অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માનવ ગરિમા યોજના

પાત્રતાના માપદંડો

અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો:

અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-

યોજનાના ફાયદા/સહાય :

અનુ જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્વારા ટુલકીટ/ઓજાર આપવામાં આવે છે.

આવક મર્યાદા

  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-

સહાયનું ધોરણ

માનવ ગરિમા યોજના હેઠળ સાધન /ટુલ કીટસ સ્વરૂપેસહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે.

પ્રક્રિયા

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

સ્ત્રોત:અનુસૂચિત જાતિ કલ્યાણ કલ્યાણ વિભાગ ની વેબસાઈટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate