એવી સ્થિતિનો સંદર્ભ સૂચવે છે. જ્યાં વ્યક્તિ નીચેની સ્થિતિઓમાંથી કોઈ એકથી પીડાતી હોય,એટલે કે :
(અ) દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ; અથવા
(બ) સુધારક કાચ મૂકેલી સારી આંખની દૃષ્ટિની સક્ષમતા ૬/૬૦ અથવા ૨૦/૨૦૦ (સ્નેલન)થી વધુ ન હોય; અથવા
(ક) દષ્ટિના ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં ૨૦ અંશ કોણ જેટલી અથવા તેથી વધુ ખરાબ હોય;
અલ્પ દૃષ્ટિ એટલે સારવાર અથવા પ્રમાણિક વક્રીભવનના ક્ષતિ સુધારા પછી પણ દૃષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય તેવી વ્યક્તિ, પરંતુ જે યથાયોગ્ય સહાયક ઉપકરણ સાથે દષ્ટિનો કાર્યના આયોજન અને અમલ માટે ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવાને સક્ષમ છે.
રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે રક્તપિત્તથી સાજો થયેલો છે, પરંતુ
એટલે સંભાષણ (વાતચીત)ના ધ્વનિ આવર્તનોની મર્યાદામાં સારા કાનમાં ૬૦ ડેસિબલ્સ કે તેથી વધુનું નુકસાન થવું
વિકલાંગતા એટલે અવયવોના હલનચલનના ઘણા બધા નક્કર પ્રતિબંધ તરફ દોરી જતી હાડકાં, સાંધા અને સ્નાયુઓની અસમર્થતા અથવા મગજના લકવાનું કોઈ સ્વરૂપ;
‘મગજનો લકવો' (સેરેબ્રલ પાલ્સી) એટલે પ્રસવ પૂર્વે પ્રસવ દરમિયાન કે શિશુ વિકાસના સમય દરમિયાન મગજનો હુમલો અથવા ઈજા થવાને કારણે નીપજેલી અતિ અસામાન્ય હલનચલન અંકુશની અંગસ્થિતિનું લક્ષણ હોય તેવી વ્યક્તિની બિન-પ્રગતિશીલ સ્થિતિઓનો સમૂહ.
રૂંધાવો એટલે વ્યક્તિના મનના વિકાસની થંભી ગયેલી અથવા અપૂર્ણ સ્થિતિ જે વિશેષ રીતે બુદ્ધિના સામાન્ય કરતાં ઓછી હોવાનું લક્ષણ ધરાવતી હોય (બુદ્ધિની ઉપસામાન્યતાનું લક્ષણ ધરાવતી હોય)
એટલે માનસિક વિકાસના રૂંધાવા (મંદબુદ્ધિતા) સિવાયની કોઈ માનસિક વિસંવાદી સ્થિતિ; વિકલાંગ વ્યક્તિ એટલે તબીબી સત્તા મંડળ દ્વારા પ્રમાણિત કર્યા મુજબની ૪૦ ટકા કરતા ઓછી નહીં એવી વિકલાંગતાથી પીડાતી કોઈ પણ વ્યક્તિ; ગંભીર વિકલાંગતાવાળી વ્યક્તિ એટલે એક અથવા વધુ વિકલાંગતાઓના ૮૦ ટકા અપંગ અથવા વધુ ટકા હોય તેવી વ્યક્તિ.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020