથ-૭૬, પાનું ૩૦૮-૩૦૯)

 

 

લક્ષ્ય

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું લક્ષ્ય મહાત્માગાંધીની આદર્શ ગામ માટેની સર્વગ્રાહી અને દીર્ધ દ્રષ્ટિને પરિણામલક્ષી બનાવવાની છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું મૂલ્ય

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું ધ્યેય માત્ર માળખાકીય વિકાસનો નહીં પણ ગામમાં અને ગામ લોકોમાં કેટલાંક મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે, જેથી તેઓ બીજા માટે નમૂનારૂપ બને યોજનાના મૂલ્યો નીચે મુજબછે.

1, લોકોની ભાગીદારી અપનાવવી. ગ્રામ જીવનને સ્પર્શતી તમામ બાબતો અને વિશેષ કરીને શાસનને લગતા નિર્ણય લેવામાં તમામ ઘટકોને સામેલ કરવા.

2. અંત્યોદયને અનુસરીને ગામની તદ્દન ગરીબ અને તદ્દન નબળી વ્યક્તિને સુખાકારી માટે સક્ષમ બનાવવા.

3. જાતિ સમાનતા અને મહિલાઓ માટે સમાન નિશ્ચિત કરવું.

4. સામાજિક ન્યાયની બાંહેધરી આપવી.

5. શ્રમનો આદર, સામુહિક સેવાની ભાવના અને સ્વૈચ્છિક કામ કરવાની ભાવના જેવા ગુણો પ્રસ્થાપિત કરવાં.

6. સ્વચ્છતાના સંસ્કારને ઉત્તેજન આપવું

7. કુદરતના સાંનિધ્યમાં રહેવું વિકાસ અને ઇકોલોજી વચ્ચે સમતુલા જાળવવી

8. સ્થાનિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું

9. પરસ્પર સહાય, સ્વ-સહાય અને આત્મનિર્ભરતા મનમાં ઠસાવવા. 10. ગ્રામસમુ દાયમાં શાંતિ અને સંવાદિતા જાળવવી. 11. જાહેર જીવનમાં પારદર્શકતા, જવાબદારી અને પ્રામાણિકતા લાવવાં. 12. સ્થાનિક સ્વશાસનને કેળવવું. 13. ભારતનાં સંવિધાનમાં મૂળભૂત હક અનેમૂળભૂત ફરજોમાં જણાવેલાં મૂલ્યોને વળગી રહેવું

 

ઉદ્દેશ

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મુખ્ય હેતુ ઓ નીચે મુજબછે.

પસંદ કરેલી ગ્રામ પંચાયતોના સમગ્ર વિકાસ માટેની પ્રક્રિયાઓ હાથ ધરવી. 2. ગામના વિવિધ સમુદાયોનું જીવન-ધોરણ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા નીચે જણાવ્યા મુજબની કામગીરીઓ કરવામાં આવશે

(ક) પાયાની સુવિધાઓ સુધારીને

(ખ) ઊંચી ઉત્પાદકતા લાવીને,

(ગ) માનવ વિકાસ વધારીને, (ઘ) આજીવિકા માટે વધુ સારી તક પૂરી પાડીને (ચ) અસમાનતા ઘટાડીને

(છ) હક અને હક્કદારી ઉપલબ્ધ કરાવીને (જ) સામાજિક ગતિશીલતાનો (સોશીયલ મોબીલાઈઝેશન) વ્યાપ વધારીને (ઝ) સામાજિક મૂડી સમૃદ્ધ બનાવીને

સ્થાનિક વિકાસ અને સ્થાનિક શાસનના ઉત્તમ મોડલ તૈયાર કરવા જેથી આસપાસની ગ્રામ પંચાયતોને તે મુજબ કામગીરી કરવા પ્રેરણા મળે.

બીજી ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે પસંદ કરેલા ગામો શાળા તરીકેની ભૂમિકા પૂરી પાડે તે રીતે ગામોનું જતન કરવું

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો હેતુ ગામો અને તેના લોકોમાં ચોક્કસ મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે જેથી તેઓ બીજા ગામો માટે મોર્ડલ બને

ભૂતકાળમાંથી બોધ

કેટલીક ગ્રામ પંચાયતોએ મુખ્યત્વે પ્રોત્સાહક નેતૃત્વ અને સામૂહિક પગલાને કારણે સંકલિત સ્થાનિક વિકાસમાં અપવાદરૂપ સિદ્ધિ દર્શાવી છે. આવી ઉત્તમ પ્રથાઓમાંથી શીખતી વખતે તે ધ્યાને રાખવું જોઈએ કે આ અંગે ઘણા પડકારો છે જે આપણને ભૂતકાળના અનુભવમાંથી જાણવા મળ્યા છે. સામાન્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે

  1. લાંબા સમયના વિકાસની દૃષ્ટિ વિકસાવવાની અશક્તિ.
  2. વિકાસ માટે પૂરા પાડેલા સંસાધનો અને લોકોની ખરેખર જરૂરીયાત વચ્ચે અસમાનતા
  3. સમાજના બધા જ ઘટકોની ભાગીદારીનો અભાવ ખાસ કરીને નબળા વર્ગના લોકો અને વડીલો/ વૃધ્ધોની ભાગીદારીનો અભાવ
  4. સામાજિક પાસાઓ અને ટકાઉ પરીણામને અવગણીને માળખાકીય વિકાસ અને ખર્ચ પ્રત્યે ધ્યાન આપવું.
  5. સરકારી સહાય પર મુખ્યત્વે આધારિત રહેવું અનેસમુદાયના ફાળા અને સ્વસહાય પર ભાર ના મૂકવો;
  6. જુદી જુદી યોજનાઓના સમન્વય (કન્વર્ઝન) નો અભાવ.
  7. સ્થળ અને કુટુંબોને લાભોની ફાળવણી અંગે અનુચિત નિર્ણયોને કારણે સંઘ ભાવનાનો અભાવ
  8. રાજકીય પક્ષાપક્ષી – અવલોકન અને વાસ્તવિકતા.
  9. સમુદાયના જુદા જુદા ઘટકોના સામાજિક - સાંસ્કૃતિક મૂલ્યોની અવગણના ;

10. સત્તાનાં અનેક માળખાનું અસ્તિત્વ અને તેના સંકલન માટેની યોગ્ય પધ્ધતિનો અભાવ.

11. તાત્કાલિક લાભ અને પર્યાવરણીય બાબતોની અવજ્ઞા.

12. મદ્યપાન, દહેજ, જ્ઞાતિવાદ, કોમવાદ અને સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ જેવાં દૂષણો.

અભિગમ

સાંસદ આદર્શ ગ્રામ યોજના નીચેના હેતુઓ સિધ્ધ કરવા નીચે જણાવ્યા મુજબનો અભિગમ ધ્યાને લેવાનો રહેશે.

  1. નમૂનારૂપ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં પ્રેરક નેતૃ તૃત્વ ક્ષમતા, શક્તિ, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.
  2. સ્થાનિક વિકાસ માટે સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરી તેમાં ગતિશીલતા લાવવી
  3. લોકોની અપેક્ષાઓ અને સ્થાનિક સામથર્યને અનુરૂપ સર્વગ્રાહી વિકાસ સિધ્ધ કરવા સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી તથા સ્વચ્છિક પહેલનો સમન્વય કરવો.
  4. સ્વચ્છિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારીનું નિર્માણ કરવું ;
  5. પરિણામ અને ટકાઉપણા પર લક્ષ્ય કેન્દ્રિત કરવું.
  6. આદર્શ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં નેતૃત્વ ક્ષમતા, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.

આદર્શ ગામની પ્રવૃત્તિઓ

આદર્શ ગામનો વિકાસ લોકોની દૃષ્ટિ, ક્ષમતા અને ઉપલબ્ધ સંસાધનોનો ઉત્તમ રીતે

ઉપયોગ કરીને તથા સંસદ સભ્ય, ગ્રામ પંચાયત, નાગરિક મંડળ અને સરકારી તંત્રના સહયોગથી થવો જોઈએ. સ્વાભાવિક રીતે આદર્શ ગામનાં તત્વો વિશિષ્ટ રહેવાનાં તેમ છતાં મહત્વની પ્રવૃત્તિઓ પસંદ કરવાનું શકય બનેલ છે. જેમાં મુખ્યત્વે નીચે જણાવેલ પ્રવૃત્તિઓનોસમાવેશ થાય છે.

વ્યક્તિગત વિકાસ

  • આરોગ્ય વિષયક
  • વર્તણૂંક અને રીતો ઠસાવીને. દરરોજ કસરત અને રમતગમત સહિતની નીરોગી ટેવો પાડીને.
  • જોખમી વર્તણૂંક ઘટાડીને – મદ્યપાન, ધૂમ્રપાન પદાર્થોનો દુરૂપયોગ ન કરીને.

માનવ વિકાસ

  • આરોગ્ય કાર્ડ, તબીબી પરીક્ષણ સહિતની પાયાની આરોગ્ય સગવડો ઉપલબ્ધ કરાવવી.
  • સમ્પૂર્ણ રોગ પ્રતિકારકતા
  • જાતિ ગુણોત્તર સમતોલ રાખવું
  • ૧૦૦ ટકા પ્રસૂતિ સંસ્થા થકી
    • તમામ માટે, ખાસ કરીને બાળકો, કિશોરી, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણ સ્થિતિ સુધારવી અશક્તતા ધરાવતી વ્યક્તિઓ, ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓની જરૂરીયાતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને.
    • ધોરણ ૧૦ સુધી સાર્વત્રિક શૈક્ષણિક સગવડો અને તેની જાળવણી. શાળાઓનું સ્માર્ટ શાળાઓમાં રૂપાંતર સ્માર્ટ શાળાઓમાં માહિતી પ્રૌદ્યોગિકીવાળા વર્ગ-ખંડ, ઈગ્રંથાલય, વેબ આધારિત શિક્ષણ રહેશે અને ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે બધા વિદ્યાર્થીઓને કોમ્પયુટર અને ટેકનોલોજીના ઉપયોગ માટે સક્ષમ બનાવીને પ્રૌઢ શિક્ષણ
    • ઈ- શિક્ષણ
    • ઈ-ગ્રંથાલય સહિત ગ્રામ ગ્રંથાલય
    • ગ. સામાજિક વિકાસ
    • 1. 2. 3.
    • ભારત નિર્માણ સ્વયંસેવકોની જેમ સ્વયંસેવકના પ્રોત્સાહન માટેની પ્રવૃત્તિઓ સ્થાનિક વિકાસમાં સંપૂર્ણજનભાગીદારી લેવા અને તેમાં ફાળો આપવા માટે ક્ષમતા નિર્માણ કરવું. ગામનાં વડીલો, વિશેષ કરીને સ્થાનિક કક્ષાએ ઉમદા કામગીરી કરતી સ્ત્રીઓ, સ્વાતંત્ર્ય સૈનિકો અને શહીદોનાં માનમાં પ્રવૃત્તિઓ
    • હિંસા અને ગુના રહિત ગામ માટે નીચેની પ્રવૃત્તિઓ
      • નાગરિક સમિતિઓ રચવી.
      • ખાસ યુવાનોમાં સંવેદનશીલતા ઊભી કરીને.
      • ગામડાની રમતગમતો અને લોક કલાના ઉત્સવ. લોકોમાં આત્મ-સમાન લાવવા ગ્રામ સંગીતનો ઉપયોગ.
      • ‘ગ્રામ’ દિન ઊજવવો. સામાજિક રીતે વંચિત રહેલા જૂથો,ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકોની આ યોજનામાં ભાગીદારી સુનિશ્ચિત કરવા સક્રિય પગલાં લઈને

આર્થિક વિકાસ

  1. વિવિધ કૃષિવિષયક અને આજીવિકા માટેની પશુધન અને બાગાયત સહિતની પ્રવૃત્તિઓ માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
  • સેન્દ્રિય કૃષિ
  • આરોગ્ય કાર્ડ
  • ઘનિષ્ટ પાક ઉછેર
  • બીજ બેન્ક સ્થાપવી.
  • બિન-ઇમારતી વન્ય પેદાશોનું એકત્રિકરણ અને તેનું મૂલ્ય વર્ધન, ગોબર બેન્ક, પશુધનનો વિકાસ પશુ હોસ્ટેલ સહિત.
  • લઘુ સિંચાઇ,
  • કૃષિ સેવા કેન્દ્રો

2 ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ

  • પાકને લણવા પ્રૌદ્યોગિકીનો ઉપયોગ
  • સુ ક્ષમ સાહસ
  • ડેરી વિકાસ અને સંલગ્ન પ્રક્રિયા
  • ખાધ્યસામગ્રીનું પ્રોસેસીંગ(ફુડ પ્રોસેસીંગ)
  • પરંપરાગત ઉદ્યોગો.

3        સ્વ-રોજગાર અને નોકરી માટે તમામ લાયક યુવાનોના કૌશલ્યનો વિકાસ

4        ગ્રામ્ય પ્રવાસન ઈકો પ્રવાસન સહિત.

ઉપરની તમામ પ્રવૃત્તિઓ ખાસ કરીને ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે

કેન્દ્ર સ્થાને છે તે માટે મહિલા સ્વસહાય જૂથ રચવા અને તેમના ફેડરેશન રચવા, તમામ કામદારોને રોજગાર પૂરા પાડવા અને નાણાકીય સમન્વય કરવાની બાબતો ઘણી મહત્વની છે.

પર્યાવરણ વિકાસ

  1. સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રવૃત્તિઓમાં નીચે જણાવેલ કામોનો સમાવેશ કરી શકાય.

(ક) દરેક કુટુંબને અને બધી જાહેર સંસ્થાઓને જાજરૂ પૂરાં પાડવા અને તેના યોગ્ય ઉપયોગની ખાતરી કરવી.

ખ) ઘન અને પ્રવાહી કચરાની યોગ્ય વ્યવસ્થા.

  1. રસ્તાઓની બાજુએ વાવેતર
  2. ચાલવાના હરિયાળા માર્ગ સહિત ઘર આંગણે, શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં અગ્રતા અનુસાર વૃક્ષારોપણ
  3. સામાજિક વનીકરણ
  4. જળસ્ત્રાવ વ્યવસ્થા,ખાસ કરીને પરંપરાગત પાણી સંગ્રહના સ્થળોની મરામત અને જાળવણી.
  5. વરસાદના પાણીનો સંચય – ધાબાના પાણીનો સંગ્રહ તેમજ અન્ય રીતે.
  6. હવા,પાણી અને જમીનનું સ્થાનિક પ્રદૂષણ ઘટાડવું

 

પાયાની સવિધાઓ અને સેવાઓ

  1. તમામ મકાન વિહોણા ગરીબ / કાચાં મકાનમાં રહેતા ગરીબો માટે પાકા મકાનો
  2. પાણી ખાસ કરીને દરેક ઘેર નળ મારફતે પ્રક્રિયા કરેલું સ્વચ્છ પાણી.
  3. આંતરિક બારમાસી રસ્તાઓ (બંધ નીક સહિત).
  4. મુખ્ય રસ્તાઓના નેટવર્ક સાથે બારમાસી રસ્તાઓનું જોડાણ
  5. તમામ ઘરોને વીજ જોડાણ અને શેરીની લાઈટો સહિત (સૌર ઊર્જા સહિતના બિન પરંપરાગત ઊર્જાના સોતોનો ઉપયોગ.
  6. આંગણવાડી, શાળાઓ, આરોગ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત કચેરી અને ગ્રંથાલયો જેવી જાહેર સંસ્થાઓ માટે પાકાં મકાનો.
  7. કોમ્યુનિટી હોલ,
  8. સ્વસહાય જૂથના ફેડરેશન માટે મકાનો, રમતના મેદાનો અને કબ્રસ્તાન / સ્મશાન સહિતની નાગરિક સુવિધાઓ
  9. જાહેર વિતરણ પદ્ધતિની દુકાનો / ગોડાઉનો.

10. નાની-બેન્ક / પોસ્ટ ઓફીસ/ એટીએમ.

11. બ્રોડબેન્ડ જોડાણ અને જન સેવા કેન્દ્રો.

12. ટેલીકોમ જોડાણ

13. જાહેર સ્થળોએ સીસીટીવી.

સામાજિક સુરક્ષા

  1. તમામ લાયક કુટુંબોને પેન્સન-વૃદ્ધ અશક્તતા અને વિધવા માટે પેન્શન.
  2. , આમ આદમી બીમા યોજના જેવી વીમા યોજનાઓ.
  3. આરોગ્ય વીમા - રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના.
  4. જાહેર વિતરણ પદ્ધતિ – તમામ લાયક કુટુંબોને સાર્વત્રિક ઉપલબ્ધી.

સુ શાસન

  1. મજબૂત અને જવાબદાર ગ્રામ પંચાયતો અને સક્રિય ગ્રામસભા મારફત સ્થાનિક લોકશાહી સુ દ્દઢ બનાવવી.
  2. ઈ-ગવર્નન્સ દ્વારા વધુ સારી સેવા પૂરી પાડવી
  3. બધાને માટે આધાર કાર્ડ.
  4. સરકારી અને પંચાયત સ્ટાફની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવી
  5. નાગરિક અધિકારપત્રની જેમ સમયબદ્ધ સેવાઓ પૂરી પાડવી
  6. ગ્રામસભા અગાઉ મહિલા ગ્રામસભા યોજવી.
  7. વર્ષમાં ઓછામાં ઓછી ચાર વાર ગ્રામસભા યોજવી.
  8. દર ત્રણ મહિને બાલસભા યોજવી.
  9. ગામના જાહેર કામોનાં અમલને લગતી બધી માહિતી દીવાલ પર લખીને, સ્થાનિક ભાષામાં નોટિસ બોર્ડમાં લખીને દર્શાવવી. જેમાં લાભાર્થીઓની યાદી, આઈટમ મુજબ બજેટ (ગ્રાંટ) અને ખર્ચનો અચૂક સમાવેશ કરવો

10.  ગ્રામ પંચાયત માહિતી સહાયક કેન્દ્ર તરીકે કામ કરશે.

11. લોકોએ રજુ કરેલી ફરિયાદનું સમયસરનિવારણ જેમકે

  • તમામ પ્રકારની ફરિયાદો ગ્રામ પંચાયત / સંબંધિત અધિકારીને રજૂ કરવી અને તેની તારીખવાળી પહોંચ આપવી.
  • ફરિયાદોનું નિવારણ લેખિત જવાબ સાથે ત્રણ અઠવાડિયામાં કરવું
  • ફરિયાદો અને તેના નિવારણને વાચા આપવા નિયમિત જાહેરમંચ સંસ્થાકીય ગોઠવણ કરવી અને તેનું સંકલન ગ્રામ પંચાયત મારફતે કરાવવું.
  1. ગ્રામસભાએ કામોના અમલનું અર્ધવાર્ષિક સામાજિક ઓડિટ કરાવવું. આ માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નીચે રચાયેલ સામાજિક ઓડિટ એકમોની સહાય લેવી.

વ્યૂહ

પસંદ કરેલ ગામને આદર્શ ગામમાં રૂપાંતર કરવા માટેનો વ્યૂહ નીચે છે :

  • ગામ સમુદાયને હકરાત્મક વલણ માટે સક્ષમ અને ગતિશીલ બનાવવા પ્રારંભિક પ્રવૃત્તિઓ કરવી.
  • લોકોની જરૂરિયાતો અને અગ્રતાઓ એકત્રિત રીતે નિયત કરવા માટે સહયોગી આયોજન કાવ્યાત
  • શક્ય હોય ત્યાં સુધી કેન્દ્રની યોજનાઓ, કેન્દ્રીય સેક્ટર અને કેન્દ્ર-પુરસ્કૃત યોજનાઓ તેમજ રાજ્યની અન્ય યોજનાઓમાંથી મળતા સંસાધનોનું શકય તેટલું સમન્વય
  • હાલની માળખાગત સુવિધાઓની શકય તેટલી મરામત અને નવીનીકરણની કામગીરી.
  • ગ્રામ પંચાયતો અને તેની અંદરની લોક સંસ્થાઓ મજબુત બનાવવી
  • પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવું.

વ્યૂહ રચનાના અમલ માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની યાદી એનેક્ષર-૧ માં યાદી આપી છે. તેનો જુદી જુદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય અને તેનાં પરિણામોની વિગતથી જાણકારી મેળવી શકાય. અમલીકરણની વિગતોમાં સ્થાનિક દ્રષ્ટિકોણ, જરૂરીયાત મુજબનું વિસ્તરણ અને નવતર વિચારોનો સમાવેશ કરવો.

કેન્દ્રીય યોજનાઓ અને કેન્દ્ર-પુરસ્કૃત યોજનાઓ અને રાજ્યની અન્ય યોજનાઓમાંથી મળનાર સંસાધનોનો શક્ય તેટલો સમન્વય

ગામ સમુદાયને હકારાત્મક વલણ માટે સક્ષમ અને ગતિશીલ બનાવવા પ્રારંભિક પ્રવૃત્તિઓ

 

 

 

 

 

 

 

આદર્શ ગામ માટે ગામની પસંદગીનું ધોરણ

ગ્રામ પંચાયત પાયાનું એકમ રહેશે. સપાટ વિસ્તારમાં વસ્તીનું ધોરણ ૩૦૦૦-૫૦૦૦ અને ડુંગરાળ, આદિજાતિ અને મુશ્કેલ વિસ્તારમાં તે ૧૦૦૦-૩૦૦૦ હશે. જે જિલ્લાઓમાં આ મુજબનું વસ્તી ધોરણ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત પસંદ કરી શકાશે.

સંસદ સભ્ય તેમના પોતાના કે પતિ/ પત્નીના ગામ સિવાય આદર્શ ગામ તરીકે વિકસાવવા કોઈ પણ ગામને મુક્ત રીતે પસંદ કરી શકશે

સંસદ સભ્ય એક ગ્રામ પંચાયત તાત્કાલિક પસંદ કરશે અને થોડા સમય બાદ બીજી બે ગ્રામ પંચાયતો પસંદ કરશે. લોકસભાના સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે, જયારે રાજ્ય સભાના સંસદ સભ્ય તેઓ જ્યાંથી ચુંટાયા હોય તે રાજ્યમાં તેઓ પસંદગીનાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરશે. નિયુક્ત સંસદ સભ્યો દેશના કોઈ પણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરી શકશે. શહેરી મત વિસ્તારના કિસ્સામાં (જ્યાં ગ્રામ પંચાયત હોતી નથી) સંસદ સભ્ય નજીકના ગ્રામ્ય મતવિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે.

પ્રથમ તબક્કામાં માર્ચ- ૨૦૧૯ સુધીમાં ત્રણ આદર્શ ગ્રામ વિકસાવવાનો લક્ષ્ય છે તે પૈકી ૨૦૧૬ સુધીમાં એક ગામનો વિકાસ થશે. ત્યારબાદ ૨૦૨૪ સુધીમાં દર વર્ષે એક એમ પાંચ ગામ પસંદ કરીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવશે.

આયોજન

પ્રત્યેક ગરીબ કુટુંબ ગરીબાઈમાંથી બહાર આવે તે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પસંદ કરેલ ગ્રામ પંચાયત માટે ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે.

ઔપચારિક યોજના ઘડવાનું શરૂ કરતાં પહેલા પદ્ધતિસરનું વાતવરણ ઊભું કરવાનું રહેશે. અને સંસદ સભ્ય સામાજીક ગતિશીલતા લાવવા નેતૃત્વ લેશે. ગ્રામ પંચાયતને પણ સંપૂર્ણપણે સામેલ કરવામાં આવશે. આ કામગીરી માટે નીચે જણાવેલ કેટલીક પ્રવૃત્તિઓ વિચારી શકાય

  • ગ્રામસભા, મહિલાસભા અને બાલસભામાં ચર્ચા.
  • યુવા ક્લબો તેમજ વ્યવસાયિક જૂથો અને સ્થાનિક સંસ્થાઓ સાથે ચર્ચા
  • સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન
  • દીવાલ પર લખાણ, શિબિર, પદયાત્રા, નુકકડ નાટક વગેરે.
  • ગામને આદર્શ કેવી રીતે બનાવવું તે અંગે ચિત્ર અને સાહિત્યને લગતી સ્પર્ધા.
  • ગ્રામ વિકાસમાં ઉત્તમ પ્રથાઓનું વિડીયો દ્વારા નિદર્શન.

આ પ્રવૃત્તિઓના પરિણામે ગામ કેવું હોવું જોઈએ તેની સામૂહિકદીર્ધ દૂષ્ટિ આવશેઅને તે ગ્રામજનોનો ઉત્સાહ પ્રજજ્જવલિત કરશે. ત્યારબાદ સહભાગી આયોજન પ્રક્રિયાના બે તબક્કા સૂચવવામાં આવે છે. જેમાં સંસદ સભ્ય સહાયક તરીકે ગ્રામ પંચાયતને અગ્રીમ ભૂમિકા પૂરી પાડશે જિલ્લા કલેક્ટર જરૂરી વ્યાવસાયિક અને સંકલિત સહાય પૂરી પાડશે

પ્રથમ તબક્કામાં લોકો વર્તણૂક વિષયક અને સામાજિક ફેરફાર, સ્વ-સહાય અને પરસ્પર મદદ, શ્રમદાન, સ્થાનિક ફાળા અને સ્થાનિક સંસાધનો જેવી પ્રવૃત્તિઓ જે લોકો અમલમાં મૂકી શકે તે નિયત કરવાની રહે છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે.

(ક) તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ સહિત સમુદાય સામૂહિક પ્રતિજ્ઞા લે કે સમાજ સમયબદ્ધ રીતે તેનાં આર્થિક ઉત્કર્ષ અંગે કામ કરશે, જેથી ગામનું કોઈ કુટુંબ ગરીબી રેખા નીચે રહેશે નહીં.

(ખ) સામૂહિક રીતે ભારતના સંવિધાનમાં જણાવેલાં મૂળભૂત હક અને મૂળભૂત ફરજો વાંચીને તેનું પુનરાવર્તન કરશે.

(ગ) આરોગ્ય શિબિરો યોજવી

(ઘ) સ્વચ્છતા ઝુંબેશ યોજવી.

(ચ) પશુ આરોગ્ય શિબિરો યોજવી.

(છ) આંગણવાડીમાં સેવાની ગુણવત્તા અને હાજરીનું પ્રમાણ સુધારવા દરમિયાનગીરી કરવી.

(જ) સ્થાનિક શાળાઓમાં હાજરીનું પ્રમાણ સુધારવા, શિક્ષણની ગુણવત્તા વધારવા, મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવા વાલીઓ તથા શિક્ષકોના સંગઠનની ભાગીદારી માટે દરમિયાનગીરી કરવી.

(ઝ) વૃક્ષારોપણ

(ટ) સ્વસહાય જૂથોની રચના કરવી / પુનઃ ગઠિત કરવા

(ઠ) મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નીચે રોજગાર દિવસ યોજવો.

(ડ) જાહેર વિતરણ પદ્ધતિ સુધારવી

(ઢ) નાગરિક પુરવઠા, સમાજ કલ્યાણ, જમીન મહેસૂલ વિગેરે જેવા મહત્વના મુદ્દાઓ અંગે ફરિયાદ નિવારણ શિબિરોનું આયોજન જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા કક્ષાના અધિકારીઓની સહભાગીતા.

આ તબક્કા દરમિયાન ખાસ કરીને વ્યક્તિગત, માનવીય, સામાજિક અને પર્યાવરણીય વિકાસ અને સુશાસનને લગતી પ્રવૃત્તિઓ તમામ જૂથો પાસેથી શકય તેટલી વધારે પ્રમાણમાં હાથ ધરવી. સાથોસાથ દ્વિતીય તબક્કાનું પ્રથમ પગલું પરિસ્થિતિનું વિશ્નલેષણ પણ હાથ ધરી શકાય

આ પ્રવૃત્તિઓ મારફતે ગ્રામ સમુદાય આ યોજના સંપૂર્ણપણે હાથ ધરવાની તેની ઈચ્છા શક્તિ નિદર્શિત કરશે અને પછીના તબક્કાના અમલીકરણની શરૂઆત કરશે.

ત્યારબાદ દ્વિતીય તબક્કાની આયોજન પ્રક્રિયા માટે નીચે જણાવેલ વ્યાપક કામગીરી અનુસરશે.

1        પરિસ્થિતિનું વિશ્નલેષણ પરિસ્થિતિનું વિશ્નલેષણ બેવડી પ્રક્રિયા છે જે પ્રથમ તબક્કા દરમિયાન શરૂ કરી શકાશે. (૧) આધારરેખા મોજણીના બે હેતુ છે: પ્રથમ તો વિકાસનાં જુદાં જુદાં ક્ષેત્રોની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર થવું. જેથી સુધારાઓ માટે આધાર ચિહ્નો (બેન્ચમાર્ક) ને તેથી સાથે યોગ્ય રીતે જોડી શકાય  બીજું, માળખાગત સુવિધાઓ અને સેવાઓ તેમજ ભાવિ આર્થિક અને માનવીય વિકાસ માટેની ક્ષમતામાં જોવા મળતી અધૂરાશ અને ઉણપોને લગતીપાયાની માહિતી પૂરી પાડવી આ કામગીરી નિષ્ણાત એજન્સી મારફતે કરાવવી જોઈએ. વિકલ્પ રૂપે શૈક્ષણિક સંસ્થા અથવા તાલીમ પામેલા નિષ્ણાતોના જૂથને આ કાર્ય સોંપી શકાય. આધારરેખા મોજણીમાં સમાવેશ કરી શકાય તેવા માપદંડો એનેક્ષર-૨ માં જણાવેલ છે. સ્થાનિક કક્ષાઓ પ્રસ્તુત મુદ્દાઓનો તેમાં સમાવેશ કરી શકાય.

2        સહભાગી પરિસ્થિતિનું વિશ્નલેષણ: તાલીમ પામેલા સહાયકોને સાંકળી સ્થાનિક સમુદાય મારફતે આ કામગીરી કરાવવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજ તાલીમની વ્યવસ્થા કરશે. સહભાગીતાની ચાવીરૂપ પધ્ધતિઓ નીચે મુજબ છે.

  1. સામાજિક નકશો : આ નકશો સ્થાનિક લોકો, ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા દોરવામાં આવે છે જેમાં ગામના વિવિધ જૂથોના ઘરો, મહત્વની સંસ્થાઓ, ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ દર્શાવવામાં આવે છે.
  2. સંસાધન મેપિંગ : ગામના કુદરતી અને ભૌતિક સંસાધનો સમજવામાં આ મેપિંગ મદદ કરે છે. આ કામગીરી પણ સ્થાનિક લોકો તૈયાર કરે છે. અને નકશો નીચેની બાબતો દર્શાવશે : •
    1. i.      જમીનનો ઉપયોગ.
    2. ii.      પાણી સંગ્રહના સ્થળો
    3. iii.      સિંચાઈની માળખાગત સુવિધા (જળાશય, ચેકડેમ,તળાવ વિગેરે)
    4. iv.      ઢાળ, અસમતોલ જમીન, ડ્રેઈનેજ પદ્ધતિ દર્શાવતું જમીનનું ભૌતિક રેખાંકન

સંસાધન નકશો જળસ્ત્રાવ (માઈક્રો વૉટરશેડ) અને કૃષિ વિકાસ અને કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન માટેની શકયતાઓને તારવવામાં ઉપયોગી થશે.

 

જરૂરીયાત મુજબની કામગીરી (Need Matrix):

ગામ અને ગામના કામોની અગ્રતાની સામૂહિક જરૂરિયાતો વાસ્તવિક રીતે આકારવા સ્થાનિક કુટુંબોના વિવિધ જૂથોને સાંકળી તૈયાર કરવામાં આવે છે

પરિસ્થિતિના વિશલેષણ મારફત મેળવેલી માહિતી ભૌગોલિક માહિતી પદ્ધતિમાં (જીઓગ્રાફીકલ ઈન્ફર્મેશન સીસ્ટમ) રાખવાની રહેશે.

  • પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા :

પ્રથમ તબક્કાની કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવા સંસદ સભ્યના વડપણ હેઠળ જિલ્લા કલેક્ટર, ગ્રામ પંચાયત અને ગામ સમુદાય સાથે રહીને કામગીરી કરશે. ગામ પોતાની રીતે શું પ્રાપ્ત કરી શકે તેમ છે અને વાજબી સમયમાં તે ચોક્કસ શું પ્રાપ્ત કરી શકશે તેની સમીક્ષા કરશે. આ આકારણીના આધારે ગામ વ્યૂહ ઘડવાના આગળના સોપાન પર જઈ શકશે.

  • વ્યૂહ ગોઠવણી:

પ્રથમ તબક્કાની સમીક્ષા પર આધારિત અને આધારરેખા મોજણીની માહિતી અને સહયોગી આકારણીના આધારે, હિતાધિકારીઓ, કર્મચારીઓ અને નિષ્ણાંતોનું પસંદગીનું જૂથ વિકાસ માટે વ્યૂહ અને વ્યૂહને કાર્યાન્વિત કરવા જરૂરી પ્રવૃત્તિઓ સૂચવી શકશે.બીજા શબ્દોમાં જરૂરી યોજનાઓ અને પ્રોજેક્ટોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

  • સંસાધનોની યાદી નિયત કરવી:

ઉપલબ્ધ સંસાધનોને નક્શામાં આલેખવા જરૂરી છે. વ્યાપક રીતે તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય

1        યોજનાઓ સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો – કેન્દ્ર -પુરસ્કૃત અને રાજ્ય પુરસ્કૃત જેમકે ઈંદિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વગેરે.

2        યોજનાઓ સાથે અંશત: જોડાયેલા અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓનો ઉપયોગ કરી શકાય તેવા સંસાધનો.

3        પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના વગેરે સાથે જોડાયેલાં સંસાધનો જે જરૂરી મહત્વના ગાળા પૂરવા માટે પરવાનગી આપે છે વિધાનસભ્યોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાનો પણ તેમની સંમતિને આધીન રહીને ઉપયોગ કરી શકાય.

4        મહેસૂલ કેન્દ્રીય અને રાજ્ય નાંણા કમિશનની ગ્રાન્ટ વગેરે જેવા ગ્રામ પંચાયત સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો

5        સ્થાનિક રીતે એકત્રિત કરી શકાય તેવાં રોકડ, વસ્તુ ઓ અને શ્રમના સ્વરૂપના સંસાધનો

6        કોર્પોરેટ સામાજિક જવાબદારી ફંડ (સીએસઆર)

ઉપરોક્ત કક્ષાઓના સંસાધનોનો અધિકતમ વિધેયાત્મક પરિણામ પ્રાપ્ત કરવા સમન્વિત અને એકત્રિત રીતે ઉપયોગ કરવો.

કેન્દ્રીય સેક્ટર/કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ કાર્યક્રમો, સંબંધિત મંત્રાલય/વિભાગો આદર્શ ગ્રામને પ્રાધાન્ય આપવા માટે માર્ગદર્શક સૂચનાઓમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી પગલાં લેશે.

જરૂરિયાતોને આખરીરૂપ:

આ પ્રક્રિયાને બે ભાગમાં વેંહચીને ઉત્તમ રીતે કરી શકાય. પ્રથમ ભાગ ખાસ કરીને મહિલા સ્વસહાય જૂથ અને ખેડૂત જૂથ જેવા જુદા જુદા લાભાર્થીઓ સાથે વિચારવિમર્શનો અને બીજો ભાગ ગ્રામ સભામાં ચર્ચાનો છે. આ બેઠક (fora) માં આજ સુધી કરેલી કવાયતનાં પરિણામોનો સાર સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો હોય છે અને શકય હોય ત્યાં સુધી જરૂરિયાતો અને અગ્રતાઓને સામાન્ય રીતે અને સવાંનુ મતે આખરીરૂપ આપવાનું હોય છે

ગ્રામ વિકાસ યોજનાની મુસદ્દાની તૈયારી :

લોકોએ અગ્રતા આપેલી જરૂરિયાતોના આધારે ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ઘડવા અધિકારીઓ અને બહારના વ્યાવસાયિકો/નિષ્ણાંતોના બનેલા કાર્યકારીજુથની કલેક્ટર રચના કરશે. ગ્રામ વિકાસ યોજનામાં પ્રથમ તબક્કાની પ્રવૃતિઓ યોગદાન અને સિદ્ધિઓનો પણ સમાવેશ થશે. જેમાં અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોનું સમયપત્રક આપવું જોઈએ

7         ગ્રામસભા દ્વારા ગ્રામ વિકાસ યોજનાને મંજૂરી: ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ગ્રામસભા સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ૮. ગ્રામ વિકાસ યોજનાને બહાલી:

8        સંસદ સભ્યની હાજરીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં સંસદ સભ્યની ટિપ્પણીઓ અને સૂચનો ધ્યાને લઈ મંજૂરી આપવાની કામશીરી કરવામાં આવશે. ગ્રામ વિકાસ યોજનાને બહાલી આપતી વખતે ત્રણ મહિના, છ મહિના, નવ મહિના, એક વર્ષ અને તેથી વધારે સમયના વિશિષ્ટ લક્ષ્યાંક સાથે જુદાજુદા ઘટકોના તબક્કા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

9        પ્રાયોજના સ્વરૂપ અને મંજૂરી:

ગામ વિકાસ આયોજનને મંજૂર કર્યા બાદ સંબંધિત ખાતાકીય અધિકારીઓએ મંજૂર કરેલી યોજનાના ઘટકોને પ્રોજેક્ટ સ્વરૂપમાં તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ તેઓએ તેની વહીવટી, નાણાંકીય અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.

૧૦. જાહેરાત અને પ્રચાર.:

મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.

આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.

નોંધ: આ યોજના હેઠળ સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.

 

અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.

૧૦. જાહેરાત અને પ્રચાર.:

મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.

આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.

નોંધ: આ યોજના હેઠળ  સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.

સમયસરતા

યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.

 

યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.

કામની બાબત શરૂ કર્યાની તારીખથી

આદર્શ ગામની પસંદગી એક મહિનો યોજના અંગે જાગૃતિ લાવવી બે મહિના વાતાવરણ ઊભું કરવું અને સામાજિકગતિશીલતા ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની શરૂઆત ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની સમીક્ષા પાંચ મહિના ગામ વિકાસ આયોજનની તૈયારી અને તે પૂર્ણ કરવાની કામગીરી સાત મહિના મંજૂરી અને બહાલી આંઠ મહિના શરૂ કરવાની પ્રવૃત્તિઓ નવ મહિના ગ્રામસભા કક્ષા અને જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ આયોજન પ્રગતિનો એક વર્ષ અહેવાલ

10   ગામમાં સમુદાય સાથે જોડાઓ અને તેમને પોતાની મેળે તેમની શક્તિ અનુસાર વિકાસ હાથ ધરવા પ્રેરણા આપો

કામની બાબત

શરૂ કર્યાની તારીખથી સમય

 

આદર્શ ગામની પસંદગી

એક મહિનો

યોજના અંગે જાગૃતિ લાવવી

બે મહિના

વાતાવરણ ઊભું કરવું અને સામાજિકગતિશીલતા

ત્રણ મહિના

પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની શરૂઆત

ત્રણ મહિના

પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની સમીક્ષા

પાંચ મહિના

ગામ વિકાસ આયોજનની તૈયારી અને તે પૂર્ણ કરવાની કામગીરી

સાત મહિના

મંજૂરી અને બહાલી

આંઠ મહિના

શરૂ કરવાની પ્રવૃત્તિઓ

નવ મહિના

ગ્રામસભા કક્ષા અને જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ આયોજન પ્રગતિનો અહેવાલ

એક વર્ષ

ગામમાં સમુદાય સાથે જોડાઓ અને તેમને પોતાની મેળે તેમની શક્તિ અનુસાર વિકાસ હાથ ધરવા પ્રેરણા આપો

 

 

ભમિકા અને જવાબદારીઓ

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલની જવાબદારી પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબધિત કાર્યક્રમના જુદી જુદી કક્ષાના કર્મચારીઓની રહેશે. આ બંને જૂથોએ ગામની સમાન જરૂરિયાતો સાચી રીતે મુકરર કરવા અને ખાસ કરીને જરૂરીયાતમંદ કુટુંબોની જરૂરિયાતો મુકરર કરવા સાથે મળીને કામ કરવું જોઈએ. તદ્દઉપરાંત તેઓએ જુદી જુદી યોજના દ્વારા ઉપલબ્ધ થનાર સંસાધનો, અમલીકરણમાં જનભાગીદારીના પ્રયત્નો તથા વિવિધ કામોના અમલ અને મોનીટરીંગ માટે કાર્યવાહી કરવાની રહેશે.

જુદી જુદી કક્ષાએ સંકલન અને સમીક્ષા તંત્ર પણ રચવામાં આવશે. ઉત્તમ પ્રથાઓ/કામગીરીઓ આ યોજના દ્વારા અન્ય વિસ્તારોને માટે નિદર્શિત કરી તેનો ફેલાવો કરી શકાશે. આ અંગેની વિશિષ્ટ ભૂમિકા અને જવાબદારીઓની રૂપરેખા નીચે આપી છે

સંસદ સભ્ય:

  • આદર્શ ગ્રામ પસંદ કરશે.
  • ગામમાં સમુદાય સાથે જોડાઈને પોતાની મેળે શક્તિ અનુસાર વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમને પ્રેરણા આપશે.
  • યોજનાનાં મૂલ્યોનો પ્રચાર કરશે.
  • યોગ્ય વાતાવરણ ઊભું કરવા પ્રવૃત્તિઓ શરૂ કરશે.
  • આયોજન પ્રક્રિયાઓને સરળ બનાવશે
  • ખાસ કરીને કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ અને દાનપ્રવૃત્તિમાંથી શકય તેટલાં વધારાનાં સંસાધનો એકત્ર કરવા.
  • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડનો ઉપયોગ કરીને યોજનામાં મહત્વની ખૂટતી કડીઓ જોડશે.
  • પ્રગતિ પર સમયાંતરે સુ નિયંત્રણ રાખવું અને પ્રશ્નો અને સમસ્યાઓનું લિલેષણ કરવામાં આગેવાની લેવી
  • કાર્યક્રમના અમલમાં પારદર્શકતા અને જવાબદારીની સક્રિયપણે સગવડ કરી આપે અને લોકોની ફરિયાદ હલ કરવામાં મદદ કરે.
  • ઈચ્છિત, અપ્રત્યક્ષ પરિણામો, ખાસ કરીને સામાજિક પરિણામ મેળવવા સમુદાય સાથે સંકલન સાધવું

ભારત સરકાર:

રાષ્ટ્રીય કક્ષાએ, ગ્રામીણ વિકાસ મંત્રાલય આ યોજનાના અમલ માટેનું કેન્દ્રવર્તી (નોડલ) મંત્રાલય રહેશે. અમલનું નિરીક્ષણ કરવા બે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ રહેશે એક સમિતિ મંત્રીશ્રી, ગ્રામ  વિકાસના અધ્યક્ષપણા હેઠળ રહેશે. જેમાં આયોજન અને કાર્યક્રમ અમલીકરણના મંત્રીશ્રીઓ અને હવે પછી નક્કી કરવામાં આવે તે મંત્રાલયો પણ સહયોગ આપશે. બીજી સમિતિ સચિવશ્રી, ગ્રામ વિકાસના અધ્યક્ષપણા હેઠળ હશે જેમાં સંયુક્ત સચિવના દરજજાથી ઉતરતા સંવર્ગ ન હોય તેવા નીચે જણાવેલ મંત્રાલયો/ વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓ તરીકે રહેશે.

  • પંચાયતી રાજ
  • આયોજન
  • જમીન સંસાધન
  • મહિલા અને બાળ વિકાસ
  • આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
  • શાળાનું શિક્ષણ
  • લઘુ, નાનાં અને મધ્યમ સાહસ
  • પીવાનું પાણી પૂરું પાડવું અને સ્વચ્છતા
  • ઉર્જા
  • નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા
  • ટેલિકોમ
  • માહિતી પ્રાદ્યોગિકી (ઈન્ફર્મેશન ટેકનોલોજી)
  • જળસંપત્તિ
  • સામાજિક ન્યાય અને સશક્તીકરણ
  • આદિજાતિ બાબતો
  • પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર
  • કૃષિ
  • રમતગમત અને યુવાનોની બાબતો
  • અન્ય પ્રસ્તુત મંત્રાલયો

આ યોજનાના ખાસ વિષયોમાં સમિતિ મુખ્ય વિષયોના નિષ્ણાંતોને કો-ઓપ્ટ કરી શકશે. આ સમિતિને વધુ કામગીરી ધરાવતી સચિવાલયની કચેરીની મદદમાં કોન્ટ્રાકટ પર રાખેલ ત્રણ રિસોર્સ પર્સન સાથ અને સહકાર આપશે.

સમિતિની કામગીરી આ પ્રમાણે રહેશે;

  • ઓળખ અને આયોજનની પ્રક્રિયા પર સુનિયંત્રણ (મોનીટરીંગ).
  • યોજનાના અમલની સમીક્ષા
  • વખતોવખતના મોનીટરીંગ અને પ્રોજેક્ટ પછીના મૂલ્યાંકન માટે માળખુંઢાંચો નક્કી કરવા. તેના માટે વેબ આધારિત મોનીટરીંગ પદ્ધતિ વિકસાવામાં આવશે, જેમાં રાજ્યોમાં અમલીકૃતની યોગ્ય મોનીટરીંગની પધ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓમાં ફેરફારો કરવા, અવરોધો અને સમસ્યાઓ ઓળખીને જરૂરી હોય ત્યાં તેના નિવારણ માટેના ઉપાયાત્મક પગલાં લેવાનું શરૂ કરવામાં આવશે.
  • રાજ્યોમાં ક્ષમતાવર્ધન કરવા દરેક માટે મંત્રાલય જે વિશિષ્ટ સંસાધન સહાય પુરી પાડશે તે દર્શાવશે.
  • રાજ્યો એક બીજામાંથી શીખે તે માટે પ્રયાસો કરવાના રહેશે.
  • વીડિયો અને છાપેલા સાહિત્ય દ્વારા ગ્રામ કક્ષાના વિકાસમાં ઉત્તમ પ્રથાઓનો ફેલાવો કરશે.
  • યોજનાને લગતી વિશિષ્ટ અને સામાન્ય બાબતો અંગે કામગીરી વિષયક માર્ગદર્શક સૂચનાઓ અને સલાહ વખતોવખત બહાર પડાશે

રાજ્ય કક્ષા

  • રાજ્યની જે યોજનાઓનું જોડાણ આ યોજના સાથે થઈ શકે તેવી બાબતો તથા રાજ્યોમાં ચાલતી જુદી જુદી કેન્દ્રપુરસ્કૃત યોજનાના અમલમાં ફેરફાર કરવાની બાબતો માટે મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળ સત્તા સમિતિ (એમ્પાવર્ડ કમિટિ) રચવામાં આવશે. જેમાં સંબંધિત વિભાગો અને નિષ્ણાંતો પણ હશે અને નાગરિક મંડળના (સીવીલ સોસાયટી) ઓછામાં ઓછા બે પ્રતિનિધિઓ રહેશે. રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ સભ્ય-સચિવ રહેશે. આ રાજ્ય કક્ષાની સમિતિના કામમાં સહાય કરવા બે પૂર્ણકાલીન જાણકાર વ્યક્તિઓ નીમવામાં આવશે.

વીડિયો અને સાહિત્ય દ્વારા ગ્રામ કક્ષાના વિકાસમાં ઉત્તમ પ્રથાઓનું પ્રસારણ

  • સમિતિ ત્રણ મહિનામાં ઓછામાં ઓછું એકવાર મળશે અને નીચેનાં કામ કરશે.
  • સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકામાં જરૂરીયાત મુજબ ઉમેરો કરશે અને જુદી જુદી રાજ્ય યોજનાઓ ધ્યાનમાં લઈ રાજ્ય ને સ્પર્શતી વિશિષ્ટ સૂચનાઓ બહાર પાડશે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના કર્મચારીઓની ભૂમિકા અને જવાબદારીઓ નિયત કરશે.
  • ગ્રામ વિકાસ આયોજનની સમીક્ષા કરશે અને મહત્વની ઉપલબ્ધીઓ નિયત સમયની અંદર પ્રાપ્ત થાય છે તેની ખાતરી કરવા જરૂરી હોય તેવા ફેરફાર સૂચવશે
  • અમલની સમીક્ષા કરશે અને વેબ-આધારિત મોનીટરીંગ પદ્ધતિને પૂરક મોનીટરીંગ પ્રક્રિયાની સમીક્ષા કરશે
  • સમસ્યાઓ શોધીને તે માટે જરૂરી ટેકનિકલ અને વહીવટી સહાય નિશ્ચિત કરી અને જરૂરી સૂચનાઓ સરકારી હુકમો વખતોવખત બહાર પાડશે.
  • જરૂરી હોય તો રાષ્ટ્રીય કક્ષાએ સમિતિઓ સાથે સંકલન કરશે
  • આદર્શ ગામોના પ્રેરણા પ્રવાસ માટે સમયપત્રક વિકસાવવું અને ઉત્તમ પ્રથાઓના પ્રસાર માટે રાજ્ય કક્ષાએ ડિઝાઈન તૈયાર કરવી.
  • • માર્ગદર્શિકાને અનુરૂપ યોજના માટે ફરિયાદ નિવારણ તંત્રની રચના માટે ડિઝાઈન નક્કી કરી તે તંત્ર ચાર્જ અધિકારીને એ જિલ્લાને હવાલે મૂકવામાં આવશે
  • આ સમિતિ સંસદ સભ્યો સાથે ચર્ચા કરશે અને જરૂરી જણાય તો સમસ્યાઓ શોધવા અને તેના નિવારણ માટે નાનાં નાના જૂથમાં ચર્ચા કરી શકશે.

જિલ્લા કક્ષા:

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે જિલ્લા કલેક્ટર કેન્દ્રવર્તી (નોડલ) અધિકારી રહેશે. જિલ્લા કલેક્ટર, ભાગ લેનાર લાઈન ખાતાના પ્રતિનિધિઓ સાથે માસિક સમીક્ષા બેઠક યોજશે. સંબંધિત સંસદ સભ્ય/સભ્યો સમીક્ષા બેઠકોના અધ્યક્ષ રહેશે. સંબંધિત ગ્રામ પંચાયતના વડાને પણ આ માસિક બેઠકોમાં આમંત્રિત કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર, સિનિયોરિટી ધરાવતા સક્ષમ અધિકારીની પ્રત્યેક ગ્રામ પંચાયત માટે ચાર્જ અધિકારી તરીકે નીમશે. તે સ્થાનિક કક્ષાએ કામગીરીનું સંકલન કરશે અને તેના અમલ માટે તે સંપૂર્ણ જવાબદાર રહેશે. જિલ્લા કલેક્ટર પ્રધાનમંત્રીના ગ્રામીણ વિકાસની વ્યક્તિઓ (fellows) અને યોજનામાં

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકાના જિલ્લા મિશન વ્યવસ્થા એકમોના નિષ્ણાંતોને જ્યાં શકય હશે ત્યાં સક્રિય રીતે સામેલ કરશે.

1        જિલ્લા કલેક્ટર નીચેની બાબતો માટે જવાબદાર રહેશે.

2        આધાર રેખા મોજણી હાથ ધરવી.

3        ગ્રામ કક્ષાનું આયોજન તૈયાર કરવામાં સગવડ આપવી

4        સંબંધિત યોજનાઓનું સમન્વય (કન્વર્ઝન) કરવું.

5        યોજનાના અમલીકરણ માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરવું

6        માસિક ધોરણે પ્રગતિની સમીક્ષા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકાર અને ભારત સરકારને મોકલશે.

7        ફરિયાદ નિવારણ કરવું અને સંબંધિત યોજનાની માર્ગદર્શિકામાં નિયત કરેલા માપદંડોને સક્રિયપણે પ્રસિદ્ધ કરવા.

8        પ્રગતિનું મુલ્યાંકન કરવા વારંવાર સ્થળની મુલાકાતો ગોઠવવી.

ટેકનોલોજી અને નવતર શોધોનો ઉપયોગ:

ટેકનોલોજી અપનાવવી, અનુકૂળ બનાવવી અને નવીન બાબતો દાખલ કરવી એ આ કાર્યક્રમ માટે મહત્વનું છે આ બાબતો મોટે ભાગે નીચેના ક્ષેત્રોમાં લાગું પડશે

1        અવકાશ સંશોધનોનો ઉપયોગ (સ્પેસ એપ્લીકેશન્સ) અને રિમોટ સેન્સીંગ (સુ દૂર સંવેદન) કાર્યક્રમના આયોજન અને મોનીટરીંગમાં આનો ઉપયોગ થશે. “ભૌગોલિક માહિતી પદ્ધતિ” (જીઓગ્રાફીકલ ઈન્ફર્મેશન સીસ્ટમ)નો ઉપયોગ કરીને અસ્કયામતોના નક્શા બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય રિમોટ સેન્સીંગ એજન્સી જરૂરી સહાય કરશે

2         મોબાઈલ ટેકનોલોજી: કાર્યક્રમોનું જિઓટેગિંગ કરીને મોનીટરીંગ કરવાનું રહે છે રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર (નેશનલ ઈન્ફર્મેટીક્સ સેન્ટર) જરૂરી મોડયુલ અને સહાય પૂરાં પાડશે

3        કૃષિને લગતી ટેકનોલોજી અને નવતર શોધો: સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન એજન્સીનો સહયોગ લઈ કૃષિ વિષયક ઉત્પાદકતા વધારી શકાશે અને તેને સંલગ્ન મૂલ્ય વર્ધન કરવાનું રહેશે.

4        આજીવિકાને લગતી ટેકનોલોજી અને નવીનતા: રાષ્ટ્રીય નવીનતા ફાઉન્ડેશન અને રાજ્યના આજીવિકા મિશન મારફત તથા મંત્રાલયે રચેલી વિચાર અને નવીનતા બેન્કના સહયોગથી આ અંગેની કામગીરી થઈ શકશે.

5        બીલ્ડીંગ બાંધકામની યોગ્ય ટેકનોલોજી; નિષ્ણાંત સંસ્થાઓ જે સ્થાનિક માલસામગ્રી અને સ્થાનિક ડિઝાઈન દ્વારા કામ કરે છે તેની મદદથી આ કામગીરી વિકસાવી શકાય. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને આઈ.આઈ.ટી, દિલ્હીનું ગ્રામીણ આવાસન નેટવર્ક જરૂરી સમર્થન પૂરું પાડશે

6        માર્ગ બાંધકામ ટેકનોલોજી: ગ્રામીણ વિકાસ મંત્રાલયની રાષ્ટ્રીય માર્ગ વિકાસ એજન્સી આ ઉપલબ્ધ કરાવશે.

7        પાણી પુરવઠા અને સ્વચ્છતાને લગતી ટેકનોલોજી પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય કરકસરવાળી અને નવતર ટેકનોલોજી પૂરી પાડશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય સંબંધિત ટેકનોલોજી અને નવીનતાઓના સારસંગ્રહ તૈયાર કરશે અને આદર્શ ગ્રામને લક્ષ્યમાં રાખીને તેનો પ્રસાર કરવાની કામગીરી કરશે.

ખાનગી, સ્વચ્છિક અને સહકારી ક્ષેત્રોની ક્ષમતાનો ઉપયોગ:

સાંસદ આદર્શ ગ્રામ યોજના ખાનગી, સ્વચ્છિક અને સહકારી સેક્ટરનાં સંસાધનો અને ક્ષમતાનો સક્રિયપણે ઉપયોગ કરશે. જે નીચેની બાબતમાં મદદ કરશે.

  • આયોજન અને મોનીટરીંગમાં ટેકનિકલ સહાય પૂરી પાડવામાં
  • સંબંધિત ટેકનોલોજીને સ્થાનિક રીતે અપનાવાય તે રીતે ઉપલબ્ધ કરાવવી.
  • સ્થાનિક આર્થિક વિકાસ માટે રોકાણ/સેવાઓ ઉપલબ્ધ કરાવીને. આ કામગીરી સ્વતંત્રપણે અથવા સરકારના પ્રયત્નોને પૂરક થવા નીચે જણાવ્યા મુજબ કરી શકાય
    • સ્થાનિક કર્મચારીઓને તાલીમ અને ક્ષમતા વર્ધન
    • સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો સુધારવા તેઓના કૌશલ્યનો વિકાસ
    • સ્થાનિક ઉત્પાદનને નિયત ધોરણસર બનાવી, ગુણવત્તાની ખાતરી વગેરે કરીને માર્કેટની તકો પૂરી પાડવી
    • વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે માર્ગદર્શન આપીને.

ક્ષમતા વર્ધનઃ

આ કાર્યક્રમના અમલ માટે ખૂબજ ઉત્સાહી અને જાણકાર વ્યક્તિઓની જરૂર છે તદઉપરાંત સંબંધિત ગ્રામ પંચાયતોને યોગ્ય રીતે સક્ષમ બનાવવાની જરૂર છે ગ્રામીણ વિકાસ મંત્રાલય વિશેષ ડીઝાઈનના ક્ષમતાવર્ધન કાર્યક્રમો રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા હૈદ્રાબાદ મારફતે અમલીકૃત બનાવશે અને રાજ્ય કક્ષાએ રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થાઓનો સહયોગ લઈ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે

તદઉપરાંત, ગ્રામીણ વિકાસ મંત્રાલય; (૧) હિત ધરાવતા લોકો માટે જુદા જુદા ઘટકોને કાર્યાન્વિત કરવા માટે વિગતવાર પુસ્તિકા તૈયાર કરશે (૨) નવતર ગ્રામ વિકાસને લગતી ઉત્તમ પ્રથાઓના દસ્તાવેજ (સાહિત્ય) તૈયાર કરશે અને તેનો પ્રચાર કરશે.

બેવડી વ્યવસ્થા કરીને સમવયસ્ક જૂથના શિક્ષણ માટે ઉત્તમ કામગીરી કરતી ગ્રામ પંચાયતો મુકરર કરવી

 

1        એકજ સ્થળેથી સ્પષ્ટતા કરવા અને જરૂરી હોય ત્યાં સલાહ આપવા, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજમાં હેલ્પ ડેસ્ક ઊભું કરવું

પરિણામો

2        મૂડી રોકાણ અને યોજનાઓને લગતાં મોટાભાગના પરિણામોની યાદી એનેક્ષરરમાં આપવામાં આવી છે. તેના ઉપરાંત, સાંસદ આદર્શ ગ્રામ યોજના બીજા મહત્વનાં પરિણામો આપે તેવી અપેક્ષાઓ છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. • આજીવિકા/રોજગારીની તકોમાં વધારો.

3        યાતનાભર્યા સ્થળાંતરમાં ઘટાડો. • બંધવા મજૂર, બાળ મજૂરી અને માથે મેલું ઉપાડવાની કામગીરીમાંથી મુક્તિ • જન્મ અને મરણની ૧૦૦ ટકા નોંધણી સમાજના બધા ઘટકોને સ્વીકાર્ય હોય તેવી વૈકલ્પિક તકરાર નિવારણ પધ્ધતિનો ઉદભવ. • શાંતિ અને સંવાદિતા • બીજી ગ્રામ પંચાયતો માટે નિદર્શનની ભૂમિકા

મોનીટરીંગ

4        યોજનાના બધાં પાસાં અને ઘટકોને આવરી લેતી વેબ આધારિત મોનીટરીંગ પદ્ધતિ રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવશે. આ પદ્ધતિમાં સંસદ સભ્ય અને બીજા મહત્વના હિતાધિકારીઓ લોગ-ઈન કરી શકશે અને સૂચનોટીકા-ટિપ્પણી અને પ્રશ્નો અથવા ફરિયાદો કરવા જોગવાઈ કરવામાં આવી હશે. અમલ કરનાર અધિકારીઓ તેનો તરત જ પ્રતિભાવ આપશે.

5        આ કાર્યક્રમ હેઠળ હાથ ધરેલી દરેક પ્રક્રિયાના ફોટા પાડવામાં આવશે, તેને જિઓ-ટેગ કરવામાં આવશે અને જાહેર ક્ષેત્રમાં (પબ્લીક ડૉમેઈન) ઉપલબ્ધ કરવામાં આવશે. તે જ પ્રમાણે તમામ અસ્કયામતોના જુદા જુદા તબક્કાના ફોટાઓ પણ મૂકવામાં આવશે

6        ગામ વિકાસ આયોજનમાં જણાવેલ દરેક પ્રવૃત્તિના દર ત્રણ માસે મળેલ પરિણામો તથા ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકોની સિધ્ધિની વિગતો આપવામાં આવશે. તદઉપરાંત બારમી પંચવર્ષીય યોજનાના મોનીટરીંગ થઈ શકે તેવા હાર્દરૂપ સૂચકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે શકય હોય ત્યાં સુધી વખતોવખત પરિણામોની સમીક્ષા કરવામાં આવશે

7        મૂલ્યાંકન કાર્યક્ષમ સ્વતંત્ર એજન્સી મારફત કામગીરીનું વચગાળાનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે

8        તદઉપરાંત યોજના પૂર્ણ થયા પછી કામગીરીની અને પરિણામોની સમીક્ષા કરવામાં આવશે

એવોર્ડે

નીચે જણાવેલ કક્ષામાં એવાર્ડ આપવાનું વિચારાયું છે

  • ઉત્તમ પ્રથા
  • ઉત્તમ ચાર્જ અધિકારી
  • ઉત્તમ જિલ્લા કલેકટર
  • ઉત્તમ આદર્શ ગામ

ટકાઉપણું

પ્રોજેકટ પછીનું ટકાઉપણું નીચે જણાવેલ બાબતો મારફતે સિધ્ધ થવાની અપેક્ષા છે

  • સંસદ સભ્યની નેતાગીરી અને માર્ગદર્શન સતત ચાલુ રાખીને
  • કાર્યક્રમ હેઠળ ઉભી કરેલી અસ્કયામતોની કામગીરી અને નિભાવ અંગે ભૂમિકાની સ્પષ્ટતા સહિતની ગ્રામ પંચાયત અને ગ્રામ સમુદાયની મજબૂત માલિકી અને નેતાગીરી સ્થાપિત કરીને
  • ગંદા પાણીની ટ્રીટમેન્ટ (સ્યુ અરેજ) અને પાણી પુરવઠાની વિશાળ યોજનાઓ જેવી વધારે મોટી અસ્કયામતોની કામગીરી અને નિભાવમાં ખાનગી ક્ષત્રની સામેલગીરી.
  • અળસિયાનું ખાતર નાની પાણી પુરવઠા યોજનાઓ, પોષણ કેન્દ્રો, નાગરિક સેવા કેન્દ્રો, ગ્રંથાલયો વગેરે જેવી સમુદાયની નાની અસ્કયામતોની કામગીરી અને નિભાવમાં સ્વસહાય જૂથોની સામેલગીરી.
    યોજનાની મંજૂરી સમયે સ્વીકારવામાં આવેલ કામગીરીના અમલની અને જાળવણી અંગે ખાતાકીય જવાબદારીઓની સ્પષ્ટતા. યોજના હેઠળ મંજૂર થયેલ પ્રોજેક્ટોમાં સ્વીકારવામાં આવેલ કામગીરીઓ અંગે અને કામગીરીઓના અમલ અને નિભાવણી માટે વિભાગોની જવાબદારી અંગે સ્પષ્ટતા કરતી જોગવાઇઓ.

ઊઠો, જાગૃત બનો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અઢશો નહીં.

પંચની કચેરીમાં રાજ્ય ચૂંટણી કમિશ્નર ઉપરાંત સચિવ સાથે જુદા જુદા સંવર્ગોની જરૂરી જગ્યાઓ મંજુર થયેલ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંચાલનના નિયમો પ્રમાણે જિલ્લા કલેકટર પંચાયત ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારી, નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી તથા મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેર ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા છે. ગ્રામ પંચાયતોના વોર્ડોની રચના તથા બેઠક ફાળવણી કરવાના અને ચૂંટણી સંચાલનના રાજ્ય ચૂંટણી પંચના અધિકારો જિલ્લા કલેકટરશ્રીઓને સુપ્રત થયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્યના મહેસુલ / પંચાયત તથા અન્ય કચેરીના અધિકારોની સેવાઓ રાજ્ય ચૂંટણી પંચને ઉપલબ્ધ કરવામાં આવે છે.

  • સીમાંકન અને બેઠક ફાળવણી કરવી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા છેલ્લા પ્રસિદ્ધ વસ્તી ગણતરીના આંકડાઓ આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વોર્ડ / મતદાર મંડળની રચના, સીમાંકન અને બેઠક ફાળવણીની કામગીરી કરવાની રહે છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અને વિકાસ કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાલુકા / જિલ્લા પંચાયતોના વોર્ડ / મતદાર મંડળની સંખ્યા, બેઠકોની સંખ્યા અને અનામત બેઠકો (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગો અને મહિલાઓ માટેના જાહેરનામા કરવામાં આવે છે.

અગાઉ 1991 ની વસ્તી ગણતરી પ્રમાણે વોર્ડ / મતદાર મંડળની રચના, સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવેલ હતી અને તે પ્રમાણે ચૂંટણીઓ કરવામાં આવેલ હતી.

હવે 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે જાહેરનામાઓ આધારે જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા તથા નગરપાલિકાની સીમાંકન અને બેઠક ફાળવણીની વિગતો પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાયેલ છે.

  • મતદારયાદીઓ તૈયાર કરીને પ્રસિદ્ધ કરવી

ભારતના બંધારણના અનુચ્છેદ: 243-ડ અને 243: વ-ક તથા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાયદાઓ એટલે કે, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ -20 (1), ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963 ની કલમ -9 (ર) તથા મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ -1949 ની કલમ -8 (ર) ની જોગવાઇઓ પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વોર્ડવાર મતદારયાદીઓ તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવવાની તથા વખતો-વખત સુધરાવવાની કામગીરી બજાવવાની રહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાયદાઓ પ્રમાણે, વિધાનસભા મતદાર વિભાગની મતદારયાદીઓ પરથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદારયાદીઓ તૈયાર કરવાની થાય છે. રાજ્ય ચૂંટણી પંચે આ માટે રાજ્ય સરકારના અધિકારીઓની મતદાર નોંધણી અધિકારીઓ તરીકે નિયુક્તિ કરી છે. પંચે 1993 પછી યોજેલ ચૂંટણીઓ માટે વિધાનસભા મતદાર વિભાગની મતદારયાદીઓ પરથી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદારયાદીઓ તૈયાર કરાવી સમયસર ચૂંટણીઓ યોજી છે. વિધાનસભા મતદાર વિભાગોની મતદારયાદીઓ પરથી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વોર્ડવાર મતદારયાદીઓ નિયમિત તૈયાર કરાવવામાં આવે છે અને વખતોવખત તે સુધારવામાં આવે છે.

વિધાનસભા મતદાર વિભાગોની મતદારયાદીઓ ભારતના ચૂંટણી પંચે તા. 1-1-2009 ની સ્થિતિએ તૈયાર કરેલ છે. જેના પરથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની તા. 1-1-2009 ની સ્થિતિએ ફોટા વગરની મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.વિધાનસભા મતદાર વિભાગોની ફોટાવાળી મતદારયાદીઓ ઉપરથી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની કામગીરી આગામી સમયગાળામાં હાથ ધરવામાં આવનાર છે.

આગામી સામાન્ય ચૂંટણીઓ માટે તા. 01-01-2010ની સ્થિતિએ મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. લાયક મતદારોએ વિધાનસભાની યાદીમાં ન હોય તો તે તેમના નામ દાખલ કરવા / ફેરફાર કરવા નિયત નમૂનામાં મતદાર નોંધણી અધિકારીને અરજી કરવાની રહે છે. જે જરૂરી ચકાસણી કરી નામ દાખલ કરવા વિનંતી કરશે અને તેઓનું નામ મતદાર યાદી (પુરવણી સહિત) માં તે પ્રમાણે દાખલ થશે, મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

  • મતદારોની સુવિધા માટેની કામગીરી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) કોઇ કારણોસર રજૂ કરવાનું રહેશે.

ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.

  • ફોટા સાથેનો પાસપોર્ટ
  • ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ
  • ફોટા સાથેનું ઇન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
  • રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ઙ
  • પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક
  • માન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીના હાલમાં ચાલુ અભ્યાસ દરમ્યાન આપવામાં આવેલ ફોટા સાથેના વિદ્યાર્થી ઓળખકાર્ઙ
  • ફોટા સાથેના મિલકતના દસ્તાવેજો જેવા કે, પટ્ટા, રજીસ્ટર્ડ દીઠ વગેરે
  • અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ (ઓબીસી) નું સક્ષમ અધિકારીનું ફોટ સાથેનું પ્રમાણપત્ર.
  • ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર / માજી સૈનિકની વિધવા / આશ્રિતોના પ્રમાણપત્રો મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર
  • કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ઙ
  • ફોટા સાથેના હથિયારોના લાયસન્સ
  • સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર
  • રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાહેંધરી યોજના (NREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ફ.
  • કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોની સુવિધા માટે નીચે પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.
  • ઇ.વી.એમ. ના ઉપયોગ માટે મશીનોનું નિર્દશન કરવામાં આવે છે. જાહેરાતો આપવામાં આવે છે. જેથી મતદાન કરવામાં સરળતા રહે.
  • મતદાન મથકે પાણી, પ્રાથમિક સારવાર માટેની દવા વિગેરેની વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે.
  • ચૂંટણી ખર્ચની મર્યાદા અંગેની કામગીરી
  • ગુજરાત ની ભારતની પશ્ચિમ સરહદે આવેલો પ્રદેશ છે. ગુજરાતના ઈતિહાસ માં મૂળ ચાર હજાર વર્ષ પહેલા વિકસેલા અને હવે કાળાગતામાં વિલીન થઇ  ચુકેલી પ્રાચીન સભ્યતા સુધી પહોચે છે. એ કાળે ગુજરાત દરિયાકાંઠા દ્વારા પ્રાચીન વિશ્વ સાથે જોડાયેલું હતું. અને એ જ પરંપરા પરિણામ છે કે નવી નવી શોધખોળો કરવાની , વ્યાપાર અને સાહસ ખેડવાની વૃતિઓ ગુજરાતની પ્રજાના લોહીમાં વણાયેલી છે. પ્રાચીન ધર્મકથાઓના ખુબીયા તો એથી ઊંડા અને વિસ્તરેલા છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને યાદવો માટે નવી નગરી વસાવી તે ગુજરાત ના પશ્ચિમ કાંઠે , દ્વારિકા નગરી. આજે એ નગર દ્વારકા નામે ઓળખાતું તીર્થધામ   છે જ. પણ એનો એક અર્થ પ્રવેશદ્વાર પણ થાય છે. ઉત્થાન ની  ગાથા પણ આ સ્થળ થી ખાસ દુર નહિ એવા પ્રદેશ માંથી શરુ થાય છે. ગુજરાત ના દ્વીપકલ્પના પૂર્વ કાંઠે થી. ગુજરાતનો આ પ્રદેશ ભાલ પ્રદેશ નામે  ઓળખાય છે. ખંભાતના અખાતની નજીક ધંધુકાથી શરુ થઇ ને આ વિસ્તાર ઉત્તર દિશામાં આગળ વધે છે.
  • અરબી સમુદ્રના કાંઠાનો આ દ્વીપકલ્પ ગુજરાત. ગુજરાતનો સમુદ્રકાંઠો પણ એક સમયે હરિયાળો અને ફળદ્રુપ હતો . દરિયાકાંઠાથી ૨૫ કિલોમીટર અંદર આવેલું ધોલેરા એક સમયે ધમધમતું બંદર હતું. દરિયાકાંઠાથી લઇને અંદર ઊંડે સુધી તમ્મર ચેરિયા થી સુરક્ષિત હતું. ૧૯મી સદીના અંતના દાયકાઓમાં ધીમે ધીમે દરિયાકાંઠે કાળનો ભરાવો થતો ગયો અને વહાણોને અંદર સુધી લઇ જવાનું મુશ્કેલ બન્યું. પરિણામે ધોલેરા બંદરનો સમુદ્રી વેપાર ઘસાતો ગયો. એક તરફ આ કુદરતી પરિબળો  હતા તો બીજી તરફ હતા માનવસર્જિત પરિબળો. આ સમયગાળામાં ભારતમાં નવી નવી શરુ થયેલી વિદેશી વસાહતો શાસન વ્યવસ્થા ને ભારત માં ઉત્પન્ન થતો કાચો માલ તેમના દેશ ઇંગ્લેન્ડના ઉદ્યોગોને પહોચાડવા રેલ વ્યવસ્થાની જરૂર હતી. ને તેના માટે રેલ્વેના પાટા અને પાટાની નીચે ગોઠવવા લાકડું મેળવવા વન ઉચ્છેદન શરુ થયું. વૃક્ષો ઓછા થતા ગયા. મધ્ય અને પશ્ચિમ ભારતમાંથી વહીને ખંભાતના અખાતમાં મળતી નદીઓના વહેણ સાથે ખેચાઈને આવેલો કાંપ રોકવા જમીન  પર જરૂરી વૃક્ષો ન રહ્યા. દરિયાકાંઠે જમા થતા જતા કાંપે ધોલેરાને દરિયાકાંઠાથી દુર કરી દીધું. વ્યાપાર પડી ભાંગ્યો.
  • આ પ્રદેશમાં જમીનીની ગુણવત્તા ઘણી નબળી છે. જો કે એ તો પ્રમાણમાં તાજેતર માં સર્જાયેલી હાલત છે. આ વિસ્તારમાં વસતા વૃદ્ધજનોને હજુ પણ એમણે યુવાની  અહીં જોયેલા વનવિસ્તાર યાદ છે. પશુઓને પુરતો ચારો અને બીજા વન ઉત્પાદનો એ સમયે અહીં સુલભ હતા. પરંતુ વન ઉચ્છેદનના પરિણામે ખુલ્લી પડી ગયેલી જમીન, દરિયાના પાણીને ધસી આવતા રોકનારું કશું ન રહ્યું. દરિયાની ભરતી ના પાણી અંદર ધસી આવીને જમીનને ક્ષારીય બનાવતા ગયા. વળી અહીંથી બહુ દુર નહીં એવા કચ્છમાંથી ત્યાં ચારો ખૂટી પડતા ઊંટોના ધણો ને અહીં સુધી ચરવા લાવવાનું શરુ થયું. એનાથી રહ્યા સહ્યા તમ્મર વિસ્તારો પણ નષ્ટ થયા. શું બન્ની માં કે શું અહીં ઊંટોના ચરીયાણો ફરી નવીનિકરણ કરવાની કંઈજ પરવા કરવામાં ન આવી. ક્ષારીયતાની ખેતી પર અસર પડી. લોકો પશુઓને અંદરની તરફ લઇ જવા માંડ્યા . કુદરતી રીતે મળી રહેતું છાણીયું ખાતર દુર્લભ બનવા માંડ્યું . જમીનની ગુણવત્તા અને ઉત્પાદકતા ઝડપભેર  ઘટવા માંડ્યા. અત્યારે એવી સ્થિત આવી ગઈ કે જમીન ખોદીએ તો ત્રણ જ ફૂટ ઊંડે ક્ષાર ના થર મળે છે. ભરતી સમયે દરિયાકાંઠે થી ખાસ્સા  દુર આવેલા ગામો સુધી દરિયાના પાણી પહોચી જાય છે. બે મોટી ખાડીઓ વચ્ચે આવેલી સપાટ જમીનને ભરતી પાણી  લગભગ ઢાંકી દે છે પવનોના જોરદાર ઝાપટા ખારાશને હજી એ અંદર સુધી ખેંચી જાય છે.
  • ભાલ નો દરિયાકાંઠો અત્યારે તો એકદમ સપાટ, ખુલ્લો , ઉજ્જડ વિસ્તાર છે. દરિયાની ભરતી ને લીધે ઠેક ઠેકાણે નાની નાની ખાડીઓ બની ગઈ છે. વર્ષોવર્ષ જમીન ની ક્ષારીયતા વધતી જાય છે. અને એથી જ ભાલ પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ ગરીબ પ્રદેશ બની ગયો છે.
  • કહે છે કે  આ પ્રદેશનું નામ ભાલ પણ એટલે જ પડ્યું કે ભાલ અર્થાત કપાળ - સીધું સપાટ અને ખાલીખમ. આ વિસ્તાર પણ જાણે ભાલ છે, ગુજરાતનું ! અહીં માતાજી નું મંદિર છે સ્થાનિક લોકો આ માતાજીને વિષમ હવામાનથી તેમનું રક્ષણ કરતી શક્તિરૂપે પૂજે છે. મંદિર માં રોજ દીવાબત્તી થાય છે. રોજ લોકો મંદિરે જાય છે સુખ સમૃદ્ધિ માટે માતાજીન પ્રાર્થના  કરે છે. ક્યારેક તો દિ' પલટાશે એવી શ્રધા સાથે માતાજી ને નમન કરે છે.
  • અહીં  સમાજવ્યવસ્થા  અતિરેક પિતૃસત્તાક  વ્યવસ્થા છે. વળી, જ્ઞાતિ, વર્ગ ભેદભાવ પણ અતિશય દ્રઢ છે. સમુદાયને સંગઠિત કરવામાં આ બાબતો અવરોધરૂપ બને છે. આટલું ઓછુ હોય તેમ જમીન ખેડવા યોગ્ય ન રહી હોય તેમ અતિશય ઓછો અને અનિયમિત હોય તેવી સ્થિતિમાં આજીવિકા માટે સ્થળાંતર અનિવાર્ય બને છે. આ અવરોધો વધારે દ્રઢ કરે છે. પુરુષો ઘણું ખરું બહાર જતા રહે છે. સ્ત્રીઓ ગામમાં રહે છે. વૃદ્ધો, બાળકોને સંભાળવા માટે દેવું અહીં જીવનક્રમ છે. અહીં વર્ચસ્વ ધરાવતી દરબાર જ્ઞાતિ શાહુકારી પણ સંભાળે છે. રહ્યા સહ્યા કુદરતી સંસાધનો પર પણ એમની પકડ રહે છે. એ સાથે પિતૃ સત્તાત્મક પરંપરાન પહેરેદારો હતા અને તેના માટે સરકારી દરમ્યાનગીરીઓ આ સમસ્યાઓ ને પૂરતા પ્રમાણ માં સંબોધી શકી નથી. ઉલટું, સામાજિક -રાજકીય યથાવત પરિસ્થિતિઓ દ્રઢીભૂત બની છે. એની જે પાણી છે તે વીરડા ગાળી ને કાઢેલું ખારું પાણી હોય છે. અને છતાં એને માટે પણ અતિ ગંભીર સંઘર્ષો થાય છે. પાણી લેવા માટે ૫-૬ કિલોમીટર  ની મજલ કાપવી, રોજબરોજ તો સાવ સામાન્ય બાબત છે.  અને તેનો ભોગ બન્યા છે સ્ત્રીઓ અને બાળકો, દેવું, લાંબો સમય ઘરથી વિજોગ, બેફામ ભ્રષ્ટાચાર અને વધતી જતી જેન્ડર અસમાનતાઓ અહીંની સ્ત્રીઓ અને ગરીબોનું તકદીર તૂટતા જતા સમુદાયમાં એમણે ટકી રહેવું હોય તો પોતાના થકી જ ટકી રહેવાનું હોય છે.
  • 'આપણે ભાલ માં કામ કરીએ' લઘુ સ્તર ના બ્લોક લેવેલે પ્લાનિંગ (તાલુકા સ્તરનું આયોજન) અમલમાં મુકવા માટે તેમણે ભાલ પ્રદેશને પ્રયોગશાળા તરીકે પસંદકર્યો. બે વર્ષ પહેલા ભારત સરકારે ધંધુકા તાલુકામાં આ યોજના શરુ કરી હતી. ધંધુકા આ જ વિસ્તારનો તાલુકો છે . આ પહેલા લગભગ એક દાયકાથી ભારત માં આયોજન આર્થિક વિકાસ અને કુદરતી સંસાધનો સંરક્ષણ વચ્ચે  બહેતર સંતુલન ઉભા કરવા પ્રયત્નો શરુ થયા હતા. ૧૯૭૨મા ભારત ના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ સ્ટોક હોમ ખાતે મળેલા માનવ પર્યાવરણ અધિવેશનમાં કહ્યું હતું કે પર્યાવરણ પર ઉભા થતા જોખમોનું મુખ્ય કારણ ગરીબી જ છે આ વિધાન સાથે તેઓએ એક ક્રાંતિકારી વિચાર રજુ કર્યો હતો. ૧૯૭૪માં હિમાલયની તળેટીએ આવેલા ચમોલી જીલ્લા ના રેલી ગામ માં પચાસ વર્ષની સ્ત્રી ગૌરાદેવી એ અને તેમના જેવી બીજી ગ્રામીણ સ્ત્રીઓએ વૃક્ષછેદન  માટે આવેલા લોકોને વૃક્ષો કાપતા અટકાવવા વૃક્ષોને વળગી રહીને વૃક્ષો છેદનનો સફળ વિરોધ કર્યો હતો. આ આંદોલન ને 'ચિપકો' આંદોલન કહેવાયું. ધરતી પર હરિયાળી જાળવી રાખવાની તાકાત સ્ત્રીઓ પાસે જ છે. એ હકીકતની અભિવ્યક્તિ તરીકે આ આંદોલન સમગ્ર વિશ્વ વિખ્યાત બની ચુક્યું છે. 'ચિપકો' આંદોલને સમગ્ર ભારતમાં પ્રયાવરણ વિષયક સભાનતા પ્રગટાવી . ૧૯૮૦ સુધીમાં તો ભારત આધારક્ષમ વિકાસની રીતોની શોધમાં એક નોંધપાત્ર બળ બની ગયું અને પર્યાવરણ માટેની વૈશ્વિક વ્યૂહરચના ઘડવાના પ્રયત્નોમાં સહભાગી બન્યું. ઇન્ટરનેશનલ યુનીયન ફોર કોન્ઝર્વેસન  ઓફ નેચર,  ધી યુનાઈટેડ  નેશનલ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ અને વર્લ્ડ વાઈલ્ડ લાઇફ ફંડ દ્વારા સાથે મળીને આ વ્યૂહરચના વિકસાવામાં આવી. 'ચિપકો' આંદોલન અને એવા બીજા આંદોલન સાથે દેશમાં પર્યાવરણ વિષયક ઝુંબેશ શરુ થઈ ચુકી હતી અને સ્પષ્ટપણે જણાવા માંડ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને તેમના પોતાના વિસ્તારમાં સત્તા આપવી એ સમયની માંગ બનતી જાય છે. બી એલ પીની (તાલુકા સ્તર આયોજન ) વિભાવનામાં વિકેન્દ્રીકરણની દિશાના વલણો અને અભિગમોનું પ્રતિબિંબ  દેખાઈ આવતું હતું. પછી ૧૯૭૫માં  ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. એ પછી ૧૯૭૭મા દેશભરમાં ચુંટણીઓ યોજાઈ અને જનતા પક્ષનો જ્વલંત વિજય થયો. એ પછીના ત્રણ વર્ષ  એ પક્ષમાં ચાલતી આંતરિક તકરારો ને માટે વધારે જાણીતા છે. પરંતુ ઓછી જાણીતી એવી બીજી એક બાબત આ દરમ્યાન બની રહી હતી અને તે ભારતના રાજકારણ અને સમાજમાં ધીમા પણ સ્પષ્ટ પરિવર્તનો આવી રહ્યા હતા, જો કે એની ખાસ જાણ ન હોતી થઈ. પર્યાવરણ, આદિવાસીઓ અને આજીવિકાના અધિકારો, નારીવાદી  અને માનવ અધિકારની  ચળવળો આ બધું જ વધુ ને વધુ જોર પકડી રહ્યો હતું. સામાજિક કર્મશીલો ની એક પેઢી એના પ્રભાવ હેઠળ આવતી હતી. ચાર મહિલાઓ પદ્મા ચૌગુલે - તાતા ઇન્સ્ટી. ઓફ સોશીઅલ સ્ટડીઝ માંથી , પીનેલોપ ઝારા- હાવર્ડ યુનીવર્સીટી માંથી, ઇન્દુ મિશ્રા દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી માંથી અને નફીસા બેનસાહેબ - વડોદરા મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીમાંથી વ્યાવસાયિકો અભ્યાસક્રમ પૂર્ણ કરીને અમદાવાદ સ્ટડી એકસન ગ્રુપ - અસાગ સાથે જોડાયા હતા.   આ કાળ ખુબ જ અશાંતિનો હતો. અસાગ નાવીન્યપૂર્ણ કાર્યના એક કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું હતું. આ ચાર યુવતીઓની સાથે વિકાસકાર્યોમાં રસ ધરવતઓ એક આર્કિટેક યુવાન નીતિન રીસવડકર  પણ હતો. આ સૌની પાર્શ્વભુ  સાવ ભિન્ન ભિન્ન હતી. એ રીતે જોઈએ તો બધા એકબીજાથી અનેક રીતે અલગ પડતા હતા. આમ છતાં એમનામાં એક વાત સહિયારી હતી. અને તે એ કે એમને બધાને ગ્રામીણ લોકો અને તેમની સામર્થ્ય પ્રાપ્તિ માટે કામ કરવાની, પ્રોજેક્ટો નહીં પણ મુદ્દાને કેન્દ્રમાં રાખીને લોકોને સંગઠિત કરવાની તીવ્ર ઈચ્છા હતી . ૧૯૮૧ સુધીમાં ૧૯૭૭ની ચૂંટણીઓ  ઇન્દિરા ગાંધીનો અપયશભર્યો પરાજય એક જૂની વાત થઇ હતી. ઇન્દિરા ગાંધીનો પુત્ર રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશ ની એક બેઠક પરથી ચુંટણી લડ્યા અને વિજયી બન્યા. પ્રજાને આશા બંધાઈ કે એમને પ્રગતિશીલ વિચારો ધરાવતો, ઉદારમતવાદી, ધર્મનિરપેક્ષ ખ્યાલો ધરાવતો એક યુવાન નેતા મળ્યો છે.
  • રાજીવ ગાંધી નોકરશાહી તંત્રને સરકારી યોજનાઓને નવું જીવન અને સુસંગતતા આપવા આગ્રહ કરી રહ્યા હતા. બી પી એલ વિચાર ઉત્થાન ડેવલોપમેન્ટ એન્ડ એક્શન પ્લાનીગ ટીમ ચર્ચા અને વિચારણા માટે ઉદ્દીપક બની રહ્યો હતો. ખ્યાતનામ અર્થશાસ્ત્રી પ્રો. એમ. એલ. દાંતવાળાનો નેતૃત્વ હેઠળના કાર્યજૂથ દ્વારા રજુ કરવામાં આવેલા એક અહેવાલ આ ટીમે સ્થાનિક બી. પી.એલ. દ્વારા સામર્થ્યપ્રાપ્તિ ની નીતિ ઘોષણા તરીકે અપનાવ્યો હતો. તેમની માન્યતા એવી હતી કે જો સ્થાનિક સંસાધનોને રોજગારીની તકો  સર્જવા માટે પ્રયોજવા માં આવે તો  ભાલ પ્રદેશમાં ઘણી બધી સંભાવ્યતાઓ રહેલી છે. જરૂર હતી સ્થાનિક સમુદાયને સંગઠીત  રૂપે સક્રિય કરવા અને આ સંગઠનો 'માહિતી આદાન પ્રદાન, સરકારના કાર્યક્રમો વિષે લોકોમાં જાગૃતિ વધારવી અને સ્થાનિક લોકોને જ તેમના પ્રદેશના વિકાસ  માટેની જવાબદારી ઉપાડી લેવા તાલીમ આપીને કરવાના કામો માટે તૈયાર કરવા અને તેઓજ કામો ઉપાડી લે તેમ કરવાની  જરૂર હતી. અમદાવાદ માં ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર પ્રો. રવિ મથાઈ એ જ સમયગાળા માં એક ક્રાંતિકારી પ્રયોગ શરુ કર્યો હતો.  ' ધ રૂરલ યુનીવર્સીટી' નો  રાજસ્થાનના અતિ ગરીબ જવાજા બ્લોકમાં આ પ્રયોગ હાથ ધર્યો હતો. પ્રો. મથાઈએ નક્કી કર્યું હતું કે એ વખતે હજી નવીસવી ગણાતી મેનેજમેન્ટ અને ટેક્નોલોજીની વિદ્યાશાખાઓ ને ભારતની ગરીબી અને દમનના ગંભીર પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયોજી શકાય કે નહીં તે ચકાસી   જોવું.  વળી, જ્ઞાન અને શક્તિના આ પરિબળો ભલે ગમે તેટલા શુભ તેઓ સાથે પ્રયોજવામાં આવ્યા હોય છતાં તે બહારના પરિબળો હતા અને  લોકો તેના પર અતિનિર્ભર ના બની જાય તેની કાળજી પણ રાખવાની હતી. પ્રો. રવિ મથાઈ એ આ યુવાન ટીમને હિમતભેર આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. એમણે ટીમને એવી ખાતરી પણ આપી કે લગભગ અશક્ય ગણાઈ ચૂકેલું કામ ઉપાડવામાં એ લોકો એકલા ન હતા. એમણે સૂચવ્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સંસાધનોનો આધાર લઇ ને જ કામ કરવું. બહારના લોકોની મદદ લેવી તો એ માત્ર ઉદ્દીપક તરીકે, એથી વધારે નહીં જે કોઈ પ્રવુતિ થાય તેમાં સ્થાનિક લોકોને સાંકળવા. સ્થાનિક સંસાધનોનું મુલ્ય વધારવાનો પ્રયત્ન કરવો અને સૌથી મહત્વની બાબત એ કે ટીમના બધા જ પ્રયત્નો સ્થાનિક પ્રજાને સ્વનિર્ભર બનાવવાના ધ્યેય સાથે કરવા. ગ્રામીણ સમુદાય પોતાના કામો પોતે સાંભળી શકે અને કામ દ્વારા જે મૂલ્યવર્ધન થાય તેને પણ સાથે મળીને સાચવી રાખે શકે તેવી રીતે તેમની સક્ષમતાને કેળવવી અને  પ્રયોજવી.
  • ભાલની જ્ઞાતિવ્યવસ્થા સંકુલ હતી. એને સમજી લઈ ને પછી જ કામ કરવાનું હતું. અહીંની દરબાર કોમ જે ઉચ્ચ વર્ણ  ગણાતી તે મુખ્યત્વે શાહુકારી કરતી હતી. એમના હાથ ઉપર હતા. અને સ્થાન મહત્વનું હતું. કોળી, પટેલ, ભરવાડ અને દલિત કોમો વર્ચસ્વ ધરાવતી  હતી. કોળી  પટેલ  પહેલા માછીમારી કરતા હતા. પણ ધીમે ધીમે ખેતી તરફ વળતા જતા હતા. કોળી પટેલો અનુસુચિત જનજાતિમાં ગણાતા ન હતા. તેથી એમને બેય બાજુથી ભોગવવું પડતું. ઉચ્ચ વર્ણના દમન શોષણ સહેવા પડતા અને અનુસુચિત જાતિઓ અને જનજાતિઓને જે સરકારી લાભ મળે તે આ લોકોને ન મળે. ભરવાડો પશુઉછેર કરતી કોમ એ લોકો કોળી પટેલથી ઊંચા ગણાય. આર્થિક સ્થિતિ પણ થોડી આવી. પરંતુ પશુ ઉછેરમાં ચાર પાણીની અછતને લીધે એમને આજીવિકામાં બીજો વિકલ્પો શોધવા પડતા હતા. દલિતોને આ બંને કોમો અસ્પૃશ્ય અને નિમ્ન  ગણે. એ લોકો મૃત પશુઓનું ચામડું કમાવવાના, જાજરૂ ધોવાના અને પશુઓના શબોનો નિકાલ કરવાના કામો કરે છે.  ટીમે જયારે અહીં કામ કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પહેલું કામ કોળી પટેલ, દલિત અને હાંસિયામાં  રાખી દેવાયેલી (માર્જીનાલીઝ)  ગરીબ કોમોની  સ્થિતી  અને સ્તરના દસ્તાવેજીકરણનું કર્યું. આ સંશોધનમાં મળેલી વિગતો વ્યવસ્થિત રીતે સત્તાતંત્રને અને સમુદાયને આપવામાં આવતી હતી. સમૃદ્ધ વર્ગોએ તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા. આ રીતે ટીમને તીવ્ર વિરોધનો અનુભવ થયો. એમના હેતુ વિષે આશંકા પણ દર્શાવવામાં આવી. નફીસા કહે છે કે સૌથી પહેલા નડતરો તથા પ્રત્યાયન અને વિશ્વાસ વિશેના, “કોઈ અમારી સાથે શું કામ વાત કરે”? ભાલ માં બહારથી ઘણા લોકો મોટર માં બેસીને આવતા અને પાછા જાય. એનાથી ઉડતી ધૂળ સિવાય લોકોને કશું જ ન મળતું . વાતો બધા કરે પણ કોઈ કશો ઉપાય ન બતાવે. આમ પણ અમે શહેરી લોકો હતા. એમને અમારા પર શંકા આવે જ. એટલે અમારે સૌ પહેલા તો એમનામાં અમારા માટે વિશ્વાસ જગાડવાનો હતો. અને એમ કરવા અમારે એમની વાતો સંભાળવાની હતી. આ કામ માટે અનુસુચિત જાતી અને બીજા પછાત સમુદાય ના પ્રતિનિધિઓની એક સમિતિ અમે બનાવી એટલે સત્તાધીશ માળખાનો વિરોધ ઉઠ્યો. ટીમને ધમકી મળી ' અસ્પૃશ્યો સાથે એક ભાણે જમો છો એ નહિ ચાલે' આ ગામો છોડી ને જતા રહો.
  • આમ છતા એક વ્યક્તિ હતી જેણે આ યુવતીઓને આવકારી. એ હતા દેવુબહેન. દેવુબહેન અમને જોતા હતા. જાણે અમારી સાથે કામ કરવાની શક્તિ માપતા  હતા. પછી જયારે એમને અને બીજા બહેનોને ખાતરી થઇ કે અમે  વિશ્વાસ રાખવા લાયક છીએ, ત્યાર પછી સંવાદ ખરેખર શરુ થયો. એ પછી જે કામ થયું, તેનો ઉદ્દીપક  દેવુબહેન બન્યા. દેવુબહેન પોતે દલિત કુટુંબના હતા. એમની સાથે હજી પણ એવો જ વ્યવહાર રખાતો  હતો. ટીમના સભ્યોને કાચના કપમાં ચા આપવામાં આવે., દેવુબહેનને એક રકાબીમાં. પણ હવે એક ફેર પડ્યો હતો કે આ વાત અમદાવાદથી આવેલી આ છોકરીઓને પણ સમજાતી હતી. એ લોકો દેવુબહેનની સાથે બેસતા, પેટ છુટ્ટી વાતો કરતા.. એમની પાસેથી જ આ યુવતીઓને  સ્થાનિક પ્રજા વિષે સમજ મળી.
  • વર્ષોના જ્ઞાન અને અનુભવ માંથી ઘડાયેલા વિચારો જાણવા મળ્યા. લોકો સદીઓ થી જેમાંથી વંચિત રહ્યા હતા તેને માટે આશા અને ધીરજના પાઠ શીખવા મળ્યા. શીખવાનું શરુ થઇ ગયું.  ધીરે ધીરે   દેવુબહેનની સાથે બીજા લોકો પણ આ 'ચંડાળ ચોકડી' સાથે વાત કરતા થયા. વ્યૂહરચના ઉભરવા માંડી. દેવુંબહેન સાથે જોડાયેલી બીજી એક બહેન હતી. નામ એનું જસોદા. કોળી પટેલ કોમની નિસંતાન સ્ત્રીએ સમાજની અવગણના વેઠી હતી. અને હવે એ દુનિયાની સામે થવા તૈયાર હતી.
  • જ્ઞાતિ અને સમુદાય વિશેની સભાનતા ભાલના જીવનમાં ખુબ શક્તિશાળી ભૂમિકા ભજવે છે. આ સભાનતાની સમજ અને પાચ તેનું દ્રઢીકરણ થાય તેવા બનાવો દેશમાં બીજે પણ બનતા હતા. વ્યક્તિગત અનુભવો પણ થતા હતા. બિહારમાં ભાગલપુરમાં પોલીસો દ્વારા દલિત કેદીઓને આંધળા  બનાવી દેવાની બીના, બિહાર શરીફમાં હિન્દુ અને મુસ્લિમ પડોશીઓ વચ્ચે રમખાણો, સમગ્ર દેશમાં ચિંતાના વિષયો બની ચુક્યા હતા. નફીસા પોતે મુસ્લિમ હતી એના પતિ રાજૂ બારોટ હિંદુ હતા. એમ બને વિરોધ છતાં ય લગ્નગ્રંથીથી જોડાયા હતા. આમ સામાજિક રીતે હવે જણાઈ રહ્યું હતું કે પૂર્વગ્રહો અને પ્રતિબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે હોય છે અને તેમની કઈક ભૂમિકા પણ  હોય છે. વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું આ સમિશ્રણ ઉત્થાનના કલ્ચરનું બનવાનું હતું.
  • ૧૯૮૧માં  ઉત્થાનની નોધણી કરાવવામાં આવી. સંસ્થાનું નામ ખુબ વિચારપૂર્વક નક્કી કરાયું.  ઉત્થાન અર્થાત ઉપર ઉઠવું. અનુભવોથી સમજાયું કે સ્થાનિક નેતૃત્વ અને પરિવર્તન માટે કામ કરવું હોય તો એ બાબતે ઉત્તરદાયી બનવું જોઇશે . અહી પરિવર્તન એટલે સત્તાનું કેન્દ્ર પણ ખસેડવાનું હતું અને નિર્ણય લેવાની ક્ષમતા પણ બદલવી પડે. નીતિન રીસવાડકરના અમદાવાદના ઘરની અગાસીમાં કામ ચલાઉ ઓફીસ બનાવી ત્યાંથી બહારનું કાર્ય કરવાનું હતું એ જ વર્ષે માહિતી સંસ્થા પણ શરુ કરવામાં આવી. માહિતીએ ધંધુકાથી સ્થાનિક સ્તરએ ઉદ્દીપકનું કામ કરવાનું હતું. અહીંથી લોકોની, ખાસ કરીને સ્ત્રીઓની સૂઝ-સમજનો ઉપયોગ કરીને તેમને આધારક્ષમ  બની રહે તેવા વિકાસ માટે તેમને સક્રિય બનાવાવની હતી. સૌને લાગતું હતું કે 'લોકો પાસે તેમના પોતાના સંસાધનો તો છે પણ એ બધા પ્રશ્ન  રહેલા છે અને વેરવિખેર પડેલા છે. એ બધાને જો જોડી શકાય તો તેમને પોતાના વિકાસ માટે કામ કરવા દોરવણી આપી શકાય . જાણકારી હોય તો  જ્ઞાન અને જાગૃતિ આવતા વાર ન લાગે. આત્મનિર્ભર બનીને કામ કરવા માટે આ ચલાક્બળો હોય છે.
  • એક વર્ષ પછી પેની ઝારાએ ઉત્થાનના પ્રયત્નો  અને ઉત્થાનના 'ભોળપણ' વિષે નિખાલસપણે મૂલ્યાંકન કરતા  કહ્યું કે ' અમે નિષ્ફળ ગયા. અમારી યોજના નિષ્ફળ ગઈ. ધંધુકા તાલુકા માટે  ખાસ વિકાસ નો કાર્યક્રમ શરુ જ ન થયો. આમ કેમ બન્યું? આનો જવાબ સરળ છે પણ માનવો મુશ્કેલ છે. અમારે માટે સ્વીકારવાનું પણ મુશ્કેલ હતું. હકીકત એ હતી કે દાંતવાળા કાર્યકરી જૂથો સુચવેલા બી.પી.એલ.ના મૂળ ધ્યેયો અને અભિગમો સ્થાનિક સત્તાતંત્રએ કદી સ્વીકાર્ય જ ન હતા. (યોજનાની પાંચસો છાપેલી નકલો ક્યાય ગુમ થઇ ગઈ હતો !). ઉત્થાનની ટીમ તેના ધ્યેયો અને અભિગમો માંથી દુર જવા માંગતી ન હતી. જયારે ટીમને જે ભંડોળ મેળવવાનું હતું અને એ મેળવવા જે પ્રમાણપત્રની જરૂર હતી તે માટે પ્રમાણપત્રમાં અપેક્ષિત બાબતોને અનુકુળ થવા આ યોજનામાં સુધારા કરવાની અમને ફરજ પડી હતી. અમારે સમાધાન કરવું પડ્યું. અમને ખુબ પીડા થઇ. આને માટે રીસેસ પાડીએ કે સાંજે જમવા બેસીએ ત્યારે એટલી બધી નિરાશા ભરી વાતો થતી કે અમને 'નવાસવા બ્લોક આયોજકો' ને આનું શું કરવું એની સમજ જ ન હોતી પડતી.. પહેલો સંઘર્ષ એ મુદ્દા પર રહેતો કે અધિકૃત માહિતીમાં  માથા ગણવા પર વધુ ભાર મુકાતો. સ્થાનિક જરૂરિયાત, અગ્રીમતાઓ, કે સંસાધનો વિશેનું વિશ્લેષણ એ કશાનું જરાય મહત્વ ન હતું.
  • પત્રકોમાં બી.પી.એલ. તરીકે વર્ગીકરણ કરી શકાય તે સંખ્યા પર જ ધ્યાન આપવામાં આવતું હતું અને ઉત્થાને એને અનુસરવાનું હતું.  નવીનીકરણની કશી વાત જ ન હતી. જીલ્લા આયોજન અધિકારી એક મહિલા હતા. એમની પાસે એ બધી વાતો માટે સમય જ ન હતો એમને એ વાતની અકળામણ હતી કે એમની પાસે ટેબલ, ટેલીકોમ કે સ્ટાફ ન હતા. એ માનતા હતા કે લોકોની અગ્રીમતાઓ પર સંસોધન કરવાનો કશો અર્થ ન હતો કારણકે ' આ ગામડાના માણસો, એમને  બધું મફતમાં જોઈતું હોય છે . એ લોકો ગરીબ નથી, પાકા (લુચ્ચા) હોય છે. સ્થાનિક સહભાગિતા એટલે કે જીલ્લામાં કેટલી મીટીગ કરવામાં આવી હતી તેની સંખ્યા, એમાં  કોનો બોલાવ્યા, કોણ આવ્યા, એનું મહત્વ ન હતું. લોકોની જરૂરીયાત અને અગ્રીમતાઓનું નિર્ધારણ કરવાની જરાય જરૂર ન હતી. આયોજન વિષે વિચારણામાં એમના અભિપ્રાયોનું શું કામ? મોટા ભાગના લોકો અભણ છે. તમારો વિચાર બહુ સરસ છે. એ બધું સંસોધન અભ્યાસના લેખોમાં જ રાખવાનું હોય.
  • ઉત્થાને અગાઉના અને ચાલુ સમયના વિકાસ કાર્યકમોના મુલ્યાંકન કરવાના જે પ્રયત્નો કાર્ય હતા તેનાથી ચોકાવનારી બાબતો ખુલી આવી હતી. બેંકો જેમને ધિરાણ આપવા લાયક ન ગણતી હોય તેવા લોકોને ધિરાણ યોજનાઓનો લાભ મળતો ન હતો. તળાવોના કાંઠાના બાંધકામ નબળા હતા, શિક્ષિત બેરોજગાર વ્યક્તિ જમીન ભાડા પોતે ન આપી શકે. સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્ર કામ ન હોતું કરતુ. શાળા ના શિક્ષકો આ વિસ્તારમાં બદલી થાય તેને  'શિક્ષા ' સમજતા હતા. અને અહીં આવવુ જ ન પડે તે માટે પ્રયત્નો કરતા હતા.  જમીનમાં જીપ્સમ ભેળવીને તેનું પુન: સંપાદન કરવામાં જમીન વધારે નબળી પડતી હતી કારણકે તેની  કેલ્શિયમ સાથે પ્રતિક્રિયા થતી હતી, ડેરી ઉદ્યોગની યોજના ચાલુ હતી પણ તેને માટે જરૂરી આંતર માળખાકીય સુવિધાઓ ન હતી. રસ્તા, વાહનો, ચિલીંગ પ્લાન્ટ, ઘાસચારાનો પુરવઠો, પશુચિકિત્સા સેવાની યાદી લાંબી હતી. એ વિષે કશી વાત સંભાળવી કોણીએ ગમતી ન હતી.  વાત થાય ત્યારે જવાબ મળે 'હા' . ઘાસચારાની અછત છે. દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ વિકસાવવી હોય તો એનો ઉપાય કરવો જોઈએ. પણ પહેલા તબક્કામાં અમે પશુ ખરીદવાનું ધિરાણ પણ આપીશું. અત્યારે સહકારી મંડળીઓ રચાવાનાનું કામ ચાલે છે. તે પછી ત્રણ વર્ષ ઘાસચારાની સમસ્યા વિષે કામ કરીશું. અત્યારે એનું કઈ ન થાય, તમારે વાસ્તવવાદી બનવું જોઈએ. સ્થાનિક અધિકારીઓએ બતાવવાનું હતું કે બી.પી.એલ. ને કારણે ૫૫૯૫૦૦ લોકોને કામ મળ્યું. તમે વણાટકામ, શેતરંજી બનાવવાનું, પાપડ બનાવવાનું, સિલાઈકામ , ભેંસોને ચારો આપવાનું વગેરે કામોનો ચાર્ટ બનાવી આપો, કેટલા એકમો હશે, એકમદીઠ ખર્ચ, સબસીડી અને ધિરાણની વિગતો  એમાં દર્શાવો. બી.પી.એલ.માં એ કરવાનું છે. આને કાર્ય યોજના કહેવાય. ઉત્થાને માન્ય યોજનાઓ કરવાની હતી. નવી બતાવવાની ન હતી એમ કહેવામાં આવ્યું હતું. બી.પી.એલ. વિશેની તમારી ભલામણો મૂકી શકશો, પુરવણીરૂપે.
  • સ્થાનિક શાસનના પ્રાથમિક પાઠો ભણી રહ્યું હતું. ઉત્થાન અધિકારીઓની સમજ પ્રમાણે ડહાપણ બધું ઉપરના સ્તરે હતું. ઉપરથી અજ્ઞાનીજનો માટે અજવાળું ફેકવામાં આવતું હતું. જેનાથી તેમને કોન્ટ્રાકટરોએ રચેલા રસ્તા દેખાય, સહભાગીઓને કંડારેલી કેડીઓ નહીં આજે ત્રણ દાયકા વીતી ગયા પછી પણ આમાંનું ઘણું ખરું હજી એવું જ છે. જો કે પરિવર્તનના પવનની લહેરખીઓ આવી રહી છે અને ઉત્થાન એનો એક ભાગ બન્યું છે. નીચેના સ્તરેથી આવતા દબાણોને હવે ઉપરના સ્તરથી પ્રતિભાવો મળે છે. જો કે કામ તો હજીએ ધીમું ચાલે છે. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે 'લોકોને શું સમજ પડે છે? 'એમ કોઈ માનતું હોય તો પણ કહેવાય નહીં. રાજકારણની દ્રષ્ટીએ એ 'બરાબર' ન ગણાય. હવે રીવાજો પડ્યા છે. પ્રજા પાસે પોતાનું જીવન બદલવાની શક્તિ છે. એવું કહીને પ્રજાને બીરદાવાની  રીતો ઘણુંખરું   બદલાતી નથી છતાં ય ક્યારેક થોડુ કંઈક બદલાતું  હોય છે. જો સત્તાના માળખા આ બદલાતી રીતોને વધુ આગળ જતી રોકવા નવા સાથીઓ શોધતી હોય છે તો પરિવર્તન લાવનારાઓ પણ તેમને સહાયક બને તેવા મિત્રો શોધતા હોય છે.
  • અંદર /  બહાર
  • ઉત્થાન-માહિતીને હવે સમજાય ગયું કે એમને પોતાના આંતરિક સંસાધનો થકી જ કામ કરવાનું હતું. એમને વિચારેલા બ્લોક સ્તરના આયોજન માટે રાજકીય - સરકારી સ્ત્રોતનો  ટેકો એમને મળવાનો નથી. એમણે પોતાનું જ આયોજન બનાવવું પડશે. જર્મનીના ટેરે ડે હોમ્સની મદદથી ધંધુકાની નાનકડી ઓફીસમાં એક પર્યાવરણ શિબિર યોજવામાં આવી, સ્થાનિક યુવાવર્ગને સાંકળવાના પ્રયોગરૂપે. આ પંથકમાં પ્રચલિત સ્થળાંતરની પ્રવૃત્તિને રોકવી હોય, યુવાનો અહીં જ રહે તેમ કરવું હોય તો તેમને એ માટે વિકલ્પ આપવા જોઈએ અને એ માટે ટીમ વર્ક અને  સ્થાનિક સમુદાયને સક્રિય બનાવવાની જરૂર પડે. સ્થાનિક યુવાનોમાંથી આગેવાન બની શકે તેવા યુવાનો શોધી કાઢીને તેમની સમિતિઓ બનાવીને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહન આપવું એવો વિચાર હતો. સમય જતા આ ટીમો ઉદ્દીપક મંડળો બની શકે. એવી પણ વિચારણા હતી કે ભાલ પ્રદેશની પરમ્પરાઓ અને રીવાજોને સમજવા અને તેને જ પ્રયોજવા તેમજ પીતૃસત્તાક માળખા ને સામંતશાહીનો સામનો કરવા માટે સ્ત્રીઓની આગેવાની દ્વારા યુવાવર્ગ ગરીબો અને પુરુષો સુધી પહોચવું. આયોજન અને અમલીકરણ માટે જરૂરી ટેકનીકલ સહાય બહારથી મળવી શકાય. લોકો પાસેથી સરકારી યોજનાઓ અને નીતિઓ વિષે માહિતી હોય તો જ લોકો તેમના અધિકારોનો ઉપયોગ કરીને આ યોજનાઓ અને નીતિઓ પર પ્રભાવ પાડી શકે. માહિતી જૂથ માહિતી અને સ્થાનિક કાર્યના આંતરિક સ્ત્રોત તરીકે કામ કરે અને ઉત્થાન બહારનું સહભાગી બનીને કામ કરે અને માહિતી તથા તાલીમ માટે જરૂરી ટેકારૂપ વ્યવસ્થાઓ લાવી આપે. માહિતી-ઉત્થાનના કાર્યની પસંદગીના ધોરણોની ઓળખ કરવાની શરૂઆત થઇ. 'સમુદાય'ને સંગઠિત અને પ્રેરિત કરવામાં મદદરૂપ થઇ શકે તેવા કાર્યોની ઓળખ કરવાની જ્યાંથી આગળ વધીને બીજી સ્વેચ્છિક સંસ્થાઓ અને સત્તાતંત્ર સાથે નેટવર્કને જોડવાની તકો સર્જવી અને એ પછી પ્રાદેશિક, રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓ માટે હિમાયત કરવી એમ નક્કી થયું.
  • ૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખારી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.
  • ૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને આર્થિક પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખરી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.
  • મંડળો રચાયા, સામાજિક વનીકરણ અને બીજા કુદરતી સંસાધનો વિષે કામ કરવા મળ્યા. શાહુકારોની પકડમાંથી છૂટવા બચત અને ધિરાણ મંડળીઓ શરુ થઇ. આરોગ્ય, રોજગારીના વિકલ્પો માટે કામ શરુ થયું. અહીં પીવાનું પાણી મેળવવાનો એક માત્ર સ્ત્રોત હતો. ગુ. પા. પુ. ગ . વ્ય. બોર્ડ દ્વારા  નાખવામાં આવેલી. પાઈપ લાઈનો, પણ લોકોનો ન  તો એના પર કશો અંકુશ હતો, ન કશો પ્રભાવ હતો. એ વ્યવસ્થા જે રીતે ચાલે તે રીતે ચાલવા દેવા સિવાય કોઈ છૂટકો એમની પાસે ન હતો. પીવાનું સ્વચ્છ પાણી, સલામત રીતે મળી રહે તે માટે પણ કામ શરુ થયું. પીવાના પાણીની સલામત અને ન્યાયપૂર્ણ  રીતે પ્રાપ્યતા એ મુદ્દો વિકાસની દરેક વ્યૂહરચનાનો પાયો બન્યો. સહ્ભાગીતાપૂર્ણ  સંશોધન કાર્ય કઈ રીતે કરવું તે વિષે પોતાના અનુભવો માં સંસ્થાના સહભાગી બનાવવા શ્રી રોબેર્ટ ચેમ્બર્સ આવ્યા. ફોર્ડ ફાઉડેશનને ડો. કમલા ચૌધરીને ટીમના વનીકરણના પ્રયાસોનો અભ્યાસ કરવા મોકલ્યા. રાજસ્થાન માં 'રૂરલ યુનીવર્સીટી' ના પ્રયોગમાંથી શીખવા મળેલી બાબતોમાં સંસ્થાના સહભાગી  બનાવવા આઈ. આઈ.એમ. - અમદાવાદના શ્રી રણજીત ચૌધરી જોડાયા. ઉત્થાનની પ્રતિષ્ઠા વધી રહી હતી. સ્થળાંતરની પીડાઓથી છૂટવા વિકલ્પ વિકસાવવા માટે ઉત્થાને કરેલી શરૂઆતો - પહેલ કાર્યોને આ પ્રતિષ્ઠાને પરિણામે વધુ આધાર  મળતો ગયો. વનીકરણ, પાણી અને બચત ધિરાણના કાર્યો માત્ર પ્રોજેક્ટ ન બની રહે અને ટીમ વર્ક , સંચાલનના અનુભવો લઈને નવા આગેવાનો સામર્થ્યપ્રાપ્તિના સાધનો ઉભા કરે તે જોવાનું હતું. આમા સૌથી મોટી મર્યાદા  નડતી હતી નાણાની. નાણાભંડોળ મેળવવા માટે પ્રત્યત્નો કરવા પડે અને એ પણ એક જરુરી કાર્ય હતુ.
  • ભારત અને વિદેશો માથી સહાય આપવા ઇચ્છ્તા દાતાઓના વલણો અને નીતિઓને સમજવા પણ જરુરી હતા. એક તરફ નાણાકીય જરુરીયાતો પુરી કરાવાની હતી તો બીજી તરફ સ્થાનિક  કાર્યક્ષેત્રે  પણ પડકારો ઉભા થયા કરતા હતા. ટીમના સભ્યોમાં સંઘર્ષ થાય, જ્ઞાતિ વિષયક, પિતૃસત્તાક મુદ્દાઓ વિશેના અભિગમો બાબત, સ્થળની પસંદગીના મુદ્દે સંઘર્ષો અને મતભેદો થતા હતા. એક પ્રકરણ પૂરું થઇ રહ્યું હતું. અનિશ્ચિતતા સાથે. આમ છતાં ભવિષ્ય વિષે ચિંતા પૂર્ણ ધારણાઓ વચ્ચે પણ આત્મા વિશ્વાસની પ્રારંભિક હિલચાલ દેખાવા માંડી હતી. અને પુરવાર થઇ ચુક્યું હતું કે 'ઉજ્જડ ધરતી' પર પણ  ટકી રહી શકાય છે અને આ પુરાવાઓ નિર્વિવાદ હતા. આ સૌની વચ્ચે સ્વીકૃતિની થોડી થોડી ઝલકો ઝળકી રહી હતી.
  • ૨. ભાલના વિકલ્પો (૧૯૮૨- ૧૯૯૪)
  • ૧૯૮૪ સુધી ઉત્થાન- માહિતીને એ સમજાઈ ગયું હતું કે મહિલા મંડળો અને  યુવક મંડળો  એવા સંગઠનો છે જેના થકી સમુદાયના નબળા વર્ગોને સક્રિય બનાવી શકાય છે.  પેની ઝારા યુ. એસ. થી આવ્યા હતા. એમની મદદ થી મહિલા મંડળોએ સ્થાનિક સંસાધનો મેળવવા માટે પ્રયત્નો શરુ કરી દીધા હતા. આ મહિલા મંડળોના કામ અને અપેક્ષાઓનું વિશ્લેષણ કરતા જણાયું હતું કે પાણી, બચત ધિરાણ અને પાયાની આરોગ્ય સેવા - આ ત્રણ ધ્યાન આપવા જેવા પ્રશ્નો છે. આયોજન અને નિર્ણય પ્રક્રિયામાં તેમની સહભાગિતા ખુબ વધી હતી. ઉત્થાન-માહિતીના મોટા ભાગના કાર્યક્રમો સ્થાનિક આગેવાનોએ જ શરુ કર્યા હતા. 'અંદર' અને 'બહાર' ના લોકો વચ્ચે જે સ્વસ્થ પ્રત્યાયન સર્જાયું હતું. તે આ સહ્ભાગીતાની આગવી ઓળખ બની રહ્યું હતું.
  • આ દરમ્યાન નવી દિલ્હીમાં એક દુરંદેશી વૈજ્ઞાનિક અનીલ અગ્રવાલે સ્થાપેલા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરર્મેન્ટ  ભારતના પર્યાવરણીય લાક્ષણિકતાઓ વિષેના બીજરૂપ અહેવાલો તૈયાર કરવાનું શરુ કર્યું હતું. ઉત્થાનના શરૂઆતના તબ્બકે શ્રી અનીલ અગ્રવાલ પારદર્શક અને ગુરુ હતા. એમના માટે 'પર્યાવરણના વધુ ન્યાયપૂર્ણ અને આધારક્ષમ ઉપયોગમાં જન્મેલી માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધની વધતી જતી સમજ એ આજના ભારત માં થઇ રહેલો કદાચ સૌથી વધુ ધ્યાનાકેન્દ્ર વિકાસ છે"
  • ઉત્થાનને હવે એ હકીકત સમજાઈ ચુકી હતી કે જીવનને ટકાવી રાખવા માટે પાણીનું મહત્વ છે અને ઘર માટે પાણી બાબતે સંચાલન કરનાર તરીકે સ્ત્રીઓ હોય છે.  અને એથી જ ઉત્થાન-માહિતીના એજન્ડા માં પાણી અને સ્ત્રીઓ ના મુદ્દા સૌથી ઉપલા સ્થાને હતા. જળ, જીવનદાતા પ્રવાહી એક વૈશ્વિક પ્રતિક છે' જળ એટલે પવિત્ર કરનાર, જીવન આપનાર, સર્જક અને વિનાશક બંને!' વિભ્ભિન સંસ્કૃતિઓમાં સ્ત્રીઓને જીવનસર્જક અને જીવનપોષક તરીકે ભૂમિકા સાથે પાણી ગાઢપણે જોડાયેલું છે. માત્ર વૈચારિક કે ભાવનાત્મક જ નહિ, વાસ્તવ, ઠોસ જીવનમાં પણ ઘર માટે પાણી ભરવાનું કામ સ્ત્રીઓ કરે છે અને પાણી વાપરવાનું    કામ પણ સ્ત્રીઓ જ કરે છે. સામાન્ય રોજિંદા ગૃહજીવનમાં સ્ત્રીએ કરવાના થતા લગભગ દરેક કામ માટે પાણીની જરૂર રહે છે. અને એ સાર્વત્રિક હકીકત છે. પાણીની અછત સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પાણી ભરી લાવવામાં જતો સમય અને શ્રમ, બીજા ઉત્પાદક કામો માટે ખૂટતો સમય  માટે, છોકરીઓના ભણતર પર માંથી અસર, કુટુંબો અને સમુદાય સ્તરે પાણીની   પરિસ્થિતિ વિવિધ અસરો થતી હોય છે.2 વનીકરણ અને કોલસા પડવાના કામ શરુ થયા.  એની સાથે બચત અને ધિરાણના માળખાઓ દ્વાર શાહુકારોનો સામનો કરવાના પ્રયત્નો ઉત્સાહભેર શરુ થયા. જે જે કામો હાથમાં લીધા એમાં તરત જ જણાઈ આવતું કે પાણીની માંગ એક સર્જક બળ હતું.

ભાલ પ્રદેશમાં વરસાદનું કશું જ ઠેકાણું નથી હોતું. ગામોમાં તળાવો હોય તે વરસાદ આવે ત્યારે ભરાતા. પાણી ભરાય તેનો ઉપયોગ કરવા માટે ઉચ્ચ વર્ણ અને પીતૃસત્તાત્મક  વ્યવસ્થાની અગ્રીમતાઓ આવે. તળાવનું પાણી પહેલા ઉચ્ચ વર્ણના લોકો માટે, પછી તેમના પશુઓ અને ખેતીવાડી માટે. પાણીનો બીજો સ્ત્રોત જે વરસાદી તળાવો ખાલી થઇ જાય ત્યારે રહેલો એક માત્ર સ્ત્રોત તે ગુ.પા. પુ. વ્ય. બોર્ડ દ્વારા નાખવામાં આવેલી પાઈપ લાઈનો એમાય ય પાણી મળવાનું સાવ અનિશ્ચિત. દબાણ ઓછુ હોય, પાઈપો તૂટેલી હોય, પાણીની અધ્ધવચ્ચે ચોરીઓ થાય. ભાલના છેવાડાના ગામોમાં તો પાણી ભાગ્યેજ પહોચે. ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર નીચું ઉતરતું જતું હતું એ સ્થિતિમાં અછતની પરિસ્થિતિ દૂર કરવા માટે સરકરી યોજના મુજબ પાઈપ લાઈનો નંખાયેલી. આ  યોજનામાં ન તો અછત ના કારણો શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો  કે ન તો  એ ધરતી પર માનવજીવનના આધારક્ષમ ભવિષ્ય માટે કોઈ વિઝન ઘડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સરકારે નક્કી કર્યું કે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્રિત આયોજન અને ટેકનીકલ ક્ષમતાઓ દ્વારા લાવેલો. પાણી મળવા માંડ્યું અને જેને જેને પોસાતું હતું તે બધા રોકડિયા પાકો લેવા માંડી પડ્યા. આવા પાકો પાણી વધારે માંગે. ગ્રામજનોની નજર સામે તેમના કુવા ખાલી થતા હતા, જમીનો ખારી બનતી જતી હતી. ગામ તળાવો તો ગાયબ જ થઇ ગયા. અને આ બધાની સાથે ગામની અંદર પાણી વહેચીને વાપરવાની પુરાણી અને પ્રચલિત રીતો પણ અદ્રશ્ય થઇ ગઈ. ઘાસના મેદાનો અદ્રશ્ય થઇ ગયા, પશુઓ ભૂખે મરવા માંડ્યા. પાણી હતું .

તે ધનિક અને શક્તિશાળી લોકો પાસે જવા માંડ્યું. હવે સ્ત્રીઓને ઘર માટે પાણી ભરવા રોજ રોજ ૫- ૬ કિલોમીટર ચાલવું પડતું. પરંતુ ગામમાં કુવા હોવા છતાં જયારે નિરંકુશ આર્થિક પરિબળો આત્મનિર્ભરતાની પરંપરા  ને નષ્ટપ્રાય કરી દે છે અને લોકોને એમની જાય પહોચ કે અંકુશ ન હોય તેવી વ્યવસ્થાઓ  પર આધાર રાખવાનો આવે છે. ત્યારે આમ જ થતું હોય છે.3

ગુ.પા. પુ. વ્ય. બોર્ડને આ ગંભીર પરિસ્થિતિનો બહેતર પ્રતિભાવ આપવા સમજાવવાના પ્રયત્નો તો શરુ કરી દીધા પણ સાથે સાથે એમ પણ લાગતું હતું કે લોકોના પોતાના હાથમાં જેનું સંચાલન હોય તેવી પાણીની કોઈ વિશ્વનીયતા વ્યવસ્થા હોવી જોઈએ, જે લોકો માટે જીવાદોરીરૂપ બની રહે અને એક ઉપયોગી વિકલ્પ બની રહે. ધોલેરાના બહેનો જીલ્લા સ્તરની કચેરીઓમાં પહોચ્યા. આ રીતે આટલે સુધી જવું એ એમને માટે અભૂતપૂર્વ સાહસ હતું. ત્યાં એમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી. અધિકારીઓ રીવર્સ ઓસ્મોસીસ પ્લાન્ટ નાખવા સહમત થયા. પ્લાન્ટો નખાવ્યા. પહેલા પ્રયોગમાં સારું પાણી મળ્યું. પણ વ્યવસ્થા ખુબ જ ખર્ચાળ હતી, વળી ટેક્નોલોજી એવી હતી કે સ્થાનિક લોકો એનું સંચાલન કરી જ ન શકે. હકીકતે, સ્થાનિક સ્તરે સંચાલન કરી શકે તેવી  વ્યક્તિઓની હવે ઉત્થાન-માહિતીમાં ખુબ મહત્વની જરૂરીયાત લાગવા માંડી હતી.

એ વખતે એક વિચાર ઉદભવ્યો. અદભૂત હતો એ વિચાર. એ વિચાર અમલમાં મુકાય તો આ પ્રદેશના પીવાના પાણીનો પરીદર્શ્યને બદલી નાખે તેવો સ્થાનિક સામર્થ્યપ્રાપ્તિનું એક શક્તિશાળી પ્રતિક બની રહે તેવો એ વિચાર હતો. બન્યું એવું હતું કે આ પંથકમાંથી ઘણા સ્થળાંતર   કરી જતા રહ્યા અને બાંધકામની સાઈટો પર કામ કરતા, ત્યાં એમણે જોયેલું કે નહેરો બાંધતી વખતે નહેરોના તળિયે પ્લાસ્ટિકની ફિલ્મ ગોઠવવામાં આવતી હતી. પાણીને જમીનમાં ઉતરી જતું રોકવા એવું અહીંના તળાવોમાં કરીએ તો કેવું રહે? આ વિચાર સ્થાનિક લોકોમાંથી ઉદભવ્યો હતો.

ગામના તળાવમાં વરસાદ પડે અને પાણી ભરાય તો ખરું પણ એ તો જમીન માં ઉતરી જાય, એનું બાષ્પીભવન થઇ જાય અને રહ્યું સહ્યું પાણી ભાભરું (ભૂરા, કડવા સ્વાદવાળું) થઇ જાય. આ થતું રોકવા તળાવોના તળિયે પ્લાસ્ટિક પથારીએ તો?  પાણી જમીનમાં ઉતરતું રોકવું.  અને જમીનની ખારાશને પાણીમાં ભળતી રોકવી બે ય હેતુ સરી શકે.

૧૯૮૩મા ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લીમીટેડ, વડોદરાનો સંપર્ક સાધીને આ કાર્ય માટે જરૂરી ટેકનીકલ રીતો અને લો ડેન્સીટી પરિસ્થિતિ (એલ. ડી.પી)મેળવવા વિષે તપાસ કરી કંપનીના મેનેજીગ ડીરેક્ટર શ્રી હસમુખ શાહે તત્કાલ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ આપ્યો. સામગ્રી વિના મુલ્યે મળી. સામગ્રી મોકલતી વખતે કંપનીએ એન્જીનીયરોને પણ સાથે મોકલ્યા. માહિતીના નિરીક્ષણ હેઠળ અને આગાખાન ફાઉડેશનના ટેકા સાથે પ્રયોગો શરુ થયા. દેશના એ વખત યુવાન પ્રધાનમંત્રીએ નેશનલ ડ્રીન્કીંગ વોટર  મિશન ઉભું કર્યું હતું.  એના દેશમાં નવીનીકરણ અને વિકેન્દ્રિતકરણ અભિગમો પર ભાર મુકવામાં આવ્યો હતો. આ મિશન હેઠળ સમુદાય માટે હેન્ડપંપ ગોઠવવાનો વિશાળ કાર્યક્રમ દેશભરમાં શરુ કરવામાં આવ્યો હતો.

પેય જળ લોકોને મળી શકે તે માટેનો આ વિશ્વભરમાં સૌથી વિશાળ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને લીધે આ કાર્યક્ષેત્રમાં મોટા પરિવર્તનો આવી રહ્યા હતા. દેશના ભવિષ્યના પાણી અને સ્વચ્છતા વિષયક કામો સાથે રાજીવ ગાંધીનું નામ જોડાવું હતું. આ નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશનમાં વડા તરીકે જે આઈ. એસ. એસ. અધિકારી, શ્રી ગૌરીશંકર ઘોષ હતા. તેઓ ગુજરાતમાં પાણીની પરિસ્થિતિનો એમને સીધો અનુભવ હતો. ૧૯૮૬મા  રાહતળાવ ગામમાં યોજવામાં આવેલા નિદર્શન કાર્યક્રમ માંથી શ્રી ગૌરી ઘોષ પોતે આવ્યા. ૧૯૮૭મા દરિયાકાંઠે બીજી આવી જગ્યાઓએ પ્લાસ્ટિક પાથરેલા તળાવો બનાવવામાં તેમણે મદદ કરી. ભાલના બહેનોને એટલે તો વિશ્વાસ હતો કે તળાવો બનાવવા અને પાણી સાચવવાનું કામ તેઓ કરી શકશે. જળ સંસાધનોને સંબધિત આ રીત માં રીવર્સ ઓસ્મોસીસ કે પાઈપ લાઇનોનો જબરજસ્ત પથારાની તુલનાએ ખર્ચ ઓછા થતો હતો. વળી, ઉત્થાન-માહિતી સંસ્થાઓ અને લોકોને સાથે આણવાના સામાજીક અને આર્થિક ધ્યેયમાં આ રીત સુપરે ગોઠવાઈ જતી હતી.

રાહતળાવમાં સફળતા મળી, આત્મવિશ્વાસ વધ્યો અને ત્યાના બહેનો સંસ્થામાંથી હજી વધુ વિશાળ સ્વીકૃતિ માટે ઉદ્દીપક બની રહ્યા. વૈકલ્પિક ઉકેલો શોધવા માટે અને સરકારી સંસાધનો મેળવવા માટે ની માંગને લઇને વરસાદનું પ્રમાણ, તેનું આવરા ક્ષેત્ર (કેચમેન્ટ એરિયા ) અને વહેણ (રન ઓફ ) વિષે જાણવા માટે પદ્ધતિસર ના સર્વેક્ષણો કરવાનું શરુ થયું. રાહતળાવ ગામ ખાતેના નિદર્શન પછી હવે આ વ્યવસ્થા આગળ વિસ્તરી. પહેલા સાત ગામો અને પછી ચૌદ ગામો સુધી પહોચી. ૧૯૮૬નું વર્ષ ગુજરાતમાં અનાવૃષ્ટિનું વર્ષ હતું. આખા પંથક માં માત્ર રાહતળાવમાં જ પાણી હતું. ૮૭નુ વર્ષ પણ અનાવૃષ્ટિનું વર્ષ રહ્યું. એ વખતે લોકોની સ્વનિર્ભરતાનો એક નોંધપાત્ર પ્રસંગ બન્યો. બન્યું એવું કે મહાદેવપુરા ગામમાં તળાવ ખાલી રહ્યું. પણ ગામથી ત્રણેક કિલોમીટર દુર એક તળાવમાં પાણી હતું. આ સંગ્રહાયેલું પાણી ગામ સુધી લાવવા ગામલોકોએ  જાતે આગળ  આવીને એ તળાવની ગામ સુધી નીક ખોદી, અને આ રીતે તળાવમાં સાતેક ફૂટ પાણી આવી શક્યું. આ કામ માટે ગામના લોકોએ જ લોકફાળો કર્યો અને સ્વૈચ્છિક શ્રમદાન કર્યું. બહારના કોઈ પણ સ્ત્રોતની નાણાકીય સહાય લીધા વિના.

અગ્રીમતાઓ નક્કી કરવી, વિકલ્પોનો અભ્યાસ કરવો, વિકલ્પોનું નિદર્શન કરવું અને પરિણામોનું સચાલન કરવું એ સમગ્ર પ્રકિયા ચાલુ હતી. આ પ્રકિયા થકી ઉત્થાન-માહિતી નવીનીકરણથી નિદર્શન અને વિસ્તરણ સુધી પહોચ્યા હોય. હિમાયત અને સંઘર્ષના તબક્કાથી આગળ વધીને સત્તાતંત્ર અને બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહકાર્ય સુધી પહોચ્યા હતા. આમ કરવા માટે એ જરૂરી બન્યું હતું કે એક તરફ નિર્ણય લેવાની જવાબદારી ધરાવતો સમુદાય હતો તો બીજી તરફ એન્જીનીયરો જેવા નિષ્ણાતો હતા. આ બંને ની અનુભૂતિઓ અને અગ્રીમતાઓમાં સુમેળ સાધી અને ઉકેલ  લાવવો.

પીવાનું સ્વચ્છ અને સલામત રીતે મળતા પાણીની જોગવાઈ કરવાના આ કાર્ય થકી  સમુદાયોમાં પણ પુખ્તતા આવી. ઉત્થાન- માહિતીની સહભાગિતા પણ પુખ્ત બની. હવે સ્થાનિક નાના કાર્યક્ષેત્રથી આગળ વધીને પ્રાદેશિક (ગુજરાતની) કે રાષ્ટ્રીય જરૂરિયાતના વધુ વિશાળ સંદર્ભ તરફ આગળ વધવાનો આત્મવિશ્વાસ  પણ આવ્યો. બહેનો પોતાના સમુદયોનું સક્રીયીકરણ માટે પ્રયોજી શકે તેવા ટેકનીકલ દ્રષ્ટિએ વ્યવહારુ વિકલ્પો વિકસી ચુક્યા હતા. હવે પછી નું પગલું એ હતું કે એ નિદર્શનો સરકાર દ્વારા વિસ્તૃત રીતે સ્વીકાર થાય તેમ કરવું. આ કાર્ય માટે જીલ્લા સ્તરના સત્તાતંત્ર પાસેથી તો સહકાર અને સંકલન મળતા હતા પરંતુ રાજધાની ગાંધીનગરનું વલણ હજી તટસ્થ હતું. ઉત્થાન-માહિતી તેમના બી.પી. એલના અનુભવથી પાઠ શીખ્યા અને તે પરથી એમણે સીધો નવી દિલ્હી સંપર્ક કર્યો. કેન્દ્રિત અભિગમોની સમુદાયની જરૂરિયાત  અને તેમના અંકુશને બંધબેસતી વ્યૂહરચનાઓ  ઘડવાની રીતો શોધવામાં નેશનલ ડ્રીન્કીંગ વોટર મિશન (એન. ડી. ડબ્લ્યુ. એમ) ના ડીરેક્ટર શ્રી ઘોષે ઘણી સહાય કરી. શ્રી ઘોષે આ ક્ષેત્રના નિષ્ણાત અને પછીના થોડા વર્ષોમાં જયારે પાણી અને સ્વચ્છતા (અં. વોટર એન્ડ સેનિટેશન  સીસ્ટમ) માટે અંગ્રેજી પ્રથમાક્ષારી વોટસન પ્રયોજવાનું શરુ થયું. ત્યારે શ્રી ઘોષે લોકો જ્યાં હોય ત્યાં જ વોટસનનું આયોજન થવું જોઈએ. એ વિચારના શ્રી ઘોષ અગ્રણી હિમાયતી બન્યા. નીચે ના સ્તરથી કામ કરવામાં લોકોનો પ્રતિભાવ પણ ખુબ મળ્યો અને એનો વિરોધ પણ એટલો જ તીવ્ર  રીતે થતો. આ પ્રદેશના જડ પિતૃસત્તાક  સમાજોમાં  સ્ત્રી સાથે મળીને પોતાની એકતા અને શક્તિ બતાવી આપે એ વાત સમાજને કેમ કરીને ગમે? ખુદ ઉત્થાન માહિતીમાં એવા કેટલાક લોકો હતા જેમને દેવુબહેનની સુચના હેઠળ કામ કરવું ગમતું ન હતું. કારણ? દેવુબહેન સ્ત્રી હતા, એવા કેટલાક લોકોએ સંસ્થા છોડી દીધી. બહેનો હવે સદીઓ પુરાની સામંતશાહી  માળખામાંથી બહાર નીકળી રહ્યા હતા. ઘરની બહાર મીટીંગો માં જવું, શહેરોમા જવું. ઓફીસમાં જવું, ભ્રષ્ટાચાર પોતાનો જન્મસિદ્ધ હક્ક માની બેઠેલાઓને તેમની જવાબદારીઓ બજાવવા દબાણો કરવા જેવા કામો હવે બહેનો હિમતભેર કરતા હતા. આટલું જ નહિ, બહેનો હવે અત્યાર સુધી માત્ર પુરુષોનું જ કામ ગણાય તવા ટેકનોલોજી  અને એન્જીનીયર ના  કામોમાં આઈ. પી. સી. એલ અને એન. ડી. ડબલ્યુ. સાથે કામ કરવા જોડતા હતા. દસ્તાવેજીકરણની આવડત વિકસી રહી હતી.  પેની ઝારા અને બીજા લોકોએ લખેલા અભ્યાસ, લેખો તૈયાર થયા. રાષ્ટ્રીય નેટવર્ક અને વિશ્વ બેંકમાં ' વી કેન સોલ્વ ઈટ' નામની એક ફિલ્મ પણ પ્રદર્શિત થઇ. આ બધા થકી ઉત્થાન - માહિતીની  લોબીઈંગ આવડત વિકસી રહી હતી. ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડ અને વિશ્વ બેંક સાથે કામ કરવામાં આ આવડતો કામની હતી. વિશ્વ બેંક સાથે કામમાં એમને પહેલી વાર આંતરરાસ્ટ્રીય ક્ષેત્રે પરની વિષયક નીતિઓનો પરિચય થયો. પીવાના પાણીના પ્રશ્નો વિષે મળેલા એક પરિસંવાદમાં ઘણા નામાંકિત લોકો ઉપસ્થિત હતા. અને એમાંથી સેન્ટર ફોર વોટર રિસોર્સ મેનેજમેન્ટ (સી ડબ્લ્યુ આર એસ ) ઉભું થયું

રાજ્યના સત્તાતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં હવે જળ સંસાધનો વિષે જાગૃતિ આવતી જતી હતી. સેન્ટરે ભાલમાંથી અનુભવની વાત સમગ્ર દેશના કર્મશીલોને જણાવી. આ પછી ગુજરાતમાં જે નેટવર્કિંગ શરુ થયું , તેના પરિણામે ૧૯૯૪મા 'પ્રવાહ'ની રચના  થઇ. ગુજરાતમાં પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે કામ કરતા એકસો પચાસ સંસ્થાનો એમાં જોડાયા. ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડ ને પ્લાસ્ટિક  પાથરેલા તળાવોના પ્રોજેક્ટ ની જવાબદારી આપવામાં આવી. બોર્ડ દ્વારા ઉત્થાન-માહિતીને નાણા ભંડોળ આપવામાં આવતું હતું. આમ પહેલી વાર આ બે સંસ્થાઓ પોતાની નિષ્ણાત સેવાઓ આપવા બદલ મૂલ્ય મેળવી શકી. ગુજરાત  જેવા ઉદ્યોગ સાહસિકતાને સન્માનતા પ્રદેશમાં આ સંસ્થાઓ માંથી સહાયક સંસ્થાઓ બની અને  હવે તેથી ય આગળ વધી ને વિકાસક્ષેત્રના બજારમાં સન્માનીય વ્યવસાયિક સેવાઓ આપનારી સંસ્થાઓ બની.

જો કે આ પરિવર્તન વિકાસ માટે સંસ્થાઓને થોડી બાંધછોડ કરવી પડી. અત્યારે સુધી તેમના ઉદેશો હતા સામાજિક સ્તરે આંતરક્રિયા અને ક્ષ્માંતાસર્જન સાધવાના. હવે એમને પ્રોજેક્ટ પદ્ધતિએ કામ કરવાનું થયું. લક્ષ્યાંકો, ડેડ લાઈન અને બજેટ પ્રમાણે કામ પુરા કરવાની જવાબદારીઓ આવી. હવે ઉત્થાન-માહિતીને માત્ર સ્થાનિક સમુદાય નહીં પરંતુ ગાંઘીનગર, નવી દિલ્હી અને સુદૂર વોશિંગટન ડી. સી.ના સત્તાતંત્ર  પરત્વે પણ ઉત્તરદાયી બનવાનું હતું. ૧૯૮૭ સુધીમાં તો આધારક્ષમ વિકાસનું એક નવલું વિઝન ૧૯૮૪મા ગ્રો હાર્લેન બ્રન્ટલેન્ડની આગેવાની હેઠળ સ્થપાયેલી વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ 'અવર કોમન ફૂચર' ને પ્રતિબિબ કરતુ હતું. કમીશનની વિચારધારા હતી, એવા વિકાસની કે જે આજની જરૂરિયાતો એ રીતે પરીપૂર્ણ   કરે કે જેને લઈને ભાવી પેઢીઓને તેમની જરૂરિયાત પૂર્ણ કરવા બાબતે કોઈ જ પ્રકારના સમાધાનો ન કરવા પડે. અને આ વિચારધારા એ દલિત સાથે હતી કે આમ કરવા માટે 'વલણોમાં સામાજિક મુલ્યોમાં અને આકાંક્ષાઓમાં મોટા ફેરફારો પણ જરૂર પડે તો કરવા જોઈએ'. ભાલના કામમાં નિદર્શન મળી ચુક્યું હતું કે આવા પરિવર્તનો ખુબ ઊંડે સુધી થવા જોઈએ. કુદરતી સંસાધનો સંચાલન અને વિકાસ દરમ્યાન હાંસિયામાં ધકેલી  દેવાયેલાઓને (માર્જીનાલીઝ ) આગળ લાવવા વિષેની વિશાળ ચર્ચાઓમા ઉત્થાન- માહિતીનો અનુભવ મહત્વનું પ્રદાન કરી રહ્યો. ટીમને આખા રાજ્યમાં અને સત્તાના દુર સુધીના માર્ગો સુધી પહોચવું પડ્યું. ઉત્થાનને મેનેજમેન્ટ આધાર સ્થાપિત કરવાનો હતો. જો કે કેટલીક પ્રસ્થાપિત સ્વૈચ્છિક સંસ્થાઓ  ઉત્થાન હજી 'એટલું મોટું' ન હતું થયું. ૧૯૯૮ સુધીમાં ઉત્થાન-માહિતીમાં કેનેડાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને સ્વયં સેવકો આવવા માંડ્યા હતા. આગાખાન ફાઉનડેશન તરફથી જેન્ડર અને પર્યાવરણના મુદ્દાઓ માટેના એક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ટોરેન્ટો જવાનું આમત્રણ આવ્યું. આ સાથે ભાલમાં કરવામા આવેલા સંઘર્ષની કથા પહેલી વાર આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકવર્ગ સુધી પહોચી.

પીલુ વૃક્ષોના વાવેતર - જીવન અને શિક્ષણનો આધાર :

પીવાના પાણી માટે કરવામા આવેલું નિદર્શન સફળ થયું. હવે આ સુવિધાને આધારક્ષમ આજીવિકાઓ સાથે જોડવાની હતી. આ વિસ્તારમાં વનીકરણની એક મહત્વની તક દેખાઈ હતી. છેક ૧૯૮૧ થી માહિતીના પરિસરમાં એના પ્રયોગો શરુ થઇ ચુક્યા હતા. આજ વિસ્તાર માં ઉગતા પીલૂ કે પીલુડી નામથી ઓળખાતા વૃક્ષો મોટા પાયા પર વાવેતર (પ્લાન્ટેશન) તરીકે ઉગાડી શકાય. એ વાત હજી નવી લાગતી  હતી. ઉત્થાન અને માહિતીએ સાથે મળીને પીલુને રોકડિયા પાક તરીકે પુન:સ્થાપિત કરવા માટે પ્રયાસ શરુ કર્યો. પીલુડીનું મોટે પાયે વાવેતર કરવા માટે અહીની પ્રચલિત ' ટ્રેન્ચ મેથોડ ' (ખાઈ પદ્ધતિ) લોક શિક્ષણ કેન્દ્ર દ્વારા લાવવામાં આવી, અને એને સાથે બીજા વિકલ્પો જેવા કે સૂર્ય પ્રકાશ દ્વારા બિન ક્ષારીકરણ (ડીસેલીનેશન)  અને ખેતી-બાગાયતની બહેતર પ્રવૃત્તિઓ પણ જોડવામાં આવી.

સોસાયટી ફોર પ્રમોશન ઓફ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ, નવી દિલ્હીના સહકારથી આગાખાન ફાઉડેશનનું સમર્થન તો ચાલુ જ રહ્યું. ક્ષારીય જમીનમાં વૃક્ષઉછેર-વનીકરણના કામો માટે આવી જમીન અનુકુળ હોય તેવા વૃક્ષોની જાતો  માટે માહિતી અને ટેકનોલોજીની જરૂર રહે. વનીકરણ  માટેની જમીનના માલિકી હકો અથવા ભાડાપટે આપવા - લેવાના હકો સ્પષ્ટ હોવા જોઈએ. અહીં ગરીબ વિસ્તારમાં જમીનમાં માલિકી મેળવવાનો તો પ્રશ્ન જ ન હતો. અહીં સ્થાનિક સત્તાતંત્રએ પણ અગાઉ કદી આ રીતે કર્યું ન હતું. તેથી ભાડા પેટે જમીન કઈ રીતે આપવી તેની પણ સ્પષ્ટ સમજ ન હતી. જો ખેડૂતોના જમીન પર માલિકીના અધિકારો સ્પષ્ટ હોય તો બેંક ધિરાણ આપે પણ એ વાતે ય અશક્ય હતી. મિગલપુર અને ભાણગઢના મહિલા મંડળો  બને વીસ વીસ હેક્ટર જમીન ભાડા પટે મેળવી શકાય. આ સફળતા તો ગણાય પણ હવે સવાલ હતો વનીકરણ કરવાનો. આ કામ માટે વ્યવસાયિક આવડત જોઈએ જે આ બહેનો પાસે ન હતી. ઉત્થાન કે  માહિતીની ટીમમાં  પણ પણ વનીકરણના નિષ્ણાતો ન હતા. પરંતુ હવે એમને એવા ટેકનીકલ નિષ્ણાંતની જરૂર પડી જે બિયારણ મેળવવું, એના પર પ્રક્રિયા કરવી, નર્સરી ઉછેર, જમીન તૈયાર કરવી, જળ સંગ્રહ અને વાવેતર કરવા અને પછી તેની સંભાળ  રાખવા વિષે માર્ગદર્શન આપી શકે.

માહિતીના એક નિદર્શન કેન્દ્રમાં પીલુ અંગે કામ શરુ થઇ ગયું હતું. જે વૃક્ષો ઉભા હતા એને ઊટો ચરી ન જાય તે માટે તેનું રક્ષણ કરવા સાત ગામોના બહેનો ભેગા થયા. પીલુડીના મુળિયા ક્ષાર શોષતા નથી. નવા વૃક્ષો પણ વવાય અને થોડા વખતમાં દરિયાકાંઠે પાણીની તદ્દન નજીક ત્રણ હજાર છોડવાની હરિયાળી પથરાઈ ગઈ. ખાડા ખોળવાઈ બદલે ટ્રેન્ચ (ખાઈઓ ) બનાવવી ટેકનીક અપનાવી અને છોડવાનું સવર્ધન સુધારવામાં આવ્યું. જ્યાં જ્યાં પીલુડીના વૃક્ષો હતા ત્યાં આસપાસ ચારા તરીકે વપરાય તેવું ઘાસ ઉગી આવ્યું.

 

પીલુડીના ફળ બોરની જેમ ઠળિયાવાળા હોય છે. અને ખાઈ શકાય છે આ ફળ એક  પોષક આહાર બન્યો. પીલુના ઠળિયા પણ કામના હોય છે. તેમાંથી તેલ મળે છે. દરેક વૃક્ષ પરથી દસ કિલો ઠળિયા મળે એક જ વર્ષમા  સોળ હજાર કિલોગ્રામ ઠળિયા મળ્યા જેની કીમત થતી હતી લગભગ નવ લાખ. આ ઠળિયા વેચી શકાય અથવા વિનિમયમાં આપ લે કરી શકાય. બેંકોની વ્યવહારુ રીતે માન્ય વૃક્ષોની જાતોમાં પીલુનો સમાવેશ ન હતો થયેલો. આ વિસ્તારની બેંકોના અધિકારીઓએ માહિતીના નિદર્શન સ્થળોની મુલાકાત લીધી. ૧૯૮૭મા ધ નેશનલ વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડને (એન. ડબલ્યુ.બી) એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તેના પ્રતિભાવરૂપે સિતેર હેક્ટર જમીનને વાવેતર હેઠળ આવરી લેવા માટે સબસીડી મંજુર થઇ. પીલુમાંથી થતી આવકોનો કારોભાર મહિલા મંડળોએ સાંભળી લીધો. ફ્રેન્ડઝ ઓફ વીમેન વર્લ્ડ બેન્કિંગ (એફ. ડબલ્યુ. ડબલ્યુ. બી) માંથી ભંડોળ લીધું. યુવકમંડળ પાસેથી પૈસા લીધા આ નાણા જયારે પાછા ચુકવવામાં આવ્યા ત્યારે એનો ઉપયોગ વાવેતારોના વિસ્તરણ માટે અને સમુદાયની બીજી જરૂરિયાતો માટે રોકાણ કરવામાં વપરાયા. ૧૯૮૭ સુધીમાં મંડળોએ પીલુના ઠળિયામાંથી તેલ કાઢવાનું શરુ કરી દીધું હતું. આ તેલ નારિયલ  તેલની અવેજીમાં વાપરી શકાય છે. તેનો ખોળ પણ ઉપયોગી હોય છે. આ તેલ - ખોળ સાબુ, રંગો અને પ્રસાધનો ઉદ્યોગમાં વપરાય છે. આમ બજાર પણ તૈયાર હતું  પીલુંનું કામ એક ઝુંબેશ બની ગયું. સ્થાનિક સત્તાતંત્રો પાસેથી ભાડા પટે લીધેલી જમીનમાં પીલુંનું વાવેતર કરવા વધુ ને વધુ લોકો જોડાવા માંડ્યા. સુરત જઈને હીરાઘસુ તરીકે કમરતોડ મજુરી કરી ખાતા યુવાનો ઘરે પાછા વળવા માંડ્યા.

પીલુ અને એના જેવી ખારી ભોયમાં ઉગી શકે તેવી વનસ્પતિની જાતોની વ્યવહારુ ક્ષમતા સલામત આજીવિકાની તકો દેખાડતી હતી. તો સાથે સાથે એ સામાજિક - રાજકીય સામર્થ્ય પ્રાપ્તિ ના નવા માર્ગો પણ ચીંધતી હતી. આજીવિકાના સ્ત્રોતો શોષણનો સામનો કરવાના, બજાર પ્રક્રિયા પર વધારે અંકુશ મેળવવાના અને વચેટિયાઓની તાબેદારી ઘટાડવાના વ્યવહારુ ઉપાયો મળી રહ્યા હતા. ઉત્થાનની વ્યુરચનાની શરૂઆત સમુદાયને પોતાના વૃક્ષો અને ઘાસચારાના સંસાધનોની સંરક્ષણ કરવા માટે સંગઠિત કરવાથી થઇ હતી.

હવે બહેનોએ બજાર પ્રક્રિયા, મેનેજરો તરીકે તેમની દ્રશ્યતા  અને વિશ્વનીયતા ઉભી કરવાનું શરુ કરીને તેમના ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યો પણ દર્શાવવા માંડ્યા. મોટા પાયા પર વાવેતર કામ કરવા માટે જરૂરી ધિરાણ આપવાની અને તેની વસુલાતની વ્યવસ્થાઓ પણ હવે બહેનો જ સંભાળતા હતા. આથી શાહુકારોનો તેમના પરનો અંકુશ ઢીલો પાડવા માંડ્યો. શાહુકારો દાયકાઓથી જે દાવો અજમાવતા હતા તે હવે અવળા પાડવા માંડ્યા અને બધું જે સરળતાથી ચાલ્યે રાખતું હતું તે હવે ન રહ્યું. ક્યારેક એવું પણ બનવા માંડ્યું કે મંડળોની લોકશાહી ટીમ રચનાઓ અનુભવી વનીકરણ નિષ્ણાતોની સલાહ પણ ક્યારેક માનતા નહીં. મંડળોમાં બીજા કામો માટે પણ ધિરાણો આપવામાં આવતા હતા તેથી એમ  ડબલ્યુ ડબલ્યુ  બી માંથી મળતા સહાયકો અનુદાનો પુરા થઇ ગયા. સોસાયટી ફોર પ્રમોશન  વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ નું સમર્થન પણ પાછુ ખેચાઈ લેવાયું. કોયલા બનાવવાની પ્રવૃત્તિ જે વનીકરણ સાથે સીધી સંકળાયેલી હોય છે તે બહુ ચાલી નહીં. એવા સવાલો પણ ઉઠવા માંડ્યા કે પરચુરણ મંજુરી કામોમાંથી મળતી આવક કરતા વનીકરણના કામોમાંથી મળતી આવક ખરેખર  વધારે હોય છે? પાછળ થી વનવિભાગે પીલુ ઉછેરનું કામ પોતાની યોજનાઓમાં સમાવી લીધું.

આવુજ માછીમારીમાં પણ થયું. અહીં દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા લોકોમાં વ્યવસાયિક ક્ષમતાઓનો અભાવ હતો. મત્સ્ય ઉદ્યોગ વિભાગની ગાંધીનગરની અને સ્થાનિક કચેરીઓ સાથે ખાસ પ્રવ્યાયન પણ ન હતું. ફીશપોંડ માટે ઉપયોગમાં લેવાની જમીન મેળવવાનું ખરેખર મુશ્કેલ હતું અને ઝીગા (પ્રોન) માછલીના ઉછેર માટે પાણીની બહુલતા પૂર્વશરત હોય છે. આરોગ્ય કાર્યક્રમમાં પણ બીમારીઓમાં દવા આપવાથી આગળ બહુ સારું થયું ન હતું. સ્ત્રીઓ અને બાળકોની આરોગ્ય સમસ્યાઓ માટે જરૂરી સગવડો ન હતી. એ સ્થિતિને કારણે કુટુંબ, સ્ત્રીઓ અને યુવાનોને સ્વાસ્થ્યસંભાળ માટે પ્રેરવાની ઝુંબેશો કરવાને બદલે સામાન્ય બીમારીઓ પર વઘારે ઘ્યાન આપતું હતું. અનૌપચારિક શિક્ષણમાં પણ બહારથી આવેલા જાણકારો દ્વારા વહેમો, અંધશ્રદ્ધાઓ દુર કરવા વિષે અને અધિકારોનો ઉપયોગ કરવા માટે કાનૂની જાણકારી આવા સુધીના જ કામો થતા હતા. જ્યાં સુધી સાક્ષરતા ન આવે ત્યાં સુધી ખરી નિર્ભરતા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

પ્લાસ્ટિક પાથરેલા તળાવોના કામમાં જેવી સફળતા મળી એવી જ સફળતા બીજા એક કામમાં પણ મળી હતી અને તે બચત અને ધિરાણ જૂથની રચના. ભાલના સમાજ ના નબળા સમુદાયોને શાહુકારોની ચુંગાલ માંથી છોડાવવા માટે આ પ્રવૃત્તિ મદદરૂપ બની. જૂથોની સફળતાથી મંડળોનો આત્મવિશ્વાસ વધ્યો. વિવિધ પ્રવૃત્તિઓ માટે બહેનોને સાથે આણવાથી તેમનામાં જે અનુબંધ સર્જાયો હતો તે સામર્થ્ય પ્રાપ્તિની દિશામાં એક નોંધપાત્ર પગથીયું હતું. ફ્રેન્ડસ ઓફ વીમેન વર્લ્ડ બેન્કિંગ ( એફ. ડબ્લ્યુ ડબ્લ્યુ બી) મંડળોને ધિરાણની વસુલાતની ક્ષમતાને વખાણી. આવા અનુબંધ અને તેના પ્રતાપે ઉભા થયેલા આત્મવિશ્વાસ લઈને એવો બનાવ બન્યો જે યાદગાર બની રહ્યો.

મીગલપુરમાં એક શાહુકારે બહેનોને ધમકી આપવા પ્રયત્ન કર્યો. બહેનોએ પ્રતિસાદ આપ્યો અને શાહુકારને મારવા લીધો. બહેનોએ પોતાની તાકાતનો પરચો દેખાડ્યો એ વાત જોતજોતામાં ભાલ પંથકમાં ફેલાઈ ગઈ. દરબાર સમુદાયના લોકોએ આ વાત નો બદલો લેવાનું નક્કી કર્યું. મીગલપુર અને આસપાસના ગામોમાં નાકાબંધી કરી દીધી. બીજા ગામોએ પોતાનાથી થઇ એટલી મદદ કરી. પણ દરબારના  હથિયારબંધ માણસો ફરતા અને આગેવાનો પર જીવનું જોખમ આવી પડ્યું. જો કે સ્થાનિક લોકોએ ઉત્થાન-માહિતીને પહેલાતો કહ્યું, ' આ અમારી રીત છે, તમે આમાં પડશો નહીં' જો કે પરિસ્થિતિ ગંભીર બનતા મદદ લેવી પડી. વાત ગાંધીનગર અમદાવાદ સુધી પહોચી. અમદાવાદ થી પોલીસ આવી અને મામલો થાળે પડ્યો.

  • કામનું પ્રમાણ બદલાયું તેની સાથે ભૂમિકાઓ અને સબંધો વિશેની વિચારણાઓ પણ બદલાઈ. હવે ગુ. પા. પુ. ગ. વ્ય. બોર્ડની સહભાગિતા ઓછી થઇ. એ બોર્ડ હવે નાણાકીય ભંડોળ આપનારી સંસ્થા બની રહી. ઉત્થાન. અને માહિતીઓ સબંધ સહિયારા આયોજન અને સાથે મળીને નિર્ણયો લેવાનો અનૌપચારિક અને લોકશાહી સ્વરૂપનો હતો. એનું માળખું પણ સુગ્રથિત ન હતું જે રીતે અને જેટલા પ્રમાણમાં કામ થઇ રહ્યા હતા અને દાતાઓ સાથે જે રીતે સબંધો વિકસી રહ્યા હતા તે જોતા હવે સબંધોમાં વધારે સ્પષ્ટતા અને ઉત્તરદાયીતાની જરૂર જણાતી હતી. ઉત્થાનનું બોર્ડ સક્રિય હતું પણ માહિતીને ઔપચારિક સ્વરૂપ આપવાની ખાસ જરૂર તાત્કાલિક ન હતી. માહિતીના દેવુંબહેન અને ઉત્થાનના નફીસા બારોટ પોતાના વ્યક્તિગત પ્રયત્નો દ્વારા જ સંસ્થાકીય સબંધો પોતાના ખભા પર ઉપાડી રહ્યા હતા. પણ હવે સમિતિઓ બની, કર્યુંનું વિકેન્દ્રીકરણ થયું તે જોતા સ્ટાફની ટેકનીકલ ક્ષમતાઓ વધારીને તૈયાર કરવો અને આગેવાનીની બીજી હરોળ ઉભી કરવા પર વઘારે ધ્યાન આવાની જરૂર લાગતી હતી. માહિતી સંસ્થા જયરે શરુ કરવામાં આવી ત્યારે જ આ બંને સંસ્થાઓએ વિચારી રાખેલું કે સમય જતા માહિતીને આત્મનિર્ભર, સ્થાનિક સંસ્થા તરીકે ઉભી કરવી. ઉત્થાનની ટીમ બહારની સંસ્થા સાથે રહે અને માહિતીને સક્ષમ બનાવવામાં મદદ કરતી રહે અને ધીરે ધીરે ભૂમિકાઓ અને જવાબદારીઓની ઓળખ થતી જાય તેમ તેમ ખસતી જાય. ઉત્થાન અને માહિતી વચ્ચે જોડાણો ચાલુ રાખવા કે નહી અને ચાલુ રાખવા હોય તે કેવી રીતના જોડાણો ચાલુ રાખવા જરૂરી રહેશે તે વિષે ચર્ચાઓ ચાલતી રહેતી. ૧૯૯૪મા આમંત્રિત નિષ્ણાતોએ બને સંસ્થાનું મૂલ્યાંકન કર્યું બને, બંને સંસ્થાની શક્તિઓ અને નબળાઈઓની તુલના કરી. તેમની ભલામણ એવી હતી કે જ્યાં સુધી માહિતીમાં ચાલતા કામો વધારે સક્ષમ રીતે અને એકત્રિત રીતે ન થાય અને ઉત્થાનમાં ટેકનીકલ તાલીમ સાથે અને સંચાલનની પ્રક્રિયાઓ સુધરે નહીં ત્યાં સુધી કાર્ય માટે વિસ્તાર વધારવો નહીં. નિષ્ણાત સમિતિએ એવું સુચન પણ કર્યું કે ઉત્થાનના મેનેજીગ ટ્રસ્ટી માહિતીમાંથી બહાર નીકળવાનું થોડું ઝડપથી કરે તો સંસ્થારૂપે વિકસવાનું પ્રોત્સાહન મળે. ભાલના કામમાંથી જે શીખવા મળ્યા તે પાઠો હવે ગુજરાતના અન્ય સુકા વિસ્તારોમાં અને ત્યાંથી આગળ વધતા દેશ અને વૈશ્વિક સ્તરે નીતિ અને કાર્ય માટે પ્રયોજવા જોઈએ ૧૯૯૪ના વર્ષને મહત્વના પરિણામોનું  વર્ષ  તરીકે ગણાવતા નફીસા કહે છે કે, 'ત્રણ ખુબ મહત્વના બનાવો એ વર્ષમાં બન્યા. માહિતી એક સ્વતંત્ર વિકાસકાર્ય કરતી સંસ્થા બની, ઉત્થાને ભાલ વિસ્તારમા કામ છોડી દીધું અને 'પ્રવાહ' નેટવર્કની સ્થાપના થઇ. ત્યારથી માહિતી અને ઉત્થાન બંનેએ અપેક્ષા કરતા ય ઘણો વધારે વિકાસ સાધ્યો છે અને પ્રવાહ એક પ્રભાવક બળ બની રહ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત અને શાઈનિન્ગ ઈન્ડિયાની આકાંક્ષાઅઓનું મૂર્તિરૂપ બે અમદાવાદનો નવો વિકસી રહેલો સરખેજ ગાંધીનગર હાઈ - વે સામાન્ય વાતચીતમાં એસ- જી હાઈ - વે રોડ નામે ઓળખાતો આ રસ્તો અમદાવાદ શહેરના પશ્ચિમ છેડે , દક્ષિણ દિશામાં આવેલા સરખેજથી ઉત્તરપૂર્વ દિશામાં ગાંધીનગર તરફ જાય છે. આ એક સરખેજથી શરૂ કરીને દૂર દૂર કિલોમીટરઓના કિલોમીટર  સુધી રસ્તાની બન્ને તરફ શોપિંગ મોલો, મલ્ટીપ્લેસો, મંદિરો, અને મનોરંજન પાર્કોની હારમાળા  થકી શોભી રહ્યો છે. આ રસ્તા પર એક હાઈ ટેક સ્મશાન ગૃહ પણ છે. રસ્તાના એક છેડે સરખેજ ગામ છે જ્યાં મધ્ય કાલીન  હિન્દી - મુસ્લિમ સ્થાપત્યકલાના બેનમુન વરસનું મૂર્તિ  સ્વરૂપ સરખેજનો રોજો છે. વિશ્વપ્રસિદ્ધ સ્થાપિત  આ રોજાને પાર્થેનોન  ગ્રીક દેવળ સાથે સરખાવ્યો હતો . બીજે છેડે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. કેટલાક આ માર્ગને ભારતની ગુજરાતની વૈશ્વિક આકાંક્ષાઓને પરિપૂર્ણ કરતુ. પ્રતિક ગણે છે તો કેટલાકને માટે આ માર્ગ અનેકોની  અપેક્ષાઓના નકારનું અશબ્દ સ્વરૂપ છે. સરખેજ વિસ્તાર મુસ્લિમ વસ્તીની બહુમાતા ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની નથી ગાંધીનગરને ખસ પરવા કરી કે નથી આ વિસ્તાર જેની અવરજવરથી ઉભરાય છે તે મધ્યમવર્ગે  કરી. અહીં રહેતી ગરીબ લઘુમતીની વસ્તી મહદઅંશે ખાલી પ્લોટોમાં  કાચાપાકા ઘર બનાવીને રહે છે જે વહેલે મોડે રસ્તા બાંધકામ ડેવલપરોનો કોળીયો બની જવાનાં છે આ રસ્તા પર આરામ અને ભોજન માટેના નાના - મોટા રેસ્ટોરાં પણ છે એ પણ મધ્યમવર્ગના ગ્રાહકોથી ભરેલા રહે છે ઉત્થાન પરિવારે એક સાંજે એવાજ એક રેસ્ટોરામાં મળવાનું નક્કી કર્યું. કામ કરવાની રીતોના અનુભૂતિઓ વિષે ચિંતન કરવા બધા ભેગા મળ્યા .

વાતવાતમાં રાજુલાની આવેલી  જીજ્ઞાએ ટીપ્પણી કરી " અહીં પીવાનું પાણી માંગો એટલે તમને દસ રૂપિયાની પ્લાસ્ટિકની પાણી ભરેલી બાટલી પકડાવી દે. પાણી દૂધ કરતા પણ મોઘું છે". જીજ્ઞા ઉત્થાન - રાજુલાના વિસંવાદ પરિવર્તનના કાર્યક્રમની સંયોજક છે. "એક બાબત આપણે ખાસ સમજાવી જોઈએ અને એ છે કે વિસંવાદનું સ્વરૂપ આપણે જે વિકાસ અને પ્રગતિ શબ્દોનો અર્થ કરીએ છે એ કરતા જુદો અર્થ આપના શહેરમાં વસતા પડોશીઓ કરે છે " તો આવી વિભિન્ન માનસિકતાઓને ભેગી કઈ રીતે આણવી ? અહીં વાત માત્ર ગરીબ ધનિક વચ્ચે કે શહેર ગામડાઓ વધતા જતા અંતર = તફાવતની વાત નથી પરંતુ વિભિન્નતાના ખ્યાલમાં પણ એટલી વિવિધતાઓ રહેલી છે કે પ્રશ્ન એ થાય છે કે આટલી બધી વિભિન્નતાઓ - વિવિધતાઓ સાથે કામ કઈ  રીતે લેવું? ૨૦૦૨ પહેલા મારો મત એવો હતો કે વિભિન્નતામાં એટલેકે નિર્ણય પ્રક્રિયામાં ગરીબો પણ ભાગ લે તેવું સુનીશ્ચિત કરવું હવે એ અર્થ વિસ્તર્યો છે. આપણે નિર્ણયપ્રક્રિયામાં ગરીબોને પણ જોડાવાના છે. એટલું પૂરતું નથી. બધા જ જૂથોની અંદર પણ વિભિન્નતાઓ હોય છે અને એ બધેથી નબળી સ્થિતિમાં હોય તેવા બધાનો સમાવેશ આપણે નિર્ણય પ્રક્રિયામાં કરવાનો થાય. અમારે માટે આવા વર્ગો લઘુમતી છે આ કે તે કોમ કે જ્ઞાતિની વ્યક્તિઓં નહી". જયા રાઠોડ આ વાત સાથે સહમત છે. " હું ભાવનગર લોકશિક્ષણ કેન્દ્રમાં કામ કરું છું મારૂ કામ દરિયાકાંઠાના પ્રશ્નો સાથે છે પરંતુ શાંતિ અને ન્યાયના મુદ્દા પણ મારે માટે સામર્થ્ય પ્રાપ્તિ અને જેન્ડર જેટલા જ મહત્વના છે. ૨૦૦૨ પછી આ મુદ્દા બન્યા છે અને સામર્થ્ય પ્રાપ્તિ અને સમન્યાય માટે વધારે સારી રીતના સંવાદ તરફ અને ઓછા વિસંવાદ તરફ લઇ જતા હોય તેવી રીતે કામ આમ કરવાના પ્રયત્નો કરીએ છીએ. દાખલા તરીકે દરબાર જ્ઞાતિ અને દલીતવર્ગના લોકોના સંબધની વાત કરીએ , અત માત્ર પાણીની પ્રાપ્યતા પુરતી જ નથી પરંતુ એવા પ્રકારની દીર્ઘકાલીન સમજ અને સન્માનની છે. પરસ્પર આ પ્રકારની સમાજની અપેક્ષા  રહે છે અને સ્વીકૃતિની પણ. " વેલ્મોડબેન પાસેથી અમે જાણ્યું કે વિશ્વમાં અનેક જગ્યાએ વિસંવાદો  હોય છે અને કેવી વિવિધ રીતે લોકો વિસંવાદ અને શાંતિની સામે આવતા પડકારો પ્રતિભાવ આપતા હોય છે.

જયાના સહકર્મી લક્ષ્મણ વાળાને લાગે છે કે વિસંવાળો એટલા જાત જાતના હોય છે કે લોકોને માટે જ નહી પણ સંસ્થાનોને માટે પણ અવકાશ અને મંચો સર્જવાની જરૂર છે જ્યાં તેઓ માત્ર એકબીજા સાથે જ નહી પણ સમુદાયોની સાથે એકસમાન સ્તરે વાત કરી શકે.' લીમખેડાના આદિવાસી વિસ્તારમાં કાર્યરત કાર્યક્રમ સંયોજક બાબુભાઈ પ્રજાપતિએ પોતાના લાંબા સમયના અનુભવોની વાત કરતા કહ્યું કે " મેં દાહોદમાં ૧૯૯૫માં આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ શરુ કર્યું . ત્યારથી અમે ( ઉત્થાન ) અધિકારો વિષે વધુ સમજ લોકોને આપીને આજીવિકાની સલામતી સર્જવાની રીતો ઓળખવાના પ્રયત્નો કરતા રહ્યા છીએ. ૨૦૦૨ના બનાવો પછી લઘુમતિઅઓ વિષેની નીતિઓં અને પગલાઓની અસર મુખ્ય ચિંતાનો પ્રશ્ન બન્યો છે . તાલિમોને લીધે અમને સમાજ વિષે વધારે સમજણ મળી. ભવિષ્યની જરૂરીયાતોને સમજવા માટે જરૂરી વ્યુહાત્મક કૌશલ્યો મળ્યા. આપણે આપણા ઉકેલો આવતીકાલમાં લઇ જવા વિષે વિચારવું પડે  અને આવતીકાલ વિષે ધારણાઓ કરવાનું સહેલું નથી હોતું. " "આપણે ભવિષ્યમાં જ નહી આપણી વ્યક્તિગત જીંદગીઓં  અને આપણા સામાજિક પર્યાવરણમાં પણ જોવું જોઈએ. ઉત્થાનમાં કામ કરવા દરમ્યાન મેં જે મુલ્યો ગ્રહણ કાર્ય અને મુશકેલ સમયમાં અને જે રીતે પરસ્પર આધાર આપીએ છીએ તેને લીધે મારી જીંદગી અનેક રીતે બદલાઈ ગઈ. લીમખેડામાં કુદરતી  સંશાધનોના સંચાલનનું કામ સંભાળતા નરેશ જાદવ અને એ જ વિસ્તારમાં બીજા મુદ્દાઓ પર કામ કરતા લક્ષ્મી ડામોર આ સહક્રિયાનો પડઘો પડે છે. " ઉત્થાનના ધ્યેયો અને મુલ્યોએ મારા વ્યક્તિગત અને સામાજિક સંબધોમાં પરિવર્તન લાવવામાં અસર કરી છે. અહીં જે રીતે સતત શીખતા રહેવાનું થાય છે જે રીતે બધા એકબીજા સાથે પોતે શીખેલી વાતો શેર કરે છે એ અમારા જીવનના એકેએક ભાગ સુધી પહોંચે છે. ૨૦૦૨થી હું શીખી કે અમે જે જૂથો સાથે કામ કરીએ છીએ તેમાં પરિવર્તનનું મહત્વ શું છે? વિભિન્નતાઓને સમજદારીથી જોડવામાં મદદ કરે તેવી નવી મૈત્રીઓ રચવાનું મહત્વ શું છે ." લક્ષ્મીએ છેક પાયાના સ્તરે શીખવાની અને શેરીંગની પ્રક્રિયાને ઉત્થાનના રાષ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય સ્તરે હિમાયત કાર્યને જોડતી એકધારી પ્રક્રિયા વિષે ઉલ્લેખ કર્યો. લક્ષ્મણ માને છે કે ઉત્થાનમાં તાજેતરમાં શરૂ થયેલા લોક્શિક્ષણ કેન્દ્રો જેવી સામાન્ય સહભાગીતાઓની વ્યવસ્થા રચવાની વિભિન્નતા વિષે બધું અસરકારક કશુક કરી શકાય. પ્રવિણ ભીખડિયા આ કેન્દ્રોમાં વોટસનના મુદ્દા વિષે કામ કરે છે. એના મતે પરિવર્તન અને વધુ આગળ વધવાની નવી સમજ માટેની વ્યુહરચનામાં લોકશિક્ષણ  કેન્દ્રને તાજેતરમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ પુરસ્કાર મળ્યો છે. તેને લીધે સૌને પ્રોત્સાહન મળ્યું છે. પ્રવિણ જણાવે છે કે " અમે એક કેન્દ્ર પાણી અને સ્વછતાવ્યવાસ્થાના મુદ્દા વિષે અને બીજું કેન્દ્ર દરીયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા વિષયક જરૂરિયાતો માટે એમ બે કેન્દ્રો શરું કાર્ય છે. અમે વાસ્મો સાથે રહીને બંગ્લોરની અર્ઘ્યમ સંસ્થાના ટેકાથી દરિયાકાંઠે મીઠાના અગરોમાં કામ કરતા સમુદાયો  માટે આરોગ્ય વ્યવસ્થા પહોચાડી શક્ય છીએ. આ અગાઉ તેઓ  આ સુવિધાથી તદ્દન જ વંચિત હતા. ઈકોસેન પદ્ધતિથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આજીવિકા માટેના લોકશિક્ષણ કેન્દ્રમાં ટીટણ ( લોબસ્ટર ) ના ઉછેર અને એના માર્કેટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું. એ વખતે ચાર - પાંચ સભ્યો હતા. આ કામ શરૂ થતા જ  છસો સભ્યો બન્યા. લોકશિક્ષણ કેન્દ્રમાં  માત્ર માહિતી  અને ટેકનોલોજીના વિનિમયનું કામ કરીને અટકતું નથી. ત્યાં દરેક સ્થાન અને દરેક સમુદાયને સંબંધિત મુલ્યો શીખવા અને તેનું પ્રસારણ કરવાનું કામ પણ થાય છે. દરિયાકાંઠાના  વિસ્તારોમાં કેટલીકવાર અચાનક જ હવામાન પલટો થાય છે અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે. આવી કુદરતી આફત માટે તૈયાર રહેવાનું અમે શીખવીએ છીએ. પાક ઉગાડેલો હોય, આજીવિકાના બીજા કામો હોય આ બધાને નુકશાન થતું બચાવી શકાય તે રીતે સંદેશાવ્યવહારની રીતો પણ અમે એમને શીખવીએ છીએ. અમને લાગે છે કે લોકશિક્ષણ કેન્દ્રો સ્થાનિક સામર્થ્યપ્રાપ્તિની અભિવ્યક્તિ બનવા જોઈએ આને માટે લોકો જ પ્રયત્નો કરે તેઓં જે સંચાલન કરે એવું તેવું અમે ગોઠવવા અમે માંગીએ છીએ. શરૂઆતના તબક્કે ઉત્થાન સાથે રહે , મદદ કરે પણ એમને ઉત્થાન પર નિર્ભર ન રહેવા દેવા. આ જ રીતે આપણે શાંતિનો આપણા કામને ટકાવી રાખ તેવા મુલ્યો તરીકે પ્રસાર કરી શકીએ? શાંતિ આપણા સમાનતા અને ન્યાયના મુદ્દાને સાથે સાંકળે છે. જ્યાં સુંધી આપણે આ મુલ્યોને લોકો સુધી પહોચડવામાં સફળ થઈએ ત્યાં સુધી લોકોને સ્વનિર્ભર બનાવવા આપણા પ્રયત્નો લાંબા સમય સુધી ટકી શકે નહિ. સંગીતા પટેલ ચૌદ વર્ષથી ઉત્થાન સાથે જોડાયેલા છે. ભાવનગરમાં ચાલતા લોકશિક્ષણ કેન્દ્રમાં પોતાનાકામની અસરોનું અવલોકન કરતા એ કહે છે કે  " અમારે સમાજમાં હાંસીયામાં રહી ગયેલા લોકોની સાથે કામ કરવાનું છે. અમારૂ કામ અસરકાર રીતે થઇ શકે એ માટે અમારે અમારી ટીમની અંદર વિવધતા રચવી પડી. અમારામાંના ઘણા ખરા ૨૦૦૨ પછી જ સમજ્યા કે વિસંવાદિતામાં કેવી સંકુલતાઓ હોય છે  અને શાંતિ સર્જનનું કામ પણ એવું જ સંકુલ હોય છે. " ચેતના વ્યાસ કહે છે કે આજે પણ પોતાના કામમાં શાંતિ સર્જનનું કેન્દ્રરૂપ ક્ષમતા ગણીને કામ કરતી હોય એવી સંસ્થાઓં ઓછી જોવા મળે છે.' રાજુલામાં એ મારે બહેનો સાથે અને સમુદાયો  સાથે સંપર્ક થયો એ વખતે મને સમજાયું કે શું સફળ થશે અને સફળ નહી થાય  એ વિષે કોઈ જ બ્લુપ્રીન્ટ  ન હોઈ શકે, નથી જ હોતી અને વિસંવાદિતાના ઉદભવનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજ્યા અને એ રીતે અમે એને વિષે શું કરવું એ પણ સમજી શકાય."

ભાવનગરમાં કુદરતી સંશાધનોના સંચાલનમાં આગેવાન તરીકે કા કરતા હીરાભાઈ દિહોર મને છે કે ઉત્થાનની શાંતિ માટેની તાલીમનું પરિણામ એ મળ્યું છે કે અમને સામાજિક અને રાજકીય સંદર્ભોને જોડતી કદિઅઓનુ વિશ્લેષણ સમજાયું. આ વાત સાથે પંચમહાલનો આદિવાસી વિસ્તારોમાં શાંતિ માટે આગેવાન તરીકે કામ કરનાર સાજેદા શીશોલી પણ સંમત છે. એમના પરિપ્રેક્ષ્યમાં આ જ વાત છે. " એક તો હું મુસ્લિમ અને વળી અહીં મારે ઘણી બધી સમસ્યાઓ પર કરવી પડી એમાં મારા પૂર્વગ્રહો પણ ખરા મને તાલીમ મેળવવાની તક સાંપડી અને એ તાલીમથી મને પોતાને પણ લાભ થયો એ પછી હું જેમના ક્ષમતસર્જન માટે કામ કરું છુ તેમને પણ આ સમસ્યાઓ હલ કરવામાં હું મદદ કરી શકી." શીખવાની આ પ્રક્રિયાને જ્યાં લોકશિક્ષણ કેન્દ્રોની સાથે જોડે છે આ કેન્દ્રોએ 'માહિતી' ના ઉદાહરણને અનુસરવું જોઈએ. આ બધી રીતે માત્ર જ્ઞાન કે માહિતી આપવા માટે કે લેવા માટે જ નથી , એના દ્વારા આત્મનિર્ભરતા શીખવા અને પરસ્પર સંભાળ લેવાની એક વિભાવના  તરીકે  જોવી.

તો ઉત્થાન સામે મારો પડકાર એ હતો કે તેની વિવિધ નીસ્બતોનું સંચાલન કરવું.

આવા વિવિધતા ભર્યા કામો અને પ્રશ્નોમાં મુલ્યોને સાથે લાવે તેવી સુસંગતતા કઈ રીતે શોધવી? શાંતિ અને ન્યાયના પ્રયત્નો જે હેતુ માટે છે તે પ્રયત્નો અને હેતુને જોડતો દોર ક્યાં શોધવો? શું શાંતિ જ વ્યક્તિ અને સમુદાયની સ્વસ્થતાના આટલા બધા પ્રશ્નો કુદરતી સંશાધનોના સંચાલનમાં આધારક્ષમતા તેની વહેચણીમાં સમન્યાય, જેન્ડર સમાનતા સમુદાયો વચે સંવાદિતા અધિકારો  મેળવવા અને જવાબદારીઓં સ્વીકારવી એ બધાને જોડતી કડી છે? પ્રવિણ અને બાબુભાઈ ને લાગે છે કે પાયાગત રીતે આ બંને મુદ્દા ન્યાય અને શાંતિ એકબીજાની આરપારના  અને  એ નેતૃત્વએ દર્શાવવાનું છે કે આ સંકલનને કઈ સમજવું અને વ્યવહારમાં મુકવું. બાબુભાઈ કહે  છે કે " આગેવાન બનવા માટે અમારે લોકોને આ બધા જ જોડાણો સંબંધોને સ્પષ્ટ રીતે એ સમજીએ છીએ એ જ રીતે એમને પણ એ સમજાય. આ ઉત્થાન સામે આવેલો પડકાર છે."પ્રવિણ કહે છે " આના સૂચિતાર્થો પણ હોઈ શક્કે છે, અંગત વ્યક્તિગત સંદર્ભમાં પોતાની વ્યક્તિગત વાત કરતા પ્રવીણ કહે છે " અહીં ઉત્થાન માં આવ્યા પછી જ મને પહેલીવાર એ સમજાયું કે વ્યક્તિની જેન્ડર એના જીવન પર કેટલો અને કેવો અસર કરતા હોય છે. સત્તા કઈ રીતે ચલાવવામાં આવે છે તે પણ મને સમજાયું. આ સમાજ મારે મારા વ્યક્તિગત જીવન અને  સંબંધોમાં પણ લાવવી પડી. હું એક સાવ સદી લાગતી   પણ હકીકતે ઘણી ગંભીર વાત કરૂ જેવી કે પત્નીને ઘરકામમાં મદદ કરવી. મેં કુટુંબની પરંપરા અને રૂઢીચુસ્તતાના બંધનો તોડીને લગ્ન કર્યા. હું બીજા લોકોને કંઈક કહું એ પહેલા મારે મારી અંદર જ મારા કામ અને મારા ઘરના મુલ્યોને એક કરવાના હતા.

  • ઉત્થાનના શાંતિ  વિષયક કાર્યના કાર્યક્રમ સંયોજક જયંતીભાઈ પટેલ કહે છે કે ઉત્થાનમાં નેતૃત્વ તેની એકતાની ભાવનાથી જ પોષાય છે " અહીં કોઈ રીતની અધિશ્રેણી નથી. અમે બધા સમાન છીએ અને એકસાથે છીએ. સમાનતા અને એકતાની આ લાગણી ખરેખરી છે.

આ જ બાબતે અમને સંવર્ધન સમભાવ અને ન્યાયના મૂલ્યોના ચૂરેચૂરા થઇ ગયા હતા તેવા સમયે ૨૦૦૨ના રમખાણો વખતે તેમાંથી બહાર આવવા માટેની શક્તિ આપવામાં આવી હતી તેમના સહકર્મી લક્ષ્મણ રાઠોડના આદિવાસી વિસ્તારમાં શાંતિના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતા કહે છે કે ટીમ અને ગ્રામ સ્તરે કામ કરતા કાર્યકરોની ક્ષમતા કાઢે અને સમુદાયના કાર્ય માટે તકો વિસ્તરે. રોજરોજ અમે જોઈએ છીએ કે સ્ત્રીઓ, આદિવાસી સમુદાયો દલિતો , લઘુમતીઓ, અને ગરીબો પર અન્યાયો થતા રહ્યા છે . આ કડવી વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓ અમારા વિઝન અને મૂલ્યોને સતત પડકારતી રહે છે. અમારી સામે ખરો પડકાર જ એ છે કે આ વિઝન અને મુલ્યોને વાસ્તવરૂપે લાવવા. પહેલા હું મને હિંદુ ગણાવતો હવે હું મન આદિવાસી ગણાવું છું. અને આ દાવો પૂરા આત્મવિશ્વાસ અને આંતરિક બળ સાથે કરૂ છું.  નફીસા માટે આવા વિવિધ મુદ્દાઓ અને નીસ્બતો માટે કામ કરવું એ જ ઉત્થાન પાસે બીજ સાથે વહેચવા જેવા છે લોકશિક્ષણ કેન્દ્રોએ આ પથોની અભિવ્યક્તિ માટે એક મંચ આપ્યો. પરંતુ એટલુજ મહત્વનું  એ છે કે ક્ષેત્રિય કામો દ્વારા એના સાચા ઉદાહરણો દર્શાવવા. આયોજનમાં જે રીતના મૂલ્યો દર્શાવ્યા હોય તેને જ કાર્યમાં અથવા ટેકનોલોજીના ઉપયોગમાં દર્શાવવાના હોય છે નફીસા પણ એ સ્વીકારે છે કે જે કરવા જેવું છે તે બધું જ અમે નથી કરી શક્ય પરંતુ અમે કાળજીથી પસંદગીઓં કરે છે  અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી પણ શીખવા માટે મળે અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી અમને પણ શીખવા મળે અને અમારી શીખેલી વાતોમાં અમે બીજાઓને પણ સહભાગી બનાવી શકીએ. એમ જે કરવાનું નક્કી કરીએ તે કરવા માટે તાકાત અમારી પાસે હોવી જોઈએ.એટલું જ નહિ અમારે વિષે અપેક્ષાઓ રાખનારાઓની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની તાકાત પણ અમારી પાસે હોવી જોઈએ. આ રીતે કામ કાર્યની અસર દેખાતા કેટલીકવાર વર્ષો વીતી જાય છે. દાખલા તરીકે ૧૯૮૦ના દાયકામાં અમે પીલૂવૃક્ષોનું  આજીવિકાના એક સ્રોત તરીકે વાવેતર કરવાનું નક્કી કર્યું અમે જયારે એ શરૂ કર્યું ત્યારે ઘણાએ કહેલું ' આ નહિ ચાલે છતાય અમે કર્યું થોડા વર્ષો પછી સરકારના વનવિભાગે પીલુના વાવેતરને એક અધિકૃત - માન્ય યોજના તરીકે સ્વીકાર કર્યો ત્યારથી અમે આવક્સર્જનને અગ્રીમતા આપવા માંડી. ઉત્થાન વિશેની પહેલી છાપ છે પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે કામ કરતી એક સંસ્થા તરીકે "અમે એ છીએ ચોક્કસ છીએ " નફીસા સમજાવે છે " પરંતુ ભાલમાં અમે કામ શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસથી અમે માનવાધિકારોની હિમાયત કરતા આવ્યા છીએ અને એ માટે કામ કરતી સંસ્થા છીએ જો કે શરૂઆતમાં ખુદ અમને આ વાત સ્પષ્ટ રીતે નહોતી સમજાઈ. સમય જતા અમે શીખ્યા કે સમુદાયની સામર્થ્યકરણની પ્રક્રિયા તેમને પોતાને માટે સૌથી મહત્વના લગતા પ્રશ્નની આસપાસ સંગઠિત અને સક્રિય બનાવીને જ કરી શકાય. સમસ્યાના ઉકેલની વ્યૂહરચનાઓમાં સર્વસમંતીનો આ પાયો  તો જોઈએ જ અમે પાણીના ક્ષેત્રમાં આવ્યા કારણકે એ જ સૌથી મોટો સ્થાનિક પ્રશ્ન હતો. પાણીનો પ્રશ્ન કેટલી બધી પીડાઓ અને ભેદભાવોના કેન્દ્રમાં હોય છે અમે પાણી માટે કામ કરતા હોવાથી કેટલાકે અમને ટેકનીકલ સંસ્થા ગણી, બીજા કેટલાક અમને કર્મશીલો ગણાવવા માંગતા હતા અહીં કર્મશીલતા એટલે કે સરકાર સામે સંઘર્ષ કરવો તેને સહકાર ન આપવો. અમારે આ બન્ને કરવું પડ્યું કારણકે અમારે શું કરવું અને શું ના કરવું એ વિશેની પસંદગી મૂળતા તો અમે જે સમુદાયો માટે કામ કરીએ છીએ તેમની સમસ્યાઓ , અપેક્ષાઓથી પ્રભાવિત થાય છે અને એમને સંભાળતા શીખ્યા છીએ, સમજતા શીખ્યા છીએ. અમારું શાંતિ વિશેનું પહેલકાર્ય આ હેતુ માટે જ હતું અમે આખા વિશ્વમાંથી જાણેલા અનુભવોમાંથી કંઈક સમુદાયો સુધી લઈ  જઈ શકતા હતા. સંવાદિતા કામ કરવા વિષે યોગ્ય  પસદંગીઓ કરવામાં મદદ કરે છે અને એ પછી એ કાર્યોને યોગ્ય રીતે કરવામાં પણ મદદ કરે છે. હવે અમે સમજી ગયા છીએ કે શાંતિ એ સમયનું એક બિંદુ નથી, એ અમારા સમગ્રતયા હેતુ છે.

વિકાસ એજ સ્વતંત્રતા

૭મી ફેબ્રુઆરી ૨૦૧૦નો દિવસ ગુજરાતના ગામડાઓમાંથી હજારેકથી વધુ ગ્રામીણ નાગરિકઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મળ્યા કાર્યક્રમ હોય કુદરતી સંશાધનોને ઉદ્યોગગૃહોને અધિકૃત રીતે તબદીલ કરવા વિષે જાહેર સુનાવણીનો આ પ્રસંગે ઉત્થાન અને તાના જ કાર્યક્ષેત્રના સમુદાયોના સહયોગ દ્વારા ગામો અને નગરોની સુનાવાનો પણ યોજાઈ. એમના ધ્યાનનું કેન્દ્ર હતું જમીનની મનસ્વી રીતની ફાળવણી વિષે ખાસ કરીને ‘સેઝ ‘ તરીકે ઓળખ કરવામાં આવેલા વિસ્તારોમાં આ રીતની ફાળવણી ચિંતાનો વિષય બન્યો છે આમાંનું એક મહત્વનું ઉદાહરણ હતું ભાવનગર નજીકના એક સ્થળનું આ વિસ્તારમાં ક્ષારીયતાપ્રવેશ નિવારણ માટે લાંબા સમય સુધી કામ કરવામાં આવ્યું હતું. ઘણા પ્રયત્નો પછી ત્યાં ચેકડેમો બનાવવામાં આવ્યા હતા, જળાશયો બન્યા હતા, જમીનમાં ક્ષરીયાતાની  અસર જરાતરા કાબૂમાં આવવા લાગી હતી અને હવે એક જંગી સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા માટે એ જમીન એક ઉદ્યોગગૃહને સોંપી દેવાની વાત હતી મહાત્મા ગાંધીએ સો વર્ષ પહેલા સ્થાપેલી આ સંસ્થા, ગુજરાત વિદ્યાપીઠના આંગણેથી આજે આ સંદેશો વહેતો થયો હતો કુદરતી સંશાધનો લોકોની માલિકીના છે, સરકારની નહી આધુનીકરણ સાંધીને એ  દ્વારા વિશ્વસ્તરનું બનવા માંગતા ગુજરાત અને ભારતની કેન્દ્રિય સરકારો અને પ્રજા સૌને માટે વિરોધ અને ચેતવણીનો સંદેશ હોય: કુદરતી સંશાધનો પ્રજાના હોય છે સત્તાધીશો હોય તે એમના ટ્રસ્ટીઓ હોઈ શકે માલિક નહિ. કુદરતી સંશાધનો આજે પણ લોકોમાં જ હોય અને આવતીકાલે પણ લોકોનાં જ હોય અને આવતી કાલે પણ લોકોનાં જ હોય અને આ મળવાના એક મહિના પછી ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયો સિમેન્ટ પ્લાન્ટના બાંધકામ પર ‘સ્ટે’ ઓર્ડેર કર્યો. મુખ્ય ન્યાયાધીશો સત્તાધીશોને ઠપકો આપતા કહ્યું ‘ગુજરાતને વેચવા ન કાઢો ‘નવેમ્બર સુધીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પર્યાવરણીય અસરો વિષે જવાબ માંગતી નોટિસ મોકલી . ૧૯૮૧ માં ગુજરાતના દરિયાકાંઠાની જમીન પર શરૂ થયલા એક પ્રવાસ આવી સદીના પહેલા દસકામાં પણ ચાલુ હતો.

આગળ વધવા માટે રસ્તો શોધવા પાછળ  નજર કરીએ, કંઈક સૂંઝ પડે એટલા માટે તો લાગે છે કે જૂની સમસ્યાઓનો ઉકેલ આણવાની વાત તો રહી નવી સમસ્યાઓનો સામનો કરવાનું વધારે થાય છે ૨૦૦૨ ના રમખાણો પછી ઉત્થાનની ટીમે થોડું થોભીને ભૈષ્યની દિશાઓ વિષે વિચાર કરવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે પ્રગતિની વિભાવનાની વ્યાખ્યા કરવાનું મુશકેલ લાગતું હતું, હજી પણ એમ જ લાગે છે. જુન ૨૦૦૭ માં નફીસાબેન બારોટે શ્રી ગગન શેઠીને ચિંતન અને શિક્ષણની પ્રક્રિયામાં સહાયક બનવા આમત્રણ આપ્યું હતું. શ્રી ગગન શેઠી સ્વૈછિક સેવાક્ષેત્રે ગુજરાતમાં એક અગ્રણી નામ છે. સામાજિક ન્યાય કેન્દ્ર, જનવિકાસ અને ઉડાન જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેઓ  સહભાગી છે. આ સંસ્થાનો અત્યાચારનો  ભોગ બનેલાઓ માટે કામ કરવા માટે સુવિખ્યાત છે. તેઓં સતતપણે સાક્ષી રહ્યા છે અમુક અંશે સહભાગી પણ કહેવાય, ૧૯૯૮ નફીસા બારોટને જે ગંભીર અકસ્માત થયો હતો ત્યારે એ જ વાહનમાં  તેમના સહપ્રવાસી દીપ્તિ સેઠી તેમને પણ ખુબ ઈજા થઇ હતી. તેઓ શ્રી ગગન સેઠી ના પત્ની છે શ્રી ગગન સેઠીએ ટીમને કેટલાક સવાલો પૂછ્યાં- તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસની પ્રક્રિયાનો ભાગ બનવા તમે શું કીમત ચૂકવી? ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે આ પ્રક્રિયા દરમ્યાન તમને શું મળ્યું? આ વર્ષો દરમ્યાન તેમનું- તેમના કુટુંબનુ, ગુજરાતનું, ભારતનું શું થયું? તેમને ટીમને જણાવ્યું કે તમે  ગુજરાત અને ભારતનો એક ભાગ છો. આ જ વાતને આગળ લઇ જતા શ્રી ગગનભાઈએ કહ્યું કે વિકાસ માટે કામ કરનારાઓને ભાગ્યેજ કોઈ આ સવોલો પૂછતું હોય છે ખાસ કરીને પહેલો સવાલ – તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસના કર્મશીલો પર પરિણામોને ઉચ્ચે લઇ જવાનું વધારે દબાણ રહે છે, ભારતની વધતી જતી સંકુલતાઓને સમજવા પ્રયત્ન કરવાનું ઓછું. તેમણે એમ સૂચવ્યું કે ઉત્થાને પરિવર્તન સુસંગતતા અને પ્રગતિ વિષે જે આંતરિક ચિંતન આરંભ્યું તે સમકાલીન સંદર્ભ પર પ્રકાશ પાડે છે. આ એ સંદર્ભ છે જે ૧૯૮૧ માં ભાલમાં કામ કરવા પહોચેલી ચાર વ્યવસાયિક યુવતીઓના આદર્શવાદ અને પ્રેરણાના સ્ત્રોત સામે પડકાર કરે છે અને સાથે સાથે એને પૃષ્ટિ પણ આપે છે એ યુવતિઓ જયારે ભાલમાં કામ કરવા પહોચી ત્યારે સામર્થ્યપ્રાપ્તિ અને પરિવર્તનના એવા ક્યાં ધોરણો એમણે વિચારેલા જે આજે પણ કર્મશીલોને ,માટે પ્રોજેક્ટોના આંકડાથી આગળ જતી એવી સુસંગતતા અને  શક્તિનો સ્ત્રોત બની શકે છે? મહાત્મા ગાંધીએ પોતાના જ કામના સફળતાનો એક લગભગ અશક્ય એવો માપદંડ નક્કી કર્યો હતો “ મારે દરેક આંખનું આસુ  લુછવું છે”

આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે લગભગ અસંભવ એવું ધ્યેય હતું. ચાત અનેક કર્મશીલોને માટે એ શક્તિસ્ત્રોત હતું. હાલમાં કામ કરવા પહોંચેલી પેલી ચાર યુવતીઓંએ પણ જે વિઝન જોયા હતા તેમાનું  જે એક હતું. આ વિઝનો એમની સમકાલીન પેઢીને વારસામાં મળ્યા હતા. ગાંધીજીનું ન્યાયપૂર્ણ સમાજનું સ્વપ્ન એવા એક સમાજનું જેના મુળિયા સમુદાયોની સીહ્યારા સંશાધનો શોધવાની ક્ષમતા તેની વૃદ્ધિ કરવાની ભાવનાને ધરતીમાં જડાયેલા હોય. દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારાઓનું બીજું વિઝન કેવું હતું તે વિશ્વને જણાવી સમજાવી શકાય તેવું કઈક છે. ત્રીજું વિઝન હતું સમાજવાદી સમાજરચનાનું. સમકાલીન ઔધોગિક સમાજની અંદર રહીને ગાંધીવાદી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો ઉદ્દેશ સાથે ઘડાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટો. આ નેહરુનું સ્વપ્ન હતું. આઝાદી પછી તરતના વર્ષોમાં નેહરુના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતની પ્રજા એમાં સહભાગી હતી.

પરંતુ ૮૦ નો દાયકો આવ્યો ત્યાં સુધીમાં ભારતના એ હિંમતભર્યા પ્રયોગો સામે પડકારો આવી ઊભા. એક તરફ આ રીતે ઘડાયેલી યોજનાઓ પ્રોજેક્ટોના પરિણામો પડકારરૂપ હતા.અપેક્ષામાં કઈક ઉના  ઉતર્યા હતા તો વિશ્વમાં બીજે બધે થઇ રહેલા ક્રાંતિકારી ફેરફારો પણ અસર કરી રહ્યા હતા. દેશની પ્રગતિથી પરિવર્તનો તો થતા હતા પરંતુ સમાનતા અને ન્યાય વ્યવહાર સ્વરૂપે હજી છેટે રહી ગયા હતા. કુદરતી સંશાધનો ઘટતા જતા હતા એ પડકાર માત્ર ભારત પર ન હતો સમગ્ર વિશ્વ સામે હતો. ૧૯૭૨મા સ્ટોકહોમ ખાતે માનવ પર્યાવરણ વિષે મળેલા અધિવેશનમાં ભારતના એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જે એક ચર્ચા ઉપાડી હતી તેનો ઉકેલ હજી પણ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે “પ્રદુષણ વિકાસને કરને નહિ પણ ગરીબીને કારણે થાય છે.” આજે ચાર દાયકા પછી પણ એ દલિત જેમની તેમજ રહી છે. અત્યારે એ હવામાનના જબરજસ્ત ફેરફારો રૂપ જોખમના સ્વરૂપે છે. સ્ટોક હોમ અધિવેશનમાં વિકાસની વ્યાખ્યા ઘડવામાં આવી.આધારક્ષમ વિકાસ એટલે “એવો વિકાસ કે જે વર્તમાન સમયની જરૂરિયાતો પરિપૂર્ણ કરે અને તે એ રીતે કે ભાવી પેઢીઓને તેમની પોતાની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા વિષે સમાધાનો ન કરવા પડે”.  આ શરત વિશ્વની ઝડપથી બદલાઈ રહેલી વ્યવસ્થાઓનો સામનો કરતા બળોમાંની એક હતી.

લગભગ એજ સમયગાળામાં સોવિયેત યુનિયનનું ભાંગન થયું. ચીનના અર્થતંત્રમાં અતીઝડપથી ફેરફારો થયા આ બંને બાબતોએ પણ પુરવાર કરી દીધું કે સમાજવાદ એ માત્ર ‘બોદું સ્વપ્ન “ જ છે હવે બજારના અર્થતંત્ર એ ઉદારીકરણ નું વલણ લીધું. એ ગાળાની ઉગતી અને નવયુવાન પેઢીને આ શબ્દ વારંવાર સંભળાયા કરતો હતો. ભાલમાં જી પહોચેલી એ ચાર યુવતીઓ એનાથી કઈ રીતે અછૂતી રહે? ઉદારીકરણની એ વિભાવના લાભવંચિતો માટે સંભવિત સ્વતંત્રતા હતી? કે પછી એ સ્વતંત્રતા માત્ર વેપાર ઉદ્યોગો માટે જ હતી? ઉદારીકરણના પગલે આગળ વધતો ઓધોગિક વિકાસ હાસીયાગ્રસ્ત લોકો સુધી પહોચવાનો ખરો? એમને આજીવિકાની તકોના સ્વરૂપે આ વિકાસયાત્રામાં જોડાવાનું મળશે ખરું? કે પછી માત્ર મુઠ્ઠીભર લોકોને મેવા મળ્યા હતા, લાખો કરોડો લોકોને એક કોળીયો પણ નહોતો મળ્યો.

‘આધારક્ષમ વિકાસ ‘ભારતના કર્મશીલો સતત ત્રણ દાયકાથી આ વિભાગની વ્યાખ્યા અને નિદર્શનો આપવા અવિશ્માંપાને મથતા રહ્યા છે આ વ્યાખ્યા કરવા આંતરરાષ્ટ્રીય માળખા રચાય છે સંમેલનો ભરાયા છે આમ છતાં હજી પણ આ શબ્દસમૂહની સર્વસ્વીકૃત, સર્વમાન્ય, સર્વાંગી વ્યાખ્યા ઘડાઈ શકી નથી. ઘણા મને છે કે આધાર ક્ષમ  વિકાસ એટલે અસ્તિત્વ ટકાવી રાખવાની એક મહત્વની વિભાવના જેમાં માનવજાત  જેના પર નિર્ભર છે તેવો પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક મુદ્દાઓને સંકલિત સ્વરૂપે સમાવી લેતો એવો કુદરતી વ્યવસ્થાઓનું રક્ષણ કરવા વિશેનો સ્વસ્થ અભિગમ બીજા કેટલાક પશ્ચિમના દેશોના વિકાસની પેટર્નનું  અનુકરણ કરવા ઉતાવળા  થયેલા લોકો ‘આધાર ક્ષમ વિકાસને ‘ એક બોદું સૂત્ર મને છે. ઉદારીકરણ અને વૈશ્વિકરણને અનુલક્ષીને અને ત્વરિત પગલા અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવ પર ઢાક્પીછોડો કરવા એક સગવડીયો અર્થ આપે છે. જેમના હાથમાં સીધી કે આડકતરી રીતની સત્તા છે તેમણે અપનાવેલા આવા કઈક  અભિગમનું પરિણામ આવ્યું કે કુદરતી સંશાધનોની માલિકી વિષે ઊભો થયેલો વિવાદ સંઘર્ષ બન્યો અને જોતજોતામાં વધીને નક્સલવાદી ચળવળરૂપે ભડકી ઉઠ્યો. પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારમાં જમીન વિહોણા થઇ ગયેલા લોકોએ જમીનદારો પર હુમલા કર્યા. છૂટક છૂટક હુમલાઓના આવા બનોવો એવીરીતે અને એટલા બધા પ્રમાણમાં આખા દેશમાં પ્રસરી ગયા કે મૂળ બનાવને ચાલીસ વર્ષ વીતી ગયા પછી દેશના પ્રધાનમંત્રીએ જહર કરવું પડ્યું કે નક્સલવાદી ચળવળ દેશની સલામતી પરનું સૌથી ગંભીર જોખમ છે. તીરકામઠાથી શરૂ થયેલી આ ચળવળ આટલા વર્ષોમાં અશસ્ત્ર ગેરીલા યુદ્ધ રૂપે દેશના સ્તરે રાજ્યોના એકસો એંસી જિલ્લાઓમાં પ્રસરી ચૂકી છે. આ એવા વિસ્તારો છે જ્યાં વસતા લોકોને તેઓ આ દેશના નાગરિકો હોવા છતાં ન તો નાગરિકત્વના અધિકારો મળે છે, ન તો કોઈ રીતની નાગરિક સેવાઓ  વિકાસ શબ્દનો શો અર્થ કરવો, વિકાસ કરવો હોય તો શું ટકાવી રાખવું જોઈએએ વિષે કોઈ જ રીતની સર્વસંમતી જોવા મળતી નથી. આ સમાજના અભાવનું પરિણામ એ આવ્યું છે કે દેશના વિસ્તારના જતા શક્તિશાળી મધ્યમવર્ગ માટે વપરાશકારો (ગ્રાહકો)ને વેચવામાં આવતી જીવનશૈલીઓ જ વિકાસનું પ્રતિક નથી. એસ જી રોડ પર પૈસા ન ખર્ચી શકતો વર્ગ અભાવની પીડા અને નિરાશાના આંસુ સારે છે પણ ત્યાં એમની પીડા નિરાશાને સંભાળે જુએ અને આંસુ લૂછી આપે તેવી કોઈ જગ્યા નથી. સમગ્ર ભારતમાં આવા અનેક એસ જી રોડ છે ભારત “સ્વિત્ઝરલેન્ડ, અને સ્વાજીલેન્ડ, બેયને એકસાથે સમાવતો બની ગયો છે જો કે અહીં એ બંને એક્બીજાને દીઠેય ઓળખતા નથી”.

જે ઉત્સાહ આવડત અને ધગશથી ગુજરાતે આ નવા અર્થતંત્રને વધાવી લીધું છે. એવા ઉત્સાહ, આવડત કે ધગશ ભારતન બીજા જૂજ રાજ્યોમાં જોવા મળે છે.ગુજરાતની પ્રજા વ્યવહારુ ગણાય છે. ખાનગી ઉદ્યોગસાહસો, નવું જોવા ,સ્વીકારવા માટે જરૂરી ખુલ્લાપણું રોકાણકારોને અહીં ખેચી લાવે છે. દર વર્ષે સરકાર રોકાણકારોનું અધિવેશન યોજે છે અબજો ડોલર્સના એમ ઓ યુ પર સહીઓ થાય છે. ગુજરાતમાંથી ઘણું બધું મળી શકે છે – વીજપુરવઠો, સારા રસ્તા, સુમેળભર્યા માલિક – મજુર સંબધો, સત્તાતંત્ર તરફથી ઝડપી પ્રતિભાવ ઉગ્રમતવાદી પ્રભાવોની ગેરહાજરી નાણાંકીય ઠાવકાપણુ અને વ્યક્તિગત ભ્રશ્ત્તાનો અભાવ. આ બધા થકી જ ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતને ‘ ભારતનું વિકાસ અગ્રગામી’ અને એશિયાનું વિકસી રહેલુ વ્યાપાર કેન્દ્ર ગણાવી શકે છે. હાલમાં જ બજારમાં આવેલી તાતા મોટર્સની નેનો મોટરકાર  બનાવવામાં આવે છે. આમ તો પશ્ચિમ બંગાળમાં એનું કારખાનું ઊભું થવાનું હતું પરંતુ ૨૦૦૭ માં સિંગુરમાં તાતા કોર્પોરેશનને જમીન આપવાના મુદ્દે સર્જાયેલો વિવાદ વિક્ષોભ બની ગયો. ૨૦૦૮ ના ઓક્ટોબરમાં તાતાએ જાહેર કર્યું કે હવે પશ્ચિમ બંગાળમાં કારખાનું નહિ નાખે ત્યારે નરેન્દ્ર મોદીએ એમના સેલફોન પર તાતા મોટર્સના અધ્યક્ષ રતન તાતાને એક જ શબ્દનો એસ એમ એસ મોકલાવ્યો સ્વાગતમ અને તરતજ આ વિશાળ પ્રોજેક્ટ ધોલેરાથી બહુ દૂર નહીં  એવા સ્થળે ખસેડી દેવામાં આવ્યો. રાતોરાત રાજ્યભરમાં  વિશાળ વિજ્ઞાપનો ગોઠવાઈ ગયા . તાતા ઉદ્યોગગૃહનું ‘વાઈબ્રન્ટ ગુજરાત’ માં સ્વાગત કરતા.

એસ જી હાઇવે  પર ગોઠવાયેલા વપરાશકારવાદને બિરદાવતા મોલ્સ અને મલ્ટીપ્લેક્ષો અને રોકાણકારોને આવકારતા ‘સેઝ ‘ ગુજરાતની આવતીકાલની આકાંક્ષાઓના પ્રતીકો છે જો કે ગુજરાતના માનવ અને પર્યાવરણીય સૂચકઆંકો કઈક જુદી વાત દેખાડે છે. વર્ષ ૨૦૦૮મા ભારતીય રિઝર્વ બેંકના ભારતના અઢાર મોટા રાજ્યોના રાજ્ય અંદાજપત્ર ખર્ચમાં  સામાજિક ક્ષેત્રમાં ખર્ચના મુદ્દે ગુજરાતનું સ્થાન સત્તરમું હતું. રાજ્યમાં આ ક્ષેત્રે  માત્ર ૩૨% ખર્ચ થયો હતો. ટીકાકારો ગુજરાતની દેવાની સ્થિતિના ઊંચા સ્તરની ટીકા કરે છે. બંને કોર્પોરેટો સાથે થયેલા એમ. ઓ. યુ.ને ખરેખરા મૂડીરોકાણમાં ફેરવવામાં બીજા રાજ્યની કામગીરી બહેતર છે એ તરફ પણ નિર્દેશ કરે છે. આથી ય બદતર વાત તો એ છે કે ૧૯૯૦ ના દાયકાથી ઘણાને ગુજરાત ધિક્કારના રાજકારણની પ્રયોગશાળા લાગી છે જ્યાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતોને તાકવામાં આવે છે . ૨૦૦૨ના રમખાણો પછી ભાજપના નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા. ૨૦૦૯ સુધીમાં ઉદ્યોગોના અગ્રણીઓને નરેન્દ્ર મોદીમાં ભવિષ્યના દેશના પ્રધાનમંત્રીના દર્શન થવા લાગ્યા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના આર્થિક વિકાસને ‘ગાંઘી બ્રાંડ‘ કહ્યો છે માત્ર મોદીજ કરી શકે બધાજ તેવી ‘ચાતુર્યભરી?’ દલીલ એ છે કે મહાત્મા ગાંધીએ બધાજ બળોને ભેગા કરીને લોકજુવાળ ઊભો કર્યો હતો. એ જ રીતે ગુજરાતની વિકાસ પ્રક્રિયામાં પણ બધા પરિબળોને એકત્ર કરવા આવ્યા છે એથી એ પ્રક્રિયા પણ “એક લોકજુવાળ ‘ છે જેમાં રાજ્યના દરેક નાગરિકને લાગે છે કે એ આના લાભાર્થી છે. અને એથી દરેક વિકાસ અને પ્રગતિમાં ફાળો આપવો જોઈએ.”

કેટલાકને લાગે છે કે ગાંધીનગરના વાતાવરણમાં મહાત્મા ગાંધી કે સમાજવાદ માટે જગ્યા નથી. માત્ર ઉદ્યોગસાહસિક માટે અને તે પણ તે કઈ કોમનો છે તે અનુસાર જ ઉદારીકરણ માટે પણ જગ્યા છે. ગુજરાતનું બેવડાપણું એકદમ પ્રગટપણે જણાઈ આવે છે. એક તરફ એક વર્ગ ફાલતો ફુલતો  જણાય છે તો બીજી તરફ મધ્યમવર્ગ અને નીમ્નવર્ગ અને પોશ વર્ગ વચ્ચે અંતર વધતું જાય છે. આ અંતરનું મુખ્ય ઘટક છે ૨૦૦૨ના રમખાણોના ભોગ બનેલાઓ જે હજી પણ એમની ‘ઘેટોઝ’ માં પ્રગતિમાં સહભાગી બનવાની ન જેવી આશાઓ સાથે ન્યાય મળવાની રાહ એમાં જીવી રહ્યા છે. અદાલતે આ રમખાણો દરમ્યાન નોધાયેલી ચાર હજાર કેસોની સુનાવણીઓ કર્યા કરે છે. આ હત્યાઓ બદલ લેશમાત્ર પસ્તાવો પણ દર્શાવવામાં નથી આવ્યો. ગુજરાતના વિચારશીલ સમિક્ષકો એટલે સુધી કહે છે “ ગુજરાતના હવે ગાંધીની નથી રહી. ગુજરાતના મન સમાજ અને અર્થતંત્ર પર પણ એની પણ જેવી અસરો જ રહી ગઈ છે . બીજા કેટલાક આનાથી જુદું વિચારે છે “ (ગાંધીની)હત્યા થયાના સાઈડ વર્ષ થઇ ગયા પછી પણ એ વાત ની:શક છે કે ..... ગાંધી વીસમી સદીના વિશ્વની સૌથી વધુ વિશિષ્ઠ પ્રતિભા રહ્યા છે.... લાગે છે  એવું કે એમની હત્યા ફરી ફરીને થતી રહે છે અને ઝડપથી ફળી રહેલા મધ્યમવર્ગ તો એમના એક એક વિચારને ત્યજી દીધો હોય એવું લાગે છે, આ છતાં ગાંધીજીનો તેજ્પ્રભાવ હજી પણ એવો જ તેજોમય રહ્યો છે. ”

ગુજરાત આ સત્યનો પુરાવો છે,ગુજરાતે હજી પોતાના આ મહાન પુત્રને ત્યજી નથી દીધો. રાજકીય સત્તાના વિસ્તારોમાં એનો વરસો જોવા પણ  મળે પરંતુ ગુજરાત અને ગુજરાતની  બહાર  ગાંધી વિચારમાં માનતો વર્ગ હજી સક્રિય છે અને તેમનો આગ્રહ છે જ કે ‘વિકાસની અપેક્ષા રાખતા લોકોની સારા જીવન વિશેની વિભાવના તેમની પોતાની હોવી જોઈએ, કોઈની પાસેથી ઉછીની લીધેલી નહિ. “ છેક ઉપલા સ્તરે પણ ભારતીયો છે જેઓ ઘણા બધા લોકોને અપેક્ષિત અને આવશ્યક હોય તેવું કરવા વિશ્વની મહાહસ્તીઓને અને સરકારોને મજબુર કરે છે. બેપરવાહ સમૂહમાધ્યમોને માટે અદ્રષ્ટ એવા આ ભારતીયો વ્યાપાર, કળા અને સાહિત્ય તેમજ બીજા ક્ષેત્રોમાં ઉપરના સ્તરે રહેલા ભારતીયોની સમાંતરે ઉભેલા છે.’”

ઉત્થાનનો ઈતિહાસ આવી અભિવ્યક્તિઓમાંનો એક છે એમની સાથે ગુજરાતમાં બીજા પણ છે. ૨૦૦૨થી અધિકાર અને ન્યાય માટેની લડતમાં અવિરત કાર્યરત કર્મશીલો, વરિષ્ટ ગાંધીવાદી ચીનુભાઈ વૈદ્યના સતત નેતૃત્વ હેઠળ ચાલતી ગુજરાત લોક્સમિતિની જમીન અને જલસંશાધનોની સહિયારી જગ્યાને પુન:પ્રાપ્ત કરવા માટેની લડત, ઇલાબેન ભટ્ટ અને તેમની સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વિમન્સ એસોસિએશન (સેવા) લોકઆધારિત કામો માટે વોટસન જોડાણો જેમાં નાગરિક સમાજની આગેવાની હેઠળનું પ્રવાહ નેટવર્ક અને સરકારનું વાસ્મો સેન્સરશીપ સામે હિંમતભેર લડત આપી રહેલા ફિલ્મસર્જકો, નાટ્યકારો કલાકારો અને સમૂહમાધ્યમ કર્મશીલો,પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું પાયારૂપ દારૂની તરફેણ કરતી લોબી સામે સતત  વિરોધ કરનારી દલિત ગુજરાતની આદિવાસી સ્ત્રીઓની ચળવળ આધુનિક અર્થવ્યવસ્થામાં ગાંધીવાદી અર્થશાસ્ત્રનો વિનિયોગ કરવાના પ્રયોગો કરતી ગુજરાત વિદ્યાપીઠ, ૨૦૦૯ ની લોક્સભાની ચુંટણીમાં ભજના પ્રમુખ એલ કે અડવાણીની સામે ગાંધીનગર મતવિસ્તારમાં ઉમેદવારી કરવાનું સાહસ કરનાર મલ્લિકા સારાભાઇ અને ગુજરાતના ક્લાકૌશલ્યો જેમાં કારીગરો અને ગ્રામીણ ઉધોગસાહસિકતાનો સંગમ છે. ગુજરાતના કર્મશીલો આ પ્રવાસ આ બધા જ બિંદુઓ પર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પણ આ સક્રિયતા પ્રસરેલી છે જ . બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા તો એમાં વારંવાર સહભાગી બનતા રહ્યા છે ગાંધીઓ તેજપ્રભાવ કદાચ પણ ઝાંખો પડતો જણાય તો તેવું તેમના વતનની ભૂમિ પર તો નથી જ થતું. ગુજરાતની આગવી લાક્ષણીકતા ઉધોગસાહસિકતાનું પણ આમાં ક્યાંક કશું પ્રદાન હોય એમ બની શકે.

ઉદ્ધાર્વગતિ  અને સંચરણ – પ્રશ્નો અને અપેક્ષાઓ

સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમણે તેમના રોજિંદા બની ચૂકેલા કાર્યોથી આગળ જઈને કામગીરી અને પ્રદાન કરવું જોઈએ. જો કે આ પડકાર કરનારાઓ કે એમનો પ્રતિભાવ આપવા તૈયાર કોઈની ય પાસે વિસ્તરણ કરવું તો કઈ દિશામાં કઈ રીતનું કરવું એ વિષે કોઇ જ ચોક્કસ દિશાસૂચનો નથી.સત્તાધીકારીઓ અને દાતાઓ અપેક્ષાઓ દાખવે છે ‘ સ્તર ઊંચું લાવો’ ‘ નવીનતા લાવો’ પરંતુ આગ્રહ એવો રાખે છે કે પરિણામોમાં સંખ્યા વધારો, પુનરાવૃત્તિના ઉદાહરણો દેખાડો. પરંતુ જ્યાં પર્યાવરણોમાં જ પુનરાવૃત્તિઓ થતી પણ હોય ત્યાં તેના ઉકેલોની પુનરાવૃત્તિ કેવી રીતે હોઈ શકે? બિઝનેસ સંકુલો, કોર્પોરેટોના બોર્ડરૂમોમાં નવીનીકરણ, પ્રયોગશીલતા અને નવું શીખવાથી મુદ્દાઓને બિરદાવવામાં આવે છે, સન્માન આપવામાં આવે તેને સુસંગત લેખવામાં આવે છે પરંતુ આ જ મુદ્દાઓ વીકાસના ક્ષેત્રમા જોવા મળે છે ત્યારે એની સામે પ્રશ્નો કરવા આવે છે, સંશય દાખવવામાં આવે છે, આવું શા માટે ઉત્થાન જે કરી રહ્યું છે તે રીતે અનુભવમાંથી શીખવા જેવા મુદ્દાને વિસ્તારવો જોઈએ નહિ કે સમગ્ર અનુભવને બધાને માટે કામ લાગે તેવી કાર્બનકોપીઓની જેમ વહેંચવો જોઈએ. ઉત્થાન અન બીજા ઘણા આ સવાલોના જવાબો શોધી રહ્યા છે.

લાંબા સમયથી જોડાયેલા કર્મશીલ વિજય મહાજન આ પડકારને તપાસતા કહે છે કે “ આધુનિક સમયની મોટા ભાગની સામાજિક નવસુધારણાઓ સ્વૈચ્છિક ક્ષેત્રમાંથી આવી છે આનું કારણ અંશત: એ છે કે સરકારમાં કે બજારમાં સંસ્થાઓમાં ભાવપૂર્ણ વિચાર વ્યક્તિગત રીતે વ્યવહારમાં લાવવાનું એને માટે કામ કરવાનું મુશ્કેલ હોય છે આથી જ સ્વૈચ્છિક સંસ્થાઓમાં એક થી વધારે વ્યક્તિઓ સાથે મળીને કશુક ‘કરવા ‘ પ્રયત્નશીલ બને છે. જો કે હવે સામાજિક નવસુધારણાઓને સ્વૈચ્છિક ક્ષેત્રમાંથી  બહાર લાવીને    સરકાર અને બજારના સંસ્થાનો સુધી લઈ જવાનો સમય આવી ગયો છે. એમણે કહ્યું કે ભારતમાં સ્વૈછિક કાર્ય અને સામાજિક નવસુધારણાના પ્રણેતા ગાંધીજીના પોતાના પ્રયત્નોથી સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓનું નેટવર્ક ઊભું થયું અને એનાથી ગ્રામીણ ઉધોગોને પ્રોત્સાહન મળ્યું. આ સમગ્ર પ્રવૃત્તિ ગાંધીજીએ કરેલી મૂળ સામાજિક નવસુધારણાઓની પુનરાવૃત્તિ જ છે......... સામાજિક સુધારા (સારા) વાયરસ જેવું કામ કરે છે, જે સરકાર અને બજારના સંસ્થાનો જેવા શક્તિશાળી માધ્યમો દ્વારા ફેલાતા જઈ શકે ..... સરકારના સંસ્થાનો સાથે જોડવા માટે હિમાયતકાર્યને સાધન બનાવીને એ થઈ શકે”.

સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન​ એજન્સી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate