સંક્ષિપ્ત ઉદ્દેશ કેન્દ્રિય સરકાર પ્રાયોજિત ‘માછીમારોના કલ્યાણની રાષ્ટ્રીય યોજના’ માછીમારોને અન્ય વસ્તુઓ સહિત મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે. આવાસ માટે, રાજ્ય સરકારો શક્ય તેટલા યોગ્ય માછીમારોની સંખ્યાના પ્રમાણમાં બધા ગામોમાં મકાનોની સમાન વહેંચણી સુનિશ્ચિત કરી શકે છે. ઘરના નિર્માણનો વિસ્તાર અને ખર્ચ અનુક્રમે 35 ચોરસ મિટર અને રૂ. 40,000/- સુધી મર્યાદિત રહેશે. કિંમત અને બાંધકામની પરની ટોચમર્યાદા ઉપલી મર્યાદા દર્શાવે છે. રાજ્ય સરકાર ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન અને સુનિશ્ચિતતા કરી શકે છે, જેથી બજેટની રકમમાં વધુ સંખ્યામાં મકાનોનું નિર્માણ થઈ શકે. નાગરિકોને લાભ દરિયાઇ અને અંતરિયાળ ક્ષેત્રના માછીમારો આ યોજના હેઠળ લાભ માટે હકદાર છે. આ સંસાધનોના વિકાસ માટેની જમીન સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) અને રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવશે. જે પ્રકારની સુવિધા આપવામાં આવી રહી હોય તેને આધિન, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સુવિધાઓ પૂરી પાડવા માટેનો ખર્ચમાં સહયોગ આપે છે. પાત્રતા યોજના હેઠળ મકાનોની ફાળવણી માટે લાભાર્થીઓની પસંદગી કરતી વખતે રાજ્યોએ નીચેના માપદંડોને ધ્યાનમાં રાખવા જોઈએ: - લાભકર્તા રાજ્ય સરકાર દ્વારા ઓળખવામાં આવેલ સક્રિય માછીમાર હોવો જોઈએ. ગરીબી રેખાની નીચેના અને જમીન વિહોણા માછીમારોને પ્રાધાન્ય આપવું જોઈએ. યોજના હેઠળ મકાનોની ફાળવણી માટે જમીન અથવા કાચું માળખું ધરાવતા માછીમારોને પણ ધ્યાનમાં લઈ શકાશે. અરજી કઈ રીતે કરશો સદર યોજના સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટીના) દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. કોનો સંપર્ક કરશો? સંબંધિત રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગનો સંપર્ક કરો. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.