સાંધાનાં વા થી પીડાતા દરેક દર્દીનો સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે ખટાશ ખવાય? છાશ કે ફુટ ખવાય કે નહીં? ખટાશ ખાવાથી દુ:ખાવો વધી તો ન જાયને?ખટાશ ખાવાથી દુ:ખાવો વધી જાય એવી ગેરમાન્યતા આજના જમાનામાં પણ ઘણા લોકોને હોય છે. તેનાથી તેઓ ઘણીવાર ખાવાનું ટાળતાં હોય છે. જો ખટાશ બંધ કરવાથી દુ:ખાવો મટી જતો હોય તો એવું માનવું કે ખટાશ તકલીફ વધે. પરંતું સાચી હકીકત એ હોય છે કે સાંધાના વા કે દુ:ખાવામાં દર્દીઓ મહિના કે વર્ષો સુધી ખટાશ ન ખાય તો પણ દુ:ખાવો મટતો હોતો નથી. એનો મતલબ એ છે કે ખટાશ ખાવાથી દુ:ખાવો વધતો પણ હોતો નથી. પરંતુ આ લોકોના માનસમાં ચાલતી એક ગેરમાન્યતા છે. અમેરિકા, યુ.કે. કેનેડા જેવા દેશોમાં આ પ્રકારનો સવાલ દર્દીઓના મગજમાં આવતો જ નથી, કારણ કે આપણે બધા આ પ્રકારના ભયથી ટેવાઈ ગયેલા છીએ. સાંધનો વા (ઓસ્ટિયો આર્થાઈટિસ) એ આજે ખૂબ સામાન્ય રોગ બની ગયો છે જે મુખ્યત્વે ૫૦ વર્ષ પછી જોવા મળે છે. મુખ્યત્વે તેમાં ઘુંટણમાં દુ:ખાવો થાય તેમજ સોજો આવી જતો હોય છે. એક સ્ટડી પ્રમાણે એવું સાબિત થયું છે કે ચોક્કસ પ્રમાણનાં ન્યુટ્રીઅન્સ અને ફૂડ(ખાવાની ચીજવસ્તુ) લેવામાં આવે તો સાંધાનો વા ના દુ:ખાવાને (પ્રોગેશન) આગળ વઘતો અટકાવી શકાય છે. ફળોમાં પાઈનેપલ (અનાનસ) એક ખૂબ જ ઉત્તમ ફળ માનવામાં આવે છે. તેમાં બ્રોમેલીન નામનું તત્વ રહેલું હોય છે. એ સાંધાના વાના દુ:ખાવાની દવા જેવું જ ઉત્તમ કામ કરે છે. સાંધાના વા માટે અનાનસની અસર: અનાનસ એક પ્રકારનું ટોપિકલ ફળ છે અનાનસમાં પુષ્કળ પ્રકારનાં તત્વો જેવા કે વિટામિન-C, મેગ્નેશિયમ, મેગેનીઝ અને ખૂબ જ મહત્વનો ઘટક એટલેકે બ્રોમેલીન રહેલો હોય છે. આની સાથે સાથે તેમાં કોપર, પોટેશિયમ, વિટામીન B1 ,વિટામીન-B6, ડાયેટરી ફાઈબર, ફોલેટ અને પેન્ટોથેલીક એસીડ પણ હોય છે આ ફળમાં સોજો ઊતારવા માટે તથા દુ:ખાવો ઓછો કરવા મુખ્ય તત્વ બ્રોમેલીન નામનું તત્વ છે. બ્રોમેલીન એ સોજો ઊતારવા, દુ:ખાવો મટાડવા (પેઈન-કિલર), લોહીમાં ગાંઠો ઓગાળવા, તથા ફાઈબ્રીનોલાયટિક (ફાઈબ્રીનને ઓગાળવા) માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બ્રોમીલીન નામના તત્વનો ઘણી બધી સારવારો કરવા દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. બ્રોમેલીન એ, છાતીનો દુ:ખાવો, સાઈનસ, બ્રોન્ફાઈટીસ (શરદી), સાંધાનો વા, ઈજા, તથા ઘણી હ્વદયને લગતી તકલીફોની દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ કેન્સરનાં પ્રસરણ ને પણ અટકાવવામાં મદદ કરે છે. ઘણા સંશોધન કર્તાઓ એ શોધી કાઢ્યું કે જૂના જમાનાથી રોગો માટે એવી ઔષધીનો ઉપયોગ થાય છે, જેમાં ખૂબ જ માત્રામાં પ્રોટિયોલાઈટિક તત્વનો સમાવેસ થયેલો હોય છે. આર્યુવેદમાં પણ આ જ તત્વનો ઉપયોગ થતો જેનું નામ બ્રોમેલીન છે અને જે અનાનસમાંથી મળે છે આજના યુગમાં પ્રકારની દવામાંથી થતી સારવારને એન્ગ્મઈયમ થેરાપી કહેવામાં આવે છે જેમાં બ્રોમેલીન નામનાં એન્ઝાઈયમનો ઉપયોગ થાય છે. ઘુંટણના દુ:ખાવા (ઓસ્ટીઓઆરર્થાઈટીસ) થી પીડાતા ૨૮ દર્દીઓ પર થયેલા અભ્યાસમાં એ સાબિત થયું કે તેમાંથી 15 દર્દીઓને ઘુંટણના દુ;ખાવામાં, સોજામાં તથા સાંધાની જકડાઇ જવાની તકલીફમાં ખૂબ જ સારો સુધારો થયેલો જોવા મળ્યો અને કોઈ પ્રણ પ્રકારની સાઈડ ઈફેકટસ જોવા મળી નહીં. તેનાથી સાબિત થાય છે કે બ્રોમેલીન એ શરીરમાં ઉત્પન્ન થતાં સ્નાયુનાં દુ:ખાવા તથા સોજામાં કુદરતી રીતે જ ખૂબજ સારી અસર કરે છે. ઓસ્ટિયો આર્થાઈટિસ -સાંધાના વાના દુખાવામાં પાઈનેપલ ખાઇ શકાય કે નહીં? પાઇનેપલમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન-C પણ રહેલું હોય છે, જે સોજો ઉતારવામાં તથા દુ:ખાવો મટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં રહેલું મેન્ગેનિઝમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓકસીડન્ટ શક્તિઓ રહેલી હોય છે. તથા એ જાણવામાં આવ્યુંકે વિટામીનC અને મેન્ગેનીઝની ઊણપનાં કારણે સાંધામાં નબળાઈ આવે છે. હાડકામાં ફેકચર થવાની પણ સંભાવના વધી જાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે, સુભમ સર્જન ફ્લેટ્સ, યશ એકવાની પાસે વિજય ક્રોસ રોડ નવરંગપુરા અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯ ફોન: 076240 11041 ઇ-મેઈલ:info@aalayamrehab.com