অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘાસચારાના પાકો

રજકો

જમીન

સારા નિતારવાળી ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

 

જમીનની તૈયારી

:ટ્રેકટર અથવા હળથી જમીન બરાબર ખેડી, આડો  ઉભો કરબ ફેરવી, ઢેફાં ભાગી સમાર મારી સમતળ કરવી. આમ કરતી વખતે હેકટરે ૧૦  નટ     છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના કયારાઓ તૈયાર કરવાં.

 

સુધારેલી જાતો

જીએયુએલ૧(આણંદર),જીએયુએલર,(એસએસ૬ર૭), આણંદ રજકો ૩.

બીજનો દર

બિયારણનો દર એક હેકટરે ૧૦ થી ૧પ કિલો રાખવો.

વાવણી સમય

રજકાના બીજની વાવણી નવેમ્બરના બીજા અઠવાડિયા દરમ્યાન કરવી.

વાવણી અંતર

બે હરોળ વચ્ચે રપ સે.મી.ના અંતરે વાવણી કરવી. વાવતા પહેલાં બીજને રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.

ખાતર

વાવણી વખતે પાયામાં હેકટરે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન, પ૦ કિલોગ્રામ ફોસ્ફરસ                          અને પ૦ કિલોગ્રામપોટાશ આપવો.

પિયતઃ

વાવણી પછી પ્રથમ પિયત તુરત જ હળવું આપવું. બીજુ પિયત એક અઠવાડિયે આપવું અને ત્યારબાદ શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે પિયત આપવું.

પાછલી માવજત

જરૂરિયાત મુજબ નીંદામણ કરવું. રજકાની વાવણી બાદ ૧૦ દિવસે પેન્ડીમીથાલીન (૩૦ ઈ.સી.) દવા પ૦૦ ગ્રામ પ્રતિ હેકટરે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છાંટવાથી આંતરવેલનું અસરકારક નિયંત્રણ થાય છે.

 

પાક સંરક્ષણ

 

  • મોલોમશી :      મેલાથીઓન ૦.૧% દ્રાવણ ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છાંટવું.
  • તળછારો   :     આ રોગના નિયંત્રણ માટે કાપણી બાદ બે દિવસમાં મેન્કોઝેબ અથવા  ઝાયનેબદવા ર% નું દ્રાવણ (ર૬ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાં) છાંટવું.
  • ગેરૂ :   ચારો કાપી લીધા બાદ રોગિષ્ટ ઝડીયામાં કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.ર ટકા (ર૬ ગ્રામ મ / ૧૦ લીટર છંટકાવ કરવો.
  • સુકારો  :  આ રોગ જમીનજન્ય હોઈ તેના નિયંત્રણ માટે ખાસ ઉપાય નથી છતાં  રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. સેન્દ્રિય ખાતરનો બોળા પ્રમાણમાં ઉપયોગ.

પાકની ફેરબદલી કરવી.

કાપણી

રજકાના લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ર૮ થી ૩૦ દિવસે અને ઉનાળામાં ર૦ થી રપ દિવસે એટલે કે પ૦% ફુલ આવે ત્યારે કરવી જોઈએ. મે માસની આખર સુધીમાં પ થી ૭ કાપણી લઈ શકાય છે.

ઉત્પાદન

સરેરાશ પ૦૦ થી ૭૦૦ કિવન્ટલ / હેકટરે લીલાચારાનું ઉત્પાદન  મળે છે. સમયસર  કાપણી કરવાથી નત્રિલ પદાર્થ વધે છે અને રેષાનું પ્રમાણ ઘટે છે.

ઓટ

જમીન

આ પાકને ગોરાડુ, મધ્યમ કાળી, સારા નિતારવાળી જમીન અનુકૂળ આવે છે.

 

જમીનની તૈયારી

ટ્રેકટર અથવા હળથી ખેડ કરી, કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી.        જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું ખાતર આપવું.

 

જાતો

કેન્ટ, ઓ.એલ.૯, જે.એચ.ઓ.૮રર.

 

બીજનો દર

હેકટરે ૧૦૦ કિ.ગ્રા. બિયારણની જરૂરીયાત છે.

 

વાવણી સમય

નવેમ્બર માસના બીજા પખવાડિયામાં વાવણી કરવી.

વાવણી અંતર

બે હાર વચ્ચે રપ સે.મી.ના અંતરે ચાસમાં વાવણી કરવામાં આવે છે.

 

ખાતર

  • એક કાપણી પધ્ધતિમાં ઓટના પાકને ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ ખાતરની જરૂર પડે છે. જે પૈકી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને બધો ફોસ્ફરસ (૩૦ કિ.ગ્રા.) વાવણી સમયે આપવા.  બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી પછી ૩૦ દિવસે આપવો. જયારે
  • બે કાપણી પધ્ધતિમાં ર૦ કિ.ગ્રા.નાઈટ્રોજન એક મહિને અને બાકીનો ર૦ કિગ્રા નાઈટ્રોજન પ્રથમ કાપણી પછી આપવો.

 

પિયતઃ

ઓટના પાકને ૧ર થી ૧પ દિવસે પિયત આપવું પડે છે. એક કાપણી પધ્ધતિમાં પ થી ૬ પિયત, બે કાપણી પધ્ધતિમાં  ૭ થી ૮ પિયત.

 

કાપણી

શિયાળામાં ઓટનો સતત લીલોચારો મેળવવા માટે બે કાપણી કરવી જોઈએ. પ્રથમ કાપણી ૪પ દિવસે અને ત્યારબાદ બીજી કાપણી ૪પ થી પ૦ પ૦% ફ્રલ અવસ્થાએ કરવી.  કાપણી જમીનની સપાટીથી ૧૦ થી ૧પ સે.મી.ની ઉીંચાઈએ કરવામાં આવે છે.

 

ઉત્પાદન

હેકટરે લીલાચારાનું ઉત્પાદન ૪પ૦ કિવન્ટલ જેટલું મળે છે.

ઘાસચારાની જુવાર

જમીન

આ પાકને ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીન માફક આવે છે.

 

જમીનની તૈયારી

હળથી અથવા ટ્રેકટરની ખેડ કરી, આડોઉભો કરબ મારી ઢેફાં ભાંગી સમાર મારી જમીન સમતળ કરવી, જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું કહોવાયેલ ખાતર નાખવું.

જાતો

એસ૧૦૪૯ (સુઢિયા જુવાર),  સી. ૧૦ર (છાસટિયાં), જી.એફ.એસ. ૩ , જી.એફ.એસ. પ ,જી.એફ.એસ.૪,          એસ.એસ.જી.પ૯૩,એકસ.૯૮૮  અને એમ.પી.ચારી..

બીજ માવજત

પાકમાં અંગારિયાનો રોગ અટકાવવા વાવણી અગાઉ બિયાણરને ૪ ગ્રામ ગંધક પાવડર એક કિગ્રા બીજદીઠ વાપરવો. એઝોટોબેકટર કલ્ચરની માવજત, જુવારના બીજને આવાથી શુષ્ક પદાર્થ અને ફુડ  પ્રોટીનનું ઉત્પાદન વધે છે.

બીજનો દર

સુધારેલ જાતો માટે હેકટરેલ ૬૦ કિ.ગ્રા. જયારે હાઈબ્રીડ જાતો માટે હેકટર. ૩૦ કિ.ગ્રા. બીજની જરૂરિયાત છે.

વાવણી સમય

ચોમાસુ જુવારનું વાવેતર જુનજુલાઈ માસમાં વાવણી લાયક વરસાદ થયે કરવું. ઉનાળુ જુવારનું વાવેતર માર્ચ મહિનાના પ્રથમ કે બીજા        અઠવાડિયામાં કરવું હિતાવહ છે.

વાવણી અંતર

બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે વાવેતર કરવું.

ખાતર

  • એક કાપણી માટે :હેકટર દીઠ રપ કિગ્રા નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું જયારે રપ કિગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવું.
  • બે કાપણી માટે   :પ્રત્યેક કાપણી પછી રપ કિગ્રા. નાઈટ્રોજન આપવું.

પિયતઃ

ચોમાસુ જુવાર જમીનમાં ઉપલબ્ધ જસત કે ગંધક મધ્યમ કે ઓછો હોય તો વાવણી વખતે જમીનમાં રપ કિલો ઝીન્ક સલ્ફેટ પ્રતિ હેકટરે અને ર૦ કિલો ગંધક, જીપ્સમના સ્વરૂપમાં હેકટરે આપવો જોઈએ.  પુરતો અને સપ્રમાણ વરસાદ હોય તો પિયતની જરૂર રહેતી નથી પરંતુ ઉનાળુ જુવારને ૧૦ થી ૧પ દિવસના ગાળે પિયત      જરૂરિયાત રહે છે. એક કાપણી માટે ૪ થી પ પિયત જયારે બે કાપણી માટે જુવાર લેવાની હોય તો ૭ થી ૮ પિયત જરૂર પડે છે.

આંતરખેડ નિંદામણ

૩૦ થી ૩પ દિવસે એક આંતરખેડ અને ત્યારબાદ હાથથી નિંદામણ કરવું.

પાક સંરક્ષણ :

ગાભમારાની ઈયળ :(૧)હેકટર દીઠ ર૦ કિ.ગ્રા ફયુરાડાન ૩જી વાવણી સમયે ચાસમાં આપવું.(ર)   વધુ ઉપદ્રવ જણાય તો એન્ડોસલ્ફાન ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

અંગારીયો

આ રોગને અટકાવવા માટે બિયારણને વાવતા પહેલાં ૪ થી પ ગ્રામ ગંધક પાવડર એક કિલો બીજ દીઠ પટૃ આપવો

પાનનાં ટપકાં

જુવારમાં ઘણી જાતના ટપકાના રોગ (કાલવણ, લીફ બ્લાઈટ પાનના ચતુષ્કોણ ટપકાં, મેશ પટૃા, ગેરૂ ) જોવા મળે છે.  આના કારણે ઘાસચારાની ગુણવત્તા બગાડે છે).

નિયંત્રણ

  • કાપણી પછી રહી ગયેલ છોડ તથા છોડના અવશેષોનો નાશ કરવો.
  • ઉડી બે ખેડ કરવી   પાકની ફેરબદલી કરવી.
  • રોગ પ્રતિકારકો જાતોની વાવણી.
  • રોગ મુકત બિયારણ વાપરવું.
  • બીજની માવજત ર૩ ગ્રામ / કિલો થાયરમ કે કેપ્ટાન અથવા એમીશન કે ગંધક
  • પાકની શરૂઆતની અવસ્થામાં કાર્બન્ડાઝીમ (પ ગ્રામ / ૧૦ લીટર) અથવા
  • ઝાયનેબ ૦.ર ટકા (ર.૬ ગ્રામ / ૧૦ લીટર) છંટકાવ કરવો.

કાપણી

નિંધલ એટલે કે પ૦ ટકા ફૂલ અવસ્થાએ કાપણી કરવાથી લીલાચારામાં વધુ પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેલ હોવાથી કાપણી કરવી. મોડી કાપણી કરવાથી ફુડ પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. એક કાપણીમાં પ્રથમ કાપણી બે મહિને અને ત્યારબાદ તેની કાપણી દોઢ મહિને કરવી જોઈએ.

ઉત્પાદન

હેકટરે લીલાચરાનું ઉત્પાદન ૩પ૦ થી ૪૦૦ કિવીન્ટલ મળે છે. બે કાપણીમાં ૭૦૦ કિવીન્ટલ  અને વધારે   કાપણીમાં ૧૦૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

ઘાસચારાની મકાઈ

જમીન

આ પાકને ફળદ્રુપ સારા નિતરવાળી જમીન વધારે માફક આવે છે.

જમીનની તૈયારી

હળથી ખેડ કરી, બે વખત કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ

કરવી.

 

જાતો

આફ્રિકન ટોલ, પાયોનિયર હાઈબ્રીડ, ગંગા સફેદર, ગંગાપ, વિક્રિમ ફાર્મસમેરી, ગુજમકાઈ૧, ગુજરાત મકાઈર, ૩, ૪.

બીજનો દર

હેકટરે ૮૦ કિગ્રા બિયારણની વાવણી કરવી.

વાવણી સમય

ચોમાસામાં વાવણીલાયક વરસાદ થયે જુનજુલાઈ માસમાં વાવણી કરવી જોઈએ. શિયાળુ પાક માટે ઓકટોબરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં અને ઉનાળુ પાક માટે માર્ચના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં વાવણી કરવી.

વાવણી અંતર

બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી વાવણી કરવી.

 

ખાતર

હેકટરે ૪૦ કિગ્રા નાઈટ્રોજન, ૩૦ કિગ્રા ફોસ્ફરસ અને ર૦ કિલો ઝિંક સલ્ફેટ પાયાના ખાતરમાં આપવું. પાક એક માસનો થાય ત્યારે હેકટર દીઠ ૪૦ કિગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું.

પિયતઃ

ચોમાસામાં વરસાદની એકસરખી વહેંચણી હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી. જયારે શિયાળુ પાક માટે પ દિવસના અંતરે પ થી ૬ પિયત અને ઉનાળુ પાક માટે ૧૦ દિવસના અંતરે ૬ થી ૭ પિયતની જરૂરીયાત રહે છે.

આંતરખેડ નિંદામણ

૩૦ થી ૩પ દિવસે એક આંતરખેડ અને એક નિંદામણ કરવું

પાક સંરક્ષણ

  • મોલોમશી :આ જીવાતના નિયંત્રણ માટે ડાયમીથીએટ ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • ગાભમારાની ઈયળ :       હેકટર દીઠ ર૦ કિ.ગ્રા. ફયુરાડાન ૩જી વાવણી સમયે ચાસમાં આપવી. વધુ ઉપદ્રવ હોય તો એન્ડોસલ્ફાન ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

કાપણી

મકાઈના પાકને કોઈપણ અવસ્થાએ લીલાચારા માટે કાપણી કરી શકાય છે. પરંતુ

વધારે ઉત્પાદન મેળવવા માટે દૂધિયા દાણા અવસ્થાએ કાપણી કરવી જોઈએ.

ઉત્પાદન

  • ચોમાસુ       :૩૦૦ થી ૪૦૦ કવીન્ટલ/હેકટરે
  • શિયાળુ:      ૪૦૦ થી પ૦૦ કવીન્ટલ/હેકટરે
  • ઉનાળુ :      ૩પ૦ થી ૪૦૦ કવીન્ટલ/હેકટરે

સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate