<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <h3>મરઘાંપાલન શા માટે ?</h3> <ul> <li style="text-align: justify; ">મરઘાં પાલન ખેતી, પશુપાલન , મત્સ્ય ઉછેર , બાગાયત વગેરેના વ્યવસાયની સાથે કે સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ કરી શકાય છે.</li> <li style="text-align: justify; ">રોજગારી તથા સ્વરોજગારીની ઉત્તમ તકો પૂરી પડે છે.</li> <li style="text-align: justify; ">પશુપાલન તેમજ ખેતીની સરખામણીમાં જમીન અને મૂડીની જરૂરીયાત ઓછી રહે છે.</li> <li style="text-align: justify; ">મરઘાં, વનસ્પતિજન્ય પ્રોટીનનું ૨૩-૨૪% રૂપાંતર માંસ કે ઈંડા માં કરે છે, જે અન્ય પશુધનની સરખામણીમાં વધુ કાર્યક્ષમ છે.</li> <li style="text-align: justify; ">ઈંડા માં ભેળસેળ શક્ય નથી.</li> <li style="text-align: justify; ">મારઘાં પાલનની આડપેદાશ રૂપે મળતું ખાતર અન્ય ખાતરની સરખામણી માં ચઢિયાતું ખાતર છે.</li> </ul> <h3>મરઘાંપાલન વ્યવસાય માટેની પ્રાથમિક જરૂરીયાતો</h3> <ul> <li style="text-align: justify; ">મરઘાં ઉછેરનું પ્રાથમિક જ્ઞાન</li> <li style="text-align: justify; ">વિસ્તાર, જગ્યાની પસંદગી અને મરઘાંને અનુકુળ વાતાવરણ</li> <li style="text-align: justify; ">પાણી તથા વીજળીનો અવિરત પુરવઠો</li> <li style="text-align: justify; ">સારી ગુણવત્તાવાળા એક દિવસના બચ્ચાં તથા સમતોલ આહારની ઉપલબ્ધતા</li> <li style="text-align: justify; ">મરઘાં પેદાશોનાં વેચાણ માટેની બજાર વ્યવસ્થા</li> <li style="text-align: justify; ">મરઘાં ઘર અને તેના સાધનોની વ્યવસ્થા </li> </ul> <h3>સમતોલ મરઘાં આહારની અગત્યતા</h3> <ul> <li style="text-align: justify; ">સારું ઉત્પાદન મેળવવા તેમજ પક્ષીઓને તંદુરસ્ત રાખવા સમતોલ આહાર આપવો જોઈએ.</li> <li style="text-align: justify; ">મરઘામાં આહારના મુખ્ય ઘટકો તરીકે પીળી મકાઈ, જુવાર, ઘઉં, ચોખા કણી તેમજ મકાઈ ખોળ વાપરી શકાય.</li> <li style="text-align: justify; ">આધુનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતા પક્ષીઓ માટે જાતિ તેમજ ઉંમર પ્રમાણે જુદા જુદા પ્રકારનાં ઘટકો મિશ્રિત કરી નિષ્ણાતના માર્ગદર્શન મુજબ સમતોલ આહાર આપવો જોઈએ.</li> <li style="text-align: justify; ">માંસ માટેના બ્રોઇલર પક્ષીઓમાં ૨૦ થી ૨૩ % પ્રોટીન અને ૨૮૦૦ થી ૨૯૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ તેમજ ઈંડા માટેના લેયર પક્ષીઓમાં ૧૬ થી ૨૦ % પ્રોટીન અને ૨૫૦૦ થી ૨૬૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ.</li> </ul> <h3>મરઘાં પાલન વ્યનવસાયમાં રસીકરણની અગત્યતા</h3> <ul> <li style="text-align: justify; ">રસીકરણ એટલે પાણી પહેલા પાળ બાંધવી</li> <li style="text-align: justify; ">રસીકરણ દ્વારા પક્ષીઓમાં આવતા રોગોને અટકાવી શકીએ છીએ</li> <li style="text-align: justify; ">રસીકરણ ઠંડા પહોરમાં એટલે કે વહેલી સવારે આથવા મોડી સાંજે કરવું જોઈએ જેથી પક્ષીઓને ઓછામાં ઓછી તાણ પડે.</li> <li style="text-align: justify; ">રસીની શીશી ઉપર લખેલ બેચ નંબર, ઉત્પાદનની તારીખ બરાબર તપાસીને જ રસીકરણ કરવું જોઈએ.</li> <li style="text-align: justify; ">રસીના પ્રકાર (જીવંત અથવા મૃત) ને આધારે રસીને બરફ, ડીપફ્રીજ અથવા ફ્રીજમાં સાચવવી જોઈએ.</li> <li style="text-align: justify; ">જયારે રસી આપવાની હોય ત્યારે જંતુમુક્ત કરેલ ઇન્જેક્શન તથા નીડલને પ્રથમ ઠંડા કાર્ય બાદજ રસીકરણ કરવું જોઈએ.</li> <li style="text-align: justify; ">વ્યવસાયિક મરઘાંપાલન ઉછેરતા પક્ષીઓને સામાન્ય રીતે મરેકસ, રાનીખેત, ગમ્બોરો અને શીતળા જેવા રોગોના રક્ષણ માટે રસીકરણ કરવું જરૂરી છે.</li> <li style="text-align: justify; ">પક્ષીઓમાં રસીકરણ નિષ્ણાતના માર્ગદર્શન મુજબ જ સમયસર તેમજ યોગ્ય પધ્ધતિથી કરવું જોઈએ.</li> </ul> <h3>ગ્રામીણ મરઘાં પાલન</h3> <ul> <li style="text-align: justify; ">ગ્રામિણ મરઘાંપાલનથી ઉછેરવામાં આવતા પક્ષીઓને પણ ઉંમર પ્રમાણે ઉપલબ્ધ વધેલ ખોરાક, મકાઈ ભરડો તેમજ લીલાં શાકભાજીનાં ટુકડા આપવા જોઈએ.</li> <li style="text-align: justify; ">ગ્રામ્ય કક્ષાએ નાના પાયે ઘરેલું મરઘાં પાલન દ્વારા ૨૫-૫૦ મરઘાં સાથે ઓછી મૂડી રોકાણ દ્વ્રારા નિયમિત સારી આવક મેળવી શકાય છે.</li> <li style="text-align: justify; ">ગ્રામીણ લોકોને સસ્તું અને ગુણવત્તા વાળું પ્રાણીજન્ય પ્રોટીન મળી શકે છે.</li> </ul> સ્ત્રોત : <a class="ext-link-icon" href="https://www.aau.in//" target="_blank" title="Click Here">આણંદ કૃષિ યુનીવર્સીટી</a></div>