অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શ્રવણમંદોને શિષ્યવૃત્તિ

શ્રવણમંદોને શિષ્યવૃત્તિ

ઘરેથી શ્રવણમંદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની શિષ્યવૃત્તિનો લાભ નીચે પ્રમાણે મળે છે :

  1. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મૂક-બધિરોને વાર્ષિક રૂ.૫૦૦-૦૦
  2. ધોરણ ૧૨ તથા તેની ઉપરના શ્રવણમંદ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૧, ૨૦૦-૦૦
  3. બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને સંસ્થામાં મફત શિક્ષણ મળે છે.

વડોદરા નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન દ્વારા કર્યા બધિર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન, કબધિર વિદ્યાર્થીઓ જેઓએ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક યા અનુસ્નાતકની પરીક્ષા નિયમિત શાળા, કોલેજ યા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ઉર્તીણ કરેલ હોય તેઓને શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી કરી શકે છે. ગુજરાતના જે કર્ણબધિર વિદ્યાર્થીઓએ, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા કર્ણબધિર શાળામાંથી ઉર્તીણ કરી હોય પરંતુ કોલેજ અથવા યુનિવર્સિટીમાં દાખલો મળી ગયો હોય તે વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ માટેનું અરજીપત્રક સંસ્થાની નીચે જણાવેલ વેબસાઈટના સરનામેથી મેળવવાનું રહેશે. વેબસાઈટ www.bahushrutfoundation.org

નીલમ પટેલ, બહુશ્રુત ફાઉન્ડેશન, એસ.એફ. ૨૦૫, હીવરડેલ એપાર્ટમેન્ટ, અતમનપાર્કની સામે, અકોટા-વડોદરા.

કર્મયોગીઓનાં ૧૬ વર્ષ સુધીનાં સંતાનોને “કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવારના ખર્ચનું વળતર મળશેઃ

  1. બહેરા-મૂંગાની શાળા, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન. (૦૭૯) ૨૬૫૮૬૧૩૮
  2. શ્રી એસ.જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર, ડભાણ રોડ, નડિયાદ, ફોન. (૦૨૬૮) ૨૮૧૯૮૧
  3. સમર્પણ મૂક-બધિર વિદ્યામંદિર, સેક્ટર-૨૮, ચ-૧૧૧, ગાંધીનગર ફોન. (૦૭૯) ૨૩૨૧૧૩૩૨ (૪) શ્રીમતી કમળાબહેન બધિર માધ્યમિક વિદ્યાલય (મુકધ્વનિ ટ્રસ્ટ, વોટર ટેન્ક રોડ, કારેલીબાગ,  વડોદરા)ફોન. (૦૨૬૫) ૨૪૬૧૧૦૫, ૨૪૬૨૩૮૨
  4. ગ.કી.નાયક બધિર કન્યા વિદ્યાલય, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ(ગાંધીધર કછોલી,
  5. મુ.પો. કછોલી-૩૯૬૩૭૮) ફોન. (૦૨૬૩૪) ૨૭૨૨૫૯
  6. બળવંતરાય અને ઈંદુબેન નાયક બહેરા-મૂંગાની શાળા પ્રાથમિક અને માધ્યમિક વિભાગ, રેલ્વે સ્ટેશન, અમલસાડ તા. ગણદેવી, જિ. નવસારી ફોન : (૦૨૬૩૪) ૨૭૨૨૫૯,  ૨૭૦૭૫૯,  ૨૭૦૬૪૪

દષ્ટિહીન/હાથ કપાયેલ વિકલાંગ પરીક્ષાર્થીને લહિયાની મદદ-નિર્ધારિત સમય કરતાં ત્રીસ મિનિટનો વધુ સમયઃ

અંધત્વ ધરાવતા, શારીરિક પંગતા ધરાવતા, ચામડીની બીમારીવાળા, Dyslexic, કિડનીના રોગો, કેન્સર, થેલેસેમિયા, muschular dystrothy, myopathieth, parkinson, hemophilia y dominent upper limbમાં ફેક્ટર કે સ્નાયુઓની ઇજાના જેવી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા હોય તેવા કે, અન્ય કોઈ કારણસર લખવાને અસમર્થ હોય તેવા ઉમેદવારોને લહિયાની સેવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી કેન્દ્ર સંચાલકે સિવિલ સર્જન/આર.એમ.ઓ./આસી. સર્જનથી ઉતરતા હોદાની ન હોય તેવા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યથી પૂરી પાડવાની રહેશે.

આકસ્મિક સંજોગોમાં લખવાને અસમર્થ બનેલ ઉમેદવારને પણ લહિયાની સેવા પૂરી પાડવાની જોગવાઈ છે.

  • જે ઉમેદવારો માટે લહિયાની વ્યવસ્થા થઈ હોય તેના માટે નિયત કરેલા અથવા ફાળવાયેલા કેન્દ્ર અને ખંડમાં પરીક્ષા આપવાની રહેશે.
  • વિનિમય-૨૬(૩) મુજબ લહિયાની સેવા લેનાર ઉમેદવારે લહિયાને નિયત કરેલ શુલ્ક ચૂકવવાનું રહેશે. આ માટેના દર પ્રતિ કલાક રૂપિયા ૫૦/- રહેશે. એટલે કે ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે લહિયાને રૂપિયા ૧૫૦/- શુલ્ક (મહેનતાણું) ચૂકવવાનું રહેશે.
  • લહિયાની સેવા મેળવનાર ઉમેદવારને પરીક્ષાના નિયત સમયગાળા ઉપરાંત અડધો કલાક (૩૦ મિનિટ)નો સમય વધારાનો મળવાપાત્ર રહેશે. વિકલાંગોની રજૂઆત હતી કે તેઓની નાણાકીય સ્થિતિ સદ્ધર ન હોવાથી અને મોટાભાગના બીપીએલ હેઠળ આવતા હોવાથી સર્વે શિક્ષણાધિકારીઓને લહિયાની યાદી તૈયાર કરતી વખતે આ બાબતે કાળજી લઈ સમાજ સેવા કરવા માગતાઉમેદવારને પ્રાથમિકતા આપવા અને ગરીબ ઉમેદવારને શુદ્ધ રહિત લહિયાની સેવા મળે તે જોવા જણાવવામાં આવે છે.

ધોરણ ૮થી ૧૨ના વિકલાંગ વિધાર્થીઓને અભ્યાસમાં કન્સેશન :

ફક્ત નાપાસ થતા વિદ્યાર્થીઓ નાપાસ થતા વિષય | વિષયોમાં ઓછામાં ઓછા ૨૦ ગુણ પાસ થવા મેળવવાના રહેશે. લેખિત કસોટીઓમાં અડધો કલાક વધારે, ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવે, આકૃતિ, નકશાને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુક્તિ આમ તેના ગુણ જે તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

“પંગુમિત્ર' દ્વારા ગુજરાતના તેજસ્વી વિકલાંગ વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપઃ

હાયર સેકન્ડરી પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર અને બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિકલાંગોના વિકાસ માટેના મેગેઝીન “પંગુમિત્ર' દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી ૨૦૦૮-૦૯ના વર્ષથી સ્કોલરશીપ આપવામાં આવે છે. તેની મુખ્ય શરતો નીચે મુજબ છે.

  1. વિકલાંગ વિદ્યાર્થીએ એચ.એસ.સી. કે યુનિવર્સિટીની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
  2. વિકલાંગ વિદ્યાર્થીના કુટુંબની કુલ આવક રૂા.૧ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે.
  3. વિદ્યાર્થી ઓછામાં ઓછી ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઈએ તેમજ તે બાબતનું નિયતમેડિકલ સર્ટિફિકેટ મોકલવવાનું રહેશે.
  4. જે તે અભ્યાસક્રમની ટ્યુશન ફીની રકમની મર્યાદામાં સ્કોલરશિપ મળવાપાત્ર થશે.

રૂા.પની ટિકિટ લગાવેલું કવર મોકલીને આગામી નવા વર્ષમાં જે તે સંસ્થાઓમાં પ્રવેશ મેળવી લીધા પછી ફોર્મ ભરીને જે તે જરૂરી દસ્તાવેજો સાથે “પંગુમિત્ર'ના સરનામે ફોર્મ દર વર્ષના ઓગસ્ટ મહિનામાં મોકલી આપવાના રહેશે.સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. મો : ૯૯૭૮૪૦૫૮૧૦

S.S.C. તેમજ H.S.C.માં રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિધાર્થીઓને પંગુમિત્ર એવોર્ડ:

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. પરીક્ષાઓમાં ગુજરાતભરના વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોમાંથી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને “પંગુમિત્ર” મેગેઝીન દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી “પંગુમિત્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં અનુક્રમે રૂા.૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦ રોકડા તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી જાહેર સમારંભમાં સન્માન કરવામાં આવશે.

આ એવોર્ડ મેળવવા માટે એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી ની પરીક્ષાઓમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના ગુણપત્રકની ખરી નકલ તેમજ પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા અને વિકલાંગતાના પ્રમાણપત્ર સાથે સાદા કાગળમાં પોતાનું પૂરું નામ સરનામું અને ટેલિફોન નંબર વગેરેની વિગતો દર્શાવી પંગુમિત્ર' મેગેઝીનના સરનામે દર વર્ષના ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાનું રહેશે.

સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. | મો : ૯૯૭૮૪૦૫૮૧૦

અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવી રોજગારી માટે તકો મેળવવા વિકલાંગો માટે વિના મૂલ્ય તાલીમની સગવડ:

ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સોસાયટી ફોર ક્રિીએશન ઓફ ઓપોર્ચ્યુનીટી થ્ર પ્રોફીસીયન્સી ઈન ઈંગ્લીશ (SCOPE) દ્વારા ગુજરાત રાજ્ય યુવાધનમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવીને તેમના માટે રોજગારીની ઉજળી તકો ઉભી કરવાનો છે. સ્કોપ દ્વારા અત્યાર સુધીમાં રાજયના ૪૧૫000થી વધુ યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી અંગ્રેજીની તાલીમ તથા પરીક્ષણ ૪૫૦ થી વધુ પ્રાઈવેટ કેન્દ્રો અને ૬૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હેઠળ તાલીમ અપાયેલ છે. રૂ. ૧૫૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની રાહત દરની ફીની સગવડ આપવાની કામગીરી કરે છે.

સ્કોપ રાજયના ૪૦૧ કોલેજોનાં Digital Education and Learning Lab (DELL) ડેલ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગ્રેજી ભાષાના કોર્સમાં વિકલાંગો પણ જોડાય અને પોતાનું ભાવી ઉજ્જવળ બનાવી શકે તે માટે રાજય સરકારે વિકલાંગો માટે વિના મૂલ્ય (મફત) તાલીમની જોગવાઈ કરી છે. આ જોગવાઈ હેઠળ કુલ વિદ્યાર્થી સંખ્યાના મહત્તમ રીતે અશ્કતોને વિના મૂલ્ય તાલીમ મળે છે.

Contact details of Zonal Training Partners :

  1. Mr. Harpreer Singh, Director, Mob : 9825073216 Academy for Computer Training (Guj.) Prv. Ltd. 2nd Floor, Sillicon Tower, Law Garden, Ahmedabad, Gujarat-380008 Phone No. 079-26468536, Fax No. 079-25464495 Email : scope@actuniv.com
  1. Mr. Hitesh Parikh, CEO, Mob : 9979540852, Tripada Multicourse Pvt. Ltd. 4th Floor, Vishwa Arcade, Nr. Akhbarnagar Circle, Nava Vadaj, Ahmedabad. Phone : 079-27476636, 27436931, Fax No. 079-27477632, 27435480 Email id : ceo@tripada.com
  1. Ketan Rathod Mob No. : 9824528101 Devkishan Computer Pvt. Ltd. 3, Kotecha Complex, Jayshree Road, Junagadh-362001 Phone : 0285-264791, 3203314 Email id : devkishancomputer@yahoo.co.in. center_manager@yahoo.com
  1. Komal Shah, Mob No. 9099081376 V. S. Shah Institute of Computer Science, Opposite Golwad Gate Police Station.Main Road, Navsari-396445 Phone No : 02637-329749, 233633Email id : vssics.scope@email.com:patelco.1985@gmail.com, vssics@gmail.com
  1. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે રાજ્ય સરકારની નીચેની કચેરીનો સંપર્ક કરવા વિનંતી.

SCOPE : Society for Creation of Opportunity through proficiency in English.

Prajna Puram” campus, KCG Building, Faculty Block, Frst Floor, Nr. L. D. Engineering College, Navrangpura, Ahmedabad-380015. Phone No : 079-26300593, 079-26300956

Email: ceo.scope@gmail.com URL :www.scopegujarat.org

વિકલાંગ-દૃષ્ટિહીન વ્યક્તિઓને ઘેર બેઠાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી યુનિવર્સિટીઓ :

ભારતભરમાં વસતાં એવા નાગરિકો કે જેઓ સામાજિક, આર્થિક, ભૌગોલિક કે વ્યાવસાયિક કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગયા હોય... પછી તે ગૃહિણી-મહિલા હોય કે નોકરી-ધંધા-રોજગાર-ખેતીમાં રોકાયેલી વ્યક્તિ હોય, અધૂરું ભણેલી વ્યક્તિ હોય કે અંતરિયાળ ગામડામાં વસતી વ્યક્તિ હોય, સૌને એક સમાન રીતે, એક સમાન શિક્ષણ પૂરું પાડી, વ્યક્તિને પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની તક ઉપરોક્ત બંને યુનિવર્સિટીઓ આપે છે.

પોતાની પસંદગીનો અભ્યાસક્રમ, પોતાની અનુકૂળતાએ ઘેર બેઠાં-બેઠાં પૂર્ણ કરવાની ભરપૂર સવલતો આમાં છે.

  • ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના નીચે , મુજબના ખાસ અભ્યાસક્રમો છે જેમાં તેઓ પ્રવેશ મેળવી શકે છે. તેઓનેફીમાં પણ ઘણી રાહત અપાય છે
  1. ડિપ્લોમા ઈન ફિઝિયોથેરાપી ફોર ધી બ્લાઈન્ડ (DIP)
  2. સર્ટિફિકેટ ઈન હેન્ડલૂમ વિવર (CIHV)
  3. સર્ટિફિકેટઈન કેન વર્કર (CINC)
  4. સર્ટિફિકેટ ઈન મોટર રિવાઈન્ડર (CIMR)
  5. સર્ટિફિકેટ ઈન કારપેન્ટર (CICP)
  6. સર્ટિફિકેટ ઈન મિકેનિક (CIUM)

માહિતી અને માર્ગદર્શન માટે સંપર્કઃ

  1. નિયામકશ્રી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપનયુનિવર્સિટી, સરખેજ-ગાંધીનગર હાઈવે, આર.સી. ટેકનિકલ સ્કૂલ કંપાઉન્ડ, ગુજરાત હાઈકોર્ટની સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૩, ફોન નં : (૦૭૯) ૨૨૮૬૯૬૯૦-૯૧, ફેક્સ : (૦૭૯) ૨૨૮૬૯૬૯૧. E-mail feedback@baou.org   website :www.baou.org
  • ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં અંધ વ્યક્તિઓ માટે સર્ટિફિકેટ ઈન એમ્પાવરિંગ વૂમન થ્રુ સેલ્ફ હેલ્પ ગ્રુપ (CWDL) બ્રેઈલ લિપિમાં ચાલે છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

  1. નિયામકશ્રી, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, (પ્રાદેશિક કેન્દ્ર), સરખેજ-ગાંધીનગર હાઈવે, નિરમા ઈન્સ્ટિટ્યૂટની સામે, છારોડી, અમદાવાદ-૩૮૨ ૪૮૧ ફોન : (૦૨૭૧૭) ૨૪૨૯૭૫, વેબ સાઈટ : www.ignou.ac.in સોમ થીશુક્ર સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦

વિકલાંગ બાળકો માટે વિશિષ્ટ તાલીમી શિક્ષકો તૈયાર કરવાના કોર્સ ચલાવતી સંસ્થાઓ :

માનસિક વિકલાંગતા ધરાવતા મૂક, બધિર અથવા દૃષ્ટિહીન બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ પ્રકારની આવડત અને કૌશલ્ય જોઈએ. મંદ બુદ્ધિનાં બાળકો અને વિકલાંગોની સંસ્થામાં ધગશવાળા અને પ્રેમાળ યુવાનો અને યુવતીઓની શિક્ષકો તરીકે માંગ રહે છે. આવા કોર્સ માટે ભારત સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ મેન્ટલી હેન્ડીકેપ્ટ, સિકંદરાબાદ તથા રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી તરફથી માર્ચ મહિનામાં, વિસ્તૃત નીચેના સેન્ટરોમાં એડમિશન મેળવવા માટે જાહેરાત આવે છે. ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી/વિદ્યાર્થિની આમાં દાખલ થઈ શકે છે, પરંતુ ગ્રેજ્યુએટ હોય તો અગ્રતા મળે અને બી.એડ. હોય તો વધુ અગ્રતા મળે. વધુ માહિતી માટે જે તે સંસ્થાનો ફોનથી સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા વિનંતી.

3.  દષ્ટિની ક્ષતિ-દષ્ટિહીન બાળકો માટે : (ટ્રેનિંગ કૉલેજ ફોર ધ ટીચર્સ ઓફ ધી બ્લાઈન્ડ)

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, અટિરા પાસે, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫, ફોન : ૨૬૩૦૪૦૭૦, ૨૬૩૦૫૦૮૨
  2. અંધ શાળા (બહેરા-મૂંગાની શાળા સોસાયટી) આશ્રમ રોડ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે, અમદાવાદ ફોન :૨૬૫૮૬૧૩૮.
  3. ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ ફોર ધી બ્લાઈન્ડ, C/o કે.કે. અંધ ઉદ્યોગ શાળા, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧

4.  મૂક-બધિર બાળકો માટે (ટ્રેનિંગ કૉલેજ ફોર ધી ટીચર્સ ઓફ ડેફ) :

  1. બહેરા-મૂંગાની શાળા, આશ્રમ રોડ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે, અમદાવાદ ફોન : ૨૬૫૮૬૧૩૮
  2. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ ડેફ,૫૧, વિદ્યાનગર, ભાવનગર, ફોન : (૦૨૭૮) ૨૪૨૦૮૩૬, ૨૪૨૯૩૨૬, ૨૪૨૧૧૧૫
  3. અક્ષર ટ્રસ્ટ, મેઘદૂત, આર.સી.દત્ત રોડ, વડોદરા.
  4. માનસિક ક્ષતિના બાળકો માટે (ડિપ્લોમા ઈન સ્પેશ્યલ એજ્યુકેશન ફોર મેન્ટલી રીટાયર્ડ):
    1. બી.એમ.ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ આશ્રમ રોડ, નહેરુ બ્રિજ પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૯, ફોન : (૦૭૯) ૨૬૫૭૦૨૫૬-૫૭-૫૮-૫૯.
    2. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંગલ પ્રભાત બિલ્ડિંગ,સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે, મિરઝાપુર, અમદાવાદ, ફોન : (૦૭૯) ૨૫૫૦૦૩૦૯
    3. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા.
    4. બ્લાઈન્ડ વેલ્ફર કાઉન્સિલ, મિશન રોડ, રેલવે ઓવર બ્રીજ પાસે, દાહોદ. ફોન. (૦૨૬૭૩) ૨૪૩૩૮૯
    5. ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ, C/o અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની શાળા, વર્કિંગ વૂમેન હોસ્ટેલની પાછળ, સરદારનગર સર્કલ, સરદારનગર,ભાવનગર. ફોન : (૦૨૭૮) ૨૫૬૬૯૫૬, ૨૫૭૩૮૩૮
    6. આ ઉપરાંત ઘેર બેઠાં બ્લાઈન્ડ, ડેફ, મેન્ટલી રીટાર્ડડ વિભાગ માટેની તાલીમી સ્નાતક માટેનો  અભ્યાસક્રમમધ્યપ્રદેશ ભોજ યુનિવર્સિટી, ભોપાલના અનુક્રમે નીચેના સ્ટડી સેન્ટરો ઉપર ચાલી રહ્યો છે.

વી.આઈ. (અલ્પ દૃષ્ટિ-દષ્ટિહીન) માટે:

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસીએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫.

એચ.આઈ. (મૂકબધિર) માટે :

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫.
  2. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધી ડેફ, ૫૧, વિપનગર, ભાવનગર - ૩૬૪૦૦૨

એમ.આર. (મંદબુદ્ધિ) માટે :

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫. ફોન-(૦૭૯)૨૬૩૦૪૦૪૦, ૨૬૩૦૩૫૧૩
  2. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા-૩૯૦૦૦૧૮.
  3. બી.એમ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, નહેરૂ બ્રિજ, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯ફોન-(૦૭૯) ૨૬૫૮૬૮૨૦, ૨૬૫૭૮૨૫૬
  4. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંગલ પ્રભાત બિલ્ડિંગ, સેન્ટર ઝેવિયર્સ હાઈસ્કૂલની સામે, મિરઝાપુર, અમદાવાદ-૩૮૦૦૦૧.ફોન-(૦૭૯) ૨૫૫૦૦૩૦૯
  5. રાષ્ટ્રીય સ્વાભિમાન ઈન્દ્રપ્રસ્થ તા. અંજાર જિ. કચ્છ ખાતે બી.એડ (સ્પે) એજ્યુકેશન (એમ.આર.) (એચ.આઈ) તથા ડિપ્લોમા કોર્સ પણ ચાલે છે.

આ ઉપરાંત એચ.આઈ. માટે તાલીમી સ્નાતકનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ નીચેના સેન્ટર પર ચાલી રહ્યો છે.

એચ.આઈ. (મૂકબધિર) માટે :

  1. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધી ડેફ, ૫૧ વિદ્યાનગર, ભાવનગર- ૩૬૪૦૦૨. ફોન-(૦૨૭૮) ૨૪૨૦૮૩૫,૨૪૨૯૩૨૫
  2. નટરાજ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રેનિંગ કૉલેજ (પી.એન.આર. સોસાયટી) દુઃખી શ્યામ બાપાના આશ્રમ પાસે, કાળવીબીડ ભાવનગર-૩૬૪૪૦૦૨, ફોન : ૦૨૭૮-૩૨૦૨૪૭૦, ૨૫૭૦૧૨૭, ફેક્સ : ૨૫૬ ૨૬૦૭ email-ignou972gns@ignorajkot.org

આ ટ્રેનિંગ કૉલેજનું મકાન વિકલાંગોની સવલતોને ધ્યાનમાં રાખીને બેરીયર ફ્રી તૈયાર કરવામાં આવેલ છે. વિશાળ બગીચો તથા ભવ્યતા સભર બિલ્ડિંગમાં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (RCI) ન્યુ દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત નીચેના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

વિકલાંગ બાળકોના શિક્ષકોના તાલીમી કોર્સ

  1. શ્રવણમંદ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશન ઈન સ્પેશિયલ એજ્યુકેશન D.Ed.S.E. (HI)
  2. પ્રજ્ઞાચક્ષુ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશ્યિલ એજયુકેશન D.Ed.S.E. (V.I.)
  3. મંદબુદ્ધિ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશ્યિલ એજયુકેશન D.Ed.S.E. (M.R.)
  4. મગજનો લકવો : ૧ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશીયલ એજયુકેશન D.Ed.S.F. (C.P.)
  5. લેગ્વેજ એન્ડ સ્પીચ : ૧ વર્ષનો ડિપ્લોમા ઈન લેગ્યેજ એન્ડ સ્પીચ D.H.L.S.

આ ઉપરાંત કૉલેજમાં ઇગ્નો-સ્પેશયલ સ્ટડી સેન્ટરમાં (૧) બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ (૨) સર્ટિફિકેટ ઈન ઈન્ફર્મેશન ટેકનોલોજી (૩) સર્ટિફિકેટ ઈન ફંકશન ઈંગ્લિશ વગેરે જેવા ૧૯ કોર્સિસ ચાલે છે. જેમાં વિકલાંગ તાલીમાર્થીઓને ફીમાં ખાસ રાહત આપવામાં આવે છે. બહારગામના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે અલગ હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate