অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધાસચારાના પાકોની માહિતી

ધાસચારાના પાકોની માહિતી

ધાસચારાના કયા કયા પાકોનું વાવેતર કરી શકાય ?

ધાસચારાના વિવિધ પાકો જેવા કે ધરફ (ગુજરાત ધરફ - ૧), અંજન ( પુસા યલો અંજન), મારવેલ (ગુજરાત મારવેલ ધાસ -૧), શણિયાર (ગુજરાત શણિયાર-૧), તેમજ જીંજવો, ધામણ હેમેટા અને કલાટોરીયા જેવા ધાસચારાના પાકો લાવી શકાય.

ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કેવી રીતે કરી શકાય ?

પડતર જમીનને હળથી ખેડી, કરબની ખેડ કરી, સમાર મારી, બે વખત આડી ઉભી ખેડ કરી ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કરી શકાય.

ધાસચારાના પાકો માટે પિયતની વ્યવસ્થા  કેવી રીતે કરવી જોઈએ?

ધાસચારાના પાકો સામાન્ય રીતે બિનપિયત (વરસાદ આધારીત) તરીકે વાવવામાં આવે છે. છતાં જો સગવડતા હોય તો ભેજની અછતના સમયે પિયત આપવું.

ધાસચારાના પાકો માટે કઈ કઈ પાછલી માવજતો કરવી જોઈએ?

ધાસચારાના પાકોમાં શકય હોય તો એક થી બે વખત આંતરખેડ તેમજ નિંદામણ કરવું.

ધાસચારાના પાકોની કાપણી કયા સમયે કરવી જોઈએ?

સામાન્ય રીતે બધા જ ધાસચારાના પાકોની કાપણી ઓકટોબર માસમાં એટલે કે વાવણી પછી ચાર માસે અને મારવેલ ધાસની કાપણી વાવણી પછી ૯૦ થી ૧૦પ દિવસે કરવી જોઈએ.

સ્ત્રોત : I-ખેડૂત કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/29/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate