ઘરેથી શ્રવણમંદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની શિષ્યવૃત્તિનો લાભ નીચે પ્રમાણે મળે છે :
વડોદરા નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન દ્વારા કર્યા બધિર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન, કબધિર વિદ્યાર્થીઓ જેઓએ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક યા અનુસ્નાતકની પરીક્ષા નિયમિત શાળા, કોલેજ યા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ઉર્તીણ કરેલ હોય તેઓને શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી કરી શકે છે. ગુજરાતના જે કર્ણબધિર વિદ્યાર્થીઓએ, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા કર્ણબધિર શાળામાંથી ઉર્તીણ કરી હોય પરંતુ કોલેજ અથવા યુનિવર્સિટીમાં દાખલો મળી ગયો હોય તે વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ માટેનું અરજીપત્રક સંસ્થાની નીચે જણાવેલ વેબસાઈટના સરનામેથી મેળવવાનું રહેશે. વેબસાઈટ www.bahushrutfoundation.org
નીલમ પટેલ, બહુશ્રુત ફાઉન્ડેશન, એસ.એફ. ૨૦૫, હીવરડેલ એપાર્ટમેન્ટ, અતમનપાર્કની સામે, અકોટા-વડોદરા.
કર્મયોગીઓનાં ૧૬ વર્ષ સુધીનાં સંતાનોને “કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવારના ખર્ચનું વળતર મળશેઃ
દષ્ટિહીન/હાથ કપાયેલ વિકલાંગ પરીક્ષાર્થીને લહિયાની મદદ-નિર્ધારિત સમય કરતાં ત્રીસ મિનિટનો વધુ સમયઃ
અંધત્વ ધરાવતા, શારીરિક પંગતા ધરાવતા, ચામડીની બીમારીવાળા, Dyslexic, કિડનીના રોગો, કેન્સર, થેલેસેમિયા, muschular dystrothy, myopathieth, parkinson, hemophilia y dominent upper limbમાં ફેક્ટર કે સ્નાયુઓની ઇજાના જેવી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા હોય તેવા કે, અન્ય કોઈ કારણસર લખવાને અસમર્થ હોય તેવા ઉમેદવારોને લહિયાની સેવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી કેન્દ્ર સંચાલકે સિવિલ સર્જન/આર.એમ.ઓ./આસી. સર્જનથી ઉતરતા હોદાની ન હોય તેવા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યથી પૂરી પાડવાની રહેશે.
આકસ્મિક સંજોગોમાં લખવાને અસમર્થ બનેલ ઉમેદવારને પણ લહિયાની સેવા પૂરી પાડવાની જોગવાઈ છે.
ધોરણ ૮થી ૧૨ના વિકલાંગ વિધાર્થીઓને અભ્યાસમાં કન્સેશન :
ફક્ત નાપાસ થતા વિદ્યાર્થીઓ નાપાસ થતા વિષય | વિષયોમાં ઓછામાં ઓછા ૨૦ ગુણ પાસ થવા મેળવવાના રહેશે. લેખિત કસોટીઓમાં અડધો કલાક વધારે, ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવે, આકૃતિ, નકશાને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુક્તિ આમ તેના ગુણ જે તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
“પંગુમિત્ર' દ્વારા ગુજરાતના તેજસ્વી વિકલાંગ વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપઃ
હાયર સેકન્ડરી પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર અને બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિકલાંગોના વિકાસ માટેના મેગેઝીન “પંગુમિત્ર' દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી ૨૦૦૮-૦૯ના વર્ષથી સ્કોલરશીપ આપવામાં આવે છે. તેની મુખ્ય શરતો નીચે મુજબ છે.
રૂા.પની ટિકિટ લગાવેલું કવર મોકલીને આગામી નવા વર્ષમાં જે તે સંસ્થાઓમાં પ્રવેશ મેળવી લીધા પછી ફોર્મ ભરીને જે તે જરૂરી દસ્તાવેજો સાથે “પંગુમિત્ર'ના સરનામે ફોર્મ દર વર્ષના ઓગસ્ટ મહિનામાં મોકલી આપવાના રહેશે.સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. મો : ૯૯૭૮૪૦૫૮૧૦
S.S.C. તેમજ H.S.C.માં રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિધાર્થીઓને પંગુમિત્ર એવોર્ડ:
એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. પરીક્ષાઓમાં ગુજરાતભરના વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોમાંથી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને “પંગુમિત્ર” મેગેઝીન દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી “પંગુમિત્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં અનુક્રમે રૂા.૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦ રોકડા તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી જાહેર સમારંભમાં સન્માન કરવામાં આવશે.
આ એવોર્ડ મેળવવા માટે એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી ની પરીક્ષાઓમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના ગુણપત્રકની ખરી નકલ તેમજ પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા અને વિકલાંગતાના પ્રમાણપત્ર સાથે સાદા કાગળમાં પોતાનું પૂરું નામ સરનામું અને ટેલિફોન નંબર વગેરેની વિગતો દર્શાવી પંગુમિત્ર' મેગેઝીનના સરનામે દર વર્ષના ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાનું રહેશે.
સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. | મો : ૯૯૭૮૪૦૫૮૧૦
અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવી રોજગારી માટે તકો મેળવવા વિકલાંગો માટે વિના મૂલ્ય તાલીમની સગવડ:
ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સોસાયટી ફોર ક્રિીએશન ઓફ ઓપોર્ચ્યુનીટી થ્ર પ્રોફીસીયન્સી ઈન ઈંગ્લીશ (SCOPE) દ્વારા ગુજરાત રાજ્ય યુવાધનમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવીને તેમના માટે રોજગારીની ઉજળી તકો ઉભી કરવાનો છે. સ્કોપ દ્વારા અત્યાર સુધીમાં રાજયના ૪૧૫000થી વધુ યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી અંગ્રેજીની તાલીમ તથા પરીક્ષણ ૪૫૦ થી વધુ પ્રાઈવેટ કેન્દ્રો અને ૬૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હેઠળ તાલીમ અપાયેલ છે. રૂ. ૧૫૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની રાહત દરની ફીની સગવડ આપવાની કામગીરી કરે છે.
સ્કોપ રાજયના ૪૦૧ કોલેજોનાં Digital Education and Learning Lab (DELL) ડેલ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગ્રેજી ભાષાના કોર્સમાં વિકલાંગો પણ જોડાય અને પોતાનું ભાવી ઉજ્જવળ બનાવી શકે તે માટે રાજય સરકારે વિકલાંગો માટે વિના મૂલ્ય (મફત) તાલીમની જોગવાઈ કરી છે. આ જોગવાઈ હેઠળ કુલ વિદ્યાર્થી સંખ્યાના મહત્તમ રીતે અશ્કતોને વિના મૂલ્ય તાલીમ મળે છે.
Contact details of Zonal Training Partners :
SCOPE : Society for Creation of Opportunity through proficiency in English.
Prajna Puram” campus, KCG Building, Faculty Block, Frst Floor, Nr. L. D. Engineering College, Navrangpura, Ahmedabad-380015. Phone No : 079-26300593, 079-26300956
Email: ceo.scope@gmail.com URL :www.scopegujarat.org
વિકલાંગ-દૃષ્ટિહીન વ્યક્તિઓને ઘેર બેઠાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી યુનિવર્સિટીઓ :
ભારતભરમાં વસતાં એવા નાગરિકો કે જેઓ સામાજિક, આર્થિક, ભૌગોલિક કે વ્યાવસાયિક કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગયા હોય... પછી તે ગૃહિણી-મહિલા હોય કે નોકરી-ધંધા-રોજગાર-ખેતીમાં રોકાયેલી વ્યક્તિ હોય, અધૂરું ભણેલી વ્યક્તિ હોય કે અંતરિયાળ ગામડામાં વસતી વ્યક્તિ હોય, સૌને એક સમાન રીતે, એક સમાન શિક્ષણ પૂરું પાડી, વ્યક્તિને પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની તક ઉપરોક્ત બંને યુનિવર્સિટીઓ આપે છે.
પોતાની પસંદગીનો અભ્યાસક્રમ, પોતાની અનુકૂળતાએ ઘેર બેઠાં-બેઠાં પૂર્ણ કરવાની ભરપૂર સવલતો આમાં છે.
માહિતી અને માર્ગદર્શન માટે સંપર્કઃ
વધુ માહિતી માટે સંપર્કઃ
વિકલાંગ બાળકો માટે વિશિષ્ટ તાલીમી શિક્ષકો તૈયાર કરવાના કોર્સ ચલાવતી સંસ્થાઓ :
માનસિક વિકલાંગતા ધરાવતા મૂક, બધિર અથવા દૃષ્ટિહીન બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ પ્રકારની આવડત અને કૌશલ્ય જોઈએ. મંદ બુદ્ધિનાં બાળકો અને વિકલાંગોની સંસ્થામાં ધગશવાળા અને પ્રેમાળ યુવાનો અને યુવતીઓની શિક્ષકો તરીકે માંગ રહે છે. આવા કોર્સ માટે ભારત સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ મેન્ટલી હેન્ડીકેપ્ટ, સિકંદરાબાદ તથા રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી તરફથી માર્ચ મહિનામાં, વિસ્તૃત નીચેના સેન્ટરોમાં એડમિશન મેળવવા માટે જાહેરાત આવે છે. ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી/વિદ્યાર્થિની આમાં દાખલ થઈ શકે છે, પરંતુ ગ્રેજ્યુએટ હોય તો અગ્રતા મળે અને બી.એડ. હોય તો વધુ અગ્રતા મળે. વધુ માહિતી માટે જે તે સંસ્થાનો ફોનથી સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા વિનંતી.
3. દષ્ટિની ક્ષતિ-દષ્ટિહીન બાળકો માટે : (ટ્રેનિંગ કૉલેજ ફોર ધ ટીચર્સ ઓફ ધી બ્લાઈન્ડ)
4. મૂક-બધિર બાળકો માટે (ટ્રેનિંગ કૉલેજ ફોર ધી ટીચર્સ ઓફ ડેફ) :
વી.આઈ. (અલ્પ દૃષ્ટિ-દષ્ટિહીન) માટે:
એચ.આઈ. (મૂકબધિર) માટે :
એમ.આર. (મંદબુદ્ધિ) માટે :
આ ઉપરાંત એચ.આઈ. માટે તાલીમી સ્નાતકનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ નીચેના સેન્ટર પર ચાલી રહ્યો છે.
એચ.આઈ. (મૂકબધિર) માટે :
આ ટ્રેનિંગ કૉલેજનું મકાન વિકલાંગોની સવલતોને ધ્યાનમાં રાખીને બેરીયર ફ્રી તૈયાર કરવામાં આવેલ છે. વિશાળ બગીચો તથા ભવ્યતા સભર બિલ્ડિંગમાં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (RCI) ન્યુ દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત નીચેના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
વિકલાંગ બાળકોના શિક્ષકોના તાલીમી કોર્સ
આ ઉપરાંત કૉલેજમાં ઇગ્નો-સ્પેશયલ સ્ટડી સેન્ટરમાં (૧) બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ (૨) સર્ટિફિકેટ ઈન ઈન્ફર્મેશન ટેકનોલોજી (૩) સર્ટિફિકેટ ઈન ફંકશન ઈંગ્લિશ વગેરે જેવા ૧૯ કોર્સિસ ચાલે છે. જેમાં વિકલાંગ તાલીમાર્થીઓને ફીમાં ખાસ રાહત આપવામાં આવે છે. બહારગામના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે અલગ હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020