অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હેલ્પેજ ઇન્ડિયા

હેલ્પેજ ઇન્ડિયા

હેલ્પેજ ઇન્ડિયા એ ૧૯૭૮માં રજિસ્ટર્ડ થયેલી બીન સાંપ્રદાયિક સ્વૈચ્છિક સંસ્થા છે. સંસ્થાના સંરક્ષક દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન છે. સંસ્થાનો ધ્યેય દેશના વંચિત રહેલા વૃદ્ધજનોનું જીવનસ્તર ઊચું લાવવા માટે કાર્ય કરવું.” ઉપરાંત સંસ્થા આજના યુગના વૃદ્ધોમાં જોવા મળતી મુશ્કેલીઓ જેવી કે, એકલાપણું, ગરીબી અને અવગણના સામે લડત આપે છે. આ સંસ્થાનું વડું મથક દિલ્હીમાં છે અને ૩૩ રાજ્યોમાં ઓફિસ છે. હેલ્પેજ ઇન્ડિયા સંસ્થાએ રૂા. ૨૦૦ કરોડના ખર્ચે કુલ ૪,૬૫૩ પ્રોજેક્ટ કર્યા છે. સંસ્થાના ગુજરાત રાજ્યમાં ચાલતાં મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે.

  • અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં હરતાં-ફરતાં દવાખાનાની સેવા ચાલુ છે. જે દર વર્ષે આશરે ૨૦,૦૦૦ વૃદ્ધોને વિના મૂલ્ય તબીબી સેવા પૂરી પાડે છે.
  • ભૂજમાં ૪,૦૦૦ મહિલાઓને “માઈક્રો ફાઈનાન્સ' (નાની નાણાકીય સહાય) પૂરી પાડી છે.
  • ૧૨ પાર્ટનર હોસ્પિટલની મદદથી દર વર્ષે આશરે ૫,૦૦૦ હજાર મોતિયાના ઓપરેશન કરે છે.
  • રાજ્યનાં ૨૫૦ ગરીબ વૃદ્ધોને પોતાનાં સ્પોન્સર એ ગ્રાન્ડ પેરેન્ટ (એડોપ્શન પ્રોગ્રામ) (દત્તક) અન્વયે દર મહિને રૂા.૬૦૦ની મદદ કરે છે. સંસ્થા રાજ્યનાં ૧૧ વૃદ્ધાશ્રમ, બે ડે-કેર સેન્ટર અને ૧૨ હોસ્પિટલોને મદદ કરે છે.
  • વૃદ્ધજનોના કલ્યાણ અર્થે “આર્થિક પુનર્વસન કાર્ય હેઠળ રાજયમાં ૫ પ્રોજેક્ટ ચાલું છે.
    • ૨૦૦૧નાં ભયંકર ભૂકંપના રાહત-કાર્યમાં સંસ્થાએ આશરે ૧૨,૦૦૦ વૃદ્ધજનોને પુનર્વસન માટે નવા મકાન બાંધી આપી, તબીબી સહાય તેમજ ચાર મહિના સુધી ફૂડ-રાશનની સંપૂર્ણ સહાય કરી હતી.
    • સંસ્થાએ ભૂજમાં એક મલ્ટીસ્પેશ્યાલિટી કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું બાંધકામ કરી આપ્યું છે, તેમજ ૧ જીરિયાટ્રીક સેન્ટર, ૧ ટ્રોમા-કાઉન્સિલ સેન્ટર, ૧ પેથોલોજી લેબોરેટરી, ૧ ફીજીયોથેરાપી સેન્ટર, ૧ સંપૂર્ણ સાધન-સહિત ઓથેલ્મિક ઓપરેશન થિયેટર અને હરતા-ફરતા દવાખાનાની સુવિધા વૃદ્ધજનોના કલ્યાણ અર્થે પૂરી પાડી છે.
    • ઉપરાંત સંસ્થા દેશનાં અન્ય રાજ્યોમાં પણ વૃદ્ધજનોનાં કલ્યાણ અર્થે આ જ રીતે કાર્યરત છે.
    • લોકોમાં વડીલો પ્રત્યે સંવેદના અને તેમની સંભાળ રાખવાની જાગૃતિ આવે તે અને તેમાંય ખાસ કરીને સ્કૂલમાંવિદ્યાર્થીઓમાં અવેરનેસ કેમ્પન ચલાવે છે. જેથી વૃદ્ધો તરફ લોકોની સંભાવના બની રહે.

સદ્દવિચાર પરિવાર કેમ્પસ, શ્રી નારાયણગુરુ વિદ્યાલય નજીક, સેટેલાઈટ રોડ, રામદેવનગર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૩૮૬૦૭૫૮,

E-Mail : helpage_ahd@sancharnet.in Website : www.helpageindia.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate