অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિલ્પ સંપદા યોજના

શિલ્પ સંપદા યોજના


હેતુ
  • આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર ઠાકોર અથવા કોળી જાતિના યુવાનોમાં આત્મઓનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વ રોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
  • અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્‍તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્‍યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્‍ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા  ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે

સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate