યોજના અંતર્ગત લાભ કોને મળે? યોજના અંતર્ગત આઇ.ટી.ડી.પી તાલુકાની આદિજાતિની ૦ થી ૨૦ સ્કોરની મહિલા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય ? લાભાર્થીઓને દૂધાળાપશુ , ખાણદાણ, પશુવીમો, વાસણો, વાહતુક અને પશુપાલન માટેની તાલીમ વિગેરે આપવામાં આવે છે. યોજના અંતર્ગત આપવામાં આવતી નાણાકિય સહાય ( યુનિટ કોષ્ટ ) :- યોજના અંતર્ગત ( ભારત સરકારની સહાય રૂ/. ૧૭,૪૦૦/- ગુજરાત સરકારની સહાય રૂ/. ૧૫,૦૦૦/- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની લોન રૂ/. ૨૦,૦૦૦/- રૂ/. ૨,૦૦૦/- લાભાર્થી ફાળો) આમ કુલ રૂ/. ૫૪,૪૦૦/- ની યોજના અંતર્ગત લાભાર્થીને મદદ કરવામાં આવે છે. યોજના અંતર્ગત કેટલા ટકા વ્યાજે લોન આપવામાં આવે છે યોજના અંતર્ગત જી.ટી.ડી.સી દ્રારા ૬% વાર્ષિક વ્યાજે લોન આપવામાં આવે છે. યોજનાનું અમલીકરણ :- યોજનાનું અમલીકરણ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ – હિંમતનગર દ્રારા કરવામાં આવે છે. લાભાર્થીઓની પસંદગી :- ડેરી દ્રારા લાભાર્થીઓની પસંદગી ગામની દૂધ મંડળી દ્રારા કરાવવામાં આવે છે. જેના ફોર્મ ડેરી દ્રારા અત્રેની કચેરીએ રજુ કરવામાં આવે છે. ચકાસણી બાદ અત્રેની કચેરી દ્રારા લાભાર્થીઓને લાભ આપવા માટેની મંજુરી આપવામાં આવે છે. યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજી ક્યાં કરવી અને તેના ફોર્મ ક્યાંથી મળે? યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની ગામની દૂધ મંડળી, સાબર ડેરી અથવા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીએ કરે શકે છે. તેમજ તેના ફોર્મ સાબર ડેરી અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીથી ઉપલબ્ધ થાય છે. યોજનાનો લાભ લેવાની પાત્રતા શું છે.? ૧. લાભાર્થી મહિલા પશુપાલન માટે સક્ષમ હોવી જોઇએ.’ ૨. તેની ઉંમર ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ૩. આઇ.ડી.ડી.પી તાલુકાની ૦ થી ૨૦ સ્કોરની બી.પી.એલ લાભાર્થી હોવી જોઇએ. ૪. લોકફાળાની રકમ ભરવા સક્ષમ હોવી જોઇએ. ૫. યોજના અંતગર્ત આપવામાં આવતી લોન ભરવા સંમત હોવી જોઇએ. સ્ત્રોત: ખેડબ્રહ્મા પંચાયત