ગુજરાતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલી, મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાઉ પ્રદેશમાં વસતાં આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં કુલ ૧૪,૧૬૧ હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થાય છે. તેમાંથી ૧૮,૯૦૫ મે.ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ, વલસાડ તાપી અને પંચમહાલ જીલ્લામાં થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફીંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.
નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તેના દાણાંમાં પ્રોટીન, ખનીજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેષાની માત્રા વધારે હોવાથી ડાયબીટીસ અને હ્રદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ અને લોહનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતાં આદિવાસી ખેડૂતો નાગલીના લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધક વાનગીઓ બનાવી શકાય છે.
નાગલી વિવિધ પ્રકારની જમીન, આબોહવા તથા જ્યાં અન્ય પાક ઉગાડવાની શક્યતા ઓછી હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારા નિતારવાળી, લાલ, રાખોડી, ગોરાડું અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
બીજ જન્ય રોગ અટકાવવા માટે સ્યુડોમોનાસ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ પ્રમાણે તેમજ રાસાયણિક ખાતરના કાર્યક્રમ ઉપયોગ માટે બીજને એઝેટોબેકટર/એઝોસ્પિરીલમ તેમજ પીએસબી જેવા જૈવિક ખાતરનો પટ આપવો.
ભલામણ કરેલ જાતોનું પ્રમાણિત, શુધ્ધ, ગુણવત્તા સભર બિયારણની પસંદગી કરી એક હેક્ટર દીઠ ૪ થી ૫ કિ.ગ્રા. બિયારણ વાપરવું.
આ જાત લાલ દાણવાળી, ૧૫-૧૩૦ દિવસમાં એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. આ જાતના ડુંડા લાંબા અને અર્ધ ઘટ્ટ તથા ડુંડામાં દાણની સંખ્યા વધારે હોય છે. એકરે સરેરાશ ૧૨૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરોડી જેવા રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે.
સફેદ દાણાંવાળી આ જાત ૧૨૦-૧૨૫ દિવસમાં પાકી જાય છે. એકરે સરેરાશ ૧૨૫૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમડી જેવા રોગ અને ગાભમારાની ઇયળ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.
ભરાવદાર આકર્ષક, ઘાટા કથ્થાઇ દાણાંવાળી આ જાત ૧૧૫-૧૨૦ દિવસમાં એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. એકરે સરેરાશ ૧૨૫૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમડી જેવા રોગ અને ગાભમારાની ઇયળ સામે પ્રતિકારક જાત છે.
ધરૂવાડીયાની જમીન સહેજ ઊંચાણવાળી, પિયતની સગવડતાવાળી અને નીંદણમુક્ત હોવી જોઈએ. જમીનને હળ અને કરબથી ખેડી ભરભર બનાવી, સમાર મારી સમતળ બનાવવી. સારું, તંદુરસ્ત અને ચિપાદર ધરૂ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
નાગલીની ફેરરોપણી માટે જુલાઇનું પ્રથમ અઠવાડિયું આદર્શ ગણાય છે. ૫ થી ૭ પાનવાળું ૨૧ થી ૨૫ દિવસના ધરૂની ફેરરોપણી બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૭ થી ૮ સે.મી.નું અંતર જાળવી ટોચ કાપી એક થી બે ચિપા રોપવા. ફેરરોપણી બાદ ૮-૧૦ દિવસ બાદ ખાલાં પડ્યા હોય તે પૂરવા.
એક હેક્ટર દીઠ ૬ થી ૮ ટન સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર આપવું અથવા શણ/ ઈકકડનો લીલો પડવાશ કરવો. સેન્દ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો. નાગલીના ધરૂને ઉપાડીને રોપણી પહેલાં ૨૦૦ મી.લી./ હેક્ટર પ્રવાહી એઝેટોબેકટર, પીએસબી અને કેએમબી ૧૦ મી.લી. ને ૧ % ગોળના દ્રાવણમાં મિશ્ર કરી ૩૦ મિનિટ બોડી ફેરરોપણી કરવી તથા જમીન માવજત માટે ૧ લી. પ્રવાહી એઝોટોબેક્ટર ૨૦ કિ.ગ્રા./ હેક્ટર ભરભરી માટી સાથે મિશ્ર કરી નાગલીના મૂળ વિસ્તારમાં આપવુ.
સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. તેમ છતાં ગાભમરાની ઇયળનો કે કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્રવ જણાયતો નીચે પ્રમાણે પગલાં લેવા.
સહ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર મીલેટ,ન કૃ. યુ., વઘઈ
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020