অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગતાના પ્રકાર અને તેની વ્યાખ્યા

  1. અંધત્વ/ દૃષ્ટિહીનતા
  2. અલ્પદષ્ટિ
  3. રક્તપિત રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ
  4. શ્રવણ ક્ષતિ
  5. અસ્થિવિષયક વિકલાંગતા
  6. મંદબુદ્ધિતા માનસિક વિકાસ રૂંધાવો
  7. માનસિક માંદગી
  8. સ્વલિનતા
  9. મગજનો પક્ષઘાત (સેરેબ્રલ પાલ્સી)
  10. બહુવિકલાંગતા નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લેવાયેલ વિકલાંગતા

અંધત્વ / દૃષ્ટિહીનતા :

એવી સ્થિતિનો સંદર્ભ સૂચવે છે. જ્યાં વ્યક્તિ નીચેની સ્થિતિઓમાંથી કોઈ એકથી પીડાતી હોય,એટલે કે :

(અ) દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ; અથવા

(બ) સુધારક કાચ મૂકેલી સારી આંખની દૃષ્ટિની સક્ષમતા ૬/૬૦ અથવા ૨૦/૨૦૦ (સ્નેલન)થી વધુ ન હોય; અથવા

(ક) દષ્ટિના ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં ૨૦ અંશ કોણ જેટલી અથવા તેથી વધુ ખરાબ હોય;

અલ્પ દૃષ્ટિ વ્યક્તિ:

અલ્પ દૃષ્ટિ એટલે સારવાર અથવા પ્રમાણિક વક્રીભવનના ક્ષતિ સુધારા પછી પણ દૃષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય તેવી વ્યક્તિ, પરંતુ જે યથાયોગ્ય સહાયક ઉપકરણ સાથે દષ્ટિનો કાર્યના આયોજન અને અમલ માટે ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવાને સક્ષમ છે.

રક્તપિત :

રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે રક્તપિત્તથી સાજો થયેલો છે, પરંતુ

  • હાથ અને પગમાં સંવેદનના લોપ ઉપરાંત આંખ અને આંખની પાંપણોનો સંવેદન લોપ અને હળવો આંશિક લકવો પરંતુ કોઈ પ્રગટ કુરૂપતા નહીં;
  • પ્રગટ કુરૂપતા અને હળવો આંશિક લકવો પરંતુ સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરવા રોકાણ થઈ શકે તેવું તેમના હાથ અને પગોમાં પૂરતું હલનચલન હોવું;
  • અંતિમ કક્ષાની શારીરિક કુરૂપતા તેમજ વધેલી વય જે તેને ઉપજાઉ વ્યવસાય કરવા અટકાવે, તેનાથી પીડાતી હોય અને અભિવ્યક્તિ “રક્તપિત્ત સાજો થઈ ગયેલ’નું અર્થઘટન આ સંદર્ભમાં કરવું;

શ્રવણ ક્ષતિઃ

 

એટલે સંભાષણ (વાતચીત)ના ધ્વનિ આવર્તનોની મર્યાદામાં સારા કાનમાં ૬૦ ડેસિબલ્સ કે તેથી વધુનું નુકસાન થવું

અસ્થિ વિષયક:

 

 

વિકલાંગતા એટલે અવયવોના હલનચલનના ઘણા બધા નક્કર પ્રતિબંધ તરફ દોરી જતી હાડકાં, સાંધા અને સ્નાયુઓની અસમર્થતા અથવા મગજના લકવાનું કોઈ સ્વરૂપ;

‘મગજનો લકવો' (સેરેબ્રલ પાલ્સી) એટલે પ્રસવ પૂર્વે પ્રસવ દરમિયાન કે શિશુ વિકાસના સમય દરમિયાન મગજનો હુમલો અથવા ઈજા થવાને કારણે નીપજેલી અતિ અસામાન્ય હલનચલન અંકુશની અંગસ્થિતિનું લક્ષણ હોય તેવી વ્યક્તિની બિન-પ્રગતિશીલ સ્થિતિઓનો સમૂહ.

મંદબુદ્ધિતા/ માનસિક વિકાસ:

રૂંધાવો એટલે વ્યક્તિના મનના વિકાસની થંભી ગયેલી અથવા અપૂર્ણ સ્થિતિ જે વિશેષ રીતે બુદ્ધિના સામાન્ય કરતાં ઓછી હોવાનું લક્ષણ ધરાવતી હોય (બુદ્ધિની ઉપસામાન્યતાનું લક્ષણ ધરાવતી હોય)

માનસિક માંદગી:

 

 

એટલે માનસિક વિકાસના રૂંધાવા (મંદબુદ્ધિતા) સિવાયની કોઈ માનસિક વિસંવાદી સ્થિતિ; વિકલાંગ વ્યક્તિ એટલે તબીબી સત્તા મંડળ દ્વારા પ્રમાણિત કર્યા મુજબની ૪૦ ટકા કરતા ઓછી નહીં એવી વિકલાંગતાથી પીડાતી કોઈ પણ વ્યક્તિ; ગંભીર વિકલાંગતાવાળી વ્યક્તિ એટલે એક અથવા વધુ વિકલાંગતાઓના ૮૦ ટકા અપંગ અથવા વધુ ટકા હોય તેવી વ્યક્તિ.

 

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate