રાજ્યમાં કેળવણી પામેલા યુવક-યુવતિઓને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી,અર્ધ સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં સ્પર્ધાત્મક, લેખિત તેમજ મૌખિક કસોટીઓ માટે ઉપસ્થિત રહેવું પડે છે.આ યુવક-યુવતીઓ આત્મવિશ્વાસ સાથે નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન આપવા માટેની ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરો ૧૯૮પ-૮૬ના વર્ષથી પ્રતિવર્ષ ત્રણ પ્રદેશ કક્ષાએ ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૮૦ લાભાર્થીઓ લાભ લેશે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.