ધાણા એ એક અગત્યનો એપીએસી કુળનો બીજ મસાલા અને શાકભાજીનો પાક છે. જેનું વાનસ્પતિક નામ કોરીએન્ડ્રમ સેટાઈવમ એલ છે. ધાણાના લીલા પાન સલાડ, સુપ અને અથાણામાં વપરાય છે. શાકભાજીની તૈયાર વાનગીઓ ઉપર જમણ પહેલાં તેના ઉપર પાન મોટા ભાગે ભભરાવામાં આવે છે. ધાણાના પાંદડામાં વિટામીન 'એ' અને વિટામીન 'સી' વધુ જોવા મળે છે. જેથી વ્યાપક પ્રમાણમાં પાવડર, સુકા બીજ તેમજ તાજા પાંદડાનો ઉપયોગ ચટણી તેમજ વિવિધ રસોઈ બનાવટમાં કરવામાં આવે છે. ભારતમાં ધાણાનું વધારે ઉત્પાદન મુખ્યત્વે રાજસ્થાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓરીસ્સા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ જેવા રાજયોમાં થાય છે. ગુજરાત રાજયમાં સને ર૦૧૪–૧પ માં દાણાના હેતુંસર ૪૬૯૭૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર દૃારા ૩૪૪૪૦ મે. ટન ઉત્પાદન થયેલ છે. ગુજરાત રાજયમાં મુખ્યત્વે દાણાવાળા ધાણાનું વાવેતર થાય છે. તેમજ જુનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, સુરત, આણંદ, કચ્છ, પોરબંદર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં મહદ અંશે (આશરે ૭૦૦૦ હે.) લીલા ધાણા (કોથમીર) તરીકે વાવેતર કરવામાં આવે છે. આબોહવાકીય પરિસ્થિતિ અને જમીન : ધાણાનું ઉષ્ણકટીબંધ પ્રદેશોમાં આખા વર્ષ દરમ્યાન ( માર્ચ– મે માસ સિવાય ) પાનના ઉપયોગ માટે વાવેતર થાય છે. હીમની અસર વગરનું સુકૂં અને ઠંડું હવામાન જરૂરી છે. ૩૦ સે.ગ્રે. થી વધુ અને ૧પ સે.ગ્રે. થી નીચા ઉષ્ણતામાને ધાણાનું સ્ફુરણ ઘટે છે. ભારે વરસાદ પાકને નુકશાન કરે છે અને સતત વાદળછાયું વાતાવરણ મોલો અને રોગો નોતરે છે. વસંત–પાનખર ૠુતુમાં લીલા પાન સારા વિકસતા નથી. ધાણાની ખેતી માટે ગમે તે પ્રકારની જમીન અનુકૂળ છે. ધાણા પિયત અને બિન– પિયત બન્ને રીતે ઉગાડી શકાય છે. પિયત પાક તરીકે પૂરતા સેન્દ્રિય તત્તવાળી ગમે તે પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સૂકી અને બિન–પિયત પરિસ્થિતિમાં પાક લેવાનો હોય તો જમીન વધુ ભેજ સંગ્રહ કરી શકે તેવી કાળી કે ભારે જમીનમાં લેવો જોઈએ. ધાણા પાકના સારા વિકાસ અને સારી ગુણવત્તા માટે પાકની જમીનનો અમ્લતા આંક ૭.૦ હોવો જોઈએ. ક્ષારીય, ભાસ્મીક અને રેતાળ જમીન ધાણા માટે અનુકૂળ નથી. જમીનની તૈયારી : ધાણા મુખ્યત્વે સુકી અને બિન–પિયત પરિસ્થિતિમાં કાળી કે ભારે જમીનમાં લેવાતો હોય છે. વરસાદ પછી ખેતરને ભેજના બચાવ માટે ઉંડું ખેડવું જોઈએ. વરસાદની ૠતુમાં અથવા ખરીફ પાકની કાપણી કરી જમીન ઉથલ–પાથલ કરવી, હળથી ઉંડી ખેડ કરવી. બે થી ત્રણ ઉંડી ખેડ અથવા કરબ અથવા દેશી હળથી ખેડીને જમીન ભરીભરી બનાવવી. જમીનનો ભેજ દૂર ન થાય તેમ અને ઢેફા ભાગે તેવી રીતે ખેડ કરી પછી જમીન સમતળ કરવી. પિયત ધાણા માટે જો ભેજ પૂરતો ન હોય તો વાવણી અગાઉ વાવેતર પહેલાનું પિયત આપવું. વાવણી પહેલાંના પિયતથી નિંદામણ બીજ ઉગી નીકળતાં નીંદણ ઉપાડી શકાય, નાશ કરી શકાય અને જમીનની તૈયારી સમયે જ દાબવાથી પાકના શરૂઆતના વિકાસમાં નિંદણ હરિફાઈ ઘટાડવામાં મદદ કરે છે. હલકી જમીનમાં વધારે ખેડની જરૂર રહે છે. વાવણી સમયે જમીન ભરભરી હોવી જોઈએ કે જેથી કયારા સારી રીતે બને, ઉગાવો સારો મળે અને પાછોતરો વિકાસ પણ સારો થાય. ભલામણ કરેલ સુધારેલ લીલા ધાણાની જાતો : ગુજરાતમાં લીલા ધાણાની નવી વિકસાવેલ અને ભલામણ કરેલ જાત તેમજ ગુજરાત ધાણા–ર ની લાક્ષણીકતાઓ આ પ્રમાણે છે. ગુજરાત દાંતીવાડા કોથમીર (લીલા) ધાણા-૧ : ગુજરાતના કોથમીર (લીલા ધાણા) નું વાવેતર કરતા ખેડૂતોને ગુજરાત દાંતીવાડા કોથમીર (લીલા ધાણા)–૧ જાત વર્ષ ર૦૧૪ માં વાવેતર માટે ભલામણ કરેલ છે. જે પંજાબ સુગંધ અને ગુ.ધાણા–ર જાત કરતાં અનુક્રમે ૧૧.૩ અને ૭૬.ર ટકા વધુ ઉત્પાદન વધારે આપે છે. સરેરાશ ઉત્પાદન હેકટરે ૩૧.૯૪ મે.ટન/હે. અને મહત્તમ ઉત્પાદન ૪૪.૭૬ મે.ટન/હે.(લીલા પાંદડા)–બે કાપણીથીે મેળવી શકાય છે. પાનનો રંગ ઘાટો લીલો, નીચેની સપાટી મીણની માફક ચળકાટ ધરાવે છે. પાન મોટા તથા મધ્યમ ખાંચવાળા છેે.પાન મૃદુ અને વધુ સુગંધ ધરાવે છે. આ જાતની સંક્ષિપ્ત માહિતી આ પ્રમાણે છે. ટેબલ :૧ વેચાણ પાત્ર લીલા ધાણા પાનના (કોથમીર) ઉત્પાદનનો તુલનાત્મક અભ્યાસ–બે કાપણી અખતરાનું સ્થળ અખતરાનું વર્ષ કોથમીરનું ઉત્પાદન ( મે.ટન/હે.) ઉત્પાદનમાં વધારો, ટકામાં ગુ.દાં.કો.ધાણા–૧ પંજાબ સુગંધ ગુ.ધાણા–ર પંજાબ સુગંધ જાતથી ગુ.ધાણા–ર જાતથી જગુદણ ર૦૦૯–૧૦ થી ૧૩–૧૪ ર૮.૧૮ રપ.પ૦ ૧૬.૮૧ ૧૦.પ ૬૭.૭ (પ વર્ષ) ર૦૧૧–૧ર થી ૧૩–૧૪ ર૭.૦૪ ર૩.૮૯ ૧૮.૮૮ ૧૩.ર ૪૩.ર આણંદ ર૦૧૧–૧ર થી ૧૩–૧૪ ૪૦.૬ર ૩૬.૭૪ ૧૮.૭૧ ૧૦.૬ ૧૧૭.૧ સરેરાશ ઉત્પાદન ૩૧.૯૪ ર૮.૭૦ ૧૮.૧૩ ૧૧.૩ ૭૬.ર ટેબલ : ર ધાણાની કાપણી પ્રમાણે છોડની ઉંચાઈ, ડાળી/છોડ,ફુલ અવસ્થા,કટીંગના દિવસો અને બીજ પુખ્તતા ધાણાની જાત પ્રથમ કાપણી બીજી કાપણી દિવસો છોડની ઉંચાઈ સે.મી. ડાળીઓ/છોડ કાપણીના દિવસો છોડની ઉંચાઈ ડાળીઓ/છોડ કાપણીના દિવસો ફુલ અવસ્થા બીજ પુખ્તતા ગુ.દાં.કો.ધાણા–૧ ૩૦.૪ ૮.૧ પ૩ ર૯.૩ ૮.ર ૭૩ ૭૦ ૧૩૪ પંજાબ સુગંધ ર૯.ર ૭.૮ પ૬ ર૭.પ ૮.૦ ૭પ ૭ર ૧૩૯ ગુ.ધાણા–ર ૩૧.૩ ૬.૬ ૪૯ ર૯.૦ ૭.૧ ૬પ ૪૭ ૧ર૪ મલ્ટીકટ જાત (બહુવિધ વાઢ) : ગુજરાત દાંતીવાડા કોથમીર (લીલા ધાણા)–૧ જાતનું ઉત્પાદન બે કટીંગથી પણ વધુ લઈ શકાય છે. જુનાગઢ કેન્દ્ર ખાતે ૩ કટીંગ સુધી ઉત્પાદન લેતાં પ૯.૭ મે.ટન/હે. મળેલ છે. જે પંજાબ સુગંધ અને ગુજરાત ધાણા– ર કરતાં ૧૦.ર % અને ૧ર૩ % વધુ ઉત્પાદન મળેલ છે. પાકની તેમજ વાતાવરણની સારી પરિસ્થિતી પ્રમાણે વધુ કટીંગ પણ લઈ શકાય છે. ધાણાની કાપણી પછી પાણી આપવાથી પુનઃ અંકુરીત થવાની ખાસિયત હોવાથી તેથી વધુ કાપણી સરળતાથી લઈ શકાય છે. નીંઘલ મોડું થતું હોવાથી વધુ વાઢ લઈ શકાય છે. પ્રથમ વાઢ પ૦–પ૩ દિવસ અને બીજો વાઢ ૭૦–૭૩ દિવસે આવે છે. જેના પરિણામો ટેબલ–ર માં દર્શાવેલ છે. ટેબલ : ૩ લીલા ધાણાના પાંદડાના ઉત્પાદન માટે સુધારેલી વિવિઘ જાતો,ગુણવત્તા અને તેની ખાસિયતોઃ અ.નં. લક્ષણો ગુજરાત દાંતીવાડા કોથમીર ધાણા–૧ પંજાબ સુગંધ ગુ.ધાણા–ર ૧ બહાર પાડેલ વર્ષ ર૦૧૪ ર૦૦૮ ૧૯૮૪ ર પ્રથમ કટીંગના,દિવસો પ૩ પ૬ ૪૯ ૩ બીજા કટીંગના,દિવસો ૭૩ ૭પ ૬પ ૪ લાંબા પાનની લંબાઈ, સે.મી. ૩૭.૭ ૩૬.૭ ર૪.૩ પ નાના પાનની સંખ્યા ૮.૦ ૭.ર ૭.૦ ૬ પાનની લંબાઈ,સે.મી. ૬.૪ ૬.૬ ૬.૦ ૭ પાનની પહોળાઈ,સે.મી. ૪.૭ ૪.૬ ૪.ર ૮ ભેજના, ટકામાં ૮ર.૪ ૮૪.ર ૮પ.ર ૯ ભષ્મના, ટકામાં ૧૭.૬ ૧પ.૮ ૧૪.૮ ૧૦ કલોરોફીલ (મી.ગ્રા./ગ્રા.) ૧.૩ર ૧.ર૭ ૧.ર૦ ૧૧ ઉડૃયનશીલ તેલના, ટકામાં ૦.૦પ૦ ૦.૦૪પ ૦.૦૪૭ ૧ર રેફ્રીજરેટરમાં સંગ્રહશકિત,દિવસોમાં ૧૪ ૧ર ૧૦ ૧૩ પાનનો રંગ ઘાટો લીલો લીલો લીલો ૧૪ પાનની સાઈઝ પાન મોટા મધ્યમ મધ્યમ પાંદડાની ગુણવત્તા અને સંગ્રહશકિત : આ જાતના પાન મોટા, વધુ ચળકાટવાળા, બીજી જાતો કરતાં વધુ કલોરોફીલ હોવાથી ઘાટો લીલો રંગ ધરાવે છે. લીલા ધાણામાં ઉડૃયનશીલ તેલના ટકા (૦.૦પ%) અન્ય જાત કરતાં વધુ હોવાથી સારી સુગંધ ધરાવે છે. લીલા ધાણાની પસંદગીમાં ગ્રાહકોના માપદંડો જેવા કે પાનનો રંગ, દેખાવ, સુગંધ, સ્વાદ અને વધુ સંગ્રહશકિતની ચકાસણીમાં વધુ સારી માલુમ પડેલ છે. તેમજ કાપણી પછી કંતાનના પેકીંગમાં ઝુડીઓ બનાવી મુકીને તુરંત બજારમાં મોકલવામાં આવે છે. જો ધાણા દુરના બજારમાં / અન્ય રાજયમાં મોકલવા હોય તો રેફ્રીજરેટર વાન દ્રારા મોકલી શકાય છે. ત્રણેય જાતોની રેફ્રીજરેટરમાં સંગ્રહશકિત ચકાસવા માટે ૧૦૦ ગેજની પોલીથીલીન બેગમાં મુકવામાં આવેલ, જેમાં ગુજરાત દાંતીવાડા કોથમીર ધાણા–૧ જાત ૧૪ દિવસ સુધી સારી સ્થિતીમાં સંગ્રહી શકાય છે.જે ટેબલ–૩ માં દર્શાવેલ છે. ટેબલ : ૪ ધાણાની વિવિધ જાતોની દાણા અવસ્થાએ રોગ અને જીવાતો સામે ચકાસણી (૩ વર્ષનું સરેરાશ) અ.નં. જાત ભૂકી છારા રોગની તીવ્રતા મોલોમશી ઈન્ડેક્ષ ૧. ગુજરાત દાંતીવાડા કોથમીર ધાણા–૧ (ટકામાં) ( ૦–૪ માપમાં) ર. પંજાબ સુગંધ ૮.૮૮ ૦.પ૦ ૩. ગુ.ધાણા–ર ૯.પ૦ ૦.૮૪ લીલા ધાણાની અખતરાની વાવણી દરમ્યાન કોઈ રોગ–જીવાત આવેલ નથી. પરંતુ અખતરાના ૩ વર્ષ દરમ્યાન ચકાસણી કરતાં તેની દાણા અવસ્થાએ જોવા મળતી મોલો મશી તેમજ રોગનું પ્રમાણ અન્યત્ર જાત કરતાં ઓછું જોવા મળેલ છે. જે ટેબલ–૪ માં દર્શાવેલ છે. ગુજરાત ધાણા–ર : આ જાત જગુદણ ખાતેથી સને ૧૯૮૪માં વિકસાવવામાં આવેલ છે. આ જાત ગુજરાત રાજય માટે વહેલી વાવણી માટે અને સૂકા વિસ્તારની પરિસ્થિતિ માટે અનુકૂળતા ધરાવે છે. તે દાણા અને બીજના હેતુસર અનુકૂળ છે, વળી તે પાનાના વપરાશ માટે પણ વાવેતર કરી શકાય છે. આ જાતના છોડને મુળ સુધી કાઢી લીલા ધાણા તરીકે વેચાણમાં મુકાય છે. જેના લીલા પાનનું ઉત્પાદન ૧૮ થી ર૦ મે.ટન/હે. મળે છે. બિયારણનો દર : બિયારણનો દર એ બીજના કદ, છોડના વિકાસ, વાવેતરનો પ્રકાર (પિયત અથવા બિન પિયત),જમીનના પ્રકાર, વાવણી સમયે બીજની લભ્યતા વિગેરે ઉપર આધાર રાખે છે. બીજનું સ્ફૂરણ પિયત પરિસ્થિતીમાં સારું થતું હોય છે. બિયારણનો દર સુકી પરિસ્થિતિની જમીનમાં ભેજની ઓછી ઉપલબ્ધતા રહેતી હોય તેનાં કરતાં ઓછા પ્રમાણમાં જોઈતો હોય છે. સામાન્ય રીતે હેકટરે પિયત પરિસ્થ્િતિમાં ૧૦ થી ૧ર કિલો ગ્રામ અને સૂકી પરિસ્થિતીમાં ર૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. ધાણાનું વાનસ્પતિક સંવર્ધન (દ્રિવિભાજીત ખંડક) બીજથી થતું હોય છે. દ્રિવિભાજીત બીજ પૈકીના દરેકને અડધીયામાં બે મધ્ય ખંડ હોય છે. તેથી બીજને વાવતા પહેલા રગડવાથી /સામાન્ય દબાણથી બે ભાગમાં વહેંચાય છે. વાવણી સમય : આ જાતના બીજને ઓકટોબર થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં વાવણી કરવામાં આવે છે. તેમ છતાં સમયાંતરે લીલા પાનનું ઉત્પાદન લેવા માટે શિયાળામાં સાધારણ ઠંડીના દિવસો દરમ્યાન વાવણી કરી શકાય છે. નવરાત્રીના દિવસો પછી અલગ અલગ સમયાંતરે વાવણી કરી લીલા ધાણા બજારમાં મોકલવાથી યોગ્ય ભાવ મળી શકે છે. વાવણી અંતરઃ ધાણાની બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. અંતર રાખવું જોઈએ. ખાતરઃ ખેડ વખતે એક જ હપ્તામાં ર૦ ટન છાણીયું ખાતર આપવું. ત્યાર બાદ રાસાયણિક ખાતર નાઈટ્રોજનઃ ફોસ્ફરસઃપોટાશઃ૪૦:ર૦:૦૦ કિ.ગ્રા./હે. ભલામણ છે. જેમાં ફોસ્ફરસનો જથ્થો જમીનમાં વાવણી કરતી વખતે આપવો અને નાઈટ્રોજન ખાતર બે થી ત્રણ સરખા હપ્તે યુરીયાના રૂપે દરેક કાપણી પછી આપવું. બીજ માવજત : બીજને છાંટયા બાદ બાવીસ્ટીન અથવા થાયરમ ર.૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ આપવાની સાથે ટ્રાયકોડર્મા પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ ૪.૦ થી ૬.૦ ગ્રામની માવજત આપવી. બીજ માવજત બાદ બીજને એઝોટોબેકટર અને ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ જીવાણું સાથે માવજત કરવાથી વધુ ફાયદો થાય છે. પિયત :પિયત પાક માટે ઉષ્ણતામાન અને જમીનના પ્રકાર આધારીત સ્ફુરણના (ઉગાવાના) પિયતની સાથે ૩ થી ૬ પિયત આપવા જોઈએ. ભારે જમીન માટે માત્ર ૩ થી ૪ હલકા પિયત પુરતા છે. જમીનમાં પાણીનો વધુ ભરાવો એ નુકશાનકારક છે. તેમ છતાં ભારે જમીનમાં પુરતો નિતાર હોવો જરૂરી છે. નિંદણ વ્યવસ્થા : ગુજરાતમાં ધાણાને શિયાળું ૠતુમાં લેવામાં આવે છે. પાક શરૂઆતમાં ૪૦–૪પ દિવસ સુધી ધીમો વિકસતો હોય છે. નિંદણના અસરકારક નિયંત્રણ માટે બે થી ત્રણ આંતરખેડ અને હાથથી નિંદામણ કાર્ય કરવા જોઈએ. વાવણી પછી ૩૦ અને ૬૦ દિવસે હાથથી નિંદામણ કર્યા પછી કરબડીથી નિંદામણ કાઢવું જોઈએ. જો જરૂર જણાય ધાણામાં પેન્ડીમીથેલીન (૧.૦ કિ.ગ્રા. ક્રિયાશીલ તત્વ /હે.) વાવણી બાદ પાકના ઉગાવા પહેલા પ૦૦ લીટર પાણીમાં ઓગાળી જમીન પર છંટકાવ કરવો. પાક સંરક્ષણ : જીવાત અને રોગ નિયંત્રણ વિશેની વિગતવાર માહિતી આ પ્રમાણે છે. ભૂકી છારો : ગંધક ભૂકીનો છંટકાવ રપ કિ.ગ્રા. હેકટર અથવા દ્રાવ્ય ગંધક રપ ગ્રામ/ ૧૦ લીટરપાણીમાં છંટકાવ કરવો. ચૂસિયા જીવાતો : મોલોમશી/થ્રીપ્સ/તડતડીયા માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ જેવી કે ડાયમિથોએટ, મિથાઈલ–ઓ–ડીમેટોન ( ૧૦ મિલી / ૧૦ લીટર પાણી) કરવો. કાપણી : લીલા ધાણાના પાનની કાપણી બજાર વ્યવસ્થા જોઈને યોગ્ય સમયે કરવામાં આવે છે. પ્રથમ કાપણી, વાવણી પછીના પ૦ થી ૬૦ દિવસે અને બીજી કાપણી ૬પ થી ૭પ દિવસે કરવામાં આવે છે. પછીથી વધુ કાપણી ૧પ થી ર૦ દિવસના અંતરે છોડના વિકાસ આધારે લઈ શકાય છે. ગુજરાત ધાણા–ર માં ૩૦–૪પ દિવસે થડ સાથેના સંયોજીત પાનની ઈચ્છીત કદની જુડીઓ બનાવી બજારમાં જરૂરીયાત મુજબ મુકવામાં આવે છે. ઉત્પાદન : ગુજરાત દાંતીવાડા કોથમીર ધાણા– ૧નું પિયત પરિસ્થિતીમાં કરેલ લીલા પાનનું ઉત્પાદન ૩૦ થી ૪પ મે.ટન/હે. જયારે લીલા પાનનું મહત્તમ ઉત્પાદન ૪૦ થી ૬૦ મે.ટન/હે ઉત્પાદન મળે છે. બે કાપણી પછી દાણા માટે છોડવાથી ૬પ૬ કિ.ગ્રા. ઉત્પાદન મળેલ છે. જે ગુજરાત ધાણા–ર કરતાં ૩ર% વધારે છે. દાણાનો રંગ સોનેરી તેમજ સારી સુગંધ ધરાવે છે. બીજ ઉત્પાદન માટે આ જાત ૧૩૪ દિવસે પાકે છે. જે ગુજરાત ધાણા–ર કરતાં ૧૦ દિવસ મોડી પાકે છે. જે ટેબલ નં – ર માં દર્શાવેલ છે. લીલા અને સુકવણીના પાનની પ્રક્રિયા : કુમળા લીલા પાન જે તાજા અને લીલાશ ધરાવે છે તેમજ છોડની ઉંચાઈ રપ થી ૩પ સે.મી. રાખીનેે લીલા વપરાશ માટે કાપવામાં આવે છે. તેમ છતાં બજાર કિંમત જોઈને ૧૦ થી ૧પ સે.મી. ઉંચાઈના છોડ પણ રાખી શકાય પરંતુ કાપણીની સંખ્યા વધુ કરવી પડે છે. માટે બજારનું મુલ્ય જોઈને કાપણી કરવાથી ફાયદો થાય છે. કાપણી કરતી વખતે રોગગ્રસ્ત, પીળા રંગના અને નુકશાન વાળા પાન દૂર કરી બાકીના ચોખ્ખા અને સરખા કરવામાં આવે છે. તંદુરસ્ત અને રોગ વિનાના પાન સુગમતા ખાતર એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવા અને પરિવહન માટે નાની જુડીઓમાં બાંધવામાં આવે છે. બિન–ૠતુમાં લીલા પાનના ઉપયોગ માટે પાનને સુર્ય પ્રકાશમાં સુકવવા અને લાંબા સમય માટે ટકી શકે તે માટે ડી–હાઈડે્રટરમાં અંદરના પાણીને દૂર કરી, સુકવીને તૈયાર કરી શકાય. સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, પ્રો.એ.એમ.અમીન, ર્ડા. બી.જી.પ્રજાપતિ અને ર્ડા.એ.યુ.અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર , સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦, જી.મહેસાણા