অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિષ્ટમાન્ય પુસ્તકોના પ્રકાશન અર્થે લેખકોને આર્થિક સહાય આપવાની યોજના

શિષ્ટમાન્ય પુસ્તકોના પ્રકાશન અર્થે લેખકોને આર્થિક સહાય આપવાની યોજના

પ્રેષક : પ્રતિશ્રી,

ગુજરાત સાહિત્ય અકાદમી

અભિલેખાગાર ભવન,

ગુલાબ ઉદ્યાન સામે,

સેક્ટર-૧૭,

ગાંધીનગર-૩૮૨૦૧૭

 

ક્રમાંક : ગસઅ  / શિષ્ટમાન્ય /

વિષય : શિષ્યમાન્ય પુસ્તકોના પ્રકાશન અર્થે લેખકોને આર્થિક સહાય આપવાની યોજના.

 

શ્રીમાન

ઉપર્યુંક્ત વિષય અંગે આપનો તા. ...................... નો પત્ર મળ્યો. આ સાથે ઉક્ત યોજનાને લગતું જરૂરી સાહિત્ય નીચેની વિગતે મોકલ્યું છે.

૧. આવેદનપત્ર

૨. વિગતપત્રક

૩. યોજનાના સામાન્ય નિયમો

આવેદનપત્ર સાથે હસ્તપ્રત આ કચેરીને પહોંચાડવાની છેલ્લી તારીખ................... છે, જે વિદિત થાય

ગુજરાત સાહિત્ય અકાદમી

ગાંધીનગર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

શિષ્ટમાન્ય મૌલિક પુસ્તકોના પ્રકાશન માટે આર્થિક સહાય આપવાની યોજના અન્વયે આર્થિક સહાય માટેની શરતો :-

  • આ યોજના હેઠળ ગુજરાતી ભાષામાં લખાયેલાં મૌલિક પુસ્તકો એટલે કે વ્યાપક અર્થમાં ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિવેચન, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, ભાષાસાહિત્ય અને શાસ્ત્રીય સંશોધનને લગતાં શિષ્ટ મૌલિક પુસ્તકોના પ્રકાશન અર્થે આર્થિક સહાય આપી શકાશે. ખાસ કરીને કશીય આર્થિક સહાય વગર જે પુસ્તકો પ્રજાને સુલભ બનાવવાનું શક્ય ન હોય અને નાણાંકીય જવાબદારીને કારણે ખાનગી પ્રકાશકો અથવા સ્વેચ્છિક સંસ્થાઓ જે પુસ્તકો પ્રકાશન અર્થે હાથ ધરવા તૈયાર ન થાય તેમજ લેખકો પોતે આર્થિક કારણોસર પ્રકાશનની પૂર્ણ જવાબદારી ઉપાડી શકે તેમ ન હોય, એવાં પુસ્તકોનાં પ્રકાશનોને આર્થિક સહાય દ્વારા ઉત્તેજન આપવાનો આ યોજનાનો આશય છે.
  • ખાસ કરીને રાષ્ટ્રીય એકતાને પોષે, પ્રજાની સાંસ્કૃતિક ચેતનાને જાગૃત કરે, વ્યાપક દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિને તેમજ વિશેષત: ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરે, ઊગતી પેઢીના ચારિત્ર્ય ઘડતરમાં ફાળો આપે એવા શિષ્ટમાન્ય પ્રકાશનોને આર્થિક સહાય માટે ગણવામાં આવશે. કાવ્ય, નાટક, નવલકથા, વાર્તા, ચરિત્રકૃતિઓ, રેખાચિત્રો, હળવા નિબંધો વગેરે જેવું લલિતસાહિત્ય આર્થિક સહાયની આ યોજનામાં વિચારી શકાશે નહીં.
  • લેખકે ‘ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની નાણાકીય સહાયથી પ્રકાશિત’ એવી ઋણ સ્વીકારની પંક્તિ મુખપૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છાપવાની રહેશે.
  • પુસ્તકોની પOO નકલ છાપવા માટે વધુમા વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધીની રકમ આર્થિક સહાય તરીકે આપી શકશે. અકાદમીએ નિયત કર્યા મુજબ પ્રકાશન ખર્ચ માટે ફર્મા દીઠ ક્રાઉન સાઇઝ કાચુંપૂઠું રૂ. ૧૩૦૦/- પાકુંપૂટું રૂ. ૧૪૦૦/- તેમજ ડેમીસાઈઝ માટે કાચુંપૂઠું રૂ. ૧૬૦૦/- પાકા પૂઠા માટે રૂ. ૧૭૦૦/- નક્કી કરેલ છે. જેમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થયેલ છે.
  • આર્થિક સહાય મંજૂર થયા બાદ લેખકે પોતાને ખર્ચ પુસતક પ્રગટ કરવાનું રહેશે. થાપકામના બિલો, વાઉચર વગેરે રજૂ કર્યા બાદ ચકાસણી કરીને સહાય ચૂકવવામાં આવશે.
  • સહાયક ગ્રાન્ટ મંજૂર થયા પછી વધુમાં વધુ એક વર્ષની અંદર પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. તે માટે લેખકે જરૂરી બાંહેધરી આપવાની રહેશે.
  • અકાદમી તરફથી મળેલી સહાયક ગ્રાન્ટની રકમ કોઈપણ ખાનગી પ્રકાશકને અથવા સંસ્થાને તબદીલ કરી શકાશે નહીં તથા તે અંગેની આર્થિક સહાય અન્યત્રથી મેળવી શકાશે નહીં.
  • પ્રગટ થયેલા પુસ્તકની ૧૫ નકલો લેખકે ગુજરાત સાહિત્ય અકાદમીની કચેરીને વિનામૂલ્ય આપવાની રહેશે. પુસ્તકના પુનર્મુદ્રણના બધા હક લેખકને સ્વાધીન રહેશે.
  • લેખકે પોતાની સંપૂર્ણ હસ્તપ્રત નિયત તારીખ સુધીમાં મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમીની કચેરીમાં યોગ્ય અધિકારીને રૂબરૂ અથવા રજિસ્ટર્ડ ટપાલથી મોકલવાની રહેશે. હસ્તપ્રત ટાઈપ કરેલી અથવા કાગળની એક બાજુએ ચોખા અક્ષરે લખેલી અને પાના નંબર સાથે વ્યવસ્થિત રીતે બાંધેલી હોવી જરૂરી છે. હસ્તપ્રતનાં છૂટાં પાનાં સ્વીકારવામાં આવશે નહીં. હસ્તપ્રતમાં મુખપૃષ્ઠ પર લેખકે પોતાનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવું. ગ્રંથની હસ્તપ્રત રજૂ કરાયા બાદ તેનું નામ|શીર્ષક બદલી શકાશે નહીં. હસ્તપ્રત મંજૂર થયા બાદ એની સામગ્રીમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં.
  • પુસ્તકની જોડણી સરકાર માન્ય સાર્થ ગુજરાતી જોડણીકોશ પ્રમાણે રાખવાની રહેશે. આર્થિક સહાય માટેની પાત્રતા અથવા ગ્રાન્ટની રકમ અંગે વિધિસર નિર્ણય થઈ ગયા પછી એ બાબત અંગે અકાદમી કોઈ પત્રવ્યવહારમાં ઊતરશે નહીં.
  • આર્થિક સહાય હેઠળ પ્રગટ થતાં પુસ્તકોમાં કોઈપણ પ્રકારની જાહેરખબર લઈ શકાશે નહીં.
  • આ યોજના હેઠળ લેખકે જે તે વર્ષમાં એક જ હસ્તપ્રત રજૂ કરવાની રહેશે.
  • ઉચ્ચ સાહિત્યિક ગુણવતા ધરાવતી કૃતિઓ પસંદગીપાત્ર ગણવામાં આવશે. આ અંગે અકાદમીનો નિર્ણય આખરી રહેશે.
  • જે લેખકોને આ યોજનામાં પાંચ વખત સહાય મળી ચૂકી હોય તેઓ હસ્તપ્રત રજૂ કરી શકાશે નહીં.

આવેદનપત્ર

(૧) લેખકનું પૂરું નામ

(ર) પત્રવ્યવહારનું સરનામું

(૩) પુસ્તકનું શીર્ષક

(૪) પુસ્તકનો વિષય (ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા વગેરે)

(પ) પુસ્તકના વિષયવસ્તુની સંક્ષિપ્ત રૂપરેખા

(૬) પુસ્તકની અંદાજિત પૃષ્ઠસંખ્યા ડેમી સાઈઝ/એ-પ, મેટ્રિક સાઈઝ/

ક્રાઉન સાઈઝ (બિનજરૂરી છેકી નાખો)

(૭) પુસ્તક છપાવીને પ્રગટ કરતાં ઓછામાં ઓછો કેટલો સમય લાગશે ?

(૮) આ જ પ્રકાશન માટે ગુજરાત સરકારની અથવા ભારત સરકારની બીજી કોઈ એજન્સી પાસે આર્થિક સહાયની માગણી કરી છે ? (સહાય મળી તો તેની વિગત આપવી) :

(૯) પ્રકાશન માટે સહાયક ગ્રાન્ટ માગવા માટેનાં ખાસ કારણો

(૧૦) આર્થિક સહાય ન મળે તો પ્રકાશન માટે બીજી કોઈ વ્યવસ્થા વિચારી છે ?

સ્થળ :

તારીખ :

લેખકની સહી

પ્રેષક

લેખકનું નામ અને પૂરું સરનામું

પ્રતિ

ગુજરાત સાહિત્ય અકાદમી

અભિલેખાગાર ભવન,

ગુલાબ ઉદ્યાન સામે,

સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭

વિષય : શિષ્ટમાન્ય મૌલિક પુસ્તકોના પ્રકાશન અર્થે આર્થિક સહાય આપવાની યોજના

ઉપર્યુક્ત વિષય અન્વયે આર્થિક સહાય અંગેની વિચારણા અર્થે હું આ સાથે દર્શાવેલ પુસ્તકની હસ્તપ્રત  ....................... (પુસ્તકનું શીર્ષક) જરૂરી વિગતો સાથે મોકલું છું.

આર્થિક સહાય અંગેના બધા નિયમો મેં બરાબર વાંચ્યા છે અને એ મને બંધનકર્તા રહેશે તે હું સ્વીકારું છું.

મારા પુસ્તકના પ્રકાશન અર્થે અકાદમી સહાયક ગ્રાન્ટ મંજૂર કરશે તો સહાયક ગ્રાન્ટની બધી શરતોનું હું બરાબર પાલન કરીશ એ અંગે આથી હું અંગત બાંહેધરી આપું છું.

તારીખ  :

લેખકની સહી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate