પ્રસ્તુત કાયદાની કલમ 2 (n)માં નીચે મુજબની અનિછનીય વર્તણૂકોનો સમાવેશ જાતિય સતામણીમાં કરવામાં આવ્યો છે.
(I) શારીરિક સંપર્ક/સ્પર્શ કરવો કે તેમ કરવાની કોશિશ કરવી .
(ii) જાતિય સંબંધ બાંધવાની માંગણી કરવી, તેમ કરવા દબાણ કરવું.
(iii)જાતિય અર્થ વાળી ટીકા (Sexually coloured remark)
(iv) અશ્લીલ ચિત્રો,ફિલ્મો બતાવવા
(v) ઉપર જણાવેલ તમામ વર્તણૂક ઉપરાંત શરીર દ્વારા, શબ્દો દ્વારા, કે તે ઉપરાંત ઇશારા વગેરે દ્વારા કરેલ કોઈ પણ પ્રકારના અનિછનીય જાતિય વ્યવહાર, વર્તણૂકનો જાતિય સતામણીમાં સમાવેશ થાય છે.
ઉપરાંત કલમ 3(1)માં જાતિય સતામણી રોકવા માટેની જોગવાઈની અને 3(2)માં જાતિય સતામણીની સાથે જો નીચે મુજબના સંજોગો અસ્તિત્વમાં હોય તો તેને પણ જાતિય સાતમાં ગણી શકાય તેમ જણાવેલ છે .
(i)રોજગારીમાં બીજા કરતાં વધારે સારો ખાસ પ્રકારનો વ્યવહાર કરવાનો ગર્ભિત કે સ્પષ્ટ વાયદો કરવો .
(ii) રોજગારીમાં બીજા કરતાં વધારે ખરાબ વ્યવહાર કરવાની ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
(iii) હાલના કે ભવિષ્યના કામના દરજ્જાના સંદર્ભમાં ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
(iv) કામમાં દખલગીરી કરવી, અથવા ડરાવી ધમકાવીને કામનું પ્રતિકૂળ વાતાવરણ ઉભુ કરવું.
(v) અપમાનજનક વ્યવહાર કરવો કે જેથી સ્ત્રીના સ્વાસ્થય કે સલામતીને અસર થવાની સંભાવના હોય
આ કાયદો તમામ સરકારી અને ખાનગી કામના સ્થળો ઉપરાંત અસંગઠીત ક્ષેત્ર એટલે કે એવી સ્ત્રીઓ કે જે છૂટક કામ કે મજૂરી કરતી હોય, જેની કામ કરવાની કોઈ એકેજ જ્ગ્યા ન હોય, જેમકે બીજાના ઘરે ઘર નોકર તરીકે કામ કરતી સ્ત્રીઓ, બાંધકામ કે ખેતીમાં મજૂરી કરતી સ્ત્રીઓ, શાક, ફળ વગેરે વેચતી ફેરિયા, લારી ગલ્લા કે પથરા વાળી બહેનો એમ તમામ કામ કરતી બહેનોને લાગુ પડશે.
કાયદાની કલમ 2 (૦) મુજબ આ કાયદો
કાયદાના અમલ માટે પ્રત્યેક કામના સ્થળે કાયદાની કલમ 4 મુજબ, દરેક ખાતા કે વિભાગોમાં “આંતરિક ફરિયાદ સમિતિઓ” બનાવવાની માલિક, મેનેજર કે વહીવટદારની ફરજ છે. અને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ માટે જિલ્લા કક્ષાએ “સ્થાનિક ફરિયાદ સમિતિ” બનાવવાની રાજ્ય સરકારની ફરજ છે.
દરેક માલિક, મેનેજર કે વહીવટદારે કાયદાની કલમ 4 (2)મુજબની આંતરિક ફરિયાદ સમિતિ બનાવશે જે મુજબ
કાર્યસ્થળની બાહરની સભ્યને કાયદા મુજ્બ ભાડુભત્થુ ચૂકવવાનું રહેછે.
કાયદાની કલમ 5 હેઠળ દરેક જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ હેઠળની સ્થાનિક સમિતિ બનાવવાની જોગવાઈ છે. કામના સ્થળે દરેક વહીવટી વિભાગ અને ઉપવિભાગમાં તેમજ જીલ્લામાં દરેક તાલુકા અને શહેરોમાં દરેક વોર્ડમાં નોડલ અધિકારી નિમવાની જોગવાઈ છે.
કાયદામાં સ્થાનિક સમિતિની જોગવાઈ દ્વારા એ મહત્વની માંગણી સ્વીકારવામાં આવી છે કે જ્યારે માલિક કે વહીવટદાર પોતે જ જાતિય શોષણ કરે ત્યારે કામના સ્થળે બનેલ આંતરિક સમિતિ અસરકાર રહેતી નથી ત્યારે તે સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકે છે. ઉપરાંત ભારતમાં 90% કરતાં વધારે અને ગુજરાતમાં 97% જેટલી બહેનો અસંગઠીત ક્ષેત્રમાં કામ કરે છે, છૂટક કામ કરે છે તેમના કામનું સ્થળ રોજે રોજ બદલાઈ છે. આવી અસંગઠીત ક્ષેત્રની બહેનો જે તે વિસ્તારની સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકે. ઘરનોકર તરીકે કામ કરનાર બહેનોના લાંબા સંઘર્ષ બાદ અંતમાં તેમનો સમાવેશ પણ આ કાયદામાં કરવામાં આવ્યો છે. તેઓ પણ આ કાયદા હેઠળ સ્થાનિક સમિતીમાં ફરીયાદ કરી શકશે .
(a) જેના ચેરપર્સન તરીકે જીલ્લાની જાણીતી સ્ત્રી કે જેને સ્ત્રીઓના સવાલો અંગે કામ કર્યું હોય તેની નીમણૂક કરશે. તેના અન્ય સભ્યોમા
(b) જે તે જિલ્લા, તાલુકા કે વોર્ડમાં કામ કરતી એક સ્ત્રી,
(c) બીન સરકારી સંસ્થાના બે સભ્યો જેમાથી એક સ્ત્રી હશે,
જેમાથી એક અનુસુચિજાતિ, જનજાતિ ,અન્ય પછાત જાતિ કે લઘુમતી સમુદાયની સ્ત્રી હશે
(d) જિલ્લાના સ્ત્રીઓ અને બાળકોના વિભાગના સરકારી અધિકારી
બિન સરકારી સભ્યને કાયદા મુજ્બ ભાડુભત્થુ ચૂકવવાનું રહેછે.
કાયદાની કલામ 9 (1) મુજબ પીડિત સ્ત્રી પોતાના કામના સ્થળે આંતરિક ફરિયાદ સમિતિમાં અથવા જો તે ના હોય તો સ્થાનિક ફોરિયાદ સમિતિમાં બનાવના ત્રણ મહિનાની અંદર લેખિતમાં ફરિયાદ કરી શકે છે. જો તે ફરિયાદ લેખિતમાં આપી શકે તેમ ન હોય તો સમિતિના સભ્ય તેને ફરિયાદ લખવામાં તમામ પ્રકારની મદદ કરશે.
જો ખાસ પ્રકારના સંજોગોમાં પીડિત સ્ત્રી 3 મહિનાની અંદર ફરિયાદ ન કરી શકે તો ફરિયાદ સમિતિ આ સમય મર્યાદામાં બીજા 3 મહિના સુધીનો વધારો કરી શકે છે.
જો પીડિત સ્ત્રી શારીરિક કે માનસિક અક્ષમતાને કારણે અથવા તેનું મૃત્યુ થવાને કારણે ફરિયાદ ન કરી શકે તો કાયદા અંગેના નિયમ 6 મુજબ તેના મિત્રો, સગાવહાલા, સાથે કામ કરનાર, મહિલા આયોગ કે બનાવની જાણકારી ધરાવનાર કોઈ પણ વ્યક્તિ તેના વતી ફરિયાદ કરી શકે છે.
કાયદા અંગેના નિયમ 7 મુજબ ફરિયાદ મળે દિન 7માં ફરિયાદની નકલ આરોપીને મોકલવાની રહેશે અને આરોપીએ દિન 10માં તેનો લેખિત જવાબ સહાયક દસ્તાવેજો અને પોતાના સાક્ષીઓના નામ સરનામાની યાદી સાથે આપવાનો રહેછે.
સમિતિએ ‘કુદરતી ન્યાયના સિધ્ધાંતો’ મુજબ ફાઇરયાદની તપાસ કરવાની રહે છે.
કાયદાની કલામ 11 મુજબ ફરીયાદની તપાસ શરૂ કરતાં પહેલા પીડિત સ્ત્રીની વિનતિથી તેની અને આરોપીની વચ્ચે સમાધાન કરવાના પ્રયત્નો તપાસ સમિતિ કરી શકે છે. જોકે કાયદામાં સ્પષ્ટ જણાવેલ છે કે આવું સમાધાન નાણાકીય ન હોય શકે અને જો સમાધાન થાય તો સમિતીએ સમાધાનની શરતો રેકોર્ડ પર નોધવાની રહશે અને તેની કોપી ફરિયાદી તેમજ આરોપી બંને ને આપવાની રહેશે.
ફરિયાદની તપાસ બાબતે તપાસ સમિતિને દિવાની કોર્ટ (સિવિલ પ્રોસીજર કોડ,1908માં જણાવ્યા મુજબની) જેટલી સત્તા રહેશે. તેઓ કોઈ પણ વ્યકિતને સોગંદ પર જવાબ આપવા બોલાવી શકશે, કોઈ પણ દસ્તાવેજ કે અન્ય માહિતી રજૂ કરવા કહી સકશે.આ તપાસ 90 દિવસમાં પૂરી કરવાની રહેશે.
કાયદાની કલમ 14 મુજબ જો સ્થાનિક કે આંતરિક સમિતિ એવા તારણ પર પહોંચે કે આરોપી સામેની ફરિયાદ પીડિત સ્ત્રી અથવા અન્ય વ્યકિતએ જાણી જોઈને ખોટી હોવાની જાણકારી છતાં કરેલછે કે સમિતિને ગેરમાર્ગે દોરવા ખોટા કે જાલી દસ્તાવેજો રજૂ કરેલ છે તો જેણે પણ બદઈરાદા પૂર્વક ખોટી ફરિયાદ કરી હોય તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ભલામણ કરી શકે છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે જો પીડિત સ્ત્રી પોતાની ફરિયાદના સમર્થનમાં સાક્ષી-પુરાવા રજૂ કરી સાબિત ન કરી શકે તો તે ફરિયાદ ખોટી છે કે બદઈરાદા પૂર્વકની છે તેમ સાબિત થતું નથી. પુરવાર ન થયેલ ફરિયાદ એ બદઈરાદા પૂર્વક કરેલ ખોટી ફરિયાદ નથી.
આ કાયદાની કલમ 19માં દરેક કામના સ્થળે માલિકો, વહીવટદારોને તેમજ સરકારને જ્વાબદારી આપવામાં આવી છે.
કાયદાની કલમ 26 (1) મુજબ આ કાયદાની જોગવાઈઓનો અમલ ન કરનાર માલીકને રુ.50,000 ના દંડ અને બીજી વાર ગુનો કરેતો તેનું બીઝનેસ લાઇસન્સ રદ કરવાની જોગવાઇ સહિતની અનેક મહત્વની જોગવાઇઓ કાયદામાં છે.
દરેક કામના સ્થળે નિમાયેલ આવી સમિતિએ પોતાના અહેવાલ દર વર્ષે સરકારના સંબધિત ખાતાને મોકલવો જોઈએ જેમાં તેમણે મળેલ ફરિયાદ તથા તે અંગે લેવામાં આવેલ પગલાની વિગતો અને જાગૃતિ માટે ભરેલ પગલાનો સમાવેશ કરવો જોઈએ.
તૃપ્તિ શાહ, સહિયર (સ્ત્રી સંગઠન) sahiyar@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020