વિકલાંગ (સમાન તકો અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯૫ની કલમ-૫૧“નોંધણી પ્રમાણપત્રને સુસંગત હોવા સિવાય કોઈ વ્યક્તિએ વિકલાંગ માટેની સંસ્થા સ્થાપવી કે ચલાવવી નહિ”તેવી જોગવાઈ હોઈ સંસ્થાના સંચાલકોએ નોંધણી પ્રમાણપત્ર મેળવવા નિયત નોંધણી ફોર્મ નંબર-૪ જે-તે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કે સમાજસુરક્ષા નિયામકશ્રીની કચેરી, જુના સચિવાલય, ગાંધીનગર પાસેથી મેળવી, માંગેલ વિગતો ભરી (બે નકલમાં) પોતાના જિલ્લાના, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આપવાનું રહેશે. ત્યાર બાદ વિગતોની ચકાસણી કરી, સ્થળ તપાસ કરી, નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020