યોજનાનું નામ: મમતા ઘર યોજના સહાય કોને મળવાપાત્ર છે કોઈપણ સગર્ભાને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. સહાયનું ધોરણ સગર્ભા માતા તેની સુવાવડની તારીખ પહેલા આવી હોસ્પિટલમાં રહી શકે છે. તે દરમ્યાન સગર્ભાને જરૂરી પોષણક્ષમ આહાર, તબીબી સેવાઓ વિનામૂલ્યે મળવાપાત્ર છે તથા સાથે આવનાર વ્યકિતને પણ વિના મૂલ્યે આહાર આપવાની સગવડ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કોઈ રોકડ લાભ મળવાપાત્ર નથી. જયાં મમતા ઘર નકકી કરેલ છે તે પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર,જિલ્લા હોસ્પિટલ કે એન.જી.ઓ હોસ્પિટલમાં લાભ મળવાપાત્ર છે. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ