অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિ’ની યોજના

વિકલાંગ વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિ’ની યોજના

દિવ્યાંગજન વિદ્યાર્થીઓને અભ્યાસના અવસરે આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે અભ્યાસના માધ્યમ દ્વારા તેમનું સશક્તિકરણ કરવાની વિવિધ યોજનાઓ પણ બનાવી છે.

વિકલાંગ શિષ્યવૃત્તિ (ધો. ૧થી ૭ના તથા ૮થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)

  1. નિયત અરજી ફોર્મ મેળવવા માટે અરજદાર વિદ્યાર્થી/સંસ્થાએ વિદ્યાર્થી જે શાળા/ સંસ્થા/ કોલેજમાં અભ્યાસ કરતા હોયતે સંસ્થાના લેખિત આધાર રજૂ કરવાથી સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી વિનામૂલ્યમળી શક્યું. તેમજ જે તે વર્ષમાં ભરેલા ફોર્મ મોડામાં મોડા તા. ૩૧મી ઓગસ્ટ સુધીમાં તે જ  કચેરીને પરત કરવાના રહેશે.
  2. ધો. ૧થી ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભરેલ અરજીફોર્મ શાળાએ તેઓની પગાર કેન્દ્ર શાળા મારફતે તથા ધોરણ-૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અરજી ફોર્મ જે તે સ્કૂલ/કોલેજ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને મોકલી આપવાના રહેશે.

વિકલાંગ શિષ્યવૃત્તિ નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

અભ્યાસનું ધોરણરકમ

રૂ.

ધો. ૧થી ૭

૧૦૦૦/-

ધો.૮થી ૧૨ અને સમકક્ષ આઈ.ટી.આઈ.

૧૫૦૦/-

હોસ્ટેલમાં રહેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૨૦૦૦ /-

બી.એ., બી.એસ.સી., બી.કોમ. અને સમક્ષ ડિગ્રી અભ્યાસક્રમ

૨૫૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૩૨૫૦/-

બી.ઈ. બી.ટેક. એમબીબીએસ/એલએલબી / બી.એડ., ડિપ્લોમા ઈન પ્રોફેશનલ એન્ડ એજી. સ્ટડી વગેરે ઈન પ્લાન્ટ ટ્રેનિંગ

૩૦૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૪૦૦૦/-

એમ.એ./એમ.એસ.સી એમ.કોમ., એલ.એલ.બી. એમ.એડ

૩૦૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૪૦૦૦/-

અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ

૧૦૦૦/-

અગાઉની શિષ્યવૃત્તિ યોજનામાં વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદાની જોગવાઈ હતી તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા. ૧૧-૧૨-૧૫ના ઠરાવથી વિકલાંગ શિષ્યવૃત્તિ યોજનામાં મુખ્યમંત્રીશ્રી સ્વાવલંબન યોજનાના ધોરણે વિકલાંગ બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં વિકલાંગ વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવકની મર્યાદાની શરત નાબૂદ કરવામાં આવેલ છે.


વિકલાંગ શિષ્યવૃત્તિ મેળવવાની પાત્રતા :

  1. અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીની વિકલાંગતાની ટકાવારી ૪૦ ટકાથી ઓછી ન હોવી જોઈએ. દષ્ટિહીન ૮૦%,મુકબધિર ૭૧ ડેસીબલ તથા માનસિક પડકારીતા ૫૦-૭૦ બુદ્ધિ આંક ધરાવનારને શિષ્યવૃત્તિ મળવાપાત્ર.
  2. છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણથી ઉત્તીર્ણ થયા હોવા જોઈએ.
  3. જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
  4. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  5. વિકલાંગ શિષ્યવૃત્તિ જે તે વિદ્યાર્થીના બેંકના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.

વિકલાંગતા શિષ્યવૃત્તિના અરજીપત્રક મેળવવા અંગે :

  1. દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫મી જૂન થી ૩૧મી ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે અને સંપૂર્ણ રીતે ભરીનેઑગસ્ટના અંત સુધીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં પરત કરવાના હોય છે.
  2. અરજીપત્રકો શાળા, સ્કૂલ કે કૉલેજ દ્વારા લખાણ આપવાથી રીન્યુઅલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ અરજીપત્રકો જિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિના મૂલ્ય આપવામાં આવે છે.

વિકલાંગતા શિષ્યવૃત્તિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા :

  1. વિકલાંગ વિદ્યાર્થીનું વિકલાંગતા ઓળખકાર્ડ તથા જે તે નિષ્ણાંત તબીબનું ટકાવારીનું પ્રમાણપત્ર.
  2. ગત વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામની પ્રમાણિત નકલ.
  3. અરજીપત્રકો જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે મોકલવાના હોય છે.
  4. વિદ્યાર્થીના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ કે સામાન્ય અલગ-અલગ પત્રક સાથે અરજીપત્રકો મોકલવા.

વિકલાંગ શિષ્યવૃત્તિ ક્યારે મળવાપાત્ર થતી નથી :

  1. વિકલાંગ વિદ્યાર્થી શાળા, સ્કૂલ, કૉલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય ત્યારે.
  2. અભ્યાસ છોડી દેવાથી.
  3. વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી.
  4. પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃત્તિ મેળવતા હોય તો અથવા સરકારી ખાતાની શિષ્યવૃત્તિ મેળવતા હોયતો.
  5. વિકલાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.

નીચેની જાહેરાત દૈનિક પેપરમાં આવેલી છે તે જાણ માટે

દિવ્યાંગજન વિદ્યાર્થીઓને અભ્યાસના અવસરે આપવા માટે સામાજિક ન્યાય અને અધિકાર   મંત્રાલય, ભારત સરકાર દ્વારા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે અભ્યાસના માધ્યમ દ્વારા તેમનું સશક્તિકરણ કરવાની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

ક્રમ

યોજના

સામેલ અભ્યાસક્રમ

પ્રતિવર્ષ

શિષ્યવૃત્તિઓની

સંખ્યા

વાર્ષિક આવક

મર્યાદા

શિષ્યવૃત્તિની રકમ

અરજી કેવી રીતે કરવી

મેટ્રિક પહેલાની

શિષ્યવૃત્તિ

ધોરણ-૯ અને ૧૦

૪૬,OOO

રૂ. ૨ લાખ

અનઆવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૫૦ રૂપિયા તથા આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થા + પુસ્તક અનુદાન તથાપરિવહન ભાડું, રીડર ભાડું જેવા

ભથ્થાં

વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓરાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક શિષ્યવૃત્તિ www.scholarship.gov.inપોર્ટલ પર ઓનલાઈનઅરજી પ્રસ્તુત કરે.

મેટ્રિક ઉપરાંત

ધોરણ-૧૧થીમાસ્ટરી ડિગ્રીઅથવા ડિપ્લોમાકક્ષા

૧૬.૬૫૦

રૂ. ૨.૫ લાખ

જુદા જુદા વિષયોમાં સ્નાતકોતર,ગેર ડિગ્રી-ડિપ્લોમા, ડિગ્રીના ધોરણેવ્યવસાયિક અભ્યાસક્રમ ડિપ્લોમા

વગેરેમાં જુદી જુદી કિંમત હોય

છે. આવાસિય વિદ્યાર્થીઓ માટે

૩૮૦-૧૨00ની રેન્જમાં તથા અન્ય

આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ.

૨૩૦-૫૫૦ની રેન્જમાં + ટ્યૂશન

ફી, ભથ્થાં, પુસ્તક અનુદાન વગેરે

હોય છે.

ઉચ્ચ શ્રેણીઅભ્યાસ માટેશિષ્યવૃત્તિ

શ્રેષ્ઠતાના ૧૯૭

૧૬૦

રૂ. ૬ લાખ

આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ.૩૦૦૦, અને આવાસિય વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ સંસ્થાનોમાં માટે રૂ. ૧૫૦૦ પ્રતિમાસ રખરખાવભથ્થાં, રૂ. ૨૦૦૦ દિવ્યાંગતા ભથ્થુ, પુસ્તક અનુદાન રૂ. ૫૦૦૦ પ્રતિ વર્ષ,રૂ. ૨ લાખ સુધીની ટ્યુશન ફી

દિવ્યાંગજનો માટેરાષ્ટ્રીય ફેલોશિપ

એમફીલ/પીએચડી

૨૦૦

આવકની કોઈમર્યાદા નહીં

જેઆરએફ (પહેલાં બે વર્ષ)માટે રૂ. ૨૫૦૦૦ પ્રતિમાસતથા એસઆરએફ (ત્રણ વર્ષથી વિશ્વવિદ્યાલય અનુદાન અભ્યાસક્રમ પૂરો થવાના સમય સુધી)તથા સ્કૂટર અનુદાન, એસકોર્ટ ભથ્થુરીડર ભથ્થુ, એચઆરએ વગેરે

વિદ્યાર્થીઓ પાસેથીઅપેક્ષા છે કે તેઓવિશ્વવિધાલય અનુદાન આયોગની વેબસાઈટ /www.ugc.ac.in પર ઓનલાઈન અરજીપ્રસ્તુત કરે

નેશનલઓવરસિઝશિષ્યવૃત્તિ

વિદેશી વિશ્વવિદ્યાલયોમાંસ્નાતકોતર ડિગ્રીતથા ડોક્ટરેટ ડિગ્રી

૨૦

રૂ. ૬ લાખ

યુ.કે. માટે ૯,૯૦૦ પાઉન્ડ (ગ્રેટ સમાચાર પત્રોમાં

બ્રિટન) વાર્ષિક તથા અન્ય દેશો માટે૧૫,૪૦૦ યુએસ ડોલર + વાર્ષિકટ્યૂશન ફી, ફૂટકર ભથ્થાં, હવાઈખર્ચ વગેરે.

સમાચાર પત્રોમાં જહેરાત દ્વારા આવેદનપત્રો આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્યાશિયોની પસંદગી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આ શિષ્યવૃત્તિ યોજના ૪૦ ટકાથી વધારે દિવ્યાંગતાવાળા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે. સક્ષમ ચિકિત્સા અધિકારી દ્વારા અપાયેલી દિવ્યાંગતા પ્રમાણપત્ર હોવું જરૂરી. શિષ્યવૃત્તિ યોજનાઓ વિશે વધારે જાણકારી માટે વેબસાઈટ www.disabilityaffairs. gov.in જુઓ. (દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર)

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ :

દિવ્યાંગજન વિદ્યાર્થીઓને અભ્યાસના અવસરે આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે અભ્યાસના માધ્યમ દ્વારા તેમનું સશક્તિકરણ કરવાની વિવિધ યોજનાઓ પણ બનાવી છે.

  1. મેટ્રિક પહેલાંની શિષ્યવૃત્તિ: ધોરણ-૮ અને ૧૦, પ્રતિવર્ષ શિષ્યવૃત્તિની સંખ્યા ૪૬,૦૦૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખ,શિષ્યવૃત્તિની રકમ – અને આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૫૦ રૂપિયા તથા આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થાં + પુસ્તક અનુદાન તથા પરિવહન ભાડું, રીડર ભાડું જેવાં ભથ્થાં.
  2. મેટ્રિક ઉપરાંત શિષ્યવૃત્તિ: ધોરણ-૧૧ થી માસ્ટર ડિગ્રી અથવા ડિપ્લોમા કક્ષા, પ્રતિ વર્ષ શિષ્યવૃત્તિની સંખ્યા ૧૬૬૫૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ, શિષ્યવૃત્તિની રકમ - જુદા જુદા વિષયોમાં સ્નાતકોત્તર, ગેર ડિગ્રી-ડિપ્લોમા, ડિગ્રીના ધોરણે વ્યવસાયિક અભ્યાસક્રમ ડિપ્લોમા વગેરેમાં જુદી જુદી કિંમત હોય છે. આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૮૦-૧૨૦૦ની રેન્જમાંતથા અન આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૩૦-૫૫૦ની રેન્જમાં + ટ્યુશન ફી, ભથ્થાં, પુસ્તક અનુદાન વગેરે હોય છે.
  3. ઉચ્ચ શ્રેણી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ: શ્રેષ્ઠતાના ૧૯૭ અધિસૂચિત સંસ્થાનોમાં સ્નાતકોતર ડિગ્રી અથવા ડિપ્લોમા, પ્રતિ વર્ષશિષ્યવૃત્તિઓની સંખ્યા ૧૬૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ, શિષ્યવૃત્તિની રકમ – આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩,૦૦૦ રૂપિયા, અને આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૫૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થાં ૨૦૦૦ રૂપિયા દિવ્યાંગતા ભથ્થુ,પુસ્તક અનુદાન પ000 રૂપિયા પ્રતિવર્ષ, ૨.૦૦ લાખ રૂપિયા સુધીની ટ્યૂશન ફી. (વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક શિષ્યવૃત્તિ પોર્ટલ www.scholarships.gov.in પર ઓનલાઈન અરજી પ્રસ્તુત કરે.
  4. દિવ્યાંગજનો માટે રાષ્ટ્રીય ફેલોશીપ : એમફીલ/પીએચડી, પ્રતિવર્ષ શિષ્યવૃત્તિઓની સંખ્યા ૨૦૦, વાર્ષિક આવક મર્યાદા કોઈનહીં, શિષ્યવૃત્તિની રકમ - જેઆરએફ (પહેલાં બે વર્ષ) માટે ૨૫.000 રૂપિયા પ્રતિમાસ તથા એસઆરએફ (ત્રણ વર્ષથીઅભ્યાસક્રમ પૂરો થવાની રકમ સુધી) તથા ફૂટકર અનુદાન, એસકોર્ટ ભથ્થુ/રીડર ભથ્થુ, એચઆરએ વગેરે. (વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની વેબસાઈટwww.ugc.ac.in પર ઓનલાઈન અરજી પ્રસ્તુત કરે.
  5. નેશનલ ઓવરસીઝ શિષ્યવૃત્તિ વિદેશોમાં રહેતા વિદેશી વિશ્વવિદ્યાલયોમાં સ્નાતકોતર ડિગ્રી તથા ડોકટરેટ ડિગ્રી, પ્રતિવર્ષશિષ્યવૃત્તિઓની સંખ્યા ૨૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખ, શિષ્યવૃત્તિની રકમ - યુ.કે. માટે ૯.૯૦૦ પાઉન્ડ (ગ્રેટબ્રિટન) વાર્ષિક તથા અન્ય દેશો માટે ૧૫,૪૦૦ યુએસ ડોલર વાર્ષિક + ટ્યૂશન ફી, ફૂટકર ભથ્થાં, હવાઈ ખર્ચ વગેરે.

(સમાચાર પત્રોમાં જાહેરાત દ્વારા આવેદનપત્રો આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્યાશિયોની પસંદગી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.)

વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની ૨૫00 છાત્રવૃત્તિઓ : (શેક્ષણિક સત્ર ૨૦૧૬-૧૭)- (ભારત સરકાર તરફથી દર વર્ષે આવી જાહેરાત દૈનિક વર્તમાનપત્રોમાં આવે છે તે માહિતી માટે) www.socialjustice.nic.in • www.nhfdc.nic.in

વિકલાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની તરફથી નેશનલ હેન્ડિકેટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચએફડીસી) છાત્રવૃત્તિ યોજના (ટ્રસ્ટ ફંડ) માટે વિકલાંગ વિદ્યાર્થીઓ પાસેથી છાત્રવૃત્તિ પ્રદાન કરવા માટે આવેદન મંગાવવામાં આવે છે.

  • આ યોજના અંતર્ગત ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના સ્નાતક તેમજ સ્નાતકોત્તર પાઠ્યક્રમમાં વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ માટે ૨૫૦૦ શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે.
  • ૩૦ ટકા છાત્રવૃત્તિઓ કન્યાઓ માટે આરક્ષિત છે. જો કન્યાઓની ઉમેદવારી નહીં આવે તો તેને કિશોરોમાં હસ્તાંતરિક કરવામાં આવશે.
  • આવેદકોને શિષ્યવૃત્તિ ત્રિમાસિક ધોરણે, અગાઉના ત્રિમાસિક આવેદનોના આધારે આપવામાં આવશે. યોજના હેઠળ, આવેદનની મુખ્ય નકલ આવેદક દ્વારા ઓનલાઈન (www.nhfdc.nic.in) પણ જમા કરવી પડશે.
  • ફરીથી પરત થયેલ-થવા યોગ્ય ફીની પુનઃ ચૂકવણીની રકમ સરકારી સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થાઓના સમાનપાઠ્યક્રમ શુલ્ક રકમ સુધી મર્યાદિત રહેશે. વ્યવસાયિક સ્નાતક પાઠ્યક્રમના છાત્રો માટે ભરણપોષણ ભથ્થુ રૂ. ૨૫૦૦/- તથા (વ્યવસાયિક સ્નાતકોતર પાઠ્યક્રમ માટે) રૂ. ૩૦૦૦/- પ્રતિ મહિના ચૂકવવામાં આવશે. જે ૧૦ મહિના માટે દેવામાં આવશે.
  • વ્યાવસાયિક સ્નાતક પાઠ્યક્રમ માટે રૂ. ૬૦૦૦/- તેમજ વ્યવસાયિક સ્નાતકોતર પાઠ્યક્રમને માટે રૂ. ૧૦,OOO વાર્ષિક પુસ્તકો સ્ટેશનરી ભથ્થા પેટે ચૂકવવામાં આવશે.વિકલાંગ છાત્રો માટે આ સાથે ઉપકરણ ખરીદવા માટે નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. (જીવનકાળમાં એક વાર).
  • લાભાર્થી/માતા-પિતા અથવા આવેદનકર્તાની માસિક આવક, તમામ સ્રોતોમાંથી મળીને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ (રૂપિયા ૩.૦૦ લાખ પ્રતિ વર્ષ)થી વધારે નહીં હોવી જોઈએ.
  • આ યોજનાના અંતર્ગત છાત્રવૃત્તિ મેળવનારા અન્ય કોઈ છાત્રવૃત્તિ વૃત્તિકા લઈ શક્યું નહીં.
  • અરજી કેવી રીતે કરશો અરજી કરનારે ઓનલાઈન (www.nhfdc.nic.in) આવેદન કર ભરેલ આવેદન પત્રની છપાયેલી નકલને પોતાના સંસ્થાના વડાની ભલામણ લઈને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે નેશનલ હેન્ડીકેટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(એનએચએફડીસી) ત્રીજો માળ, પીએચ.ડી હાઉસ, ૪/૨, સીરી ઈન્સ્ટીટ્યુશનલ એરીયા, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, નવી દિલ્હી-૧૧૨૦૧૬ને મોકલો. છપાયેલ આવેદનપત્ર વગર આવેદક દ્વારા મોકલેલ ઓનલાઈન આવેદન ઉપર વિચાર કરવામાં આવશે નહિં. આ યોજના હેઠળ, આવેદક શૈક્ષણિક સત્ર ૧ જુલાઈ ૨૦૧૬ થી ૩૦ જૂન ૨૦૧૭ દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકે છે.

આવેદનની હાર્ડ કોપીની સાથે સંલગ્નકોની યાદી :

  1. શૈક્ષણિક રેકોર્ડ- પાત્રતા પરીક્ષા માટે પ્રાસંગિકલ પ્રમાણપત્ર/માર્કશીટની મૂળ નકલ.
  2. વાર્ષિક આવકનું પ્રમાણ : માતાપિતા/આવેદન કરનારની આવકનું પ્રમાણપત્ર/પગાર-વેતનની છેલ્લામાં છેલ્લી પહોંચી આવકવેરાની પહોંચ અથવા રાજસ્વ અધિકારી રાજપિત્રત અધિકારી, લોકપ્રતિનિધિ ઉદાહરણ માટે સંસદસભ્ય, ધારાસભ્ય, વિધાન પરિષદના સભ્ય, પંચાયત અધિકારીઓ વગેરે દ્વારા અપાયેલ આવકનું પ્રમાણપત્ર.
  3. વિકલાંગતા પ્રમાણપત્રની રાજપત્રિત અધિકારી અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા સર્ટિફાઈડ નકલ અથવા પ્રમાણિત નકલ.
  4. કોર્ષ ફીની રસીદ, જો કોઈ હોય તો તે વિધિવત્તશૈક્ષણિકસત્રની વચ્ચે ચૂકવવામાં આવેલ હોય તેની વિધિવત્ સંસ્થાના અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા કરાયેલ પ્રમાણિત નકલ.
  5. વિધિવત્ સંસ્થાના અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા પ્રતિ હસ્તાક્ષરીત પાત્ર સહાયક ઉપકરણોની રસીદ ચલણ.
  6. એક સફળ વર્ષમાં છાત્રવૃત્તિની નિરંતરતાની બાબતમાં પાછલા વર્ષના ગુણયાદીની રાજપત્રિત અધિકારી દ્વારા અધિકૃતહસ્તાક્ષરકર્તા દ્વારા પ્રમાણિત નકલ.
  7. બેંક બચત ખાતાની પાસબુકની નકલ અથવા ર થયેલ ચેક.

અન્ય જાણકારી માટે એનએચએફડીસીની વેબસાઈટ (www.nhfdc.nic.in) જુઓ. અથવા ટેલીફોન નં. ૦૧૧૪૦૫૪૧૩૫૫, ૪૫૦૮૮૬૩૮, ફેક્સ નંબર ૦૧૧-૪૫૦૮૮૬૩૬ ઈમેઈલ nhfdc@gmail.com પર સંપર્ક કરો.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate